________________
૧૩
અધ્યાત્મમાહાભ્યાધિકાર ભાવાર્થ :
પરમઋષિઓ અધ્યાત્મશાસ્ત્રરૂપી દાતરડાથી વધતી એવી તૃષ્ણાને છેદે છે, તેનું તાત્પર્ય એ છે કે, અનાદિથી જીવને ભૌતિક પદાર્થનું મહત્ત્વ હોવાના કારણે, જેમ જેમ ભૌતિક સામગ્રી મળે છે તેમ તેમ તેની તૃષ્ણા વધે છે; પરંતુ જ્યારે અધ્યાત્મશાસ્ત્રનું સમાલોચન કરે છે ત્યારે, આત્માને માટે આત્માના તત્ત્વભૂત ભાવોનું મહત્ત્વ વધવાને કારણે તુચ્છ પદાર્થનું મહત્ત્વ નાશ પામવા લાગે છે, અને તેને પરિણામે વધતી તૃષ્ણા છેદાઈ જાય છે. II૧-૧૧ના
वने वेश्म धनं दौस्थ्ये, तेजो ध्वान्ते जलं मरौ ।
दुरापमाप्यते धन्यैः, कलावाध्यात्मवाङ्मयम् ।।१७।। અયાર્થ :
(જમ) ટુરી દુર્લભ એવું ને વેગ્સ વનમાં ઘર, સૌર ઘને દરિદ્રતામાં ધન, ધ્યાને તેનો અંધકારમાં તેજ, મરી ન મભૂમિમાં પાણી, (પુણ્યશાળી પુરુષો વડે પ્રાપ્ત કરાય છે, તેમ ઘઃ ધન્ય એવા પુરુષો વડે વસ્તી વધ્યાત્મવાક્રયમ્ કળિયુગમાં (દુર્લભ એવું) અધ્યાત્મની વાણીમય (શાસ્ત્ર) સાથતે પ્રાપ્ત કરાય છે. II૧-૧૭ના શ્લોકાર્થ :
જેમ દુર્લભ એવું વનમાં ઘર, દરિદ્રપણામાં ધન, અંધકારમાં પ્રકાશ, મભૂમિમાં પાણી પુણ્યશાળી પુરુષો વડે પ્રાપ્ત કરાય છે, તેમ ધન્ય એવા પુરુષો વડે કલિકાલમાં દુર્લભ એવું અધ્યાત્મની વાણીમય શાસ્ત્ર પ્રાપ્ત કરાય છે. ll૧
૧૭II
ભાવાર્થ :
અહીં વિશેષ એ છે કે પુણ્યશાળી આત્માઓ સંસારમાં જ્યાં જાય ત્યાં તેમને જેમ અનુકૂળ સામગ્રી મળી જાય છે, તેમ કલિકાલમાં અધ્યાત્મશાસ્ત્ર પ્રાપ્ત કરવું જોકે અતિદુર્લભ છે, છતાં પુણ્યશાળી જીવોને તે અધ્યાત્મશાસ્ત્રની કલિકાલમાં પણ પ્રાપ્તિ થાય છે.
તીર્થકરાદિ અતિશયજ્ઞાની મહાપુરુષો જ્યારે સદેહે વિચરતા હોય ત્યારે સામાન્ય રીતે યોગ્ય જીવોને અધ્યાત્મશાસ્ત્ર પ્રાપ્ત થવું સુલભ હોય છે, પરંતુ