________________
અધ્યાત્મસાર
૨૮
क्षुद्रो लोभरतिर्दीनो, मत्सरी भयवान् शठः ।
अज्ञो भवाभिनन्दी स्या-निष्फलारम्भसङ्गतः ।।६।। અન્વયાર્થ :
સુદ નોમતિઃ સીનઃ મતસર મયવાન શત: ક્ષુદ્ર, લોભમાં રતિવાળો, દીન, મત્સરી, ભયવાળો, શઠ ૩ નિર્નિરશ્નતિ : મવમનની ચતુ અજ્ઞ અને નિષ્ફળ આરંભથી યુક્ત એવો જીવ ભવાભિનંદી હોય. રિ-કા શ્લોકાર્ચ -
શુદ્ર=કૃપણ, લોભરતિ માંગણસ્વભાવવાળો, દીન=સદા સ્વકલ્યાણને નહિ જોનારો, મત્સરી પરના કલ્યાણને સહન નહિ કરનારો, ભવાન-નિત્ય ભયવાળો, શઠ=માયાવી, અજ્ઞ=મૂર્ખ અને સર્વત્ર અતત્ત્વનો અભિનિવેશ અર્થાત્ અતત્ત્વનો આગ્રહ હોવાથી નિષ્ફળ આરંભથી યુક્ત એવો જીવ ભવાભિનંદી હોય=સંસાર પ્રત્યે બહુમાનવાળો હોય.II-કા
ભાવાર્થ :-
૧. શુદ્ર - જેમ સંસારમાં શુદ્ર અર્થાત્ તુચ્છ, હલકી પ્રકૃતિવાળા જીવો બીજાનાં દુઃખોને જોઈને આનંદ પામનારા હોય છે, તેમ સંસારના પૌગલિક પદાર્થને જોઈને આનંદ પામનારા જીવો શુદ્ર કહેવાય છે. તેથી તેવા શુદ્ર જીવો પરલોક અર્થે ધર્મમાં પ્રવૃત્તિ કરે તો પણ આત્મિક ગુણ પ્રત્યે તેઓનું વલણ થતું નથી. તેથી ભવાભિનંદી જીવોને શુદ્ર કહેલ છે.
૨. લોભરતિ - ભવાભિનંદી જીવોને લોભમાં જ રતિનો અર્થાત્ સુખનો અનુભવ હોય છે, તેથી આત્મિકગુણોમાં સારભૂતતા તેઓ જોઈ શકતા નથી. આથી જ તેઓ ધર્મ કરે તો પણ તેઓને આલોકના અને પરલોકના જ ભૌતિક પદાર્થોની અભિલાષા હોય છે, તેથી જ ભવાભિનંદીને “માંગણ” સ્વભાવવાળો કહેલ છે.
૩. દીન :- જેમ સંસારમાં ભિખારીઓને દીન' કહેવામાં આવે છે, અને ભિખારીઓએ ક્યારેય સારા ભોગ્યપદાર્થો જોયા હોતા નથી, તેમ ભવાભિનંદી જીવો પણ આત્મિકગુણોના વિકાસમાં જ કલ્યાણ છે તે ક્યારેય જોઈ શકતા નથી. તેથી આત્માને હિતકારી એવા ઉત્તમ ભાવોની રુચિ ભવાભિનંદીને થતી નથી, તેથી તે દીન છે.