________________
૨૪
અધ્યાત્મસાર અન્વયાર્થ :
ગતમોધવારીમ્ ગયેલા મોહના અધિકારવાળા જીવોની આત્માનમ્ આત્માને ધવૃજ્ય આશ્રયીને યા શુદ્ધ યિા પ્રવર્તતે જે શુદ્ધ ક્રિયા પ્રવર્તે છે તત્ બિના: ૩ધ્યાત્મ નમુ તેને શુદ્ધ ક્રિયાને, જિનેશ્વર ભગવંતો અધ્યાત્મ કહે છે. ર-રા
* “તદ્એ શુદ્ધ ક્રિયાનો પરામર્શક છે, તો પણ અધ્યાત્મની પ્રધાનતા બતાવવા માટે અધ્યાત્મ નપુંસકલિંગ હોવાથી ‘ત નપુંસકમાં ગ્રહણ કરેલ છે. શ્લોકાર્થ :
ગયેલા મોહના અધિકારવાળા જીવોની આત્માને આશ્રયીને જે શુદ્ધ ક્રિયા પ્રવર્તે છે, તે શુદ્ધ ક્રિયાને જિનેશ્વર ભગવંતો અધ્યાત્મ કહે છે. I-શા ભાવાર્થ :
જ્યાં સુધી જીવને તત્ત્વના સામાન્ય સ્વરૂપનો બોધ થવા પૂર્વક તત્ત્વની તીવ્ર જિજ્ઞાસા પેદા થતી નથી, ત્યાં સુધી જીવ ઉપર મોહનો અધિકાર પ્રવર્તે છે; અને તેવો જીવ હિત માટે તપ-સંયમાદિમાં યત્ન કરતો હોય તો પણ તે અધ્યાત્મ બનતું નથી. પરંતુ જ્યારે કર્મમલની તથાવિધિ અલ્પતાને કારણે આત્માના તાત્ત્વિક સ્વરૂપને અભિમુખ જીવ થાય છે ત્યારે, કંઈક અંશે તેના આત્મા ઉપર મોહનો અધિકાર ઓછો થાય છે અને આત્માનો પોતાનો અધિકાર પ્રાપ્ત થાય છે, અને તેવો જીવ પોતાના આત્મસ્વરૂપને પ્રગટ કરવાને આશ્રયીને જે શુદ્ધ ક્રિયા કરે છે, અર્થાત્ આત્મસ્વરૂપના પ્રાદુર્ભાવના કારણભૂત બને તેવી તપ-સંયમાદિની ક્રિયા કરે છે, તેને ભગવાન અધ્યાત્મ કહે છે.
અહીં આત્માને આશ્રયીને પ્રવર્તતી ક્રિયાને “શુદ્ધા' વિશેષણ આપવાથી એ પ્રાપ્ત થાય છે, જે લોકો મોક્ષ મેળવવા માટે કાશીએ કરવત મુકાવે છે કે તેવી કોઈ અન્ય પણ આત્માને આશ્રયીને ક્રિયા કરે છે, તો તે સર્વ ક્રિયા અશુદ્ધ છે. તેથી તેવી ક્રિયાઓની વ્યાવૃત્તિ કરવા અર્થે અહીં “શુદ્ધા યિા” ગ્રહણ કરેલ છે. II-રા અવતરણિકા -
અધ્યાત્મનું લક્ષણ કર્યા પછી અધ્યાત્મનું જ વિશેષ સ્વરૂપ બતાવતાં કહે છે –