________________
અધ્યાત્મસાર
સંભાવનાથી તેમાં યત્ન ન કરે તો તે અવિચારકતા જ છે. કેવલ અધ્યાત્મશાસ્ત્રને શબ્દાર્થથી જ પરિશીલન ક૨વાથી તે અધ્યાત્મરસ પ્રાદુર્ભાવ પામી શકતો નથી, પરંતુ તેના રહસ્યને પાર પામવાની જિજ્ઞાસાપૂર્વક, તેના જાણનારા પાસે પુનઃ પુનઃ અધ્યાત્મશાસ્ત્રના રહસ્યને જાણવાના પ્રયત્નથી તે પ્રાપ્ત થઈ શકે છે. જોકે સંક્ષેપથી તે અધ્યાત્મ પદાર્થ રાગ-દ્વેષરહિત એવા આત્મસ્વરૂપના વર્ણનમાં જ વિશ્રાંત થાય છે, તો પણ તે મહાપ્રજ્ઞાવાન પુરુષથી પ્રાપ્ત થઈ શકે તેવો પદાર્થ છે; સ્થૂલબુદ્ધિથી તો માત્ર શબ્દોથી દેખાતો તે પદાર્થ છે. II૧-૨૧||
૧૮
અન્વયાર્થ :
कुतर्कग्रन्थसर्वस्व - गर्वज्वरविकारिणी |
एति दृङ्निर्म्मलीभाव - मध्यात्मग्रन्थभेषजात् ।। २२ ।।
તપ્રન્ટસર્વસ્વર્ધન્વરવિારિખી વૃક્ કુતર્કગ્રંથના સર્વસ્વ રૂપ જે ગર્વ, તે ગર્વરૂપ જ્વરના વિકારવાળી દૃષ્ટિ ઞધ્યાત્મપ્રચમેષજ્ઞાત્ અધ્યાત્મશાસ્ત્રરૂપ ઔષધથી નિમ્નતીમાવર્ નિર્મળ ભાવને વૃત્તિ પામે છે. ૧-૨૨ા
શ્લોકાર્થ :
-:
કુતર્કગ્રંથના સર્વસ્વ રૂપ જે ગર્વ, તે ગર્વરૂપ જ્વરના વિકારવાળી દૃષ્ટિ અધ્યાત્મશાસ્ત્રરૂપ ઔષધથી નિર્મળ ભાવને પામે છે. II૧-૨૨॥
ભાવાર્થ
જે જીવને, પોતે માનેલું છે એ જ બરાબર છે એવી સ્વમાન્યતાની તીવ્ર રુચિ છે, પરંતુ તત્ત્વનો પક્ષપાત નથી, તે જીવ અતત્ત્વભૂત પણ પોતાની માન્યતાને સ્થિર કરવા માટે કુતર્કો કરીને પોતાનું સ્થાપન કરે છે. તેવા કુતર્કોમાંથી ઉત્પન્ન થયેલા ગ્રંથોનું સર્વસ્વ પોતાની માન્યતાને પુષ્ટ કરવાના પરિણામરૂપ ગર્વ છે, અને તે ગર્વ જ્વર જેવો છે; કેમ કે જેમ જ્વરથી શ૨ી૨ વિકૃત અવસ્થાને પામે છે, તેમ ગર્વરૂપી જ્વરથી વિકારવાળી તેની દૃષ્ટિ થાય છે. અર્થાત્ આંતરદૃષ્ટિ વિકારવાળી બને છે, અને તેથી જ તે તત્ત્વને જોઈ શકતો નથી. પરંતુ એવો પણ જીવ અતિગાઢ કર્મવાળો ન હોય અને કોઈ ઉત્તમ પુરુષના સમાગમથી અધ્યાત્મગ્રંથરૂપી ઔષધને પ્રાપ્ત કરે, તો તેની તે વિકારવાળી આંતરદૃષ્ટિ પણ નિર્મળ ભાવને પામે છે. ||૧-૨૨||