________________
અધ્યાત્મસાર
ઉપકારની બુદ્ધિથી ગંભીરતાપૂર્વક બોલે છે. ૧-૧૯
૧૬
अध्यात्मशास्त्रहेमाद्रि- मथितादागमोदधेः । भूयांसि गुणरत्नानि प्राप्यन्ते विबुधैर्न किम् ।।२०।।
અન્વયાર્થ :
ગધ્યાત્મશાસ્ત્રદેમાદ્રિમચિતાવાળોઘેઃ અધ્યાત્મશાસ્ત્રરૂપી મેરુપર્વતથી મંથન કરાયેલા આગમરૂપી સમુદ્રમાંથી વિદ્યુû વિમ્ મૂસ ગુણરત્નાનિ બુધ પુરુષો વડે શું ઘણાં ગુણરૂપી રત્નો ન પ્રાપ્યત્તે પ્રાપ્ત નથી કરાતાં ? (અર્થાત્ કરાય છે.) ||૧-૨૦માં
શ્લોકાર્થ :
અધ્યાત્મશાસ્ત્રરૂપી મેરુપર્વતથી મંથન કરાયેલા આગમરૂપી સમુદ્રમાંથી બુધ પુરુષો વડે શું ઘણાં ગુણરૂપી રત્નો પ્રાપ્ત નથી કરાતાં ? અર્થાત્ કરાય છે. ||૧-૨૦માં
ભાવાર્થ :
જો કે અધ્યાત્મશાસ્ત્ર આગમથી કીચન્દ્ અપૃથક્ છે, તો પણ જેમ જ્ઞાનદર્શન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં ચારિત્રથી અપૃથભૂત એવા પણ તપને કથંચિદ્ પૃથરૂપ ગ્રહણ કરવામાં આવે છે, તે રીતે આગમથી અધ્યાત્મશાસ્ત્રને અહીં પૃથક્ ગ્રહણ કરવામાં આવેલ છે. અને જે આત્મા અધ્યાત્મશાસ્ત્રમાં નિપુણ હોય છે તે આત્મા અધ્યાત્મશાસ્ત્રરૂપી પર્વતથી આગમરૂપી સમુદ્રને જ્યારે વલોવે છે, અર્થાત્ અધ્યાત્મશાસ્ત્રના તત્ત્વને બુદ્ધિમાં સ્થિર કરીને તેના દ્વારા આગમનું સમ્યગ્ અવલોકન કરે છે, ત્યારે ઘણાં રત્નોરૂપ ઘણાં અદ્ભુત તત્ત્વો તેના હાથમાં આવે છે; કેમ કે અધ્યાત્મશાસ્ત્રની દૃષ્ટિથી આગમને જોવાથી આગમમાંથી અધ્યાત્મના સૂક્ષ્મભાવોને દેખાડે તેવી નવી દૃષ્ટિઓ પ્રાદુર્ભાવ પામે છે. આથી કરીને શાસ્ત્રનો ખરો અધિકારી અધ્યાત્મને પામેલ સમિતિ-ગુપ્તિવાળો મુનિ જ છે. II૧-૨૦ની
रसो भोगावधिः कामे, सद्भक्ष्ये भोजनावधि: । અધ્યાત્મશાસ્ત્રસેવાયાં, રસો નિરવધિઃ પુનઃ ।।।।