________________
અધ્યાત્મસાર
૧૪ વર્તમાનકાળમાં યોગ્ય એવા ઘણા જીવોને પણ તેવા પ્રકારના પુણ્યના અભાવને કારણે અધ્યાત્મશાસ્ત્ર મળતું નથી; જ્યારે તેવા યોગ્ય જીવો કરતાં ઓછી લાયકાતવાળા કોઈ પુણ્યશાળીને આ કલિકાળમાં પણ અધ્યાત્મશાસ્ત્ર મળી જાય છે, જેનાથી દિશા પકડાતાં તેમની યોગ્યતા ઘણી વિકસી જાય છે; અને પુણ્યના અભાવને કારણે અધ્યાત્મશાસ્ત્ર ન મળવાથી કેટલાક યોગ્ય જીવોની યોગ્યતા નશ પણ પામી જાય છે. II૧-૧૭ના
वेदान्यशास्त्रवित् क्लेशं, रसमध्यात्मशास्त्रवित् ।
भाग्यभृद् भोगमाप्नोति, वहते चन्दनं खरः ।।१८।। અન્યથાર્થ :
(જેમ) અરઃ ગધેડો – ચંદનને વહતે વહન કરે છે (અને) માથમૃદુ ભાગ્યશાળી મામ્ (ચંદનના) ભોગને નોતિ પ્રાપ્ત કરે છે, તેમ) ૩Tધ્યાત્મશાસ્ત્રવિત્ અધ્યાત્મશાસ્ત્રને જાણનાર રસન્ રસને (અને) ૩ શાસ્ત્રવિદ્ અન્ય શાસ્ત્ર જાણનાર વગ્નેશ ક્લેશને વેઃ અનુભવે છે. ll૧-૧૮II નોધ -
અહીં વેર' શબ્દ “નાનાતિ” ના અર્થમાં છે. વળી વર્તમાનકાળ, ત્રીજો પુરુષ એકવચનનું વેરિ’ રૂ૫ છે, તેનું વિકલ્પ “વેઢ પણ થાય છે અને અહીં તે ‘વે નો પ્રયોગ કરેલ છે. શ્લોકાર્ચ -
જેમ ગધેડો ચંદનને વહન કરે છે અને ભાગ્યશાળી ભોગને પ્રાપ્ત કરે છે, તેમ અધ્યાત્મશાસ્ત્રને જાણનાર રસને અને અન્ય શાસ્ત્ર જાણનાર ક્લેશને અનુભવે છે. ll૧-૧૮મા ભાવાર્થ :
ભાગ્યશાળી જેમ ચંદનના ભોગને પ્રાપ્ત કરે છે, તેમ અધ્યાત્મશાસ્ત્ર જાણનાર શાંતરસરૂપ ભોગને પ્રાપ્ત કરે છે; અને અધ્યાત્મશાસ્ત્રને નહિ જાણતો એવો ભાગ્યહીન, જેમ ગધેડો ચંદનના ભારને વહન કરે છે, તેમ શાસ્ત્રના અધ્યયનરૂપ ભારને વહન કરે છે.