________________
અધ્યાત્મસાર
જીવો જે કર્મની નિર્જરા કરે છે, તે નિર્જરા સામાન્ય હોય છે.
૩૪
(૨) પૃષ્ઠોત્પન્નમંત્ત :
સંસારનું આકર્ષણ મંદ થવાને કારણે તત્ત્વ શું છે ? તે જાણવાની જિજ્ઞાસામાંથી તત્ત્વને અભિમુખ ભાવ પેદા થવાથી તત્ત્વની પૃચ્છા કરવાની સંજ્ઞા ઉત્પન્ન થઈ છે જેને તે પૃચ્છાઉત્પન્ન સંજ્ઞાવાળો છે.
‘૦’ નંબરમાં બતાવેલી કક્ષાના જીવો કરતાં ધર્મ પૂછવાની ઉત્પન્ન થયેલી સંજ્ઞાવાળા જીવો અસંખ્યાતગુણ=અસંખ્યાતગણી નિર્જરા કરે છે.
(२) पिपृच्छिषु साधुपार्श्व जिगमिषुः
ઉપર બતાવ્યા પ્રમાણે પૃચ્છાની સંજ્ઞા ઉત્પન્ન થયા પછી પણ, કોઈકને તે સંજ્ઞા શાંત પણ થઈ જાય, અને કોઈકને જિજ્ઞાસા પેદા કરે તેવા પ્રકારના નિમિત્તથી બોધ વિશદ થવાથી, તત્ત્વ પૂછવાની બળવાન ઈચ્છા થાય છે; અને તે જીવ પૃચ્છાઉત્પન્ન સંજ્ઞાવાળા જીવ કરતાં અસંખ્યાતગુણ અધિક નિર્જરા કરે છે.
:
સામાન્ય રીતે ધર્મની પૃચ્છા કરતા હોય કે ધર્મ સાંભળતા હોય; તે બધાનો જ આમાં સમાવેશ થાય છે તેમ નથી, પરંતુ વિશેષ પ્રકારના રાગાદિ અલ્પ થવાના કા૨ણે જેમને તત્ત્વના વિષયમાં સામાન્ય બોધ થવાથી તત્ત્વને પૂછવાનો અભિલાષ પેદા થાય છે, જે અભિલાષ, સામગ્રી પ્રાપ્ત થતાં તત્ત્વબોધમાં જ વિશ્રાંત થાય તેવો છે, તેવા પ્રકારની જિજ્ઞાસા ધરાવતા જીવનો જ અહીં પ્રવેશ થઈ શકે. તેથી તત્ત્વની પૃચ્છા કરનારા કે પૂછવાની ઈચ્છા કરીને સાધુ પાસે જવાની ઈચ્છાવાળા બધા જીવોનો આ ભૂમિકામાં પ્રવેશ થતો નથી; પરંતુ વિશેષ જિજ્ઞાસાથી પૃચ્છા કરવાની જેને ઈચ્છા થઈ છે અને તેથી સાધુ પાસે જવાની ઈચ્છાવાળા છે, તેઓનો આમાં સમાવેશ થાય છે.
(૨) વિસ્થિતઃ ધર્મ પૃચ્છન્ :
આદર અને બહુમાનભાવથી સાધુ પાસે આવનાર પ્રસ્તુત ભૂમિકાવાળા જીવોનો માર્ગાનુસારી બોધ જ તેવા પ્રકારનો હોય છે કે જેથી યોગ્ય ગુરુને તેઓ સમજી શકે છે, તેથી તેમની પાસે અત્યંત આદરપૂર્વક અને ભક્તિથી પ્રશ્નની પૃચ્છા કરે છે. આ રીતે વિનયાદિ ક્રિયામાં રહીને વિવેકપૂર્વક ધર્મને પૂછનાર જીવ ઉપર બતાવેલ ભૂમિકાવાળા જીવ કરતાં અસંખ્યાતગુણ નિર્જરા કરે છે.