________________
અધ્યાત્મસાર
સુવાક્યો
પરિણામ કરવામાં કુશળ ન થાઓ તો બીજી બધી કુશળતા નકામી. છે જે સૂક્ષ્મ જોઇ શકે તે માર્ગ પર ચાલી શકે અને તેના હાથમાં જ તત્ત્વ આવે. આ યત્ન મનસ્વી પણે નહિ જિનાજ્ઞા પ્રમાણે હોવો જોઇએ.
સમતા એટલે કષાયને પરવશ ન થવું અને બધી પ્રવૃત્તિ કષાયને બાજુમાં, મૂકી કરવી તે સમતા. છે જેને ધર્મભાવ આવે તે ધર્મ માટે બધું કરી શકે. પ્રકૃતિનું ઘડતર થાય તેવો ધર્મ કરવાનો.
અપ્રમાદ એટલે શક્તિ પ્રમાણે ભગવાનના વચનને જાણવું, જાણીને સ્થિર કરવું અને સ્થિર કર્યા પછી ઉચિત પ્રવૃત્તિ કરવી.
કષાયનો પ્રવાહ કષાયની તીવ્રતાથી નહિ પણ કષાય કરવામાં મીઠાશ લાગે. છે તેનાથી ચાલે છે. છે. શાસ્ત્રની પંક્તિઓમાં સમ્યક કસરત કરવાથી ક્ષયોપશમ થાય છે, માર્ગાનુસારી બુદ્ધિ ખીલે છે. શાસ્ત્ર પ્રત્યે જેટલો પૂજ્યભાવ વધારે તેટલો તમારા સંસારનો ઉચ્છેદ થશે.
આખો મોક્ષમાર્ગ ભગવાનના વચન સાથે અવિનાભાવી જોડાયેલો છે. છે ઘણા ગુણ હોય પણ કદાગ્રહ હોય તો બધા ગુણ નકામા.
પરિણામ વધે તે રીતે સાધના કરવી તે ભગવાનની આજ્ઞા છે. . છે આત્માના સ્વરૂપમાં તન્મય થવું તે સાચું સાધુપણું છે. તત્વ એટલે જીવનું હિત. " વિશુદ્ધભાવ ઉપયોગથી થાય છે. ઉપયોગને ચોક્કસ રીતે નિયંત્રિત રાખે તે નિર્જરા કરે. રાધાવેધ સાધવામાં જેટલો ઉપયોગ રાખવાનો છે તેટલો ઉપયોગ દરેક સમયે ક્રિયાકાળમાં રાખવાનો છે. સર્વિકલ્પવાળી અવસ્થા વગર બધા અસંજ્ઞી છે.