Book Title: Shanka Samadhan Part 01
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust
Catalog link: https://jainqq.org/explore/005309/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણ શંકા-સમાધાના ભાગ-૧ # સમાધાનકાર છે davજ્ય આચાર્ય શ્રી રાજશેખરસુરીશ્વરજી મહારાજા aibrary org Page #2 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તુક ગ્રંથ નવા વિષય galaga salle ઉપદેશપદ ગ્રંથ ગુજરાતી de 4. શ્રી રાખી પરનું here ver thre गुरुतत्त्वविनिश्चयः મા Educatio ational પંચવસ્તુક વિદ્વદ્વર્ય પરમ પૂજ્ય આચા રાજશેખરસૂરીશ્વરજી મહારાજા આ ગ્રંથ વાયા સમય ની નહી મા હમ વિધિ સુધી જ કે ઉપદેશપદ ગ્રંથ hot pa ૫. શ્રી જખરસૂરીજી મહારાજ श्री महोपाध्याय श्री यशोविजय स्योपकृतविभूषित गुरुतत्त्वविनिश्चयः માન 13 - | | વિ ા નાગર સૂરિ મુખ્ય પ્રતિ દેવ ધ વાર થાય યોગદષ્ટિ સમાય (ગુજરાતી ભાવાનુવાદ) જે બાવાનુવાદકાર વિશ્વર્ય મુખ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિ રાજશેખરસૂરીધર મહારાષ For Personal and Private Use Only D thersનું મયાન સ્પિરુ Wienko baradiy qui caradita cil Graurgi hidin (શ્રી મયાવદર ોધિા સીતા સહિત શ્રીઅષ્ટક પ્રકરણ kansIFGL પાર્જ્યશ્રી ઉમાસ્વાતિ વિરચિત પ્રકરણ પૂ.આ.શ્રી રાજશેખરસૂરીશ્વરજી મ.સા Page #3 -------------------------------------------------------------------------- ________________ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ના આદિએ કરેલું સાહિત્ય સર્જન gવી શFIEST ની IERહાકાર This શ | ધe બિપતિ મહધાયા વિના હિંમત તત્વાર્થાધિગમ સત્ર પચુપ ક કરણી પંચક પ્રકરણા ભIR શ્રાવકધમ અધિક Pરલ Illegવીણ ભાગર સાણUર્મ રાધિકાર રાજરFlી પાવાદ રા [r[, 1પૂજય લાચાર થઈd હરિભદ્રસૂરિ વિરચિત શ્રાવક પ્રજ્ઞપ્તિ પ્રકરણ પરાશક પ્રકરણ શ્રાવકધર્મ અધિકાર જ સતી માવાનrat પૂ નારા ઈદેવ ક્રીમદ્ વિજટ શાળશેખphyણીuagn human આ માવાનવા RR IN THE T ESTIMULAR) થAી થી સંબોધ પ્રકરણ શ્રી સંબોધ પ્રકરણ શ્રી સંબોધ પ્રકરણ 'IT For Page #4 -------------------------------------------------------------------------- ________________ LALIT SHAH | શ્રી ધરણેન્દ્ર પદ્માવતી સંપૂજિતાય ૩ૐ હ્રીં શ્રીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | | શ્રી દાન-પ્રેમ-રામચન્દ્ર-હીરસૂરિસગુરુભ્યો નમઃ || ઐ નમઃ શુકા સમાધાન (ભાગ-૧) - સમાધાનકાર છે સચ્ચારિત્રચૂડામણી પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર સિદ્ધાંતનિષ્ઠ પરમ પૂજ્ય આચાર્યદિવા શ્રીમદ્ વિજય હરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર ગચ્છસ્થવિર પરમ પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજા સંપાદક - પૂજ્ય મુનિરાજ શ્રી ધર્મશેખરવિજયજી ગણી - સહયોગ : પૂજ્ય મુનિરાજ શ્રી દિવ્યશેખરવિજયજી વીર સંવત ૨૫૩૮ - વિ.સં. ૨૦૬૮ + પ્રથમ આવૃત્તિ સેટ : ૩૦૦૦ + મૂલ્ય : પઠન-પાઠન - પ્રકાશક * શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ C/o. હિન્દુસ્તાન મિલ સ્ટોર્સ ૪૮૧, ગની એપાર્ટમેન્ટ, રતન ટોકીઝ સામે, આગ્રા રોડ, ભિવંડી-૪૨૧ ૩૦૫. ફોન : (૦૨૫૨૨) ૨૩૨૨૬૬ ‘ભિવાન એપાર્ટ ona intematonal પક છે / Page #5 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય ‘કલ્યાણ” માસિકમાં આવતા શંકા-સમાધાન વિભાગને જ્યારથી પૂજ્ય ગુરુદેવ આચાર્ય શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજાએ સંભાળ્યો ત્યારથી નિયમિત પણે તે વિભાગ ચાલુ રહ્યો. પૂજ્યશ્રીએ આમાં શંકાઓનું માત્ર સમાધાન જ નથી કર્યું પરંતુ શંકાકારના હૃદયના ભાવોને પીછાણીને એની સર્વાગી શંકાનું નિર્મૂલન કર્યું છે. કલ્યાણમાં આવતા શંકા-સમાધાનના માધ્યમે પૂજયશ્રીનો પરિચય જો કે બધાને હશે જ, આમ છતાં પૂજ્યશ્રીનો ગુણવૈભવ અજબ કોટીનો હતો. પૂજયશ્રી વિદ્વાન હતા, શાસ્ત્રના હાર્દને પામેલા હતા, ગીતાર્થ હતા, સરળ હતા, નિઃસ્પૃહી હતા, પાપભીરુ હતા, ગંભીર હતા અને એટલે જ સ્વ-પર સમુદાયના અનેક સાધુ-સાધ્વીજી ભગવંતો પૂજ્યશ્રી પાસે આલોચના-પ્રાયશ્ચિત્ત લેતા હતા. પૂજ્યશ્રીએ છેદગ્રંથોની પ્રાયશ્ચિત્ત ગ્રંથોની અનેક સાધુ-સાધ્વીજી ભગવંતોને વાચનાઓ આપી એમના ભાવશલ્યનો ઉદ્ધાર કરવા પુરુષાર્થ કર્યો હતો, બૃહત્કલ્પ એમનો પ્રિય ગ્રંથ હતો. પૂજ્યશ્રીએ અનેક તાત્ત્વિક ગ્રંથો જેવા કે ગુરુતત્ત્વવિનિશ્ચય, યોગદષ્ટિ સમુચ્ચય, યોગબિંદુ, પંચવસ્તુ, ઉપદેશપદ, ધર્મબિંદુ, વીતરાગ સ્તોત્ર, પંચાશક પ્રકરણ, સંબોધ પ્રકરણ આદિ અનેક ગ્રંથોના ભાવાનુવાદો કર્યો છે. પૂજયશ્રી ભાવાનુવાદકાર તરીકે વધારે પ્રસિદ્ધ બન્યા હતા. પૂજયશ્રીએ કરેલું શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર ઉપરનું વિવેચન આજે ભારતભરની દરેક પાઠશાળાઓમાં માન્ય બન્યું છે - આદરણીય બન્યું છે. શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર ઉપર રચાયેલી શ્રી હરિભદ્રસૂરિ મહારાજાની ટીકાનો સંપૂર્ણ ભાવાનુવાદ પૂજ્યશ્રીએ શારીરિક વિકટ પરિસ્થિતિમાં પણ પૂર્ણ કર્યો છે, જેનું સંપાદનનું કાર્ય ચાલી રહ્યું છે. ૧૦ ભાગમાં પ્રકાશિત થશે. પૂજ્યશ્રીનું સ્વાચ્ય અતિશય નબળું હતું. રોટલી કે ખાખરા પણ ન પચાવી શકે એવી એમની હાજરી હતી અને એટલે છેલ્લા ૨૫ Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ૩૦ વર્ષોથી તેમણે દાળ-ભાત કે દહીં-ભાત ઉપર કાઢ્યા હતા. શરીરમાં બીજી પણ અનેક વ્યાધિઓ હતી. આવી પરિસ્થિતિમાં પણ એમની અપ્રમત્તતા અજબ હતી. ઉપાશ્રયમાં સૌથી પહેલા જે સ્થળે પ્રકાશ આવે તે સ્થળે તેમની બેઠક રહેતી અને કલમ ચાલવા લાગતી તે છેટ સાંજે છેલ્લે જે સ્થળે પ્રકાશ રહેતો તે સ્થળે બેસીને લખવાનું ચાલુ રાખતા. પૂજયશ્રી જ્યારે ઓશવાળ યાત્રિક ગૃહ પાલીતાણામાં ચૈત્ર વદ-૪, ૨૦૬૭ ના દિવસે સવારના ૮.૧૦ કલાકે કાળધર્મ પામ્યા ત્યારે તેમની ઉંમર ૭૪ વર્ષ અને ૭ મહિના જેટલી હતી અને પ૭ વર્ષનો દીક્ષા પર્યાય હતો. આટલી ઉંમરે પણ તેમણે ગોખવાનું છોડ્યું ન હતું. છેલ્લે પોષ મહિનામાં દહાણુથી વિહાર કરી પાલીતાણા પધાર્યા ત્યારે ચાલુ વિહારમાં પણ તેમણે શ્રી જ્ઞાનસાર અને પાલીતાણા આવ્યા પછી તત્ત્વાર્થાધિગમસૂત્રો અને પ્રશમરતિ પ્રકરણ ફરી કંઠસ્થ કરી લીધા હતા અને રોજ તેનો સ્વાધ્યાય કરતા હતાં. આવા અનેકાનેક ગુણોના ભંડાર ગુરુભગવંતની મને અનાયાસે પ્રાપ્તિ થઈ ગઇ એ મારું અહોભાગ્ય છે. ખરેખર ! મને આ ભવમાં સુમુક્યો શુભગુરુનો યોગ થયો. ભવાંતરમાં પણ આવા શુભગુરુનો યોગ થાય અને અલ્પકાળમાં મારો વિસ્તાર થાય એવી અભિલાષા સાથે અગણિત ગુણરત્નોના ભંડાર એવા પૂજ્યશ્રીને કોટી કોટી વંદના. આ શંકા-સમાધાન પુસ્તકનું સંપાદન કાર્ય કરવા માટે પરમ પૂજ્ય પરમ ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજાએ પ્રેરણા કરી. વર્ષો પૂર્વે જેમની વિનંતીથી પૂજય ગુરુદેવે ‘કલ્યાણ” ના આ શંકા-સમાધાન વિભાગને સંભાળ્યો એવા પરમ પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ મારી વિનંતી સ્વીકારી પ્રસ્તાવના લખી આપી. આ સંપાદન કાર્યમાં પૂજય મુનિરાજ શ્રી દિવ્યશેખરવિજયજીએ સહયોગ આપી મારા ઉપર જે ઉપકાર કર્યો છે તે અવિસ્મરણીય રહેશે. ઉદાર દિલ દાતાઓના આર્થિક સહયોગે પણ આ કાર્યમાં ઉત્સાહ વધાર્યો છે. or personal and Private use only WWWSEANCOM Page #7 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જિજ્ઞાસુઓ તે તે કાળે ઉપસ્થિત થતાં પ્રશ્નો પૂછાવતા હોય છે, અને ઉત્તરદાતા પણ તે તે કાળને અનુલક્ષીને તેના ઉત્તરો આપતા હોય છે. આમ છતાં પૂજયશ્રીએ આ શંકા-સમાધાનમાં શાસ્ત્રાધારે સમાધાન આપવાનું ઉચિત ગણી શક્ય તેટલું સમાધાન શાસ્ત્રાધારે આપ્યું છે. લગભગ ૧૧ વર્ષ સુધી કલ્યાણ' માં આવેલા શંકા-સમાધાન વિભાગને તે-તે વિષયનું સર્વાગી સમાધાન એક સાથે મળી રહે તે માટે વિષયવાર વિભાગ કરી આપવાની કોશિષ કરી છે. આમ છતાં આમાં ક્યાંક ક્ષતિ રહેવા પામી હોય એ સુશક્ય છે. આવી કોઈ ક્ષતિ ધ્યાનમાં આવે તો મને જણાવવા વાંચક વર્ગને વિનંતી કરું છું. - સૌ કોઈ આ શંકા-સમાધાન પુસ્તકનું વારંવાર વાંચન કરે અને પોતાના મનમાં ઉદ્ભવતી શંકાનું સમાધાન કરે એ જ અભિલાષા,.. - રાજશેખરસૂરિચરણકિંકર મુનિ ધર્મશેખરવિજયગણી » વિમોચન નિમિત્ત છે પૂજ્યશ્રી પાલીતાણામાં ઓશવાળ યાત્રિક ગૃહમાં વિક્રમ સંવત ૨૦૬૭ ચૈત્ર વદ-૪, ગુરુવાર, તા. ૨૧-૦૪-૨૦૧૧ ના - રોજ કાળધર્મ પામ્યા અને પાલીતાણામાં જ શ્રી કસ્તુરધામ - નિલમ વિહારના પરિસરમાં પૂજ્યશ્રીનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. જે સ્થળે અગ્નિસંસ્કાર કર્યો તે જ સ્થળે પૂજ્યશ્રીનું | ગુરુમંદિર બન્યું અને આજ રોજ એટલે કે વિક્રમ સંવત ૨૦૬૮, પોષ વદ-૧૩, શનિવાર, તા. ૨૧-૦૧-૨૦૧૨ ના ગુરુમંદિરમાં ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા થઇ. આ નિમિત્તને પામીને પૂજયશ્રીનું આ -શંકા-સમાધાન પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. Page #8 -------------------------------------------------------------------------- ________________ અગ્નિ સંસ્કાર ભૂમિ પર નવનિર્મિત પ.પૂ.આ.ભ.શ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજાનું ગુરમીદિર 'નિલામ વિહાર - પાલીતાણા Jain Educatile ne memat Balinelibraoke Page #9 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન 5 સિદ્ધહસ્તલેખક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજ શંકા-સમાધાન : એક મહાતપ જૈનશાસનમાં ‘સ્વાધ્યાય'નું ખૂબ ખૂબ મહત્ત્વ આંકવામાં આવ્યું છે. સ્વાધ્યાયામ્મા પ્રમવિતવ્ય જેવા સાધના સૂત્રો દ્વા૨ા પળે પળે જાગૃત રહીને આત્માનું અવલોકન કરતા રહેવાની પ્રેરણા ઠેર ઠેર વાંચવા મળે છે. સ્વનું એટલે જાતનું અધ્યયન કરવું એ ‘સ્વાધ્યાય'નો સૂચિતાર્થ છે. ‘સન્નાય સમો નસ્થિ તવો' આ સૂત્ર સ્વાધ્યાયને ‘મહાતપ’તરીકે બિરદાવે છે. આ સંદર્ભમાં ‘શંકા-સમાધાન'ની પ્રાચીન પરંપરાને મહાતપ તરીકે ઓળખાવીએ, તો આશ્ચર્ય થયા વિના ન જ રહે. પણ ઉંડાણથી વિચારીશું, તો આ ઓળખાણ એકદમ યથાર્થ અને સાર્થક જણાશે. કારણ કે ‘શંકા-સમાધાન’ સ્વાધ્યાયનો જ એક પ્રકાર ગણાય અને સ્વાધ્યાય સમો તો કોઇ મહાતપ નથી. સ્વાધ્યાયનાં પાંચ પ્રકાર છે– વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા તથા ધર્મકથા. આ પ્રકારોનો સામાન્યાર્થ આવો થાય— ગુરુમુખે સૂત્રાર્થનું ગ્રહણ કરવું એ વાચના, એ વાચના દરમિયાન કોઇ શંકા-સંદેહ પડે તો જિજ્ઞાસાથી પ્રશ્ન કરવો એ પૃચ્છના, નિઃશંકિત બનીને એ સૂત્રાર્થનું વારંવાર રટણ કરવું એ પરાવર્તના, એ સૂત્રાર્થ પર ઉંડાણથી ચિંતન-મનન કરવું એ અનુપ્રેક્ષા, અનુપ્રેક્ષિત સૂત્રાર્થને દેશના દ્વારા લોકહિતાર્થે પ્રકાશિત કરવા એ ધર્મકથા. આ પાંચે પાંચ પ્રકારો દ્વારા સ્વ-૫૨ હિતાર્થે સૂત્રાર્થનું પ્રકાશન કરવા રૂપ સ્વાધ્યાયમાં ‘પૃચ્છના’ સ્વરૂપ સ્વાધ્યાયના બીજા પ્રકારને આજની પ્રચલિત ભાષામાં ‘શંકા-સમાધાન'ના નામે ઓળખાવી શકાય. ‘પ્રશ્નોત્તર-પદ્ધતિ' આ રીતે સ્વાધ્યાય ગણાય અને સ્વાધ્યાય For Personal and Private Use Only Jain Educationa International Page #11 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન સમો કોઈ તપ ન હોવાથી “શંકા-સમાધાન'ની મહા-તપ તરીકેની મૂલ્યવત્તા પણ એકદમ યથાર્થ જ ગણાય. “શલ્યોદ્ધાર તરીકે પણ જેનો પરિચય કરાવી શકાય, એ “શંકા'ને જો શલ્ય ગણીએ, તો સમાધાન'ને ઉદ્ધારની કક્ષામાં મૂકી શકાય. સુપ્રસિદ્ધ ભાવાનુવાદકાર પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજ દ્વારા શબ્દસ્થ બનેલ દળદાર “શંકાસમાધાન'નો પરિચય પામવાની પૂર્વ ભૂમિકા રૂપે “શલ્યોદ્ધાર'ના આ રૂપકને હજી ઉંડાણથી વિચારવું આવશ્યક ગણાય. પગમાં પેસી ગયેલો કાંટો કાંટાથી જ કાઢી શકાય. કાંટો કાંટાથી નીકળે, આવી કહેવતનો રહસ્યાર્થ પણ એવો જ છે કે, અજ્ઞાનનો કાંટો એ અજ્ઞાનને વ્યક્ત કરવાથી જ નીકળી શકે. ડગમગાયા વિના, સડસડાટ, નિરાબાધપણે ચાલવું હોય, તો જેમ પગમાં પેસી ગયેલો કાંટો કઢાવવો જ પડે, નહિ તો પ્રગતિ ન સાધી શકાય, પગમાં રહી ગયેલો એ કાંટો એવો બગાડો પેદા કરે કે, અંતે પગ કપાવવો પડે. કાંટાથી પેદા થયેલી પીડા દૂર કરવા થોડી વધુ પીડા સહન કરીને પણ કાંટો કઢાવવો, એ ડહાપણની નિશાની ગણાય, આ જ ન્યાય “શંકાસંદેહને લાગુ પડે. જ્ઞાનના પ્રવાસમાં સતત પ્રગતિ સાધવામાં અટકાવતા કંટક તરીકે જેને ઓળખાવી શકાય, એ શંકાના શલ્યનું નિર્મુલન ન થાય, ત્યાં સુધી જ્ઞાનના ક્ષેત્રે ઝડપી પ્રગતિ ન સાધી શકાય. શંકા અજ્ઞાન સ્વરૂપ હોવાથી પોતાનું અજ્ઞાન છતું ન થઈ જાય, એટલા માટે “શંકા વ્યક્ત કરવાથી કોઈ દૂર રહેતું હોય છે, પણ આનો વિપાક એવો આવતો હોય છે કે, એકાદ પળ પૂરતું છતું ન થતું એ અજ્ઞાન જીવનભર ગાઢ થતું જ જાય છે, એથી જ્ઞાનના ક્ષેત્રે ઝડપભેર પ્રગતિ શક્ય બનતી નથી અને એના ડગમગાતા પગ પરથી જ એના અજ્ઞાનની વહેલી મોડી જાહેરાત થઈ ગયા વિના પણ નથી જ રહેતી! આમ, પળ માટે છૂપું રહી શકેલું અજ્ઞાન અને જીવન સુધી અકળાવનારું નીવડી શકે છે. માટે તત્ત્વવિષયક અજ્ઞાનના એ કંટકનો, “શંકાના Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન 7 માધ્યમે ખુલ્લા થતા અજ્ઞાનના કંટકથી જ ઉદ્ધાર કરીને ‘કાંટાથી કાંટો’ કાઢવાનો પ્રયત્ન કરવો, એ ડહાપણ ગણાતું હોય છે. પગમાં પેસી ગયેલા કાંટાને છૂપાવી રાખવા જેમ જીવનભર લંગડાતી ચાલે ચાલવાનું કોઇ પસંદ નથી કરતું. રોગ જાહેર થઇ જાય, એવી બીકથી જેમ વૈદ્ય સમક્ષ મૂંગા બની જવાની કોઇની તૈયારી નથી હોતી, એમ તાત્ત્વિક વિષયમાં પેદા થયેલા સંદેહને જ્ઞાની સમક્ષ જિજ્ઞાસા તરીકે વ્યક્ત કરવા જતા જેને ગુમાન આડું ન આવે, એ જ સાચા અર્થમાં જ્ઞાની બની શકે. અજ્ઞાન છૂપાવતા રહીને શંકા વ્યક્ત ન કરવી, એ જેમ અજ્ઞાની રહેવાનો જ રાહ છે, એમ ‘જ્ઞાની’નો દેખાડો કરવા મથવું, એય અજ્ઞાનશેખરમાં જ ખપવાનો માર્ગ છે. જ્ઞાનની સફરમાં આગે કદમ બઢાવતા રહેવાનાં રાજમાર્ગ તરીકે તો ‘જિજ્ઞાસા'ને જ બિરદાવવી રહી. આટલી ભૂમિકા પરથી ‘શંકા-સમાધાન'ની ઉપયોગિતા અને ઉપકારકતાનો ખરો ખ્યાલ આવી જ જશે. ‘ભયવં કિં તત્તું' આ જાતની વ્યક્ત થયેલી ગણધર ગૌતમની જિજ્ઞાસા અને ‘ગોયમા’ ના સંબોધનપૂર્વક ભગવાને કરેલી એની તૃપ્તિમાંથી તો દ્વાદશાંગી સ્વરૂપ આ તીર્થની સ્થાપના થવા પામી છે, એમાંનું એક અંગ ‘ભગવતી સૂત્ર' તો ૩૬ હજાર પ્રશ્નોત્તરોથી જ ભર્યું-ભર્યું છે, આવું જાણનાર માટે ‘શંકા-સમાધાન'ની પ્રાચીન પરંપરાનો પરિચય આપવો, એ મા આગળ મોસાળનો મહિમા વર્ણવવા જેવું જ ન ગણાય શું ? જૈન સંઘમાં જાણીતા-માનીતા ‘કલ્યાણ’ માસિકમાં લોકપ્રિય એક વિભાગ તરીકે ‘શંકા-સમાધાન'નું અનેરું આકર્ષણ વર્ષોથી એકધારું રહ્યું છે. સાતમા દાયકા તરફ અગ્રેસર ‘કલ્યાણ' પર અનેક પૂજ્યોની કૃપાદિષ્ટ વરસતી રહી હોવાના કારણે ‘શંકા-સમાધાન’નો આ વિભાગ અવનવા નામે અનવરત ચાલુ જ રાખવા ‘કલ્યાણ’ કેટલાય વર્ષોથી બડભાગી બન્યું. એમાં છેલ્લે છેલ્લે અગિયાર વર્ષથી આ વિભાગમાં સમાધાનદાતા તરીકેની જવાબદારી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજાએ સંભાળી લઇને Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન સકળ સંઘ પર ઉપકારની જે હેલી વરસાવી, એની સીમા તો આંકી શકાય એમ જ નથી. પ્રારંભથી પૂર્ણાહુતિ સુધીની પ્રશ્નોત્તર ધારા અગિયાર-અગિયાર વર્ષો સુધી દર અંકે અખંડ જાળવી શકનારા કલ્યાણ'ના શંકા-સમાધાન વિભાગમાં કુલ ૧૧૯૨ પ્રશ્નોત્તરોનું પ્રકાશન થવા પામ્યું હતું. એ આજે “શંકા-સમાધાન'ના સાર્થક નામે દળદાર બે વિભાગમાં સંકલિત-મુદ્રિત થઇને સકળ સંઘના કરકમળમાં સમાધાનની સુવાસ રેલાવતું શોભી રહ્યું છે. અનેકાનેક સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોના ભાવાનુવાદોનું ભેટશું ધરવા દ્વારા જિજ્ઞાસુ સંઘ ઉપર પૂ.આ.શ્રી રાજશેખરસૂરિજી મહારાજે જે ઉપકાર કર્યો, એનું મૂલ્યાંકન જેમ શક્ય નથી, એમ “શંકાસમાધાન'ના પ્રસ્તુત બે દળદાર ભાગ દ્વારા ઉપકારની જે ગંગા વહેતી થઈ રહી છે, એનું ય મૂલ્ય જરાય ઓછું આંકી શકાય એમ નથી. કેમ કે “કલ્યાણના માધ્યમે હજારો વાચકોની જિજ્ઞાસાને સંતોષનારા એ પ્રશ્નોત્તરો હવે પુસ્તકના માધ્યમે વધુને વધુ વંચાતા રહેશે ને ચિરકાળ સુધી અનેકાનેક વિષયોમાં સંઘને માટે માર્ગદર્શક બનવાનું કર્તવ્ય અદા કરતા જ રહેશે, એમ ‘જ કાર પૂર્વક કહી શકાય. શંકા-સમાધાન'ના સુવિસ્તૃત અનુક્રમ પર સિંહાવલોકન કરીશું, તોય એ વાતની પ્રતીતિ થઈ જવા પામશે કે, ૧૨૦૦ આસપાસની સંખ્યાથી સમૃદ્ધ આ પ્રશ્નોત્તરોના પેટાળમાં કેટલા કેટલા વિષયોને આવરી લેવામાં આવ્યા છે. શ્રાવકના દૈનિક વિધિ-વિધાનો ઉપરાંત સ્નાત્રપૂજા, પૂજનો, અંજનશલાકા-પ્રતિષ્ઠાથી માંડીને જિનમંદિર સંબંધિત અનેક જિજ્ઞાસાઓના સંતોષપ્રદ સમાધાનોના ફલકે પોતાના ફેલાવામાં રથયાત્રા, વર્ષીદાન, વિધવિધ ચડાવા-બોલી, સામાયિક, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ન, ઉપધાન, પચ્ચખાણ જેવા અનેકાનેક વિષયોને આવરી લઈને જ ઇતિશ્રી ન માનતા તીર્થંકરમહામંત્ર નવકાર ઉપરાંત ભક્ષ્યાભક્ષ્ય અને સચિત્ત અચિત્ત જેવા અત્યુપયોગી પ્રશ્નો અંગે માર્ગ દર્શાવીને સાધુ-સાધ્વીજી-વેયાવચ્ચ Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન અણાહારી જેવા પ્રશ્નો સચોટ રીતે સમજાવ્યા છે. આ રીતે જોવા જઇએ તો જૈનશાસનના સાતેસાત ક્ષેત્રોને સ્પર્શતી તલસ્પર્શી વિચારણાથી “શંકા-સમાધાન' સમૃદ્ધ બન્યું હોવાથી સહુ કોઈને માટે અવશ્ય વારંવાર માર્ગદર્શક બનતું જ રહેશે. સમાધાનદાતા તરીકે પૂ. આચાર્યદેવ શ્રી રાજશેખરસૂરિજી મહારાજાની શાસ્ત્ર પરિકર્મિત કલમની કુશળતાનું કીર્તિગાન જેમ શંકા-સમાધાન'ના માધ્યમે સાંભળી શકાય છે, એમ આના સંપાદકસંકલક તરીકેની જંગી જવાબદારી અદા કરનાર મુનિવર શ્રી ધર્મશેખરવિજયજી ગણિવરે, મુનિવર શ્રી દિવ્યશેખરવિજયજી આદિના સહયોગપૂર્વક પૂ. આચાર્યદેવ શ્રી લલિતશેખરસૂરીશ્વરજી મહારાજાના માર્ગદર્શન હેઠળ જે રીતની શ્રુતપાસના કરી છે, એ પણ ભૂલી શકાય એમ નથી. પ્રશ્નોત્તરોનું વિષયવાર વર્ગીકરણ કરવું, આ કેટલું મહેનતસાધ્ય કાર્ય ગણાય, એનો અંદાજ તો અનુભવીને જ આવી શકે. હજારેક પ્રશ્નોત્તરીના ઢગલામાંથી એ એ વિષયના પ્રશ્નોત્તરો અલગ તારવવામાં કેવી ધીરજ, કેવું ચાતુર્ય અને કેવી ઝડપ આવશ્યક ગણાય, એ તો અનેક જાતના અનાજના ઢગલામાંથી જુદી જુદી જાતના અનાજને અલગ અલગ તારવનારને અપનાવવી પડતી ધીરજ, ધગશ અને ચીવટને નજર સામે લાવીએ, ત્યારે જ સમજી શકાય. આ બધાની ઋતોપાસનાના સરવાળા રૂપે પ્રકાશિત થઈ રહેલ શંકા-સમાધાન' નામક દળદાર આ પુસ્તકમાં નિમિત્તમાત્ર બનવા બદલ “કલ્યાણ'ને પણ ગૌરવની અનુભૂતિ થાય એમ છે. કારણકે આ રીતનું દળદાર અને સર્વાંગસમૃદ્ધ પુસ્તક પ્રથમવાર જ થઈ રહ્યું હોય એમ લાગે છે. આ પૂર્વે “કલ્યાણ'માં પ્રકાશિત “શંકા-સમાધાન વિભાગમાંથી સંકલિત “લબ્ધિપ્રશ્ન” બે ભાગ, પ્રશ્નોત્તર કર્ણિકા બે ભાગ, ‘સન્માર્ગ દર્શન ઇત્યાદિ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા હોવા છતાં પ્રસ્તુત પ્રકાશન તો અલગ જ ઉપસી આવે એમ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ lo શંકા-સમાધાન “શંકા-સમાધાન વિભાગના “કલ્યાણમાં સંયોજન-સંપાદનમાં નિમિત્તમાત્ર બનવા દ્વારા જે મૃતોપાસનાનો લાભ મળ્યો, એ પ્રસ્તુત પ્રકાશનના પરિચાયક આ પ્રાસ્તાવિક-લેખનથી બેવડાયાની અનુભૂતિ થઈ રહી છે. આ બદલ સમાધાનકાર સ્વર્ગીય સૂરિવરના ભ્રાતા તથા ગુરુપદને શોભાવતા પૂ.આ.શ્રી લલિતશેખરસૂરીશ્વરજી મહારાજાની કૃપાદૃષ્ટિની વૃષ્ટિ સદૈવ સંસ્મરણીય રહેવા પામશે. આ પ્રાસ્તાવિકના પ્રભાવે “શંકા-સમાધાનને એક મહાતપ તરીકે પિછાણીને આના વાચન, મનન દ્વારા સહુ કોઈ તપસ્વી-તેજસ્વી બનવા પુરુષાર્થશીલ બને, એટલી જ એકની એક કલ્યાણ કામના. શંખેશ્વર મહાતીર્થ મૌન એકાદશી આચાર્ય વિજય પૂર્ણચન્દ્રસૂરિ ૦૬-૧૨-૨૦૧૧, મંગળવાર Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન 11 લાભાર્થી | નકલ નામ ૧૭૧ માતુશ્રી ડાહીબેન જેઠાલાલ સામત બીદ-મોટામાંઢા-મુલુંડ ૧૭૦ શ્રી ગિરિરાજ દાદા પરિવાર ૧૭૦ હર્ષ-ભવ્ય તેજપાલ શાહ, મલીકા શશીકાંત શાહ જ્ઞાનભક્તિ નિમિત્તે ખંભાતવાળા ૧૭૦ માતુશ્રી જમનાબેન રાજાભાઈ તથા કસ્તુરબેન અમૃતલાલ શેઠીયા-નવાગામ હ. વિજય-હર્ષા-મેહુલ-દીપ્તિ-ધ્રુવી-મીરજ ૧૨૦ મુનિ શ્રી ધર્મશેખર વિ.મ.ની ગણીપદવી નિમિત્તે તેમજ મુનિ શ્રી હિતશેખર વિ.મ.ની સંયમજીવનની અનુમોદનાર્થે રાયચંદ મોકર જાખરીયા-રાસંગપર ૯૦ શાહ ચત્રભુજ ડાહ્યાલાલ હ. પ્રફુલચંદ્ર ચત્રભુજ-દહેજ ૮૩ મુનિશ્રી ઈન્દ્રશેખર વિ.મ.ના આઠ માસમાં પાંચ માસક્ષમણની અનુમોદનાર્થે- નયન દેઢિયા ૭૦ માતુશ્રી વિજયાલક્ષ્મીબેન અમૃતલાલ પારેખ-મુલુંડ ૭૦ અરવિંદકુમાર રમણલાલ સંઘવી-સીસોદરા-નવસારી-મુંબઈ ૬૩ શાશ્વતગિરિ યાત્રા નિમિત્તે સગૃહસ્થો તરફથી ૫૦ માતુશ્રી અમૃતબેન વેલજી મેપા હરીયા-કજુરડા-ભિવંડી ૪) માતુશ્રી પાચીબેન વીરપાર હીરા દોઢિયા પરિવાર વસઈ-ભિવંડી ૩૭ સા.શ્રી તરુલતાશ્રીજી મ.ના પ્રશિષ્યાઓના શ્રેણિતપની અનુમોદનાર્થે સમર્પણ ગ્રુપ-મુંબઈ ૩૭ માતુશ્રી ધાકીબેન ઉમેદમલજી જૈન-બોરીવલી ૩૭ માતુશ્રી તુલસાબેન સુરેન્દ્રભાઈ જયંતીલાલ શાહ-મુંબઈ ૩૩ માતુશ્રી પુષ્પાબેન કેશવલાલ ગુઢકા હ. સોનલ દિલીપ ગુઢકા-મુલુંડ Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ 12 ૩૦ કુસુમબેન બાલુભાઇ શાહ-નવસારી ૩૦ રસીલાબેન મનસુખલાલ ગોવીંદજી મંદિરવાળા વલ્લભીપુરથી પાલીતાણા છ'રી પાલક સંઘ નિમિત્તે ૩૦ માતુશ્રી કંકુબેન નથુભાઇ જાખરીયા હ. જયાબેન જયંતીલાલ-રાસંગપર ૩૦ પૂ.આ.શ્રી રવિશેખર સૂ.મ.સા.ની આચાર્ય પદવી નિમિત્તેએક સદ્ગૃહસ્થ ૨૦. શેઠ ભરતભાઇ મફતલાલ શાહ-સુરત ૨૦ શ્રીમતી હીનાબેન તરુણભાઇ શાહ-નવસારી ૨૦ પૂ.મુ.શ્રી કીર્તિશેખર વિ.મ.ની પ્રેરણાથી વીણાબેન સુરેશકુમાર ફડીયા-નવી મુંબઇ ૧૭ માતુશ્રી દેમતબેન હીરજી નથુ પરિવાર હ. પ્રવિણ-ગોઈંજ ૧૭ રોહિણીબેન સુમેરમલજી વિનાયકીયા શ્રેણિતપ નિમિત્તે ૧૭ માતુશ્રી મણીબેન ફુલચંદ ક૨ણીયા-જોગવડ-મુલુંડ ૧૭ ખીમજી નરસી કારા બીદના આત્મશ્રેયાર્થે-ગોઇજ ૧૭ શાંતીબેન રતનચંદ કેશરીમલના ભદ્રતપ નિમિત્તે-ભાયખલા ૧૭ પૂજા-હેમંત-હર્ષિવ-પવન-પાયલ હ. જશોદાબેન નાથાલાલ ડબાસંગ-લંડન ૧૭ દિશા તથા નિપાના અઢારીયા નિમિત્તે હ. હિતેશભાઇ-મુલુંડ શંકા-સમાધાન ૧૭ જ્યોતિબેન રવીન્દ્રભાઇ મહેતા-ઘાટકોપર ૧૭ પૂ.સા.શ્રી સૌમ્યરુચિતાશ્રીજી મ.ની સંયમ જીવનની અનુમોદનાર્થે - માતુશ્રી રસીલાબેન ચીમનલાલ દીયોરા મુંબઇ-પાલીતાણા ૧૭ માતુશ્રી સરલાબેન પ્રતાપભાઇ ડાગા હ. મનીષ પ્રતાપભાઇ ડાગા-મુંબઇ ૧૭ માતુશ્રી મંજુલાબેન પ્રેમચંદ શાહ-ચેલા-વડાલા For Personal and Private Use Only Jain Educationa International Page #18 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૫ સ્વ. સોહનરાજજી દલીચંદજી ગુગલીયા-બોરીવલી-મુંબઈ ૧૧ ઝવીબેન નેમચંદ લાધા ગુઢકા કાપસિંહણ-મુંબઈ ૧૦ પૂ.સા.શ્રી ઇન્દુપૂર્ણાશ્રીજી મ.ની પ્રેરણાથી પ્રેમીલાબેન યશવંતરાય શાહ-બોરીવલી ૧૦ પૂ.સા.શ્રી રવીન્દ્રપ્રભાશ્રીજી મ.ની પ્રેરણાથી ચંપકલાલ જેઠાલાલ શેઠ ૧૦ પૂ.મુ.શ્રી સુમતિશેખર પૂ.સા.શ્રી મંત્રરત્ના-હેતરત્નાશ્રીજીની પ્રેરણાથી તારાચંદ કરમણ સુમરીયા-વાપી ૧૦ પૂ.સા.શ્રી કેવલ્યરત્નાશ્રીજી મ.ની પ્રેરણાથી અમૃતલાલ જીવરાજ છેડા-ચેલા-સાત રસ્તા ૧૦ પૂ.સા.શ્રી હર્ષકરાશ્રીજી મ.ની પ્રેરણાથી ભાઈલાલ અમરચંદ શાહ પરિવાર-સુરત ૧૦ પૂ.સા.શ્રી જિનદર્શનાશ્રીજી મ.ની પ્રેરણાથી જયનીશના અઢારીયા નિમિત્તે ૧૦ પૂ.સા.શ્રી પુણ્યરસાશ્રીજી મ.ની પ્રેરણાથી મણીબેન વીરચંદ કેશવજી માલદે-વસઈ ૧૦ પૂ.સા.શ્રી દીપ્તિરત્નાશ્રીજી મ.ની પ્રેરણાથી ધીર-ગિરા-વૃતિ-ભિવંડી ૧૦ પૂ.સા.શ્રી હિતરત્નાશ્રીજી મ.ની પ્રેરણાથી મુરીબેન કાનજી માલદે-મોટામાંઢા ૧૦ પૂ. મુનિશ્રી હર્ષશેખર વિ.મ.ની ગણી પદવી નિમિત્તે વિરારના સુશ્રાવકો ૧૦ પૂ. મુનિશ્રી ધર્મશેખર વિ.મ.ની ગણી પદવી નિમિત્તે કેવલ તેજસ હ. લીના-ભિવંડી ૧૦ પૂ.સા.શ્રી અપૂર્વરત્નાશ્રીજી મ.ની પ્રેરણાથી ખુશી મયુરના અઢારીયા નિમિત્તે હ. ભારતીબેન ૧૦ પૂ.સા.શ્રી પ્રશમરસાશ્રીજી મ.ની પ્રેરણાથી રસીલાબેન મનસુખલાલ-સુરત Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ 14 શંકા-સમાધાન ૧૦ પૂ.આ.શ્રી લલિતશેખર સૂ.મ.ના સંયમજીવનની અનુમોદનાર્થે હ. શાંતાબેન ભારમલ સુમરીયા ૧૦ પૂ.આ.શ્રી રાજશેખર સૂ.મ.ના સંયમજીવનની અનુમોદનાર્થે હ. મનસુખલાલ ભારમલ સુમરીયા ૧૦ પૂ.સા.શ્રીકૈવલ્યરત્નાશ્રીજી મ.ના સંયમજીવનની અનુમોદનાર્થે હ. કંચનબેન મનસુખલાલ સુમરીયા ૧૦ પૂ.સા.શ્રી ખાતરત્નાશ્રીજી મ.નાસંયમજીવનની અનુમોદનાર્થે હ. અલ્પેશ મનસુખલાલ સુમરીયા ૧૦ પૂ.સા.શ્રી ખ્યાતરત્નાશ્રીજી મ.ના સંયમજીવનની અનુમોદનાર્થે હ. પૂર્વીબેન અમિત શાહ ૧૦ માતુશ્રી મોંઘીબેન મોહનલાલ હરીયા-સેતાલુસ-ભિવંડી ૧૦ નીતાબેન રાજેશ શાહ હ. આકાશ-મુંબઇ ૧૦ સાહિલ, ઇશાન, કિરા, કૈલી હ. ભાનુબેન રતિલાલ-લંડન ૧૦ શાંતાબેન ગુલાબચંદ-લંડન ૧૦ સરોજબેન પંકજભાઈ જાખરીયા-નૈરોબી ૧૦ જશોદાબેન નાથાલાલ હ. વૈશાલી, રોનક ડબાસંગ-લંડન ૧૦ માતુશ્રી પાનીબેન લખમશી લાધા ગડા પરિવાર ખટીયાર-ભિવંડી ૧૦ મહેન્દ્રભાઈના સ્મરણાર્થે હ. શાંતાબેન મહેન્દ્રભાઈ સોજપાર ગોસરાણી-લાખાબાવળ ૧૦ જ્યોત્સનાબેન અને પ્રવીણભાઈ ભોગીલાલ શાહ-અમદાવાદ ૧૦ મમતા-જીગર-વિવેક-ચાંદની હ. પ્રવીણભાઈ ભોગીલાલ-અમદાવાદ ૧૦ કુસુમબેન શશીકાંત હ. શ્યામ-ધ્યાન-ધ્રુવ-સારીકા-લંડન ૧૦ મોતીબેન મોહનલાલ ખીમશીયા-જામનગર-જુની હરીપર ૧૦ તારાબેન રતિલાલ-મલાડ ૧૦ વીરપાર દેવન નગરીયા-દાંતા-બોરીવલી-ભિવંડી ૧૦ જયાબેન રમણીકલાલ પદમશી ગુઢકા-મુલુંડ Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન 15 ૧૦ વાલીબેન રાજપર ગડા-ટીંબડી-ભિવંડી ૧૦ ભાવનાબેન રશ્મીન હ. જશોદાબેન નાથાલાલ ૧૦ મીરવ-તેજલ-પ્રતીશ જાખરીયા હ. કાંતાબેન રતિલાલ-નૈરોબી ૧૦ કસ્તુરબેન હંસરાજ ગોસર ખીમસીયા હ. માનવ-દેવીના-નકુરુ ૧૦ રીટા અભય હંસરાજ ખીમસીયા-નકુરુ ૧૦ દિવ્યા નીતિન હંસરાજ ખીમસીયા-નકુરુ ૧૦ ખીલના સંજીવ હંસરાજ ખીમસીયા-નકુરુ ૧૦ કુશલ, પારસ હ. મણીબેન મેઘજી-લંડન ૧૦ જીહી-તેજ હ. જયંતીલાલ રાજપાર (શાંતાબેન ગુલાબચંદ) ૧૦ સુશીલાબેન રમેશભાઇ નાગડા-લંડન ૧૦ કાંતાબેન નરેન્દ્રભાઈ ૧૦ માતુશ્રી ઝવેરબેન હીરજી કરણીયા-તરઘરી દેવરીયા ૧૦ મંજુલાબેન પ્રેમચંદ શેઠીયા-નવા ગામ-મુલુંડ ૧૦ રંભાબેન હંસરાજ સાવલા-નાનામાંઢા-વાંદરા ૧૦ મેઘાબેન ભીમજી રામજી ગલૈયા-મુલુંડ-ભિવંડી-મુંબઈ ૧૦ નીતાબેન દિનેશ તથા મોતીબેન ભારમલ ૧૦ રીટાબેન રાજેન્દ્ર બાખડા-મુલુંડ ૧૦ માતુશ્રી હીરાબેન ગાંગજી જાગાણી હ. ભાવિક-મનોજ-ખાર ૧૦ ઝવીબેન કાનજી કચરા નગરીયા-વ.સિંહણ ૧૦ માતુશ્રી અમૃતબેન વાઘજી કચરા મારુ પરિવાર લાખાબાવળ-જામનગર ૧૦ નીલમ મહેશ શાહ-લંડન ૧૦ અજય અમૃતલાલ જાખરીયા-ભિવંડી ૧૦ ઝવેરચંદ દેવરાજ જોગેશ્વરી ૧૦ જવાહર મણીલાલ બુહારી Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ 16 શંકા-સમાધાન ૧૦ મંજુબેન ભુપતરાય દોશી-મુલુંડ ૧૦ કાનજી કરમણ દોઢિયા પરિવાર હ. મેઘજીભાઇ-વસઇ-ઇરલા ૧૦ એક સગૃહસ્થ હ. સુનીલભાઇ-ઘાટકોપર ૧૦ માતુશ્રી કસ્તુરબેન રાયશી દેવરાજ ગુઢકાનવાગામ-ભિવંડી ૧૦ એક સદ્ગૃહસ્થ હ. પ્રફુલભાઇ-નવાગામ-ભિવંડી ૧૦ મંજુલાબેન મણીલાલ શેઠ ૧૦ સન્માર્ગ યુવા ગ્રુપ-અશોકનગર-ભિવંડી ૧૦ દીક્ષાર્થી નીલકુમારની દીક્ષા નિમિત્તે ૧૦ રુક્ષ્મણીબેન ધીરજલાલ ૧૦ અમી-પૂજા-રત્નાંગ-વડોદરા ૧૦ સુભદ્રાબેન ચંદ્રકાંત ખુશાલદાસ શાહ-સુરત ૧૦ રતનચંદજી વાઘાજી ગોલંક-લુણાવા-મુંબઇ ૧૦ ઇલાબેન રવીન્દ્ર મોહનલાલ ધનાણી-ચેલા-મુમ્બાસા ૧૦ માતુશ્રી લીલાબેન માયાભાઇ સાવલા ચેલા હ. ચંદ્રકળાબેન નેમચંદ-ઘાટકોપર ૧૦ પૂજન દિલીપ જયંતીલાલ નકુમ-ખંભાળીયા-ભિવંડી ૧૦ કલાબેન અરુણભાઇ બારડોલીવાળા-અમેરિકા ૧૦ માતુશ્રી અમૃતબેન વેલજી લખમણ હરીયા હ. અરવિંદભાઇ-વસઇ ૧૦ શાહ ઉત્તમલાલ નાથાલાલ-વડોદરા ૧૦ પુષ્પાબેન વેલજી દેવરાજ હરીયા હ. ભાવનીત-મીતુલ-વર્ષા-લંડન ૧૦ નેમચંદ પ્રેમચંદ પેથડ-રાસંગપર-દાદર ૧૦ જયાબેન પોપટલાલ શાહ હ. જીતેન્દ્રભાઇ દહેજ-સુરત ૧૦ જેઠીબેન રાયશી સુમરીયા-ડબાસંગ-લંડન For Personal and Private Use Only Jain Educationa International Page #22 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન 17 ૧૦ ચંપાબેન નરેન્દ્ર સુમરીયા-ડબાસંગ-લંડન ૧૦ કિરણબેન અરવિંદરાય રતિલાલ શાહ-દહેજ ૧૦ ચંદ્રકાંત ડી. શાહ, તપન તથા હિરેન દોશીના ઉપધાનતપ નિમિત્તે ૧૦ માતુશ્રી ઇન્દુમતીબેન વૃજલાલ શાહ-મુલુંડ જયાબેન પ્રેમચંદ દોઢિયા હ. વિજય-પરેશ-વત્સલ-હેમાંગ-મોક્ષા-વસઈ-ભિવંડી ૧૦ કેવલ મહેશ શાહ-મલાડ-મુંબઈ ૧૦ રતનબેન કચરા કરમણ પરિવાર-ડબાસંગ-લંડન ૧૦ દેવકુરબેન ફુલચંદ પરિવાર-લાખાબાવળ-લંડન ૧૦ ભાવિકાબેન ભુપેન્દ્રભાઈ રાઠોડ-મુલુંડ-મુંબઈ ૧૦ જશરાજજી પુનમચંદજી ચોવટીયા-તખતગઢ-ભિવંડી ૧૦ ઉમાશશીબેન મનસુખલાલ શાહ-વલસાડ ૧૦ મોહનલાલ લાલજી દોઢિયા-વસઈ-મલાડ ૧૦ માતુશ્રી લીલાવંતીબેન દીપચંદ શાહ-મુલુંડ ૧૦ માતુશ્રી ચંદનબેન ચુનીલાલ પારેખ-મુલુંડ ૧૦ બાલુભાઈ ભગવાનજી મેઘજી દોશી-સાવરકુંડલા-મુલુંડ ૧૦ પરમાણંદદાસ મોરારજી શાહ તળાજા-મુલુંડ ૧૦ પુષ્પાબેનના ઉપધાન નિમિત્તે વર્ષાબેન ગિરીશ ચંદ્રકાંત મહેતા હ. રાજન-ચેતન-લંડન ૧૦ ચંપાબેન મનસુખભાઈ-લંડન ૧૦ માતુશ્રી દેમતબેન ગોવિંદજી ધરમશી દેઢિયા-ઘાટકોપર ૧૦ માતુશ્રી જમનાબેન નેમચંદ લાલા સુમરીયા-ચેલા-ભિવંડી ૧૦ રતનબેન નેમીચંદજી જીરાવાલા રાણીબેનર-ગઢશીવાણા ૧૦ લાલજી હરગણ ગુઢકા-સીંગચ-મુલુંડ ૧૦ નગીનદાસ પ્રેમચંદ શેઠ-ઘાટકોપર ૧૦ જગજીવનદાસ તારાચંદ દોશી-મહુવા-મુલુંડ ૧૦ ખુશી-સાક્ષી-હેમાલી-હેમંત દોશીના ઉપધાન નિમિત્તે-મુલુંડ Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ 18 શંકા-સમાધાન ૧૦ લહેરીબેન ઉમેદમલજી લુબચંદજી પરિવાર-કોસેલાવ ૧૦ ભારતીબેન ભરતભાઈ શાહ હ. કેવલ-ખુબુ-મુલુંડ ૧૦ લલિતભાઈ શાંતિલાલ સંઘવી -પાંચ ટોબરવાળા-મુલુંડ ૧૦ ચત્રભુજ રવચંદ ઝવેરી-મુલુંડ ૧૦ લીલાબેન મગનલાલ સંઘવી-મોટા ખુડવડાવાળા-મુલુંડ ૧૦ ચંપાબેન હિંમતલાલ જાખરીયાની ૯૯ યાત્રા નિમિત્તે દાંતા-મુલુંડ ૧૦ જયશ્રીબેન પ્રફુલભાઈ નગરીયા-નાની રાફુદળ-ભિવંડી ૧૦ ઝમકુરબેન નેમચંદ પેથરાજ ગુઢકા-કા સિંહણ-અરુષા ૧૦ જેન્તિલાલ પાનાચંદ હરીયા-નાગડા-મુલુંડ ૧૦ રમેશ રામજી ગુઢકા-નવાગામ-ઘાટકોપર ૧૦ શ્રીમતી જયાબેન નગીનદાસ શાહ-નવસારી ૧૦ નીલા રોહીત શાહ-લંડન ૧૦ શ્રી વીતરાગ સ્નાત્ર ગ્રુપ-મુંબઈ ૧૦ સ્વ. કસ્તુરબેન મુળજી રણમલ જાખરીયા હ. બીપીનચંદ્ર મુળજી-મીઠોઈ-નૈરોબી ૧૦ પૂ.મુ.શ્રી પદ્મશ્રમણ વિ.મ.ની પ્રેરણાથી હળવદ નિવાસી મગનલાલ પરસોત્તમદાસ ચાવડા પરિવાર Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન 19 ( વિષયાનુક્રમ સ્નાત્રપૂજા સંબંધી શંકા-સમાધાન ૧ સ્નાત્રપૂજાના નકરામાંથી થતો વધારો કયા ખાતામાં લઈ જવાય ? ૨ સ્નાત્ર અંગે જમા થતી રકમ કયા ખાતે લઈ જવાય ? ૩ સ્નાત્રપૂજાનો સમય ક્યો છે ? દિવસમાં ગમે ત્યારે સ્નાત્રપૂજા થઈ શકે ? ૪ સ્નાત્રપૂજા ભણાવતી વખતે કયા ભગવાન જોઇએ ? ૫ સ્નાત્ર મહોત્સવમાં ભગવાનના માતા-પિતા બનાવી મહોત્સવ ઉજવવામાં આવે છે, આ પ્રવૃત્તિ યોગ્ય છે ? ૬ સ્નાત્ર પૂજા બાદ આરતી-મંગળ દીવો પહેલા કરવો કે શાંતિકળશ પહેલા કરવું ? પૂજા સંબંધી શંકા-સમાધાન ૭ પૂજારી કેવો હોવો જોઈએ ? ૮ દિવસમાં પૂજા ક્યારે કરવાની છે ? ૯ સંયોગવસાત્ સૂર્યોદય પહેલા પૂજા કરી શકાય ? ૧૦ પૂજા કરતા પહેલા તિલક કંઠ, હૃદય, ઉરપ્રદેશમાં કરવાનો શો અર્થ છે ? ૧૧ દેરાસરમાં તિલક કરતા પડદો આડો રાખવો કે નહીં ? ૧૨ દેવપૂજા માટે સ્નાન કરનાર શ્રાવકે મસ્તક ધોવું જોઇએ? ૧૩ સ્નાન કર્યા પછી ચાલુ કપડા પહેર્યા પછી પૂજાના સમયે પૂજાના કપડાં પહેરીને પૂજા કરવા જાય તો દોષ લાગે ? ૧૪ સ્નાન કરી પૂજાના કપડા પહેરી ચાર-પાંચ કલાકે તીર્થસ્થાને પહોંચી પૂજા કરી શકાય ? ૧૫ સ્નાન કર્યા વિના ગભારામાં પ્રવેશ કરી શકાય ? ૧૬ ગભારામાં પ્રવેશ્યા પહેલા મુખકોશ બાંધવો કે પ્રવેશ્યા પછી? Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ 20 શંકા-સમાધાન ૧૭ ભગવાનના પબાસણ ઉપર ચઢી પૂજા કરવી ઉચિત છે ? ૧૮ શ્રાવકે સવારે વાસક્ષેપ પૂજા કરવાનું વિધાન છે તો શ્રાદ્ધદિનકૃત્યમાં અષ્ટપ્રકારી પૂજાનું વર્ણન કેમ કર્યું? ૧૯ વાસક્ષેપમાં પૂજા બાદ ઉતરેલ વાસક્ષેપ હવણની જેમ મસ્તકે લગાડી શકાય ? ૨૦ ભગવાનની પૂજા કરેલ વાસક્ષેપ ભગવાનની સામે જ અંગૂઠા ઉપરથી લઇને માથે નાંખી શકાય ? પ્રક્ષાલ સંબંધી શંકા-સમાધાન ૨૧ પ્રક્ષાલ સવારે સાડાપાંચ વાગે થાય તે યોગ્ય છે ? ૨૨ સૂર્યોદય પહેલા પ્રભુજીને પ્રક્ષાલ ન થાય એ કયા ગ્રંથમાં છે? ૨૩ પ્રક્ષાલ કરતી વખતે પ્રક્ષાલના દુહા મોટેથી બોલી શકાય? ૨૪ ગભારામાં દુહા બહુ મોટેથી બોલી શકાય ? ૨૫ પૂજા કરતી વખતે પૂજાના દુહા મનમાં બોલવા એવો શાસ્ત્રપાઠ મળે ? ૨૬ દૂધથી પ્રક્ષાલ થયા પછી જલથી પ્રક્ષાલ કરી લીધા પછી ફરી દૂધથી પ્રક્ષાલ થાય ? ૨૭ મૂળનાયકનો પ્રક્ષાલ ન થયો હોય તો અન્ય પ્રતિમાની પૂજા થઈ શકે ? ૨૮ ભગવાન અને દેવ-દેવીના પ્રક્ષાલનું જળ ભેગું કરી શકાય? ૨૯ અખાત્રીજે શેરડીના રસથી પ્રક્ષાલ થાય છે તે ઉચિત છે? ૩૦ અખાત્રીજના દિવસે ઇક્ષુરસથી પ્રક્ષાલ કરવાથી ઘણી કીડીઓ થાય છે આથી ઇક્ષુરસનો અભિષેક ઉચિત છે ? ૩૧ પ્રક્ષાલજળ ક્યાં પધરાવવું ? ૩૨ પ્રક્ષાલજળ પગ નીચે આવે તો આશાતનાનું પાપ લાગે ? ૩૩ રૈવેયકાદિ દેવલોકમાં પાણી નથી તો જિનપૂજા કેવી રીતે કરે ? Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન અંગલુંછણા સંબંધી શંકા-સમાધાન ૩૪ અંગલુંછણા બધા ભગવાનના ભેગા વાપરવામાં આવે છે આ યોગ્ય છે ? ૩૫ પ્રભુજીનાઅંગલુંછણા સૂકવવાની વ્યવસ્થા કેવી હોવી જોઇએ ? 21 બરાસ-કેસર સંબંધી શંકા-સમાધાન ૩૬ આજે અશુદ્ધ બરાસથી પ્રતિમાને નુકસાન થાય છે તો બરાસ પૂજાનો નિષેધ કરવો યોગ્ય છે ? ૩૭ કેસર-સુખડ ઘસી સૂકવી ચૂર્ણ સાથે લઇ જઇ જરૂર પ્રમાણે પાણી નાખીને પૂજા કરી શકાય ? ૩૮ મૂળનાયક સિવાય બીજા ભગવાનની પૂજા કર્યા પછી તે જ કેસરથી મૂળનાયકની પૂજા થઇ શકે ? ૩૯ સિદ્ધચક્રની પૂજા કરી તે જ કેસરથી ભગવાનની પૂજા થઇ શકે ? ૪૦ ગુરુની પૂજા કર્યા પછી તે જ કેસરથી ભગવાનની પૂજા થઇ શકે ? ૪૧ લાંછનની પૂજા કર્યા પછી તે જ કેસરથી ભગવાનની પૂજા થઇ શકે ? ૪૨ આજે ઘસાયેલું કેસર વધે તેને આવતી કાલે વાપરી શકાય ? ✩ પુષ્પ-ધૂપ-આંગી સંબંધી શંકા-સમાધાન ૪૩ શ્રાવક પોતાના હાથે ફૂલ ચૂંટીને પૂજા કરે એમ કયા ગ્રંથમાં લખ્યું છે ? ૪૪ પુષ્પો ન મળી શકતા હોય તો લવિંગથી પુષ્પ પૂજા થઇ શકે ? ૪૫ પ્રભુજીની નાભિ પાસે પુષ્પો મૂકેલા હોવાથી નાભિ પૂજા કેવી રીતે કરવી ? Jain Educationa International ૪૬ ભગવાનને ચઢાવેલા પુષ્પો ગાયને ખવડાવે તો તે ગાયનું દૂધ ચતુર્વિધ સંઘને ખપે ? ૪૭ અંજનાએ માટીની પ્રતિમા બનાવી નવકારથી પ્રતિષ્ઠિત કરી પુષ્પોથી પૂજી તો આજે અંજન માટે આટલો આડંબર કેમ ? For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ 22 શંકા-સમાધાન ૪૮ ચૈત્યવંદન મહાભાષ્યમાં ધૂપપૂજા અંગપૂજામાં ગણાવી છે તે કેવી રીતે સમજવું ? ૪૯ ઘીના દીવામાં જીવ મરવાની સંભાવના વધારે છે તો ઇલેક્ટ્રીકસીટી વાપરવી ઉચિત ન ગણાય ? ૫૦ વરખની આંગી બનાવવાનું વિધાન કયા શાસ્ત્રમાં છે ? ૫૧ સોના-ચાંદીના વરખ બનાવવા માટે ચામડાનો ઉપયોગ થાય છે આથી વરખ વાપરવાથી હિંસાને ઉત્તેજન ન મળે? પર કાજુ વગેરે ખાઘદ્રવ્યોથી પ્રભુજીની આંગી બનાવી શકાય? પર ભગવાનની શોભા માટે પોતાના ઘરેણા ભગવાનને ચઢાવે તો ઉતાર્યા પછી તે ઘરેણા પોતાના ઉપયોગમાં લઈ શકે ? ૫૪ પ્રભુજીની આંગીમાં ચઢાવેલા હાર વગેરે પોતાના ઘરે લઈ જઈ શકે ? પપ પ્રભુજીના ચક્ષુ-ટીકા વગેરે ઉખડી ગયા હોય તો કયા દ્રવ્યથી લગાડી શકાય ? પ૬ આંગીમાં મખમલનો ઉપયોગ થઈ શકે ? પ૭ પર્યુષણમાં ભગવાનની આંગીમાં સાંજના ફૂલો વપરાય છે તે યોગ્ય છે ? પ૮ પ્રભુજીની અંગરચનાની સામગ્રીનો નકરો ક્યા ખાતે લઈ જવાય ? ૫૯ આંગી ચઢાવતી વખતે ભગવાનના અંગે રહેલા પુષ્પો ઉતારી ભેગા કરી ફરી ચઢાવી શકાય ? ૬૦ પ્રભુજીના મસ્તક ઉપર પૂજા થઈ શકે તે માટે મુગટ ન ચઢાવે તો ચાલે ? ૬૧ જિનેશ્વર દેવને નમસ્કાર કર્યા પહેલા ઘંટ વગાડાય કે પછી? આરતી-મંગળદીવા સંબંધી શંકા-સમાધાન ૬૨ મંગળદીવો કે આરતી કોઈ દિવસ ખાલી હાથે ન ઉતારાય એવો નિયમ છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન 23 ૬૩ આરતી થઇ રહી હોય ત્યારે પૂજા ન થાય આ બરાબર છે ? ૬૪ આદિનાથના બદલે દરેક ભગવાનના માતા-પિતાનું નામ લઇને આરતી ઉતારાય કે નહીં ? ૬૫ પૂજા કર્યા પછી આરતી મંગળદીવો કરાય છે તેમાં કેવળ મંગળદીવો થાય કે બંને કરવા પડે ? ૬૬ આરતીની થાળીમાં મૂકેલા પૈસા કોને અપાય ? ૬૭ ઘી ચોખ્ખું ન મળે તો કોપરેલ તેલ વાપરી શકાય ? ❖ અષ્ટપ્રકારી પૂજા સંબંધી શંકા-સમાધાન ૬૮ અષ્ટપ્રકારી પૂજાનો ક્રમ પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજામાં જળવાયો નથી તેનું શું કારણ ? ૬૯ અષ્ટપ્રકારી પૂજામાં ક્યાંય બરાસપૂજા આવતી નથી તો પછી બોલી બોલીને બરાસ પૂજા કેમ થાય ? ૭૦ અષ્ટપ્રકારી પૂજામાં જલપૂજા આવે છે, દૂધપૂજા આવતી નથી, તો દૂધપૂજા કેમ કરાય છે ? ૭૧ જે ભગવાનની જાતે અષ્ટપ્રકારી પૂજા કરી હોય તેની સમક્ષ જ ચૈત્યવંદન કરવું જોઇએ કે બીજા ભગવાન સમક્ષ કરે તો ચાલે ? ૭૨ ભાવપૂજા કર્યા બાદ દ્રવ્યપૂજા કરી શકાય ? ૭૩ ભગવાનની દ્રવ્યપૂજાને બદલે સામાયિકની સાધના ઉચ્ચ ન કહેવાય ? ૭૪ ભમતિમાં બિરાજમાન પ્રતિમાજીની પૂજા થઇ શકે ? ૭૫ જિનમંદિરમાં અનેક પ્રતિમાજી હોય ત્યારે કયા ક્રમથી પૂજા કરવી જોઇએ ? ૭૬ પ્રભુજીના લાંછનની પૂજા કરવી જોઇએ ? ૭૭ જિનપ્રતિમા કે જિનમંદિર શિલ્પશાસ્ત્રની દૃષ્ટિએ દોષયુક્ત હોય તો પૂજનારને દોષ લાગે ? ૭૮ હમણાં શ્રાવક ધાતુની પ્રતિમા લાવી નવકારથી પ્રતિષ્ઠિત કરી પૂજા કરી શકે ? Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ 24 શંકા-સમાધાન ૭૯ પરિકરમાં રહેલી કાઉસગ્ગવાળી આદિ પ્રતિમાની પૂજા થાય કે નહીં ? ૮૦ ભગવાનના પગને પકડીને માથું શરીર નમાવીને ઊભા રહેવાય ? ૮૧ પૂજા કરનાર પરમાત્માને પગે લાગે ઇત્યાદિ ઉચિત છે ? ૮૨ કાળા કપડા પહેરીને પ્રભુપૂજા કરી શકાય ? ૮૩ મહોત્સવ પ્રસંગે મંદિરમાં કાળા વસ્ત્ર પહેરીને પ્રવેશવાનો નિષેધ કેમ ? ૮૪ પૂજા અને સામાયિકના વસ્ત્રો જીર્ણ થયા પછી શું કરવું ? ૮૫ જિનપૂજાની સાત પ્રકારની શુદ્ધિ કઈ છે ? ૮૬ દહેરાસરમાં ભગવાનને ચોખાથી વધાવે તે ચોખા પરિકરમાં ભરાય, પગ નીચે આવે, આ અંગે શું કરી શકાય ? ૮૭ ચોખાથી ભગવાનને વધાવીએ, તે ચોખા પગ નીચે આવે તો દોષ લાગે ? ૮૮ ધાતુના મોટા પ્રતિમાજીને સાંધાથી જોડીને ફીટ કર્યા હોય તો અખંડ ગણાય ? તેની પૂજા થઇ શકે ? ૮૯ પરિકરના ભગવાન કે અષ્ટપ્રાતિહાર્ય પાટ લૂછણાથી સાફ કરી શકાય ? ૯૦ પૂર્વ કે ઉત્તર સન્મુખ રહી પૂજા કરવાની છે જ્યારે સંઘના દહેરાસર તો પૂર્વ કે ઉત્તર સન્મુખ હોય છે, અવિધિ કરવામાં મોટું પ્રાયશ્ચિત્ત આવે તો આનું સમાધાન શું ? ૯૧ શરીરમાં પરુ (રસી) થઇ હોય તો પૂજા ન થઇ શકે તેનું શું કારણ ? અઢાર અભિષેક સંબંધી શંકા-સમાધાન ૯૨ અઢાર અભિષેક કરાયેલી પ્રતિમાની પ્રક્ષાલ પૂજા થાય ? ૯૩ અઢાર અભિષેક કરેલી પ્રતિમાની કેસ૨ વિગેરેથી પૂજા કરવી યોગ્ય છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૯૪ અઢાર અભિષેક કરેલા ભગવાન ઘરમાં રખાય ? ૯૫ અઢાર અભિષેક આદિનો નકરાથી આદેશ આપે તો નકરાની રકમથી શું શું થઇ શકે ? પૂજન સંબંધી શંકા-સમાધાન ૯૬ પૂજન વખતે લેવાતો નકરો કયા ખાતે જાય ? 25 ૯૭ ચાલુ પૂજનમાં કોઇ વ્યક્તિનું શ્રીફળ કે અન્ય રીતે સ્વાગત કે બહુમાન કરી શકાય ? ૯૮ પૂજન ભણાવતી વખતે મોટે ભાગે વિવેચન કરવામાં આવે છે તેનું શું ? ૯૯ પૂજન વગેરેમાં પ્રભુભક્તિ સિવાયનું બીજું-ત્રીજું બોલવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ જરૂરી ખરો કે નહીં ? ૧૦૦ હમણા હમણા પૂજનમાં ગવૈયાઓએ ‘ભૂલો ભલે બીજું બધું મા-બાપને ભૂલશો નહીં' એ જૈનેતરોનું ગીત ગાવાનું શરૂ કર્યું છે તે યોગ્ય છે ? ૧૦૧ ભાડુતી ગવૈયા અને ભાડુતી પૂજન ભણાવનારા આવું બોલનારને દોષ લાગે ? ૧૦૨ લગ્નપ્રસંગે ગુરુની નિશ્રાએ શ્રી સિદ્ધચક્ર આદિ પૂજન રાખવું શાસ્ત્રદૃષ્ટિએ ઉચિત છે ? ૧૦૩ પૂજનમાં સાધુ ભગવંતોની હાજરીમાં શ્રાવિકા નૃત્ય કરી શકે ? ૧૦૪ પર્વતિથિએ પૂજા-પૂજનમાં ફળનો ઉપયોગ કરી શકાય ? જિનમંદિર સંબંધી શંકા-સમાધાન ૧૦૫ ઘર દહેરાસર બનાવવું હોય તો શું કરવું જોઇએ ? ૧૦૬ ગૃહમંદિરમાં રહેલા પ્રભુજીની ઉપર બીજે માળે લોકો ચાલે તો દોષ લાગે ? ૧૦૭ દહેરાસરમાં ભગવાનનો ફોટો લગાવાય ? ૧૦૮ જિનમંદિરમાં કેટલા પ્રતિમાજી હોવા જોઇએ ? For Personal and Private Use Only Jain Educationa International Page #31 -------------------------------------------------------------------------- ________________ 26 શંકા-સમાધાન ૧૦૯ ગભારામાં પ્રતિમાજી એકી સંખ્યામાં જ હોવા જોઇએ એવો નિયમ છે ? ૧૧૦ ચતુર્મુખ જિનાલયમાં પ્રતિમા તીર્થંકરની હોય કે સિદ્ધ ભગવંતની હોય ? ૧૧૧ જિનમંદિરનો મુખ્ય દરવાજો મૂળ ગભારાની સામે લેવો જરૂરી છે ? ૧૧૨ નવી ઘડાયેલી પ્રતિમાને પણ એક-બે વર્ષમાં ઓપ આપવાના બહાને ઘસવાનું વધતું જાય છે, તે શાસ્ત્રોક્ત છે? ૧૧૩ જિનમંદિરમાં સામસામે જિનમૂર્તિ સ્થાપન કરવાથી પૂજા કરનારની પુંઠ લાગે તેવી રીતે પ્રતિષ્ઠા કરવી યોગ્ય છે? ૧૧૪ નવા બનતાદહેરાસરમાં પ્રતિમા નવા સ્થાપન કરવા કે પ્રાચીન? ૧૧૫ આજે જ્યાં જૈનોના ઘરો ન હોય, ત્યાં પણ જિનમંદિરો બની રહ્યા છે તે યોગ્ય છે ? ૧૧૬ જ્યાં જૈનોનું એક પણ ઘર ન હોય ત્યાં જિનમંદિર બંધાવવું ઉચિત છે ? ૧૧૭ પરિકર એટલે શું ? ૧૧૮ દહેરાસરમાં નવકારવાળી ગણવામાં દોષ લાગે ? ૧૧૯ જિનમંદિરમાં પ્રદક્ષિણા આપવાનું શું કારણ ? ૧૨૦ જિનમંદિરના શિખર ઉપર કઠેડો બનાવવો શાસ્ત્રીય છે ? ૧૨૧ જિનપ્રતિમાના મસ્તકે રખાતા ત્રણ છત્રમાં પછી પછીનું છત્ર નાનું હોય કે મોટું હોય ? ૧૨૨ જિનમંદિરમાં ગુરુની છvસ્થ અવસ્થાની મૂર્તિ કઈ જગ્યાએ સ્થાપિત કરવી જોઇએ ? ૧૨૩ જિનમંદિરમાં દેવદેવીઓની મૂર્તિ કઈ જગ્યાએ સ્થાપિત કરવી જોઇએ ? ૧૨૪ દહેરાસરની બાજુમાં કોઇનું મરણ થતાં મૃતક પડેલું હોય ત્યારે દહેરાસર ખોલી શકાય ? ૧૨૫ રાત્રિના સમયે શ્રાવક જિનમંદિરે દર્શન કરવા જઈ શકે ? Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન 27 ૧૨૬ રાત્રે જિનમંદિર માંગલિક થયા પછી ખોલી શકાય ? ૧૨૭ દહેરાસરમાં ગુરુમૂર્તિને વંદન થઈ શકે ? ૧૨૮ ફણાવાળી પ્રતિમાને મુગટ ચઢાવતા ઉતારતા પ્રતિમાને ઘસારો પહોંચતો હોય તો શું કરી શકાય ? ૧૨૯ શ્રી જિનમંદિરમાં દર્શન માટે આચાર્ય આદિ પધારે ત્યારે શ્રાવકો ઉભા થાય તો જિનની આશાતના થાય ? ૧૩૦ રાતના બાર વાગ્યા સુધી દહેરાસરો ખુલ્લા રાખવાથી જિનાજ્ઞા પળાય ? ૧૩૧ જૈન વેપારી દહેરાસરની સામગ્રીનો વેપાર કરે તો તેને દોષ લાગે ? ૧૩૨ દહેરાસરમાં ભગવાનની ભક્તિ સિવાયની કોઈ પત્રિકા વાંચવા માટે મૂકી શકાય ? ૧૩૩ શ્રાવકો લગ્નપત્રિકા ઉપર ભગવાનનું નામ લખીને દહેરાસરમાં મૂકે છે તે યોગ્ય છે ? ૧૩૪ સાંસારિક પ્રસંગોની આમંત્રણ પત્રિકા દહેરાસરમાં મૂકવી યોગ્ય છે ? ૧૩૫ જિનમંદિરના મુખ્ય દરવાજા આગળ પ્રભાવના વહેંચવામાં આવે તો તે પ્રભાવના શ્રાવકો વાપરી શકે ? ૧૩૬ દહેરાસરમાં દાખલ થતા પગ લૂછવા માટેના પગલૂછણીયા સાધારણમાંથી લેવાય કે દેવદ્રવ્યમાંથી ? ૧૩૭ દહેરાસરના રંગમંડપમાં બહાર બરાબર વચ્ચે લાઈટ કે દીવો મૂકી શકાય ? ૧૩૮ દહેરાસરમાં પ્રક્ષાલ આદિ વિધિ છોડી ગુરુ પાસે પચ્ચક્ખાણ લેવું યોગ્ય છે ? ૧૩૯ મોબાઇલ ફોન ચાલુ રાખી ગૃહસ્થો દહેરાસરમાં પ્રવેશે તે યોગ્ય છે ? ૧૪૦ દહેરાસરની બહાર પાટીયા મૂકવાની પ્રથા છે તે શું કામ માટે છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ 28 શંકા-સમાધાન ૧૪૧ દહેરાસરના પરિસરની બાજુમાં મીઠાઈ આદિ બનાવી વ્યાજબી ભાવે મળશે આવી જાહેરાત કરી શકાય ? આ આરંભ સમારંભ યોગ્ય છે ? ૧૪૨ દહેરાસરની બહાર જૈનેતર ગાય રાખે, ગાય પૂજય છે એમ માની શ્રાવકો તેને ઘાસ ખવડાવે આ યોગ્ય છે ? ૧૪૩ પ્રાચીન દહેરાસરમાં ભોંયરું હોય તેમાં કોઈ દેવનો વાસ થઈ શકે ? કદાચ આવી શંકાથી ભોંયરું પથ્થર આદિથી બંધ કરી શકાય ? ૧૪૪ હાર્ટની તકલીફવાળો જીભ નીચે મૂકવાની ગોળી જીભ નીચે મૂકી દહેરાસરે જઈ શકે ? ૧૪૫ દહેરાસરમાં જતાં ખીસામાં રહેલી વસ્તુ ઉપર ભગવાનની દૃષ્ટિ પડતી ન હોવાથી તે વસ્તુ ખાવામાં શો વાંધો ? ૧૪૬ દહેરાસર સ્વદ્રવ્યથી બનાવેલ હોય તો તેમાં સાધારણ આદિ ખાતાના ભંડારો રાખી શકાય ? ૧૪૭ ઘણા દહેરાસરમાં નાની ઘંટડી ભગવાન સમક્ષ વગાડે છે આનું શું કારણ ? ૧૪૮ સવા કરોડના દહેરાસરમાં પચાસ લાખ આપનારની શિલા સ્થાપન અને દ્વારોદ્ઘાટનનો લાભ મને મળવો જોઇએ આવી શરત માન્ય રખાય ? ૧૪૯ પૂજારીનો પગાર ઓછો હોય તો તેને દહેરાસરના ચોખા શ્રીફળ સસ્તા ભાવે આપી શકાય ? ૧૫૦ દહેરાસરમાંથી લાઇટ કઢાવવા દેવદ્રવ્યમાંથી દીપક રાખવાનો ઉપદેશ આપી શકાય ? ૧૫૧ દહેરાસરમાં થતા ઘીના દીવાનો ખર્ચ આંગી ખાતામાંથી લઈ શકાય ? ૧૫ર અમદાવાદ જેવા શહેરોમાં પોળોમાં જૈનોના ઘરો ઓછા થઈ રહ્યા છે. આવા સંયોગોમાં દહેરાસરો સચવાય એ માટે કેવું આયોજન કરવું જોઇએ ? Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૫૩ હમણાં હમણાં ગવૈયાઓ સ્ત્રી-પુરુષોને દહેરાસર આદિમાં નચાવે છે આ યોગ્ય છે ? 29 ૧૫૪ ગૃહજિનાલયમાં બહારથી આવતા પૂજા કરનારા દહેરાસર ખુલ્લુ મૂકે, કૂતરા આદિ આવી અશુદ્ધ કરે તો દોષ કોને લાગે ? ઘરવાળાને કે ખુલ્લુ મૂકનારને ? ૧૫૫ જીર્ણોદ્ધાર બાદ જૂના ધ્વજદંડનું શું કરવું ? ૧૫૬ જિનમંદિરના નિભાવ માટે ખેતર-ઘર વગેરે નવા બનાવી શકાય ? ધજા સંબંધી શંકા-સમાધાન ૧૫૭ દહેરાસર ઉ૫૨ ધ્વજારોપણનું પ્રયોજન શું ? ધ્વજારોપણ કરનારે ત્યારે શું ચિંતવવું ? ૧૫૮ નવી ધજા ચઢાવ્યા પછી જૂની ધજાનું શું કરવું ? ૧૫૯ ધજાને ઘ૨માં રાખવાથી શું સમાધિ મળે ? ૧૬૦ આપણા ઘર ઉપર દહેરાસરની ધજાનો પડછાયો પડતો હોય તો ચાલે ? ૧૬૧ જિનમંદિરની ધજા તો શુભ છે, તો તેનો પડછાયો અશુભ કેમ ગણાય ? ૧૬૨ કોઇ ગામમાં બહેનને સંતાન ન થતા હોય તો તેના ખોળામાં જૂની ધજા મૂકવામાં આવે છે અને પછી તે બહેન ધજાને પોતાના ઘરે રાખે છે આ યોગ્ય છે ? ૧૬૩ મૂળનાયક સિવાયની દેરીમાં પરિકર સહિત ભગવાન ન હોય તો ધજામાં વચ્ચે સફેદ પટો ચાલે ? ૧૬૪ જિનમંદિરનો સંપૂર્ણ જીર્ણોદ્ધાર કરવામાં આવે તો ધજા ચઢાવવાનો અધિકાર કોને મળે ? ૧૬૫ દહેરાસરની સાલગિરિનો વિધિ ટૂંકમાં જણાવવા વિનંતી. Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ 30 અંજન-પ્રતિષ્ઠા સંબંધી શંકા-સમાધાન શંકા-સમાધાન ૧૬૬ અંજનિવિધ રાત્રે જ કેમ થાય ? ૧૬૭ અંજનિધિ કોણ કરી શકે ? ૧૬૮ અંજન કર્યા વગરની લાંછનવાળી પ્રતિમા ઘરમાં કે દહેરાસરમાં રાખી શકાય ? ૧૬૯ લાંછનવાળી પ્રતિમાને કેટલા સમયમાં અંજન કરાવવું પડે ? ૧૭૦ નેમિનાથની અંજનશલાકા ચોરી માંડી પરણાવવાની ક્રિયા શાસ્ત્રોક્ત છે ? ૧૭૧ અંજન આદિ કાર્યોથી ઉત્પન્ન થતું દેવદ્રવ્ય ન્યાયોપાર્જિત કે અન્યાયોપાર્જિત ગણાય ? ૧૭૨ ઋષભદેવ ભગવંતની અંજનશલાકામાં સ્વપ્રપાઠકો, પાઠશાળાગમન આદિ ક્રિયાઓ શું અનાગમોક્ત નથી ? ૧૭૩ અંજન પ્રતિષ્ઠાના કયા ચઢાવા દેવદ્રવ્યમાં અને કયા ચઢાવા સાધારણ ખાતે જાય ? ૧૭૪ અંજનશલાકા વખતે મામેરામાં મૂકવા માટે ફેરવવામાં આવતી થાળીઓમાં આવેલ રકમ કયા ખાતામાં લઇ જવી ? ૧૭૫ ભારત દેશમાં પંચકલ્યાણકની ઉજવણીપૂર્વક અંજન થયેલી પ્રતિમાની વિદેશમાં ત્યાંના લોકોને પંચકલ્યાણકની જાણ માટે ફી ઉછામણીપૂર્વક ઉજવણી કરવી ઉચિત છે ? ૧૭૬ પ્રતિષ્ઠા આદિમાં હવનાદિ અંગે શાસ્ત્રીય વિધાન છે ખરું ? ૧૭૭ અનીતિનું ધન અંજન-પ્રતિષ્ઠાદિમાં વાપરવું શાસ્ત્ર દષ્ટિએ યોગ્ય છે ? ૧૭૮ કોઇ શ્રાવક મહોત્સવ આદિના સાધારણ ખર્ચને પહોંચી વળવા દસ લાખ આપે તેના બદલામાં પ્રતિમા પ્રતિષ્ઠાનો લાભ આપી શકાય ? ૧૭૯ પ્રતિષ્ઠા મહોત્સવ આદિમાં મહેંદી લગાડવાની પ્રથા આત્મહિતના કલાકો બગાડે છે માટે તે યોગ્ય છે ? For Personal and Private Use Only Jain Educationa International Page #36 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન 31 ૧૮૦ પ્રતિમાની પ્રતિષ્ઠા બાદ બનાવેલા પરિકરની પ્રતિષ્ઠા આદિ વિધિ કરવી જોઇએ ? ફળ-નૈવેધ સંબંધી શંકા-સમાધાન ૧૮૧ પ્રભુ સમક્ષ ધરેલા ફળ-નૈવેદ્ય કિંમત આપી જૈનેતરોને આપી શકાય ? ૧૮૨ દેરાસરના ફળ-નૈવેધ ઉપજી શકે તેટલી રકમથી ખરીદી અનુકંપામાં આપી શકાય ? ૧૮૩ નૈવેદ્ય પૂજામાં નૈવેદ્ય અને ફળપૂજામાં ફળ કેવા ન મૂકાય ? ૧૮૪ દેરાસરમાં ફળ-નૈવેદ્ય ચડાવવાથી કીડી-મંકોડા થતા હોય તો તેના બદલે પૈસા મૂકવા યોગ્ય ગણાય ? ૧૮૫ આર્દ્રા નક્ષત્ર બાદ કેરી દેરાસરમાં ફળ તરીકે ધરી શકાય ? ચૈત્યવંદન સંબંધી શંકા-સમાધાન ૧૮૬ ચૈત્યવંદન ઇરિયાવહિયા કરીને જ કરવું જોઇએ ? ૧૮૭ ચૈત્યવંદન કરતાં પહેલાં ઇરિયાવહિયા સાધુને આવશ્યક છે, શ્રાવકને નહિ. આ વાત બરોબર છે ? ૧૮૮ ચૈત્યવંદન કરતી વખતે પગની મુદ્રા કેવી રાખવાની છે ? ૧૮૯ દહેરાસરમાં દેવવંદનમાં સ્નાતસ્યાની અને સિદ્ધાચલની થોય બોલાય કે નહીં ? ૧૯૦ શારીરિક બીમારીને કા૨ણે દહેરાસરમાં ખુરસી ઉપર બેસી ચૈત્યવંદન કરી શકાય ? ૧૯૧ મૂળનાયકના બદલે બીજા ભગવાનનું ચૈત્યવંદન આદિ કરીએ તો રમણભાઇના ઘરે જઇ છગનભાઇના નામની બૂમો મારીએ તો બારણું કોણ ખોલે ? આવું ન થાય ? ૧૯૨ સ્ત્રી-પુરુષ આ બે પક્ષમાંથી કોઇ એકને ચૈત્યવંદન ન આવડતું હોય તો સાથે બેસી ચૈત્યવંદન કરી શકે ? For Personal and Private Use Only Jain Educationa International Page #37 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૯૩ જે કપડા પહેરી સંડાસ-બાથરૂમમાં ગયા હોય તે કપડાથી મંદિરમાં મોટેથી દેવવંદન આદિ કરી શકાય ? ૧૯૪ કાળવેળાએ સ્તવન, સજઝાય, થોય, ચૈત્યવંદન, નવસ્મરણ વગેરે કરી શકાય ? તીર્થ સંબંધી શંકા-સમાધાન ૧૯૫ તીર્થ કોને કહેવાય ? ૧૯૬ મહાતીથોમાં પૂજાના ચઢાવાને કારણે પૂજા બહુ મોડી થાય છે, વહેલી થાય તો ન ચાલે ? ૧૯૭ ફાગણ સુદ-૧૩ના દિવસે શત્રુંજયની છગાઉની યાત્રા કરવાથી કેટલી નિર્જરા થાય ? કેટલો પુણ્યબંધ થાય ? ૧૯૮ છગાઉની યાત્રા કેવી રીતે ગણવી ? ૧૯૯ શત્રુંજય તીર્થ ઉપર મૂળનાયકની પૂજા કરવા લાઈન હોય ત્યારે અન્ય ટૂંકમાં પૂજા કરવાથી ન ચાલી શકે ? ૨૦૦ યાત્રાળુઓ અન્ય ટૂંકોમાં પૂજા કરતા થાય એ માટે શું કરી શકાય ? ૨૦૧ શત્રુંજયનો પથ્થર લાવી પૂજા કરાય તે કેટલું યોગ્ય ગણાય? ૨૦૨ કાર્તિકી પૂનમે આપવામાં આવતું ભાતું શત્રુંજય પટ સમક્ષ જ વાપરી શકાય ? ૨૦૩ શ્રી સિદ્ધાચલ ઉપર મૂળનાયકના પરિકરમાં અંજન પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કેમ નથી ? ૨૦૪ શાશ્વત તીર્થ પાલીતાણામાં અમુક ધર્મશાળામાં એ.સી. બેસાડેલ છે તે યોગ્ય છે ? ૨૦૫ ગિરનારની ૯૯ યાત્રાનો આપણા શાસ્ત્રમાં ઉલ્લેખ છે ? ૨૦૬ શ્રી શત્રુંજયની ૯૯ યાત્રા માગસર કે પોષ મહિનાથી શરૂ કરી શકાય કે નહીં ? ૨૦૭ કોઈ પહાડ ખરીદીને તેના ઉપર આદિનાથનું મંદિર બનાવી શત્રુંજય નામ આપે તો શું સિદ્ધાચલની આશાતના નથી? Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ 33 શંકા-સમાધાન ૨૦૮ મીની શત્રુંજય બનાવી કહેવામાં આવે કે “અહીં યાત્રા કરવાથી શત્રુંજય જેટલું જ પુણ્ય મળે” આ યોગ્ય છે ? ૨૦૯ પાલીતાણામાં ધર્મશાળામાં સંડાસ વગેરે બનાવે તો તીર્થની આશાતના ન થાય ? ૨૧૦ “એ ગિરિ ભેટતાં શતગણું ફળ લહીએ' એ સાચું હોય તો તેની જ યાત્રા કરવી ઉત્તમ ને ? ૨૧૧ જે તર્યા તે મોક્ષમાં ગયા તેથી તરણ કહેવાય. શત્રુંજય તરવાનો નથી તો તેને તરણ કેમ કહેવાય ? ૨૧૨ ચોમાસામાં ચાહીને તીર્થયાત્રા કરવા માટે નીકળવું ઠીક ગણાય ? ૨૧૩ જો ચોમાસામાં શ્રી શત્રુંજયની યાત્રા કરી શકાય તો પૂ. સાધુ સાધ્વીજીઓથી ચોમાસામાં યાત્રા કરી શકાય કે નહીં? ૨૧૪ અમુક મર્યાદિત રકમ ધર્મમાં વાપરવાનો નિર્ણય કર્યા પછી એ રકમ શત્રુંજય ઉપર વાપરવાથી વધુ લાભ થાય ? ૨૧૫ સમોવસરણમાં અશોકવૃક્ષની છાયા હોય જ્યારે શત્રુંજય ઉપર રાયણ વૃક્ષની છાયા કહેવાનું કારણ શું ? ૨૧૬ સમેતશિખર વગેરેની સ્પેશ્યલ ટ્રેનમાં ડોનેશન આપ્યું હોય અને તેમાં રાત્રિભોજન વગેરે થતું હોય તો ડોનેશન આપનારને દોષ લાગે ? ૨૧૭ અષ્ટાપદ તીર્થનું સ્વરૂપ કેવું છે ? ૨૧૮ જે અષ્ટાપદની યાત્રા કરે તે ચરમશરીરી હોય તો રાવણ કેમ મોક્ષમાં ન ગયા ? ૨૧૯ પોષ વદ-૧૩ના શત્રુંજય ઉપરથી અષ્ટાપદના દર્શન થાય છે તે સાચું છે ? તીર્થકર સંબંધી શંકા-સમાધાન ૨૨૦ શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા કોણે ક્યારે ક્યાં ભરાવી ? ૨૨૧ શ્રી પાર્શ્વનાથ ભગવાનને મસ્તકે ફણા રાખવાનું શું કારણ છે? Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ 34 શંકા-સમાધાન ૨૨૨ ધરણેન્દ્રની પ્રભુભક્તિનું સ્મરણ થાય એ માટે કદાચ ફણા રાખવામાં આવે તો સ્મરણ તો હૃદયમાં રખાયે મસ્તકે નહીં. ૨૨૩ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ઉપર ૩, ૫, ૭, ૯, ૧૦૮, ૧૦૦૮ ફણા શા માટે ? ૨૨૪ પ્રતિમામાં ધરણેન્દ્રને કાયમ માટે સાથે રાખવાનું શું કારણ? ૨૨૫ સુપાર્શ્વનાથને કોઇ ઉપસર્ગ થયો ન હતો છતાં ફણા શા માટે? ૨૨૬ જો તીર્થકરો સ્વપરાક્રમથી જ કેવળજ્ઞાન ઉત્પન્ન કરે છે તો પાર્શ્વનાથ પ્રભુને ઉપસર્ગ વખતે ધરણેન્દ્ર સહાય કરી છતાં તેઓ તીર્થંકરપદ કેમ પામ્યા ? ૨૨૭ પરમાત્માના જન્મ સમયે નિશ્ચલ એવું ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન થાય છે તો નિશ્ચલ એવા પર્વતો કેમ નહીં ? ૨૨૮ પરમાત્માના જન્મ સમયે પઋતુ અનુકૂળ બને છે તે કુદરતી બને છે કે તીર્થકરના પુણ્યપ્રભાવથી ? ૨૨૯ હું તીર્થકર થાઉં એવી પ્રાર્થના કરાય ? ૨૩૦ વિહરમાન જિનની દર વખતે આ જ નિયત વિજય રહેશે? ૨૩૧ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામીને આપણી દયા નહીં આવતી હોય ? ૨૩૨ પરમાત્મા યોગમુદ્રાએ દેશના આપે છે, પત્રિકાદિમાં આશીર્વાદ મુદ્રા કેમ? ૨૩૩ પરમાત્માની હાજરીમાં દીક્ષા વખતે રાજકુમારાદિ પ્રભુનું પૂજન કરતા હશે ? ૨૩૪ જિનેશ્વરોના કલ્યાણકોમાં જીવોને કેટલા કાળ સુધી સુખ થાય? ૨૩૫ અનાગત ચોવિસીના કેટલા જિનોના નામમાં ફેર આવે છે? ૨૩૬ ભગવાનને “તું શા માટે કહેવાય છે ? ૨૩૭ પંચપરમેષ્ઠિપદમાં કેવલી ભગવંતનું સ્થાન ક્યાં ગણાય ? ૨૩૮ ભગવાન પધાર્યાના સમાચાર આપનારને ચક્રવર્તી વગેરે કેટલું દાન આપે ? Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ 35 શંકા-સમાધાન ૨૩૯ હમણાં હમણાં ભોજનનો થાળ ધરી ભગવાનને જમાડવામાં આવે છે આ પ્રવૃત્તિ યોગ્ય છે ? ૨૪૦ ભગવાનના ખંડિત થયેલા ફોટા વગેરે ક્યાં પરઠવવા જોઈએ? ૨૪૧ તીર્થકરો ગણધરોને પહેલા ચારિત્ર આપે કે પહેલા ત્રિપદી આપે ? ૨૪૨ જ્યાં ત્યાં ભગવાનના ફોટા છપાય છે, આશાતનાથી બચવા માટે ઉપાય શું ? ૨૪૩ ભગવાનની મૂર્તિ વગેરેવાળા છોડ બાંધી તેની નીચે બેસી તપસ્વી પારણા કરી શકે ? ૨૪૪ શ્રી મહાવીર સ્વામીના શિષ્યો ૧૪ હજાર અને ગૌતમ સ્વામીના શિષ્યો ૫૦ હજાર એ શી રીતે ઘટે ? ૨૪૫ શ્રી ઋષભદેવ ભગવાનના કુલ સાધુ ૮૪000 હતા. આચાર્યશ્રી પુંડરિક સ્વામી પાંચ ક્રોડ સાથે મુક્તિમાં ગયા એ વાતનો મેળ કેવી રીતે બેસે ? ૨૪૬ શ્રી નેમનાથ ભગવાનની દીક્ષાનું મુહૂર્ત કોઈ જ્યોતિષીએ કાઢ્યું હતું ? ૨૪૭ ભગવાનશ્રી નેમિનાથે શ્રી શત્રુંજયની યાત્રા ન કરી તેનું કોઈ કારણ ખરું ? રથયાત્રા સંબંધી શંકા-સમાધાન ૨૪૮ રથયાત્રાદિમાં બેન્ડવાળા મુખશુદ્ધિ વિના પણ સ્તવનાદિ બોલે છે. આમાં ઉચિત શું કરી શકાય ? ૨૪૯ રથયાત્રાના ચડાવામાંથી રથયાત્રાનો ખર્ચ આપી શકાય ? જૈન બેન્ડવાળાને આપી શકાય ? ૨૫૦ વરઘોડામાં યુવાનો નાચે સાથે આગેવાનોને પણ નચાવે, આ ઉચિત છે ? ૨૫૧ કેટલાક ગામોમાં વરઘોડામાં પુરુષો અને સ્ત્રીઓ પણ નાચે છે ? તે યોગ્ય છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ 36 શંકા-સમાધાન ૨૫૨ વરઘોડામાં રસ્તામાં સ્ત્રીઓ નાચે આ યોગ્ય છે ? ૨૫૩ વરઘોડામાં સ્ત્રીઓ પુરુષોની જેમ સૂત્રોચ્ચાર કરે તે યોગ્ય છે ? વર્ષીદાન સંબંધી શંકા-સમાધાન ૨૫૪ તીર્થકરો કયા કારણથી વર્ષીદાન કરે છે ? ૨૫૫ વર્ષીદાનનો વરઘોડામાં વાસણ વસ્ત્રો આદિ ફેંકાય, ઝૂંટાઝૂંટ થાય, મારામારી પણ થાય તો આનાથી શાસન પ્રભાવના કેવી રીતે થાય ? ૨૫૬ વર્ષીદાનમાં ઉછાળેલા ચોખા પગ નીચે આવે તો વર્ષીદાન કરનારને દોષ લાગે ? ૨૫૭ તીર્થકરો જે વર્ષીદાન આપે છે તે અનુકંપાદાન છે કે બીજું કોઈ દાન છે ? ૨૫. જ્યારે ભગવાન વર્ષીદાન આપે ત્યારે શ્રાવકો તે દાન લેવા આવે ? ૨૫૯ અત્યારે દીક્ષાર્થી વર્ષીદાન આપે તે શ્રાવકથી લેવાય કે નહિ? ૨૬૦ પૂર્વે વર્ષીદાનનો વરઘોડામાં ચોખા, બદામ, નાણુ ઉછાળતા. હવે વસ્ત્ર, પાત્ર આદિ ઉછાળવા યોગ્ય છે ? નવકાર મહામંત્ર સંબંધી શંકા-સમાધાન ૨૬૧ નમસ્કાર મહામંત્રની રચના કોણે કરી ? ૨૬૨ નમસ્કાર મંત્ર શું સૂત્ર છે ? કે મંત્ર છે ? ૨૬૩ નમસ્કાર મહામંત્ર શબ્દથી અને અર્થથી પણ શાશ્વત કઈ રીતે? ર૬૪ પંચપરમેષ્ઠી નમસ્કાર સર્વોત્કૃષ્ટ મંગલ કેમ છે ? ૨૬૫ સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે તેમાં પ્રથમ શબ્દનો શો અર્થ છે ? ૨૬૬ “નમો અરિહંતાણં' પદનો શો અર્થ છે ? ર૬૭ “નમો અરિહંતાણં'માં નમો પદ મુખ્ય કે અરિહંતાણં પદ મુખ્ય? Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન 37 ૨૬૮ “નમો અરિહંતાણં'માં “અરિહંતાણં નમો” એવો પાઠ શા માટે ન રાખ્યો ? ૨૬૯ નવકાર મૂળમંત્ર પાંચ પદોનો છે કે નવ પદોનો ? ૨૭૦ સ્થાનકવાસી આદિ સંપ્રદાયો ફક્ત પાંચ પદ માને છે તો તેનું કારણ શું ? ૨૭૧ પરમેષ્ઠિને નમસ્કાર કરવા માટે માત્ર પાંચ પદોનું જ રટણ કરવું જોઇએ, બાકીના પદોનું શા માટે ? ૨૭૨ નવકાર મંત્રની ચૂલિકાની રચના કોણે કરી ? ૨૭૩ દ્વાદશાંગીની અંતર્ગત કયા અંગસૂત્રમાં નવકારની ચૂલિકાનું વર્ણન છે ? ૨૭૪ નવકાર મંત્ર કોના સર્વ પાપોનો નાશ કરે ? ૨૭૫ નમસ્કાર મંત્ર શ્રેષ્ઠ છે તો કાઉસ્સગ્નમાં લોગસ્સનું ચિંતન શા માટે ? ૨૭૬ નવપદનો જઘન્ય જાપ તેર હજારનો કઈ રીતે ? ધર્મ સંબંધી શંકા-સમાધાન ૨૭૭ ધર્મનું ફલ માત્ર પરલોકમાં જ મળે કે આ લોકમાં પણ મળે? ૨૭૮ જૈનોના દેવ-ગુરુ-ધર્મમાં અને અજૈનોના દેવ-ગુરુ-ધર્મમાં શો ભેદ છે ? ૨૭૯ ધર્મ ફક્ત મોક્ષ માટે જ થાય કે દુ:ખના નાશપૂર્વક સુખની આશાથી પણ થાય ? ૨૮૦ ધર્મ ન કરનારા કરતા ભૌતિક સુખ માટે ધર્મ કરનારા સારા કે ખરાબ ? ૨૮૧ કેટલાક માણસો ધર્મના નામે સોગંદ ખાય છે તે યોગ્ય છે? ૨૮૨ ધર્મમાં લગાવ ન હોવાના કારણે કોઈ ધાર્મિક પ્રસંગની ઉજવણી કરવાથી તે વ્યક્તિ ધર્મથી વિમુખ બનતી હોય તો શું કરવું જોઈએ ? Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ 38 શંકા-સમાધાન ૨૮૩ જૈનોએ યથાશક્તિ દ્રવ્યદયા પણ કરવી જોઈએ આથી જૈનો હોસ્પિટલ બંધાવે તો તે ધર્મ ગણાય કે અધર્મ ગણાય ? આરાધના સંબંધી શંકા-સમાધાન ૨૮૪ અમુક વારે અમુક ભગવાનની આરાધના કરવી એવું ક્યાંય શાસ્ત્રમાં લખેલું છે ? ૨૮૫ અંત સમયની આરાધના કરવી કે કરાવવી હોય તો શું કરવું જોઇએ ? ૨૮૬ ધર્મની કોઈપણ આરાધના વિશ્વશાંતિ માટે કરાય-કરાવાય? ૨૮૭ ધાર્મિક પ્રસંગ સિવાય ઘર-ફેકટરી-દુકાન આદિમાં પગલા કરાવવામાં કઈ ધર્મારાધના છે ? ૨૮૮ જ્ઞાન આત્માનો ગુણ છે આત્માના જ્ઞાનગુણનો ક્ષયોપશમ સરસ્વતી દેવીની ઉપાસનાથી કેવી રીતે સાધી શકાય ? સામાયિક સંબંધી શંકા-સમાધાન ૨૮૯ સામાયિકમાં ૪૮ મિનિટનો સમય ક્યારથી ગણવો ? ક્યાં સુધી ગણવો ? ૨૯૦ સામાયિકની ૪૮ મિનિટ પૂર્ણ થયા પહેલા સાધુની સાથે સંથારાપોરિસીની વિધિ થઈ શકે કે કેમ ? ૨૯૧ લાગત બીજું સામાયિક કરીએ ત્યારે “સઝાયમાં છું કે “સજઝાય કરું” એમાં કયો આદેશ માંગવો ? ૨૯૨ સતત ત્રણ સામાયિક કરનાર “સજઝાય સંદિસાહુનો આદેશ માંગે ? ૨૯૩ સામાયિક લેવાની વિધિ ન આવડતી હોય તો ત્રણ નવકાર ગણીને સામાયિક લે અને ૪૮ મિનિટ પહેલા ઉઠી જાય તો સામાયિક ભાંગે ? ર૯૪ મૌનપણે સામાયિક કરનાર શ્રાવક સાધુ પધારે તો પધારો કહી શકે ? ચરવળા વગર ઊભા થઈ શકે ? વહોરાવી શકે ? Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૯૫ સામાયિક પૌષધમાં ગુરુપૂજન કરી શકાય ? ૨૯૬ સામાયિક પૌષધમાં જ્ઞાનપૂજન આદિ દ્રવ્યપૂજા થઈ શકે? ૨૯૭ સામાયિક પૌષધમાં આભૂષણ પહેરવા કહ્યું ? ૨૯૮ સામાયિક લેનારા શ્રાવકોએ વીંટી આદિ પહેરેલા હોય તો કરેમિ ભંતે ઉચ્ચરાવી શકાય ? ૨૯૯ સમૂહ સામાયિક કરાવવાનું અનુષ્ઠાન શાસ્ત્રીય છે ? ૩૦૦ સામાયિક પારતી વખતે મુઠ્ઠી વાળવી કે હથેળી ખુલ્લી રાખવી ? ૩૦૧ પૌષધમાં કે સામાયિકમાં હોય ત્યારે પ્રભાવનાના પૈસાને હાથમાં લઈ શકે ? ૩૦૨ મંડળની બહેનો સામાયિક પૌષધમાં મંડળનો હિસાબ કિતાબ કરી શકે ? ૩૦૩ સામાયિક આદિમાં શ્રાવક શિયાળામાં માથે મફલર બાંધેલું રાખી શકે ? પૌષધ સંબંધી શંકા-સમાધાન ૩૦૪ સવારનો પૌષધ લેવા માટે સમયનું ચોક્કસ વિધાન શું ? ૩૦૫ પૌષધ લેનારી બહેનો જાતે પૌષધ ઉચ્ચરવા આદિ ક્રિયા કરી ગુરુને વંદન કરવા આવે ત્યારે બધા આદેશ માંગે તે આવશ્યક છે ? ૩૦૬ સામાયિક લીધા પછી પૌષધ લેવાની ભાવના થઈ તો સામાયિક પાર્યા વિના પૌષધ લઈ શકાય ? ૩૦૭ પોષાતી પ્રથમ દર્શન કરવા જાય કે પ્રથમ ગુરુવંદન કરવા જાય ? ૩૦૮ પૌષધમાં એકાસણ કરનારા પર્વતિથિ સિવાય લીલું શાક વાપરી શકે ? ૩૦૯ સંધ્યા સમયે રાત્રિ પૌષધ કરનારા પૌષધ ઉચ્ચર્યા પછી પાણી વાપરી શકે ? Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૧૦ પૌષધ લીધા પહેલા જિનપૂજા કરી શકાય તો કરી લેવી એમ બોલવું લખવું બરાબર છે ? ૩૧૧ પૌષધમાં મધ્યાહ્નનું દેવવંદન દહેરાસરમાં કરવામાં આવે તો આગળ કે પાછળ ચૈત્યવંદન કરવું તેવી વિધિ છે ? ૩૧૨ પોષાતી પહોર કે દોઢ પહોર દહેરાસરે દેવવંદન કરી આવે તો કાળવેળાએ ફરી દેવવંદન કરવું પડે ? 40 ૩૧૩ ‘મજિણાણં'ની સઝાય પૌષધમાં બોલતી વખતે ખેસ ઓઢવામાં આવતો નથી તેમાં કોઇ હેતુ છે ? ૩૧૪ પોષાતી શ્રાવક કોઇ પણ બોલીની ઉછામણી બોલી શકે ? ૩૧૫ શ્રદ્ધાળુ શ્રાવિકાઓ પૌષધમાં ગહૂલી કરી શકે ? ૩૧૬ પોષાતી બહેનો ગીત ગાતી ગાતી ઉપાશ્રય વગેરે સ્થળે જઇ શકે ? ૩૧૭ પૌષધમાં સ્ત્રીનો પરંપરાએ સંઘટ્ટો એટલે શું ? ૩૧૮ ઉપધાનમાં મહાનિશીથ યોગવાળા પાસેથી આદેશ મળે પછી પૌષધ આદિ વિધિ કરી શકે એમ ચાલુ પૌષધ પણ આદેશ મળ્યા પછી આગળ વિધિ કરી શકાય એવો નિયમ ખરો ? ૩૧૯ પૌષધ વિધિમાં ‘બહુવેલ'ના આદેશ માંગ્યા હોવા છતાં વડીલને વંદન કરી ફરી બહુવેલના આદેશ કેમ માંગે છે? ❖ પ્રતિક્રમણ સંબંધી શંકા-સમાધાન ૩૨૦ પૂજા કર્યા પછી પ્રતિક્રમણ થઇ શકે ? ૩૨૧ પાંચ પ્રતિક્રમણની જેમ માંગલિક પ્રતિક્રમણનો વિધિ કોઇ પુસ્તકમાં કેમ નથી ? ૩૨૨ પ્રતિક્રમણ કેટલા સમયમાં પુરું કરવું એવો કોઇ નિયમ નથી તેથી ધીરે બોલનારાને ૪૮ મિનિટ થઇ જાય તો પાછળથી ઉમેરેલી વિધિ ન કરે તો ચાલે ? ૩૨૩ ભગવાને કહેલા પ્રતિક્રમણ આદિમાં પોતાના મત મુજબ ઉમેરો કરી શકાય ? For Personal and Private Use Only Jain Educationa International Page #46 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૨૪ પાક્ષિક અતિચાર ન આવડે તો વંદિત્તું સૂત્ર આખું બોલવાનું કે શું ? ૩૨૫ પ્રતિક્રમણમાં નાની ઉંમરના પંડિતજી આદેશ આપી શકે કે વડીલ આપી શકે ? ૩૨૬ પ્રતિક્રમણ પૂરું થયા પછી સામાયિક પૂર્ણ થવામાં વાર હોય તો ત્યારે શું કરાય અને શું ન કરાય ? ૩૨૭ સ્નાતસ્યા સંબંધી અવિરુદ્ધ વચન એટલે શું ? ૩૨૮ વ્યંતરના ઉપદ્રવથી ડરીને સ્નાતસ્યા થોય પ્રતિક્રમણમાં દાખલ કરી તો શું આપણે એટલા ડરપોક હતા ? ૩૨૯ પક્ષી આદિ પ્રતિક્રમણમાં સકલાર્હત્ સ્તોત્ર કોઇક સંપૂર્ણ બોલે છે, કોઇક શ્રી વીર પ્રધ્મિદે બોલે છે, કોઇ સંતિકરું બોલે છે, કોઇ નથી બોલતા તેનું શું કારણ ? ૩૩૦ રાઇ આદિ પ્રતિક્રમણની વિધિના રચિયતા કોણ છે ? ૩૩૧ પક્ષી પ્રતિક્રમણમાં કેટલાક સ્થળે અજિતશાંતિની છેલ્લી બે ગાથાઓ શ્રાવકો સમૂહમાં બોલે છે તો આમાં અવિધિજન્ય દોષ લાગે છે કે નહીં ? 41 ૩૩૨ ચરવળા વિના પ્રતિક્રમણ કરવું એ મોટો દોષ કે રમકડા જેવા નાના ચરવળાનો ઉપયોગ કરવો એ મોટો દોષ ? ૩૩૩ પક્ષી પ્રતિક્રમણને બદલે દેવસિય પ્રતિક્રમણ થાય ? ૩૩૪ દૈવસિક આદિ પાંચ પ્રતિક્રમણમાં કયું પ્રતિક્રમણ ક્યારે કરવાનું હોય છે ? ૩૩૫ ચાલુ પ્રતિક્રમણ કરતા માંગલિક પ્રતિક્રમણમાં શો ફેરફાર છે ? ૩૩૬ ૪૮ મિનિટ પહેલા પ્રતિક્રમણ પૂર્ણ થઇ જાય તો ૪૮ મિનિટ પહેલા સામાયિક પારી શકાય ? ૩૩૭ રાત્રે ૩.૦૦ વાગે ઊઠી ગયા હોઇએ તો તે વખતે રાઇય પ્રતિક્રમણ થઇ શકે ? ૩૩૮ પ્રતિક્રમણ સૂત્રોમાં વ્યાકરણ શુદ્ધિની આવશ્યકતા ખરી ? Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ 42 શંકા-સમાધાન ૩૩૯ પ્રતિક્રમણ ગુરુની સાથે જ કરવું જોઇએ ? ૩૪૦ સાંજે પ્રતિક્રમણમાં સામાયિક લીધા પછી મુહપત્તિ પડિલેહણનો આદેશ ખમાસમણપૂર્વક માંગવાનો હોય છે કે ખમાસમણ વિના ? ૩૪૧ સાંજના પ્રતિક્રમણમાં પચ્ચક્ખાણનો આદેશ ખમાસમણપૂર્વક કે ખમાસમણ વિના માંગવાનો હોય છે ? ૩૪૨ સાંજના પ્રતિક્રમણ પૂર્વે ચોવિહાર ઉપવાસવાળાને મુહપત્તિનું પડિલેહણ નહીં, બાકીનાને કરવાનું આવો ભેદ કેમ ? ૩૪૩ સાંજના પ્રતિક્રમણ પછી ચઉકસાયનો આદેશ ખમાસમણપૂર્વક કે ખમાસમણ વિના માંગવાનો હોય છે ? ૩૪૪ પ્રતિક્રમણમાં મુદ્ઘિ ક્યાં ક્યાં વાળવાની છે ? ૩૪૫ સાત લાખમાં નારકીના જીવોને હણ્યા હોય તો મિચ્છામિ દુક્કડમ્ માંગવાનું શું પ્રયોજન ? તેમને તો આપણે હણી શકતા નથી. ૩૪૬ દેવસિક પ્રતિક્રમણની જેમ રાઇઅ પ્રતિક્રમણમાં ‘ઇચ્છકારી સમસ્ત શ્રાવકને વંદું' એમ બોલાતું નથી તેનું શું કારણ? ૩૪૭ ‘રાઇય પિડફ્ફમણે ઠાઉ' એમાં ઠાવવું-સ્થાપવું એટલે શું ? ૩૪૮ વાંદણા બે વાર કેમ બોલાય છે ? ૩૪૯ વંદિતુ સૂત્ર ન આવડે તો ૫૦ નવકાર ગણવાનું કહેવામાં આવે છે તે નવકાર, કરેમિ ભંતે વગેરે સૂત્રો બોલીને ગણો કે ગણ્યા વિના બોલે ? ૩૫૦ દેવસિક પ્રતિક્રમણમાં અઢાઇજજેસુ બોલ્યા પછી દેવસિઅ પાયચ્છિત્ત વિસોહણથં કાઉસગ્ગનો આદેશ ખમાસમણ આપીને માંગવાનો કે ખમાસમણ આપ્યા વિના ? ૩૫૧ પ્રતિક્રમણ દરમિયાન સ્તવનની આંકણી (ધ્રુવપદ) સમૂહમાં ઝીલાવી શકાય ? ૩૫૨ ચાલુ ટ્રેને સામાયિક લીધા વિના પ્રતિક્રમણ કરી શકાય ? For Personal and Private Use Only Jain Educationa International Page #48 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન 43 ૩પ૩ શ્રી સંતિકર સ્ત્રોતના આઠ આમ્નાયમાં પાક્ષિકાદિ પ્રતિક્રમણમાં સંતિકર બોલવાનું વિધાન છે તો પ્રતિક્રમણમાં ન બોલવાથી અવિધિ ન થાય ? ૩૫૪ સ્ત્રી-પુરુષ આ બે પક્ષમાંથી કોઈ એકને પ્રતિક્રમણ ન આવડતું હોય તો તે સાથે બેસી પ્રતિક્રમણ કરી શકે ? ૩પપ પ્રતિક્રમણમાં ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! દેવસિએ આલોઉં એ આદેશ માંગતી વખતે અવગ્રહમાંથી બહાર નીકળવું કે નહીં ? ૩પ૬ આયરિય ઉવજઝાય સૂત્ર અવગ્રહની બહાર નીકળી બોલાવવામાં શું હતું છે ? ૩૫૭ આયરિય ઉવજઝાય વખતે બે હાથ જોડો' એવી સૂચના બરોબર છે ? ૩૫૮ સવારે પ્રતિક્રમણમાં સાધુઓ અભુદ્ધિઓ એક વડીલને કરે કે ત્રણને કરે ? ૩૫૯ “સામાઇઅ-વય-જુત્તો' બોલતી વખતે મુઠ્ઠી વાળવીકે ખુલ્લી રાખવી ? ૩૬૦ વંદિતુ સૂત્રમાં ક્યાંક પ્રતિક્રમણ, ક્યાંક નિંદા, ક્યાંક નિંદા ગહ કરવામાં આવી છે પણ ક્યાંય આલોચના કરવામાં આવી નથી તો શું આલોચના કરવાની નથી ? ૩૬૧ પખી આદિમાં છેલ્લું વંદિત્ત તસ્ય ધમ્મસ્સ સુધી બોલવું કે આખું ? ૩૬૨ ચાલુ અતિચારમાં છીંક આવે તો શું કરવું ? ૩૬૩ પફિખ આદિમાં છીંક આવે તો સત્તરભેદી પૂજા ભણાવવી જોઇએ ? ૩૬૪ પકૂિખ પ્રતિક્રમણમાં સકળ સંઘને “મિચ્છામિ દુક્કડમ્' ની બોલી બોલવી શાસ્ત્રાનુસાર છે ? ૩૬૫ પફિખ આદિ ખામણા કેટલા દિવસ સુધી કરી શકાય ? Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૬૬ સંસારદાવાનલ અને ઉવસગ્ગહરં સૂત્ર પફિખ પ્રતિક્રમણમાં, સજઝાયમાં કેમ બોલાય છે ? ૩૬૭ સાંવત્સરિક પ્રતિક્રમણ અંધારું થાય તે પહેલા પૂર્ણ કરવાનો રિવાજ કયા કારણથી શરૂ થયો? તે ચાલુ રાખવો યોગ્ય છે? ૩૬૮ સંવત્સરીના દિવસે અંતરાયમાં હોય એવી બહેનો પ્રતિક્રમણ ભા.સુ.૮ ના કરી શકે ? ૩૬૯ સંવત્સરી ભેદને કારણે એક જ શ્રાવક બે દિવસ પ્રતિક્રમણ કરે તે યોગ્ય છે ? ૩૭૦ સુદ-૫ ના પ્રતિક્રમણમાં પાંચમની સંસ્કૃત થાય બોલવી જ જોઇએ ? ૩૭૧ આઠમને દિવસે પ્રતિક્રમણમાં સંસારદાવાની થાય જ બોલવી પડે ? ૩૭ર પુકૂખરવરદી વહે અને સિદ્ધાણે બુદ્ધા કયા આવશ્યકમાં ગણાય ? ૩૭૩ સાંજે પ્રતિક્રમણ કર્યા પછી જિનમંદિરે દર્શન કરવા જવાય કે નહીં ? ૩૭૪ રાત્રે પ્રતિક્રમણ પછી આરતી ઉતારાય ? ચૈત્યવંદન કરી શકાય ? ૩૭૫ ટ્રેન આદિમાં કરેમિ ભંતે ઉચ્ચર્યા વિના ભાવથી પ્રતિક્રમણ થઈ શકે ? ૩૭૬ ચાલુ પ્રતિક્રમણે સૂત્રનો અર્થ, ક્રિયાનો ભાવાર્થ સમજાવી શકાય ? ૩૭૭ શ્રી જીવવિજયજીએ સકલ તીર્થની રચના શા માટે કરી ? પ્રતિક્રમણમાં શા માટે ઉમેર્યું ? ૩૭૮ રાજય પ્રતિક્રમણમાં શ્રી સીમંધર સ્વામી અને શ્રી શત્રુંજયના ચૈત્યવંદનમાં કેટલા દુહા બોલીને ખમાસમણા આપવા ? ૩૭૯ સાંજના પ્રતિક્રમણમાં પચ્ચખાણ ન કરનારાના સૂત્રો બીજાને ચાલે ? Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૮૦ બાવીસ જિનના સાધુને દોષ લાગે તો જ પ્રતિક્રમણ કરવાનું હોય છે તો શ્રાવક અંગે શું નિયમ છે ? ૩૮૧ પ્રતિક્રમણ-દેવવંદનમાં શ્રાવકોએ ખેસ નાંખવો જરૂરી ખરો ? ૩૮૨ કોઇ યતિએ લઘુ શાંતિને પ્રતિક્રમણમાં દાખલ કરી એ હકીકત સાચી છે ? ૩૮૩ સજ્ઝાય દરમિયાન બહેનો કેવી રીતે બેસે ? ૩૮૪ પ્રતિક્રમણમાં ઉપવાસી સાંજે વાંદણા આપ્યા વિના પચ્ચક્ખાણ કરે તેનું શું કારણ ? ૩૮૫ પ્રતિક્રમણમાં આવતા કયા સૂત્રો સ્ત્રીઓ ન બોલે ? ૩૮૬ પિક્ષ વગેરે મુહપત્તિ કરવી હોય તો તેની વિધિ શી છે ? ૩૮૭ વંદન કરનારને ગુરુ ‘છંદેણ' ક્યારે કહે ? ૩૮૮ વંદન કરવા આજ્ઞા માંગનારને ગુરુ છંદેણ કહે કે નાસુવું કહે ? 45 કાઉસગ્ગ સંબંધી શંકા-સમાધાન ૩૮૯ અરિહંતની આરાધનાના કાઉસગ્ગમાં લોગસ્સ સંપૂર્ણ કે ચંદેસુ નિમ્મલયા સુધીનો ચિંતવવો ? ૩૯૦ કાઉસગ્ગમાં ચાર નવકાર ગણવાના હોય તેની જગ્યાએ વધુ ગણવા યોગ્ય છે ? ૩૯૧ ચૈત્રી ઓળીમાં અચિત્તરજનો કાઉસગ્ગ કરવાનું ભૂલી ગયા હોઇએ તો શું શું ન થાય ? ૩૯૨ અચિત્તરજનો કાઉસગ્ગ ૧૨, ૧૩, ૧૪ કે ૧૩, ૧૪, ૧૫ ના કરી શકાય ? ૩૯૩ ૧૦૦ લોગસ્સના કાઉસગ્ગમાં આડ પડે તો ઇરિયાવહી ફરી ફરી કરવો પડે તેમાં જેટલા બાકી રહ્યા હોય તેટલા જ ગણવાના કે બધા ફરીથી ગણવાના ? ૩૯૪ કોઇને કાઉસગ્ગમાં વાર લાગતી હોય તો શાંતિના કાઉસગ્ગમાં અવિધિ ટાળવા શું કરવું જોઇએ ? Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ 46 શંકા-સમાધાન સચિત્ત-અચિત્ત સંબંધી શંકા-સમાધાન ૩૯૫ સફેદ સૈંધવ અને ફટકડી સચિત્ત કે અચિત્ત ? ૩૯૬ સંચળ મીઠું સચિત્ત કે અચિત્ત ? ૩૯૭ કાચા પાણીમાં લીંબુનો રસ આદિ નાખ્યા પછી કેટલા સમયે અચિત્ત થાય ? ક્યાં સુધી અચિત્ત રહે ? ૩૯૮ ધાન્યની યોનિ પાંચ વર્ષ સુધી ચિત્ત છે, પછી અચિત્ત છે. તો જ્યારે અચિત્ત છે ત્યારે તે નિર્જીવ ધાન્ય સમજવું ? ૩૯૯ તારગોળા, અનાનસ, ફણસ વગેરે કે જેમાં બીજ નથી તે અચિત્ત ગણવા કે સચિત્ત ? ૪૦૦ તા૨ગોળા અને અનાનસ અચિત્ત ગણાય તે કેવી રીતે ઘટે ? ૪૦૧ ફળ-લીલોતરી આદિને એકાદ વ્યાઘાત પહોંચે તો અચિત્ત થાય ? ૪૦૨ લીલા નાળિયેર (તરાપા)ને ઉપરથી કાપ્યા પછી અંદર રહેલું પાણી ચિત્ત કે અચિત્ત ? ૪૦૩ મીઠું અચિત્ત કેવી રીતે બને ? ૪૦૪ કાચા પાણીમાં ચૂના નાખવાથી અચિત્ત બનેલ પાણીનો કાળ કેટલો ? ૪૦૫ ગાયનું મૂત્ર ક્યાં સુધી અચિત્ત રહે ? ૪૦૬ કાચું ચીભડું વગેરે બીજવાળા ફળો કેવળ રાઇના સંસ્કારથી અચિત્ત થાય કે નહિ ? ૪૦૭ કાકડી, કેરી વગેરે કાચા ફળો બીજ કાઢ્યા પછી બે ઘડી પછી અચિત્ત થાય ? ૪૦૮ કોરડું મગ સચિત્ત કે અચિત્ત ? ૪૦૯ કાચા પાણીથી બનાવેલ લીંબુ આદિનું શરબત બે ઘડી બાદ અચિત્ત બન્યા બાદ કેટલો કાળ અચિત્ત રહે ? ૪૧૦ કાચા પાણીમાં ખાંડ નાખેલ હોય ક્યારે અચિત્ત થાય અને ક્યાં સુધી અચિત્ત રહે ? ૪૧૧ નાસપતિ (ફળ વિશેષ) સુધારેલી બે ઘડી પછી અચિત્ત થાય ? Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન 47 ૪૧૨ શિંગોડા કાચા (લીલા) છાલ કાઢયા પછી બે ઘડી પછી અચિત્ત થાય ? ૪૧૩ પાકેલા ટામેટા બી કાઢડ્યા પછી બે ઘડી પછી અચિત્ત થાય? ૪૧૪ દ્રાક્ષ લીલી કે કાળી અચિત્ત કેવી રીતે ગણાય ? ૪૧૫ કોથમીરની ચટણીમાં કાચું મીઠું નાખ્યું હોય તો તે ચટણી સચિત્ત કે અચિત્ત ? ૪૧૬ સૂકાયેલું લસણ સચિત્ત કે અચિત્ત ? ૪૧૭ સચિત્તનો ત્યાગી કારણે રાત્રે પાણી વાપરવું પડે તો કયું પાણી વાપરે ? સચિત્ત કે અચિત્ત ? ૪૧૮ ચોમાસામાં થયેલ લીલ-ફુગ કેટલા દિવસે અચિત્ત થાય ? ૪૧૯ ઉજેણીમાં કે કામળીકાળમાં ખુલ્લામાં ઉકાળેલું પાણી સચિત્ત થાય ? ૪૨૦ ઉકાળેલું પાણી તેનો કાળ પૂર્ણ થઈ જવાના કારણે સચિત્ત થઈ જાય તો દોષ લાગે ? ભક્ષ્યાભઢ્ય સંબંધી શંકા-સમાધાન ૪૨૧ કાચું મીઠું વાપરવામાં કયો દોષ લાગે ? ૪૨૨ ટાટા કંપનીનું (ટેબલ સોલ્ટ) મીઠું પાકું કહેવાય ? ૪૨૩ ટાટા કંપનીનું મીઠું અચિત્ત થયા પછી તેનો કાળ કેટલો? ૪૨૪ ટાટા કંપની સિવાયની કંપનીઓનું મીઠું પણ આ રીતે જ બનાવતા હશે ને ? ૪૨૫ સૂકી સીંગદાણાની ચટણીમાં અને ચેવડામાં કાચુ મીઠું નાખ્યું હોય તો સચિત્ત ત્યાગીને ખપે ? ૪૨૬ સાકરના પાણીનો કાળ કેટલો ? ૪૨૭ સાકરવાળું પાણી પીધા પછી મોટું એઠું ક્યાં સુધી ગણાય? ૪૨૮ લીંબુનું શરબત આજે બનાવેલું બીજા દિવસે ચાલે ? ૪૨૯ લીંબુનો રસ કાઢ્યા પછી કેટલા દિવસ સુધી રાખી શકાય? Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ 48 શંકા-સમાધાન ૪૩૦ લીંબુના રસમાં પાણી નાખી ચાસણી બનાવે તો કેટલા દિવસ કહ્યું? લીલોતરી ત્યાગવાળાને કહ્યું? સાધુને જોગમાં કહ્યું? ૪૩૧ લીંબુના ફુલ અને સાબુદાણા ભક્ષ્ય કે અભક્ષ્ય ? ૪૩૨ ટામેટાનો સોસ કેટલા દિવસ સુધી ચાલે ? ૪૩૩ લઘુપ્રવચન સારોદ્ધારમાં નાળિયેરને અનાચીર્ણ જણાવેલ છે વર્તમાનમાં લેવાય છે તો લેવાય કે નહીં ? ૪૩૪ લીલા નાળિયેરનું ટોપરું ફળમાં ગણાય કે મેવામાં ? ૪૩૫ શ્રીફળ ફોડ્યા પછી ૪૮ મિનિટ કયા કારણથી ગણવામાં આવે છે ? ૪૩૬ કેવી રીતે બનાવેલું લીંબુનું અથાણું શ્રાવકોને ખપી શકે? ૪૩૭ લીલા મરચાં આદિને તેલમાં સીજવે, પાણીનો છાંટો ન નાંખે ખટાશ માટે લીંબુનો રસ નાંખે તો તે કેટલા દિવસ સુધી ખપે ? ૪૩૮ મીઠામાં નાખેલા કેર વગેરે તડકે મૂક્યા પછી તેલ વગેરેમાં નાંખ્યા હોય તો સંધાન (બોળ) થાય કે નહીં ? ૪૩૯ કાળી સૂકી દ્રાક્ષ બારે માસ વપરાય ? ૪૪૦ કાજુકતરીનો કાળ ગણવો જરૂરી છે ? ૪૪૧ ફા.સુ.૧૪ ના દિવસે કાજુ ઘીમાં બરાબર સાંતળી નાંખ્યા હોય તો કેટલા દિવસ ખપે ? ૪૪ર ચોમાસામાં ઇલાયચી ફોડ્યા પછી કેટલા દિવસ ચાલે ? ૪૪૩ ઓસાવેલા ટોપરાના ગોળા ચાતુર્માસમાં ખપી શકે ? ૪૪૪ ખજુરમાં ઠળિયા સાધુની સામે જ કાઢ્યા હોય તો ખજુર લેવાય ? ૪૪૫ ચોમાસામાં પૂજનમાં મેવા વગેરે અભક્ષ્ય વસ્તુ મૂકી શકાય? ૪૪૬ કાર્તિક પૂનમ પહેલા ઘરમાં પડેલો સૂકો મેવો કાર્તિક પૂનમથી વપરાય ? ૪૪૭ મેવાની ભસ્યભક્ષતા સંબંધી કાળ મર્યાદા અંગે ચોક્કસ શાસ્ત્ર વિધાન શું છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન 49. ૪૪૮ સવારે મેળવણ નાંખે તો સાંજે તે દહીં ચાલે કે રાત પસાર થવી જરૂરી છે ? ૪૪૯ રવિવારે રાતના દૂધ મેળવ્યું હોય તો સોમવારે સવારે તૈયાર થયેલું એ દહીં કયા વાર સુધી ખપે ? ૪૫૦ દૂધ મેળવ્યા પછી કેટલા સમયે તે દહીં વાપરી શકાય ? ૪૫૧ ચાર-પાંચ દિવસની ભેગી થયેલી મલાઈમાંથી બનાવેલા દહીંને ચાર પ્રહર વીતી ગયા હોય તો કહ્યું કે નહીં ? ૪૫ર દહીંમાં ખાંડ નાંખી હોય તો તે દહીં બીજા દિવસે ખપી શકે? ૪૫૩ સાકરવાળુ દૂધ મેળવીને મીઠું કરેલું દહીં બીજા દિવસે ખપી શકે? ૪૫૪ દહીંમાં ઉત્પન્ન થતા જીવોનો પ૬૩ ભેદમાંથી કયા ભેદમાં સમાવેશ થાય ? ૪૫૫ દહીંને કૂકરમાં રાખી ત્રણ સીટી વાગે ત્યાં સુધી ગરમ કર્યું હોય તો કઠોળ સાથે ચાલે ? આજે ગરમ કરેલું દહીં બીજા દિવસે ચાલે ? ૪૫૬ શીખંડ કરવા માટે દહીં આગલા દિવસે કપડામાં બાંધે તો એ બીજે દિવસે ખપે ? ૪પ૭ દહીંને ધોળા વસ્ત્રથી ગાળ્યા પછી વિગઈ કે નિવીયાતુ ગણાય? ૪૫૮ આજનું મેળવેલું દહીં આજે વાપરવાથી કાચા ગર્ભને ખાવા જેટલું પાપ લાગે આમાં સાચું શું ? ૪૫૯ ગરમ કરેલી છાશ કેટલા દિવસ કહ્યું ? ૪૬૦ મીઠું નાખેલી છાશ કેટલા દિવસ કહ્યું ? ૪૬૧ બે દિવસના દહીંની છાશ કેટલા દિવસ કહ્યું ? ૪૬૨ જેમ દહીં બે રાત વિત્યા પછી અભક્ષ્ય થઈ જાય છે તેમ છાશ માટે શો નિયમ છે ? ૪૬૩ કાચી છાશ સાથે દ્વિદળનો સંજોગ થતો હોય તો કયા જીવો ઉત્પન્ન થાય ? ૯૪ નવપ્રસૂતા ગાય સંબંધિત દૂધ અને બળી ક્યારે ભક્ષ્ય બને ? ૪૬૫ વાસી દૂધની ચા ખપે કે નહીં ? Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૬૬ છાશમાં બનાવેલા થેપલા બીજે દિવસે ચાલે કે નહીં ? ૪૬૭ ગરમ દહીંમાં સૂકી કે લીલી મેથી નાંખી બનાવેલા થેપલા બીજે દિવસે વપરાય ? ૪૬૮ થેપલા બીજે દિવસે ખપે કે ન ખપે એમાં મુખ્ય કારણ શું ? ૪૬૯ કમરખ ફળ વપરાય ? ૪૭૦ શિંગોડા ભક્ષ્ય કે અભક્ષ્ય ? ૪૭૧ શિંગોડા બારે માસ ખપે ? ૪૭૨ શિંગોડામાં કેટલા જીવો હોય ? ૪૭૩ આર્દ્રા નક્ષત્રથી શું અભક્ષ્ય બને છે ? ૪૭૪ આર્દ્રા નક્ષત્રથી બંધ થયેલી કેરી ક્યાં સુધી બંધ રહે ? ૪૭૫ જે દેશમાં આર્દ્રા નક્ષત્ર પછી કેરી પાકતી હોય એ દેશમાં આર્દ્રા નક્ષત્ર પછી કેરી ખવાય ? ૪૭૬ આર્દ્રા નક્ષત્ર પછી કેરીના પાપડ વાપરી શકાય ? ૪૭૭ લીલોતરીના ત્યાગવાળાને તે દિવસે બનેલી કેરીનો પાક વગેરે કલ્પે ? ૪૭૮ આંબાના રસથી બનેલ પાપડનો કાળ છે ? કેટલો ? મિષ્ટાન્ન ગણાય ? ૪૭૯ કેળાની છાલ સાધુની સામે કાઢે તો સાધુને કલ્પે ? ૪૮૦ સફરજન, ચીકુ વગેરે ફળો છાલ સહિત હોય તો સાધુથી વહોરાય ? 50 ૪૮૧ પાકા ફળો છાલ સહિત સુધાર્યા હોય તો બે ઘડી પછી સાધુથી વહોરી શકાય ? ૪૮૨ કાપેલું ફણસ અને કાઢેલા તારગોળા બીજે દિવસે ખપે ? ૪૮૩ ફુદીનો ક્યારે અભક્ષ્ય ગણાય ? ૪૮૪ ફુદીનો ફાગણ ચોમાસી પછી વાપરી શકાય ? ૪૮૫ લીમડો ફાગણ ચોમાસી પછી વપરાય ? ૪૮૬ કોબી બારેમાસ ખવાય ? ૪૮૭ કોળુ અનંતકાય ગણાય ? Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન 51 ૪૮૮ લીલોતરીનો ત્યાગ ક્યારે કરવો જોઇએ ? ૪૮૯ લીલી ભાજી વગેરે તડકે મૂક્યા સિવાય કેટલા દિવસે સૂકવણી થાય ? ૪૯૦ લીલી કે સૂકી ગુવારફળી કાચા ગોરસ સાથે લેવાથી દ્વિદળ થાય કે નહીં ? ૪૯૧ કાળી કે લીલી મોગરી અને દહીં દ્વિદળ ગણાય ? ૪૯૨ પાઈનેપલના પાપડ વાપરી શકાય ? ૪૯૩ દૂધીનો હલવો વનસ્પતિના ત્યાગવાળાને ચાલે ? ૪૯૪ પાકી આમલી સૂકવણીમાં ગણાય કે લીલોતરીમાં ગણાય? ૪૯૫ પ્રવચન સારોદ્ધાર ગ્રંથના અર્થાનુસાર પૂર્વ શ્રાવકોના ઘરમાં રીંગણાનું શાક થતું હશે એને સાધુઓ વહોરતા હશે એવું કલ્પી શકાય ? ૪૯૬ ઘી અને તેલ નિવિયાતુ ક્યારે બને ? ૪૯૭ તેલ કે ઘીથી તળેલી વસ્તુમાં એક જ વિગઈ ગણાય કે બે? ૪૯૮ શીખંડ ક્યારે અભક્ષ્ય બને ? ૪૯૯ ફાગણ ચોમાસી પછી નવા તલ પાક્યા હોય તો તે તલ ખપે કે નહીં ? ૫૦૦ મૂળાનો કંદ જમીનમાં થાય છે જ્યારે પાંદડા તો ઉપર થાય છે તો અભક્ષ્ય કેમ ? ૫૦૧ પતરવેલિયાના પાંદડાં અભક્ષ્ય કેમ ગણાતા નથી ? ૫૦૨ જેમ આદુને સૂકવી સૂંઠ ખવાય છે તેની જેમ બટાકાને સૂકવીને કેમ ન ખવાય ? ૫૦૩ સાબુદાણા વનસ્પતિકાયમાંથી થતા હોવાથી પર્વતિથિમાં વાપરી શકાય ? ૫૦૪ મેંદો રવો તાજો હોય તો ચોમાસામાં વપરાય ? ૫૦૫ સુખડીની જેમ લોટનો કાળ ગણાય ? ૫૦૬ ઘઉં ચણાદિનો લોટ પ્રથમ કરકરો દળ્યો હોય ૧૪ દિવસ પછી બારીક દળવામાં આવે તો વધુ ૧૫ દિવસ ચાલે ? Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ 52 શંકા-સમાધાન ૫૦૭ લુખ્ખી નિધિમાં સાધુઓને અને શ્રાવકોને કઈ કઈ વસ્તુ ખપી શકે ? ૫૦૮ કોઇપણ પ્રકારની ટુથપેસ્ટ ઉકાળેલું પાણી વાપરનારાઓથી વાપરી શકાય ? ૫૦૯ મમરા પૌવા કાજુ વગેરે એક રાતથી અધિક પાણીમાં પલાળેલા વાપરવામાં દોષ લાગે ? ૫૧૦ બુંદીના લાડવા વાળવા હાથ પાણીવાળો કરીને વાળે તો તે લાડવા બીજા દિવસે ખપે ? ૫૧૧ બુંદી બીજા દિવસે ખપે અને જલેબી બીજા દિવસે ન ખપે તેનું શું કારણ ? ૫૧૨ ઘારી (મીઠાઈ) બીજા દિવસે કહ્યું કે નહીં ? ૫૧૩ પર્વતિથિએ સંઘના સાધર્મિક વાત્સલ્યમાં લીલોતરી શાક બનાવી શકાય ? ૫૧૪ સીંગતેલનો વિગઈમાં સમાવેશ થતો નથી તો નીલિમાં વાપરી શકાય ? તપ સંબંધી શંકા-સમાધાન પ૧પ તપ ઉચ્ચરવાની વિધિ શી છે ? ૫૧૬ પાંચ તિથિએ ક્યો તપ કરવો જોઇએ ? ૫૧૭ ગૃહસ્થથી તપ ન થઈ શકતો હોય તો શું કરવું જોઈએ? ૫૧૮ લૂકોઝના બાટલા ચડાવી ચડાવીને મોટી તપસ્યા ચાલુ રખાવી શકાય કે પારણું કરવું ઉચિત છે ? ૫૧૯ તપમાં કેવળ બાહ્ય અનશન તપ ઉપર જ કેમ વધુ ભાર મૂકાય છે ? ૫૨૦ કોઇપણ તપ નિકાચિત કર્મનો ક્ષય કરે કે વિશિષ્ટ તપ? ૫૨૧ હે જીવ ! તું છમાસી તપ કરીશ ઇત્યાદિ વિચારે કે શ્રી મહાવીર ભગવાને છમાસી તપ કર્યો હતો તેથી હે જીવ તું છમાસી તપ કરીશ ઇત્યાદિ વિચારે ? Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન 53 ૫૨૨ એકી સાથે છ મહિનાથી અધિક ઉપવાસ થાય કે નહિ ? ૫૨૩ છેદગ્રંથમાં તો છ મહિનાથી અધિક ઉપવાસની વાત આવે છે તેનું શું ? ૫૨૪ છ મહિનાથી અધિક તપ કરનારના પારણામાં જવાય ? ૫૨૫ અપવાદથી પણ ન જવાય ? ૫૨૬ કોઇ સાધુ તેવા પ્રસંગે ગયા હોય તો શું કરવું ? ૫૨૭ છમાસથી અધિક તપ કરનારાના એ તપની અનુમોદના કરી શકાય ? ૫૨૮ પંચમી આદિ તપ કરતા હોય અને કોઇ કારણથી તે દિવસે તપ ન થયો હોય તો શું કરવું ? ૫૨૯ પંચમી ત૫ ઉચ્ચર્યો હોય ભાદરવા સુદ-૪ ના ઉપવાસ કર્યો હોય પાંચમના ઉપવાસ થઇ શકે એમ ન હોય તો શું કરવું ? ૫૩૦ વર્ષીતપના પ્રારંભમાં છઠ્ઠ કરવો કે ઉપવાસ ? ૫૩૧ વર્ષીતપ જો કર્મ નિર્જરા માટે કરતા હોઇએ તો કર્મ નિર્જરા તો બીજી આરાધનાથી પણ થઇ શકે છે તો વર્ષીતપ જ શા માટે કરવો ? ૫૩૨ વર્ષીતપમાં બંને વખત (સવા૨-સાંજ) પ્રતિક્રમણકરવું જ જોઇએ ? ૫૩૩જો ભાવ વિના કરેલ તપને સંસારનું કારણ જણાવેલ છે તો રોહિણી આદિ તપો શા માટે બતાવ્યા ? ૫૩૪ રોહિણી, પંચમી વગેરે તપો જિંદગી સુધી ઉચ્ચર્યા હોય અને રોહિણી આગળ પાછળ આવે, છઠ્ઠું કરવાની શક્તિ ન હોય તો શું કરવું ? ૫૩૫ વીસ સ્થાનક તપમાં ૧૦ વર્ષથી વધારે વર્ષ થાય તો ચાલે ? ૫૩૬ શ્રેણિક મહારાજાએ વીસ સ્થાનક તપ કર્યાનું જાણવા મળતું નથી, આમ કેમ ? ૫૩૭ એકાસણા આદિનું પચ્ચક્ખાણ પાર્યા પછી ઉપવાસ કરવાની ભાવના થાય તો ઉપવાસ કરી શકાય ? For Personal and Private Use Only Jain Educationa International Page #59 -------------------------------------------------------------------------- ________________ 54 શંકા-સમાધાન પ૩૮ રાત્રે દસ વાગ્યા સુધી ખાધુ હોય તો બીજે દિવસે એકાસણું વગેરે કરી શકાય ? પ૩૯ ચાલતી ગાડીએ એકાસણું-બિયાસણું થઈ શકે ? ૫૪૦ પાર્શ્વનાથ ભગવાનના ૧૦૮ એકાસણા આદિ તપ એમ.સી.માં ગણાય ? ૫૪૧ શુદ્ધ આયંબિલ કોને કહેવાય ? ૫૪૨ ઓળીના પહેલા ત્રણ દિવસમાં કરેલા તપ આલોચના આદિમાં ગણાય ? ૫૪૩ ઉપવાસ આદિ પચ્ચકખાણમાં શ્વાસ માટેની શીશી સ્વાય? ક્યારેક તો તે પાવડર મુખમાં પણ આવી જતો હોય છે. પ૪૪ અધિક માસમાં બે માસી તપ ક્યારથી શરૂ કરવો ? ૫૪૫ વીરાસન તપને કાયક્લેશ તપ કેવી રીતે ગણાય ? ૫૪૬ તીર્થકર બનવા માટે કયો તપ કરવો જોઇએ ? ૫૪૭ સ્વર્ગમાં જઈ પૃથ્વી ઉપર ઉપકાર કરવા આવી શકાય તેવો કોઈ તપ હોય તો વિધિ જણાવવા કૃપા કરશો ? ૫૪૮ અતિથિસંવિભાગ વ્રતનાં પૌષધમાં ઉપવાસ તિવિહાર કે ચઉવિહાર કરવો ? ૫૪૯ શનિ વગેરે ગ્રહોની રાશિ પરિવર્તનના દિવસોએ પૂજા આયંબિલ કરનારનું સમકિત મલિન બને ? ૫૫0 પકુખી ચોમાસી વગેરેના તપો કેટલા કાળ સુધીમાં કરી શકાય ? ૫૫૧ એ.સી.માં મૂકેલું પાણી એકાસણાદિમાં ચાલે ? પચ્ચખાણ સંબંધી શંકા-સમાધાન પપર પચ્ચખાણમાં ૩ સૂરે અને સૂરે એમાં ભેદ છે? ५५3 उग्गए सूरे पोरिसिं मुट्ठिसहिअं पच्चक्खाइ उग्गएसूरे चउव्विहंपि આહીર એમ ફરી ૩૫ જૂને બોલવાની શી જરૂર છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન 55 ૫૫૪ નવકારશીનું પચ્ચક્ખાણ ક૨વું હોય તો રાત્રિભોજન અંગે કઇ મર્યાદા છે ? ૫૫૫ શ્રાવકો નવકારશી વગેરે પચ્ચક્ખાણો કેટલા નવકાર ગણીને પા૨ે ? ૫૫૬ છૂટા શ્રાવકો નવકારશી વગેરે પચ્ચક્ખાણો નવકા૨ ગણીને પારે તેનો શાસ્ત્રમાં પાઠ છે ? ૫૫૭ રાત્રે ખાનાર નવકારશી કરી શકે ? ૫૫૮ ૧૦ વાગે માંગેલા એકાસણાના પચ્ચક્ખાણમાં નમુક્કારસહિય્ બોલવું જરૂરી છે ? ૫૫૯ નવકારશી આદિનો સમય થઇ ગયા પછી પચ્ચક્ખાણ પાર્યા પહેલા આગળ વધવું હોય તો વધી શકાય ? ૫૬૦ દુવિહારના પચ્ચક્ખાણવાળો કાથા-ચુનાનું પાન અને ઉપર પાણી વાપરે તો પચ્ચક્ખાણ ભંગ થાય ? ૫૬૧ દુવિહારના પચ્ચક્ખાણમાં લીંબુના રસવાળી સૂંઠ કલ્પે ? ૫૬૨ ઉપવાસના પચ્ચક્ખાણમાં નવકારશીમાં પાણી વાપરી શકાય ? ૫૬૩ સાંજે સૂર્યાસ્ત વખતે તિવિહાર લેનાર રાત્રે ક્યાં સુધી અને કેટલી વખત પાણી વાપરી શકે ? ૫૬૪ છૂટા સાધુ કે શ્રાવક તિવિહારનું પચ્ચક્ખાણ કરે તો સાંજે કયું પચ્ચક્ખાણ લે ? ૫૬૫ પાણસના આગારવાળાએ રાત્રે ચોવિહાર કરવો જોઇએ કે તિવિહાર પણ કરી શકે ? ૫૬૬ ઉકાળેલું પાણી પીવાના નિયમવાળો છૂટો શ્રાવક રાત્રે ચોવિહાર જ કરી શકે કે તિવિહાર આદિ કરી શકે ? ૫૬૭ ચોવિહા૨ ક૨વા માટે સૂર્યાસ્તથી ૪૮ મિનિટ પહેલા આહાર-પાણીનો ત્યાગ કરવો જ પડે ? ૫૬૮ છૂટા પચ્ચક્ખાણવાળા સાધુભગવંત પડિલેહણમાં તિવિહાર કરે તો સાંજે કયુ પચ્ચક્ખાણ કરે ? Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૫૬૯ સવારે નવકારસી આદિ ચોવિહાર અને પોરિસી આદિ તિવિહાર એકાસણું વગેરે કર્યું હોય તો પચ્ચક્ખાણ પારવામાં કેવી રીતે બોલવું ? ૫૭૦ શ્રાવકોને એકાસણા વગેરેમાં સચિત્ત ફળો અને ઉકાળ્યા વિનાનું પાણી કેમ ન ખપે ? 56 ૫૭૧ આયંબિલના પચ્ચક્ખાણમાં આયંબિલ ભેગું એકાસણું આવી જતું હોવાથી ાસાં પધ્વજ્વામિ બોલવાની શી જરૂર છે ? ૫૭૨ લુખ્ખી નીવિમાં લીલોતરી કલ્પે ? ૫૭૩ તે દિવસનું તળેલું પકવાન કડા વિગઇના ત્યાગીને કલ્પે ? ૫૭૪ તેલ વિગઇના ત્યાગમાં વિગઇમાં ગણાતા તેલ સિવાયના તેલ વાપરી શકાય ? ૫૭૫ બજારમાં રસ્તા વચ્ચે પચ્ચક્ખાણ આપનાર-લેનાર બંને શું દોષના ભાગી બને ? ૫૭૬ જિનમંદિરમાં પચ્ચક્ખાણ પારી શકાય ? ૫૭૭ શ્રાવકને પારિાવણિયાગારેણું કેમ ઉચ્ચારવામાં આવે છે ? ૫૭૮ ‘શ્રાવક તિવિહં તિવિષેણં' ભાંગાથી પાપનું પચ્ચક્ખાણ સર્વથા ન જ લઇ શકે ? ૫૭૯ ચૌદ નિયમમાં ઘરેણા, કાંસકો, વાસણ વગેરે વસ્તુ શેમાં ધારવી ? ૫૮૦ દેશાવગાસિક વ્રત કરવાનો શો વિધિ છે ? ૫૮૧ નિયમ ધારવામાં અજ્ઞાની જીવોને જેને જે નિયમ ધારવો હોય તે મનમાં ધારી લે’ ધારણા અભિગ્રહનું પચ્ચક્ખાણ અપાય છે એવું બોલી પચ્ચક્ખાણ આપી શકાય ? ૫૮૨ અભિગ્રહ અને ધારણા અભિગ્રહ એ બેમાં શું તફાવત ? આયંબિલ સંબંધી શંકા-સમાધાન ૫૮૩ આયંબિલની બે ઓળીઓ શાશ્વતી છે તો એ છઠ્ઠા આરામાં રહેશે ? Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ST ૫૮૪ આયંબિલમાં ઉઠતા-બેસતા કેટલા નવકાર ગણવા ? ૫૮૫ આયંબિલ શાળામાં ઉકાળેલું કરિયાતું કેટલાક ૭૨ કલાક સુધી વાપરે છે તે બરોબર છે ? ૫૮૬ વર્તમાનમાં બનાવાતી ભાખરી સાધુ-સાધ્વીજીને આયંબિલમાં ખપે ? ૫૮૭ તેલ વગેરેનો હાથ દઇ બનાવેલી રોટલી સાધુને આયંબિલમાં ચાલે ? ૫૮૮ આંબળાનો પાડવર આયંબિલમાં ચાલે ? પ૮૯ આયંબિલમાં ખીચીયા પાપડ વપરાય ? પ૯૦ દમની તકલીફવાળા દર્દીઓ શ્વાસ લેવાના પંપનો ઉપયોગ આયંબિલ આદિ તપમાં કરી શકે ? ઉપધાન સંબંધી શંકા-સમાધાન ૫૯૧ પહેલા દશેરા પહેલા ઉપધાન તપ થતા હતા, હમણાં દશેરા પહેલા ઉપધાનતપ શરૂનથઇ શકે એવી પ્રથા ક્યારથી શરૂ થઈ? પ૯૨ ઉપધાનની વિધિની સમજ ન હોય તેવાઓનાં ઉપધાન સાર્થક થાય ? પ૯૩ ઉપધાન કે પૌષધમાં નવકાર પચિદિયથી સ્થાપેલા સ્થાપનાચાર્યજી સમક્ષ બધી ક્રિયા કરી શકાય ? પ૯૪ ઉપધાનનો નકરો કયા હેતુથી લેવાય છે ? પ૯૫ ઉપધાનમાં પ્રવેશ કર્યા પછી ૪૩મા દિવસે માળ થઈ શકે? પ૯૬ પૌષધમાં રહેલી શ્રાવિકા અલંકાર આદિ ધારણ કરી ઉપધાનમાળ પહેરી શકે ? પ૯૭ ઉપધાનમાળા આદિ પ્રસંગે પુરુષો બહેનોને ઉંચકે તે યોગ્ય છે ? ૫૯૮ ઉપધાન કરનાર સ્ત્રી-પુરુષને મોક્ષમાળા કોણ પહેરાવી શકે? ૫૯૯ નવકારસૂત્રની ૮ સંપદા ભણવા માટે એક એક આયંબિલ કરી ભણી શકાય એ બરોબર છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૬૦૦ ઉપધાન આદિમાં આગલા દિવસનું દૂધ બીજા દિવસે નિવિમાં આપી શકાય ? ૬૦૧ ઉપધાનમાં સ્થંડિલની શંકાના કારણે ક્રિયા સવારે વહેલી કરાવી શકાય ? 58 રાત્રિભોજન સંબંધી શંકા-સમાધાન ૬૦૨ રાત્રિ ભોજનનો ત્યાગ ન થઇ શકે તો તેના પ્રાયશ્ચિત્ત રૂપે શું કરવું ? ૬૦૩ ભગવાનના માતા-પિતા બનનારા બીજે દિવસે રાત્રિ ભોજન કરે એ યોગ્ય ગણાય ? ૬૦૪ રાત્રિ ભોજન ત્યાગી શ્રાવક રાત્રે બનાવેલ આહાર વાપરે તો રાત્રિ ભોજનના નિયમનો ભંગ થાય ? અણાહારી સંબંધી શંકા-સમાધાન ૬૦૫ અણાહારી દવા વાપરવાનો શો વિધિ છે ? ૬૦૬ અણાહારી દવા ‘મુઠ્ઠીસહિઅં’ પચ્ચક્ખાણ લઇને જ લેવાય ? ૬૦૭ આમળા આહારી કે અણાહારી ? ૬૦૮ એલોપથી દવાઓ સ્વાદ વિનાની હોય તો અણાહારી તરીકે ખપી શકે ? ૬૦૯ અણાહારી વસ્તુમાં લીમડો ગણ્યો છે તો લીમડાના પાન સૂકા કે લીલા લેવા ? Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન શંકા-સમાધાનની પૂર્વભૂમિકા ‘કલ્યાણ' માસિકમાં અટકી પડેલા શંકા અને સમાધાન વિભાગને પુનઃ આરંભ કરતાં કલ્યાણ માસિકના સંપાદકશ્રીના હૃદયોદ્ગાર... તેમના જ શબ્દોમાં... ‘કલ્યાણ'ના હજારો વાંચકોની જિજ્ઞાસાને સંતોષવા આ જાન્યુઆરી-૨૦૦૧ અંકથી વાચકો-ચાહકોનો અતિપ્રિય ‘શંકા અને સમાધાન' વિભાગ પુનઃ આરંભાય છે. ‘કલ્યાણ’ પર જેઓશ્રીની સતત કૃપાદિષ્ટ રહી છે, અનેક લેખમાળાઓ પીરસવા દ્વારા જેઓશ્રી ‘કલ્યાણ’ માટે જરાય અપરિચિત નથી, એવા પૂ.આ.શ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજે પ્રસ્તુત વિભાગ સંભાળવાની અમારી વિનંતીનો સ્વીકાર કરીને જે કૃપાદૃષ્ટિ કરી છે, એ બદલ કયા શબ્દોમાં ઉપકાર માનવો, એ સમજી શકાતું નથી. જેઓશ્રીની વિદ્વત્તા, સંયમપ્રિયતા અને પ્રવચનશૈલી સકળ સંઘમાં સુપ્રસિદ્ધ છે અને નાના-મોટા અનેક પ્રાકૃત-સંસ્કૃત ગ્રંથોનાં ‘ભાવાનુવાદક’ તરીકે જેઓશ્રીની નામનાકામના તો બિનહરીફનું બિરૂદ પામે એવી છે. આવા પૂજ્યશ્રીના પ્રભાવે આ વિભાગ દ૨ અંકે પ્રસિદ્ધ કરવા ‘કલ્યાણ’ પુરુષાર્થશીલ રહેશે. વાંચકોને ‘કલ્યાણ'ના માધ્યમે પ્રશ્નો પાઠવવાનું આમંત્રણ છે. ‘કલ્યાણ’માં પૂજ્યશ્રી દ્વારા શંકા-સમાધાન વિભાગ શરૂ થયા પછી ૨૧ મહિના પસાર થયા પછી કલ્યાણના સંપાદકશ્રી જણાવે છે કે– ‘કલ્યાણ'ના વાંચકો માટે અત્યંત પ્રિય બનેલો આ વિભાગ પ્રારંભાયો, ત્યારથી નિયમિત પ્રકાશિત કરવાની ભાવનાને સફળ બનાવી શક્યા છીએ, એ બદલ સમાધાનદાતા વિદ્વર્ય પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજાના ખૂબ ખૂબ ઋણી છીએ. અસ્વસ્થ તબિયતમાં પણ અનેક ગ્રંથોના ભાવાનુવાદની પ્રવૃત્તિ રૂપ શ્રુત-સ્વાધ્યાયમાં સતત નિમગ્ન હોવા છતાં ‘કલ્યાણ' માટે ખાસ સમય ફાળવીને ‘કલ્યાણ'ના માધ્યમે હજારો વાંચકોના For Personal and Private Use Only Jain Educationa International Page #65 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ઉપકારાર્થે પૂજ્યશ્રી જે રીતે નિયમિત કૃપા વરસાવી રહ્યાં છે, તેનો ઉપકાર શબ્દોથી વ્યક્ત કરવા અમે અસમર્થ છીએ. છતાં વાંચકો વતી પણ પૂજ્યશ્રી પ્રતિ વંદના અને કૃતજ્ઞતા દાખવીને અમારે સંતોષ માનવો પડે છે. આ વિભાગને બિરદાવતાં અને જિજ્ઞાસા દર્શાવતાં પત્રો કાર્યાલય પર આવતા જ રહે છે. ક્રમસર સૌની જિજ્ઞાસા સંતોષવાનું ધારાધોરણ હોવાથી વાચકો પોતાની શંકાનું સમાધાન પામવા ધીરજ રાખે, એવી વિનમ્ર-વિનંતી પૂર્વક આ વિભાગને શાંતસ્વસ્થ ચિત્તે અવગાહવાનો સહુ કોઈને અનુરોધ કરીએ છીએ. Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન | શ્રી ધરણેન્દ્ર પવાવતી સંપૂજિતાય ૐ હ્રીં શ્રીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | | શ્રી દાન-પ્રેમ-રામચન્દ્ર-હીરસૂરિ ગુરુભ્યો નમઃ || ઐ નમ: | શંકા-સમાધાન (ભાગ-૧) લેખક- પૂ. આચાર્યદેવ શ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજ સ્નાત્રપૂજા સંબંધી શંકા-સમાધાન શંકા– ૧. માસિક સ્નાત્ર પૂજા ભણાવવાનો સામૂહિક નકરો રાખ્યો હોય, તે પૈસાનો વધારો કયા ખાતામાં લઈ જવાય ? સમાધાન– આ પૈસા પ્રભુભક્તિના ખાતામાં લઈ જવાય. કારણ કે સ્નાત્રપૂજા પ્રભુભક્તિરૂપ છે. શંકા- ૨. શ્રીસંઘ તરફથી કોઈ સ્નાત્ર રોજ ભણાવતું ન હોય, પરંતુ કોઇ મંડળ રોજ સ્નાત્ર ભણાવતું હોય અને તે અંગેની દૂધ વગેરે વ્યવસ્થા સંઘ કરતો હોય, તો (જિનભક્તિરૂ૫) સ્નાત્ર અંગે જમા થતી નકરાની રકમ જિનભક્તિ સ્વરૂપ કેસર, સુખડ, દૂધ, ઘી ઇત્યાદિના દેરાસર સાધારણમાં જમા થઈ શકે કે નહિ ? સમાધાન- દૂધ વગેરે સામગ્રી દેવદ્રવ્યમાંથી ન આવતી હોય અને સિંહાસન વગેરે સામગ્રી દેવદ્રવ્યની ન હોય તો સ્નાત્ર અંગે જમા થતી નકરાની રકમ જિનભક્તિ સ્વરૂપ કેસર વગેરેના દેરાસર સાધારણમાં જમા થઈ શકે. શંકા- ૩. સ્નાત્રપૂજાનો સમય કયો છે ? દિવસમાં ગમે ત્યારે સ્નાત્રપૂજા થઈ શકે ? સમાધાન– વિસ્તારથી દ્રવ્યપૂજા કરવાનો શાસ્ત્રીય વિધિ મધ્યાહ્નનો છે. એ દૃષ્ટિએ સ્નાત્રપૂજાનો સમય મધ્યાહ્નનો છે. આમ છતાં તે સમય અનુકૂળ ન હોય, તો સવારના અજવાળું થાય, Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ત્યારથી આરંભી મધ્યાહ્ન સુધીમાં ગમે ત્યારે સ્નાત્રપૂજા કરી શકાય. કોઈને દરરોજ સ્નાત્રપૂજા કરવાનો નિયમ હોય અને કોઇ તેવા કારણથી મધ્યાહ્ન સુધીમાં ન થઈ શકે, તો મધ્યાહ્ન પછી પણ સૂર્યાસ્ત સુધીમાં સ્નાત્ર પૂજા કરી શકાય. સત્તર ભેદી પૂજા વગેરે મોટી પૂજા પહેલાં જે સ્નાત્ર ભણાવવાનો વિધિ છે, તે તો જ્યારે મોટી પૂજા હોય, ત્યારે એ પૂજાની પહેલાં સ્નાત્ર ભણાવવું જોઇએ. શંકા- ૪. સ્નાત્રપૂજા કે બીજી મોટી પૂજા ભણાવવી હોય, ત્યારે ક્યા ભગવાન જોઇએ ? સમાધાન- પહેલા નંબરમાં પંચતીર્થી પ્રતિમા જોઇએ. આ જો શક્ય ન બને, તો ૨૪ જિનેશ્વરમાંથી કોઈપણ જિનની પ્રતિમા સમક્ષ સ્નાત્ર પૂજા કે બીજી મોટી પૂજા ભણાવી શકાય. જેમકે કોઇ ગામમાં પંચતીર્થી સિવાયની એક જ પ્રતિમાજી હોય, તો તે પ્રતિમાજી સમક્ષ સ્નાત્રપૂજા કે મોટી પૂજા ભણાવી શકાય. શંકા- પ. સ્નાત્ર મહોત્સવમાં ભગવાનના માતા-પિતા બનાવી ચૌદ સુપન વગેરેનું વર્ણન કરી સ્નાત્ર મહોત્સવ ઉજવવામાં આવે છે. આ પ્રવૃત્તિ યોગ્ય છે ? સમાધાન- સ્નાત્ર મહોત્સવ ઉજવવામાં વાંધો નથી. સ્નાત્ર મહોત્સવ પ્રભુભક્તિ રૂપ છે. પણ તેમાં માતા-પિતા બનાવવા, ચૌદ સ્વપ્રોનું વર્ણન વગેરે યોગ્ય નથી. અહીં કદાચ કોઈ દલીલ કરે કે અંજનશલાકામાં પ્રભુજીનાં મા-બાપ બનવાનું આવે જ છે. આનું સમાધાન એ છે કે અંજનશલાકામાં પ્રભુજીના માતા-પિતા બનવાનું શાસ્ત્રમાં વિહિત છે. સ્નાત્ર મહોત્સવમાં તેવું વિધાન નથી. શંકા- ૬. સ્નાત્ર ભણાવ્યા બાદ આરતી-મંગળ દીવો, શાંતિકળશ પહેલા કરવા કે પછી કરવા ? સમાધાન- સ્નાત્ર ભણાવ્યા બાદ આરતી-મંગળ દીવો કર્યા પછી શાંતિકળશ કરાય છે, એવું વર્તમાનમાં જોવામાં આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન પૂજા સંબંધી શંકા-સમાધાન શંકા- ૭. પૂજારી કેવો હોવો જોઇએ ? સમાધાન– ભગવાનની આશાતનારૂપ પાપથી ભય પામતો હોય, વિધિમાં ઘાલ-મેલ ન કરતો હોય, દેરાસરમાંથી પૈસા અને દૂધ વગેરેની ચોરી ન કરતો હોય, દારૂ વગેરે વ્યસનથી રહિત હોય, ઇત્યાદિ ગુણોથી યુક્ત હોય તેવો પૂજારી રાખવો જોઇએ. દારૂ પીતો હોય વગેરે દુર્ગુણથી યુક્ત પૂજારી ન રખાય. આવા પૂજારીને રાખનાર આગેવાન જિનાશાતના અને ધર્મદ્રવ્યનો અપવ્યય વગેરે દોષના ભાગીદાર બને. શંકા– ૮. દિવસમાં જિનપૂજા ક્યારે કરવાની છે ? સમાધાન– દરેક શ્રાવકે સવારે, બપોરે અને સાંજે એમ ત્રિકાળ પૂજા કરવી જોઇએ. તેમાં સવારે અજવાળું થયા પછી વાસક્ષેપ પૂજા કરવી જોઈએ, બપોરે અષ્ટપ્રકારી વગેરે પૂજા કરે. સાંજે પ્રતિક્રમણ પહેલાં આરતી-મંગળ દીવો ધૂપ-દીપ પૂજા કરે. શંકા- ૯. ક્યારેક સંયોગવશાત્ પ્રભુપૂજા સવારે વહેલી સૂર્યોદય પૂર્વે કરવી હોય તો કરી શકાય ? સમાધાન– અપવાદમાર્ગથી કરી શકાય. શંકા- ૧૦. શ્રાવક પૂજા કરતા પહેલા જિનની આજ્ઞા શિરોધાર્ય કરવા માટે લલાટે તિલક કરે એ પ્રસિદ્ધ છે. સંબોધ પ્રકરણમાં કંઠ, હૃદય અને ઉરપ્રદેશમાં પણ તિલક કરે એમ જણાવ્યું છે, તેનો શો અર્થ છે? સમાધાન– આ કંઠથી આપના જ ગુણો ગાઈશ એ હેતુથી કંઠે તિલક કરે. આ હૃદયસિંહાસનમાં આપને જ બિરાજમાન કરીશ એવા ભાવથી હૃદયે તિલક કરે. હે પ્રભુ ! આ ઉદરમાં અભક્ષ્ય વસ્તુ નહિ નાખું એવા ભાવથી ઉદરે તિલક કરે. શંકા- ૧૧. દેરાસરમાં જિનેશ્વરની સમક્ષ કપાળમાં તિલક કરતાં પડદો આડો કરવો કે નહિ ? સમાધાન– “પડદા વિના તિલક ન કરાય તેવા અક્ષરો જોયા નથી. (એનપ્રશ્ન ૧-૯૫) Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન શંકા- ૧૨. શ્રાવક દેવપૂજા માટે સ્નાન કરે, તે વખતે મસ્તક ધોવું જોઇએ ? કે કાંસકીથી વાળ ઓળી લે તો ચાલે ? સમાધાન– દેવપૂજા કરવા ઇચ્છતા શ્રાવકે સામગ્રી હોય, તો સર્વ અંગે સ્નાન કરવું અને ન હોય તો કંઠ સુધી સ્નાન કરી કાંસકીથી મસ્તકના વાળ ઓળી લે તો ચાલે. એમ આચાર પ્રદીપમાં કહ્યું છે. સેનપ્રશ્ન (૨-૨૪૭) શંકા– ૧૩. બેનો પૂજા કરવા માટે સ્નાન કરીને ચાલુ કપડા પહેરી લે, પછી થોડીવારમાં પૂજાના કપડા પહેરીને પૂજા કરવા જાય તો આમાં દોષ ન લાગે ? સમાધાન– આમ કરવામાં અવિધિ વગેરે દોષ લાગે. માટે આમ ન કરવું જોઇએ. શંકા– ૧૪. ઘણા શ્રાવકો તીર્થયાત્રા આદિ માટે જાય, ત્યારે પોતાના મુકામથી સ્નાન કરી પૂજાના કપડા પહેરી ગાડીમાં બેસી ચાર-પાંચ કલાકે તીર્થસ્થળે પહોંચીને એ જ કપડાથી પૂજા કરતાં હોય છે, આવું થઈ શકે ખરું ? સમાધાન- શાસ્ત્રમાં દર્શાવ્યા મુજબ પૂજાના કપડા પહેરીને તરત પૂજા કરવા માટે જવું જોઈએ અને પૂજાના કપડા પહેર્યા પછી પૂજા આદિ સિવાય કોઈ કાર્ય ન કરવું જોઇએ. ચાર-પાંચ કલાક પૂજાના કપડા પહેરી રાખવાથી શરીરે થયેલો પરસેવો પૂજાના કપડાને અડે અને એવા કપડાથી પૂજા કરવાથી દોષ લાગે. માટે જે સ્થળે પૂજા કરવા જવું હોય તે સ્થળે સ્નાન કરીને તરત પૂજાના કપડા પહેરીને પૂજા કરે એ યોગ્ય છે. શંકા- ૧૫. સ્નાન કર્યા સિવાય ગભારામાં પ્રવેશ ન કરવો એમ કેટલાક દેરાસરોમાં લખેલું હોય છે. જ્યારે કેટલાક લોકો સ્નાન કર્યા સિવાય પ્રતિક્રમણના કપડામાં ગભારામાં જઈને વાસક્ષેપથી ભગવાનની અંગપૂજા કરે છે. આમ કેમ ? સમાધાન- ભગવાન ત્રિલોકના નાથ છે. દેવેન્દ્રો પણ તેમની સેવા કરે છે. આવા ભગવાનને સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેર્યા સિવાય Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન સ્પર્શી શકાય નહિ. ચંદન-કેસર પૂજા ભગવાનને સ્પર્શીને કરવાની હોય છે. આથી ચંદન-કેસર પૂજા સ્નાન કરીને પૂજા માટે અલાયદા રાખેલાં વસ્ત્રો પહેર્યા વિના ન થઇ શકે. વાસક્ષેપ પૂજામાં ભગવાનને સ્પર્શ ક૨વાનો હોતો નથી=સ્પર્શ કર્યા વિના વાસક્ષેપ પૂજા થઇ શકે છે. આથી સામાયિક-પ્રતિક્રમણના વસ્ત્રો પહેરીને ખેસથી મુખ બાંધીને ભગવાનને અડ્યા વિના વાસક્ષેપ પૂજા કરી શકાય. આથી સ્નાન કર્યા સિવાય ગભારામાં પ્રવેશ ન કરવો એનો અર્થ એ છે કે વાસક્ષેપ પૂજા વગેરે મહત્ત્વનાં કાર્ય સિવાય સ્નાન કર્યા વિના ગભારામાં પ્રવેશ ન કરવો એવો અર્થ છે. જો “સ્નાન કર્યા વિના ગભારામાં પ્રવેશ ન કરવો' એવું બોર્ડ ન હોય તો લોકો ગમે ત્યારે ગમે તે રીતે ગભારામાં પ્રવેશ કરે અને એવું થાય તો ભગવાનની આશાતના થાય. આમ સ્નાન કર્યા સિવાય ગભારામાં પ્રવેશ ન કરવો એવું બોર્ડ પણ બરોબર છે અને સ્નાન કર્યા સિવાય પ્રતિક્રમણના કપડામાં ગભારામાં જઇને વાસક્ષેપથી પૂજા થાય એ પણ બરોબર છે. મૂળવિધિ પ્રમાણે સવારે વાસક્ષેપ પૂજા કરવાની છે, અષ્ટપ્રકારી પૂજા નહિ. અષ્ટપ્રકારી પૂજા મધ્યાહ્ન સમયે ક૨વાની છે. શંકા- ૧૬. મુખકોશ બાંધીને પછી ગભારામાં પ્રવેશ કરવો કે ગભારામાં પ્રવેશીને પછી મુખકોશ બાંધવો ? સમાધાન– આ વિષે શ્રાદ્ધદિન કૃત્ય ગ્રંથની ૫૭મી ગાથામાં આ પ્રમાણે લખ્યું છે- શ્રાવક નિસીહિ બોલીને ગભારામાં પ્રવેશ કરે. પછી મુખકોશ બાંધવો વગેરે વિધિથી પૂજા કરે. શંકા ૧૭. ભગવાનના પબાસન ઉપર ચડીને પૂજા કરવી એ યોગ્ય છે ? સમાધાન– પબાસન ઉપર ચડી પૂજા કરવી યોગ્ય નથી. નાના બાળકો વગેરે પૂજા કરી શકે એ માટે ટેબલ વગેરેની ગોઠવણ કરી શકાય. શંકા- ૧૮. શ્રાવક માટે સવારે વાસક્ષેપ, બપોરે અષ્ટપ્રકારી, સાંજે ધૂપ-દીપાદિ પૂજાનું વિધાન છે. તો શ્રાદ્ધદિન કૃત્ય આદિ ગ્રંથોમાં દિનચર્યા વિભાગમાં સવારે નમસ્કાર મહામંત્રનો પાઠ વગેરે For Personal and Private Use Only Jain Educationa International Page #71 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન કૃત્યો કર્યા પછી તરત જ સ્નાન અને અષ્ટપ્રકારી પૂજાનું વર્ણન કર્યું છે. તો ઉપરના વિધાનની સાથે વિરોધ કઈ રીતે શમાવવો ? સમાધાન- શ્રાવકને માટે સવારે વાસક્ષેપ, બપોરે અષ્ટપ્રકારી પૂજા અને સાંજે ધૂપ-દીપ પૂજા કરવાનું વિધાન પૂર્વધરશ્રી ઉમાસ્વાતિ મહારાજે કર્યું છે. આથી આ વિધાન ઘણુ પ્રાચીન છે. સમય જતાં વેપાર આદિના કારણે આ વિધાન પ્રમાણે પૂજા કરવાનું મુશ્કેલ બનતું ગયું. આથી પછીના મહાપુરુષોએ પોતાના ગ્રંથોમાં સવારના જ અષ્ટપ્રકારી પૂજા કરવાનો વિધિ જણાવ્યો. પૂજય ઉમાસ્વાતિ મહારાજાનું પૂજાસંબંધી વિધાન ઉત્સર્ગથી છે અને પછીના આચાર્યોનું પૂજા સંબંધી વિધાન અપવાદથી છે. આથી આ બંનેમાં કોઈ વિરોધ નથી. જો આજે કોઇને અનુકૂળતા હોય તો પૂજ્ય ઉમાસ્વાતિ મહારાજના વચન પ્રમાણે ઉત્સર્ગથી પૂજા કરી શકે. શંકા- ૧૯. પ્રભુજીની વાસક્ષેપ પૂજા બાદ ઉતારેલ વાસક્ષેપહવણ જળની જેમ મસ્તકે લગાવી શકાય ? સમાધાન– પ્રભુજીની વાસક્ષેપ પૂજા બાદ ઉતારેલ વાસક્ષેપહવણ જળની જેમ મસ્તક આદિ ઉપર ચઢાવી શકાય, પણ પ્રભુજીના અંગ ઉપરથી ન લેવાય. પૂજારી પ્રભુજીના અંગ પરથી ઉતારી લે પછી લઈ શકાય. શંકા- ૨૦. ભગવાનની પૂજા કરેલ વાસક્ષેપ, ચંદન પ્રભુજીના અંગુઠા વગેરે ઉપરથી લઈને ભગવાનની સામે જ પોતાના માથા ઉપર લગાડી શકાય ? આવી પ્રથા ક્યાંથી આવી ? પૂજા કરતાં કરતાં (અભિષેક કરતાં કરતાં) હવણ જળને પોતાના આખા શરીરે ઘણા લગાવતાં હોય છે, શું આમ કરી શકાય ? સમાધાન– ભગવાનના અંગુઠા વગેરે ઉપરથી વાસક્ષેપ વગેરે લઈને પોતાના માથા ઉપર ન લગાડી શકાય. આમાં ભગવાનની આશાતનાનો દોષ લાગે. આવી પ્રથા ક્યાંથી આવી ? એ પ્રશ્નના જવાબમાં જણાવવાનું કે, અજ્ઞાની અને સુખલાલચુ જીવોએ આ પ્રથા શરૂ કરી છે. પૂર્વે આવું ક્યાંય જોવામાં આવતું ન હતું. હમણાં Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ૯ શંકા-સમાધાન હમણાં આ પ્રથા શરૂ થઇ છે. અજ્ઞાની લોકો ગાડરિયા પ્રવાહ જેવા હોય છે. એકે ખોટું શરૂ કર્યું તેને જોઇને બીજો પણ તેમ કરે એમ અનેક લોકો કરતા થઇ જાય. એક શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું- વાડામાં ૨૦ ઘેટાં છે. તેમાંથી એક ઘેટું બહાર જાય તો વાડામાં કેટલાં ઘેટાં રહે ? હોશિયાર વિદ્યાર્થીએ જવાબ આપ્યો- એકેય ઘેટું ન રહે . શિક્ષકે કહ્યું: વીસમાંથી એક જાય તો કેટલા રહે, એટલીય તને ખબર નથી ? વિદ્યાર્થીએ નિર્ભયપણે કહ્યું: સર, વીસમાંથી એક જાય તો ઓગણીસ રહે એવો સીધો સાદો જવાબ હું કેમ ન સમજી શકું ? પણ વાત એમ છે કે, વાડામાંથી એક ઘેટું બહાર નીકળે એટલે બીજા બધાય ઘેટાં બહાર નીકળ્યા વિના ન રહે. માટે મેં એકેય ઘેટું ન રહે એવો જવાબ આપ્યો. અજ્ઞાની લોકો પણ આવા હોય છે. આ પ્રથા જેમ બને તેમ જલદી બંધ થવી જોઇએ. કોઇ એક ખોટી પ્રથા વ્યાપક બની જાય, પછી તેને કાઢવાનું મુશ્કેલ બની જાય. દરેક સ્થળે ટ્રસ્ટીઓને આ વાત સમજાવીને બોર્ડ આદિ દ્વારા આ પ્રથાને બંધ કરવી જરૂરી છે. અભિષેક કરતાં કરતાં ન્હવણ જળ પોતાના શરીરે લગાડવાની પ્રથા પણ તદ્દન ખોટી છે. ભગવાનની આશાતના કરનારી છે. ન્હવણ જળ પોતાના શરીરે લગાડવામાં વાંધો નથી. પણ પૂજા કરતાં કરતાં નહિ, કિંતુ પૂજા પૂર્ણ થયા બાદ કુંડી વગેરેમાં રહેલા ન્હવણ જળને પોતાને શરીરે લગાડી શકાય. પ્રક્ષાલ સંબંધી શંકા-સમાધાન શંકા- ૨૧. પ્રક્ષાલ સવારે સાડા પાંચ વાગે થાય, તે યોગ્ય છે ? સમાધાન– સવારે સાડા પાંચ વાગે પ્રક્ષાલ થાય તે યોગ્ય નથી. લાઇટ વિના પ્રતિમાજી સ્પષ્ટ દેખાય, તેવા સમયે પ્રક્ષાલ પૂજા કરવી જોઇએ. અજવાળું થયા વિના પ્રક્ષાલપૂજા કરવામાં પ્રતિમાજી ઉ૫૨ કોઇ જીવજંતુ હોય, તો તેની વિરાધના થાય. પૂજા જયણાપૂર્વક કરવાની છે. અંધારામાં કે લાઇટના પ્રકાશમાં જયણા થઇ શકે નહિ, For Personal and Private Use Only Jain Educationa International Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શંકા-સમાધાન આથી સ્પષ્ટ અજવાળું થયા પછી જ પ્રક્ષાલપૂજા કરવાનો કાયદો સંઘમાં હોવો જોઇએ. અનિવાર્ય કારણે કોઇને વહેલી પૂજા કરવી પડે, તો તે શ્રાવક એક નાના પ્રતિમાજી એક બાજુ પધરાવી પ્રક્ષાલપૂજા વગેરે કરે, એ પણ અપવાદ રૂપ ગણાય. સવાર-બપોર-સાંજ એમ ત્રિકાળ જિનપૂજા કરવાનો વિધિ છે. તેમાં સવારે વાસક્ષેપ પૂજા કરવી જોઇએ. બપોરે (મધ્યાહ્ન કાળે) પ્રક્ષાલપૂજા વગેરે અષ્ટપ્રકારી પૂજા કરવી જોઇએ. સાંજે ધૂપ-દીપ પૂજા કરવી જોઇએ. આ વિધાનથી સમજી શકાય છે કે આજે અત્યંત વહેલી સવારે થતી પ્રક્ષાલપૂજા અવિધિવાળી છે. શંકા— ૨૨. સૂર્યોદય પહેલાં પ્રભુજીનો પ્રક્ષાલ ન થાય એ કયા ગ્રંથમાં છે ? પ્રભુનો જન્માભિષેક ઇન્દ્રો રાત્રે જ કરે છે. સમાધાન— શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ, શ્રાદ્ધદિનકૃત્ય વગેરે ગ્રંથોમાં જણાવેલી શ્રાવકોની દિનચર્યાના આધારે સૂર્યોદય પહેલાં પ્રક્ષાલ ન થાય એમ સમજી શકાય છે તથા પૂજા યતનાપૂર્વક કરવાની છે. પૂજા માટે સ્નાન પણ યતનાપૂર્વક કરવાનું છે. સૂર્યોદય પહેલાં યતના ન થઇ શકે. માટે સૂર્યોદય પહેલાં પ્રભુનો પ્રક્ષાલ ન થાય એમ સમજી શકાય છે. પ્રભુનો જન્માભિષેક મેરુ પર્વત ઉપર થાય છે. ત્યાં અંધકાર હોતો નથી. માટે આ દૃષ્ટાંત ન લેવાય. શંકા- ૨૩. પ્રક્ષાલપૂજા કરતી વખતે પ્રક્ષાલપૂજાના દુહાઓ મોટેથી બોલી શકાય ? સમાધાન– ના. પ્રક્ષાલપૂજા કરતી વખતે મોટેથી દુહા બોલવામાં ભગવાનને થુંક લાગવાનો સંભવ હોવાથી શ્રાદ્ધવિધિ વગેરે ગ્રંથોમાં પ્રક્ષાલપૂજા કરતી વખતે સ્તુતિ-સ્તોત્રો બોલવાનો નિષેધ કર્યો છે. આ દુહાથી મનમાં ભાવિત બનવાનું છે. શંકા— ૨૪. ગભારામાં દુહા બહુ મોટેથી બોલી શકાય ? સમાધાન– ગભારામાં પૂજા કરતાં દુહા બોલવાના નથી, કિંતુ ચિંતવવાના છે. જો દુહા બોલવાના જ નથી તો મોટેથી બોલવાની વાત જ ક્યાં રહી ? Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૧ શંકા- ૨૫. પ્રભુજીની પૂજા કરતી વખતે પૂજાના દુહા હોઠ ફફડાવ્યા વિના મનમાં બોલવા જોઇએ. આ વાત બરોબર છે ? આને માટે શાસ્ત્રપાઠ મળે ? સમાધાન- પ્રભુજીની પૂજા કરતી વખતે પૂજાના દુહા હોઠ ફફડાવ્યા વિના મનમાં બોલવા જોઈએ. આ વાત બરોબર છે. આ વિષે શ્રાદ્ધદિનકૃત્ય ગાથા ૫૮માં કહ્યું છે કે “જગતના બંધુ શ્રી જિનેશ્વરની પૂજા કરતો શ્રાવક શરીરે ખણવું, થુંક-બળખો વગેરે કાઢવું, સ્તુતિ-સ્તોત્રો બોલવાં, એ બધાનો ત્યાગ કરે.” શંકા– ૨૬. ભગવાનની દૂધથી પ્રક્ષાલપૂજા થઈ ગયા પછી પાણીથી પ્રક્ષાલપૂજા થતી હોય અને તે પછી કોઈ આવે અને દૂધથી પ્રક્ષાલપૂજા કરે અને પછીથી પાણીથી પ્રક્ષાલ કરે તો વાંધો નહીં ને ? સમાધાન– પાણીથી પ્રક્ષાલ શરૂ થયા પછી દૂધથી પ્રક્ષાલ ન થાય કેમકે અવિધિ થાય. જેણે પ્રક્ષાલપૂજા કરવી હોય તેણે જે પ્રતિમાજીને દૂધથી પ્રક્ષાલપૂજા ન થઈ હોય તે પ્રતિમાજીને પ્રક્ષાલપૂજા કરી શકે છે, અને એ પ્રતિમાજીને દૂધથી પ્રક્ષાલ કર્યા પછી જલથી પ્રક્ષાલ, અંગભૂંછણાં વગેરે પણ કરવું જોઇએ. શંકા- ૨૭. મૂળનાયકને પ્રક્ષાલ ન થયો હોય, ઇત્યાદિ કારણથી પહેલાં ધાતુના કે પાષાણ વગેરેના નાના પ્રતિમાજીની કે સિદ્ધચક્રજીની પૂજા કરી હોય, તો તે જ કેસરથી મૂળનાયકની પૂજા થઈ શકે ? સમાધાન થઈ શકે. આમાં કોઈ બાધ નથી. શંકા- ૨૮. ભગવાન અને દેવ-દેવીના પ્રક્ષાલનું જળ એક (ભેગું) કરી શકાય ? સમાધાન કરી શકાય. શંકા- ૨૯. વૈશાખ સુદ ત્રીજના દિવસે પ્રભુજીનો શેરડીના રસથી પ્રક્ષાલ થાય છે, તે શાસ્ત્રીય છે ? સમાધાન પંચાશક પ્રકરણ ગ્રંથમાં પૂજાવિધિ પંચાશકમાં પૂજાની સામગ્રીના વર્ણનમાં ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી મહારાજાએ ઇશુરસ વગેરેનો પણ ઉલ્લેખ કર્યો છે. આથી ઇક્ષુરસથી પ્રક્ષાલ Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શંકા-સમાધાન અશાસ્ત્રીય નથી. હા, પ્રક્ષાલજળને બહાર નાખવામાં વિવેક રાખવો જોઈએ. પ્રક્ષાલજળ જલદી સૂકાઈ જાય તેવી જગ્યામાં છૂટું છૂટું પધરાવી દેવું જોઈએ. જેથી તેમાં જીવોત્પત્તિ ન થાય અને કીડી વગેરે ન આવે તથા મનુષ્યોના પગ નીચે ન આવે તેવા સ્થળે પધરાવવું જોઇએ. કોઇના પગ નીચે ન આવે તેવા સ્થળે પ્રક્ષાલજળ પધરાવાથી આશાતના અને જીવહિંસા એ બે દોષો ન લાગે. શંકા- ૩૦. અક્ષયતૃતીયાના દિવસે પ્રભુજીને ઈશુરસથી પ્રક્ષાલ કરવાથી ઘણી કીડીઓ થાય છે. આથી ઇક્ષુરસનો અભિષેક ઉચિત ખરો? સમાધાન- ધર્મસંગ્રહ વગેરે ગ્રંથોમાં સ્નાત્રપૂજાની વિધિમાં ઘી, શેરડીરસ, દૂધ, દહીં અને સુગંધી જળ એ પંચામૃતથી પ્રભુજીને પ્રક્ષાલ કરવાનું જણાવ્યું છે. આથી અક્ષયતૃતીયાના દિવસે ઇક્ષુરસથી પ્રભુજીને પ્રક્ષાલ કરવામાં બાધ નથી. હવે કીડીઓ થાય છે એ પ્રશ્ન રહ્યો. જો આ પાણી જ્યાં જલદી સુકાઈ જાય અને લોકોની અવરજવર ન હોય તેવા સ્થળે પરઠવી દેવામાં આવે તો કીડીઓ થવાનો પ્રશ્ન ન રહે. અક્ષયતૃતીયાના દિવસે ઉનાળો હોય છે, એટલે પાણી જલદી સુકાઈ જાય. આમ છતાં ત્યાં કીડીઓ થાય તો પણ લોકોની અવરજવર ન હોવાના કારણે કીડીઓની વિરાધના ન થાય. પ્રભુભક્તિ વગેરે સર્વ કાર્યો યતના(જયણા)પૂર્વક કરવાનું વિધાન છે. શંકા- ૩૧. પ્રક્ષાલજળ ક્યાં પધરાવવું ? સમાધાન– જલદી સુકાઈ જાય અને કોઇના પગ તેના ઉપર ન પડે તેવા સ્થાને પ્રક્ષાલજળ પધરાવવાનો વિધિ છે. શંકા- ૩૨. પ્રક્ષાલનું જળ પગ નીચે આવે, તો તેની આશાતનાનું પાપ લાગે કે નહિ ? સમાધાન– પ્રક્ષાલનું જળ પગ નીચે આવે તો તેની આશાતનાનું પાપ લાગે. આથી જ કોઇનો પગ ન લાગે તેવા સ્થાનમાં પ્રક્ષાલનું જળ પધરાવી દેવાની વિધિ છે. શંકા- ૩૩. રૈવેયકાદિ દેવલોકમાં પાણી નથી તો ત્યાં રહેલા દેવો જિનપૂજા કેવી રીતે કરે ? Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૩ સમાધાન– રૈવેયક વગેરેમાં પાણીની જેમ વનસ્પતિ પણ નથી એટલે જિનપૂજાની સામગ્રી નહિ હોવાથી તેમજ તે દેવોને ગમનાગમનાદિ પ્રયોજનનો અભાવ હોવાથી દ્રવ્યથી જિનપૂજા સંભવતી નથી. અંગલુંછણા સંબંધી શંકા-સમાધાન શંકા- ૩૪. અંગલુંછણાં પણ બધા ભગવાનના ભેગા વાપરવામાં આવે છે, આ યોગ્ય છે ? સમાધાન– બધા ભગવાન ગુણોની દષ્ટિએ સમાન હોવાથી અંગલુંછણાં બધાં ભેગા વાપરવામાં દોષ નથી. પણ દેવ-દેવીનાં અંગલુંછણાં ભગવાન માટે ન વપરાય. માટે દેવ-દેવીનાં અંગલુછણાં જુદા હોવા જોઇએ. શંકા- ૩૫. પ્રભુજીનાં ધોયેલાં અંગલુછણાં સૂકવવાની વ્યવસ્થા કેવી અને ક્યાં હોવી જોઇએ ? દેરાસરના ગભારામાં અને રંગમંડપમાં સૂકવી શકાય ? સમાધાન– પ્રભુજીનાં ધોયેલા અંગલુંછણા ગભારામાં ન સૂકવી શકાય. કારણ કે તે સ્થાન પ્રભુજીને બિરાજમાન કરવા માટે છે. ગભારા સિવાય બીજા જે સ્થાનમાં અંગલુછણાંને લોકોના શરીરનો સ્પર્શ ન થાય તે સ્થાનમાં અંગલુંછણાં સૂકવી શકાય. બરાસ-કેસર સંબંધી શંકા-સમાધાન શંકા- ૩૬. આજે બરાસ ચોખ્ખો આવતો નથી. અશુદ્ધ બરાસથી પ્રતિમાજીને નુકસાન થાય છે. તેથી ઘણા દહેરાસરોમાં બરાસપૂજાની મનાઈ હોય છે. આ યોગ્ય છે ? સમાધાન– આજે શુદ્ધ બરાસ મળી શકે છે. અનુભવીઓને પૂછીને શુદ્ધ બરાસ જ્યાં મળતું હોય ત્યાંથી મેળવીને શુદ્ધ બરાસથી પૂજા કરવી જોઈએ. દહેરાસરમાં બરાસપૂજાની મનાઈ ન કરવી જોઇએ પણ અશુદ્ધ બરાસથી પ્રતિમાજીને નુકસાન થાય છે માટે શુદ્ધ બરાસથી Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શંકા-સમાધાન પૂજા કરવી એવું બોર્ડ મારી શકાય તથા ટ્રસ્ટીઓએ શક્ય બને તો આરાધકોને શુદ્ધ બરાસ મળે તેવી સગવડ કરી આપવી જોઇએ. શંકા- ૩૭. સાધન કરીને તીર્થયાત્રા કરવા નીકળવાનું થાય, ત્યારે એક કરતાં વધુ સ્થળે પૂજા કરવાનો લાભ મળે, આ વખતે ઘસેલું કેસર ખૂટી જાય એવું બને છે. આથી આવા સંયોગોમાં એવું થઇ શકે કે ઘરે ઘણું બધું કેસર-સુખડ ઘસીને, સૂકવીને તેનું ચૂર્ણ સાથે લઇ લેવામાં આવે અને જરૂર પ્રમાણે તે ચૂર્ણમાં પાણી નાખીને કેસર બનાવીને તેનાથી પૂજા કરવામાં કોઇ દોષ ખરો ? સમાધાન– આમ ન કરાય. આવું કૈસર-સુખડ તાજું તો ન જ ગણાય. શક્ય હોય ત્યાં સુધી પ્રભુજીની પૂજા તાજા દ્રવ્યોથી કરવી જોઇએ. આમાં બીજી વાત એ છે કે ખોટી પરંપરા ચાલવાનો સંભવ છે. એકને જોઇને બીજો તેમ કરે. બીજાને જોઇને ત્રીજો તેમ કરે. પછી તો એવું પણ બને કે સ્થાનમાં પણ કેસર-સુખડ રોજ રોજ ઘસવા એના કરતાં એકી સાથે ઘણું કેસ૨-સુખડ ઘસીને તેનાથી રોજ પૂજા કરવાનું શરૂ થઇ જવાનો સંભવ રહે. માટે કેસર-સુખડના પાઉડરમાં પાણી નાખીને તૈયાર થયેલા કેસરથી પૂજા કરવામાં દોષ છે. તીર્થસ્થળમાં વાટેલું કેસર ખૂટી જાય, તો પુષ્પ-પૂજાનો લાભ લઇ શકાય. શંકા- ૩૮. જે કેસરથી મૂળનાયક સિવાય બીજા ભગવાનની પૂજા કરી હોય તે કેસરથી મૂળનાયક ભગવાનની પૂજા થઇ શકે ? સમાધાન– થઇ શકે. શંકા— ૩૯. જે કેસરથી સિદ્ધચક્રજીની પૂજા કરી હોય તે કેસરથી બીજા ભગવાનની પૂજા થઇ શકે ? સમાધાન થઇ શકે, કારણ કે ભગવાનની પૂજા એટલે ભગવાનના ગુણોની પૂજા. સિદ્ધચક્રજી ગુણ સ્વરૂપ હોવાથી સિદ્ધચક્રજીની પૂજા એ ગુણોની પૂજા છે. એથી સિદ્ધચક્રજીની પૂજા કર્યા પછી ભગવાનની પૂજા થઇ શકે. શંકા– ૪૦. ગૌતમ સ્વામી વગેરે ગુરુમૂર્તિની પૂજા કર્યા પછી અરિહંતપ્રતિમાની પૂજા એ જ કેસરથી થઇ શકે ? For Personal and Private Use Only Jain Educationa International Page #78 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૫ સમાધાન- ગણધર-ગુરુની મૂર્તિ ગુરુની મુદ્રાવાળી અને સિદ્ધની મુદ્રાવાળી એમ બે પ્રકારની હોય છે. તેમાં ગુરુની મુદ્રાવાળી ગુરુમૂર્તિની પૂજા કર્યા પછી એ જ કેસરથી અરિહંતમૂર્તિની પૂજા ન થાય, સિદ્ધની મુદ્રાવાળી ગુરુમૂર્તિની પૂજા કર્યા પછી અરિહંતમૂર્તિની પૂજા થઈ શકે. ભગવાનની મૂર્તિ જેવી ગુરુમૂર્તિ હોય, તે સિદ્ધમુદ્રાવાળી ગુરુમૂર્તિ સમજવી. હાથમાં મુહપત્તિ અને ઓઘો વગેરે હોય, તે ગુરુમૂર્તિ ગુરુની મુદ્રાવાળી સમજવી. સિદ્ધની મુદ્રાવાળી ગુરુમૂર્તિમાં મુહપત્તિ-ઓઘો વગેરે ન હોય. શંકા- ૪૧. લાંછનની પૂજા કર્યા પછી તે જ કેસરથી બીજા ભગવાનની પૂજા થઈ શકે ? સમાધાન- ભગવાનનાં નવ અંગો સિવાય ક્યાંય પૂજા કરવાની નથી. છતાં લાંછનની પૂજા કરી હોય તો તે કેસરથી બીજા ભગવાનની પૂજા થઈ શકે. શંકા- ૪૨. આજે ઘસાયેલું કેસર વધે તેને આવતીકાલે વાપરવામાં આવે છે, તો આમાં દોષ લાગે ? સમાધાન- આજે ઘસાયેલું કેસર આવતીકાલે વાસી બની જાય. એથી તેનાથી જિનપૂજા ન થાય. આથી કેસરથી પૂજા કરનારને જિનાશાતના રૂપ દોષ લાગે. આવું જ્યાં બનતું હોય ત્યાં આગેવાનોને સમજાવીને વાસી કેસર પૂજામાં ન વપરાય તેમ કરવું જોઇએ. ઘસેલું કેસર વધ્યું હોય તો તેને સૂકવીને વાસક્ષેપ બનાવી શકાય. એનાથી વાસક્ષેપ પૂજા કરી શકાય. પુષ્પ-ધૂપ-આંગી સંબંધી શંકા-સમાધાન શંકા– ૪૩. શ્રાવક પોતાના હાથે ફૂલ ચૂંટીને પૂજા કરે એમ કયા ગ્રંથમાં લખ્યું છે. સમાધાન- શાંતિનાથ ચરિત્રમાં મંગળકળશ વાડીમાંથી પોતે ફૂલો ગ્રહણ કરીને પૂજા કરે છે, એવા અક્ષરો જોવામાં આવે છે. (સેનપ્રશ્ન ૩-૮૨૩). Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શંકા-સમાધાન શંકા- ૪૪. પુષ્પો ન મળી શકતા હોય, તો લવિંગથી પુષ્પપૂજા થઈ શકે કે નહિ? કેમ કે અઢાર અભિષેકમાં એક વિધિકારે પુષ્પોના સ્થાને લવિંગ મુકાવ્યા હતાં. સમાધાન– લવિંગથી પુષ્પપૂજા ન થાય. આગેવાનો આ અંગે યોગ્ય પ્રયત્ન કરે, તો પુષ્પો મળી શકે. તાવ આવે ત્યારે તાવની દવા ન મળે, તો પેટના દુ:ખાવાની દવા શું લઈ શકાય ખરી ? અઢાર અભિષેક વગેરે પ્રસંગો ઘણા દિવસો પહેલાં નિશ્ચિત થઈ જતા હોય છે. એથી આગેવાનો એ દિવસે પુષ્પોની વ્યવસ્થા સહેલાઈથી કરી શકે. છતાં કોઇ તેવા અનિવાર્ય સંયોગોમાં વિધિકારે તેમ કર્યું હોય, તો પણ દરરોજ લવિંગથી પુષ્પપૂજા ન થઇ શકે. શંકા- ૪૫. પ્રભુજીની નાભિ પાસે પુષ્પો હોવાથી (અથવા બીજા કોઈ પણ અંગ ઉપર પુષ્પ હોવાથી) અંગ ઉપર પૂજા થઈ શકતી નથી અને એથી પુષ્પ ઉપર પૂજા કરવી પડે છે તો આ અંગે શું કરવું? સમાધાન– પૂજા કરવાના નવ અંગો ઉપર કે નાભિ પાસે કોઈ પણ વ્યક્તિ પુષ્પ ન મૂકે તેવી વ્યવસ્થા ટ્રસ્ટીઓ દ્વારા થવી જોઇએ. પૂજા કરનારે પણ આ ખ્યાલ રાખવો જોઇએ. જેથી અન્યને પ્રભુના નવઅંગે પૂજા કરવાનો લાભ મળી શકે અથવા પૂજકને પ્રતિમાજી ઉપર પુષ્પ જ્યાં મૂકવાની ભાવના હોય ત્યાં મૂકીને પછી પોતાના હાથે પુષ્પ લઇને બાજુમાં યોગ્ય સ્થળે રાખેલ થાળીમાં એ પુષ્પો મૂકી દે, અથવા પૂજારી એ પુષ્પને લઇને થાળીમાં મૂકી દે. પછી આ રીતે ભેગા થયેલાં પુષ્પોની અંગરચના કરે તો પ્રભુજીની સુંદર ભક્તિ થાય અને પૂજા કરનારાઓ નવ અંગે પૂજા કરી શકે. આવી કોઈ વ્યવસ્થા ન થાય અને પુષ્પ ઉપર પૂજા કરવી પડે તેમ હોય તો પુષ્પને લઈને અંગ ઉપર પૂજા કરીને પુષ્પ પાછું તે સ્થળે મૂકી શકાય. શંકા- ૪૬. જે પુષ્પોથી ભગવાનની પૂજા થઈ હોય, તે પુષ્પો ઉતારી લીધા બાદ જો ગાય આદિને ખવડાવવામાં આવે, તો તે ગાય આદિનું દૂધ સાધુ-સાધ્વીને કે શ્રાવક-શ્રાવિકાને પીવા માટે ચાલે ? વાપરે તો દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગે ? તે સંબંધમાં જાણકારી Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૭ હોય તો ટાળવી જ જોઇએ કે જાણવા છતાં વાપરે તો ચાલે ? વાપર્યા પછી ઉપરોક્ત વિગતની જાણ થાય તો પ્રાયશ્ચિત્ત લેવું જોઇએ ? તે ગાય આદિનું દૂધ પ્રભુજીના પક્ષાલ કે અધિષ્ઠાયક દેવ-દેવીના પક્ષાલ કે ગુરુમૂર્તિના પક્ષાલ માટે વાપરી શકાય? ખુલાસો કરવા વિનંતિ ? સમાધાન– પ્રભુના અંગ ઉપરથી ઉતારેલાં પુષ્પો ગાય આદિને ખાવા માટે આપી શકાય નહિ. આ પુષ્પો પ્રભુના અંગો ઉપર ચઢેલાં હોવાથી દેવદ્રવ્ય ગણાય. દેવદ્રવ્યનું કોઈથી પણ ભક્ષણ ન કરાય. આવાં પુષ્પો ખાનારી ગાય આદિનું દૂધ વગેરે ચતુર્વિધ સંઘને ન કલ્પ, વાપરે તો દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગે. જેમને આ જાણકારી હોય, તેણે આવું દૂધ વાપરવાનું ટાળવું જોઈએ. જાણવા છતાં વાપરે તો વધારે દોષ લાગે. આની જાણ થયા પછી જેટલા દિવસ વાપર્યું હોય, તેટલા દિવસનું પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ તથા પોતાનામાં શક્તિ હોય તો આ કાર્ય બંધ કરાવવું જોઈએ. આવા દૂધથી પ્રભુજીનો પ્રક્ષાલ કરવામાં દોષ જણાતો નથી. આમ છતાં આવા દૂધથી પ્રભુજીને પ્રક્ષાલ ન કરવો જોઇએ. જેથી આવી ખોટી પ્રવૃત્તિને પ્રોત્સાહન ન મળે. શંકા- ૪૭. અંજનાએ માટીની પ્રતિમા બનાવી, નવકારથી પ્રતિષ્ઠિત કરીને પૂજી. પૂજા કેવળ પુષ્પથી કરી છે, તો અંજનશલાકા માટે વર્તમાનમાં આટલો બધો આડંબર થાય છે તે યોગ્ય છે ? સમાધાન- અંજનાએ માટીની પ્રતિમા બનાવી વગેરે કેવા સંયોગોમાં કર્યું તે વિચારવાની જરૂર છે. એ જંગલમાં છે. ત્યાં વિધિથી પ્રતિષ્ઠિત થયા હોય તેવા પ્રતિમાજી મળી શકે તેમ નથી. પૂજા કરવાનો ભાવ ઉત્કૃષ્ટ છે. આવી સ્થિતિમાં પોતાના પૂજા કરવાના ઉત્કૃષ્ટ ભાવને ટકાવવા-વધારવા આવી રીતે પણ પૂજા કરે તે યોગ્ય છે. માણસને જ્યારે કકડીને ભૂખ લાગી હોય ત્યારે મિષ્ટાન્ન ન મળે તો જેવો તેવો લૂખો-સુકો પણ આહાર કરે છે. તે જ રીતે પ્રસ્તુતમાં વિધિથી પ્રતિષ્ઠિત થયેલા પ્રતિમાજી મળી શકવાની કોઈ શક્યતા ન હોય ત્યારે આવી રીતે પૂજા કરવાથી પણ ઉત્તમ લાભ Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૮ થાય. પણ જ્યારે વિધિપૂર્વક પ્રતિષ્ઠિત કરેલા પ્રતિમાજી મળી શકે તેમ હોય તો પણ જે અંજનાસુંદરીની જેમ પૂજા કરવાનો આગ્રહ રાખે તેને પૂજાનું ફળ ન મળે. કારણ કે તેને વિધિ પ્રત્યે જરાય આદરભાવ નથી. જેને વિધિ પ્રત્યે આદરભાવ નથી તેને પ્રભુ પ્રત્યે પણ આદરભાવ ન હોય. પ્રભુ પ્રત્યે આદરભાવ વિના કરેલી પૂજાનું ફળ તો ન મળે, બલ્કે પ્રભુ પ્રત્યે થયેલા અનાદરભાવના કારણે ઘણાં અશુભ કર્મો બંધાય. જેથી ભવાંતરમાં પણ ધર્મ દુર્લભ બને. ભગવાનની આજ્ઞા છે કે વિધિપૂર્વક પ્રતિષ્ઠિત થયેલા ભગવાનના પ્રતિમાજી પૂજનીય બને છે. અધિવાસના-અંજનશલાકાનો વિધિ ક૨વાથી પ્રતિમાજી પૂજનીય બને છે, તે વિના નહિ. અંજનશલાકાનો આડંબર અનેક જીવોને સમ્યગ્દર્શન આદિ ધર્મ પમાડનારો બને છે. અંજનશલાકામાં પરમાત્માના પાંચ કલ્યાણકોની ઉજવણી કરવામાં આવે છે. પરમાત્માના પાંચે કલ્યાણકોમાં સમ્યગ્દષ્ટિ ઇન્દ્ર મહારાજા વગેરે દેવો પરમાત્માની અનુપમ ભક્તિ કરે છે. આજે આપણે સાક્ષાત્ પ્રભુના પાંચ કલ્યાણકોમાં ભક્તિ કરી શકીએ તેમ નથી. તેથી તેમની મૂર્તિના માધ્યમથી પાંચ કલ્યાણકોની ઉજવણી કરીને યત્કિંચિત્ પરમાત્મભક્તિ કરવાનો માર્ગ મહાપુરુષોએ બતાવ્યો છે. ઇન્દ્ર વગેરે સાક્ષાત્ પ્રભુની ભક્તિ કરીને જે કર્મનિર્જરા અને પુણ્યાનુબંધી પુણ્યરૂપ ફળ મેળવે તેના કરતાં અધિક ફળ મનુષ્ય પ્રભુજીના પ્રતિમાની ભક્તિ કરીને મેળવી લે, એમ પણ સંભવે. પાંચ કલ્યાણકોની ઉજવણી એ કોઇ નાટક નથી કે નથી ખેલતમાશો ! પાંચ કલ્યાણકોની ઉજવણી એ તો સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરવાનાં અને પ્રાપ્ત થયેલા સમ્યગ્દર્શનને નિર્મળ બનાવવાનું ઉત્તમ અનુષ્ઠાન છે. આ પ્રસંગો ઉજવાતા હોય ત્યારે તેના ભાવાર્થોને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તો ઉત્તમ કુળોમાં પતિ-પત્ની, પિતા-પુત્ર, સેવક-સ્વામી વગેરે સંબંધોમાં કેવી ઉત્તમ મર્યાદાઓ હતી તે જાણવા મળે તથા ઉત્તમપુરુષોમાં ત્યાગ, ઉદારતા, સમર્પણભાવ, નિર્મમત્વભાવ, વિરાગ વગેરે અનેક ગુણો કેવા For Personal and Private Use Only Jain Educationa International Page #82 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૯ ખીલેલા હોય છે તે જોવા મળે. વિધિપૂર્વક થતી અંજનશલાકા જેમને યોગ્ય ન જણાય. તેનામાં સમ્યગ્દર્શન નથી એ નિશ્ચિત થાય છે. શંકા- ૪૮. ચૈત્યવંદન મહાભાષ્યમાં ધૂપપૂજાને અંગપૂજામાં ગણાવી છે તે કેવી રીતે સમજવું. સમાધાન– ધૂપની ધૂમ્રસેર પ્રભુજીને સ્પર્શે એ અપેક્ષાએ ધૂપપૂજાને અંગ-પૂજા કહી હોય એમ સંભવે છે. શંકા- ૪૯. શાસ્ત્રાનુસાર હાલ ઘણાં દહેરાસરોમાં ઘીના દીવા થાય છે. પણ તે ઘીના દીવા ખુલ્લા હોય છે, તેમજ ગ્લાસમાં નીચે પાણી હોય છે. બીજે દિવસે પણ તે જ પાણી હોય છે. ખુલ્લા દીવામાં જીવો મરવાની ઘણી સંભાવના રહે અને વાસી પાણી રાખે. તેના કરતાં તો ઇલેક્ટ્રીક ઉચિત ન ગણાય ? સમાધાન- અહિંસાને પોતાના જીવનમાં જીવનારા અને અહિંસાના ઉપદેશક તીર્થંકરોના મંદિરમાં મહાહિંસક ઇલેક્ટ્રીક રાખવાનું જરાય ઉચિત નથી. તમે લખો છો, એ દિષ્ટએ પણ ઇલેક્ટ્રીકનું સમર્થન ન થાય. કેમકે, ખુલ્લા દીવામાં જે જીવવિરાધના સંભવિત છે એના કરતા તો કઇ ગણી વધુ જીવવિરાધના લાઇટ દ્વારા થતી હોય છે. લાઇટ કંઇ ઢાંકેલી હોતી નથી, લાઇટની વિરાધના તો ઘણી વધારે છે. ઘીના દીવા ખુલ્લા ન રહે અને પાણી વાસી ન રહે તેવી વ્યવસ્થા કરવી જોઇએ. શંકા— ૫૦. વરખની આંગી બનાવવાનું વિધાન કયા શાસ્ત્રમાં છે ? સમાધાન– શ્રીહરિભદ્રસૂરિ મહારાજ વિરચિત પંચાશક આદિ ગ્રંથોમાં સુવર્ણ, મોતી, મણિ આદિ ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરવાનું કહ્યું છે. (પૂજા પંચાશક ગાથા-૧૫) સોના-ચાંદીના વરખ ઉત્તમ દ્રવ્ય છે. આથી સોના-ચાંદીના વરખથી જિનપૂજા કરવી એ શાસ્ત્રીય છે, અશાસ્ત્રીય નથી. શંકા- ૫૧. સોના-ચાંદીના વરખ બનાવવા માટે બળદના આંતરચર્મનો ઉપયોગ થાય છે. બળદના આંતરચર્મ ઉપર સોના Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ચાંદીના ટુકડાને કુટીને પાતળું-પહોળું વરખનું પાનું બનાવવામાં આવે છે. આથી વરખપૂજા કરવામાં પંચેન્દ્રિયની હિંસાને ઉત્તેજન ન મળે ? આ રીતે આંતરચર્મને સ્પર્શતા વરખ અપવિત્ર ન બને ? ૨૦ સમાધાન બળદોની હિંસા વરખ બનાવવા માટે કે તેનું આંતરચર્મ મેળવવા માટે જ થતી નથી. કિંતુ માંસ આદિ મેળવવા માટે થાય છે. એથી વરખના ઉપયોગથી પંચેન્દ્રિયની હિંસાને ઉત્તેજન મળે, એ વાત તદ્દન ખોટી છે. બીજું- આંતરચર્મના સ્પર્શથી સોના-ચાંદીના વરખ અપવિત્ર બનતા નથી. કેમકે સોનું-ચાંદી તો અપવિત્રને પવિત્ર કરે છે. એથી જ પૂર્વે આભડછેટ ટાળવા સોનાના સ્પર્શવાળું પાણી(=સોનાપાણી) છાંટવામાં આવતું હતું. આજેય વિધિવિધાનમાં આ પરંપરા ચાલુ છે. શંકા- ૫૨. કાજુ વગેરે ખાદ્ય દ્રવ્યોથી પ્રભુજીની આંગી બનાવાય ? સમાધાન– ના. ૫૨માત્મા ત્રિલોકના નાથ છે. ઇન્દ્રો પણ તેમની પૂજા કરે છે. આવા સર્વોત્કૃષ્ટ પરમાત્માની આંગી ઉચ્ચ દ્રવ્યોથી કરવી જોઇએ, સામાન્ય દ્રવ્યોથી નહિ. આ વિષે પંચાશકમાં જણાવ્યું છે કે- “ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરવાથી પ્રાયઃ ભાવ પણ ઉત્તમ જાગે છે, તે ભાવથી અશુભ કર્મોનો ક્ષય થાય છે.” ચક્રવર્તીનાં કે ઇન્દ્રના શરીરે કેવી વસ્તુઓ હોય ? સામાન્ય વસ્તુઓ હોય ? જો ચક્રવર્તીના કે ઇન્દ્રના શરીરે સામાન્ય વસ્તુઓ ન હોય તો ચક્રવર્તી અને ઇન્દ્રથી પણ મહાન પ્રભુજીના શરીરે સામાન્ય વસ્તુઓ કેવી રીતે મૂકી શકાય ? કાજુ, બદામ, એલાયચી વગેરે ખાદ્ય પદાર્થો સામાન્ય ગણાય. રૂ પણ સામાન્ય દ્રવ્ય હોવાથી તેની આંગી ન બનાવાય. ઇમીટેશન ટીકા પણ આંગીમાં ન વપરાય. પરમાત્માની અંગરચના સોનું, ચાંદી, સુગંધી પુષ્પો, મખમલ, રેસમ વગેરે ઉત્તમ વસ્ત્ર, સોના-ચાંદીના ટીકા, મોતી વગેરે ઉત્કૃષ્ટ દ્રવ્યોથી કરવી જોઇએ. ટૂંકમાં- પરમાત્માની શોભા વધે તેવા અસલી (પ્યોર) ઉત્કૃષ્ટ દ્રવ્યોથી આંગી બનાવવી જોઇએ. આંગીમાં હલકા દ્રવ્યો ન વાપરવા જોઇએ. Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨ ૧. શંકા- પ૩. કોઈ વ્યક્તિ ભગવાનની આંગી શોભાવવા માટે દાગીના ચડાવે, ફક્ત શોભાના આશયથી દાગીના ચડાવે, તો આંગી ઉતાર્યા પછી એ દાગીના પોતે વાપરી શકે ? સમાધાન– ફક્ત શોભા માટે આ દાગીના હું ભગવાનને ચડાવું છું, આંગી ઉતાર્યા પછી હું વાપરીશ, આવા આશયથી (=સંકલ્પથી) આંગી માટે ભગવાનને દાગીના ચડાવે તો આંગી ઉતાર્યા પછી પોતે દાગીના વાપરી શકે છે, એ માટે દાગીનાની રકમ દેવદ્રવ્યમાં આપવી ન પડે. જો આવા આશય વિના જ ભગવાનની આંગી માટે દાગીના ચડાવે તો પછી એ દાગીના પોતાનાથી વાપરી શકાય નહિ. શંકા- ૫૪. આજે કોઈ કોઈ આરાધકો જિનપૂજામાં પ્રભુજીની અંગરચના કરવામાં હાર વગેરે આભૂષણ પહેરાવે છે. પછી તે હાર વગેરે પોતાના ઘરે લઈ જાય છે, તો આવું કરી શકાય ? સમાધાન– જો હાર વગેરે પ્રભુભક્તિ માટે જ બનાવ્યો હોય, તો આવું કરવું ન કહ્યું. પણ પોતાના ઉપયોગ માટે બનાવ્યો હોય, તો એનો પ્રભુભક્તિમાં થોડો સમય ઉપયોગ કરીને પછી ઘરે લઈ જઈ શકે છે, પણ તે હાર વગેરે એકવાર પણ પોતાના માટે ઉપયોગ કરેલ ન હોવો જોઇએ. આ અંગે સ્પષ્ટતા માટે (એનપ્રશ્ન ગ્રંથ ઉલ્લાસ-૩ પ્ર.૧૬ ૮) જુઓ. શંકા– ૫૫. પ્રભુજીના ચક્ષુ-ટીકા વગેરે ઉખડી ગયા હોય, તો કયું દ્રવ્ય કંઈ રીતે મેળવીને તે ટીકાદિ ચોંટાડી શકાય ? સમાધાન– ઘી નાંખીને રાળને ગરમ કરીને પછી તે રાળ દ્વારા ચક્ષુ અને ટીકાદિ પ્રભુના અંગે ચોંટાડી શકાય. શંકા- પ. પરમાત્માની અંગરચનામાં મખમલનો ઉપયોગ કરી શકાય ? સમાધાન – પરમાત્માની અંગરચના ઉત્કૃષ્ટ દ્રવ્યોથી કરવી જોઇએ. મખમલ ઉચ્ચ પ્રકારનું કાપડ ગણાય છે. આથી અંગરચનામાં મખમલનો ઉપયોગ કરવામાં બાધ જણાતો નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ શંકા-સમાધાન શંકા- ૫૭. પર્યુષણ પર્વમાં ભગવાનની આંગીમાં સાંજે ફૂલો વપરાય છે તે યોગ્ય છે ? સમાધાન– શ્રાવકે દરરોજ પરમાત્મભક્તિ કરવી જોઇએ તેમાં પણ પર્વ દિવસોમાં વિશેષ પરમાત્મભક્તિ કરવી જોઇએ. પર્યુષણ મહાપર્વમાં તો સર્વ પવથી વિશેષ પરમાત્મભક્તિ કરવી જોઇએ. પરમાત્મભક્તિના અનેક પ્રકારો છે. તેમાં પુષ્પપૂજા પણ પરમાત્મભક્તિનો એક પ્રકાર છે. દેવો પણ પુષ્પપૂજાથી પરમાત્મભક્તિ કરે છે. રાજપ્રશ્રીય આગમમાં જિનપ્રતિમાની આગળ પુષ્પકુંજ કરવાનો ઉલ્લેખ છે. સંઘ સાથે શત્રુંજય પહોંચ્યા ત્યારે ઝાંઝણે ૩ ક્રોડ સુગંધી ફૂલોથી દાદાની પૂજા કરી હતી. (રત્નસંચય પુસ્તક પૃષ્ઠ ૪૭) આમ આંગીમાં સાંજે ફૂલો વપરાય છે તે યોગ્ય છે. હવે એ પ્રશ્ન થાય કે બીજા દિવસોમાં ફૂલો વપરાય, પણ પર્યુષણ જેવા પર્વમાં કેમ વપરાય ? આ અંગે જણાવવાનું કે પર્યુષણ પર્વમાં શ્રાવકે પોતે પોતાના જીવનમાં જીવહિંસા જેમ ઓછી થાય તેમ જીવન જીવવું જોઇએ. એ માટે પુષ્પો વગેરેનો ત્યાગ કરવો જોઇએ. પણ પરમાત્મભક્તિ માટે તો પુષ્પ વગેરેનો ઉપયોગ કરી શકાય. પર્યુષણમાં પોતે ફળો ન વાપરે પણ મંદિરમાં પ્રભુજીને ફળો ધરે. પોતે મીઠાઈ ન વાપરે પણ પ્રભુજીને મીઠાઈ ધરે. પોતે અલંકારો પહેરવા વગેરેનો ત્યાગ કરે પણ પરમાત્માને અલંકારો પહેરાવે= અલંકારપૂજા કરે કરાવે. એ જ રીતે પોતે પુષ્પોનો ત્યાગ કરે પણ પરમાત્માની પુષ્પોથી અંગરચના કરે, પોતે પુષ્પ વગેરે વાપરે તેમાં રાગ પોષાય અને પ્રભુજીને પુષ્પો વગેરે ચઢાવે તેમાં ત્યાગ-વિરાગ પોષાય. આમ પર્યુષણ પર્વમાં ભગવાનની આંગીમાં સાંજે ફૂલો વપરાય તે યોગ્ય છે. યતનાપૂર્વક કરાતી પરમાત્મભક્તિમાં થતી હિંસા સ્વરૂપહિંસા છે અને પરિણામે જીવનમાં અહિંસાને લાવનારી છે. જેને પ્રભુની પુષ્પપૂજામાં હિંસાનો ભય રહેતો હોય તેમણે Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૩ હેતુહિંસા, સ્વરૂપહિંસા અને અનુબંધહિંસા એમ હિંસાના ત્રણ પ્રકારો ગુરુની પાસેથી સમજી લેવાની જરૂર છે. શંકા- ૫૮. પ્રભુની અંગરચના માટે સામગ્રીનો નકરો તથા આંગી કરવાનો નકરો, એના નકરા તરીકે જે રકમ રાખેલ હોય, તે રકમ કયા ખાતે લઈ જવાય. દેવદ્રવ્ય ખાતે કે દેવકું સાધારણમાં ચાલે ? સમાધાન- પ્રભુજીની અંગરચના માટે સામગ્રીનો નકરો તથા આંગી કરવાનો નકરો, એમાં નકરા તરીકે રાખેલી રકમ જો આ રકમ અંગરચના માટે જ વાપરવી એવો દૃઢ સંકલ્પ કર્યો હોય, તો તેમાં જ વાપરી શકાય. જો દઢ સંકલ્પ ન કર્યો હોય, સામાન્યથી વિચાર કર્યો હોય તો દેવકું સાધારણમાં ચાલે. અહી દેવકું સાધારણ એટલે કોઇપણ પ્રકારની દેવભક્તિ સમજવી. પૂજારીને પગાર આપવામાં આ રકમ ન ચાલે. શંકા- પ૯. ભગવાનને ચઢાવેલાં પુષ્પો ઉતારી સાથે ભેગા કરવામાં આવે છે. પછી આંગી ચઢાવતી વખતે પુષ્પો એકબીજા ભગવાનને ચઢે છે. આ યોગ્ય છે ? સમાધાન– બધા ભગવાન ગુણોની દષ્ટિએ સમાન હોવાથી ભગવાનને ચઢાવેલાં પુષ્પો ઉતાર્યા પછી આંગી ચઢાવતી વખતે એક-બીજા ભગવાનને ચઢે તેમાં બાધ નથી. આમ છતાં મૂળનાયકને વધારે સારા હોય તેવાં પુષ્પો ચઢાવવા જોઈએ. શંકા- ૬૦. પ્રભુજીના મસ્તક ઉપર પૂજા થઈ શકે એ માટે કાર્યકર્તાઓ બપોરે બાર વાગ્યા પછી પ્રભુજીને મુકુટ ચઢાવે છે. તેથી બાર વાગ્યા સુધી મુકુટ વગર પ્રતિમાજીના દર્શન કરવા પડે છે. મુકુટ વિષે શાસ્ત્રીય વિધાન શું છે ? સમાધાન પૂજાના સમયે પ્રભુની છબસ્થ, કેવળી અને સિદ્ધ એ ત્રણ અવસ્થાઓ ધારવાનું(=ચિંતવવાનું) કહ્યું છે. છબસ્થ અવસ્થાના જન્મ, રાજય અને શ્રમણ એમ ત્રણ પ્રકાર છે. તેમાં પ્રભુજીના કેશરહિત મુખ અને મસ્તકને જોઈને શ્રમણ અવસ્થાનું ધ્યાન કરવાનું કહ્યું છે. હવે જો પ્રભુજીને વહેલો મુકુટ ચઢાવી દેવામાં Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શંકા-સમાધાન આવે તો પ્રભુજીનું કેશરહિત મસ્તક કેવી રીતે દેખાય ? માટે પ્રભુજીને મુકુટ બાર વાગ્યા પછી ચઢે એ યોગ્ય ગણાય છે. મુકુટવાળા જ પ્રતિમાજીના દર્શન કરવા જોઈએ એવો નિયમ નથી. મુકુટ બાર વાગ્યા પછી ચઢાવાય તો જેને શ્રમણ અવસ્થાનું ધ્યાન કરવું હોય તે ધ્યાન કરી શકે અને મસ્તકે પૂજા પણ કરી શકાય. શંકા- ૬૧. જિનેશ્વર દેવને નમસ્કાર કર્યા પહેલા ઘંટ વગાડાય કે પછી ? સમાધાન- અન્ય દ્રવ્યોથી પૂજા કર્યા પછી નાદપૂજા રૂપ ઘંટ વગાડાય છે, એમ પૂજા કરનાર વૃદ્ધ શ્રાવકોની પરંપરા ચાલી આવે છે. તેથી પૂજામાં ફૂલ વગેરે દ્રવ્યપૂજા કરી રહ્યા પછી તરત ઘંટ વગાડાય છે. ફક્ત ચૈત્યવંદન કરવા શ્રાવક આવ્યા હોય તો સાથિયા વગેરે દ્રવ્યપૂજા કરી રહ્યા પછી તરત ઘંટ વગાડાય છે એમ જણાય છે. બીજી રીતે ઘંટ વગાડવાનું થાય છે તે તો હર્ષાવેશને સૂચવનાર લોકપ્રવાહમાં પડેલું છે પણ પરંપરાને અનુસરતું નથી. (એનપ્રશ્ન ૩-૭૭૮) શંકા- ૬૨. મંગળદીવો કે આરતી કોઈ દિવસ ખાલી હાથે ન ઉતારાય એવો નિયમ છે ? સમાધાન- મંગળદીવો કે આરતી ઉતારનાર પ્રભુભક્તિ માટે થાળીમાં પૈસા મૂકે છે પણ ખાલી હાથે ન જ ઉતારાય એવો નિયમ નથી. શંકા- ૬૩. જિનમંદિરમાં સવારે સ્નાત્ર ભણાવ્યા પછી પ્રતિમા સમક્ષ આરતી થઈ રહી હોય ત્યારે કોઈથી પ્રતિમાની પૂજા વગેરે ન થાય એમ કોઈક માને છે તો આ બરાબર છે ? સમાધાન- પ્રતિમા સમક્ષ આરતી થઈ રહી હોય ત્યારે કોઇથી પ્રતિમાની પૂજા વગેરે ન થાય એવો કોઈ શાસ્ત્રપાઠ જોવામાં આવ્યો નથી. આથી આવી માન્યતા બરાબર જણાતી નથી. શંકા- ૬૪. દરેક દેરાસરમાં કોઈ પણ પ્રભુની સમક્ષ આદિનાથની જ આરતી ઉતારવામાં આવે છે. તેના બદલે જે મૂળનાયક હોય તેમનું અને તેમના માતા-પિતાનું નામ લઇને આરતી ઉતારાય કે નહિ ? જેમકે– Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૫ જય જય આરતી વી૨ જિણંદા સિદ્ધારથ-ત્રિશલાજીકા નંદા ઇત્યાદિ ફેરફાર કરીને આરતી ઉતારાય કે નહિ ? સમાધાન– ‘જય જય આરતી આદિ જિણંદા' આટલો પાઠ કાયમ રાખીને એટલે સર્વપ્રથમ બોલીને પછી જો કોઇને તે રીતે નામ બદલીને બોલવાનું ફાવે તો વાંધા જેવું નથી પણ છપાવવામાં કે કંઠસ્થ કરવામાં તો જે પ્રમાણે છે તે પ્રમાણે જ હોવું જોઇએ. બોલવામાં ‘જય જય આરતી આદિ જિણંદા' આમ સર્વપ્રથમ બોલીને પછી જે મૂળનાયક હોય એ મુજબ ફેરફાર હજી કરી શકાય. શંકા- ૬૫. જિનમંદિરમાં અષ્ટપ્રકારી પૂજા કર્યા બાદ આરતીમંગલદીવો કરાય છે. તો કેવલ મંગલદીવો થાય કે આરતી અને મંગલદીવો એ બંને કરવા પડે ? સમાધાન સમય ન હોય, વગેરે કારણથી કેવલ મંગલ દીવો પણ થઇ શકે. પરમાત્માની ભક્તિ જેટલી કરીએ તેટલો લાભ જ છે. સામાન્ય રીતે બંને કરવાની પરંપરા જોવા મળે છે. શંકા- ૬૬. આરતીની થાળીમાં મૂકેલા પૈસા કોને અપાય ? સમાધાન– આરતી ઉતારતી વખતે આરતી ઉતારનાર મહાનુભાવ ૫૨માત્માની ભક્તિ રૂપે પૈસા મૂકે છે, તેથી એ પૈસા દેવદ્રવ્યમાં જવા જોઇએ. સાંભળવા મુજબ આણંદજી કલ્યાણજી પેઢી હસ્તકના વહીવટમાં આ રીતે પૈસા દેવદ્રવ્ય ખાતે લઇ જવાય છે. આમ છતાં એ પૈસા દેવદ્રવ્યમાં લઇ જવામાં પૂજારીનું મન દુભાય, એવી શક્યતા હોય તો આ નિમિત્તે પૂજારીને વધારે પગાર આપીને આરતીના પૈસા દેવદ્રવ્યમાં લઇ જવા જોઇએ. પૂજારી રાખતા પૂર્વે જ આવી સ્પષ્ટતા થઇ જાય તો વાંધો ન આવે. શંકા- ૬૭. દેશી ઘી મોંઘું હોવાથી અને શુદ્ધ મળતું ન હોવાથી દેરાસરમાં શુદ્ધ કોપરેલ તેલ વાપરી શકાય ? એ જ રીતે કેસર મોંઘું હોવાથી અને નકલી આવી જતું હોવાથી પ્રભુ પૂજા માટે હળદ૨પાવડરને સુખડમાં લસોટી તેનું મિશ્રણ વાપરી શકાય ? For Personal and Private Use Only Jain Educationa International Page #89 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શંકા-સમાધાન સમાધાન- ભગવાની ભક્તિ માટે ઉત્તમ દ્રવ્યો વાપરવા જોઇએ એવું શાસ્ત્રમાં વિધાન હોવાથી ભગવાનની ભક્તિ માટે ગભારામાં તો શુદ્ધ ઘી જ વાપરવું જોઈએ. પણ દેરાસરમાં પ્રકાશ થાય એ માટે શુદ્ધ કોપરેલ તેલ વાપરવામાં બહું બાધ જણાતો નથી. શાસ્ત્રમાં કેસર વગેરે ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરવાનું કહ્યું છે. પ્રયત્ન કરવામાં આવે, તો આજે પણ શુદ્ધ કેસર મળી શકે છે. શુદ્ધ કેસર મોંઘુ હોય છે, એ અંગે જણાવવાનું કે સંસારના વ્યવહારમાં ઘણી વસ્તુઓ મોંઘી હોવા છતાં તે મોંઘી વસ્તુઓ જ વપરાય છે, ત્યાં મોંઘવારી નડતી નથી અને અહીં મોંઘવારી નડે છે, એ ભગવાન પ્રત્યે બહુમાનની ખામી સૂચવે છે. 'અષ્ટપ્રકારી પૂજા સંબંધી શંકા-સમાધાન શંકા- ૬૮. જિનેશ્વર ભગવાનની પૂજામાં અષ્ટપ્રકારી પૂજાનો ક્રમ જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફળ આ પ્રકારે છે. જ્યારે પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજામાં પ્રથમ પુષ્પ, બીજી ફળ, ત્રીજી અક્ષત, ચોથી જળ, પાંચમી ચંદન, છઠ્ઠી ધૂપ, સાતમી દીપ, આઠમી નૈવેદ્ય પૂજા આવે છે. આનું શું કારણ છે ? સમાધાન– આ અંગે વિચારતા જણાય છે કે પૂજાના રચયિતા વીરવિજયજી મહારાજે પ્રસિદ્ધ ક્રમથી પૂજા રચી હોય. પણ પાછળથી કોઈ લેખકના દોષથી ક્રમમાં ફેરફાર થઈ ગયો હોય અને છપાવનારાઓએ તે જ પ્રમાણે છપાવી નાખ્યું હોય અથવા “પૂજા કરવાનો જે ક્રમ છે તે ક્રમથી જ પૂજા ભણાવવી જોઈએ એવો નિયમ નથી” એમ સૂચવવા આવા ભિન્ન ક્રમથી પૂજા રચી હોય એમ પણ સંભવે. તત્ત્વ તો કેવલી જાણે. શંકા- ૬૯. મુંબઈમાં ઘણા સ્થળોમાં બરાસપૂજાના ચડાવા બોલાય છે ને અંગલુંછણાં થયા બાદ પહેલી બરાસપૂજા થાય છે. અષ્ટપ્રકારી પૂજામાં ક્યાંય બરાસપૂજા આવતી નથી. તો પછી બરાસપૂજા કેમ થાય છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૭ સમાધાન માત્ર અષ્ટપ્રકારી જ પૂજા છે એવું નથી. શાસ્ત્રોમાં પૂજાના પાંચ પ્રકારી, અષ્ટપ્રકારી, સત્તરપ્રકારી એમ અનેક ભેદો જણાવ્યા છે. શ્રાદ્ધદિનકૃત્ય ગ્રંથમાં અષ્ટપ્રકારી પૂજા ઉપરાંત વિલેપન પૂજા પણ કહી છે. આથી બરાસપૂજા દ્વારા વિલેપન પૂજા કરવામાં આવે છે. આથી બરાસપૂજા અશાસ્ત્રીય નથી. શંકા- ૭૦. અષ્ટપ્રકારી પૂજામાં જલપૂજા આવે છે, દૂધપૂજા આવતી નથી, તો પહેલાં દૂધથી પ્રક્ષાલ કેમ કરવામાં આવે છે ? સમાધાન– ભગવાનના જન્માભિષેક વખતે દેવો ક્ષીરસમુદ્રમાંથી લાવેલા પાણીથી પ્રક્ષાલ-અભિષેક કરે છે. એ પાણી દૂધ જેવું સફેદ અને અતિશય મધુર હોય છે. મનુષ્યો એ પાણી લાવી શકે નહિ. આથી દેવોની ભક્તિના અનુકરણરૂપે જલપૂજામાં પ્રથમ દૂધથી પ્રક્ષાલ કરવામાં આવે છે. શંકા- ૭૧. કોઈ એક ભગવાનને ગભારામાંથી લઈને અલગ એક સ્થળે પધરાવીને તે ભગવાનની જાતે અષ્ટપ્રકારી પૂજા કરી હોય. પછી ચૈત્યવંદન તે જ પ્રતિમાજી સમક્ષ કરવું કે તે પ્રતિમાજીને ગભારામાં પધરાવીને મૂળનાયક સમક્ષ કરવું ? સમાધાન– જે પ્રતિમાજીની અષ્ટપ્રકારી પૂજા કરી હોય તે પ્રતિમાજી કે મૂળનાયક એ બંનેમાંથી કોઈ પણ એક પ્રતિમાજીની સમક્ષ ચૈત્યવંદન કરી શકાય. જે પ્રતિમાજીની અષ્ટપ્રકારી પૂજા કરી હોય, તે પ્રતિમાજીની સમક્ષ ચૈત્યવંદન કરવામાં ભાવોલ્લાસ વધારે આવતો હોય, તો તેની સમક્ષ ચૈત્યવંદન કરવું. જો મૂળનાયકની સમક્ષ ચૈત્યવંદન કરવામાં ભાવ વધારે આવતો હોય, તો મૂળનાયક સમક્ષ ચૈત્યવંદન કરવું. જો બંને સ્થળે ભાવ સરખો આવતો હોય, તો કોઈ એકની સમક્ષ ચૈત્યવંદન કરવું. જે પ્રતિમાજીની અષ્ટપ્રકારી પૂજા કરી હોય, તે પ્રતિમાજીની સમક્ષ ચૈત્યવંદન કર્યું હોય, તો પછી મૂળનાયકની સમક્ષ ચૈત્યવંદન કરવું જ પડે એવો નિયમ નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન શંકા- ૭૨. ભાવપૂજા થયા બાદ દ્રવ્યપૂજા થઇ શકે ? સમાધાન– દ્રવ્યપૂજા કર્યા પછી ભાવપૂજા કરવાનું વિધાન છે. એટલે ભાવપૂજા પછી દ્રવ્યપૂજા કરવામાં અવિવિધ દોષ લાગે. શંકા ૭૩. ભગવાનની દ્રવ્યપૂજાને બદલે સામાયિકની સાધના કરવી, એ વધુ ઉચ્ચ આરાધના ન કહેવાય ? સમાધાન– ભગવાને જે જે આરાધના બતાવી છે, તે બધી આરાધનાઓ પોતપોતાના સ્થાને ઉચ્ચ છે, એટલે પૂજાના સ્થાને પૂજા ઉચ્ચ છે અને સામાયિકના સ્થાને સામાયિક ઉચ્ચ છે. એથી કોઇ એમ કહે કે, પૂજામાં હિંસા થાય છે, અને સામાયિક હિંસાથી રહિત છે, તેથી પૂજા કરવાના બદલે સામાયિક કરવી એમ માનીને પૂજા છોડીને સામાયિક કરે, તો તે બરાબર નથી. સામાયિકના સ્થાને સામાયિક ઉચ્ચ છે. તો પૂજાના સ્થાને પૂજા પણ ઉચ્ચ છે. કારણ બંને આરાધના ભગવાને જ બતાવી છે. ૨૮ શંકા ૭૪. ભમતિમાં બિરાજમાન પ્રતિમાની પૂજા થઇ શકે ? જો થઇ શકે તો કેવી રીતે થઇ શકે ? સમાધાન– ભમતિમાં બિરાજમાન પ્રતિમાજીની પ્રાણપ્રતિષ્ઠા થઇ હોય તો પૂજા થઈ શકે. જેવી રીતે મંદિરમાં ગભારા વગેરેમાં બિરાજમાન પ્રતિમાજીની પૂજા થાય છે, તે જ રીતે ભમતિમાં બિરાજમાન પ્રાણપ્રતિષ્ઠાવાળા પ્રતિમાજીની પૂજા થઇ શકે. પ્રક્ષાલ, ચંદન, ફૂલ, ધૂપ, દીપ વગેરે બધા જ પ્રકારની પૂજા થઇ શકે. પણ આજે મોટા ભાગે ભમતિમાં બિરાજમાન પ્રતિમાજી પ્રાણપ્રતિષ્ઠા વિનાના મંગલમૂર્તિ રૂપે હોય છે. છતાં કોઇ સ્થળે પ્રાણપ્રતિષ્ઠાવાળા હોય તો સર્વ પ્રકારની પૂજા થઇ શકે. પ્રાણપ્રતિષ્ઠાવાળા પ્રતિમાજીની દ૨૨ોજ અવશ્ય પૂજા કરવી જોઇએ. પ્રાણપ્રતિષ્ઠાવાળા પ્રતિમાજી અપૂજ ન રખાય. અંજનશલાકાની વિધિ કરાય, ત્યારે ચ્યવનકલ્યાણકની વિધિમાં અંતર્ગત પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવતી હોય છે. પ્રાણપ્રતિષ્ઠા એટલે પ્રાણાપાન વગેરે દશ પ્રકારના પ્રાણનો ન્યાસ For Personal and Private Use Only Jain Educationa International Page #92 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૯ કરવો. સાદી ભાષામાં એમ કહી શકાય કે પ્રાણપ્રતિષ્ઠા એટલે નિર્જીવ પ્રતિમામાં પ્રાણનું આરોપણ કરવું. શંકા- ૭૫. જિનમંદિરમાં અનેક પ્રતિમાજી હોય, ત્યારે કયા ક્રમથી પૂજા કરવી જોઇએ ? સમાધાન- પહેલા ગભારામાં જે પ્રતિમાઓ હોય, તેની પૂજા કરવી જોઇએ. ગભારામાં પ્રથમ મૂળનાયકની પૂજા કરીને પછી પ્રભુજીની જમણી તરફના મોટા પ્રતિમાજી (આરસના પ્રતિમાજી)ની પૂજા કરવી જોઈએ. પછી જમણી તરફ પંચધાતુની પ્રતિમા, સિદ્ધચક્ર ભગવાન, ઋષિમંડલયંત્ર વગેરે જે જે પૂજનીય હોય તેની પૂજા કરવી જોઇએ. ત્યાર બાદ ડાબી તરફના મોટા પ્રતિમાજી (આરસના પ્રતિમાજી)ની પૂજા કરીને ધાતુના પ્રતિમાજી વગેરેની પૂજા કરવી જોઈએ. ત્યારબાદ ગભારાની બહાર ગોખલા વગેરેમાં બિરાજમાન પ્રતિમાઓની પૂજા કરવી જોઇએ. ત્યારબાદ ગૌતમસ્વામી વગેરે ગુરુમૂર્તિની પૂજા કરવી જોઈએ. ત્યાર બાદ શાસનના અધિષ્ઠાયક યક્ષ-યક્ષિણી વગેરેને મસ્તકે તિલક કરવું જોઇએ. ટૂંકમાં ક્રમ આ પ્રમાણે છે (૧) મૂળનાયક પ્રભુજીની પૂજા. (૨) મૂળનાયકની જમણી તરફના પ્રતિમાજી વગેરેની પૂજા. (૩) મૂળનાયકની ડાબી તરફના પ્રતિમાજી વગેરેની પૂજા. (૪) ગભારાની બહારની જિનપ્રતિમાજીની પૂજા. (૫) ગૌતમસ્વામી વગેરે ગુરુમૂર્તિની પૂજા. (૬) યક્ષ-યક્ષિણી વગેરેની પૂજા રૂપે તિલક. શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની ફણાની પૂજા કરવાની જરૂર નથી. નવ અંગે પૂજા કરવાનું વિધાન છે. આથી નવ અંગ સિવાય ક્યાંય પૂજા કરવાની જરૂર નથી. શંકા- ૭૬. પ્રભુજીના લાંછનની પૂજા કરવી જોઇએ ? સમાધાન- પ્રભુજીના લાંછનની પૂજા કરવાની નથી. પ્રભુજીનાં નવ અંગો સિવાય ક્યાંય પૂજા કરવાની નથી. શંકા- ૭૭. જિનપ્રતિમા કે જિનમંદિર શિલ્પશાસ્ત્રની દૃષ્ટિએ દોષયુક્ત હોય તો પૂજા કરનારને દોષ લાગે કે નહિ ? Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન સમાધાન– જિનપ્રતિમા કે જિનમંદિર શિલ્પશાસ્ત્રની દૃષ્ટિએ દોષયુક્ત હોય તો તે દોષ કેટલો છે ? નાનો દોષ છે કે મોટો દોષ છે ઇત્યાદિ જાણ્યા પછી જ પૂજા કરનારને દોષ લાગે કે નહિ તેનો નિર્ણય કરી શકાય. આથી પ્રતિમામાં કે મંદિરમાં કેવો દોષ છે તે શિલ્પશાસ્ત્ર આદિના જાણકારની પાસે જાણીને તેના માર્ગદર્શન મુજબ કરવું જોઇએ. જો સંઘનું મંદિર હોય તો સંઘના આગેવાનોએટ્રસ્ટીઓએ સોમપુરા વગેરેની પાસેથી આ અંગે માર્ગદર્શન મેળવવું જોઇએ. જો જિનપ્રતિમામાં કે જિનમંદિરમાં તેવો કોઇ મોટો દોષ હોય તો સંભવ છે કે ભવિષ્યમાં સંઘને નુકસાન થાય. 30 શંકા— ૭૮. હમણાં શ્રાવક ધાતુની પ્રતિમા લાવીને નવકારથી પ્રતિષ્ઠિત કરીને પૂજા કરે તો તેને દોષ લાગે કે કેમ ? પૂજાનું ફળ તેને મળે કે નહિ ? સમાધાન– આનો જવાબ પૂર્વે ૪૭ નંબરના શંકા-સમાધાનમાં આવી ગયો છે. શંકા- ૭૯. ભગવાનના પરિકરની અંજનશલાકા-પ્રતિષ્ઠા થયેલી હોય તો તેમાં રહેલી કાઉસ્સગવાળી બે અને પદ્માસનવાળી બે પ્રતિમાઓની પૂજા થાય કે નહિ ? સમાધાન- પરિકરમાં રહેલા ભગવાનની અંજનશલાકા થયેલી હોય તો દરરોજ તેની પૂજા થવી જ જોઇએ. શંકા— ૮૦. ભગવાનના પગને પકડીને માથું-શરીર નમાવીને ઊભા રહેવાય ? ભગવાનના ખોળાને માથું અડાડીને ઊભા રહેવાય ? સમાધાન– બંને રીતે ઊભા ન રહેવાય. અંગપૂજા સિવાય પ્રભુને અડાય પણ નહિ, તો પછી આ રીતે ઊભા કેવી રીતે રહેવાય ? આજે ધર્મસ્થાનમાં મરજી મુજબ ધર્મ કરનારો વર્ગ વધતો જાય છે. ઘરમાં, દુકાનમાં, ઓફિસમાં નિયમ મુજબ વર્તનારો વર્ગ ધર્મસ્થાનમાં મરજી મુજબ વર્તે છે. ઘરમાં સૌ પોતાની મરજી મુજબ વર્તે, તો ઘર ચાલી શકે ખરું ? આવા વર્ગને મારે પૂછવું છે કે, તમે ઘરમાં અને દુકાન વગેરેમાં નિયમ મુજબ વર્તો છો ? ના, તો For Personal and Private Use Only Jain Educationa International Page #94 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૧ અહીં મરજી મુજબ કેમ ? બસ, રેલવે અને પ્લેન વગેરે બધા સ્થળે મરજી મુજબ વર્તી શકાય ખરું ? ધર્મસ્થાનમાં મરજી મુજબ વર્તન થાય છે, તેનું કારણ એક જ છે કે પરમાત્મા હૈયામાં જે રીતે વસવા જોઇએ તે રીતે વસ્યા નથી. જેના હૈયામાં ભગવાન સાચા અર્થમાં વસ્યા હોય, તે જીવને ધર્મની દરેક પ્રવૃત્તિ ભગવાનની આજ્ઞા મુજબ કરવાની ભાવના હોય. એ માટે એ જીવ ભગવાનની આજ્ઞાને જાણવાનો પ્રયત્ન કરે. આજે ધર્મ કરનારાઓમાં ભગવાનની આજ્ઞાને જાણવાનો પ્રયત્ન કરનારા જીવો બહુ ઓછા જોવામાં આવે છે. શંકા– ૮૧. પરમાત્માની પૂજા કરનારા કેટલાક ભાગ્યશાળીઓ પહેલાં પરમાત્માના ઘૂંટણ ઉપરના પગ દબાવે છે, પછી પરમાત્માની હથેળીમાં મસ્તક મૂકે છે, અડાડે છે. આ રીતે કરનારને દોષ લાગે ? પરિણામ તો ૧૦૦% ઊંચા જ હોવા છતાં દોષ સંભવે ખરો ? સમાધાન- આપણે સર્વપ્રથમ એ વાત ખૂબ દઢ કરવાની જરૂર છે કે ધર્મ પરમાત્માની માત્ર ભક્તિમાં નથી, કિંતુ પરમાત્માની આજ્ઞામાં છે. પરમાત્માની ભક્તિ પણ પરમાત્માની આજ્ઞાપૂર્વક થાય તો જ ફળે. આથી જ વીતરાગ સ્તોત્રમાં કહ્યું છે કે “હે ભગવંત ! આપની ભક્તિ કરતાં ય આપની આજ્ઞા શ્રેષ્ઠ છે. આપની આરાધેલી આજ્ઞા મોક્ષ માટે થાય છે અને વિરાધેલી આજ્ઞા સંસાર માટે થાય છે.” પરમાત્માની પૂજાની વિધિમાં પરમાત્માના ઘૂંટણ ઉપરના પગ દબાવવાની કે પરમાત્માની હથેળીમાં મસ્તક મૂકવાની વિધિ નથી. આથી આ અવિધિ છે. એક કોઈ આવી અવિધિ કરે એટલે તેને જોઈને બીજાઓ પણ આ રીતે અવિધિ કરતા થાય. આથી અવિધિની પરંપરાનું પાપ પણ આવી અવિધિનો પ્રારંભ કરનારને લાગે. પરિણામ તો ૧૦૦% ઊંચા જ છે' આ પણ કઈ રીતે માની શકાય? કારણ કે ધર્મમાં આપણા માનેલા પરિણામ કામ ન લાગે. ઉપદેશપદ ગ્રંથમાં સ્પષ્ટ લખ્યું છે કે “આજ્ઞાથી નિરપેક્ષ પરિણામ અજ્ઞાનતાના કારણે શુભ લાગતો હોવા છતાં અશુભ છે.” જેને આજ્ઞા મુજબ ધર્મ કરવો હોય તે આવી અવિધિ કરે નહિ. આવી અવિધિ Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શંકા-સમાધાન કરે છે એનાથી જ સમજી શકાય છે કે એ આજ્ઞાથી નિરપેક્ષ છે. અલબત્ત, કોઈ કોઈ જીવો અજ્ઞાનતાના કારણે આવું કરતા હોય છે. પણ એ અવિધિ તો છે જ. આથી બીજા સમજુ જીવોએ આવી અવિધિ બંધ કરાવવી જોઇએ. અજ્ઞાનતાના કારણે આવું કરનારા સમજવા મળે તો તરત જ વિધિ મુજબ કરનારા બની જાય. શંકા- ૮૨. કાળાં કપડા પહેરીને પ્રભુ પૂજા કરી શકાય ? સમાધાન– ન કરી શકાય. કારણ કે શુભ વસ્ત્ર પહેરીને પૂજા કરવાનું વિધાન છે. કાળાં વસ્ત્રો લોકમાં અશુભ ગણાય છે. શંકા- ૮૩. મહોત્સવ પ્રસંગે મંદિર કે મંડપમાં કાળાં વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવાનો નિષેધ કરાય છે તેનું કારણ શું છે ? સમાધાન- લોકમાં કાળો કલર અશુભ ગણાય છે. તેથી જ વ્યવહારમાં “અમુકે આવાં કાળાં કામો કર્યા” એમ ખોટાં કામોને કાળાં વસ્ત્રો પહેરીને પ્રવેશવાનો નિષેધ કરાય છે, પણ તાત્ત્વિક દષ્ટિએ કાળાં વસ્ત્રો પહેરીને પ્રવેશવાની મનાઈ છે એનો અર્થ “કાળાં કામો કરીને એ કાળાં કામોને છુપાવવા માટે પ્રવેશવાની મનાઈ છે' એવો પણ કરી શકાય. શંકા- ૮૪. પૂજા અને સામાયિકનાં વસ્ત્રો જીર્ણ થયા પછી તેનું શું કરી શકાય ? સમાધાન– બીજા કોઈ પણ કામમાં આ વસ્ત્રોનો ઉપયોગ કરી શકાય અથવા પરઠવી શકાય. પરઠવવાનો વિધિ રૂબરૂ સાધુ ભગવંતો પાસેથી જાણી લેવો. શંકા- ૮૫. જિનપૂજામાં સાત પ્રકારની શુદ્ધિ રાખવાનું કહ્યું છે, એ સાત પ્રકારની શુદ્ધિ કઈ છે ? સમાધાન– શ્રાવકે જિનપૂજામાં ધનની, વસ્ત્રની, ક્ષેત્રની, મનની, વચનની, કાયાની અને પૂજાનાં ઉપકરણોની એમ સાત પ્રકારની શુદ્ધિઓ પાળવી જોઇએ. (૧) ધનશુદ્ધિ– ધન અનીતિ આદિથી કે અનુચિત ધંધાથી મેળવેલું ન હોવું જોઇએ. Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૩ (૨) વસ્ત્રશુદ્ધિ જેનાથી ઝાડો, પેશાબ કર્યા હોય તેવા, ફાટેલાં, સાંધેલા, બળેલા વગેરે વસ્ત્રોનો પૂજામાં ઉપયોગ ન કરવો અને સ્વચ્છ વસ્ત્રોથી પૂજા કરવી તે વસ્ત્રશુદ્ધિ. (૩) ક્ષેત્રશુદ્ધિ– જિનમંદિર શલ્યથી રહિત ભૂમિમાં અને શાસ્ત્રોક્ત વિધિથી બાંધેલું હોય તે ક્ષેત્રશુદ્ધિ. (૪) મનશુદ્ધિ– મનશુદ્ધિ મિથ્યાત્વાદિ દોષોને દૂર કરવાથી થાય છે. જિનપૂજા સિવાય મન બીજા વિચારવાળું બને તો મનની શુદ્ધિ રહેતી નથી. (૫) વચનશુદ્ધિ– પૂજાના અવસરે જિનગુણોનું કીર્તન કરવું અને જિનપૂજા સિવાયના વચનનો ત્યાગ કરવો એ વચનની શુદ્ધિ છે. (૬) કાયશુદ્ધિ સ્નાન કરીને શુદ્ધ કાયાથી પૂજા કરવી તથા જિનપૂજા સિવાયની પ્રવૃત્તિનો ત્યાગ કરવો એ કાયાની શુદ્ધિ છે. (૭) પૂજાના ઉપકરણોની શુદ્ધિ– જિનપૂજા માટેની ચંદન વગેરે સામગ્રી શુદ્ધ હોવી જોઇએ. શંકા- ૮૬. દેરાસરમાં ચૈત્યવંદન કર્યા પછી ભગવાનને ચોખાથી વધાવવામાં આવે છે. તે ચોખા પરિકર વગેરેમાં ભરાઇ જાય છે. ત્યાં કેસર-ચંદનનું નીતરતું પાણી ભળવાથી જીવાત પેદા થાય છે તથા ચોખા પગની નીચે ઠેબે ચડે છે તો આ અંગે શું કરી શકાય ? સમાધાન– ચૈત્યવંદન પછી ચોખાથી ભગવાનને વધાવવાનો વિધિ નથી, માટે આ બંધ કરવું. જેથી ઉક્ત દોષ ન થાય. શંકા- ૮૭. ભાવપૂજારૂપ ચૈત્યવંદન પૂર્ણ થયા બાદ ચોખાથી ભગવાનને વધાવીએ, તેમાં તે ચોખા પગ નીચે આવવાથી દોષ લાગે ? સમાધાન– દ૨૨ોજની જિનપૂજામાં ચોખાથી ભગવાનને વધાવવાનો વિધિ નથી. જ્યાં ચોખાથી ભગવાનને વધાવવાનો વિધિ હોય, ત્યાં ચોખાથી ભગવાનને વધાવવામાં ઊછળેલા ચોખા અનુપયોગથી પગ નીચે આવી જાય તો ખ્યાલ આવતાં મિચ્છા મિ દુક્કડં આપી દેવાથી દોષથી મુક્ત બની જવાય. બને ત્યાં સુધી ઉપયોગ રાખવો. For Personal and Private Use Only Jain Educationa International Page #97 -------------------------------------------------------------------------- ________________ ૩૪ * શંકા-સમાધાન શંકા- ૮૮, ધાતના મોટા પ્રતિમાજી બનાવ્યા હોય, તેમાં ત્રણ ખંડ કરીને રેણ વગેરેથી ફીટ કર્યા હોય તો તે પરમાત્મા અખંડ ગણાય ? તેવા ભગવાનની પૂજા થઈ શકે ? તેવા ભગવાનની અંજનવિધિ થઈ શકે ? સમાધાન- ઉપરોક્ત રીતે તૈયાર કરવામાં આવેલ કોઈ પ્રાચીન પ્રતિમાજી મારા ખ્યાલ મુજબ હાલ મળતા નથી. લગભગ તો પ્રાચીન ઊભા ધાતુની પ્રતિમાજી સાંધાવાળા જોવામાં આવ્યા નથી. વર્તમાનમાં બે ત્રણ ખંડ જોડીને પ્રતિમાજી બન્યા હોય, એની અંજનવિધિ થઈ હોય, એ પૂજાતા પણ હોય, એમ કોક જગાએ જોવા મળે છે. કોઈ આવા પ્રતિમાજીને અખંડ ગણે છે, કોઈ અખંડ નથી ગણતા. એથી આ વિષયમાં ગીતાર્થો અને આ વિષયના અભ્યાસી મુનિઓનો, અનુભવી વિધિકારકોનો સંપર્ક સાધે, તો જ અંતિમ સાચા નિર્ણય પર આવી શકાય, એમ મને જણાય છે. શંકા- ૮૯. પરિકરમાં ચાર ભગવાન હોય અથવા અષ્ટ પ્રાતિહાર્ય હોય તો પાટલુછણાથી સાફ કરી શકાય ? સમાધાન– ન કરી શકાય. આશાતના થાય. ધોયેલું-અત્યંત સ્વચ્છ હોય તેવું પણ પાટલુછણું પરિકરને સાફ કરવાના ઉપયોગમાં ન લેવાય. શંકા– ૯૦. શ્રાદ્ધવિધિ પ્રકરણમાં પૂજાના સત્તર ભેદ પછી ઉપયોગી માર્ગદર્શનમાં પૂજા કરનાર પુરુષ પૂર્વ કે ઉત્તર સન્મુખ ઊભા રહી પૂજા કરે, દક્ષિણ દિશા વર્જવી અને વિદિશા તો સર્વથા વર્જન જ કરવા યોગ્ય છે” એમ કહ્યું છે. સામાન્ય રીતે સંઘના મૂળ દેરાસરોમાં મૂળનાયકનું મુખ પૂર્વ કે ઉત્તર દિશાની સન્મુખ હોય છે. એટલે શ્રાવકનું મુખ પશ્ચિમ કે દક્ષિણ દિશાએ રહીને મૂળનાયકની પૂજા કરે તે સ્વાભાવિક બને છે. ઉપર્યુક્ત શ્રાદ્ધવિધિના ફકરા નીચે તેમ ન થાય તો શિક્ષા મોટી થાય તેમ જણાવેલ છે.” તેથી સમાધાન કરવા વિનંતી. સમાધાન- શ્રાદ્ધવિધિનો એ પાઠ ગૃહમંદિર માટે છે, સંઘમંદિર માટે નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૫ શંકા ૯૧. શરીરના કોઈ અંગમાં પરુ(રસી) થઈ હોય તો પૂજા ન થઈ શકે, તેનું શું કારણ ? સમાધાન– પરમાત્મા ત્રણ લોકના નાથ હોવાથી તેની પૂજા શુદ્ધ શરીરથી કરવી જોઇએ, લોકમાં પણ રાજા વગેરે મોટા માણસની પાસે જવું હોય, તો શુદ્ધ શરીરથી જવું જોઇએ. અશુદ્ધ શરીરથી રાજા પાસે ન જઈ શકાય, તો પછી ત્રણ લોકના નાથ એવા પરમાત્માની પૂજા પરુ વગેરેથી અશુદ્ધ થયેલા શરીરથી કેમ કરી શકાય ? અઢાર અભિષેક સંબંધી શંકા-સમાધાન શંકા- ૯૨. ૭ થી ૧૧ ઇંચ સુધીની ધાતુની પ્રતિમા અઢાર અભિષેક કરાવેલી હોય તો તેની પ્રક્ષાલપૂજા થઈ શકે કે નહિ ? એ પ્રતિમાજીની પૂજા રોજ કરવી પડે કે એકાદ વખત ન થાય અથવા ઘર બંધ કરીને પરદેશ જાય અને ચાર મહિના ન થાય તો દોષ લાગે કે કેમ ? સમાધાન માત્ર અઢાર અભિષેક કરવાથી પ્રતિમાજી પૂજનીય બનતા નથી. ધાતુના કે આરસના, નાના કે મોટા, કોઈ પણ પ્રતિમાજી અંજનશલાકા થયા પછી જ પૂજનીય બને છે. અંજનશલાકાની વિધિથી પૂજનીય બનેલા પ્રતિમાજીની પ્રક્ષાલ વગેરે પૂજા રોજ કરવી જોઇએ. એક દિવસ પણ પ્રતિમાજીને અપૂજ ન રાખી શકાય. જે શ્રાવકે પોતાના ઘરમાં અંજનશલાકાવાળા પ્રતિમાજી બિરાજમાન કર્યા હોય અને ઘર બંધ કરીને જવાનું થાય ત્યારે સંઘમંદિરમાં પ્રતિમાજી મૂકી શકાય. જેથી પ્રતિમાજી અપૂજ ન રહે. શંકા– ૯૩. હમણાં શ્રાવકો કેવળ અઢાર અભિષેક થયા હોય તેવી જિનમૂર્તિ સ્વઘરમાં પધરાવીને તેની કેસર વગેરેથી પૂજા કરે છે તે બરોબર છે ? સમાધાન– આ બરાબર નથી. અઢાર અભિષેકથી પ્રતિમાજી પૂજનીય બનતા નથી. પ્રતિમાજીને પૂજનીય બનાવવા શાસ્ત્રોક્ત અંજનશલાકા વગેરે વિધિ થવી જોઇએ. અઢાર અભિષેક પ્રતિમાને Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શંકા-સમાધાન પૂજનીય બનાવવા માટે નથી, મંદિરમાં જાણતાં-અજાણતાં આશાતના થઈ ગઈ હોય, તો એ આશાતના દૂર થાય એ માટે અઢાર અભિષેક છે. અઢાર અભિષેકવાળા પ્રતિમાજીના દર્શન અને બે હાથ જોડીને મસ્તક નમાવીને નમન પણ કરી શકાય. હજી ધૂપ-દીપ પણ કરી શકાય. પરંતુ કેસરપૂજા વગેરે પૂજા, વાસક્ષેપથી પૂજા કે ચૈત્યવંદન ન થઈ શકે. અઢાર અભિષેકવાળા પ્રતિમાજીની પૂજા કરવાની પ્રવૃત્તિથી અનવસ્થા વધે. એકને જોઈને બીજાઓ પણ તેવી પ્રવૃત્તિ કરવા માંડે. જો એમ થાય તો સમય જતાં અંજનશલાકા આદિ વિધિ ગૌણ બની જવાની સંભાવના રહે. ગીતાર્થ ગુરુઓએ વ્યાખ્યાનાદિમાં આનો નિષેધ કરવો જોઈએ. જેથી અનવસ્થા ન ચાલે. શંકા- ૯૪. અઢાર અભિષેક કરેલા ભગવાન ઘરમાં રખાય ? તેની વાસક્ષેપ આદિ પૂજા થાય ? સમાધાન અઢાર અભિષેક કરેલા ભગવાન માત્ર દર્શનીય તરીકે ઘરમાં રાખવામાં વાંધો નથી પણ તેની વાસક્ષેપ આદિથી પૂજા ન થાય. કારણ કે અઢાર અભિષેક કરેલા ભગવાન પૂજનીય બનતા નથી, માત્ર દર્શનીય છે. અંજનશલાકા થયા પછી જ ભગવાન પૂજનીય બને છે. આજે માત્ર અઢાર અભિષેક કરાવીને કેટલાક પ્રતિમાજીને પૂજે છે, તે બરોબર નથી. પ્રતિમાજીની આશાતના થઈ ગઈ હોય તો આશાતનાને દૂર કરવા માટે અઢાર અભિષેક છે. પણ પ્રતિમાજીને પૂજનીય બનાવવા માટે અઢાર અભિષેક નથી. અજ્ઞાન શ્રદ્ધાળુ લોકો ઘરમાં કે દુકાન આદિમાં ફોટાની સામે ધૂપ-દીપ કરતા હોય છે. પણ અજ્ઞાન લોકો કરે તેટલા માત્રથી તે વિધિરૂપ ન બની જાય. તેથી સમજુ જીવોએ તેમ ન કરવું જોઇએ. આમાં જિનાજ્ઞા વિરુદ્ધ કર્યાનો દોષ લાગે. અંજન થયેલા પ્રતિમાજી પૂજનીય બને, એવી જિનાજ્ઞા છે. શંકા– ૫. કોઈ પૂજા, પૂજન કે અઢાર અભિષેક આદિનો ચઢાવો ન બોલતાં નકરો નક્કી કરીને નકરાથી આદેશ આપે તો નકરાની રકમથી શું શું થઈ શકે ? Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૭ સમાધાન– એ રકમમાંથી પૂજા વગેરે થઈ શકે. પ્રભાવના, સંગીતકાર ખર્ચ વગેરે થઈ શકે. પૂજા-પ્રભાવનાદિ થઈ ગયા પછી એ રકમ વધી હોય તો તેનો ઉપયોગ પ્રભુભક્તિમાં જ થઈ શકે. પૂજન સંબંધી શંકા-સમાધાન શંકા- ૯૬. શ્રી સંઘમાં શ્રી સિદ્ધચક્રપૂજન વગેરે કોઈ પણ અનુષ્ઠાન માટે લેવાતો નકરો કયા ખાતે જમા થાય ? સમાધાન– કોઈ શ્રાવક શ્રી સિદ્ધચક્રપૂજન વગેરે અનુષ્ઠાન કરાવે, તેમાં તે શ્રાવક સંઘમંદિરની સિંહાસન વગેરે સામગ્રીનો ઉપયોગ કરે. હવે જો સંઘમંદિરની સિંહાસન વગેરે સિદ્ધચક્રપૂજન માટે વપરાતી સામગ્રી દેવદ્રવ્યની ન હોય તો એ નકરો શ્રી જિનભક્તિ સાધારણ ખાતામાં જમા કરી શકાય. પણ વપરાતી એ સામગ્રી સાધારણ દ્રવ્યમાંથી બનવા પામી છે કે કેમ ? એની પાકી ખાતરી કરી લેવી જોઇએ. શંકા- ૯૭. કોઈ ભાડુતી હોલમાં પૂજન ભણાવનાર કોઈ એક વ્યક્તિનું પૂજનની વચ્ચેના ભાગમાં શ્રીફળ કે અન્ય રીતે સ્વાગત કરી શકાય ? સમાધાન- પ્રભુજીની સમક્ષ કોઈનું ય સ્વાગત કરી શકાય નહિ અને પૂજન ચાલતું હોય, ત્યારે પણ કોઇનું ય સ્વાગત કરી શકાય નહિ. પૂજન પૂર્ણ થયા પછી ભાડૂતી હોલ વગેરેમાં પડદો વગેરે વ્યવસ્થા કરીને સ્વાગત કરવામાં બાધ જણાતો નથી. શંકા- ૯૮. પૂજન ભણાવતી વખતે મોટે ભાગે વિવેચન કરવામાં આવે છે તેનું શું ? સમાધાન- પૂજન ભણાવતાં વચ્ચે લાંબુ વિવેચન કરવું યોગ્ય જણાતું નથી. એક મોટા પૂજનમાં અવાંતર અનેકોનું પૂજન હોય છે. આથી પૂજામાં બેઠેલા શ્રાવક-શ્રાવિકાઓને શાનું પૂજન શરૂ થયું કે શાનું પૂજન ચાલી રહ્યું છે, એ ખ્યાલમાં આવે એટલા પૂરતું સામાન્ય કહેવામાં આવે અને એનો અત્યંત સંક્ષેપથી મહિમા કે સ્વરૂપ સમજાવવામાં આવે, એ હજી કંઈક ઉચિત ગણાય. પણ આજે Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ३८ શંકા-સમાધાન કેટલાક લાંબુ લાંબુ વિવેચન કરી રહ્યા છે તે જરા પણ યોગ્ય જણાતું નથી. એમાં પણ બપોર પછી પૂજન હોય અને શિયાળાના દિવસો હોય, તો તો લાંબુ લાંબુ વિવેચન કરવામાં રાત્રિભોજનનો દોષ લાગી જવાની પણ પૂરી સંભાવના છે. શંકા- ૯૯.. પૂજા-પૂજન-ભાવનામાં ભાડૂતી ગવૈયા વગેરેનું પ્રભુભક્તિ સિવાયનું બીજું-ત્રીજું બોલવાનું ખૂબ વધી રહ્યું હોય એમ જણાય છે. તો એમના એવા બોલવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ જરૂરી ખરો કે નહિ ? સમાધાન પૂજા-પૂજન-ભાવનામાં પ્રભુભક્તિ સિવાયનું કશું બોલી શકાય નહિ. પૂજન વગેરે ચાલતું હોય ત્યારે હવે શાનું પૂજન શરૂ થાય છે એ પૂજનનો શો મહિમા છે ઇત્યાદિ સામાન્ય સમજ આપવી એ અલગ વાત છે અને લાંબા લાંબા વિવેચનો કરવા એ અલગ વાત છે. આથી જે મહાત્માની નિશ્રામાં પૂજા-પૂજન વગેરે હોય તે મહાત્માએ, પૂજા-પૂજનનો લાભ લેનાર ભાગ્યશાળીએ અને મંદિરઉપાશ્રયના ટ્રસ્ટી વિગેરેએ આ વિષે બરોબર લક્ષ આપવું જોઇએ. પહેલેથી ગવૈયાઓને પ્રભુભક્તિ સિવાયનું ન બોલવાનું સૂચન આપવું જોઇએ. છતાં બોલે તો અટકાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. પણ ખરી હકીકત એ છે કે આજે લગભગ બધાની નજર લોકસંખ્યાની વૃદ્ધિ ઉપર રહે છે. જ્યાં સુધી પૂજા-પૂજન-ભાવનામાં લોકસંખ્યાની વૃદ્ધિ ઉપર નજર હોય ત્યાં પ્રભુભક્તિ ઉપર લક્ષ ન રહે એ સહજ છે. જે મહાત્માની નિશ્રામાં પૂજન વગેરે હોય તે મહાત્માને એમ થાય કે મારી નિશ્રામાં થતા પૂજનમાં લોકસંખ્યા વધવી જોઇએ, પૂજનનો લાભ લેનાર ભાગ્યશાળીને મારા રાખેલા પૂજનમાં વિશાળ લોકસંખ્યા હતી એમ કહેવડાવવું હોય, વિધિકારકોનું અને ગવૈયાઓનું લક્ષ પોતાની પ્રસિદ્ધિ થાય તે તરફ હોય, તો કેવળ બાહ્ય આડંબર થાય અને ભક્તિ ગૌણ બને એમાં નવાઇ ન ગણાય. Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૩૯ શંકા- ૧૦૦. હમણાં હમણાં ગવૈયાઓએ અંતરાયકર્મ નિવારણ પૂજામાં બીજું બધું ભૂલો ભલે, મા-બાપને ભૂલશો નહિ આ જૈનેતરનું ગીત ગાવાનું શરૂ કર્યું છે તે શું યોગ્ય છે ? સમાધાન– આ જરાય યોગ્ય નથી. મંદિરમાં પ્રભુના જ ગુણગાન ગવાય, મા-બાપ વગેરેના નહિ. મંદિરમાં મા-બાપના ગુણગાન કરવામાં પ્રભુની આશાતના છે. શંકા- ૧૦૧. ગવૈયાઓ દ્વારા થતી ભક્તિ ભાડૂતી ભક્તિ થઈ ગઈ છે. હવે એવી રીતે પૂજા ભણાવાય છે કે એમાં ગવૈયાઓ કેવળ શ્રાવકોને ખુશ કરવા ગાય છે. ભગવાનની સામે જોઈને ગાનારા બહુ જ ઓછા, હલકી કોમના પણ આવે છે. તો આવી રીતે પૂજાપૂજનો ભણાવવાથી શાસનની પ્રભાવના ખરેખર થાય કે કેમ ? પૂજનો ભણાવનારા ભાડૂતી ક્રિયાકારકો હોય છે. આવી રીતે પૂજાપૂજનો ન ભણાવવા એમ કહેવાથી દોષ લાગે કે નહિ ? સમાધાન– આવી રીતે પૂજા-પૂજનો ન ભણાવવા એમ બોલવામાં દોષ લાગે. પૂજા-પૂજનો ન ભણાવવા એમ બોલવાને બદલે પૂજાપૂજન વિધિપૂર્વક ભણાવવા જોઈએ એમ બોલવું જોઈએ. પૂજાપૂજનોમાં અવિધિ થતી હોય કે મર્યાદાઓનો ભંગ થતો હોય તો તેને દૂર કરવા યોગ્ય પ્રયત્નો કરવા જોઈએ. પૂજા-પૂજનોમાં ગવૈયાઓ વેતનથી આવે અને ક્રિયાકારકો પણ વેતનથી આવે એટલા માત્રથી પૂજા-પૂજનોને ભાડૂતી ન કહેવાય. પૂજા-પૂજનોને રાખનારા શ્રાવકો અને પૂજા-પૂજનમાં બેસનારા શ્રાવકોના ભાવ ખોટા હોય તો પૂજાપૂજન દ્રવ્યપૂજા-પૂજન ગણાય. પૂજા-પૂજનમાં ભાવનું મહત્ત્વ છે. પૂજાપૂજનોમાં ગવૈયાઓ કેવા અને વિધિકારકો કેવા છે એના કરતાંય પૂજાપૂજન રાખનાર અને પૂજા-પૂજનમાં બેસનારાઓના ભાવ કેવા છે એ મહત્ત્વની વાત છે. ગવૈયા સારા અને ક્રિયાકારકો પણ સારા હોય, તો પણ જો પૂજા-પૂજન રાખનારા અને પૂજા-પૂજનમાં બેસનારાઓના ભાવ સારા ન હોય તો એ પૂજા-પૂજનથી કોઈ લાભ ન થાય. એનાથી ઊલટું, કદાચ ગવૈયો સારો ન હોય અને વિધિકારક બરાબર ન હોય, Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શંકા-સમાધાન તો પણ જો પૂજા-પૂજનને રાખનારાઓના અને પૂજા-પૂજનમાં બેસનારાઓના ભાવ સારા હોય તો ઘણો લાભ થાય. આનો એવો અર્થ ન કરવો કે ગવૈયાઓ અને ક્રિયાકારકો ગમે તેવા ચાલે. ગવૈયાઓ અને ક્રિયાકારકો સારા હોય તો ભાવમાં વૃદ્ધિ થાય. ગવૈયાઓ આચારસંપન્ન અને સારું ગાનારા હોવા જોઈએ. વિધિકારકો પણ આચારસંપન્ન અને શુદ્ધ વિધિ કરાવનારા હોવા જોઇએ. પૂજનોમાં રાત્રિભોજન, અભક્ષ્ય ભક્ષણ વગેરે ન થવું જોઇએ. પણ ઘણા સ્થળે આની કાળજી રખાતી નથી. ક્યારેક વિધિકારકો લાંબા લાંબા વિવેચનો કરીને જમણવારમાં રાત્રિભોજન થવામાં નિમિત્ત બનતા હોય છે. ક્યારેક વિધિકારકો અમુક સમય સુધી લાંબા લાંબા વિવેચનો કરે છે અને પછી છેલ્લો વિધિ જલદી જલદી જેમ તેમ પૂરો કરે તેવું બનતું હોય છે. નાનું પણ અનુષ્ઠાન વિશુદ્ધ થાય તો ઘણો લાભ થાય, મોટું પણ અનુષ્ઠાન અશુદ્ધ રીતે થાય તો વિશેષ લાભ ન થાય. અનુષ્ઠાનને વિશુદ્ધ બનાવવા માટે સર્વપ્રથમ હૈયામાં પરમાત્મા પ્રત્યે પ્રેમ થવો જોઇએ. જયારે હૈયામાં પરમાત્મા પ્રત્યે પ્રેમ જાગે છે ત્યારે નાનું પણ અનુષ્ઠાન ભગવાનની આજ્ઞા મુજબ કરવાનું મન થાય છે. જેને ભગવાનની આજ્ઞા મુજબ અનુષ્ઠાન કરવાની ભાવના થાય તે ગવૈયા અને વિધિકારકો તેવા જ લાવે કે જેથી પરમાત્મભક્તિમાં ભાવની વૃદ્ધિ થાય તથા રાત્રિભોજન અને અભક્ષ્યભક્ષણ વગેરે પાપો ન થવા દે. જ્યાં કેવળ દેખાવ માટે જ અથવા રિવાજ ખાતર જ પૂજાપૂજનો થાય ત્યાં આ બધું ન સચવાય. શંકા- ૧૦૨. લગ્નપ્રસંગ નિમિત્તે શ્રી સિદ્ધચક્ર આદિ મહાપૂજન પૂ. ગુરુ ભગવંતોની નિશ્રામાં કરવામાં આવે છે તે શાસ્ત્રદષ્ટિએ ઉચિત છે ? સમાધાન– શ્રાવકે પોતાના લગ્નાદિ સાંસારિક પ્રસંગમાં ધર્મની મુખ્યતા રાખવી જોઈએ એવી જિનાજ્ઞાના પાલન માટે શ્રી સિદ્ધચક્ર આદિ મહાપૂજન પૂ. ગુરુભગવંતોની નિશ્રામાં કરે તો તે શાસ્ત્રદષ્ટિએ ઉચિત છે. Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૧. શંકા- ૧૦૩. પૂજનમાં સાધુ ભગવંતની હાજરીમાં શ્રાવિકા નૃત્ય કરી શકે ? સમાધાન- ગુરુની કે પુરુષની હાજરીમાં શ્રાવિકા નૃત્ય ન કરી શકે. શંકા- ૧૦૪. આઠમ-ચૌદશ વગેરે પર્વતિથિએ પૂજા-પૂજનમાં ફળોનો ઉપયોગ કરી શકાય ? જો કરી શકાય તો શા માટે ? પર્વતિથિએ પૂજા-પૂજન માટે કોઇ ફળ લાવી આપે તો તેને દોષ લાગે? સમાધાન- પર્વતિથિએ પણ પૂજા-પૂજનમાં ફળોનો ઉપયોગ કરી શકાય, કારણ કે પર્વતિથિએ ફળના ઉપયોગનો નિષેધ પોતાને ખાવા માટે છે. પૂજા-પૂજન માટે નહિ, અર્થાત્ પર્વતિથિએ ફળ પોતાનાથી ખવાય નહિ, પણ પૂજા-પૂજનમાં ફળનો ઉપયોગ કરી શકાય. આથી પર્વતિથિએ પૂજા-પૂજન માટે ફળ લાવી આપનારને દોષ લાગે નહિ. જિનમંદિર સંબંધી શંકા-સમાધાન શંકા- ૧૦૫. ઘરદેરાસર બનાવવું હોય તો શું કરવું જોઇએ? આ માટે કોઈ પુસ્તક પ્રકાશિત થયું હોય, તો તે પુસ્તક ક્યાંથી મળશે તે જણાવશો અથવા “કલ્યાણ'માં વિગતવાર માહિતી આપશોજી. સમાધાન- શક્તિસંપન્ન દરેક શ્રાવકે ગૃહમંદિર બનાવવું જોઇએ એવી પરમાત્માની આજ્ઞા છે. ગૃહમંદિર બનાવવા માટે નીચેની વિગતો ખ્યાલમાં રાખવી જોઇએ- (૧) દિશા- ગૃહમંદિરમાં પૂજા કરનારે પૂર્વ કે ઉત્તર સન્મુખ રહીને પૂજા કરવી જોઈએ. આથી ગૃહમંદિરમાં પ્રતિમાજી દક્ષિણાભિમુખ કે પશ્ચિમાભિમુખ બિરાજમાન કરવા જોઇએ. (૨) સ્થાન- ઘરમાં પ્રવેશતાં પોતાની ડાબી બાજુએ પ્રતિમાજી બિરાજમાન કરવા જોઇએ. (૩) ઊંચાઈ- જ્યાં નીચે હાડકાં વગેરે અશુદ્ધ પદાર્થો દટાયેલા ન હોય, તેવી ભૂમિ ઉપર ઘરના પરથાળથી ઓછામાં ઓછી દોઢ હાથની ઊંચાઈએ પ્રતિમાજી બિરાજમાન કરવા જોઇએ. (૪) સ્વરૂપ- પ્રતિમાજી પાષાણના ન ચાલે, ધાતુ વગેરેના હોવા જોઇએ. (૫) પ્રતિમાજી પરિકર સહિત હોવા જોઇએ. (૬) પાષાણ, લેપ, હાથીદાંત, કાઇ, લોખંડ વગેરેની Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શંકા-સમાધાન પ્રતિમા ન પૂજવી, કિન્તુ પીતલ વગેરે ધાતુની પ્રતિમા પૂજવી. (૭) માપ- ૧૧ ઇંચથી મોટા પ્રતિમાજી ન ચાલે. (૮) નામ- ઘરમાં જે મુખ્ય વ્યક્તિ હોય તેમની રાશિ વગેરેને અનુકૂળ હોય તે નામના પ્રભુજી પધરાવવા. (૯) શક્ય હોય ત્યાં સુધી પ્રાચીન પ્રતિમાજી બિરાજમાન કરવા. (૧૦) જો પ્રતિમાજી નૂતન હોય તો ગુરુની પાસે અંજનશલાકા કરાવવી જોઈએ. પ્રાથમિક જરૂરી સામાન્ય વિગતો અહીં જણાવી છે. વિશેષ વિગતો ગુરુની પાસેથી જાણી લેવી જોઇએ. આ વિષે “ઘર ઘરની શોભા' એ નામનું પુસ્તક પ્રકાશિત થયું છે. તેના લેખક મુનિશ્રી વરબોધિવિજયજી (હાલ પૂ. આચાર્યદેવ વરબોધિસૂરિજી, સંપા.) છે એવો ખ્યાલ છે. તેના પ્રકાશકનું સરનામું નીચે મુજબ છે : દિવ્યદર્શન ટ્રસ્ટ, C/o. કુમારપાળ વી. શાહ, ૩૯, કલિકુંડ સોસાયટી, ધોળકા-૩૮૭ ૮૧૦ (જિ. અમદાવાદ). શંકા- ૧૦૬. ગૃહમંદિર કરવામાં પ્રભુજીને ભીંતમાં ગોખલો બનાવીને પધરાવી શકાય તેમ ન હોય, તો પ્રભુમૂર્તિની ઉપર ત્રણ છત્ર રાખવામાં આવે, તો ઉપરના માળવાળા લોકોનો પ્રભુની મૂર્તિ ઉપર ચાલવાનો દોષ ટળે ખરો ? સમાધાન ન ટળે. ત્રણ છત્રો ભગવાનના અતિશયરૂપ છે, ઉપર ચાલવાનો દોષ દૂર કરવા માટે નથી. શંકા- ૧૦૭. દહેરાસરમાં ભગવાનના ફોટા લગાવાય ? સમાધાન- દહેરાસરમાં ભગવાનની પ્રતિમાઓ વિદ્યમાન છે. આથી ફોટાની કોઈ જરૂર નથી. દહેરાસરમાં ભગવાનના ફોટા લગાવવાની પ્રથા યોગ્ય જણાતી નથી. શંકા- ૧૦૮. જિનમંદિરમાં કેટલા પ્રતિમાજી હોવા જોઇએ ? સમાધાન- જિનમંદિરમાં પ્રતિમાજી કેટલા હોવા જોઇએ એનો નિર્ણય પૂજા કરનારા કેટલા છે એના આધારે થઈ શકે. પૂજા કરનારા ઓછા હોય અને પ્રતિમાજી વધારવામાં આવે તો પ્રતિમાજી પૂજારીના ભરોસે રાખવા પડે. પૂજારી પૂજા ગમે તેમ કરે અથવા કોઈને ખબર ન પડે તો પૂજા ન પણ કરે. એથી ઘણી આશાતના થાય. પૂજારી Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૩ અયોગ્ય હોય તો દૂધ-ઘી વગેરેની ચોરી પણ કરે. ટ્રસ્ટીઓએ આ અંગે પૂરું ધ્યાન આપવું જોઇએ. પૂજનારા ઓછા હોય તો પ્રતિમાઓ વધારવી ન જોઇએ? શંકા- ૧૦૯. ગભારામાં પ્રતિમાજી એકી સંખ્યાવાળી જ જોઇએ એવો નિયમ છે ? સમાધાન– ગભારામાં પ્રતિમાજી એકી સંખ્યાવાળી જ જોઇએ એવો કોઈ શાસ્ત્રપાઠ મારા જાણવામાં આવ્યો નથી. શંકા- ૧૧૦. ચતુર્મુખ જિનાલયમાં પ્રતિમા તીર્થંકરની હોય કે સિદ્ધ ભગવંતની હોય ? તેમાં જે ધજા ચડે તે તીર્થકર અવસ્થાને અનુલક્ષીને હોય કે સિદ્ધ અવસ્થાને અનુલક્ષીને ? સમાધાન- ચતુર્મુખ જિનાલયમાં તીર્થકર કે સિદ્ધ ભગવંત એ બેમાંથી કોઈની પણ પ્રતિમા રાખી શકાય. જો મૂળનાયકની પ્રતિમા તીર્થકર અવસ્થાની હોય તો ધજા તીર્થકર અવસ્થાને અને સિદ્ધ ભગવંતની અવસ્થાની હોય તો સિદ્ધ અવસ્થાને અનુલક્ષીને ધજા ચડાવવી જોઇએ. શંકા- ૧૧૧. જિનમંદિરનો જીર્ણોદ્ધાર થાય ત્યારે જિનમંદિરમાં પ્રવેશ કરવાનો મુખ્ય દરવાજો ભગવાનના મૂળગભારાની સામે લેવામાં આવે છે, જેથી ભગવાનની દષ્ટિ સીધી રોડ ઉપર પડે. શું આ બરોબર છે ? સમાધાન– એ બરોબર છે. શિલ્પશાસ્ત્રની દષ્ટિએ ભગવાનની દૃષ્ટિ રોડ ઉપર પડે એ શ્રેષ્ઠ ગણાય છે. શંકા- ૧૧૨. આજકાલ નવી ઘડાયેલી પ્રતિમાજીઓને પણ ફક્ત બે એક વર્ષમાં જ ઓપ આપવાના બહાને ઘસવાનું ચલણ વધતું જાય છે. આ શાસ્ત્રોક્ત છે ? સમાધાન- ઓપ આપ્યા વિના પણ જો પ્રતિમાજી સુશોભિત હોય તો ઓપ આપવા પ્રતિમાજીને ઘસવી એ યોગ્ય જણાતું નથી. કારણ કે તેમ કરવાથી પ્રતિમાજી જલદી વિનાશ પામે. Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન શંકા- ૧૧૩. જિનમંદિરમાં જિનમૂર્તિ સામ-સામે હોય તેથી પૂજા-દર્શન કરતાં જિનમૂર્તિને પુંઠ પડે, તેથી આ રીતે મૂર્તિ સ્થાપના યોગ્ય ગણાય ખરી ? ૪૪ સમાધાન પુંઠ પડે એ રીતે એકદમ સામ-સામે જિનમૂર્તિની સ્થાપના યોગ્ય જણાતી નથી. શંકા- ૧૧૪. નવા બનતા દેરાસરમાં પ્રતિમાજી નવા બિરાજમાન ક૨વા કે પ્રાચીન ? સમાધાન પહેલા નંબરમાં પ્રાચીન પ્રતિમાજી બિરાજમાન કરવા જોઇએ. પ્રાચીન પ્રતિમાજી મેળવવા પ્રયત્ન કરવો જોઇએ. સંઘે પણ જો પ્રાચીન પ્રતિમાજી વધારે હોય તો નવા દહેરાસરમાં આપવા જોઇએ. આજે ઘણા સ્થાને મંદિરમાં પ્રતિમાજી ઘણા હોય છે અને પૂજા કરનારાઓ હોતા નથી કે બહુ જ થોડા હોય છે. આથી મોટા ભાગે પૂજારીઓ જ પ્રતિમાજીની પૂજા કરતા હોય છે. આજે અપવાદને છોડીને મોટા ભાગે પૂજારીઓ દ્વારા થતી પૂજામાં ભગવાનની આશાતના થતી હોય છે. છતાં ટ્રસ્ટીઓ નવા થતા દહેરાસરમાં પ્રતિમાજી આપતા નથી. આ બરોબર નથી. પ્રયત્ન કરવા છતાં પ્રાચીન પ્રતિમાજી ન મળે તો નવા પ્રતિમાજી બિરાજમાન કરી શકાય. શંકા- ૧૧૫. આજે જ્યાં જૈનોનાં ઘરો ન હોય, ત્યાં પણ જિનમંદિરો બની રહ્યા છે તે યોગ્ય છે ? સમાધાન– જયાં જૈનોનાં ઘરો ન હોય ત્યાં જિનમંદિરો બંધાવવા એ યોગ્ય જણાતું નથી. કારણ કે ત્યાં પ્રભુજીની આશાતના વગે૨ે ઘણા દોષો થવાનો સંભવ છે તથા ત્યાં જિનમંદિર બનાવવામાં સંપત્તિનો જેટલો વ્યય થાય તેટલી સંપત્તિનો ઉપયોગ જ્યાં જૈનોનાં ઘરો હોય અને જિનમંદિર ન હોય, ત્યાં જિનમંદિર-ઉપાશ્રય બનાવવામાં આવે તો વધારે લાભ થાય. હા, હજી તીર્થયાત્રા માટે જતા-આવતા યાત્રિકો-મુસાફરો વચ્ચે વિશ્રામ કરી શકે તેવું સ્થાન હોય, ત્યાં યાત્રિકો-મુસાફરો વિશ્રામ કરે અને દર્શન-પૂજનનો લાભ For Personal and Private Use Only Jain Educationa International Page #108 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૫ લે, એ હેતુથી જિનમંદિર કે ધર્મસાધનો વગેરે બંધાવવામાં આવે તો સારો લાભ થાય. શંકા- ૧૧૬. જ્યાં જૈનોનું એક પણ ઘર ન હોય, ત્યાં જિનમંદિર બંધાવવુ એ ઉચિત ગણાય ? સમાધાન જ્યાં જૈનોનું એક પણ ઘર ન હોય ત્યાં જિનમંદિર બંધાવવું ખાસ એવા કારણ વિના ઉચિત નથી. કારણ કે તેવી સ્થિતિમાં જિનમંદિર બંધાવવાથી ભગવાન પૂજારીના ભરોસે સોંપવા પડે. આથી પૂજારી આદિ દ્વારા ઘણી આશાતના થવાનો સંભવ છે. આ સામાન્યથી જણાવ્યું છે. વિશેષથી તો શ્રદ્ધાસંપન્ન શ્રાવક આદિને શાસન-પ્રભાવના આદિ લાભનું કારણ જણાય, તો જ્યાં જૈનોનું એક પણ ઘર ન હોય ત્યાં પણ જિનમંદિર બંધાવી શકાય. શંકા- ૧૧૭. પરિકર એટલે શું ? સમાધાન– પરિકરનો શબ્દાર્થ ‘પરિવાર' થાય. તીર્થંકર ભગવંતો કેવલજ્ઞાન પામીને તીર્થની સ્થાપના કરે, ત્યારથી પ્રારંભી નિર્વાણ ન પામે, ત્યાં સુધી સદા પોતાના પરિવારથી સહિત હોય છે. સાધુસાધ્વી-શ્રાવક-શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘ ભગવાનનો પરિવાર છે. એથી પ્રતિમામાં પરિવારની સ્મૃતિ માટે પરિકર બનાવવામાં આવે છે. જે પ્રતિમા પરિકર સહિત હોય, તે વિદ્યમાન અરિહંતની ગણાય છે. જે પ્રતિમા પરિકર રહિત હોય તે પ્રતિમા સિદ્ધ થયેલા અરિહંતની ગણાય છે. માટે જ મૂળનાયક પરિકર સહિત હોય તો શિખર ઉપર લહેરાતી ધજામાં વચ્ચે સફેદ કલરનો પટ્ટો હોય છે. જો પરિકર વિનાની હોય તો ધજામાં વચ્ચે લાલ કલરનો પટ્ટો હોય છે. અરિહંતપદનો વર્ણ સફેદ-શ્વેત ગણવામાં આવે છે, માટે ધજામાં વચ્ચે શ્વેત રંગનો પટ્ટો હોય છે. સિદ્ધપદનો વર્ણ લાલ ગણવામાં આવે છે, માટે ધજામાં વચ્ચે લાલ રંગનો પટ્ટો હોય છે. વિદ્યમાન અરિહંત ભગવાનની સ્મૃતિ માટે પ્રતિમાજીની ચારે બાજુ પરિકર બનાવવામાં આવે છે. પરિકરની રચના નીચે મુજબ હોય છે— For Personal and Private Use Only Jain Educationa International Page #109 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શંકા-સમાધાન પરિકરની નીચેના ભાગે ચામરધારી ઇન્દ્ર હોય છે. તેની ઉ૫૨ વાંસળી-વીણાધારી દેવ હોય છે. તેની ઉપર માળાધારી ઇન્દ્ર હોય છે. તેની ઉપર હાથી હોય છે. તેની ઉપર હરિણૈગમેષી દેવ હોય છે. તેની ઉ૫૨ દુદુંભિવાદક દેવ હોય છે. તેની ઉપર શંખવાદક દેવ હોય છે. આમ બંને બાજુ હોય છે. પરિકરની ગાદીમાં જિનનું લાંછન હોય છે. તેની નીચે જમણી તરફ યક્ષ હોય છે અને ડાબી તરફ યક્ષિણી હોય છે તથા બે સિંહ, બે હાથી, બે ચામરધારી ઇન્દ્ર હોય છે. મધ્યમાં ચક્રધારી દેવી હોય છે. આમ નવરૂપ હોય છે. જો સાત હોય તો ચામરધારી ઇન્દ્ર ન હોય. ચક્રધારી દેવીની નીચે ધર્મચક્ર હોય છે. ધર્મચક્રની બંને બાજુ એક એક હરણ હોય છે. તેની નીચે નવગ્રહો હોય છે. આ બધું વિદ્યમાન અરિહંતનો મહિમા બતાવવા માટે હોય છે. દરેક મૂળનાયકને પરિકર જરૂરી છે, એવું નથી. છતાં હોય તો વધારે સારું. પ્રતિષ્ઠિત બિંબ પછીથી પણ પરિકરથી અંકિત કરવામાં આવી શકે. શંકા- ૧૧૮. દેરાસરમાં નવકારવાળી ગણવામાં દોષ લાગે ? સમાધાન—દ્રવ્યપૂજા-ભાવપૂજા સિવાય દેરાસરમાં રહેવાનો નિષેધ છે. કારણ કે સ્નાન કર્યું હોય તો પણ શરીરમાં પરસેવો થાય, અધોવાયુનો સંચાર થાય(=વાછૂટ થાય). એના કારણે જિનમંદિરની આશાતના થાય. તેમાં પણ પૂજાના કપડામાં તો ખાસ નવકારવાળી ન ગણવી જોઇએ. કેમ કે શરીરનો પસીનો વગેરે પૂજાના કપડાને લાગે. પૂજાના કપડાનો ઉપયોગ જિનપૂજા પૂરતો જ કરવો જોઇએ. નવકારવાળી ઉપાશ્રયમાં કે ઘર વગેરેમાં એકાંત સ્થાનમાં ગણવી જોઇએ. શંકા- ૧૧૯. જિનમંદિરમાં ભગવાનને પ્રદક્ષિણા આપવામાં આવે છે, તેનું શું કારણ ? Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન સમાધાન– જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ મોક્ષમાર્ગની આરાધના ન કરી, માટે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનાથી સંસારનું પરિભ્રમણ મટી જાય. આ જીવના લક્ષમાં રહે, એ માટે પ્રદક્ષિણા આપવાની છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણની આરાધનાથી સંસારનું પરિભ્રમણ મટે છે, એ જીવના લક્ષમાં રહે, એ માટે પ્રદક્ષિણાની એક, પાંચ, સાત વગેરે સંખ્યા ન બતાવતા ત્રણની સંખ્યા બતાવી. શંકા- ૧૨૦. હમણાં હમણાં કોઈ કોઈ સ્થળે જિનમંદિરના શિખર ઉપર કઠેડો અને નિસરણી બનાવવામાં આવે છે. આ યોગ્ય છે ? શાસ્ત્રીય છે ? સમાધાન– આ જરાય યોગ્ય નથી, અશાસ્ત્રીય છે. શિલ્પશાસ્ત્રમાં કોઈ પણ ગ્રંથમાં શિખર ઉપર કઠેડો બનાવવાનો ઉલ્લેખ નથી. કઠેડો બનાવવાથી મંદિરની શોભા ઘટી જાય છે. શિલ્પસ્થાપત્યનું સૌંદર્ય નષ્ટ થાય છે. જેમ પ્રતિમાજી પૂજય છે, તેમ જિનમંદિર પણ પૂજય છે. આથી જ મંદિરના શિખરનો અને કળશનો અભિષેક કરવાનું વિધાન છે. તેથી શિખર ઉપર કઠેડો બાંધવો એ આશાતનાનું કારણ છે. જે પરિવાર તરફથી ધજા ચઢાવવાની હોય એ પરિવારના માણસો અધિક સંખ્યામાં સહેલાઈથી ઉપર ઊભા રહી શકે, એ માટે કઠેડો બનાવવામાં આવે છે અને સહેલાઈથી ચઢી શકે એ માટે નિસરણી બનાવવામાં આવે છે. પણ વાસ્તવમાં તો ઉપર ચડવાની જ જરૂર નથી. માત્ર પ્રતિષ્ઠા પ્રસંગે પહેલીવાર જ વિધિકાર, કળશ આદિનો અભિષેક કરનાર, ધજા ચડાવનાર બે ત્રણ માણસો સિવાય વધારે માણસોને ઉપર જવાની કોઈ જરૂર નથી. પ્રતિષ્ઠા બાદ સાલગીરીના અવસરે ધજા પોતાના હાથે જ ચઢાવવાની ભાવનાવાળો પરિવાર શિખર ઉપર ચડ્યા વિના જ નીચે રહીને પણ પોતાના હાથે ધજા ચઢાવી શકે તેવી રીતે શિલ્પશાસ્ત્રમાં બતાવવામાં આવી છે. આથી શિલ્પી પાસેથી તેવી રીતે જાણીને તેવી ગોઠવણી કરવામાં આવે તો કઠેડો અને નિસરણીની કોઈ જરૂર ન રહે. Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન શંકા- ૧૨૧. જિનપ્રતિમાના મસ્તકે રખાતા ત્રણ છત્રમાં પછી પછીનું છત્ર નાનું હોય કે મોટું હોય ? સમાધાન– છત્રની રચના બંને રીતે કરી શકાય. સ્થાનાંગસૂત્રમાં સાતમા સ્થાનના વર્ણનના અધિકારમાં ટીકામાં નીચેનું છત્ર મોટું હોય, પછી પછીનું છત્ર ક્રમશઃ નાનું હોય એમ જણાવ્યું છે. વીતરાગસ્તોત્ર પાંચમા પ્રકાશના આઠમા શ્લોકના આધારે નીચેનું છત્ર નાનું, પછી પછીનું ક્રમશઃ મોટું હોય. શંકા- ૧૨૨. જિનમંદિરમાં ગુરુની છદ્મસ્થ અવસ્થાની મૂર્તિ કઇ જગ્યાએ સ્થાપિત કરવી જોઇએ ? સમાધાન– રંગમંડપની બહાર યોગ્ય સ્થળે સ્થાપિત કરાય એ વધારે ઉચિત જણાય છે. છતાં રંગમંડપની બહાર સગવડ ન હોય તો રંગમંડપમાં પણ સ્થાપિત કરી શકાય. પ્રાચીન મંદિરોમાં ક્યાંક ક્યાંક તેમ જોવામાં આવે છે. શંકા- ૧૨૩. જિનમંદિરમાં દેવ-દેવીઓની મૂર્તિ કઇ જગ્યાએ સ્થાપિત કરવી જોઇએ ? ૪૮ સમાધાન– મૂળનાયક ભગવાનના અધિષ્ઠાયક યક્ષ-યક્ષિણી સિવાય કોઇ દેવ-દેવી જિનમંદિરમાં સ્થાપિત ન કરી શકાય. યક્ષયક્ષિણીની મૂર્તિ રંગમંડપમાં કે રંગમંડપની બહાર યોગ્ય સ્થાને સ્થાપિત કરી શકાય. શ્રી માણિભદ્રવીર તપગચ્છના અધિષ્ઠાયક હોવાથી તેમનું સ્થાન ઉપાશ્રયમાં હોય, એ વધુ ઇચ્છનીય છે. શંકા- ૧૨૪. દેરાસરની બાજુના ઘરમાં કોઇનું મરણ થયું હોય અને મૃતક પડ્યું હોય ત્યાં સુધી દેરાસર ખોલી શકાય ? સમાધાન ખોલી શકાય. શંકા ૧૨૫. રાત્રિના સમયે શ્રાવક જિનમંદિરે દર્શન કરવા જઇ શકે ? સમાધાન– મૂળ વિધિ પ્રમાણે (ઉત્સર્ગથી) તો સૂર્યાસ્ત બાદ દર્શન કરવા જવાય નહિ. પણ અપવાદથી રાત્રિના સમયે શ્રાવક જિનમંદિરે દર્શન કરવા જઇ શકે. આથી જ આચારોપદેશ અને વિવિધ પ્રશ્નોત્તર ગ્રંથમાં રાત્રિના સમયે શ્રાવક દર્શન કરવા જઇ શકે Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૪૯ એવો ઉલ્લેખ છે. પૂર્વના પ્રશ્નોત્તરમાં કહ્યું તેમ લાભ-હાનિનો વિચાર કરવો જોઇએ. જો આજે શ્રાવકથી રાતે દર્શન કરવા ન જ જવાય, એમ એકાંતે નિષેધ કરવામાં આવે તો ઘણું નુકસાન થાય. આજે તેવા ધંધા આદિના કારણે શ્રાવકોને રાત્રિના સમયે જ જિનમંદિરનો સમય મળે છે અને સેંકડો શ્રાવક-શ્રાવિકાઓ રાતે ભાવથી જિનદર્શન કરવા આવે છે. એકાંતે નિષેધ કરવામાં શ્રાવક-શ્રાવિકાઓ આ લાભથી વંચિત રહે. ગીતાર્થો લાભ-હાનિનો વિચાર કરીને જેમાં લાભ થાય તેવી પ્રવૃત્તિમાં સંમતિ આપે એ વિશે સેનપ્રશ્નનો પાઠ નીચે મુજબ છે પ્રશ્ન- દેરાસરમાં રાત્રિએ ગીત-ગાનાદિ કરવામાં આવે તો દેવદ્રવ્યની ઉપજ થાય છે, નહિતર થતી નથી. તો તે કરવું કે નહિ? ઉત્તર– શાસ્ત્રવિધિ મુજબ તો મૂળ વિધિએ ગીત-ગાન વગેરે રાત્રિએ કરવું યુક્ત નથી. પરંતુ દેવદ્રવ્યની ઉપજના કારણે રાત્રિમાં પણ ગીત-ગાનાદિ ભાવના કરવામાં લાભ જણાય છે. (૪-૯૨૩) શંકા- ૧૨૬. રાત્રે જિન મંદિર માંગલિક થયા પછી ખોલી શકાય ? સમાધાન- ના. દિવસે પણ માંગલિક થયા પછી અનિવાર્ય કારણ સિવાય મંદિર ખોલાય નહિ, તો રાતે કેમ ખોલાય? રાત્રે જિનમંદિર માંગલિક થયા પછી ન ખોલવાનો રિવાજ છે અને તે વાજબી છે. કારણ કે રાત્રે વારંવાર મંદિર ખોલવામાં ચોર-ગુંડા વગેરેનો ભય રહે. શંકા– ૧૨૭. જિનાલયમાં ગુરુમૂર્તિ પધરાવવામાં આવે છે. ત્યાં ગુરુમૂર્તિને વંદન થઈ શકે ? કેમ કે દીક્ષાદિની ક્રિયા વખતે તો ગુરુ સમક્ષ વાંદણા દેતી વખતે પ્રભુજીને પડદો કરાવાય છે. સમાધાન– જિનાલયમાં જિનમૂર્તિને વંદન કર્યા પછી ગુરુમૂર્તિને વંદન કરવામાં વાંધો નથી, અર્થાત્ પ્રભુની દૃષ્ટિ પડે, તો પણ ગુરુમૂર્તિને વંદન કરવામાં બાધ નથી. કારણ કે દેવતત્ત્વ પછી ગુરુતત્ત્વ વંદનીય છે. દીક્ષાદિ વખતે જે પડદો કરાવાય છે, તે આવા મહાન ભગવાનની સામે અમને વંદન થાય, તે ઔચિત્યની દૃષ્ટિએ ઠીક નથી, એમ પોતાની લઘુતા બતાવવા માટે ગુરુ મહારાજ જ Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શંકા-સમાધાન પડદો કરાવે છે. વળી આ એક વિધિ ઘણા કાળથી પ્રચલિત છે. તેમ જિનાલયમાં પડદો રાખીને ગુરુમૂર્તિને વંદન કરવું, એવી વિધિ પ્રચલિત નથી. આમ છતાં ગુરુમતિ જિનમંદિરના બહારના ભાગમાં બિરાજમાન કરવામાં આવે તો તે વધારે ઉચિત ગણાય. શંકા- ૧૨૮. ઘણી જગ્યાએ ફણાવાળી પાર્શ્વનાથની પ્રતિમાને મુગટ ચઢાવે છે અને ઉતારે છે ત્યારે પ્રતિમાને ઘસારો પહોંચે છે તો શું કરી શકાય ? સમાધાન- પ્રતિમાજીને ઘસારો ન પહોંચે તેવો મુગટ બનાવવો જોઇએ. ક્યાં અને કેવી રીતે પ્રતિમાજીને ઘસારો થાય છે, તે મુગટ બનાવનારા કારીગરને સમજાવવાથી કારીગર પ્રતિમાજીને ઘસારો ન પહોંચે એવો મુગટ બનાવી આપે. માટે આવું કરવું જોઇએ, જેથી અલંકાર પૂજા થાય ને ઘસારો ન પહોંચે. શંકા- ૧૨૯. શ્રી જિનમંદિરમાં આચાર્ય ભગવંત આદિ દર્શન માટે પધારે ત્યારે શ્રાવકો ઊભા થાય તો જિનેશ્વરની આશાતના થાય? સમાધાન– ન થાય. ઉલટું ઊભા ન થાય તો ગુરુ મહારાજનો અવિનય ર્યો ગણાય. શંકા- ૧૩૦. રાતના બાર વાગ્યા સુધી દેરાસરો ખુલ્લા રાખવાથી જિનાજ્ઞા પળાય ? સમાધાન– મૂળ વિધિ પ્રમાણે તો સૂર્યાસ્ત બાદ દેરાસર ખુલ્લું રાખી શકાય નહિ પણ આજે એ શક્ય નથી. આમ છતાં રાતે નવ વાગ્યા પછી દેરાસર ખુલ્લું ન રાખવું એ હિતાવહ છે. ભાવના કે મહાપૂજા વગેરે પ્રસંગે પણ દશ વાગ્યા પછી દેરાસર ખુલ્લું ન રાખવું જોઈએ. જેમને મહાપૂજા પ્રસંગે દર્શન કરવાની તીવ્ર ભાવના હોય તે આ સમય દરમિયાન આવી જાય અથવા બીજા દિવસે દશ વાગ્યા સુધી દર્શન કરી શકે તેવી વ્યવસ્થા રાખી શકાય. વિશિષ્ટ પ્રસંગે રાતના દશ વાગ્યા સુધી દેરાસર ખુલ્લા રાખવાની વાત પણ અપવાદરૂપ સમજવી. Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ૫૧ શંકા-સમાધાન શંકા- ૧૩૧. જૈન વેપારી દેરાસરની સામગ્રીનો વેપાર કરે તો તેને દોષ લાગે ? સમાધાન- બજારમાં ચાલતા ભાવ પ્રમાણે નફો મેળવે તો દોષ ન લાગે. દહેરાસરની સામગ્રીના બદલામાં આવેલી રકમ દેવદ્રવ્યની ન હોવી જોઇએ. દેવદ્રવ્યની રકમ બે પ્રકારની હોય છે. ૧. ઉછામણીથી ઉત્પન્ન થયેલી અને ૨. પ્રભુભક્તિ કરવા માટે શ્રાવકોએ સંઘના આગેવાનોને આપી હોય. આ બે પ્રકારમાંથી નફાની રકમ ઉછામણીથી ઉત્પન્ન થયેલ દેવદ્રવ્યની ન હોવી જોઇએ. દેરાસરની સામગ્રીના વેપારમાં ઉછામણીથી ઉત્પન્ન થયેલા દેવદ્રવ્યની રકમ નફામાં આવી જવાનો સંભવ રહે. આથી શ્રાવક આવો વેપાર ન કરે તે વધારે સારું છે. સાધુ-સાધ્વીના ઉપકરણના વેપારમાં પણ ઉપર મુજબ સમજવું. નફાની રકમ ઉપકરણોની ઉછામણીથી ઉત્પન્ન થયેલી ન હોવી જોઇએ. શંકા- ૧૩૨. દેરાસરોમાં ભગવાનની ભક્તિ સિવાયની બીજી કોઈ પત્રિકાઓ લોકોને વાંચવા માટે મૂકી શકાય ? આજકાલ તો જૈનોના છોકરા-છોકરીઓના લગ્ન કરવા અંગેની, જૈનો માટે કોમ્યુટર વગેરે જાતજાતના વ્યવસાય શીખવા માટેની જાહેરખબરો ધંધાદારીઓ તરફથી દેરાસરમાં મૂકવામાં આવે છે તે યોગ્ય છે? અને ટ્રસ્ટીઓ મૂકવા દે છે તે યોગ્ય છે ? સમાધાન– આવી જાહેરખબરો દેરાસરોમાં મૂકનારા અને મૂકવા દેનારા ટ્રસ્ટીઓ મહાદોષના ભાગીદાર બને છે. ટ્રસ્ટીઓએ આવી જાહેરખબર દેરાસરોમાં ન મૂકવાનું બોર્ડ લગાવવું જોઇએ. છતાં ગુપ્ત રીતે કોઈ મૂકી જાય તો ખબર પડતાં જ કાઢી નાખવી જોઇએ. શંકા- ૧૩૩. શ્રાવકો લગ્નની પત્રિકા પર ભગવાનનું નામ લખીને દેરાસરોમાં મૂકે છે તે યોગ્ય છે ? સમાધાન– આ જરાય યોગ્ય નથી. જે પ્રભુએ અબ્રહ્મને પાપનું કારણ કહ્યું છે, તે ભગવાનના નામે લગ્નની પત્રિકા કેવી રીતે લખાય? અને દેરાસરમાં પણ કેવી રીતે મૂકાય ? આ બીના જૈનોની ભારે Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન અજ્ઞાનતાનું ભાન કરાવે છે. ટ્રસ્ટીઓએ-કાર્યકર્તાઓએ દહેરાસરમાં લગ્ન વગેરેની પત્રિકાઓ ન મૂકવાનું બોર્ડ લગાવવું જોઇએ. શંકા- ૧૩૪. ઘણા શ્રાવકો મકાનનું વાસ્તુ અને લગ્નપ્રસંગ વગેરે સાંસારિક પ્રસંગોની આમંત્રણ પત્રિકાઓ દેરાસરમાં મૂકે છે, તે યોગ્ય છે ? ૫૨ સમાધાન– આ જરાય યોગ્ય નથી. અજ્ઞાની શ્રાવકો આવું કરતા હોય છે. જે શ્રાવકો જૈન કુળમાં જન્મવા છતાં સાધુઓનો પરિચય રાખતા નથી, ઉપદેશ સાંભળતા નથી, તેઓ અજ્ઞાન રહે છે. એથી આવી ઘણી ઘણી પ્રવૃત્તિઓ આજે થતી જોવા મળે છે. શંકા-૧૩૫. જિનમંદિરના મુખ્ય દરવાજા આગળપ્રભાવના વેચવામાં (=આપવામાં) આવે તો એ પ્રભાવના શ્રાવકોથી વાપરી શકાય ? સમાધાન– એ પ્રભાવના ઉપર પ્રભુની દૃષ્ટિ ન પડે એટલા માટે ત્યાં પડદો વગેરે કરીને પ્રભાવના વેચવામાં આવે તો એ પ્રભાવના શ્રાવકોથી વાપરી શકાય. મૂળ હકીકત એ છે કે ખાવાની જે વસ્તુ ઉપર પ્રભુની દૃષ્ટિ પડે તે વસ્તુ શ્રાવકથી ન વાપરી શકાય. શંકા- ૧૩૬. દેરાસરમાં દાખલ થતાં પગ લુંછવા માટેના પગ લુંછણિયા સાધારણમાંથી લેવાય કે દેવદ્રવ્યમાંથી ? સમાધાન—સાધારણ ખાતામાંથી લેવાય, દેવદ્રવ્યમાંથી નજ લેવાય. શંકા- ૧૩૭. દેરાસરના રંગમંડપની બહારના ભાગમાં બરાબર વચ્ચે લાઇટ કે દીવો મૂકી શકાય ? કે સાઇડમાં મૂકવો જોઇએ ? વચમાં હોય તો કોઇ દોષ ખરો ? સમાધાન- શાસ્ત્રની દૃષ્ટિએ સાઇડમાં કે વચ્ચે મૂકવામાં કોઇ દોષ નથી. મંદિરમાં લાઇટનો ઉપયોગ ટાળવો જોઇએ. દીવા વાપરવા જોઇએ. કોઇને ઝાળ લાગી ન જાય, એ રીતે દીવા મૂકી શકાય. શંકા- ૧૩૮. દેરાસરના ગભારામાં રહીને પ્રક્ષાલ, પૂજા આદિ ભગવાનની ભક્તિ કરવાનું ચાલુ હોય ત્યારે તે ભક્તિ કરવાનું છોડીને રંગમંડપમાં રહેલા ગુરુમુખેથી પચ્ચક્ખાણ લેવું એ યોગ્ય છે ? For Personal and Private Use Only Jain Educationa International Page #116 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન સમાધાન– જરાય યોગ્ય નથી. શાસ્ત્રોક્ત વિધિ મુજબ ‘નિસીહિ' કહીને ગભારામાં પ્રવેશ કરવાનો છે. ‘નિસીહિ’નો અર્થ એ છે કે હવે હું પરમાત્માની ભક્તિ સિવાયની સર્વ પ્રવૃત્તિનો મન-વચનકાયાથી ત્યાગ કરું છું. પરમાત્માની ભક્તિ પૂર્ણ કર્યા વિના ગભારામાંથી બહાર નીકળવાથી ‘નિસીહિ'નો ભંગ થાય. ૫૩ ઘણા શ્રાવક-શ્રાવિકા એટલા બધા અજ્ઞાન હોય છે કે જેથી અમે અજ્ઞાન છીએ એવું પણ એમને ભાન હોતું નથી અને એથી સાધુસાધ્વીજીની પાસે જઇને વિધિને જાણવાની અને યથાશક્તિ વિધિનું પાલન કરવાની ભાવના જ હોતી નથી. આથી જ આવી અને બીજી પણ ઘણી અવિધિઓ થયા જ કરતી હોય છે. શંકા- ૧૩૯. ખિસ્સામાં રહેલા મોબાઇલ ફોનની સ્વીચ ચાલુ રાખીને ગૃહસ્થોએ દેરાસર-ઉપાશ્રયમાં પ્રવેશ કરવો યોગ્ય છે ? સમાધાન જરાય યોગ્ય નથી. જો ફોન આવે તો ચિત્ત તેમાં જાય એથી પરમાત્મભક્તિમાં એકાગ્રતા ન આવે. દેરાસરમાં નિસીહિ કહીને પ્રવેશ કરવાનો વિધિ છે. નિસીહિ શબ્દના ઉચ્ચારથી પરમાત્મભક્તિ સિવાયની તમામ માનસિક-વાચિક-કાયિક પ્રવૃત્તિનો ત્યાગ થાય છે. આથી ફોન આવતાં ચિત્ત તેમાં જવાથી નિસીહિનો ભંગ થાય. એકાગ્રતા રહિત ચિત્તથી કરેલી પરમાત્મભક્તિથી યથાર્થ ફળ મળતું નથી. ટ્રસ્ટીઓએ બોર્ડ આદિમાં લખીને આવી સૂચના કરવી જોઇએ. શંકા- ૧૪૦. દેરાસરની બહાર પાટિયા મૂકવાની પ્રથા છે તે શું કામ ? આ અંગે કોઇ શાસ્ર પાઠ મળે ? પાટિયા ન મૂકે તો શો દોષ લાગે ? શિલ્પશાસ્ત્રાનુસાર પ્રભુજીની દૃષ્ટિ રાજમાર્ગ સુધી જવી જોઇએ. પાટિયા મૂકવાથી દૃષ્ટિ રોકાય કે ન રોકાય ? સમાધાન– ભગવાનની દૃષ્ટિમાં પડેલો આહાર શ્રાવક વગેરેથી ન વપરાય, પ્રભુજીને પૂંઠ ન થવી જોઇએ. જો પાટિયું ન મૂકેલું હોય તો જમણવાર આદિ પ્રસંગે ત્યાંથી આહાર લઇ જતાં પ્રભુની દૃષ્ટિ પડે. દર્શનાર્થી દવા સાથે લઇને આવ્યો હોય તો તેના ઉપર પ્રભુની દિષ્ટ For Personal and Private Use Only Jain Educationa International Page #117 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શંકા-સમાધાન પડે. બહાર નીકળતાં ઉપયોગ વિનાના શ્રાવક આદિની પ્રભુને પુંઠ થાય. અંતરાયવાળી બહેનોની પ્રભુ ઉપર દષ્ટિ ન પડવી જોઇએ. ઇત્યાદિ કારણોથી પાટિયું મૂકવાની પ્રથા ઘણા કાળથી શરૂ થઈ હોય એમ જણાય છે. આ અંગે શાસ્ત્રપાઠ નથી. પણ ગીતાથએ નહિ નિવારેલી શાસ્ત્રાવિરુદ્ધ આચરણા પણ શાસ્ત્રરૂપ જ ગણાય. પાટિયા ન મૂકવામાં ઉપર્યુક્ત દોષો લાગવાનો સંભવ રહે છે. શિલ્પશાસ્ત્રાનુસાર ભગવાનની દષ્ટિ રાજમાર્ગ સુધી જવી જોઇએ, એનો અર્થ એ હોવો જોઈએ કે ભગવાનની દૃષ્ટિ રાજમાર્ગની સામે થવી જોઇએ. પાટિયા મૂકવાથી દૃષ્ટિ રોકાય નહિ. ઊંચી ભીંત હોય તો દષ્ટિ રોકાય. શંકા- ૧૪૧. અમારે ત્યાં તીર્થસ્વરૂપ જિનમંદિરના પરિસરની પાછળની બાજુ વર્ષના ઘણા મહિના મીઠાઈ-ફરસાણ બનાવાય છે અને અમુક દહેરાસરમાં મીઠાઈ-ફરસાણ વ્યાજબી ભાવે મળશે, એવી જાહેરાત કરાય છે. આ આરંભ-સમારંભ યોગ્ય છે ? સમાધાન- ધર્મસ્થાનોમાં ધંધાદારી ધોરણે મીઠાઈ-ફરસાણ બનાવવા આરંભ-સમારંભ થાય તે જરાય યોગ્ય નથી. આમાં મીઠાઈ વગેરે અભક્ષ્ય પણ હોઈ શકે છે. રાતે પણ બનાવે. ટ્રસ્ટીઓ વગેરે યોગ્યને વાત કરીને આ કાર્ય બંધ કરાવવું જોઇએ. શંકા- ૧૪૨. દહેરાસરની બહાર ગાય રાખી મહારાષ્ટ્રીયન બહેન બેસે છે. શ્રાવકો ઘાસ ખવડાવે છે. (મોટો ભાગ) ગાયને ગાયમાતા તરીકે પૂજય માનીને આ કરે છે તો આ યોગ્ય છે ? સમાધાન- આ એક પ્રકારની અજ્ઞાનતા છે. જૈનધર્મમાં ગાયને પૂજય કહી નથી. ગાયને ઘાસ ખવડાવવામાં બાધ નથી, પરંતુ ગાયમાતા છે એમ પૂજ્ય માનીને ઘાસ ખવડાવવાથી મિથ્યા માન્યતાનું પોષણ થાય છે. ધર્મસ્થાનોમાં આ રીતે મિથ્યાત્વનું પોષણ થાય તે જરાય યોગ્ય નથી. શંકા– ૧૪૩. દેરાસર પ્રાચીન હોય, એમાં નીચેના ભાગમાં કમાનો બનાવી હોય, નીચે ભોયરું બનાવીને આપત્તિ કાળે ભગવાનની રક્ષા માટે રૂમ બનાવેલ હોય, દેરાસર સેંકડો વર્ષનું Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ૫૫ શંકા-સમાધાન પ્રાચીન હોય, તેવા દેરાસરના નીચેના બધા ભાગને પથ્થર વગેરે મૂકીને પેક કરી દેવાય? એવી શંકા રહે છે કે ખાલી જગ્યામાં કોઈનો વાસ થઈ જાય. જો કે સેંકડો વર્ષોથી તો કોઇનો વાસ થયો નથી. સમાધાન– ખાલી પડેલા રૂમમાં કોઈ દેવના વાસની સંભાવના ખરી. પણ તીર્થ સ્થળમાં પ્રભુના પ્રભાવથી જ કોઈ દેવ વાસ કરી શકે નહિ. આમ છતાં કોઇને વહેમ રહેતો હોય તો એ રૂમમાં નાના એક પ્રતિમાજી અંજનશલાકા વગેરે કર્યા વિનાના પધરાવી શકાય. આથી કોઈ દેવ વાસ કરી શકે નહિ. દેવ પણ તદ્દન ખાલી હોય તેમાં જ વાસ કરે. પથ્થર વગેરે મૂકીને પેક કરવાની કોઈ આવશ્યકતા જણાતી નથી. શંકા– ૧૪૪. હાર્ટની તકલીફના કારણે કેસર ઘસતાં જોર દેવાથી છાતીમાં ક્યારેક અસહ્ય દુઃખાવો ઉપડે છે. આવી અવસ્થાના કારણે જીભ નીચે મૂકવાની ગોળી દેરાસરમાં લઇ જવાય કે નહિ ? સમાધાન- અહીં એ પણ સમજવાની જરૂર છે કે પોતાની ખાવાની કોઈ પણ વસ્તુ કે દવા મંદિરમાં ન લઈ જવી જોઈએ, એટલું જ નહિ, પરમાત્માની એ વસ્તુ ઉપર નજર પણ ન પડવી જોઇએ. એટલે ખાવાની કોઈ વસ્તુ સાથે લઈને જિનદર્શન આદિ માટે જવાનું બને ત્યારે ભગવાનની દૃષ્ટિ પણ ન પડે, એ રીતે ખાવાની વસ્તુ મંદિરના બહારના ભાગમાં મૂકીને મંદિરમાં પ્રવેશ કરવો જોઇએ. આમ છતાં જો ભૂલથી તે વસ્તુ મંદિરમાં લઈ જવાય કે ભગવાનની દૃષ્ટિ તેના ઉપર પડી જાય તો તે વસ્તુ ખાવી ન જોઇએ. શંકા- ૧૪૫. ખીસામાં કે થેલી વગેરેમાં રહેલી વસ્તુ દહેરાસરમાં લઈ જવામાં આવે ત્યારે તે વસ્તુ ઉપર પ્રભુની દૃષ્ટિ પડતી ન હોવાથી પોતાના ઉપયોગમાં લેવામાં શો વાંધો ? સમાધાન– પ્રભુની દૃષ્ટિ પડે કે ન પડે, પણ દહેરાસરમાં લઈ જવાયેલી ખાવાની વસ્તુઓ કે દવાનો ઉપયોગ ન કરી શકાય. કેમકેવિનયના અનેક પ્રકાર છે. તેમાં આ મંદિરમાં લઈ જવાયેલી ખાવાની વસ્તુ ન ખાવી તે) પણ એક પ્રકારનો વિનય છે. જમણવાર વગેરે પ્રસંગે પીરસવાની વસ્તુ કમંડલ વગેરેમાં ભરીને મંદિરના દ્વાર Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ પ૬ શંકા-સમાધાન પાસેથી લઈ જવાની હોય ત્યારે એ વસ્તુ ભગવાનની દષ્ટિમાં ન આવે તેની પણ કાળજી રાખવી જોઈએ. એ માટે પડદા વગેરેની પાકી વ્યવસ્થા કરવી જોઇએ. કદાચ એવો પ્રશ્ન જાગે કે, આ નિયમ પ્રમાણે તો વરઘોડામાં રસ્તામાં આવતી દુકાનોમાં રહેલી ખાવાની વસ્તુ ભગવાનની દૃષ્ટિમાં આવે તો તે દુકાનની વસ્તુ ન ખવાય ? આના જવાબમાં જણાવી શકાય કે- એ અશક્ય પરિહાર છે અને વરઘોડો શાસન પ્રભાવનાનું કારણ છે. એથી ચલાવી લેવું પડે છે. પણ મંદિરમાં તો આપણે તેનું પાલન કરી શકીએ એમ છીએ. માટે આરાધક જીવોએ આ વિષે કાળજી રાખવી જોઇએ. શંકા- ૧૪૬. દેરાસર સ્વદ્રવ્યથી બંધાવેલ હોય તો એમાં સાધર્મિકભકિત, સર્વસાધારણ, સાતક્ષેત્રસાધારણ, આયંબિલ ખાતાનો ભંડાર રાખી શકાય ? સમાધાન– દેરાસર સ્વદ્રવ્યથી બંધાવ્યું હોય તો પણ તેમાં જિનભક્તિ સિવાયનો એટલે દેવદ્રવ્ય સિવાયનો કોઈ પણ ભંડાર રાખી શકાય નહિ. બીજા ભંડાર દેરાસરની બહાર રાખી શકાય. દેરાસર પરમાત્માની ભક્તિ કરવાનું સ્થાન છે. પરમાત્માની ભક્તિ કરવાના સ્થાનને શ્રાવક વગેરે માટે પૈસા ભેગા કરવાનું સ્થાન બનાવવું એ કેવી રીતે યોગ્ય ગણાય ? શંકા- ૧૪૭. ઘણા દેરાસરોમાં નાની ઘંટડી હોય છે. શ્રાવકો તે ઘંટડી ભગવાન સમક્ષ વગાડે છે. આવું કારણ ? સમાધાન– શાસ્ત્રમાં પૂજાના અનેક પ્રકારો બતાવ્યા છે. તેમાં નાદપૂજા પણ છે. નાદપૂજા ઘંટ વગાડીને થાય છે. પૂર્વે મોટો ઘંટ વગાડીને નાદપૂજા કરતા હતા. હવે નાની ઘંટડીથી નાદપૂજા થાય છે. શંકા– ૧૪૮. કોઈ શ્રાવક લગભગ સવા ક્રોડના ખર્ચથી નિર્માણ થતા દેરાસરમાં ૫૦ લાખ કે ૭૫ લાખ આપે અને શરત મૂકે કે મને બોલી વિના એક શિલા સ્થાપનનો અને દ્વારોદ્ઘાટનનો અથવા તેવો બીજો કોઈ લાભ મળવો જોઈએ. આવી શરત માન્ય કરાય? Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન પ૭ સમાધાન– તે શ્રાવક અર્થો કે તેથી વધારે ખર્ચ આપે છે. તેથી સંઘ તેને એવો લાભ આપી શકે. પૂર્વે આ પ્રમાણે લાભ અપાયાના પ્રસંગો બન્યા છે. તે રીતે અંજનશલાકાનો દેવની ભક્તિમાં ઉપયોગ કરવા અંદાજિત ખર્ચ આપે તો તેને એકાદ આદેશ અપાય. સાધર્મિકવાત્સલ્ય આદિ માટે આ રકમનો ઉપયોગ ન થાય. કોઈ એમ કહે કે- આમાં દેવદ્રવ્યની હાનિ થાય, તો તે પણ બરોબર નથી. કેમ કે અર્ધા કે તેથી વધારે લાભ લીધા પછી આવા એકાદ-બે લાભ અપાય છે. એણે જે રકમ આપી છે તેનો દેવની ભક્તિમાં જ ઉપયોગ થયો છે. એટલે તેણે દેવદ્રવ્યમાં જ આપ્યું ગણાય. શંકા- ૧૪૯. પૂજારીઓના પગાર ઓછા હોય તો તેમને દેરાસરના ચોખા-શ્રીફળ સસ્તા ભાવે આપી શકાય ? સમાધાન– પૂજારીઓના પગાર ઓછા હોય તો સાધારણ ખાતાની આવક વધારીને પગારમાં વધારો કરી શકાય, પણ તેમને ચોખા-શ્રીફળ સસ્તા ભાવે ન આપી શકાય. બજારમાં જે ભાવ ઉપજતો હોય તે ભાવથી તેમને આપવામાં હરકત નથી. શંકા– ૧૫૦. કોઈ સંઘમાં દેરાસરમાં લાઈટ રખાતી હોય અને એનું બિલ સાધારણ ખાતામાંથી ચૂકવાતું હોય. દેરાસરમાં લાઇટના બદલે દીપકનો ઉપયોગ કરવામાં ખર્ચ વધે. સાધારણ ખાતાની આવક પરિમિત હોવાથી દીપકમાં થતાં ખર્ચને પહોંચી વળાય નહિ. આવા સંયોગોમાં લાઈટ કાઢીને દેવદ્રવ્યમાંથી દીપક રાખવાનો ઉપદેશ આપી શકાય ? સમાધાન- આવા સંયોગોમાં સાધારણની આવક વધારીને લાઈટના સ્થાને દીપકનો ઉપયોગ કરી શકાય એવો ઉપદેશ આપવો જોઇએ. ઈલેક્ટ્રીકની મહહિંસાથી ઉત્પત્તિ, તેના ઉપયોગ વખતે ઉડતી જીવાતો વગેરેની હિંસા, તેના તેજથી પ્રતિમાજીને નુકસાન વગેરે અનેક કારણોથી જિનમંદિરમાં લાઈટનો ઉપયોગ ન કરવો જોઇએ તથા દેવદ્રવ્યનો જિનમંદિર નિર્માણ અને જિનમંદિરનો ઉદ્ધાર આ બે સિવાય ક્યાંય ઉપયોગ ન કરવો જોઇએ. આથી દેવદ્રવ્યમાંથી Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શંકા-સમાધાન દીપક કરી શકાય નહિ. જે તીર્થસ્થાન વગેરેમાં સાધારણ દ્રવ્યની આવકની કોઈ જ શક્યતા ન હોય ત્યાં દેવદ્રવ્યમાંથી પૂજા વગેરે થાય એ અપવાદ રૂપ ગણાય. અપવાદ એટલે સંકટ સમયની સાંકળ. એનો ન છૂટકે જ ઉપયોગ કરવાનો હોય. શંકા- ૧૫૧. સાંજે દેરાસરમાં થતા ઘીના દીવા અંગેનો ખર્ચ આંગી ખાતામાંથી લઈ શકાય કે નહિ ? સમાધાન- આંગી પ્રભુની ભક્તિ સ્વરૂપ છે અને ઘીના દિવા પણ આંગીનું અંગ છે. આથી સાંજે દેરાસરમાં થતા ઘીના દીવા અંગેનો ખર્ચ આંગી ખાતામાંથી લઈ શકાય. શંકા- ૧૫ર. અમદાવાદ જેવા શહેરોમાં તથા બીજા પણ અનેક ગામોમાં યાંત્રિક વાહનોને કારણે પોળો ઝડપથી ખાલી થવા લાગી છે અને પોળોમાં જૈનોનાં ઘરોનાં સ્થાને શોપીંગ સેન્ટરો થવા લાગ્યા છે. એથી દેરાસરોની સાચવણી મુશ્કેલ બનતી જાય છે. તો પોળોમાં જૈનોનાં ઘરો થોડા ટકી રહે અને દેરાસરો સારી રીતે સચવાય, તે માટે સંઘના અગ્રણીઓએ કેવું આયોજન કરવું જોઇએ ? સમાધાન આ માટે સંઘના અગ્રણીઓએ આર્થિક સ્થિતિએ નબળા સાધર્મિકોને આર્થિક મદદ કરીને પોળમાં વસાવવા જોઇએ. સુખી માણસો પોતાનાં મકાનો જૈનેતરોને ન આપતાં આર્થિક સ્થિતિએ નબળા સાધર્મિકોને ઓછી કિંમતે આપે, તો પોળોમાં જૈનોનાં ઘરો ટકી રહે અને દેરાસરો સચવાય. શંકા- ૧૫૩. હમણાં હમણાં ગવૈયાઓ દેરાસરમાં પોતાની ઈચ્છા મુજબ ઘણું નવું નવું શરૂ કરાવે છે. પ્રતિષ્ઠાદિ માંગલિક પ્રસંગે ગવૈયા તરફથી દેરાસરમાં સ્ત્રી-પુરુષોને ઊભા થઈને નાચવાનું કહેવામાં આવે છે. ગવૈયાના કહેવાથી સ્ત્રી-પુરુષો નાચવા લાગી જાય છે. આ યોગ્ય છે? સમાધાન પુરુષોની હાજરીમાં સ્ત્રીઓ નાચે એ જરાય યુક્ત નથી. આજે અજ્ઞાનતા આદિના કારણે ધર્માનુષ્ઠાનોમાં જમાનાવાદ ઘુસતો જાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન પ૯ શંકા- ૧૫૪. ગૃહ જિનાલયમાં આજુબાજુવાળા પૂજા કરનાર લોકો દેરાસર વારંવાર ખુલ્લું મૂકીને જતા રહે અને કૂતરા આદિ દ્વારા ઘરદેરાસર અશુદ્ધ કરાય તેનાથી આશાતના થઈ તે દોષ કોને લાગે ? ઘર દેરાસરવાળાને લાગે ખરો ? સમાધાન– આવો આશાતનાનો દોષ ઘરદેરાસરને ખુલ્લું મૂકી જનારને લાગે. દર્શન-પૂજન કરવા આવનારને બારણું બંધ કરવાનો ઉપયોગ રહે. એ માટે “બારણું ખુલ્લું ન રાખવું” એવું બોર્ડ મૂકી શકાય. શંકા- ૧૫૫. જિર્ણોદ્ધાર બાદ મંદિરનું શિખર નવું બનાવ્યું હોય, દંડ ફરી ચડાવી શકાય તેવો ન હોય, તેથી નવો ધ્વજદંડ બનાવીને ચડાવ્યો હોય, તો આ જૂના ધ્વજદંડનું શું કરવું ? આખેઆખો ધ્વજદંડ વેચવો કે ટુકડા કરીને વેચવો ? સમાધાન- આવા સંજોગોમાં ધ્વજદંડ વેચવામાં બાધ જણાતો નથી. ધ્વજદંડ આખો કે ટુકડા કરીને વેચવો એ વ્યવસ્થાપકોને જેમ યોગ્ય લાગે તેમ વ્યવસ્થાપકો કરી શકે છે. ધ્વજદંડની રકમ જેમ વધારે મળે તેમ કરવું જોઇએ. આ રકમ દેવદ્રવ્ય ખાતે લઇ જવી જોઇએ. શંકા- ૧૫૬. જિનમંદિરના નિભાવ માટે ખેતર-ઘર વગેરે નવા બનાવી શકાય? જો નવા બનાવી શકાતા હોય તો તેની આવકમાંથી દેરાસરનો નિભાવ થઈ શકે ? સમાધાન- જિનમંદિરના નિભાવ માટે નવા ખેતર-ઘર વગેરે બનાવી શકાય (એનપ્રશ્ન ઉ.૧. પ્ર.૩૩). વિશેષ- જો દેરાસરના પૂજારીઓનો પગાર વગેરે નિભાવ ખર્ચમાં દેવદ્રવ્યનો ઉપયોગ કરી શકાતો હોત, તો આ પ્રશ્ન જ ન થાત. આ પ્રશ્ન થયો છે એ જ સૂચવે છે કે પૂજારીનો પગાર વગેરે નિભાવ ખર્ચમાં ઉછામણીની બોલીથી આવેલા દેવદ્રવ્યનો ઉપયોગ ન કરી શકાય. ઉછામણીથી આવેલું દેવદ્રવ્ય નૂતન જિનમંદિર નિર્માણ અને જીર્ણોદ્ધાર વગેરે સિવાય બીજા કોઇ ઉપયોગમાં ન લઈ શકાય. Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૬) શંકા-સમાધાન - - ધજા સંબંધી શંકા-સમાધાન શંકા- ૧૫૭. દેરાસર ઉપર ધ્વજારોપણનું પ્રયોજન શું ? તથા ધ્વજારોપણ કરતી વખતે ધ્વજારોપણ કરનારે શું ચિંતવવું ? સમાધાન- અરિહંત પરમાત્માના ચોત્રીશ અતિશયોમાં એક ઇન્દ્રધ્વજ નામનો અતિશય છે. આ અતિશયના પ્રતીકરૂપે દેરાસર ઉપર ધજા રાખવામાં આવે છે. આ ધજા આપણને એ બોધ આપે છે કે આ જગતમાં એક અરિહંત જ સ્વામી છે. અરિહંત પરમાત્માની આજ્ઞાના પાલનથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. સર્વ દુઃખોથી મુક્ત બનવા અરિહંતના જ શરણે રહેવું જોઇએ. જે રીતે આ ધ્વજા મંદિર ઉપર લહેરાઈ રહી છે તે રીતે જગતમાં જૈનશાસનની જયપતાકા લહેરાઈ રહો એવી ભાવના ધ્વજારોપણ કરનારે ભાવવી જોઇએ. શંકા- ૧૫૮. નવી ધજા ચઢાવ્યા પછી જૂની ધજાનું શું કરવું ? સમાધાન– જૂની ઊતરી ગયેલી ધજાનો પણ એક જાતનો વિશિષ્ટ પ્રભાવ હોય છે, માટે છ મહિના સુધી એ ધજાને સાચવીને રાખ્યા બાદ યોગ્ય રીતે એને નદી વગેરે પવિત્ર સ્થળે પધરાવી દેવી જોઇએ. શંકા- ૧પ૯. ધજાને ઘરમાં રાખવાથી શું સમાધિ મળે ? સમાધાન– આ ધજાના પ્રભાવથી મને અવશ્ય સમાધિની પ્રાપ્તિ થશે, એવી શ્રદ્ધા જેને હોય તેને સમાધિ મળે. એક વિદ્વાને કહ્યું છે કે- મંત્ર, તીર્થ, ગુરુ, દેવ, જ્યોતિષી, ઔષધ-આટલી વસ્તુઓ ઉપર જેને જેવી શ્રદ્ધા હોય તેને તેવી સિદ્ધિ (ફળ) મળે. આમાં શ્રદ્ધાની મુખ્યતા છે. શંકા- ૧૬૦. દેરાસરની બાજુમાં જો આપણું ઘર હોય અને આપણા ઘર ઉપર દેરાસરની ધજાનો પડછાયો પડતો હોય, તો તે ચાલે કે નહિ ? સમાધાન– ઘર ઉપર દિવસના બીજા ને ત્રીજા પ્રહરમાં જિનમંદિરની ધજાનો પડછાયો પડતો હોય, તો તે અશુભ છે એમ વાસ્તુ શાસ્ત્ર વગેરે શાસ્ત્રોમાં લખ્યું છે. આ દોષ નિવારણનો ઉપાય ઘર બદલવું એ જ ગણાય. Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૬૧ શંકા- ૧૬૧. જિનમંદિરની ધજા તો શુભ છે, તો એની છાયા અશુભ કેમ ગણાય ? સમાધાન– શુભ એવી વસ્તુ પણ અમુક સંયોગોમાં અશુભ થાય છે, જેમકે જયોતિષશાસ્ત્રમાં પુષ્ય નક્ષત્રને અત્યંત શુભ કહ્યું છે, પણ જો એ નક્ષત્ર નોમ તિથિએ ગુરુવારના દિવસે હોય તો ઝેર સમાન બને છે. આથી શુભ એવો પણ ધજાનો પડછાયો બીજા ત્રીજા પ્રહરમાં ઘર ઉપર પડતો હોય તો અશુભ થાય છે. શંકા- ૧૬૨. કોઈ કોઈ ગામમાં કોઈ બહેનને સંતાન ન થતાં હોય તો તેના ખોળામાં જૂની ધજા મૂકવામાં આવે છે અને પછી તે બહેન ધજાને પોતાના ઘરે રાખે છે. આ યોગ્ય છે ? સમાધાન- આ રીતે ધજાને સંતાનપ્રાપ્તિ માટે ઘરે રાખવી તે યોગ્ય નથી. જે ધજા જિનમંદિર ઉપર લહેરાઈને “જો તમારે ઉપર (મોક્ષમાં) જવું હોય તો આ પ્રભુનું દર્શન-પૂજન કરો” એવો સંદેશો આપતી હોય, તે ધજાનો સંતાનની કામના માટે ઉપયોગ કરવો એ ધજાની આશાતના છે. હા, આ ધજા આપણા ઘરમાં રહે તો આપણને સમાધિની પ્રાપ્તિ થાય, ધર્મની વૃદ્ધિ થાય, આવા આશયથી ધજાને ઘરમાં રાખવામાં બાધ નથી. શંકા- ૧૬૩. શંખેશ્વરમાં મૂળનાયકની ધજામાં વચ્ચે સફેદ અને બંને બાજુ લાલ રંગ છે. બાકીની બધી જ દેરીઓમાં પણ એ જ રીતે છે. દરેક દેરીમાં ભગવાન પરિકર સહિત નથી. તો ત્યાં પણ આવી જ રીતની ધજા ચાલે ? સમાધાન ન ચાલે. આમ છતાં વર્ષોથી આ પ્રમાણે ચાલ્યું આવતું હોય અને હવે ધજા ફેરવવામાં ટ્રસ્ટીઓ વગેરેને વહેમ રહેતો હોય, તો જેમ છે તેમ રહેવા દેવી એ ઉચિત છે. કારણ કે વહેમનું કોઈ ઔષધ નથી. આજે વર્તમાનકાલીન બધા તીર્થોમાં પ્રભાવની દૃષ્ટિએ પ્રથમ નંબર શ્રી શત્રુંજયનો અને બીજો નંબર શંખેશ્વરનો છે. Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૬૨ શંકા-સમાધાન શંકા- ૧૬૪. સર્વમૂર્તિઓનું ઉત્થાપન કરી, જૂના મંદિરને, સંપૂર્ણપણે ઉતારીને નવું જિનમંદિર બનાવવામાં આવે ત્યારે ધજા ચઢાવવાનો અધિકાર કોને મળે ? સમાધાન– જેમ મૂર્તિઓની પ્રતિષ્ઠા માટે બોલી બોલાય છે તેમ ધજા ચઢાવવાની પણ બોલી બોલાય એ યોગ્ય છે. જેને આદેશ મળે તેને ધજા ચઢાવવાનો અધિકાર મળે. શંકા- ૧૬૫. દહેરાસરની સાલગિરિનો વિધિ ટૂંકમાં જણાવવા વિનંતી. (૧) ધ્વડદંડ-પાટલીને દૂધ-પાણીના પ્રક્ષાલ પછી અંગલૂછણા કેટલા કરવા? ૧ કે ૩ (૨) હિંડકને અષ્ટપ્રકારી પૂજા થાય કે કેમ? (૩) શિખર ઉપર (મૂળનાયક ભગવાનની ઉપર) ખાલી જગ્યા (ચોરસ) હોય છે, ત્યાં શ્રીફળ સ્થાપન કરવું વગેરે કોઇ વિધિ ખરો? (૪) શાંતિકળશ ધ્વજારોહણ પછી કે પહેલા ? સમાધાન– આ બધું વિધિકાર પાસેથી જાણી લેવું જરૂરી છે. કારણ કે વિધિ લાંબી છે. અંજન-પ્રતિષ્ઠા સંબંધી શંકા-સમાધાન શંકા- ૧૬૬. અંજનશલાકા રાત્રે જ કેમ થાય છે ? સમાધાન– કલ્યાણકોની ઉજવણીમાં થતા સર્વ અનુષ્ઠાનોમાં અધિવાસના-અંજનશલાકા રૂપ અનુષ્ઠાન અત્યંત મહત્ત્વનું છે. સર્વ અનુષ્ઠાનોમાં અંજનશલાકા પ્રાણરૂપ છે એમ કહી શકાય. કારણ કે અધિવાસના-અંજનશલાકા થયા પછી જ પ્રતિમાજી પૂજનીય બને છે. આથી અંજનશલાકાના વિધિ-વિધાનો બહુ જ ઉપયોગપૂર્વક કરાવાતાં હોય છે. જયારે નીરવ શાંતિ હોય ત્યારે વિધિ-વિધાનો બહુ જ ઉપયોગપૂર્વક કરી શકાય છે. માટે અંજનશલાકા રાત્રે જ થાય છે. શંકા- ૧૬૭. અંજનશલાકા કોણ કરી શકે ? સમાધાન- નિવણકલિકા ગ્રંથમાં આચાર્ય અંજનશલાકા કરે એમ જણાવ્યું છે. કેવા આચાર્ય અંજનશલાકા કરે તે જણાવતાં કહે છે કે- “પ્રતિષ્ઠાચાર્ય આર્યદેશમાં જન્મેલા, લઘુકર્મી, બ્રહ્મચર્યાદિ Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ગુણોથી શોભિત, પંચાચારના પાલક, રાજા વગેરેના અદ્રોહી, આગમના અભ્યાસી, તત્ત્વજ્ઞાની, ભૂમિ તથા ગૃહવાસ્તુનાં લક્ષણો જાણનારા, દીક્ષાવિધિમાં નિષ્ણાત, સૂત્રપાત આદિના વિજ્ઞાનમાં નિપુણ, સર્વતોભદ્ર આદિ મંડલોની રચના કરનારા, અતુલ પ્રભાવી, અપ્રમાદી, પ્રિયભાષી, દીન-અનાથ પ્રત્યે વાત્સલ્ય ભાવ રાખનારા, સરળ સ્વભાવી અને સર્વગુણ સંપન્ન હોવા જોઈએ.' શ્રી વર્ધમાન સૂરિએ પ્રતિષ્ઠા કલ્પમાં નીચે પ્રમાણે કહ્યું છેઆચાર્યો, ઉપાધ્યાયો, જ્ઞાન ક્રિયાવાનું સાધુઓ, જેને બ્રાહ્મણો અને ક્ષુલ્લકો વડે અરિહંતની પ્રતિષ્ઠા કરાય છે. આ પાઠ પ્રમાણે સાધુઓ પણ અંજનશલાકા કરી શકે એમ જણાય છે. પણ આજે મુખ્યત્વે આચાયો અંજનશલાકા કરે એવી આચરણા છે. શંકા- ૧૬૮. અંજન કર્યા વગરની લાંછનવાળી પ્રતિમાજી ઘરમાં કે દહેરાસરમાં રાખી શકાય ? સમાધાન- રાખી શકાય પણ તેની પૂજા ન થાય. ખમાસમણા આપીને વંદન ન થાય. માત્ર બે હાથ જોડીને નમન થાય. શંકા- ૧૬૯ લાંછનવાળી પ્રતિમાઓને કેટલા સમયની અંદર અંજન કરાવવું પડે ? આવી પ્રતિમાઓ રાખવાથી કોઈ દોષ ખરો? સમાધાન- જેમ બને તેમ જલદી અંજન કરાવવું જોઈએ. આમ છતાં ઘણા વખત સુધી અંજન ન થાય તો પણ દોષ નથી. અંજન વગરની પ્રતિમા ઘરમાં કે દહેરાસરમાં રાખવામાં કોઈ દોષ નથી. આમ છતાં વગર કારણે અંજન વગરના પ્રતિમાજી ઘરમાં કે દહેરાસરમાં રાખવા ન જોઈએ. અંજન વિનાના પ્રતિમાજીને અઢાર અભિષેક કરીને એની વાસક્ષેપ પૂજા કરવાનો પ્રવાહ આજે વધતો જાય છે, પણ આ બરાબર નથી. આવા પ્રતિમાજી સમક્ષ માત્ર નમનનમસ્કાર જ કરાય. શંકા- ૧૭૦. ઋષભદેવ ભગવંતની અંજનશલાકામાં સ્વપ્રપાઠકો વગેરેની વાતો અને પાઠશાળામાં મોકલવાની ક્રિયાઓ શું અનાગમોક્ત નથી ? Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન સમાધાન– ઋષભદેવ ભગવાનના પ્રતિમાજીની સાથે અન્ય ભગવાનના પ્રતિમાજીઓની પણ અંજનશલાકા વિધિ કરવાની હોય છે. એથી કોઇ ભગવાનના જીવનમાં જે ન બન્યું હોય તેની વિધિ જે કરવામાં આવે તે અન્ય ભગવાનના જીવનને આશ્રયીને સમજવી જોઇએ. ઋષભદેવ ભગવાનના પ્રતિમાજીની સાથે મહાવીર ભગવાનના પ્રતિમાજીની પણ અંજનશલાકા કરવાની હોય તો સ્વન્નપાઠકો અને પાઠશાળા અંગેની વિગત મહાવીર ભગવાનના જીવનપ્રસંગો અંગે થતી હોય છે. શંકા- ૧૭૧. હમણાં સાંભળ્યું છે કે નેમિનાથ ભગવંતની અંજનશલાકામાં ચોરી માંડીને ભગવાનને પરણાવ્યા. શું આ શાસ્ત્રોક્ત છે ? સમાધાન– આનો જવાબ ઉપરના ૧૭૦માં શંકા-સમાધાનમાં આવી ગયો છે. ૬૪ શંકા- ૧૭૨. અંજનશલાકા-પ્રતિષ્ઠાદિ કાર્યોથી દેવદ્રવ્ય ભેગું થાય એ ન્યાયોપાર્જિત ગણાય કે અન્યાયોપાર્જિત ગણાય ? સમાધાન ન્યાયોપાર્જિત ગણાય. કારણ કે આ કાર્ય જિનોક્ત છે. શંકા- ૧૭૩. અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવના ચડાવા કયા દેવદ્રવ્યમાં અને કયા સાધારણમાં જાય ? સમાધાન– અંજનશલાકા-પ્રતિષ્ઠા અંગેની દરેક બોલીઓની ૨કમ દેવદ્રવ્ય ખાતામાં જાય. તે બોલીઓની આવકમાંથી અંજનશલાકાપ્રતિષ્ઠા અંગેનો કોઇ પણ ખર્ચ બાદ કરી શકાય નહિ. પણ પત્રિકામાં નામ લખવાના, જાજમ પાથરવાના અને નવકારશી વગેરે સાધારણ યોગ્ય ચડાવા સાતક્ષેત્ર સાધારણ ખાતામાં જાય. એ રકમમાંથી અંજનશલાકા-પ્રતિષ્ઠા અંગેનો કોઇ પણ ખર્ચ બાદ કરી શકાય. શંકા- ૧૭૪. અંજનશલાકા પ્રસંગે મામેરામાં મૂકવા માટે ફેરવવામાં આવતી થાળીમાં આવેલા પૈસા કયા ખાતામાં જાય ? સમાધાન– મામેરામાં મૂકાતી વસ્તુઓ જિનભક્તિ માટે મંદિરમાં મૂકવામાં આવે છે. માટે થાળીમાં આવેલા પૈસાનો ઉપયોગ જિનભક્તિમાં કરવો જોઇએ. Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન શંકા- ૧૭૫. જે બિંબોની ભારત દેશમાં પંચકલ્યાણકની ઉજવણીપૂર્વક આચાર્ય આદિના વરદહસ્તે વિધિપૂર્વક અંજનપ્રાણપ્રતિષ્ઠા થઈ ગઈ હોય, તે બિબોને વિદેશમાં લઈ જઈને ગાદીનશીન કરવાના અવસરે તે બિબોની પ્રતિષ્ઠા કરતાં પહેલાં વિદેશવાસીઓને પંચકલ્યાણકની જાણકારી આપવા ત્યાં ફરીથી પાંચે કલ્યાણકોની ઉજવણી તે તે પાત્રોની ઉછામણી બોલવાપૂર્વક કરવામાં આવેલ છે એવું જાણવામાં આવ્યું છે. તો તે ઉચિત છે ? સમાધાન- આ જરાય ઉચિત નથી. આમાં મૃષાવાદ, આજ્ઞાભંગ અને અનવસ્થા વગેરે અનેક દોષો લાગે છે. વિદેશીઓને પંચકલ્યાણકની જાણકારી મેળવવી હોય તો ભારતમાં જયારે જે સ્થળે પંચકલ્યાણકની ઉજવણી થતી હોય ત્યારે તે સ્થળે આવીને મેળવી શકે છે. પંચકલ્યાણકનું વર્ણન સાંભળીને કે તીર્થકરોનું ચરિત્ર વાંચીને પણ મેળવી શકે છે. વિદેશીઓને પંચકલ્યાણકની જાણકારી આપવાની ઇચ્છાવાળાએ એ યાદ રાખવાની જરૂર છે કે જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરીને મેળવેલું જ્ઞાન સફળ બનતું નથી. શંકા- ૧૭૬. બૃહત્ક્રાંતિ આદિ મહાપૂજનમાં તેમજ માણિભદ્ર વીરની પ્રતિષ્ઠા કે સાલગિરિ આદિ નિમિત્તે વર્તમાનમાં થતા હવનાદિ અંગે કોઈ શાસ્ત્રીય વિધાન ખરું ? હવન બાદ તેની રાખ સાધુઓ ગૃહસ્થને આપી શકે ? રાખની આપ-લે કરનારને શું પ્રાયશ્ચિત્ત આવે ? રાખ લેવાથી સમકિત ટકે ? સમાધાન- વિધિ-વિધાનના ગ્રંથોમાં હોમ-હવનનો અને હવનની રાખ આપવાનો ઉલ્લેખ જોવામાં આવે છે. આમ છતાં અહિંસાની પ્રધાનતાવાળા અને અરિહંતભક્તિની પ્રધાનતાવાળા જૈનધર્મમાં આ કેટલું યોગ્ય છે તે વિચારણીય છે. પૂ. બપ્પભટ્ટ સૂરિ મહારાજની પહેલાના વિધિ-વિધાનના ગ્રંથોમાં હોમ-હવનના વિધાનો જોવામાં આવતા નથી. વિશેષ અનુભવી અને શુદ્ધ વિધિ-વિધાન કરાવનારા એક વિધિકાર સાથે આ અંગે વિચારણા થતાં તેમનું કહેવું છે કે અહિંસાપ્રધાન જૈન ધર્મમાં હોમ-હવન યોગ્ય ગણાય નહિ. Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન વર્તમાનમાં હોમ-હવનની વધતી જતી પ્રવૃત્તિ વિચારણીય તો ખરી જ. આ અંગે પંન્યાસશ્રી કલ્યાણ વિજયજી મહારાજ લેખિત શ્રી કલ્યાણકલિકા પરિચય પુસ્તક પૃષ્ઠ ૯૧માં પ્રશ્નોત્તર નીચે મુજબ છે પ્રશ્ન- યક્ષ-યક્ષિણીની પ્રતિષ્ઠા નિમિત્તે જિનપ્રતિષ્ઠામાં પણ કેટલાક વિધિકારો હોમ કરાવે છે તે યોગ્ય છે ? ઉત્તર- જિનપ્રતિષ્ઠામાં તો શું સ્વતંત્રપણે યક્ષ-યક્ષિણીની પ્રતિષ્ઠા હોય તો યે હોમ કરવાની આવશ્યકતા નથી. યક્ષ-યક્ષિણી જિનચૈત્યમાં જિનસેવકરૂપે પ્રતિષ્ઠિત થાય છે, નહિ કે વિશિષ્ટદેવરૂપે. જિનભક્તો જિનસામીપ્યમાં અગ્નિમુખની ભોગ્ય વસ્તુની સ્વપ્રમાં પણ ઇચ્છા ન રાખે. આચાર દિનકર ગ્રંથમાં જે હોમનો નિર્દેશ છે તે તાંત્રિક મતની છાયા છે. બીજા કોઇપણ પ્રતિષ્ઠાકલ્પકારે એ વસ્તુનો સ્વીકાર કર્યો નથી. પાદલિપ્તસૂરિજી કે જે તાંત્રિકયુગના સમર્થ વિદ્વાન હતા, પણ તેમણે પોતાની પદ્ધતિમાં હવનનું નામ પણ નિર્દેશ્ય નથી. આથી સમજવું જોઈએ કે હોમ એ જૈનોની ક્રિયા નથી. વર્તમાનમાં વિદ્યમાન એક દીર્ધસંયમી અને પરમ વિદ્વાન મહાત્મા મને પત્રમાં જણાવે છે કે- “બીજાના સંસર્ગને લીધે ઘણી ઘણી ચીજો આપણામાં આવી છે. ત્યાગના માર્ગમાં જ વિચરનારા સાધુ-સંતોને હોમ-હવન કેવો હોય ? પણ તાંત્રિક માર્ગમાં આ ખૂબ હોય છે. તેના પરિચયથી લાભ મેળવવાની દષ્ટિએ આ તત્ત્વ આપણામાં પણ આવ્યું હોય એ સંભવિત છે. તાંત્રિકો તો આવી વાતો ઉપર ભાર મૂકે અને કહે પણ ખરા કે આમ કરશો તો જ ફળ અને ફળની ઇચ્છા તો અંતરમાં ભરેલી જ હોય છે. એટલે આપણે પણ એ અપનાવી લઈએ એ સ્વાભાવિક છે. યતિના યુગમાં તો આ વાત સાવ સામાન્ય બની ગઈ. મંત્ર-તંત્ર-દોરા-ધાગાનો એ યુગ જ હતો. બૌદ્ધોમાં પણ તાંત્રિક વિધિઓ અપાર હતી. શૈવ આદિમાં પણ હતી. તો જૈનોને આ વાતની અસર ન થાય એ જ આશ્ચર્ય. આચાર દિનકર પણ આવા કર્મકાંડોનો ગ્રંથ છે. જૈનો બીજામાં ન ખેંચાઈ જાય એટલે આપણા પૂર્વજોએ પણ અપનાવ્યું Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન હોય. આવી અનેકા અનેક વાતો અન્ય સંસર્ગથી (આપણામાં) આવી હોય એમ લાગે છે.” ' હવે દીર્ઘ વિચારણા કરતાં મને આ વિષે જે યોગ્ય જણાય છે તે પ્રસ્તુત કરું છું- જૈનશાસનમાં ચૌદ પૂર્વો હતા. એ ચૌદ પૂર્વેમાં એવો કોઈ વિષય ન હતો કે જેનું વર્ણન ન હોય. આથી હોમહવનની વાત પણ ચૌદ પૂર્વેમાં હશે. પણ તેનો ઉપયોગ શાસનની રક્ષા-પ્રભાવનાના કાર્યો માટે ક્યારેક જ ગીતાર્યો કરતા હશે. પૂર્વે નષ્ટ થયા પછી પણ ગુરુપરંપરામાં આ વિધિ આવતો હશે અને તેવા અવસરે ગીતાથ તેનો ઉપયોગ કરતા હશે. સમય જતાં આચાર્યોએ સ્મરણશક્તિની હાનિ આદિને લક્ષમાં રાખીને એ વિધિને ગ્રંથસ્થ ક્ય. આથી એનો સર્વથા નિષેધ કરવો યોગ્ય નથી. હા, તેમાં વિવેક જરૂર રાખવો જોઇએ. તેની તેવી જાહેરાતો વગેરે ન થવું જોઇએ. હોમ-હવનની રાખમાં ઘણી શક્તિ હોય છે. આમ છતાં તેનો ગમે તે રીતે ઉપયોગ ન થવો જોઇએ. શાસનના વિશિષ્ટ કાર્યો માટે જ તેનો ઉપયોગ થવો જોઇએ. તેથી ગૃહસ્થોને રાખ આપવાનું યોગ્ય જણાતું નથી. દરેકની વિચારદષ્ટિ ભિન્ન ભિન્ન હોય છે. એથી કોઇક આચાર્ય વગેરેને આ યોગ્ય લાગતું હોય એ સંભવિત છે. પણ સંયમજીવનની મર્યાદાને નજર સમક્ષ રાખતાં મને આ યોગ્ય જણાતું નથી. કારણ કે ગાઢ બિમારી સિવાય વાસક્ષેપ પણ ગૃહસ્થોને આપી શકાય નહિ તો પ્રભાવનાની જેમ રાખ બધાને કેમ આપી શકાય? આ રીતે જ સાધુઓના આચારોમાં ક્ષતિઓ પેસવા માંડે છે. જુઓ! હોમ-હવનનો પ્રવેશ થયો એટલે રાખ આપવાનું પણ શરૂ થયું. શંકા- ૧૭૭. અનીતિનું ધન પ્રતિષ્ઠા-અંજનશલાકા જેવા અનુષ્ઠાનોમાં વાપરવું તે શાસ્ત્રદષ્ટિએ યોગ્ય છે ? તેના વગર મોટા અનુષ્ઠાનો શક્ય જ નથી તો શું કરવું ? સમાધાન– શાસ્ત્રકારોએ ધર્મમાં નીતિનું ધન વાપરવાનું કહ્યું છે. એથી પ્રતિષ્ઠા વગેરેમાં નીતિનું ધન વાપરવાથી ધર્મ શુદ્ધ બને છે. Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શંકા-સમાધાન ધન વગર પ્રતિષ્ઠા વગેરે અનુષ્ઠાનો ન જ થાય એવું નથી. આવા અનુષ્ઠાનો ભવ્ય આડંબરથી કરવા હોય તો વધારે ધન જોઇએ. આડંબર વિના સાદગીથી કરવામાં આવે તો અતિશય અલ્પ ધનથી થઈ જાય. તેટલું ધન તો નીતિનું હોય. હા, કોઇએ પહેલાં અનીતિનું ધન મેળવ્યું હોય, પાછળથી તેને એમ થાય કે મેં આ ખોટું કર્યું છે, એ બદલ મનમાં પશ્ચાત્તાપ થાય તથા હવે પછી અનીતિ ન કરવાનો નિર્ણય કરે. આવો જીવ પૂર્વે મેળવેલું અનીતિનું ધન પ્રાયશ્ચિત્તરૂપે ધર્મમાં વાપરે તો તે કંઈક ઉચિત ગણાય. પણ વારંવાર અનીતિ કરે અને અનીતિ કરવા બદલ હૃદયમાં જરાય દુઃખ ન હોય તેવા માણસો ધર્મમાં અનીતિનું ધન વાપરે તો તે ઉચિત નથી. ધર્મના સ્થાનોમાં અનીતિનું ધન વાપરવાથી ધર્મસ્થાનો દૂષિત બને છે. ધર્મમાં અનીતિનું ધન વાપરવાથી ધર્મ દૂષિત બને છે. થોડું પણ ઔષધ શુદ્ધ હોય તો આરોગ્યને કરે છે. ઘણું પણ ઔષધ અશુદ્ધ ભેળસેળવાળું હોય તો આરોગ્ય ન કરે. માટે જ મહાપુરુષો કહે છે કે ધર્મ કરવામાં આશયશુદ્ધિ અને સાધનશુદ્ધિ હોવી જોઇએ. એક મહાપુરુષે સ્પષ્ટ કહ્યું છે કે “વ્યવહાર શુદ્ધિથી (નીતિથી) રહિત ધનથી કરેલો ધર્મ ખારા પાણીથી સીચેલા વૃક્ષની જેમ વિસ્તારને પામતો નથી.” શંકા- ૧૭૮. કોઈ શ્રાવક મહોત્સવ આદિના સાધારણ ખર્ચને પહોંચી વળવા દશ લાખ વગેરે મોટી રકમ આપે તો તેને એક પ્રતિમાની પ્રતિષ્ઠાનો લાભ આપી શકાય ? સમાધાન ન આપી શકાય. કારણ કે પ્રતિષ્ઠાની રકમ દેવદ્રવ્ય ગણાય. એ દેવદ્રવ્યનો જો મહોત્સવ આદિમાં ઉપયોગ થાય, તો નીચેના ક્ષેત્રમાં તેનો ઉપયોગ થયો ગણાય. જેમ કે સાધર્મિક વાત્સલ્યમાં, વિધિકાર વગેરેને આપવામાં એ રકમનો ઉપયોગ થાય. આથી એ બધામાં દેવદ્રવ્યનો ઉપયોગ કર્યો ગણાય. જો પ્રતિષ્ઠાની બોલી બોલાવી હોત તો તેની રકમ દેવદ્રવ્યમાં જાત. બોલી ન બોલાવી અને દશ લાખ આપ્યા, એ નિમિત્તે તેને પ્રતિષ્ઠાનો લાભ આપ્યો. તેથી દેવદ્રવ્યના ભોગે એ રકમનો સાધર્મિક વાત્સલ્ય વગેરેમાં ઉપયોગ Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૬૯ થયો. એનો અર્થ એ થયો કે જ્યાં સાધારણ દ્રવ્યનો ઉપયોગ કરવો જોઈએ ત્યાં દેવદ્રવ્યનો ઉપયોગ થયો ગણાય. તેથી પરમાર્થથી તે રકમનો નીચેના ક્ષેત્રમાં ઉપયોગ થયો. માટે પ્રતિષ્ઠાનો આદેશ આ રીતે ન આપી શકાય. હા, તેણે મંદિર બનાવવા વગેરે દેવના કામમાં વિશિષ્ટ રકમ આપી હોય, તો હજી તેને રકમ પ્રમાણે પ્રતિષ્ઠાનો લાભ આપી શકાય. કારણ કે એ રકમનો નીચેના ક્ષેત્રમાં ઉપયોગ થતો નથી. શંકા- ૧૭૯. ગુજરાત-મહારાષ્ટ્રમાં પ્રતિષ્ઠાદિ મહોત્સવમાં મહેંદીને લગાડવાની પ્રણાલિકા ન હતી. પરંતુ હમણાં હમણાં તે પ્રણાલિકા વધતી જાય છે. આ પ્રથાને બંધ કરવાની જરૂર નથી ? કારણ કે આ પ્રથા લોકોના આત્મહિતના કલાકોને બગાડીને પ્રમાદમાં લઈ જાય છે. સમાધાન- પ્રમાદને પોષનારી સર્વ પ્રકારની પ્રવૃત્તિને જ્ઞાનીઓએ ત્યાજ્ય જ કહી છે. આથી મહેંદી લગાડવાની પ્રથા પણ ત્યાજ્ય જ છે. શંકા- ૧૮૦. પ્રતિમાની પ્રતિષ્ઠા થયા બાદ પરિકર બનાવવામાં આવે, તો તેની પ્રતિષ્ઠા આદિ વિધિ કરવી જોઇએ ? સમાધાન- જો એ પરિકરમાં પ્રતિમાજી હોય, તો તેની અંજનપૂર્વક પ્રતિષ્ઠા થવી જોઇએ. જો પરિકરે માત્ર અષ્ટપ્રાતિહાર્યયુક્ત જ હોય તો વાસક્ષેપ આદિની એકાદ કલાકની વિધિ કરાવીને પછી પરિકરની શુભ પળે પ્રતિષ્ઠા-સ્થાપના કરવી જોઇએ. જયપુરથી લાવીને સીધું જ પરિકર ફિટ ન કરાવી શકાય. ફળ-નૈવેદ્ય સંબંધી શંકા-સમાધાન શંકા- ૧૮૧. દહેરાસરમાં પ્રભુ સમક્ષ ધરેલા ફળ-નૈવેદ્યને પૂરી કિંમત આપીને લઇને તે ફળ-નૈવેદ્ય જૈનેતરોને મફત ધર્માદામાં આપી શકાય કે નહિ ? સમાધાન- દહેરાસરમાં પ્રભુ સમક્ષ ધરેલ ફળ-નૈવેદ્યને પૂરી કિંમત આપીને લઇને તે ફળ-નૈવેદ્ય જૈનેતરોને મફત ધર્માદામાં Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૭) શંકા-સમાધાન આપવામાં કોઈ બાધ જણાતો નથી. આમ કરવાથી દેવદ્રવ્યની રક્ષા થાય અને અનુકંપાદાનનો પણ લાભ મળે. જો સંઘમાં આવી રીતે ફળ-નૈવેદ્ય લેનાર ૩૬૦ વ્યક્તિઓ તૈયાર થઇ જાય તો સુંદર થાય. અથવા કોઈ વ્યક્તિ ૧૦ તિથિ નોંધાવે, કોઈ પાંચ તિથિ નોંધાવે, એમ પણ ૩૬૦ તિથિઓ નોંધાઈ જાય, તો આ પ્રથા આવકાર્ય છે. પણ સાથે એ ખ્યાલમાં રાખવું કે એમાંથી થોડું પૂજારીને પણ આપવું ઉચિત ગણાય. શંકા- ૧૮૨. દેરાસરમાં આવેલા બદામ-ફળ-શ્રીફળ વગેરે સામગ્રીના વેચાણથી ઉપજી શકે તેટલી રકમ દેવદ્રવ્ય ખાતે જમા કરાવીને આ સામગ્રી વરઘોડામાં અનુકંપાદાન તરીકે અપાય ખરી? આ રીતે આપી શકાતી હોય તો બદામ-ચોખા આદિનો ઉપયોગ થઈ જાય, નહિ તો ઘણે ઠેકાણે વર્ષો સુધી બદામ ભેગી થતી હોય છે. સમાધાન– દેરાસરમાં આવેલી બદામ વગેરે સામગ્રીના વેચાણથી ઉપજી શકે તેટલી રકમ દેવદ્રવ્ય ખાતે જમા કરાવીને એ સામગ્રી વરઘોડામાં અનુકંપાદાન તરીકે આપવામાં કશો બાધ નથી, એટલું જ નહિ, આ પદ્ધતિ અપેક્ષાએ જરૂરી પણ ખરી. કારણ કે વર્તમાનમાં જૈનોમાં જીવદયામાં રકમનો ઠીક ઠીક ઉપયોગ થતો જોવામાં આવે છે, પણ અનુકંપા દાનમાં જોઇએ તેટલી રકમનો ઉપયોગ થતો નથી. અનુકંપાદાન વરઘોડામાં રાખવાના બદલે અનાથાશ્રમ, હોસ્પિટલ વગેરે સ્થળે કરવામાં આવે તો વધારે લાભ થાય. “અમારા મહાવીર ભગવાનના અમુક પ્રસંગના ઉપલક્ષમાં આ દાન કરવામાં આવે છે” એમ કહીને અનાથાશ્રમ કે હોસ્પિટલો વગેરેમાં કરવામાં આવે તો શાસનની ઘણી પ્રભાવના થાય. અહીં પ્રશ્નકારે માત્ર વરઘોડામાં અનુકંપાદાન માટે પૂછ્યું છે. પણ મારું તો એમ કહેવું છે કે દરેક મંદિરમાં રોજની આવતી સામગ્રીની રકમ દેવદ્રવ્ય ખાતે જમા કરાવીને એ સામગ્રી અનુકંપાદાનમાં ઉપયોગ કરે તેવા ૩૬૦ નામો લઈને દરરોજ અનાથાશ્રમ વગેરે જુદા જુદા સ્થળે આનું દાન કરવામાં આવે તો જબ્બરદસ્ત શાસન Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન પ્રભાવના થાય. અનેક જીવો બોધિબીજ પામી જાય. અનેક જીવો બોધિબીજ પામે એનાથી રૂડું બીજું શું હોય ? શંકા- ૧૮૩. નૈવેદ્ય પૂજામાં નૈવેદ્ય અને ફળપૂજામાં ફળ કેવા ન મૂકાય ? સમાધાન– અભક્ષ્ય નૈવેદ્ય અને અભક્ષ્ય ફળ ન મૂકાય. બજારની મીઠાઈ, કાળ વીતી ગયા પછીની મીઠાઈ અભક્ષ્ય હોવાથી નૈવેદ્ય પૂજામાં ન મૂકાય. ચોકલેટ ન મૂકાય. આદ્રા નક્ષત્ર પછી કેરી કે રાયણ ન મૂકાય. ચણીબોર તુચ્છ ફળ હોવાથી ન મૂકાય. શંકા- ૧૮૪. દેરાસરમાં ફળ-નૈવેદ્ય ચઢાવવાથી કીડી-મંકોડા થાય છે. આથી ફળ-નૈવેદ્ય ચઢાવવા કરતાં પૈસા મૂકવા યોગ્ય છે? સમાધાન- ફળ-નૈવેદ્યના સ્થાને પૈસા મૂકવા યોગ્ય નથી. ફળનૈવેદ્ય મૂકીને જે ભાવના ભાવવાની હોય છે, તે પૈસા મૂકીને ભાવી શકાય નહિ. કીડી-મંકોડા થતા હોય તો કીડી-મંકોડા ન થાય તેનો ઉપાય કરવો જોઇએ. કપડામાં જૂ થાય તેથી કપડા કાઢી ન નંખાય, પણ જૂ ન થાય તેનો ઉપાય કરાય. પૂજા કરનાર દરેક ફળ-નૈવેદ્ય દ્વારા પૂજા કર્યા પછી ફળ-નૈવેદ્યને યોગ્ય સ્થાને મૂકી દે તો કીડી-મંકોડા ન થાય. આગેવાનોએ પણ આ અંગે યોગ્ય વ્યવસ્થા કરવી જોઇએ. શંકા- ૧૮૫. આ નક્ષત્ર બાદ ચોમાસામાં આવતી કેરી દેરાસરમાં ફળ તરીકે મૂકી શકાય ? સમાધાન– ન મૂકી શકાય. ચૈત્યવંદન સંબંધી શંકા-સમાધાન શંકા- ૧૮૬. જિનમંદિરમાં ચૈત્યવંદન ઈરિયાવહિયા કરીને જ કરવું જોઇએ કે તેના વગર પણ કરી શકાય ? સમાધાન- નાનું ચૈત્યવંદન=અરિહંત ચેઇઆણે ઈત્યાદિ સૂત્ર બોલીને કરાતું ચૈત્યવંદન ઇરિયાવહિયા કર્યા વિના પણ કરવાની આચરણા જોવા મળે છે પણ મોટું ચૈત્યવંદન તો ઇરિયાવહિયા કરવા પૂર્વક જ કરવું જોઇએ. Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૭૨. શંકા-સમાધાન શંકા- ૧૮૭. પ્રવચન સારોદ્ધારના પ્રથમ દ્વારના કથન મુજબ ચૈત્યવંદન કરતાં પહેલાં ઇરિયાવિહિયા સાધુને આવશ્યક છે, શ્રાવકને નહિ. કેમ કે શ્રાવકને છકાયની હિંસાનો ત્યાગ નથી. તો શું શ્રાવકને ઇરિયાવહિયા કરવાની જરૂર નથી ? સમાધાન– પ્રવચન સારોદ્ધારના પ્રથમ વારમાં શ્રાવકને ઇરિયાવહિયાનો નિષેધ છે જ નહિ. તેમાં તો પૂજા કર્યા પછી ઇરિયાવહિયા કરવા પૂર્વક ચૈત્યવંદન કરે એમ લખ્યું છે તથા પ્રથમ દ્વારના અંતે ઉત્કૃષ્ટ ચૈત્યવંદન ઇરિયાવહિયા પૂર્વક જ થાય છે અને જઘન્ય-મધ્યમ ચૈત્યવંદન ઇરિયાવહિયા વિના પણ થાય છે એમ જણાવ્યું છે. શંકા- ૧૮૮. મંદિરમાં જિનમૂર્તિની સમક્ષ ચૈત્યવંદન કરતી વખતે પગની મુદ્રા કેવી રાખવાની છે ? સમાધાન– પગનો જમણો ઢીંચણ જમીનની ઉપર રહે=જમીનને અડેલો રહે, ડાબો ઢીંચણ ભૂમિથી અદ્ધર રહે એવી પગની મુદ્રામાં ઇંદ્ર મહારાજા નમુત્થણે બોલે છે એમ કલ્પસૂત્રમાં પાઠ છે તથા જીવાભિગમ સૂત્રમાં પણ આવી મુદ્રામાં શક્રસ્તવનો પાઠ કહે એમ જણાવ્યું છે. પણ લલિત વિસ્તરા ગ્રંથમાં બે ઢીંચણ જમીનને અડે એ રીતે એવી મુદ્રાથી ચૈત્યવંદન કરવાનું કહ્યું છે. આથી ચૈત્યવંદનમાં બેમાંથી કોઈ પણ એક મુદ્રા રાખી શકાય. કેમ કે બંને મુદ્રા શાસ્ત્રોક્ત હોવાથી બરાબર છે. શંકા- ૧૮૯ દેરાસરમાં દેવવંદન કરતા હોઇએ ત્યારે સ્નાતસ્યાની થોય, સિદ્ધાચલની થોય બોલાય કે નહિ ? ઘણા કહે છે કે દેરાસરમાં તે ન બોલાય. જો ન બોલાય તો તેનું શું કારણ? સમાધાન- સ્નાતસ્યાની સ્તુતિ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિના શિષ્ય બાલચંદ્ર મુનિએ બનાવી છે. તે કૃતઘ્ન હોવાના કારણે સંઘે તે સ્તુતિ માન્ય ન કરી. પણ બાલચંદ્ર કાળ કરીને વ્યંતર થવાથી તેણે સંઘને ઉપદ્રવ કર્યો. તેથી સંધે માન્ય રાખીને પકૂખી આદિ ત્રણ પ્રતિક્રમણમાં અને સાધુ-સાધ્વીજી કાળ કરે ત્યારે તે નિમિત્તે કરાતા Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન દેવવંદનમાં એ સ્તુતિ દાખલ કરી. આથી આ સિવાય અન્ય વખતે તે સ્તુતિ ન બોલવી જોઇએ. આમ છતાં કોઈ બોલે તો તેમાં દોષ નથી. સિદ્ધાચલની સ્તુતિ સિદ્ધાચલ સમક્ષ બોલવાની હોવાથી દેરાસરમાં ન બોલાય તે વધારે યોગ્ય છે. જો કે સ્થાપનાજી સમક્ષ કરાતા દેવવંદનમાં પણ આ પ્રશ્ન આવે. આમ છતાં સ્થાપનાજીમાં અરિહંતનો આકાર નથી. જ્યારે દેરાસરમાં અરિહંતનો આકાર છે. એટલે સ્થાપનાજી સમક્ષ કરાતા દેવવંદનમાં સિદ્ધાચલની સ્તુતિ બોલાય તે યોગ્ય છે અને દેરાસરમાં જિનપ્રતિમાની સમક્ષ ન બોલાય તે પણ યોગ્ય છે. આમ છતાં કોઈ બોલે તો તેમાં કોઈ દોષ નથી. શંકા- ૧૯૦. શારીરિક બીમારીના કારણે જે શ્રાવક-શ્રાવિકા જમીન ઉપર પલાઠી વાળીને બેસી શકે નહિ તે શ્રાવક-શ્રાવિકા દેરાસરમાં ખુરસી ઉપર બેસીને ચૈત્યવંદન વગેરે કરી શકે ? ઉપાશ્રયમાં ખુરસી ઉપર બેસીને સામાયિક કરી શકે ? ઘર વગેરે સ્થળે ખુરસી ઉપર બેસીને એકાસણું-આયંબિલ કરી શકે ? સમાધાન– ઉપરના કારણોસર કરી શકે પણ પોતાની બેઠક ભગવાનની બેઠકથી નીચી હોવી જોઇએ. વ્યાખ્યાન પ્રતિક્રમણમાં પણ ગુરુની બેઠકથી પોતાની બેઠક નીચી હોવી જોઇએ. શંકા- ૧૯૧. દેરાસરમાં ચૈત્યવંદન વગેરે મૂળનાયક તીર્થકરના ન બોલીએ અને બીજા તીર્થંકરના બોલીએ, આ તો રમણભાઈના ઘેર જઇને છગનભાઈના નામની બૂમો મારીએ તો બારણું કોણ ખોલે? તેના જેવું જ ન થાય શું ? સમાધાન– રમણભાઈ-છગનભાઈનું દૃષ્ટાંત અહીં ઘટી ન શકે. કેમ કે રમણભાઈ છગનભાઈના સ્વભાવ વગેરે ભિન્ન છે. જ્યારે તીર્થંકરો વીતરાગતા-કેવલજ્ઞાન વગેરે ગુણોની દૃષ્ટિએ સમાન છે. વળી રમણભાઇ-છગનભાઈ પાસે જનારનું કામ ભિન્ન-ભિન્ન હોય છે. જયારે તીર્થંકરોની સમક્ષ જનાર બધાનું કામ એક જ-મોક્ષ પામવાનું હોય છે. કોઈ પણ તીર્થકરની ભક્તિથી મોક્ષ મળી શકે છે. આમ મૂળનાયક સિવાય બીજા કોઈ પણ તીર્થકરના ચૈત્યવંદન Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શંકા-સમાધાન બોલી શકાય છે. મૂળનાયકના ચૈત્યવંદનાદિ બોલાય તો તો વધુ સારું પણ બીજા ન જ બોલાય, એવો નિયમ ન બાંધી શકાય. શંકા- ૧૯૨. પતિ-પત્ની અથવા અન્ય કોઇપણ સ્ત્રી-પુરુષ આ બેમાંથી કોઇપણ એક પક્ષને ચૈત્યવંદન કરતાં આવડતું ન હોય ત્યારે દેરાસરમાં સ્ત્રી-પુરુષ સાથે બેસીને ચૈત્યવંદન કરે તે યોગ્ય છે ? સમાધાન જરા ય યોગ્ય નથી. શંકા- ૧૯૩. ગૃહસ્થો જે કપડા પહેરીને સંડાસ-બાથરૂમમાં ગયા હોય તે કપડાથી દહેરાસરમાં મોટેથી બોલીને દેવવંદન વગેરે કરી શકે ? સમાધાન— કપડા તત્કાલ અશુદ્ધિવાળા ન હોય તો કરી શકે. શંકા— ૧૯૪. કાળવેળાએ સ્તવન, સજ્ઝાય, થોય, ચૈત્યવંદન, નવસ્મરણ વગેરે કરી શકાય ? સમાધાન– કરી શકાય. નવ સ્મરણમાં નવકાર ગણધરકૃત હોવાથી અને ઉવસગ્ગહરં પૂર્વધરકૃત હોવાથી ગોખાય નહિ. ગણધકૃત સૂત્રો અને પૂર્વધરરચિત ગ્રંથો કાળવેળાએ ન ગોખાયમોટેથી ન વંચાય એવી વર્તમાનમાં આચરણા છે. તીર્થ સંબંધી શંકા-સમાધાન શંકા- ૧૯૫. તીર્થ કોને કહેવાય ? સમાધાન– જેનાથી સંસાર સમુદ્ર તરાય તે તીર્થ. આ અર્થ પ્રમાણે શ્રુત, સંઘ અને પ્રથમ ગણધર તીર્થ છે. શ્રુત કહો કે શાસ્ત્ર કહો તે બંને એક જ છે. ધર્મ સંસાર સમુદ્રથી તારે છે પણ ધર્મશાસ્ત્ર પ્રમાણે(=શાસ્ત્રમાં કહ્યા મુજબ) થાય તો જ સંસાર-સમુદ્રથી તારે. માટે શ્રુત તીર્થ છે. આ શ્રુતની રચના ગણધર કરે છે. માટે પ્રથમ ગણધર પણ તીર્થ છે. શ્રુતનો આધાર સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ છે. માટે ચતુર્વિધ સંઘ પણ તીર્થ છે. શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં શ્રી ગૌતમસ્વામી વગેરે ગણધરોએ શ્રુતની(=શાસ્ત્રોની) રચના કરી. પછી એ શ્રુત ચતુર્વિધ સંઘને પ્રાપ્ત થયું. પછી એ શ્રુત પઠન-પાઠન આદિ દ્વારા ચતુર્વિધ સંઘને For Personal and Private Use Only Jain Educationa International Page #138 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૭૫ પરંપરાથી પ્રાપ્ત થતું રહ્યું. એથી આજે આપણને શ્રુત પ્રાપ્ત થયું છે. આના ઉપરથી એ પણ સમજી શકાય છે કે આજના કાળે શ્રુતનું સંરક્ષણ કરવું એ ચતુર્વિધ સંઘનું મુખ્ય કર્તવ્ય બની જાય છે. બીજી રીતે તીર્થના સ્થાવર અને જંગમ એમ બે ભેદ છે. તેમાં જે તીર્થ એક જ સ્થળે સ્થિર રહે તે સ્થાવર તીર્થ છે. જેમ કે શત્રુંજય, ગિરનાર વગેરે સ્થાવર તીર્થ છે. જે તીર્થ એક સ્થળેથી બીજા સ્થળે જાય તે જંગમ તીર્થ. વિચરતા તીર્થકરો અને સાધુઓ જંગમ તીર્થ છે. સ્થાવર અને જંગમ બંનેય તીર્થો જીવોને સંસાર સમુદ્રથી તારે છે. શંકા- ૧૯૬. કેટલાક તીર્થોમાં દેવદ્રવ્યની વૃદ્ધિ થાય એ માટે પૂજાના ચડાવા નવ વાગ્યા પછી બોલાવે છે. તેથી લાઇનમાં બેસીને પૂજા કરવાવાળા આરાધકોને અગિયાર વાગ્યા પછી નંબર આવે છે. પરિણામે યાત્રિકો ગરમીમાં પરસેવાથી રેબઝેબ થઇ જતા હોય છે. તે અશુદ્ધિ ગભારામાં પણ ફેલાય છે. લાઇન વધતાં ઘુસણખોરી થાય તથા યાત્રિકોમાં આર્તધ્યાન થાય તેથી મહાતીર્થોમાં આઠ વાગ્યાની આસપાસ પૂજા થઇ જાય તો ચાલે કે કેમ ? સમાધાન– દેવદ્રવ્યની વૃદ્ધિ થાય એ શ્રાવકોનું અને ટ્રસ્ટીઓનું કર્તવ્ય છે. વર્તમાનકાળમાં ધર્મારાધનાના મુખ્ય આલંબન જિનમૂર્તિ અને જિનાગમ(શ્રુત) એ બે છે. જિનમંદિર વિના જિનમૂર્તિ ન હોય. જિનમંદિરના નિર્માણ માટે અને જીર્ણોદ્ધાર માટે સ્વદ્રવ્યદેવદ્રવ્ય અત્યંત ઉપયોગી બને છે. માટે દેવદ્રવ્યની હાનિ ન થાય તે રીતે સમયમાં ફેરફાર કરવામાં વાંધો નથી. પરસેવાના કારણે થતી અશુદ્ધિના નિવારણ માટે ગરમીના દિવસોમાં થોડો વહેલો સમય રાખે તો વાંધો નથી. ગરમીના દિવસોમાં સૂર્યોદય વહેલો થતો હોવાથી જેમને ચડાવો બોલીને પૂજાનો લાભ લેવો હોય, તે થોડા વહેલા પણ આવી શકે, લાઈનમાં ઊભા રહીને પૂજા કરવામાં લાભ જ છે. મોડું થવાથી આર્તધ્યાન થાય, એ તો પૂજકની જ ખામી ગણાય. સંસારમાં દૂધ કે રેશનીંગનું અનાજ લેવા વગેરેમાં ક્યાં લાઇનમાં ઊભા રહેવું પડતું નથી ? એમાં તો કર્મબંધ છે. જ્યારે Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન પરમાત્માની પૂજા માટે લાઇનમાં ઊભા રહેવામાં કર્મનિર્જરા છે. ઘુસણખોરી કરનારાઓ તો ગમે ત્યારે ઘુસણખોરી કરતા હોય છે. શંકા– ૧૯૭. ફાગણ સુદ ૧૩ના દિવસે શત્રુંજયની છ ગાઉની જાત્રા કરવાથી કેટલી કર્મનિર્જરા થાય અને કેટલો પુણ્યબંધ થાય? સમાધાન– પુણ્યબંધ અને કર્મનિર્જરાનું મુખ્ય કારણ આત્માના શુભ પરિણામ છે, એટલે જેટલા અંશે શુભ પરિણામ વધારે એટલા અંશે કર્મનિર્જરા અને પુણ્યબંધ વધારે થાય. બે મહાનુભાવ શત્રુંજયની ૬ ગાઉની યાત્રા કરે, તે બંને એકસરખી નિર્જરા અને એક સરખો પુણ્યબંધ થાય, એવો નિયમ નથી. જેનો શુભ પરિણામ તીવ્ર હોય, એને કર્મનિર્જરા અને પુણ્યનો બંધ વધારે થાય. જેનો શુભ પરિણામ મંદ હોય તેને કર્મનિર્જરા અને પુણ્ય બંધ ઓછો થાય. આવો નિયમ જિનપૂજા-ગુરુવંદન-પૌષધ વગેરેમાં પણ સમજી લેવો. બાહ્યતા અને બાહ્ય અનુષ્ઠાન વગેરે આત્મામાં શુભ પરિણામ ઉત્પન્ન થવામાં નિમિત્તરૂપ બને છે. શંકા- ૧૯૮. છ ગાઉની યાત્રા કેવી રીતે ગણવી ? મૂળનાયક યુગાદિ પરમાત્માના દર્શન કરીને યાત્રાનો પ્રારંભ કરે અને ડુંગરને પ્રદક્ષિણા કરી પુનઃ મૂળનાયક દાદાના દરબારમાં ચઢી (ઘેટી પાળે થઈ) દર્શન કરે, ત્યારે જ છ ગાઉની પ્રદક્ષિણા પૂર્ણ ગણાય કે ઉપરથી દર્શન કરી ડુંગરને પ્રદક્ષિણા કરી ઘેટી ઉતરે એટલે છ ગાઉની યાત્રા કરી ગણાય ? શાસ્ત્રીય વિધિ શું છે ? સમાધાન– દાદાના દર્શન કરી ડુંગરને પ્રદક્ષિણા કરી ઘેટી ઉતરે એટલે છ ગાઉની યાત્રા કરી ગણાય છે. શંકા– ૧૯૯. શત્રુંજય તીર્થ પર મૂળનાયકની પૂજા માટે મોટી લાઈન હોય છે, તો અન્ય ટૂંકમાં પૂજા કરવાથી ન ચાલી શકે ? મોટી ટૂંકમાં પૂજા કરવામાં આવે તો જ યાત્રા કરી ગણાય ? સમાધાન– અન્ય ટૂંકોમાં પૂજા કરવામાં આવે તો પણ યાત્રા કરી ગણાય. Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન શંકા- ૨૦૦. અન્ય ટૂંકોમાં પૂજારીઓ દ્વારા પ્રક્ષાલપૂજા અને સાફસૂફી બરાબર થતી નથી, તેથી યાત્રાળુઓ મોટા પ્રમાણમાં અન્ય ટૂંકોમાં પૂજા કરતા થાય, તે માટે શું કરી શકાય ? સમાધાન– બધા યાત્રાળુઓ અન્ય ટૂંકોમાં પૂજા કરતા થાય, એ માટે કોઈ નિયમન ન કરી શકાય. જેને જ્યાં ભાવ થાય ત્યાં પૂજા કરે. અન્ય ટૂંકોમાં બધા પ્રતિમાઓની પ્રક્ષાલ વગેરે પૂજા થાય અને સાફસૂફી બરોબર થાય, એ માટે ટ્રસ્ટીઓએ તે તે ટૂંકમાં યોગ્ય વ્યવસ્થા કરવી જોઇએ. તેમજ યાત્રિકે જુદી જુદી ટૂંકોમાં પૂજા કરવાની ભાવના રાખવી જોઇએ. શંકા– ૨૦૧. આજકાલ શત્રુંજયનો પથ્થર લાવી પૂજા કરાય છે, તે કેટલું યોગ્ય ગણાય ? તે પથ્થરના જંગલુંછણા જુદા રાખવા કે ભગવાનના મંગલુંછણા ચાલે ? સમાધાન– “પથ્થર'ના બદલે શિલા શબ્દનો પ્રયોગ વાજબી ગણાય. વર્તમાનમાં શત્રુંજય તીર્થના પટ્ટદર્શન વંદનની જે પ્રથા છે તે જ વધુ યોગ્ય જણાય છે. શિલા લાવવાની પ્રથા યોગ્ય જણાતી નથી. શત્રુંજય તીર્થના પટ્ટના દર્શન વંદન કરવાથી જેવો ભાવ આવે છે, તે ભાવ કેવલ શત્રુંજયથી લાવેલી શિલાના દર્શન વંદનથી આવતો નથી. વળી એ શિલાની દરરોજ પક્ષાલપૂજા વગેરે પૂજા કરવાની જરૂર જણાતી નથી, એટલે અંગલુંછણા કરવાનો પ્રશ્ન રહેતો નથી. આજે કોઇ એકને નવું કરવાની ફુરણા થઇ અને તેમ કરે. એને જોઈને બીજા ભાવિકો પણ તેમ કરતા થઈ જાય છે. પણ કંઈ પણ નવું કરતાં પહેલાં ગીતાર્થ મહાપુરુષોની સલાહ લઈને કરવું જોઈએ. આજે પડતા કાળમાં નવી નવી પ્રવૃત્તિ કરવાથી બીજા ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. જેમકે શત્રુંજયની શિલાની પૂજા કરવાનું શરૂ કર્યું તો એના અંગલુંછણા જુદા રાખવા કે નહિ એ પ્રશ્ન ઉપસ્થિત થયો. એટલે આજે જેને શત્રુંજય તીર્થ ઉપર વધારે ભાવ હોય, તેણે શત્રુંજય તીર્થના પટ્ટની સમક્ષ વંદન-દર્શન આરાધના વગેરે કરવું જોઇએ. Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શંકા-સમાધાન શંકા- ૨૦૨. કાર્તિકી પૂનમના દિવસે જે પટ્ટદર્શન-ભાવયાત્રાનો લાભ જે કોઈપણ ભાગ્યશાળીઓ શ્રી સિદ્ધાચલજીની યાત્રા કરી શકે નહિ, તે લોકો લેતા હોય છે. આ દિવસે આપવામાં આવતું ભાથું પટ્ટદર્શન કર્યા બાદ પટ્ટની સમક્ષ વાપરી શકાય કે બહાર લઈ જઈ વાપરવું જોઇએ ? સમાધાન- શત્રુંજયના પટ્ટની સમક્ષ ભાથું વાપરવું યોગ્ય નથી. વ્યવસ્થાપકોએ પડદા વગેરેની એવી વ્યવસ્થા કરવી જોઇએ જેથી આ દોષ ન લાગે. શંકા- ૨૦૩. શ્રી સિદ્ધાચલ તીર્થ ઉપર મૂળનાયક આદીશ્વરની પ્રતિમાનું પરિકર પ્રતિમાયુક્ત હોવા છતાં અને મૂળનાયક પ્રતિષ્ઠાવાળા સ્થાપિત કરેલ હોવા છતાં તેમાં અંજન પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કેમ નથી ? સમાધાન– પાછળથી પરિકર કરાવનારા શ્રાવકો વગેરેને અંજન પ્રતિષ્ઠાનો શિલાલેખમાં ઉલ્લેખ કરવાની જરૂર નહિ જણાઇ હોય. એથી આવો ઉલ્લેખ ન પણ જોવા મળે. એવું ફરજિયાત નથી કે પરિકર અંગે આવો અંજન-પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કરવો જ જોઈએ. શંકા- ૨૦૪. શાશ્વત તીર્થ પાલિતાણાની અમુક ધર્મશાળામાં એરકંડીશન બેસાડેલા છે, તે શું યોગ્ય છે ? ધર્મશાળાની વ્યાખ્યા સમજાવવા વિનંતી. સમાધાન– કોઇપણ તીર્થની ધર્મશાળામાં એરકંડીશન બેસાડવા, એ યોગ્ય નથી. આનાથી સુખશીલતા વધતી જાય છે અને ત્યાગ-તપ ઘટતો જાય છે. તીર્થયાત્રા કરવા માટે થોડું સહન પણ કરવું જોઇએ. તો જ તીર્થયાત્રાનો આસ્વાદ આવે છે. એ.સી. એક પ્રકારનું ભોગસુખનું જ સાધન છે. તીર્થસ્થાનોમાં આવા ભોગસુખનાં સાધનોથી તીર્થસ્થાનોનો મહિમા ઘટી જાય છે. થોડી પ્રતિકૂળતા સહન કરીને થતી તીર્થયાત્રામાં જેવો સુંદર-ઉચ્ચ ભાવ આવે છે, તેવો સુંદર-ઉચ્ચ ભાવ એશ-આરામપૂર્વક થતી તીર્થયાત્રામાં ન આવે. જો તીર્થસ્થાનોમાં Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૭૯ આવા ભોગસાધનો વધતા રહેશે, તો સંભવ છે કે ભવિષ્યમાં તીર્થસ્થાનો તીર્થસ્થાનો ન રહેતાં એશઆરામનાં સ્થાનો બની જાય. ધર્મ માટેની શાળા તે ધર્મશાળા. જેમાં ધર્મની પ્રધાનતા રહે તેવી શાળા તે ધર્મશાળા. એરકંડીશન વગેરે આધુનિક સગવડવાળા સાધનોથી ધર્મ ગૌણ બની જાય છે અને સુખશીલતાને જ પોષણ મળે છે. ધર્મશાળા બનાવનારની ફરજ છે કે લોકો વધારે આવે એવી વૃત્તિના બદલે આચારોનું પાલન વધારે કેમ થાય, એવી વૃત્તિ હોવી જોઇએ. આજના કાળ પ્રમાણે કેટલીક અનિવાર્ય અનુકૂળતાઓ આપવી પડે, એ વાત જુદી છે અને સુખશીલતા પોષાય એવી અનુકૂળતાઓ આપવી એ વાત જુદી છે. શંકા- ૨૦૫. હમણાં હમણાં ગિરનારની ૯૯ યાત્રા અંગે વિશેષ સાંભળવા મળે છે, તો તેનો આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે ? ગિરનારની ૯૯ યાત્રા કરાય ખરી ? જો કરાતી હોય તો કરવાથી કર્મનિર્જરાની દૃષ્ટિએ શું ફાયદો થાય ? સમાધાન- શ્રી ગિરનાર તીર્થ પણ શત્રુંજય તીર્થનો એક ભાગ છે. પૂર્વે શત્રુંજય પર્વત ઘણો વિસ્તૃત હતો. કાળના પ્રભાવથી શત્રુંજય પર્વત નાનો થતો ગયો, એથી ગિરનાર તીર્થ એનાથી છૂટું પડી ગયું તથા જેમ શત્રુંજય તીર્થ ઉપર શ્રી આદિનાથ ભગવાન પૂર્વ નવાણુંવાર સમવસર્યા છે. તેમ ગિરનાર તીર્થ ઉપર શ્રી નેમિનાથ ભગવાન અનેકવાર સમવસર્યા છે. તેથી ગિરનાર પણ શત્રુંજય તીર્થ સ્વરૂપ છે. આથી ગિરનાર તીર્થની ૯૯ યાત્રા કરવાથી પણ ઘણો લાભ થાય છે. લોકોને તે તીર્થની ૯૯ યાત્રા કરવાથી શત્રુંજય તીર્થની ૯૯ કરવાની જેમ) ઘણી નિર્જરા થાય. જેને જે ધર્મ અનુષ્ઠાનમાં રસ(=ઉત્સાહ) આવે તેમાં તેને કર્મની નિર્જરા અને પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય. માટે ગિરનાર તીર્થની ૯૯ યાત્રા શત્રુંજયની જેમ કરવાની કોઈને ભાવના થાય અને કરે તો તે યોગ્ય જ છે. શંકા- ૨૦૬. શત્રુંજયની નવાણું યાત્રા માગસર કે પોષ મહિનાથી શરૂ કરી શકાય કે નહિ ? કેટલાકો કહે છે કે નવાણું Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૮૦ શંકા-સમાધાન યાત્રામાં કા.સુ.૧૫ કે ચે.સુ.૧૫ એ બેમાંથી કોઈ એક પૂનમ આવે તે રીતે નવાણું યાત્રા શરૂ કરી શકાય. સમાધાન– નવાણું યાત્રામાં કા.સુ.૧૫ કે ચૈ.સુ.૧૫ એ બેમાંથી કોઈ એક પૂનમ આપવી જોઈએ એવું કોઈ વિધાન શાસ્ત્રમાં નથી. આથી નવાણું યાત્રા માગસર કે પોષ મહિનાથી શરૂ કરવામાં કોઈ દોષ નથી. શંકા- ૨૦૭. કોઈ પહાડ ખરીદીને તેના ઉપર આદિનાથનું મંદિર બનાવીને એ પહાડને સિદ્ધાચલ કે શત્રુંજય એવું નામ આપવામાં આવે તો એ શું સિદ્ધાચલની આશાતના નથી ? સમાધાન- આ રીતે સિદ્ધાચલ વગેરે નામ આપવામાં સિદ્ધાચલની આશાતના ગણાય. ક્યાં એ પવિત્ર સિદ્ધાચલ કે જેના કાંકરે કાંકરે અનંત આત્માઓ સિદ્ધ થયા છે અને એક સાથે ક્રોડોની સંખ્યામાં સિદ્ધ થયા છે, અને ક્યાં આ પહાડ. હા, એક વાત છે કે સિદ્ધાચલ સ્થાપના તીર્થ, શત્રુંજય સ્થાપના તીર્થ એમ સ્થાપના શબ્દ જોડે તો હજુ બહુ વાંધા જેવું જણાતું નથી. જેમ સાક્ષાત્ અરિહંતની પૂજા ન કરી શકનાર જીવ અરિહંતની સ્થાપના રૂપ મૂર્તિની પૂજા કરે છે તેમ સાક્ષાત્ શત્રુંજય તીર્થની યાત્રા ન કરી શકનાર જીવ સ્થાપના રૂપ શત્રુંજયની યાત્રા કરીને પણ કર્મનિર્જરા કે પુણ્યાનુબંધી પુણ્યનો ભાગીદાર બને. શંકા- ૨૦૮. આજે મીની શત્રુંજય વગેરે નવા નવા તીર્થો ઊભા થઈ રહ્યા છે અને એમ કહેવામાં આવે છે કે- “તમે શત્રુંજય ન જઈ શકો, તો અહીં જાવ તો પણ એટલું જ પુણ્ય મળે” આમ કહેવું તે બરોબર છે ? સમાધાન- નિશ્ચયનયથી તો પોતપોતાના ભાવ પ્રમાણે પુણ્ય મળે. પણ વ્યવહારથી તો એમ અવશ્ય કહી શકાય કે, ભાવશત્રુંજયમાં જવાથી જેટલો લાભ થાય તેટલો લાભ આવા મીની શત્રુંજયમાં ન થાય. એટલે “તમે શત્રુંજય ન જઈ શકો તો અહીં આવો તો પણ એટલું જ પુણ્ય મળે” એમ કહેવું યોગ્ય નથી. આવા કથનથી તો મુખ્ય શત્રુંજય અને મીની શત્રુંજય બંને સમાન થયા. Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૮૧ આનાથી મુખ્ય શત્રુંજયનું મહત્ત્વ ઘટાડી નાખ્યું. આનાથી તો એવું પણ બને કે ત્યાં જાવ કે અહીં જાવ બંને સ્થળે સરખું જ પુણ્ય મળે છે એમ વિચારીને પ્રમાદી જીવો ત્યાં (મુખ્ય શત્રુંજયમાં) જવાનું ટાળીને કેવળ આવા મીની શત્રુંજયમાં જ જતા થઇ જાય. શંકા ૨૦૯. શ્રી શત્રુંજયની તળેટી અને તેની ઉપરનો ભાગ પવિત્ર મનાય છે. તેથી તળેટીમાં કે તળેટીથી ઉપરના ભાગમાં ભવ્યાત્માઓ લઘુશંકા કે વડીનીતિ કરતા નથી. નવાણુયાત્રા વખતે ડુંગર પૂજનના દિવસે ખુશાલ ભવનની બાજુની ગલીથી તળેટી ગણી ત્યાંથી ડુંગર પૂજન શરૂ થાય છે. વર્તમાન ખુશાલ ભવનથી છેક તળેટી સુધી ધર્મશાળાઓનું નિર્માણ થયું છે તથા તેમાં સંડાસોબાથરૂમો છે. તો તેમાં ઉતરનારા એ પવિત્રતાનો ભંગ નથી કરતા શું ? એમને દોષ લાગતો નથી શું ? સમાધાન— જે વખતે જે સ્થાન તળેટી તરીકે પ્રસિદ્ધ હોય તે સ્થાનથી શત્રુંજયની ગણના કરાય અને તે સ્થાનથી આશાતનાનો ત્યાગ કરવાનું શક્ય બને, જો ભૂતકાળની તળેટીનો વિચાર કરવામાં આવે તો ભૂતકાળમાં શત્રુંજયની તળેટી વલ્લભીપુર હતી અને એનાથી પણ દૂરના ભૂતકાળોમાં વડનગર તળેટી હતી. એટલે ભૂતકાળની તળેટીથી આશાતના ટાળવાનું કોઇ પણ રીતે શક્ય ન બને. નવાણુ યાત્રા વખતે ડુંગ૨ પૂજનના દિવસે જ્યાં સર્વપ્રથમ ડુંગર પૂજન થાય છે તે નજીકના ભૂતકાળની તળેટીની સ્મૃતિ માટે થાય છે અને તે યોગ્ય છે. શંકા ૨૧૦. “જે સઘળા તીરથ કહ્યાં, યાત્રા ફળ કહીએ, તેહથી એ ગિરિ ભેટતાં, શતગણું ફળ લહીએ. એક તીર્થની યાત્રા કરવાથી જો સો તીર્થોની યાત્રા કર્યાનું ફળ મળતું હોય તો લાભાલાભની દિષ્ટએ એ જ તીર્થની યાત્રા કરવી ઉત્તમ ને ? સમાધાન– અહીં પ્રશ્નકારને પૂછી શકાય કે, શાસ્ત્રમાં આવે છે કે– इक्को वि नमुक्कारो जिणवरवसहस्स वद्धमाणस्स । संसारसागराओ तारेइ नरं व नारीं वा ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શંકા-સમાધાન જિનેશ્વરોમાં વૃષભ સમાન શ્રી વર્ધમાન સ્વામીને કરાયેલો એક પણ નમસ્કાર પુરુષને કે સ્ત્રીને સંસારરૂપ સાગરથી તારે છે. શ્રી વર્ધમાન સ્વામીને કરાયેલા એક પણ નમસ્કારનો આટલો બધો પ્રભાવ હોવાથી કેવળ શ્રી વર્ધમાન સ્વામીને એક નમસ્કાર કરી લેવો, બીજું કંઈ કરવાની જરૂર નહિ ને ? માટે કોઈ પણ કથનના પરમાર્થને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. અહીં શત્રુંજય તીર્થની યાત્રાથી સો તીર્થની યાત્રાનું ફળ મળે છે, એ કથન શત્રુંજયનો બીજા તીર્થોથી ઘણો અધિક મહિમા છે એ જણાવવા માટે છે, પણ બીજા તીર્થોની યાત્રાનો નિષેધ કરવા માટે નથી. શત્રુંજય તીર્થની યાત્રાથી લાભ તો જ મળે કે જો તીર્થંકરની આજ્ઞાપૂર્વક યાત્રા કરવામાં આવે. તીર્થકરની આજ્ઞા કેવળ શત્રુંજય તીર્થની જ યાત્રા કરવી અને બીજા તીર્થોની યાત્રા ન કરવી એવી નથી. તીર્થકરની આજ્ઞા તો એ છે કે સઘળા તીથની યાત્રા કરવી, પણ શત્રુંજય તીર્થની યાત્રા વિશેષરૂપે કરવી. શંકા- ૨૧૧. “એ તરણતારણ તીર્થ જાણીએ, ગિરિમહિમા અપરંપાર.” અહીં તરણ એટલે પોતે તરે અને તારણ એટલે બીજાને પણ તારે. નાવડી બીજાને તારે, એમ શત્રુંજયનું આલંબન લઈ બીજાઓ તરે. જે ભવ્યાત્માઓ તર્યા એમનું સ્થાન મોક્ષમાં છે. તેઓ હવે સંસારમાં નથી. પણ શત્રુંજયનું સ્થાન વર્તમાનમાં આ લોકમાં છે તેથી એ તર્યો નથી. તો તેને તરણ(=રનાર) કેમ કહેવાય ? સમાધાન- અહીં શત્રુંજય માટે તરણ શબ્દનો પ્રયોગ ઉપચાર ભાષામાં સમજવો. જેમ કે આપણે બોલીએ છીએ કે આ રસ્તો અમદાવાદ જાય છે. તો શું રસ્તો જાય છે ?=ગતિ કરે છે? નહિ. છતાં ઉપચારથી તેમ બોલાય છે. તેવી રીતે શત્રુંજયને કંઈ તરવાનું નથી. પણ તે બીજા જીવોને તારે છે માટે તેને ઉપચારથી તરણ(eતરનાર) કહેવાય. તેવી રીતે આપણે બોલીએ છીએ કે પર્વત બળે છે. શું પર્વત બળે છે ? નહિ. પર્વત ઉપર રહેલું ઘાસ બળે છે. છતાં બળી રહેલા ઘાસનો પર્વત આધાર હોવાથી ઉપચારથી Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૮૩ પર્વત બળે છે એમ બોલાય છે. તેથી શત્રુંજય બીજાઓને તરવાનો આધાર હોવાથી શત્રુંજયને તરણ(તરનાર) કહેવાય છે. શંકા- ૨૧૨. ચાતુર્માસમાં અધિક ફરવાથી અધિક હિંસા થતી હોવાથી શાસ્ત્રમાં ચાતુર્માસમાં ગામતરે જવાનો નિષેધ કર્યો છે. જેઓ આ નિષેધનો અમલ ન કરતા હોય તેઓ બહારગામ જાય ત્યારે રસ્તામાં તીર્થસ્થાન હોય તો યાત્રા કરી લે તે બરોબર છે પણ ચાહીને તીર્થયાત્રા કરવા માટે નીકળવું ઠીક ગણાય ? સમાધાન– આ શાસનમાં અમુક કરવું જ એમ એકાંતે અનુજ્ઞા નથી, અમુક ન જ કરવું એમ એકાંતે નિષેધ પણ નથી. તો પછી શી આજ્ઞા છે? એના જવાબમાં કહ્યું કે જેવી રીતે ધનલાભનો અર્થી વણિક લાભહાનિને વિચારીને લાભ થાય તેવી પ્રવૃત્તિ કરે. તેમ સાધક લાભહાનિને વિચારીને પરિણામે જેનાથી લાભ થાય તેવી પ્રવૃત્તિ કરે. જે શ્રાવકો ચાતુર્માસમાં પણ બહારગામ છૂટથી જતા આવતા હોય તેવા શ્રાવકોને ચાહીને તીર્થયાત્રા માટે જવાનો નિષેધ કરવામાં આવે તો ઘણું નુકસાન થાય. કારણ કે તે શ્રાવકો ચાતુર્માસમાં પણ પોતાની સગવડ પ્રમાણે બહાર ફરવા માટે જવાના. તીર્થયાત્રાનો નિષેધ હોય એથી જ્યાં રાગ વગેરેનું અધિક પોષણ થાય તેવા સ્થાનોમાં જાય. પણ તીર્થયાત્રાનો નિષેધ ન હોય તો તીથોમાં જાય. તેના કારણે યોગ્ય જીવોને ઘણો લાભ થાય. જવાની તૈયારી કરે, ઘરેથી નીકળે, વાહનમાં બેસે વગેરે સમયે મનમાં અમે તીર્થયાત્રા માટે જઈએ છીએ એવો ભાવ હોય. આવા ભાવથી પણ ઘણો લાભ થાય. અલબત્ત, ક્યારેક કેટલાક જીવો તીર્થમાં ન કરવા જેવું કરીને પાપ બાંધે એવું પણ બને. પણ આવા જીવો બહુ થોડા હોય. ઘણા જીવોને તીર્થ સ્થળમાં જિનપૂજા આદિથી લાભ થાય. શંકા- ૨૧૩. જો ચાતુર્માસમાં શત્રુંજયની યાત્રા કરી શકાય તો પૂજય સાધુ-સાધ્વીજીઓથી ચાતુર્માસમાં યાત્રા કરી શકાય કે નહિ? સમાધાન- સાધુ-સાધ્વીજીના જીવનમાં તીર્થયાત્રાનું એટલું મહત્ત્વ નથી કે જેટલું મહત્ત્વ સંયમયાત્રાનું છે. સાધુ-સાધ્વીજીઓ Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શંકા-સમાધાન ચાતુર્માસમાં શત્રુંજયની યાત્રા કરવા જાય તો રસ્તામાં નિગોદ વગેરે જીવોની અને વરસાદના કારણે જ ઉત્પન્ન થનારા અન્ય ત્રસ જીવોની વિરાધના થાય તથા ઓચિંતો વરસાદ આવી પડે તો અપ્લાયના જીવોની ઘણી વિરાધના થાય. એથી સંયમમાં હાનિ થાય. અહીં એ પ્રશ્ન જરૂર થઈ શકે કે આસો માસથી વરસાદ ન હોય તેથી નવા જીવોની ઉત્પત્તિ ન થાય તથા તડકો પડવાના કારણે નિગોદ વગેરે જીવો પણ ન હોય. તેથી તે વખતે સાધુ-સાધ્વીજીઓ શત્રુંજયની યાત્રા કરે તો સંયમમાં હાનિ ન આવે. આના ઉત્તરમાં જણાવવાનું કે સાધુ-સાધ્વીજીઓના જીવનમાં જેમ સંયમની પ્રધાનતા છે તેમ સ્વાધ્યાયની પણ પ્રધાનતા છે. માટે જ સાધુઓ “સદા સ્વાધ્યાય અને સંયમમાં તત્પર રહેનારા હોય” એમ મહાપુરુષોએ લખ્યું છે. સાધુઓએ સવારના પહેલા પ્રહરમાં સૂત્રનો સ્વાધ્યાય(=સૂત્ર કંઠસ્થ કરવાના) હોય છે. બીજા પ્રહરમાં અર્થનો સ્વાધ્યાય(=સૂત્રોના અર્થો સમજવાના) હોય છે. જો સાધુઓ શત્રુંજયની યાત્રા કરવા જાય તો આ રીતે સ્વાધ્યાય ન થઈ શકે. આમ ચાતુર્માસ સિવાયના કાળમાં પણ સાધુ માટે યાત્રાનું મુખ્ય લક્ષ ન હોવું જોઈએ. સાધુઓ માટે આઠમ વગેરે પર્વતિથિએ ચૈત્યપરિપાટી કરવાનું એટલે ગામનગરના અન્ય જિનમંદિરોમાં દર્શન-વંદન આદિ કરવાનું વિધાન છે. આ દષ્ટિએ સાધુઓ આઠમ વગેરે પર્વતિથિએ (ભાદરવા મહિના પછી) શત્રુંજયની યાત્રા કરવા જઈ શકે. ધર્મ ભગવાનની આજ્ઞામાં છે. એટલે જો સાધુ-સાધ્વીજીઓ ભગવાનની ઉક્ત આજ્ઞાની ઉપેક્ષા કરીને શત્રુંજયની યાત્રા કરવા જાય તો તે યાત્રા તેમના માટે ધર્મરૂપ ન બને. ચાતુર્માસ સિવાય શેષકાળમાં પણ સાધુ-સાધ્વીજીઓના જીવનમાં સંયમ-સ્વાધ્યાયની પ્રધાનતા છે. આથી જ સાધુ-સાધ્વીજીઓને ચાહીને તીર્થયાત્રા કરવા માટે વિહાર કરવાનો નિષેધ કર્યો છે. વિહાર કરતાં કરતાં વચ્ચે તીર્થ આવી જાય તો યાત્રા કરે પણ ચાહીને તીર્થયાત્રા કરવા વિહાર ન કરે. Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૮૫ એજ રીતે સાધુજીવનમાં ઉત્સવો-મહોત્સવોની પણ પ્રધાનતા નથી. કિંતુ સંયમ-સ્વાધ્યાયની જ પ્રધાનતા છે. આથી જ એક સ્થળે લખ્યું છે કે- “મહિમા વિશેષને જોવાની પોતાની ઉત્કંઠતાથી સાધુ શાંતિસ્નાત્ર વગેરેમાં ન જાય” આ કથનનો ભાવાર્થ એ છે કે સાધુસાધ્વીજીઓને ખબર પડે કે અમુક ગામ-નગરમાં અમુક મહોત્સવ છે. તો ચાહીને મહોત્સવ જોવા માટે વિહાર કરીને ન જાય. શ્રાવકો આગ્રહભરી વિનંતી કરે અને વિશેષ લાભ જણાય તો જવું પડે એ જુદી વાત છે. બાકી પોતાની ઇચ્છાથી ન જાય. આમ સાધુજીવનમાં સંયમ-સ્વાધ્યાયની મહત્તા હોવાથી સાધુઓ માટે ચોમાસા પૂર્વે કે ચોમાસામાં યાત્રા થાય કે ન થાય એ પ્રશ્ન ઉપસ્થિત થવાને ઓછો અવકાશ રહે છે. જ્યારે શ્રાવકના જીવનમાં તીર્થયાત્રા-મહોત્સવ વગેરેની પ્રધાનતા હોવાથી શ્રાવક ચાતુર્માસમાં પણ શત્રુંજયની યાત્રા કરી શકે. હા. જે શ્રાવક ચાતુર્માસમાં બહાર ફરવાથી જીવોની ઘણી વિરાધના થાય એવા ભાવથી અને આરાધનાના લક્ષ્યથી બહાર ન જવાના નિયમવાળો હોય, તે ચાતુર્માસમાં શત્રુંજયની યાત્રા ન કરે. પણ જેને ચાતુર્માસમાં પણ બધે જ ફરવું છે તેના માટે ચોમાસામાં શત્રુંજયની યાત્રા ન કરાય એવો નિયમ ઠોકાડી ન બેસાય. શંકા- ૨૧૪. અમુક મર્યાદિત રકમ ધર્મમાં વાપરવી એવો નિર્ણય કર્યા પછી મર્યાદિત રકમ ક્યાં વાપરવી એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તે આ પ્રમાણે- આ રકમ શત્રુંજય તીર્થમાં વાપરીએ તો તેનું અનંતગણું ફળ મળે. બીજી તરફ અમદાવાદની અમુક પોળમાં વસતિ ઘટી ગઈ હોવાથી મંદિરની આવક બહુ ઓછી છે. એથી દેરાસરમાં કેસર તદ્દન પાણી જેવું ઘસેલું હોય છે, એના દ્વારા પૂજા કરવાની ઈચ્છા ન થાય તેવું હોય છે. આવા સંયોગોમાં જ્યાં આવકનો તોટો રહેતો હોય, ત્યાં વાપરવાથી વધુ લાભ થાય કે શત્રુંજય ઉપર વાપરવાથી વધુ લાભ થાય ? આ વિષે સ્પષ્ટતા કરવા કૃપા કરશો. Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન સમાધાન– ભગવાનની આજ્ઞા મુજબ ધનનો વ્યય કરવાથી વધારે લાભ થાય. ભગવાનની એવી આશા છે કે “વિવેકી પુરુષે મુખ્યવૃત્તિએ ધર્મ ખાતે કાઢેલું દ્રવ્ય સાધારણ રાખવું. તેમ કરવાથી (કયા ધર્મસ્થાનમાં જરૂર છે એમ) ધર્મસ્થાન બરાબર જોઇને તે સ્થળે તે દ્રવ્યનો વ્યય કરી શકાય છે. સાતે ક્ષેત્રમાં જે ક્ષેત્ર સીદાતું હોય, તેમાં સહાય આપવામાં બહુ લાભ દેખાય છે.” આ આજ્ઞાના આધારે શત્રુંજય ઉપર વાપરવા કરતા પણ જ્યાં આવકનો તોટો હોય ત્યાં વાપરવાથી વધુ લાભ થાય. આજે ઘણા સ્થાનોમાં સાધારણ ખાતામાં તોટો રહેતો હોય છે. પણ જો બધા શ્રાવકો ઉપર મુજબની આજ્ઞા પ્રમાણે ધનનો ઉપયોગ કરે તો સાધારણ ખાતામાં તોટો ન રહે. એવા પણ શ્રાવકો હોય છે કે પર્યુષણમાં સ્વપ્રની બોલીમાં સેંકડો-હજારો મણ ઘી બોલશે પણ તેને કહેવામાં આવે કે તમે સ્વપ્રની સુંદર બોલી બોલ્યા તે સારું કર્યું છે, પણ હવે સ્વપ્રની બોલીના પ્રમાણમાં ઓછું વત્તું પણ સાધારણ ખાતામાં રકમ લખાવો, તો તે ના કહે અથવા શક્તિ પ્રમાણે ન લખાવે. આ અજ્ઞાનતા છે. ખરી વાત એ છે કે ધર્મસ્થાનો ઉપર “મારું મંદિર, મારો ઉપાશ્રય' આવો મમત્વભાવ આવ્યો નથી. જો ધર્મસ્થાનો ઉપર દિલનો મમત્વભાવ આવે, તો પહેલાં જે ક્ષેત્રમાં તોટો હોય તેમાં લખાવીને પછી બીજા સ્થળે ખર્ચે. દરેક શ્રાવકની એ ફરજ છે કે પોતે જે સ્થાનમાં (જે મંદિરમાં અને જે ઉપાશ્રયમાં) આરાધના કરતા હોય તે સ્થાનમાં જ્યાં તોટો હોય ત્યાં પહેલાં પોતાની શક્તિ પ્રમાણે રકમ લખાવીને પછી બીજા ક્ષેત્રમાં ખર્ચવું. આજે મોટા ભાગના શ્રાવકોમાં અજ્ઞાનતા છે કે સાધારણ ખાતામાં ખર્ચવાથી સાધારણ=સામાન્ય લાભ થાય, વિશેષ લાભ ન થાય. અપેક્ષાએ સાધારણ ખાતામાં ખર્ચવાથી વિશેષ લાભ થાય. કારણ કે સાધારણ ખાતાનું ધન બધા જ ખાતામાં વાપરી શકાય, જિનભક્તિમાં, સાધુ વેયાવચ્ચમાં, આયંબિલ ખાતામાં ઇત્યાદિ બધા ખાતામાં વાપરી શકાય. Jain Educationa International ૮૬ For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન હા, ટ્રસ્ટીઓની-કાર્યકર્તાઓની એ ફરજ છે કે શ્રાવકોએ આપેલા સાધારણ દ્રવ્યને ગમે તેમ ન વાપરી નાખવું જોઇએ. બિનજરૂરી પગારદાર માણસો રાખવા, નિરર્થક લાઈટો ચાલુ રાખવી, ઈત્યાદિ રીતે બિનજરૂરી વ્યય ન કરવો જોઈએ. કોઈપણ કામ કરાવવું હોય, તો કસીને જેમ બને તેમ ઓછા પૈસાથી થાય તેમ કરવું જોઇએ. જે કામ ૨૫ હજારથી થઈ શકે તેમ હોય તે કામ તપાસ-ચકાસણી કર્યા વિના ૩૫ હજારમાં કરાવવાથી સાધારણ ખાતાનો દુરુપયોગ થાય. આવી રીતે સાધારણ ખાતાનો દુરુપયોગ ન થાય તેની ટ્રસ્ટીઓએ-કાર્યકર્તાઓએ કાળજી રાખવી જોઇએ. એ જ પ્રમાણે દેવદ્રવ્ય-જ્ઞાનદ્રવ્ય વગેરેનો પણ નિરર્થક વ્યય ન થઈ જાય તેની પૂરી કાળજી રાખવી જોઇએ. શંકા- ૨૧૫. તીર્થંકર પરમાત્માના સમવસરણમાં અશોકવૃક્ષની છાયા હોય છે. શત્રુંજય તીર્થ ઉપર જે સમવસરણો થયા છે તેમાં રાયણવૃક્ષની છાયા કહેલ છે. આનું શું કારણ ? સમાધાન શત્રુંજય તીર્થ ઉપર થયેલા સમવસરણોમાં અશોકવૃક્ષની છાયા હતી પણ આદિનાથ પ્રભુ રાયણવૃક્ષની નીચે સ્થિરતા કરતા હતા. ઋષભદેવ પ્રભુએ પૂર્વનવાણુવાર આ તીર્થની સ્પર્શના રૂપ યાત્રા કરી ત્યારે દરેક વખતે રાયણવૃક્ષની નીચે સ્થિરતા કરી હતી તથા કેવલજ્ઞાન પામ્યા પછી જ્યારે શત્રુંજય ઉપર પધાર્યા ત્યારે પણ પ્રભુએ રાયણવૃક્ષની નીચે રાત્રિ પસાર કરી હતી. સવારે દેવોએ જે સમવસરણ રચ્યું તે રાયણવૃક્ષની નીચે રચ્યું હતું. પણ તેમાં અશોકવૃક્ષ તો હતું જ. આથી છાયા અશોકવૃક્ષની હતી. ભગવાન રાયણવૃક્ષની નીચે સમવસર્યા એનો અર્થ એ છે કે ભગવાને રાયણવૃક્ષની નીચે સ્થિરતા કરી. અહીં સમવસર્યા એટલે પધાર્યા કે સ્થિરતા કરી એવો અર્થ થાય. શંકા- ૨૧૬. સમેતશિખર વગેરેની સ્પેશિયલ ટ્રેનમાં ડોનેશન આપ્યું હોય અને તેમાં અમુક લોકો રાત્રિભોજન કરે, અભક્ષ્યભક્ષણ કરે તો ડોનેશન આપનારને દોષ લાગે ? Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ८८ શંકા-સમાધાન સમાધાન– ડોનેશન આપનારે રાત્રિભોજન અને અભક્ષ્મભક્ષણ વગેરે ન થાય એ શરતે જ ડોનેશન આપવું જોઇએ. આવી શરત કર્યા પછી ડોનેશન આપે છતાં રાત્રિભોજન વગેરે થાય તો ડોનેશન આપનારને દોષ ન લાગે. આમ છતાં બીજી વાર તે કાર્યકર્તાઓને ડોનેશન ન આપવું જોઇએ. આવી ટ્રેનોમાં અભક્ષ્યભક્ષણ વધારે થતુ હોય છે. કારણ કે રસોઈ કરનારાઓને અને રસોડું સંભાળનારાઓને અભક્ષ્યભક્ષણનું પૂરું જ્ઞાન જ હોતું નથી. અલબત્ત કોઇક યાત્રાળુ બહાર જઈને રાત્રિભોજન કે અભક્ષ્યભક્ષણ કરી આવે એ વસ્તુ જુદી છે પણ સામુદાયિક રસોડામાં રાત્રિભોજન કે અભક્ષ્યભક્ષણ જરા પણ ન થવું જોઈએ. જ્યાં આ નિયમનું ચુસ્તપણે પાલન ન થાય ત્યાં ડોનેશન આપે તો ડોનેશન આપનારને પણ દોષ લાગે. કેમ કે ડોનેશન આપનારે ડોનેશન આપીને તે પાપને પ્રોત્સાહન આપ્યું ગણાય. ધર્મ ભલે થોડો થાય, પણ શુદ્ધ થવો જોઇએ. યાત્રા કરાવવાની ભાવના સારી છે પણ અશુદ્ધ યાત્રા થાય તે સારી નથી. જિનાજ્ઞા વિરુદ્ધ થાય છે એમ જાણવા છતાં ડોનેશન આપે તો ડોનેશન આપનારને પુણ્ય બંધાય પણ પુણ્યાનુબંધી પુણ્ય ન બંધાય. પુણ્યાનુબંધી પુણ્ય તો જિનાજ્ઞા મુજબ ધર્મ કરવાથી બંધાય. સમાજમાં નામ આવે, માન-સન્માન મળે, એ માટે જેઓ ડોનેશન આપે છે તેમને તો પ્રાયઃ વિધિ-અવિધિઓ કે શુદ્ધિ-અશુદ્ધિનો વિચાર ન હોય. કાળજી રાખવા છતાં અનિવાર્ય સંયોગોમાં કે અનુપયોગ આદિથી ક્યારેક રાત્રિભોજન જેવું (પાંચ-દશ મિનિટ મોડું) થઈ જાય, તો કાર્યકર્તાઓએ અને રાત્રિભોજન કરનારાઓએ પ્રાયશ્ચિત્ત લઈને શુદ્ધિ કરી લેવી જોઇએ. શંકા- ૨૧૭. અષ્ટાપદ તીર્થનું સ્વરૂપ કેવું છે ? સમાધાન– વિવિધ તીર્થકલ્પ ગ્રંથમાં જણાવ્યું છે કે અયોધ્યાનગરીથી ઉત્તર દિશામાં બાર યોજન (૩૮,૪૦૦ માઇલ) દૂર અષ્ટાપદ તીર્થ આવેલું છે. અષ્ટાપદ પર્વત આઠ યોજન ઊંચો છે. શ્રી આદિનાથ ભગવાન આ પર્વત ઉપર ૧૦ હજાર મુનિઓની Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૮૯ સાથે નિર્વાણ પામ્યા હતા. અષ્ટાપદ પર્વત ઉપર જે સ્થળે શ્રી આદિનાથ પ્રભુનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો તેની નજીકની ભૂમિ ઉપર વિશાળ જિનમંદિર ભરત ચક્રીએ બંધાવ્યું. તે જિનમંદિરમાં શ્રી આદિનાથ તીર્થંકરથી આરંભી શ્રી મહાવીર સ્વામી સુધીના ચોવીસ જિનેશ્વરોની રત્નમય મૂર્તિઓ બિરાજમાન કરી. તે મૂર્તિઓ તે તે પ્રભુના શરીર જેટલી ઊંચી અને તે તે પ્રભુના શરીરના જેવી વર્ણવાળી હતી. દક્ષિણ દિશામાં ચાર, પશ્ચિમ દિશામાં આઠ, ઉત્તરમાં દશ અને પૂર્વમાં બે, એમ ચાર દિશાઓમાં ૨૪ પ્રતિમાઓ સ્થાપન કરી હતી તથા તેમાં ભરત ચક્રીએ પોતાના નવાણું ભાઈઓની રત્નમય પ્રતિમાઓ સ્થાપીને પ્રભુની સેવા કરતી એવી એક પોતાની પ્રતિમા પણ ત્યાં સ્થાપિત કરી. જિનમંદિરની બહાર ભગવાનનો એક સૂપ (પગલાની દેરી) કરાવ્યો. તેની પાસે પોતાના નવાણું ભાઇઓના પણ સૂપ કરાવ્યા. આ મંદિરની અને સ્તૂપોની રક્ષા માટે ભરત ચક્રીએ લોઢાના યંત્રમય આરક્ષક પુરુષો તે સ્થળે ઊભા રાખ્યા હતા. પછી ચક્રવર્તીએ દંડવત્ન વડે પર્વતના દાંતા પાડી નાખ્યા. તેથી સરળ અને ઊંચા સ્તંભની જેમ એ પર્વત લોકોથી ન ચઢી શકાય તેવો થઈ ગયો. પછી તેમણે એ પર્વતની ફરતા એક એક યોજનને આંતરે આઠ પગથિયાં બનાવ્યાં. ત્યારથી એ પર્વતનું અષ્ટાપદ એવું નામ પડ્યું. લોકોમાં તે પર્વત હરાદ્રિ, કૈલાસ અને સ્ફટિકાદ્રિ એવા નામથી પણ ઓળખાવા લાગ્યો. આ અષ્ટાપદ તીર્થનો એવો મહિમા છે કે જે જીવ સ્વલબ્ધિથી તેની યાત્રા કરે તે જીવ નિયમા તે જ ભવમાં મોક્ષે જાય. એ પર્વત ઉપર ક્રોડો જીવો મોક્ષમાં ગયા છે. અષ્ટાપદ તીર્થ ઉપર ઉત્કૃષ્ટ ભાવથી ભક્તિ કરતાં કરતાં રાવણે તીર્થંકર નામ કર્મ બાંધ્યું હતું. સ્વલબ્ધિથી આ તીર્થની યાત્રા કરવા માટે ગયેલા શ્રી ગૌતમસ્વામીજીએ આ પર્વત પર સાધના કરતા ૧૫૦૦ તાપસોને દીક્ષા આપતા એ બધાને કેવળજ્ઞાન થયેલ. દમયંતીએ પૂર્વભવમાં તીર્થમાં બિરાજમાન ૨૪ જિનેશ્વરોના Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૯૦ શંકા-સમાધાન ભાલે રત્નમય તિલક લગાડ્યાં હતાં. આથી આ ભવમાં તેને કપાળે અંધારામાં પ્રકાશ કરે તેવા તિલકની પ્રાપ્તિ થઈ હતી. આ તીર્થની રક્ષા માટે સગરચક્રીના ૬૦ હજાર પુત્રોએ પોતાના પ્રાણોનો ભોગ આપ્યો હતો. વર્તમાનમાં આ પર્વત અગમ્ય કારણોથી અદશ્ય છે. શંકા- ૨૧૮. જે અષ્ટાપદની યાત્રા કરે તે ચરમશરીરી હોય એમ શ્રી મહાવીરસ્વામીએ કહ્યું હતું. તો પ્રશ્ન થાય કે રાવણે અષ્ટાપદની યાત્રા કરી હતી, તો રાવણ કેમ મોક્ષમાં ન ગયા ? સમાધાન- જે સ્વલબ્ધિથી અષ્ટાપદની યાત્રા કરે તે ચરમશરીરી હોય. રાવણે સ્વલબ્ધિથી અષ્ટાપદની યાત્રા કરી ન હતી, કિંતુ વિદ્યાધર હોવાના કારણે વિદ્યાબળથી કરી હતી. શંકા- ૨ ૧૯. પોષ વદ ૧૩ના રોજ સૂર્યોદયનું દર્શન શ્રી શત્રુંજય તીર્થાધિરાજ પરથી કરવાથી અષ્ટાપદ તીર્થના દર્શન થાય છે, તે વાત સાચી હશે? તેમજ દર સુદ બીજે ચંદ્રના દર્શન કરવાથી શાશ્વતા જિનાલયોના દર્શન થાય છે, એ વાત પણ સાચી હશે ? સમાધાન– અનેક શાસ્ત્રોનું તથા લગભગ પીસ્તાલીસ આગમનું વાંચન કરવા છતાં આવી વાતો મારા વાચવામાં આવી નથી. એવો મને ખ્યાલ છે. માટે આ વાતો સાચી કઈ રીતે માની શકાય ? સુદ બીજે ચંદ્રદર્શન કરવાથી મળતાં ફળની વાત સ્તુતિઓમાં ગુંથવામાં આવી છે. તીર્થકર સંબંધી શંકા-સમાધાન શંકા- ૨૨૦. વર્તમાન ચોવીશીના ત્રેવીસમાં તીર્થકર શ્રી શંખેશ્વર ભગવાન કે જેમની પ્રતિમા વર્તમાનમાં ભારત દેશના ગુજરાત રાજયના શંખેશ્વર ગામના જિનમંદિરમાં વિદ્યમાન છે, તે પ્રતિમા કોણે, ક્યારે અને ક્યાં ભરાવી? તથા વર્તમાનમાં શંખેશ્વર ગામમાં ક્યારથી સ્થાપિત (પ્રતિષ્ઠિત) છે ? શાસ્ત્રાધારે સમાધાન કરવાની કૃપા કરશો. સમાધાન- અષાઢી નામના શ્રાવકે ગત ચોવીસીના નવમા તીર્થકર શ્રી દામોદર જિન પાસે સાંભળ્યું કે, તમે આવતી ચોવીસીમાં Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૯૧ શ્રી પાર્શ્વનાથ જિનના ગણધર થઈને મોક્ષમાં જશો. આથી તે શ્રાવકે પોતાના ઉપકારી શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ બનાવીને પ્રતિષ્ઠા કરાવી. પછી ત્રિકાળ તેની પૂજા કરવા લાગ્યો. મૃત્યુ પામીને તે વૈમાનિક દેવ થયો. પ્રતિમાજીને ત્યાં લઈ આવ્યો. પછી એ પ્રતિમા સૂર્ય-ચંદ્ર વિમાનમાં ઘણા સમય સુધી રહી. પછી એ પ્રતિમા પાતાળમાં નાગલોકમાં ઘણા સમય સુધી રહી. બધા સ્થળે દેવોએ ભક્તિભાવથી પૂજી, આ અવસર્પિણીમાં બાવીસમા શ્રી નેમિનાથ ભગવાન સંસારી અવસ્થામાં હતા ત્યારે જરાસંધ નામનો નવમો વાસુદેવ કૃષ્ણ મહારાજાની સાથે યુદ્ધ કરવા રાજગૃહી નગરીથી પશ્ચિમ દિશામાં ચાલ્યો. કૃષ્ણ વાસુદેવ પણ તેની સામે યુદ્ધ કરવા આવ્યા. ત્યાં અરિષ્ટનેમિકુમારે પાંચજન્ય શંખ પૂર્યો. તેથી ત્યાં શંખેશ્વર ગામ વસ્યું. શંખધ્વનિથી ક્ષોભ પામેલા જરાસંધ રાજાએ જરા નામના કુલદેવતાની આરાધના કરી. પછી તેણે આપેલી જરાવિદ્યાને કૃષ્ણના સંપૂર્ણ સૈન્ય ઉપર ફેરવી. આથી કૃષ્ણનું સઘળું સૈન્ય ખાંસી, શ્વાસ રોગથી પીડિત બન્યું. વ્યાકુળ થયેલા કૃષ્ણ વાસુદેવે અરિષ્ટનેમિકુમારને પૂછ્યું: હે ભગવંત ! સૈન્ય ઉપદ્રવથી રહિત કેવી રીતે થાય? અને મને જયલક્ષ્મી કેવી રીતે પ્રાપ્ત થાય? ભગવાને અવધિજ્ઞાનથી જોઈને કહ્યું: ભવિષ્યમાં થનારા પાર્શ્વનાથની પ્રતિમા પાતાળમાં નાગકુમારોથી પૂજાઈ રહી છે તે પ્રતિમા તમારા જિનમંદિરમાં પૂજો તો સૈન્ય ઉપદ્રવથી રહિત થાય અને જયલક્ષ્મીની પ્રાપ્તિ થાય. આ સાંભળીને કૃષ્ણ વાસુદેવે અઠ્ઠમ તપ કરીને વિધિપૂર્વક નાગરાજની આરાધના કરી. આથી નાગરાજ પ્રત્યક્ષ થયા. અને પ્રતિમા અર્પણ કરી. કૃષ્ણ પછી મહોત્સવપૂર્વક તે પ્રતિમા પોતાના જિનમંદિરમાં સ્થાપી. વિધિપૂર્વક ત્રિકાળ તેની પૂજા કરવાનું શરૂ કર્યું. પછી તેનું ન્ડવણજળ સઘળા સૈન્ય ઉપર છાંટવામાં આવતાં સૈન્ય ઉપદ્રવથી મુક્ત બનીને સ્વસ્થ થયું. પછી યુદ્ધમાં જરાસંધનો પરાજય થયો અને શ્રીકૃષ્ણનો વિજય થયો. ત્યારથી આ પ્રતિમા ધરણેન્દ્ર અને પદ્માવતીના સાંનિધ્યવાળી થઇ. તે પ્રતિમા ત્યાં Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૯૨ શંકા-સમાધાન શંખેશ્વરનગરમાં જ સ્થાપી. સમય જતાં એ પ્રતિમા ભક્તોના વાંછિતોને પૂરવા લાગી. તુક્ક( મુસલમાન) રાજાઓ પણ તે પ્રતિમાનો મહોત્સવ કરવા લાગ્યા. ઘણા કાળ સુધી આ પ્રતિમા પૂજાણી. પછી વિ.સં. ૧૧૫૫માં સજ્જન શેઠ અને દુર્જનશલ્ય રાજાએ મૂળસ્થાનથી એક માઈલ દૂર નવું જિનમંદિર કરાવીને તેમાં શંખેશ્વર પાર્શ્વનાથના બિંબની સ્થાપના કરી. ત્યારબાદ અઢારમી સદીના અંતમાં રાધનપુરના ધનાઢચ શ્રાવકોએ બે માળનું નવું મંદિર તૈયાર કરવા પ્રયત્ન કર્યો. પણ કાર્ય કરનારની ખામીના કારણે તેમ બની શક્યું નહિ. જેથી નીચલા ભૂમિગૃહ તરીકે તૈયાર કરેલા સ્થાનમાં જ શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી. આ મંદિર વર્તમાનમાં વિદ્યમાન છે. શંકા- ૨૨૧. શ્રી પાર્શ્વનાથ ભગવાનના મસ્તકે ફણા રાખવાનું શું કારણ છે ? સમાધાન– મેઘમાળી દેવે પૂર્વભવના વેરના કારણે પાર્શ્વનાથ પ્રભુને ઉપદ્રવ કરવા જ્યાં પાર્શ્વનાથ પ્રભુ કાયોત્સર્ગમાં રહેલા હતાં, ત્યાં ભયંકર મેઘગર્જના સાથે મૂશળધાર વરસાદ વરસાવ્યો. આથી જયારે પાણી પ્રભુજીની નાસિકા સુધી આવ્યું, ત્યારે આ પ્રસંગ અવધિજ્ઞાનથી ધરણેન્દ્રના જાણવામાં આવ્યો. આથી તે તરત પ્રભુની પાસે આવ્યો. પ્રભુને નમીને ધરણેન્દ્ર તેમના ચરણનીચે કમળના આસન જેવું અને નીચે રહેલા લાંબા નાળચાવાળું સુવર્ણકમળ વિકવ્યું. પછી પોતાની કાયાથી પ્રભુના પૃષ્ઠ અને બે પડખાને ઢાંકી દઈને સાત ફણા વડે પ્રભુને મસ્તકે છત્ર કર્યું. ધરણેન્દ્રની આ પ્રભુભક્તિનું સ્મરણ થાય એ માટે વર્તમાનમાં પાર્શ્વનાથ પ્રભુને મસ્તકે ફણા રાખવામાં આવે છે. ફણા રાખવાનું શાસ્ત્રમાં વિધાન ન હોવા છતાં ગીતાર્થોની આચરણાથી ફણા રાખવામાં આવે છે. ગીતાથની આચરણા પણ જિનાજ્ઞાસ્વરૂપ છે તથા પાર્શ્વનાથની દરેક પ્રતિમાના મસ્તકે ફણા રાખવી જ જોઈએ એવો નિયમ નથી. રાખે તો પણ બાધ નથી અને ન રાખે તો પણ વાંધો નથી. Jain Educationa international For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૯૩ શંકા– ૨ ૨ ૨. ધરણેન્દ્રની પ્રભુભક્તિનું સ્મરણ થાય એ માટે ફણા રાખવામાં આવે છે તો સ્મરણ હૃદયમાં રખાય, મસ્તક પર તો ન જ રખાય. સમાધાન– ધરણેન્દ્ર પ્રભુના મસ્તક પર સાત ફણા વડે છત્ર કર્યું હતું, આ પ્રસંગની સ્મૃતિ હૃદયમાં થાય માટે પ્રતિમામાં પ્રભુના મસ્તક પર ફણા રાખવામાં આવે છે. શંકા— ૨૨૩. પાર્શ્વનાથ ભગવાનને મેઘમાળીએ કરેલા ઉપસર્ગનું નિવારણ કરવા માટે ધરણેન્દ્ર ભગવાનના મસ્તક ઉપર સાત ફણા રાખી હતી, તેથી તે પ્રસંગની સ્મૃતિ માટે પ્રભુપ્રતિમાની ઉપર સાત જ ફણા રાખવી જોઇએ, તેના બદલે ૩, ૫, ૭, ૯, ૧૦૮, ૧૦૦૮ આમ અલગ શા માટે રાખવામાં આવે છે અને આમ અલગ-અલગ રાખવાનું ક્યારથી શરૂ થયું ? બીજું સકલતીર્થ સૂત્ર સવારના પ્રતિક્રમણમાં ઉમેરવામાં આવ્યું તે કયા સુવિહિત ગીતાર્થની આચરણાથી ઉમેરાયું છે તે જણાવશો ? સમાધાન– આજે ઘણી આચરણાઓ એવી છે કે તેનું સર્વ પ્રથમ આચરણ કરનાર કોણ હતું અને ક્યારથી તેનો પ્રારંભ થયો તે જાણી શકાતું નથી. આચરણા ક્યારથી શરૂ થઇ કે કોણે કરી તે મહત્ત્વનું નથી, કિંતુ આચરણા શાસ્ત્રવિરુદ્ધ છે કે નહિ ? આચરણાથી રાગદ્વેષ-પ્રમાદ વગેરે દોષો પોષાય છે કે નહિ ? તે મહત્ત્વનું છે. આથી જે આચરણા શાસ્ત્રવિરુદ્ધ હોય, તે આચરણા પ્રમાણ ન ગણાય. આથી જ એક મહાપુરુષે લખ્યું છે કે “જે પ્રવૃત્તિ આગમથી અવિરુદ્ધ હોય, તે જ પ્રમાણ ગણાય.” તથા જેમાં રાગ-દ્વેષ-પ્રમાદ વગેરે દોષો પોષાય તેવી આચરણા પણ પ્રમાણ ન ગણાય. આમ આચરણા કોણે શરૂ કરી અને ક્યારથી શરૂ થઇ તેનું મહત્ત્વ નથી. આથી જ ચૈત્યવંદન મહાભાષ્યમાં કહ્યું છે કે “અજ્ઞાતમૂળવાળી, હિંસાથી રહિત, શુભધ્યાનને ઉત્પન્ન કરનારી, સૂરિ પરંપરાથી પ્રાપ્ત થયેલી આચરણા સૂત્રની જેમ પ્રમાણ છે. માટે પાર્શ્વપ્રભુની પ્રતિમામાં ત્રણ For Personal and Private Use Only Jain Educationa International Page #157 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શંકા-સમાધાન વગેરે ફણાઓ રાખવાની અને સવારના પ્રતિક્રમણમાં સકલ તીર્થ સૂત્ર બોલવાની આચરણા પ્રમાણરૂપ છે. અપ્રમાણરૂપ નથી. શંકા- ૨૨૪. (૧) શ્રી પાર્શ્વનાથ ભગવાનને આવેલા ઉપસર્ગનું નિવારણ કર્યા પછી ધરણેન્દ્ર પોતાના સ્થાને જતા રહ્યા હતા. તો પછી પ્રતિમામાં ધરણેન્દ્રને કાયમ માટે સાથે રાખવાનું શું કારણ? (૨) ઉપસર્ગ નિવારણ વખતે કેટલી ફણા હતી ? (૩) ઉપસર્ગ થયો ત્યારે ભગવાન ક્યાં હતા ? (૪) ભગવાનનો આત્મા અલગ હતો અને ધરણેન્દ્રનો આત્મા અલગ હતો. તો બે આત્માઓને એક જ પ્રતિમામાં શા માટે દેખાડવામાં આવે છે ? (૫) ફણા પ્રતિમાની સાથે અવશ્ય જોઈએ ? (૬) ફણા પૂજનીય ખરી ? (૭) ફણા ધરી ત્યારે ભગવાન કાઉસ્સગ્ગ મુદ્રામાં હતા, તો પદ્માસનમુદ્રામાં ફણા શા માટે ? (૮) ફણા ભગવાનના મસ્તક પર હતી, ભગવાન ફણા ઉપર બિરાજમાન થયા ન હતા તો કોઈ સ્થળે ભગવાન ફણા ઉપર બિરાજમાન બતાવ્યા છે તેનું શું કારણ ? સમાધાન– (૧) ધરણેન્દ્ર ઉપસર્ગ નિવારીને શ્રી પાર્શ્વનાથ પ્રભુની ઉત્તમ ભક્તિ કરી હતી એની સ્મૃતિ માટે પ્રતિમામાં ધરણેન્દ્રને કાયમ માટે સાથે રાખવામાં આવે છે. (૨) ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્રમાં કહ્યું છે કે- “ધરણેન્દ્ર તેમના ચરણ નીચે કેવળીના આસન જેવું અને નીચે રહેલા લાંબા નાળવાળું એક સુવર્ણકમલ વિકુવ્યું. પછી તે ધરણેન્દ્ર પોતાની કાયાથી પ્રભુના પૃષ્ઠ અને બે પડખાને ઢાંકી દઈને સાત ફણા વડે પ્રભુના મસ્તકે છત્ર કર્યું.” શ્રી સતિશતક સ્થાનક નામના ગ્રંથમાં લખ્યું છે કે “શ્રી પાર્શ્વનાથ સ્વામીએ કમઠ નામના તાપસની ધૂણીના કાષ્ઠમાંથી બળતા સર્પને કઢાવી નવકારમંત્ર સંભળાવી ધરણેન્દ્ર બનાવ્યો. તે ઉપકારની સ્મૃતિમાં ભક્તિથી ધરણેન્દ્ર શ્રી પાર્શ્વનાથ સ્વામી ઉપર ત્રણ, સાત કે અગિયાર ફણાઓ ધારણ કરે છે.” Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૯૫ શંકા-સમાધાન (૩) ઉપસર્ગ થયો ત્યારે શ્રી પાર્શ્વનાથ ભગવાન કોઈ નગરની પાસે આવેલા તાપસના આશ્રમની પાસે એક કૂવાની પાસે વડવૃક્ષની નીચે કાયોત્સર્ગ મુદ્રામાં રહેલા હતા. (૪) ધરણેન્દ્ર ઉપસર્ગ નિવારીને કરેલી ઉત્તમ ભક્તિની સ્મૃતિ માટે ધરણેન્દ્ર અને પાર્શ્વનાથ ભગવાન એ બંનેને એક જ પ્રતિમામાં દેખાડવામાં આવે છે. (૫) ફણા શ્રી પાર્શ્વનાથની પ્રતિમાની સાથે હોવી જ જોઈએ એવો નિયમ નથી. ઘણા સ્થળે ફણા વિનાની શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ જોવામાં આવે છે. (૬) ફણાની પૂજા કરવાની જરૂર નથી. પ્રભુની નવ અંગ સિવાય ક્યાંય પૂજા કરવાની નથી. (૭) ધરણેન્ટે કરેલી ભક્તિની સ્મૃતિ માટે ફણા રાખવામાં આવે છે. આથી પદ્માસનમુદ્રામાં પણ ફણા રાખવામાં કોઈ દોષ નથી. ભગવાનને ફણા ઉપર બિરાજમાન કરવાની કોઈ જરૂર નથી. આમ છતાં કોઈ સ્થળે ભગવાનને ફણા ઉપર બિરાજમાન કર્યા હોય તો દોષ પણ નથી. શંકા- ૨૨૫. કોઈ સ્થળે શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ઉપર ફણા જોવામાં આવે છે. એમને કોઈ ઉપસર્ગ થયો ન હતો. છતાં ફણા શા માટે ? સમાધાન- આ વિષે શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રમાં કહ્યું છે કે- “શ્રી સુપાર્શ્વનાથ ભગવાન ગર્ભમાં વૃદ્ધિ પામતાં માતાએ સ્વપ્રમાં એક, પાંચ ને નવ ફણાવાળા નાગની શય્યામાં પોતાને સૂતેલાં જોયાં. શ્રી પૃથ્વીદેવી માતાએ તે અવસરે સ્વપ્રમાં જેવો મોટો સર્પ જોયો હતો તેવો મોટો સર્પ શક્રેન્દ્ર શ્રી સુપાર્શ્વનાથ સ્વામીના મસ્તક ઉપર બીજા છત્રની જેમ ધારણ કર્યો. ત્યારથી આરંભીને સમવસરણોમાં અને અન્ય સ્થાનોમાં પણ શ્રી સુપાર્શ્વનાથ સ્વામીના મસ્તક ઉપર એક, પાંચ અને નવ ફણાની રચના થઈ.” શ્રી સતિશતક સ્થાનક ગ્રંથમાં પણ આવા જ ભાવનું કથન કરવામાં આવ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૯૬ શંકા-સમાધાન શંકા- ૨૨૬. ભગવાન મહાવીરને સર્વપ્રથમ ગોવાળિયાનો ઉપસર્ગ આવ્યો, ત્યારે ઇન્દ્ર પ્રભુને વિનંતી કરી કે, “હે પ્રભુ ! આપને બાર વર્ષ સુધી ઘણા ઉપસર્ગો થશે. તેથી બાર વર્ષ સુધી વેયાવચ્ચ માટે આપની પાસે હું રહું.' આથી ભગવાને કહ્યું: “હે દેવેન્દ્ર ! આ ક્યારેય થયું નથી, થતું નથી અને થશે પણ નહિ કે તીર્થકરી દેવેન્દ્રની સહાયથી કેવલજ્ઞાન ઉત્પન્ન કરે. તીર્થકરો સ્વપરાક્રમથી જ કેવલજ્ઞાનને ઉત્પન્ન કરે છે.” અહીં પ્રશ્ન થાય કે જો તીર્થકરો સ્વપરાક્રમથી જ કેવલજ્ઞાન ઉત્પન્ન કરે છે તો જયારે મેઘમાળીએ ઉપસર્ગ કયો ત્યારે ધરણેન્દ્ર કેમ સહાય કરી ? એ દેવસહાય મળી છતાં પાર્શ્વનાથ તીર્થંકર પદ કેમ પામ્યા? સમાધાન– સહાયની અપેક્ષા રાખવી અને ભક્ત સહાય કરે, એ બંને ભિન્ન છે. તીર્થકરો ક્યારે પણ કોઈની પણ સહાયની અપેક્ષા રાખતા નથી. આથી જ મહાવીર ભગવાને ઈન્દ્રને સહાયની ના પાડી. પણ ભક્તની એ ફરજ છે કે, ભગવાનને આવતા ઉપસર્ગોમાં સહાય કરવી. આથી જ ભગવાન મહાવીરે સહાયની ના પાડી હોવા છતાં મરણાંત ઉપસર્ગને રોકવા માટે ઈન્દ્ર વ્યંતર દેવને પ્રભુની વેયાવચ્ચ કરવા માટે રાખ્યો હતો. તે જ રીતે મેઘમાળીએ ઉપસર્ગ કર્યો, ત્યારે ધરણેન્દ્ર પાર્શ્વનાથ ભગવાનને સહાય કરી હતી. આમ તીર્થકરો કોઈનીય સહાયની અપેક્ષા રાખતા ન હોવાથી સ્વપરાક્રમથી જ કેવળજ્ઞાન ઉત્પન્ન કરે છે. માટે જ કલ્પસૂત્રમાં આવે છે કે ભગવાન મહાવીર જે કોઈ ઉપસર્ગો આવે છે તેને સહન કરે છે, એટલે કે ઉપસર્ગોનો ભય રાખતા નથી, ઉપસર્ગ કરનાર ઉપર ક્રોધ કરતા નથી, દીનતા કરતા નથી અને ચલિત બનતા નથી. આથી તીર્થકરો સ્વપરાક્રમથી જ કેવલજ્ઞાન ઉત્પન્ન કરે છે. શંકા- ૨૨૭. તીર્થંકર પરમાત્માના જન્મ સમયે તીર્થકર નામકર્મના પુદ્ગલસ્કંધો સમસ્ત વિશ્વમાં વીજળી વેગે વ્યાપી જાય છે. તેની આકર્ષણશક્તિથી ઇન્દ્રના પર્વત જેવા નિશ્ચલ પણ સિંહાસનો Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ચલિત થઈ જાય છે તો એ જ આકર્ષણશક્તિથી ભૂમિ પરના પર્વતો, મકાનો વગેરે નિશ્ચલ વસ્તુઓ કેમ ચલિત થતી નથી? સમાધાન– આ પ્રશ્નમાં જ ઘણી ગેરસમજ છે. તીર્થંકર નામકર્મના પુદ્ગલ સ્કંધો સમસ્ત વિશ્વમાં વીજળી વેગે વ્યાપી જાય છે એ સિદ્ધાંત જ ખોટો છે. આત્મામાંથી છૂટા પડેલા તીર્થંકર નામકર્મના પુગલસ્કંધો જીવ જયાં હોય તેની આસપાસ વિખેરાઈ જાય છે, ફેલાઈ જાય છે, સમસ્ત વિશ્વમાં ફેલાતા નથી. આમ છતાં તીર્થકર નામકર્મના ઉદયના પ્રભાવથી જ સિહાસનો કંપે છે. અહીં બીજી વાત એ છે કે કેમ આત્માની સાથે રહેલા હોય ત્યારે ફળ આપે છે. આત્મામાંથી છૂટા થયા પછી નહિ. આથી જ તત્ત્વાર્થ સૂત્રમાં તત નિર્જરા એમ કહ્યું છે. આનો અર્થ એ છે કે ફળ મળ્યા પછી કર્મોની નિર્જરા થાય છે. નિર્જરા એટલે કર્મોનું આત્મપ્રદેશોથી છૂટા પડી જવું. કમનું ઉદયમાં આવવું એટલે ફળ આપવા માટે કર્મોનું તત્પર બનવું. આથી પહેલાં કર્મો ઉદયમાં આવે છે એટલે કે પોતાનું ફળ આપે છે પછી આત્માથી છૂટા પડે છે. આ રીતે જોઇએ તો આત્માથી છૂટા પડેલા કર્મો વિશ્વમાં ફેલાતા હોય તો પણ ફળ આપતા નથી. ફળ તો પહેલા આત્મામાં હતા ત્યારે જ આપી દીધું છે. આટલા વિવેચનથી “એ જ આકર્ષણશક્તિથી ભૂમિ પરના પર્વતો, મકાનો વગેરે નિશ્ચલ વસ્તુઓ કેમ ચલિત થતી નથી એ પ્રશ્નનું સમાધાન આવી જાય છે. જે કર્મનું જે ફળ હોય તે કર્મના ઉદયથી તે જ ફળ મળે. તીર્થકર નામકર્મનું ફળ ઈન્દ્રનું સિંહાસન ચલાયમાન થાય વગેરે છે, પર્વતો વગેરે ચલાયમાન થાય એ તીર્થકરના નામકર્મનું ફળ છે જ નહિ. માટે એના ચલિત બનવાનો સવાલ જ રહેતો નથી. શંકા- ૨૨૮. તીર્થંકર પરમાત્માના જન્મ સમયે દિશાઓ સૌમ્ય બની જાય છે, પક્ષીઓ “જય જય” બોલે છે, વાયુ અનુકૂળ વાય છે, પૃથ્વી ધન-ધાન્યથી ભરપૂર બને છે. આ બધું કુદરતી બને છે કે તીર્થકર નામકર્મના પુણ્ય પ્રભાવથી બને છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શંકા-સમાધાન સમાધાન– આ બધું તીર્થકર નામકર્મના પ્રભાવથી બને છે. જો કે તીર્થંકર નામકર્મનો રસોદય તો કેવળજ્ઞાન થયા પછી હોય છે. એ પહેલાં પ્રદેશોદય હોય છે. આમ છતાં જેમ સૂર્યોદય થવાને થોડીવાર હોય છતાં અજવાળું થઈ જાય છે તેમ તીર્થંકર નામકર્મનો રસોદય થાય તે પહેલાં માત્ર પ્રદેશોદયથી પણ આ બધું થવા માંડે છે. શંકા- ૨૨૯. હું તીર્થકર થાઉં એવી પ્રાર્થના કરાય ? સમાધાન- “હું તીર્થકર થાઉં એવી પ્રાર્થના ઔદયિક ભાવથી ન કરાય, પણ ક્ષાયોપથમિક ભાવથી કરાય. તીર્થંકરની દેવોએ કરેલી સમવસરણ અને નવ કમળ વગેરે ઋદ્ધિ જોઈને કે સાંભળીને તે ઋદ્ધિની ઇચ્છાવાળો થયેલો જીવ તીર્થંકર બનવાની પ્રાર્થના કરે તો તે પ્રાર્થના ઔદયિક ભાવની છે. આ પ્રાર્થના ઋદ્ધિ મેળવવાની ઇચ્છાથી થતી હોવાથી ઔદયિક ભાવવાળી છે. આથી જ દશાશ્રુતસ્કંધ અને ધ્યાનશતક વગેરે ગ્રંથોમાં તીર્થકર બનવાની આશંસાનો નિષેધ કર્યો છે. તીર્થકર ભવ્ય જીવોના ધર્મ માટે થાય છે, તીર્થકર અનેક જીવોનું હિત કરનારા, અનુપમ સુખને ઉત્પન્ન કરનારા અને અપૂર્વ ચિંતામણિ સમાન છે. આથી તીર્થકરનું અનુષ્ઠાન(=તીર્થકરની દેશના વગેરે પ્રવૃત્તિ) હિતકર છે. આવા શુભ અધ્યવસાયવાળા જીવની તીર્થકરપણાની પ્રાર્થના ક્ષાયોપથમિક ભાવવાળી છે. કારણ કે આમાં બાહ્ય ઋદ્ધિ મેળવવાની ઇચ્છા નથી, કિંતુ પરહિત કરવાની ભાવના છે. (પંચા.૪ ગા.૩૯ વગેરે, કૂપદષ્ટાંત વિશદીકરણ ગ્રંથ ગા.૧૩). શંકા- ૨૩૦. વિહરમાન જિનની દર વખતે આ જ નિયત વિજય રહેશે ? સમાધાન– વિહરમાન જિનની દર વખતે આ જ નિયત વિજય રહેશે એવું મારા જાણવામાં આવ્યું નથી. બીજી બીજી વિજય પણ હોઈ શકે છે તથા કેટલીક વિગતો નિયત પણ હોય છે. તેથી ૨૦ વિહરમાન જિનની આ જ ચાર વિજય નિયત હોય એમ પણ સંભવે છે. તેથી તેવો પાઠ જાણ્યા વિના આમાં નિશ્ચિત જવાબ આપી શકાય નહિ. Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૯૯ શંકા- ર૩૧. મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન શ્રી સીમંધરસ્વામીને આપણી દયા નહિ આવતી હોય ? જેથી અહીં થઈ રહેલા પાપોથી અટકાવવા દેવ-દેવીઓને મોકલતા નથી. સમાધાન– પ્રશ્નકારે જૈન ગીતાર્થ સાધુની પાસે જઈને અરિહંતદેવનું વિસ્તારથી સ્વરૂપ સમજવાની જરૂર છે. જેથી આવો પ્રશ્ન જ ન થાય. અહીં શંકા-સમાધાનમાં વધુ વિસ્તારથી લખી શકાય નહિ. સંક્ષેપથી સમાધાન આ પ્રમાણે છે- અરિહંત દેવોને સંસારના જીવો ઉપર જેટલી દયા(કકરુણા) હોય છે તેટલી દયા બીજા કોઈ જીવોને હોતી નથી. દયાના કારણે જ તેઓ અરિહંત બને છે. એ દરરોજ બે પ્રહર ધર્મદેશના આપીને જગતના જીવોનું કલ્યાણ કરે છે. આપણે એટલું સમજી લેવું જોઇએ કે પરાણે બળજબરીથી જીવોને પાપથી અટકાવી શકાતા નથી કે ધર્મ કરાવી શકાતો નથી. શ્રેણિક મહારાજાએ રોજ પાંચસો પાડાને મારનાર કાલસૌકરિકને હિંસાનો ધંધો છોડી દેવા સમજાવ્યો છતાં તે ન સમજ્યો. આથી એક દિવસ તો પાપથી અટકે, એવી બુદ્ધિથી અંધારા કૂવામાં પૂરી રાખ્યો. છતાં તેણે એવા કૂવામાં પણ માટીના પાંચસો પાડા બનાવીને તેની હિંસા કરી. શ્રેણિક મહારાજાએ કપિલાદાસીને સાધુને દાન આપવાનું કહ્યું, તો તેણે દાન આપવાની સ્પષ્ટ ના પાડી. આથી શ્રેણિક મહારાજાએ તેનો હાથ પકડીને દાન અપાવ્યું. આ વખતે કપિલાદાસી બોલી કે હું દાન નથી આપતી, કિંતુ આ હાથ દાન આપે છે. આમ તેણે ભાવથી દાન ન કર્યું. જે પાપ કે પુણ્ય ભાવથી રસથી કરવામાં આવે, તે જ ફળ આપે. ભાવ વિના કરેલું પાપ કે પુણ્ય ફળ આપતું નથી. સંસાર અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેશે. તે સમજીને સ્વહિત કરવામાં તત્પર બનવું જોઈએ. જેથી દુઃખથી સર્વથા મુક્ત બની જઈએ. શંકા– ૨૩૨. સમવસરણમાં પરમાત્મા દેશના યોગમુદ્રાએ આપે છે તેમ ચૈત્યવંદન મહાભાષ્ય ગાથા ૮૪માં જણાવ્યું છે. જયારે Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શંકા-સમાધાન વર્તમાનમાં અંજનશલાકા આદિની પત્રિકામાં આશીર્વાદ આપતી મુદ્રાવાળી પ્રતિકૃતિ છપાય છે તે યોગ્ય છે. સમાધાન- સર્વપ્રથમ વાત તો એ છે કે પત્રિકામાં પરમાત્માની પ્રતિકૃતિ છપાય એ જ યોગ્ય નથી. કારણ કે તેનાથી પરમાત્માની મહા આશાતના થાય છે. બાકી પરમાત્માની પ્રતિકૃતિ યોગમુદ્રાવાળી હોય કે આશીર્વાદ આપતી મુદ્રાવાળી હોય એમાં કોઈ વિરોધ નથી. શંકા- ૨૩૩. પરમાત્માની હાજરીમાં દીક્ષા વખતે રાજકુમાર આદિ પ્રભુનું પૂજન કરતા હશે કે નહિ? ગણધર ભગવંત આદિનું ગુરુપૂજન કરતા હશે કે નહિ ? સમાધાન- આચારાંગ નિયુક્તિની ૩૩૩મી ગાથામાં તીર્થકર ભગવંતો વગેરેનું સુગંધી દ્રવ્યોથી પૂજન કરવાનું વિધાન છે. આથી પરમાત્માની હાજરીમાં દીક્ષા વખતે રાજકુમાર વગેરે પ્રભુનું અને ગણધરોનું પૂજન કરતા હશે એમ સંભવે છે. શંકા- ૨૩૪. જિનેશ્વરોના કલ્યાણકોમાં જીવોને કેટલા કાળ સુધી સુખ થાય ? નિગોદના જીવોનેય શાતા થાય, તેવો શાસ્ત્રપાઠ મળે છે ખરો ? સમાધાન– વીતરાગ સ્તોત્રની અવરિમાં એક મુહૂર્ત સુધી સુખ થાય એમ જણાવ્યું છે. જન્મકલ્યાણક સ્તવનમાં અંતમુહૂર્ત સુધી સુખ થાય એમ જણાવ્યું છે. નિગોદના જીવોને શાતા થાય તેવો સ્પષ્ટ પાઠ મારા જોવામાં આવ્યો નથી. પણ “આ મહાન કલ્યાણકોમાં ત્રણે ભુવનમાં સર્વ જીવોને આનંદ થાય છે” તેવો પાઠ પંચાશક (૩૦) વગેરે ગ્રંથોની ટીકામાં છે. આ જ પાઠમાં સર્વ શબ્દનો ઉલ્લેખ હોવાથી નિગોદના જીવો પણ આવી જાય. શંકા- ૨૩૫. અનાગત ચોવીસીના કેટલાક જિનોના નામમાં ફેર આવે છે ? સમાધાન– અનાગત ચોવીસીના ચાર જિનોના નામમાં ફેર આવે છે. તે આ પ્રમાણે- કોઇ ગ્રંથમાં છઠ્ઠા જિનનું દેવસુત નામ છે, મતાંતરથી દેવગુપ્ત નામ છે. દશમા જિનનું શતકીર્તિ નામ છે, Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૦૧ મતાંતરથી શતક નામ છે. ઓગણીસમા જિનનું યશોધર નામ છે, મતાંતરથી અનિવૃત્તિ નામ છે. એકવીસમા જિનનું મલ્લ નામ છે, મતાંતરથી વિમલ નામ છે. શંકા- ૨૩૬. ભગવાનને “તું શા માટે કહેવાય છે? ભગવાનને તુંથી સંબોધન કરાય છે તે અરિહંતપણું અને સિદ્ધપણું બનેને સામે રાખીને કરાય છે કે માત્ર સિદ્ધપણાને સામે રાખીને કરાય છે ? સાક્ષાત્ અરિહંત પરમાત્માને તુંકારથી સંબોધન કરી શકાય ? ન કરી શકાય તો શા કારણે ? સમાધાન– વ્યવહારમાં અધિક-સ્નેહ-પ્રેમ વ્યક્ત કરવા માટે “તું” શબ્દનો પ્રયોગ માતા માટે થાય છે. પુત્ર પિતાને “તમે કહે છે અને માતાને “તું” કહે છે, તેમ અહીં પણ અરિહંત પરમાત્મા માતા કરતા પણ અધિક ઉપકારી હોવાથી ભક્ત ભગવાન પ્રત્યે પોતાના હૃદયમાં રહેલા સ્નેહ-પ્રેમને વ્યક્ત કરવા માટે “તું” શબ્દથી સંબોધે છે. “તું” શબ્દથી સંબોધન અરિહંતપણાને સામે રાખીને કરાય છે. આથી પ્રભુની સ્તુતિ વગેરેમાં ગ્રંથકારોએ તું શબ્દનો પ્રયોગ કર્યો છે. જેમ કે તું હિ બ્રહ્મા, તું હિ વિધાતા, તું જગતારણહાર ! તું જ સરિખો નહિ દેવ જગતમાં, અડવડિયા આધાર | સાક્ષાત્ અરિહંત પરમાત્માને પણ અરિહંત પરમાત્માની સ્તુતિ કરવી હોય ત્યારે “તું” શબ્દનો પ્રયોગ કરી શકાય. ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્રમાં ઈન્દ્ર વગેરે અરિહંત પરમાત્માની સ્તુતિ કરે છે. ત્યારે અનેક સ્થળે વં() શબ્દનો પ્રયોગ થયો છે પણ જ્યારે અરિહંત પરમાત્માને કંઈ પૂછવું હોય કે કંઈ કહેવું હોય, ઇત્યાદિ પ્રસંગમાં “તું” શબ્દનો પ્રયોગ ન કરી શકાય. કારણ કે તેમાં “તું” શબ્દનો પ્રયોગ અત્યંત અયુક્ત ભાસે છે. શંકા- ૨૩૭. પંચપરમેષ્ઠીપદમાં કેવલી ભગવંતનું સ્થાન ક્યાં ગણાય? કેવળજ્ઞાન થયા બાદ કેવળી પોતાના ગુરુને વંદન કરે કે નહિ? Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨. શંકા-સમાધાન સમાધાન– તીર્થકર સિવાયના કેવલી ભગવંતોની પંચ પરમેષ્ઠીમાં સાધુ પદમાં ગણતરી કરાય છે. જયાં સુધી શિષ્યને કેવલજ્ઞાન થયું છે, એવું ગુરુ જાણે નહિ ત્યાં સુધી કેવલી પણ ગુરુને વંદન કરે. શંકા- ૨૩૮. ભગવાન જે નગરાદિમાં પધારે તેના સમાચાર આપનારને ચક્રવર્તી વગેરે કેટલું દાન આપે ? સમાધાન- ભગવાન જે નગર વગેરેમાં પધારે તેના સમાચાર આપનાર પુરુષને ચક્રવર્તી વગેરે વૃત્તિદાન અને પ્રીતિદાન આપે છે. તે આ પ્રમાણે- ચક્રવર્તી વૃત્તિદાનમાં સાડાબાર લાખ સુવર્ણ આપે અને પ્રીતિદાનમાં સાડાબાર ક્રોડ સુવર્ણ આપે. વાસુદેવ સાડાબાર લાખ અને સાડાબાર ક્રોડ રૂડું આપે. માંડલિક રાજા સાડાબાર હજાર અને સાડાબાર લાખ રૂપે આપે.બીજા શેઠ શાહુકારો પણ પોતાની શક્તિ અને ભક્તિ અનુસાર વૃત્તિદાન તથા પ્રીતિદાન આપે. શંકા- ૨૩૯. હમણાં હમણાં સાધુ-સાધ્વીજી ભગવંતો ‘ત્રિશલામાતા” તથા “વામામાતાનો થાળ પ્રભુ સમક્ષ ધરવાનું અનુષ્ઠાન કરાવતા જોવા મળે છે. આ અનુષ્ઠાનમાં ભગવાનના માતા-પિતા બનાવી ભગવાનની આગળ ભોજનનો થાળ ધરવામાં આવે છે અને સ્તવન આદિ ગાઇને ભગવાનને જમાડવામાં આવે છે. આ પ્રવૃત્તિ યોગ્ય છે ? સમાધાન– આ પ્રવૃત્તિ લૌકિક ધર્મમાં કરાતા અન્નકૂટનું અનુકરણ છે. આ પ્રવૃત્તિ શાસ્ત્રવિહિત નથી. આજે શાસ્ત્રવિહિત ન હોય અને પૂર્વ મહાપુરુષોની આચરણ સ્વરૂપ પણ ન હોય તેવી પ્રવૃત્તિઓ વધતી જાય છે. આજે સ્વમતિ મુજબ ધર્મ કરવાનું વધતું જાય છે. સ્વમતિ મુજબ થતો ધર્મ સંસારનું કારણ બને છે. પંચાશક ગ્રંથમાં જિનબિંબ વિધિ પંચાશકની ૧૩મી ગાથામાં કહ્યું છે કે- “સાધુધર્મ સંબંધી કે શ્રાવકધર્મ સંબંધી જે કોઈ પ્રવૃત્તિ સ્વમતિ પ્રમાણે થાય તે આજ્ઞારહિત હોવાથી સંસારનું કારણ બને છે. કારણ કે સંસારનો પાર પામવાનાં સાધનોમાં આજ્ઞા જ પ્રમાણ છે, અર્થાત સંસારનો પાર પામવાના સાધનો પણ આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરવામાં આવે તો જ સંસારનો પાર Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૦૩ પમાડનારા બને છે.” આ જ પંચાશકની પંદરમી ગાથામાં કહ્યું છે કે- “સ્વમતિ મુજબની ધર્મપ્રવૃત્તિ સંસારનું કારણ બનતી હોવાથી મોક્ષની ઇચ્છાવાળા જીવે પરલોકનાં સર્વ કાર્યોમાં ભાવની શુદ્ધિપૂર્વક સંપૂર્ણ આદરથી આજ્ઞા મુજબ જ પ્રવૃત્તિ કરવી જોઇએ.” શંકા- ૨૪૦. ભગવાનના ફોટા કે મૂર્તિઓ ખંડિત થયા હોય તો તેને કઇ જગ્યાએ પરઠવવા જોઇએ અને તેને પરઠવવાનો વિધિ શો છે ? સમાધાન– પરઠવવા એવા શબ્દપ્રયોગના સ્થાને વિસર્જન ક૨વું, પધરાવી દેવું, આવો પ્રયોગ બરાબર ગણાય. વિધિકારને પૂછીને વિધિપૂર્વક પર્વત વગેરેની ખીણમાં કે જ્યાં લોકોની અવરજવર ન હોય ત્યાં ફોટા પધરાવી શકાય. ખંડિત મૂર્તિને પધરાવવાની વિધિ લાંબી હોવાથી વિધિકા૨ક પાસેથી જ જાણી લેવી જોઇએ. આવી મૂર્તિ વિસર્જનની વિધિ કર્યા બાદ દરિયામાં પધરાવી દેવાતી હોય છે. શંકા- ૨૪૧. તીર્થંકરો ગણધરોને પહેલા ચારિત્ર આપે કે પહેલા ત્રિપદી આપે ? સમાધાન– તીર્થંકરો ગણધરોને પહેલા ચારિત્ર આપે. દરેક તીર્થંકર પહેલા ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે, આમાં સાધુઓ હોય તો જ ચતુર્વિધ સંઘ થાય. માટે તીર્થંકરો ગણધરોને પહેલા ચારિત્ર આપે છે, પછી ત્રિપદી આપે છે. શંકા- ૨૪૨. હાલમાં ભગવાન મહાવીરના ૨૬૦૦મા જન્મકલ્યાણક નિમિત્તે પોસ્ટલ ટિકિટ છાપવામાં આવેલ છે. તેનાથી આશાતના નહિ થાય ? ટિકિટો ગુંદર ન હોવાના કારણે થુંક લગાડીને ચોંટાડવાની, ત્યારબાદ પોસ્ટમેન દ્વારા ભગવાનની છબી ઉપર લોઢાની મહો૨-સિક્કો લગાડાય, પોસ્ટ વિતરણ થયા બાદ એ ટિકિટવાળું કવર ફેંકી દેવામાં આવે, એ પડે મળ-મૂત્રમાં. આ રીતે કેટલો બધો દોષ ? હવે તો કેલેન્ડરમાં પણ પ્રભુજીના ફોટા છપાય છે. આશાતનાથી બચવા માટે ઉપાય શું ? For Personal and Private Use Only Jain Educationa International Page #167 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન સમાધાન— અહીં મૂળમાં જ ભૂલ છે. જે વૃક્ષનાં મૂળિયાં જ ઝેરી હોય, તે વૃક્ષના ડાળી-પાંદડાં પણ ઝેરી જ હોય. સર્વપ્રથમ રાષ્ટ્રીય સ્તરે મહાવીર પરમાત્માના ૨૬૦૦મા વર્ષની ઉજવણી જ ખોટી છે. આપણા શાસ્ત્રોમાં દર વર્ષે મહાવીર પરમાત્માના જન્મકલ્યાણક વગેરે કલ્યાણકોની ઉજવણીનું વિધાન છે અને તે મુજબ સંઘમાં દર વર્ષે યથાશક્તિ જન્મકલ્યાણક વગેરેની ઉજવણી થયા જ કરે છે. જન્મકલ્યાણકની ઉજવણી યોગ્ય જીવો જ ઉજવી શકે અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ જ ઉજવી શકાય. ૨૬૦૦મા જન્મ મહોત્સવની રાષ્ટ્રીય ઉજવણી નિમિત્તે રચાયેલી રાષ્ટ્રીય સમિતિના સભ્યોમાં તેવી કોઇ યોગ્યતા જ નથી અને શાસ્ત્રોક્ત વિધિનું પણ કોઇ જ્ઞાન નથી. ધાર્મિક કાર્યો પૂ. આચાર્યોના માર્ગદર્શન મુજબ થવા જોઇએ. રાષ્ટ્રીય ઉજવણીમાં આચાર્યોનું માર્ગદર્શન લેવામાં આવ્યું નથી. આ રાષ્ટ્રીય સમિતિએ ધર્મના યથાર્થજ્ઞાનથી રહિત કેટલાક કહેવાતા જૈનોને બોલાવીને જૈનોની મહાસમિતિ બનાવી છે. આ મહાસમિતિ પણ આચાર્યોનું માર્ગદર્શન મેળવ્યા વિના યથેચ્છ રીતે રાષ્ટ્રીય સમિતિને ઉજવણીમાં સહકાર આપી રહી છે. આથી આમાં જેટલું ખોટું થાય એટલું ઓછું જ ગણાય. આ ઉજવણીમાં લગભગ બધું જ ખોટું છે, એમ અવશ્ય કહી શકાય. ૧૦૪ આ આપણા વર્તમાન સંઘમાં સંપનો અભાવ એ મોટી ખામી છે. એના કારણે આવા લોકો પોતાનું ધાર્યું કરવામાં ફાવી જતા હોય છે. વિષયમાં આપણી નિષ્ક્રિયતા શાસનરાગની ખામીને સૂચવે છે. જો માત્ર શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના ગચ્છાધિપતિ આચાર્યો અને શક્તિસંપન્ન શ્રમણો એકઠા થઇને આનો પ્રબળ વિરોધ કરે, તો આ બધું જ અટકી જાય. પણ એવું થાય તેવી શક્યતા જણાતી નથી. આથી “ગામ ન ફેરવાય પણ ગાડું ફેરવાય” એ કહેવતને યાદ કરીને વ્યક્તિગત રીતે આવી આશાતનાઓથી બચવા માટે આપણે તેવી ટિકિટોનો ઉપયોગ ન કરવો જોઇએ. સરકારે મહાવીર પરમાત્માની ૨૬૦૦મા વર્ષની ઉજવણી નિમિત્તે જે મુદ્દાઓ તૈયાર કર્યા છે, તેમાં Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૦૫ ટિકિટથી પણ કઈ ગણા ચઢી જાય, તેવા ભયંકર દોષવાળા જૈનશાસનને મોટી હાનિ પહોંચાડનારા મુદ્દાઓ છે. ૨૬00મા જન્મવર્ષ નિમિત્તે રાષ્ટ્રીય સ્તરની ઉજવણીમાં થનારા શાસનના મહાનુકસાનને આપણે ન રોકી શકીએ, તો પ્રાણના ભોગે પણ શાસનરક્ષા કરનારા મહાપુરુષોને યાદ કરીને તેમના એ કાર્યની ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ તથા શાસનરક્ષા ન કરી શકવા બદલ આપણી જાતને હૃદયથી ધિક્કારીએ, તો પણ તેટલા અંશે સારું ગણાય. શંકા- ૨૪૩. જેમાં ભગવાનની મૂર્તિ વગેરે હોય કે સાધુભગવંતની મૂર્તિ વગેરે હોય તેવા છોડ બાંધીને તેની નીચે તપસ્વી બેસીને પારણું કરી શકે ? અથવા તપ નિમિત્તે રાખેલી સાંજીમાં એવા છોડની નીચે બેસી શકે ? સમાધાન– ન બેસી શકે. કારણ કે ભગવાન વગેરેને પૂંઠ થાય. ભગવાન વગેરેને પૂંઠ કરીને બેસવું એ આશાતના છે. આમ છતાં આશાતનાના કારણે તપસ્વીઓ આવી આશાતના કરતા હોય છે. ભગવાન, જ્ઞાન અને સાધુ-સાધ્વી સિવાય બીજા કોઈ સ્થાને છોડનો ઉપયોગ ન કરી શકાય. શંકા- ૨૪૪. શ્રી મહાવીર સ્વામીના કુલ સાધુ ૧૪ હજાર હતા. તેથી શ્રી ગૌતમ સ્વામીના પ૦ હજાર શિષ્યો હતા એ વાત શી રીતે ઘટે ? સમાધાન- શ્રી મહાવીર સ્વામીના ૧૪ હજાર શિષ્યો હતા એ પોતાના શિષ્યો સમજવા, પ્રશિષ્યો નહિ. આથી શ્રી ગૌતમ સ્વામીના ૫૦ હજાર શિષ્યો હતા એ ઘટી શકે છે. શંકા- ૨૪૫. શ્રી ઋષભદેવ ભગવાનના કુલ સાધુ ૮૪,૦૦૦ હતા. આચાર્ય શ્રી પુંડરીક સ્વામી ૫ ક્રોડની સાથે મુક્તિમાં ગયા એ વાતનો મેળ કેવી રીતે બેસે ? સમાધાન ઋષભદેવ સ્વામીના કુલ ૮૪ હજાર સાધુઓ હતા એ ઋષભદેવના પોતાના શિષ્યો સમજવા, પ્રશિષ્યો નહિ. પ્રશિષ્યો તો ક્રોડોની સંખ્યામાં હતા. આથી શ્રી પુંડરીક સ્વામી ૫ ક્રોડની સાથે મુક્તિમાં ગયા એમાં કોઈ વિરોધ નથી. શ્રી પુંડરીકા નહિ. માતા Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શંકા-સમાધાન શંકા- ૨૪૬. શ્રી નેમિનાથ ભગવાનની દીક્ષાનું મુહૂર્ત કોઈ જયોતિષીએ કાઢ્યું હતું ? અને કાર્યું હતું તો કયા જયોતિષીએ કાઢ્યું આનો ઉલ્લેખ ક્યાં આવે છે તે જણાવવા કૃપા કરશો. સમાધાન– શ્રી નેમિનાથ ભગવાનની દીક્ષાનું મુહૂર્ત કોઈ જ્યોતિષીએ કાઢ્યું હતું, એવું મારા વાંચવામાં આવ્યું નથી. સામાન્યથી તીર્થકરો માટે એ નિયમ છે કે તીર્થકર દીક્ષા લેવાના હોય એનાથી ૧૨ મહિના પહેલા (૧ વર્ષ પહેલા) લોકાંતિક દેવો તેમની પાસે આવીને હે ભગવંત આપ તીર્થને પ્રવર્તાવો એવી વિનંતી કરે છે. પછી ભગવાન ૧૨ મહિના (૧ વર્ષો સુધી વરસીદાન આપીને દીક્ષા લેતા હોય છે. આનાથી એ નિશ્ચિત થાય છે કે કોઈપણ તીર્થંકરની દીક્ષાનું મુહૂર્ત જ્યોતિષીઓ કાઢતા નથી. શંકા- ૨૪૭. ભગવાન શ્રી નેમિનાથે શત્રુંજયની યાત્રા કરી નથી, એ સાચું હોય તો તેનું શું કારણ હોઈ શકે? તેઓ તો નજીકના જ નગર જૂનાગઢના વાસી હતા. સમાધાન– તીર્થકરોનું જીવન જ્ઞાનપ્રધાન હોય છે. એટલે કે એમને જ્ઞાનમાં જે યોગ્ય જણાય તે કરે. નેમિનાથ ભગવાને પોતાના જ્ઞાનમાં શત્રુંજયની યાત્રા કરવાનું જોયું નહોતું માટે શત્રુંજયની યાત્રા ન કરી. રથયાત્રા સંબંધી શંકા-સમાધાન શંકા- ૨૪૮. રથયાત્રા આદિના ધાર્મિક વરઘોડામાં આજકાલ બેન્ડવાળા ધાર્મિક ગીતો ગાય છે. એમના પગમાં પગરખાં હોય છે. એમના મુખની શુદ્ધિ હોવાનો પણ સંભવ નથી. ક્યારેક ધૂમ્રપાન પણ ચાલુ હોય છે તો આવી રીતે રસ્તે ચાલતાં ચાલતાં પ્રભુનું સ્તવન બોલાય તે યોગ્ય છે ? તેઓ સિનેમાનાં ગીતો બોલે તેના કરતાં ધાર્મિક ગીતો બોલે તે સારું છે, એમ કેટલાક કહે છે, તો આમાં યોગ્ય શું છે ? સમાધાન- જો સંઘના આગેવાનો-કાર્યકર્તાઓ આ અંગે પ્રયત્ન કરે, તો પગમાં પગરખાં, મુખની અશુદ્ધિ, ધૂમ્રપાન, માઈકનો Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૦૭ ઘોંઘાટ, સ્તવનો ગાવા વગેરે બધું જ બેન્ડવાળાઓ પાસે બંધ કરાવી શકે. આધુનિક બેન્ડ રાખ્યા વિના ચાલે એમ ન હોય, તો છેવટે આટલું નિયમન તો કરાવી જ શકાય. દરેક સ્થળે નિયત બેન્ડવાળા દર વર્ષે આવતા હોય છે. એટલે એકબીજાથી પરિચિત હોય છે. જો કાર્યકર્તાઓ પ્રેમથી બરોબર સમજાવે તો પ્રાયઃ ક૨ીને બેન્ડવાળાઓ આ બધી બાબતો માન્ય રાખે. છતાં ન માને તો ઉચિત વધારે દામ આપીને પણ આ કાર્ય કરાવી શકાય. આ માટે આગેવાનોમાં પ્રબળ વિધિપ્રેમ હોવો જોઇએ. શંકા- ૨૪૯. ભગવાનની રથયાત્રાના વરઘોડાના ચડાવાની રકમમાંથી વરઘોડા સંબંધી જે ખર્ચ થયો હોય તે આપી શકાય ? જૈન બેન્ડવાળાને રકમ આપી શકાય ? સમાધાન– ન આપી શકાય. જૈનેતર બેન્ડવાળાને પણ ન આપી શકાય, તો જૈન બેન્ડવાળાને તો કેવી રીતે આપી શકાય ? વરઘોડા સંબંધી કોઇ પણ ખર્ચ વરઘોડાના ચડાવાની રકમમાંથી ન આપી શકાય. શંકા— ૨૫૦. વરઘોડામાં યુવાનો નાચે છે અને આગેવાનોને પણ પકડી-પકડીને પરાણે નાચવામાં સામેલ કરાય છે. આ બધું આપણી સંસ્કૃતિને અનુરૂપ છે ? સમાધાન– વરઘોડામાં નાચે એમાં વાંધો નથી. કારણ કે શ્રાદ્ધદિનકૃત્ય ગ્રંથમાં કહ્યું છે કે “ચૈત્યપરિપાટી આદિના સમયે જિનમંદિરના આગળના આંગણા વગેરે સ્થાને હ્રદયને આનંદ આપનારા રાસડા, દાંડિયારાસ અને ચર્ચરી પોતે કરે અને બીજા પાસે પણ કરાવે.” મંડળ રૂપે કે મંડળી રૂપે ભેગા થઇને ગીત-નૃત્ય કરે તેને ચર્ચરી કહેવામાં આવે છે. આથી વરઘોડામાં નાચે એમાં વાંધો નથી, પણ એ નૃત્ય શાસ્ત્રીય પદ્ધતિનું હોવું જોઇએ. આધુનિક અભિનેતાઓના જેવું અશ્લીલ અને વિકારી નૃત્ય ન હોવું જોઇએ. ઉલ્લાસથી પ્રેરાઇને નાચવા આવે, એ બરાબર ગણાય. પણ આ માટે આગેવાનોને ખેંચી ખેંચીને લાવવા અને નચાવવા, એ યોગ્ય ગણાય નહિ. For Personal and Private Use Only Jain Educationa International Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શંકા-સમાધાન શંકા- ૨૫૧. કેટલાક ગામોમાં વરઘોડામાં પુરુષો અને સ્ત્રીઓ પણ નાચે છે. વળી આગેવાન પુરુષોના હાથ પકડી-પકડીને બળાત્કારે એમને નાચવામાં સામેલ કરાય છે. આ બધું યોગ્ય છે? સમાધાન– જરા ય યોગ્ય નથી. શંકા- ૨૫૨. વરઘોડામાં રસ્તામાં સ્ત્રીઓ નાચે તે યોગ્ય છે? સમાધાન– જરાય યોગ્ય નથી. સાધુઓએ અને વિવેકી શ્રાવકોએ આ બંધ કરાવવું જોઈએ. શંકા- ૨૫૩. વરઘોડામાં સ્ત્રીઓ ગીત ગાય તે બરાબર, પણ પુરુષોની જેમ સૂત્રોચ્ચાર કરે તે યોગ્ય છે ? સમાધાન- યોગ્ય નથી. વર્ષીદાન સંબંધી શંકા-સમાધાન શંકા- ૨૫૪. તીર્થકરો કયા કારણથી વર્ષીદાન આપે છે ? સમાધાન– તીર્થકરો ધર્મપ્રભાવનાની બુદ્ધિથી અને લોકોની અનુકંપાથી વર્ષીદાન આપે છે. (લોકપ્રકાશ સર્ગ ૩૦, ગાથા ૮૨) શંકા- ૨૫૫. વરસીદાનનો વરઘોડામાં વાસણ-વસ્ત્રો આદિ ઉછાળાય છે, ફેંકાય છે, તેની ઝૂંટાઝૂટ થાય છે અને મારામારી પણ થાય છે. તો આનાથી શાસનપ્રભાવના કેવી રીતે થાય ? ઉછાળી ફેંકીને અપાય છે તે બળિયાઓ લઈ જાય છે ને નબળા રહી જાય છે. હાથોહાથ અપાય તો દરેકને મળે અને મારામારી ન થાય. તેથી શાસનપ્રભાવના તો દરેકને મળે માટે હાથોહાથ અપાય તેમાં જ મનાવી જોઇએ કે નહિ ? સમાધાન– વરસીદાનમાં બધા જ સ્થળે ઝૂંટાઝૂટ કે મારામારી થાય જ છે એવું પણ નથી. જ્યાં ઉછાળીને આપવામાં ઝૂંટાઝૂટની કે મારામારીની સંભાવના હોય ત્યાં હાથોહાથ આપવામાં પણ વાંધો નથી તથા થાળી વગેરે ભારે વસ્તુ ઉછાળવાના બદલે હાથોહાથ આપવી વધારે ઉચિત છે. જેથી કોઇને વાગી જવાનો ભય ન રહે. પૂર્વે તો જે દિવસે દીક્ષા થવાની હોય તે જ દિવસે દીક્ષાર્થીનો વરઘોડો Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ માધાન ૧૦૯ નીકળતો અને એ વરઘોડો છેલ્લે દીક્ષાસ્થળે પૂર્ણ થતો હતો. આજની જેમ દીક્ષાર્થી અલગ વરઘોડો કાઢીને વરસીદાન આપતા ન હતા. શંકા- ૨૫૬. વર્ષીદાનમાં ઉછાળેલા ચોખા બીજાઓના પગ નીચે આવે તો વર્ષીદાન કરનારને દોષ લાગે ? સમાધાન- વર્ષીદાનમાં ઉછાળેલા ચોખા બીજાઓના પગ નીચે આવે, એથી વર્ષીદાન કરનારને દોષ ન લાગે. વર્ષીદાનમાં ચોખા ઉછાળવાની પાછળ “પુણ્યથી મળેલાં સુખનાં સાધનોને આ રીતે ફેંકી દેવા જોઇએ, તજી દેવા જોઈએ, આ રીતે તજી દેવાથી જ આત્મહિત સાધી શકાય છે” એવો ઉચ્ચ હેતુ રહેલો છે. શંકા- ૨૫૭. તીર્થકરો જે વરસીદાન આપે છે તે અનુકંપાદાન છે કે બીજું કોઈ દાન છે? જો એ અનુકંપાદાન હોય અને વર્તમાનમાં દીક્ષાર્થીઓ જે વરસીદાન આપે છે, એ પણ અનુકંપાદાન ગણાય, તો શ્રાવકોથી એ દાન લેવાય ? સમાધાન તીર્થંકરો વરસીદાન “ધર્મની પ્રભાવના કરવાની બુદ્ધિથી અને લોકો ઉપરની અનુકંપાથી” આપે છે. આથી વરસીદાનને કેવળ અનુકંપાદાન ન કહેવાય. ચોસઠ ઇન્દ્રો પ્રભુના હાથનું દાન લે છે. તેથી એ દાનના પ્રભાવથી બે વરસ સુધી તેમના જીવનમાં કોઈ કલહ થતો નથી. ચક્રવર્તી જેવા રાજાઓ પણ પ્રભુના હાથનું દાન લે છે. તેથી તેમનો ભંડાર બાર વરસ સુધી અક્ષય રહે છે. રોગીઓ પણ પ્રભુના હાથનું દાન લે છે. તેથી તેમને બાર વરસ સુધી નવો રોગ થતો નથી. આથી શ્રાવકો દીક્ષાર્થીઓનું દાન લઈ શકે છે તથા આ દાનના પ્રભાવથી અમારા ત્યાગના પરિણામ થાય અને જીવનમાં સમાધિ રહે એવી ભાવનાથી ઘરમાં રાખી શકે છે. વર્તમાનમાં દીક્ષાર્થીઓ જે વરસીદાન આપે છે તે અનુકંપાદાન નથી, કિંતુ શાસનપ્રભાવક દાન છે અને આ બધું છોડવા જેવું છે એનું બોધક દાન છે. નાણું વગેરે ઉછાળીને-ફેંકીને દીક્ષાર્થી એ જણાવે છે કે આ બધું છોડવા જેવું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન શંકા- ૨૫૮. જ્યારે ભગવાન વર્ષીદાન આપે ત્યારે શ્રાવકો તે દાન લેવા આવે ? ૧૧૦ સમાધાન જ્યારે ભગવાન વર્ષીદાન આપે ત્યારે શ્રાવકો પણ તે દાન લેવા આવે એમ જણાય છે. કારણ કે પ્રભુજીના હાથથી સ્વીકારાયેલા દાનથી રોગીઓને બાર વર્ષ સુધી નવો રોગ થતો નથી વગેરે પ્રભાવની અનુભૂતિ થાય છે. પણ શ્રાવકો શેષમાત્ર લે, વધારે ન લે, એમ જણાય છે. શંકા- ૨૫૯. અત્યારે દીક્ષાર્થી વર્ષીદાન આપે તે શ્રાવકથી લેવાય કે નહિ ? તથા શ્રાવક તે દાન લે તો તે પૈસાનો ઉપયોગ શું કરે? તે પૈસાનો ઉપયોગ પોતાના માટે કરી શકે કે નહિ ? સમાધાન– અત્યારે દીક્ષાર્થી વર્ષીદાન આપે તે શ્રાવકથી લેવાય. પણ તે પૈસાનો ઉપયોગ પોતાના માટે ન કરતાં એક પવિત્ર વસ્તુ તરીકે પોતાના ઘરમાં રાખે અને આના પ્રભાવથી મારામાં અને મારા કુટુંબમાં ત્યાગભાવના વૃદ્ધિ પામે એવી ભાવના રાખે. શંકા— ૨૬૦. પૂર્વે વ૨સીદાનના વરઘોડામાં ચોખા, બદામ અને નાણું આ ત્રણ જ વસ્તુ ઉછાળવામાં આવતી હતી. હાલમાં એ ત્રણ વસ્તુ ઉપરાંત રૂપિયાની નોટો, કપડાં, વાસણ વગેરે પણ ઉછાળીને અપાય છે તે યોગ્ય છે ? સમાધાન– તીર્થંકરોના વરસીદાનના કાળ દરમિયાન તીર્થંકરના પિતા ત્રણ મોટી શાળાઓ કરાવે છે. એક શાળામાં અન્ન વગેરે આપે છે. બીજી શાળામાં વસ્ત્ર આપે છે, ત્રીજી શાળામાં આભૂષણ આપે છે. આથી કપડાં વગેરે ઉછાળીને આપવામાં બાધ નથી. જેનાથી શાસન પ્રભાવના થાય તેવી કોઇ પણ પ્રવૃત્તિ યોગ્ય જ ગણાય. નવકાર મહામંત્ર સંબંધી શંકા-સમાધાન શંકા- ૨૬૧. નમસ્કાર મહામંત્રની રચના કોણે કરી ? તેની ઉત્પત્તિ ક્યારે થઇ ? Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૧૧ સમાધાન– નમસ્કાર મહામંત્ર અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેશે, અર્થાત્ નમસ્કાર મહામંત્ર અનાદિ-અનંત છે. આથી નમસ્કાર મહામંત્રની રચના કોણે કરી એ પ્રશ્ન જ રહેતો નથી. નમસ્કાર મહામંત્ર શબ્દથી નિત્ય છે અને અર્થથી પણ નિત્ય છે=શાશ્વત છે. કોઇ પણ તીર્થંકરના કાળમાં નમસ્કાર મહામંત્રના જે શબ્દો છે તે જ શબ્દો રહે છે. તેમાંથી એક પણ શબ્દ વધતો નથી કે ઘટતો નથી. તથા શબ્દોમાં ફેરફાર પણ થતો નથી. અર્થ પણ દરેક તીર્થંકરના કાળમાં એકસરખો જ રહે છે. જેવી રીતે દરેક ચોવીસીમાં લોગસ્સ સૂત્રના શબ્દોમાં ફેરફાર થઇ જાય તેમ નમસ્કાર મહામંત્રના શબ્દોમાં ફેરફાર ન થાય. શંકા- ૨૬૨. નમસ્કાર મંત્ર શું સૂત્ર છે ? કે મંત્ર છે ? આમાં વાસ્તવિકતા શું છે ? કૃપા કરીને બતાવો કે, આપણા આગમસૂત્રો આ વિષયમાં શું કહે છે ? સમાધાન– વર્તમાનમાં વિદ્યમાન ૪૫ આગમોમાં છ છેદસૂત્રો છે. તેમાં મહાનિશીથ નામનું એક છેદસૂત્ર છે. તેમાં નવકાર મંત્રને પંચમંગલ મહાશ્રુત સ્કંધ તરીકે વર્ણવવામાં આવ્યો છે. સ્કંધ એટલે શ્રુતનો મહાન એક ખંડ(=વિભાગ), અર્થાત્ નવકારમંત્ર શ્રુતનો એક મહાન ખંડ છે. પૂર્વે કહ્યું તેમ તેના ઉપર ભૂતકાળમાં નિર્યુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિઓની રચના થઇ હતી. મહાનિશીથ સૂત્રમાં ઉપધાન કર્યા સિવાય નમસ્કાર મંત્રને ભણવાનો નિષેધ કર્યો છે. ઉપધાન કર્યા સિવાય નમસ્કાર મંત્રનું પઠન અવિધિપૂર્વકનું છે. આથી ઉપધાન વહન કર્યા વિના નમસ્કાર મંત્રનું જેમણે અધ્યયન કરી લીધું છે, તેમણે અનુકૂળતાએ યથાશક્ય જલદી ઉપધાન વહન કરી લેવા જોઇએ. વર્તમાનકાળમાં લાભ-હાનિનો વિચાર કરીને પૂર્વાચાર્યોની આચરણાથી ઉપધાન તપ વિના પણ શ્રી નમસ્કાર સૂત્રનું અધ્યયન કરાવવામાં આવે છે. આમ છતાં જેઓ ઉપધાન તપની શ્રદ્ધાને(=ઉપધાન કરવા જોઇએ એવી શ્રદ્ધાને) ધારણ For Personal and Private Use Only Jain Educationa International Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧ ૨. શંકા-સમાધાન કરતા નથી, તથા સંયોગો મળે ત્યારે ઉપધાનતપને આચરવાની ભાવના ધરાવતા નથી, તેમને જિનાજ્ઞાના વિરાધક માનેલા છે. પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવા સ્વરૂપ નવકારને મંત્ર કહેવામાં આવે છે. કારણ કે મંત્રનો અર્થ તેમાં ઘટે છે. મનન કરવાથી જે રક્ષણ કરે તે મંત્ર. નવકારનું મનન કરવાથી જીવોનું અવશ્ય રક્ષણ થાય છે. મહાનિશીથસૂત્રમાં નવકારને સર્વ મહામંત્રોમાં બીજ તરીકે વર્ણવ્યો છે. તે પાઠ આ પ્રમાણે છે- નમો રિહંતા સત્તરપરિમા अणंतगमपज्जवत्थपसाहगं सव्वमहामंतपवरविज्जाण परमबीअभूअं नमो અરિહંતાણ એ (પ્રથમ અધ્યયન) સાત અક્ષરના પરિમાણવાળું, અનંતગમ, પર્યવ અને અર્થના પ્રકર્ષને સાધનારું તથા સર્વ મહામંત્રી અને સર્વ પ્રવર વિદ્યાઓનું બીજ છે.” જે મહામંત્રોનું બીજ હોય તે સ્વયં મહામંત્ર સ્વરૂપ હોય તેમાં તો શું કહેવું ? આમ નવકાર મહામંત્ર સ્વરૂપ છે, એ આગમથી સિદ્ધ થાય છે. શંકા- ૨૬૩. કલ્યાણ વર્ષ-૫૮, અંક-૮, નવેમ્બર-૨૦૦૧માં આપ લખો છો કે, નમસ્કાર મહામંત્ર શબ્દથી અને અર્થથી પણ શાશ્વત છે. અહીં પ્રશ્ન થાય છે કે ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી લગભગ ૨૦૦ વર્ષ બાદ રાજા ખારવેલનો શિલાલેખ લખાયો છે. તેમાં નમો અરહંતાણં ઉલ્લેખ છે તથા આજથી ૨૦૦૦ વર્ષનો પ્રાચીન શિલાલેખ મથુરાના મ્યુઝિયમમાં છે, તેમાં પણ નો. મરદંતામાં એવો ઉલ્લેખ છે. મરદંતાળ ના સ્થાને અરિહંતાણ બોલવાથી શબ્દ અને અર્થ બંને બદલાઈ જાય છે. તો નવકારને શાશ્વત કેવી રીતે ગણાય ? આમાં સત્ય શું છે ? સમાધાન- અહીં પહેલાં નમસ્કાર મહામંત્ર શાશ્વત છે, તેની વિચારણા કરીને પછી ઉક્ત પાઠભેદ અંગે વિચારણા કરવી વધુ યોગ્ય ગણાય. નમસ્કાર મહામંત્ર શાશ્વત છે તે અંગેના શાસ્ત્રપાઠો નીચે મુજબ છે Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન सट्ठिसयं विजयाणं पयराणं जत्थ सासओ कालो । तत्थ वि जिणनवकारो इय एस पढिज्जइ निच्चं ॥ પાંચ મહાવિદેહની પ્રવર ૧૬૦ વિજયો કે જ્યાં શાશ્વત કાળ છે, ત્યાં પણ આવા પ્રકારનો આ જિનનમસ્કાર નિત્ય(=સદા કાળ) ભણાય છે. (નમસ્કાર ફલ પ્રકરણ-ગાથા-૧૩) આ ગાથામાં “આવા પ્રકારનો આ જિનનમસ્કાર' એમ કહીને નમસ્કાર મહામંત્રને શાશ્વત જણાવ્યો છે. આવા પ્રકારનો” એટલે ભરતક્ષેત્રમાં જેવો છે તેવા પ્રકારનો. આ અર્થ પ્રમાણે શબ્દોની સમાનતા સિદ્ધ થાય છે. ભરતક્ષેત્રમાં જેવા પ્રકા૨નો નવકાર ગણાય છે તેવા જ પ્રકારનો નવકાર ૧૬૦ વિજયોમાં સદા ગણાય છે. एसो अणाइ कालो अणाइ जीवो अणाइ जिणधम्मो । तइया वि ते पढंता एसु च्चिय जिणनमुक्कारं ॥ આ કાળ અનાદિ છે, આ જીવ અનાદિ છે અને આ જિનધર્મ પણ અનાદિ છે. જ્યારથી એ છે ત્યારથી આ નવકાર ભવ્ય જીવો વડે ભણાય છે. (નમસ્કાર ફલ પ્રકરણ-ગાથા-૧૬) આ ગાથામાં નમસ્કાર મહામંત્ર અનાદિ (શાશ્વત) છે એમ સ્પષ્ટ જણાવ્યું છે. જિનધર્મ અનાદિ છે એટલે જિનધર્મના સ્થાપક અરિહંતો પણ અનાદિ છે એ નિશ્ચિત થયું. અરિહંતો અનાદિ સિદ્ધ થયા, એટલે પંચપરમેષ્ઠી પણ અનાદિ સિદ્ધ થયા, તથા પંચપરમેષ્ઠીને નમસ્કાર કરનાર ચતુર્વિધ સંઘ પણ અનાદિ સિદ્ધ થયો. આમ નમસ્કાર મહામંત્ર અનાદિ (શાશ્વત) છે એમ સિદ્ધ થાય છે. આથી જ પ્રસ્તુત ગાથામાં જ્યારથી જૈનધર્મ છે ત્યારથી આ નવકાર મંત્ર ભવ્ય જીવો વડે ભણાય છે એમ જણાવ્યું છે. ઉપાધ્યાય શ્રી લાભકુશળજી મહારાજ નવકાર મંત્રના છંદમાં જણાવે છે કે– ૧૧૩ આગે ચોવીશી હુઇ અનંતી, હોશે વાર અનંત નવકાર- તણી કોઇ આદિ ન જાણે, ઇમ ભાખે ભગવંત | For Personal and Private Use Only Jain Educationa International Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શંકા-સમાધાન આવશ્યત નિયુક્તિ ગાથા-૮૮૭ની ચૂર્ણિમાં જણાવ્યું છે કે- નહીં પંચ મOિાયા નિડ્યા પર્વ નમુક્કારો વિ “જેમ ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પગલાસ્તિકાય અને જીવાસ્તિકાય એ પાંચ અસ્તિકાય નિત્ય છે, તેમ નમસ્કારમંત્ર પણ નિત્ય છે. નમસ્કાર મહામંત્ર શાશ્વત છે એની આનાથી વધારે કઈ સાબિતી જોઇએ ? કોઈ પણ તીર્થકર જ્યારે તીર્થની સ્થાપના કરે ત્યારે નવકારમંત્રની અર્થથી તીર્થકરો રચના કરે છે અને ગણધર ભગવંતો શબ્દથી રચના કરે છે, એ દૃષ્ટિએ નવકારની આદિ ગણાય, પણ કાળના પ્રવાહની અપેક્ષાએ નવકાર અનાદિ છે. શાશ્વત છે. તેમાં પણ પ્રત્યેક તીર્થકરના શાસનમાં નવકાર મંત્રના શબ્દો અને અર્થ સમાન હોય છે. જો એમ ન હોય તો તેનાં શ્રવણથી જાતિસ્મરણ જ્ઞાન સંભવે નહિ. જૈન સંઘમાં આદરણીય બનેલા સ્વ.પ.પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરે નમસ્કાર મહામંત્ર પૃષ્ઠ ૨૦૯માં લખ્યું છે કે- “નમસ્કાર મહામંત્રની એક વિશિષ્ટતા એ પણ છે કે સર્વકાળ અને સર્વક્ષેત્રોમાં તેનો સૂત્ર પાઠ એક સરખો જ રહે છે, અર્થાત્ સૂત્રથી પણ તેમાં ફેરફાર થતો નથી. તેથી જ જન્માંતરમાં જાતિસ્મરણાદિ જ્ઞાનની પ્રાપ્તિ માટે તેનું અવલંબન અમોઘ નીવડે છે.” હવે એ પ્રશ્ન થાય કે જો નવકાર શબ્દ અને અર્થ એ બંનેથી શાશ્વત છે તો પ્રશ્નમાં લખ્યું છે તેમ નમો અરહંતાપ એવો ઉલ્લેખ કેમ છે? આના સમાધાનમાં જણાવવાનું કે અહીં નવકાર મંત્રનો શિલાલેખ નથી, કિંતુ અરિહંત ભગવાનને નમસ્કાર કરવા માટે શિલાલેખ છે. એટલે કે નવકારનું પહેલું પદ જે “નમો અરિહંતાણં” છે તેનો શિલાલેખ નથી, કિંતુ સામાન્યથી અરિહંત ભગવાનને નમસ્કાર કરવા માટેનો શિલાલેખ છે. એથી જ ત્યાં નમો અરહંતાણં | નમો સત્ર સિદ્ધાણં || એવા બે પદ છે. અહીં મંગલ માટે અરિહંતોને અને સિદ્ધોને નમસ્કાર કરવામાં આવ્યો છે. આમ આ બે પદો Jain Educationa International For Personal and Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૧૫ નવકારના ન હોવાથી ઉક્ત શિલાલેખથી નવકારને શાશ્વત માનવામાં કોઇ હરકત આવતી નથી. હવે ‘અરહંત' શબ્દનો અર્થ વિચારીએ– अरिहंति वंदण - नंमसणाइ अरिहंति पूयसक्कारं । सिद्धिगमणं च अरिहा, अरहंता तेण वुच्चति ॥ “જેઓ વંદન-નમસ્કારને યોગ્ય છે, જેઓ પૂજા-સત્કારને યોગ્ય છે અને જેઓ સિદ્ધિગમનને યોગ્ય છે, તે અરહંત અર્થાત્ અર્હત્ કહેવાય છે.’’ અર્હત્, અનંત, અરહત, અરિહંત અને અનંત એ બધા શબ્દ સમાન અર્થવાળા છે. શંકા- ૨૬૪. પંચપરમેષ્ઠિ નમસ્કાર સર્વોત્કૃષ્ટ મંગલ કેમ છે ? સમાધાન– મંગલના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. દહીંનું ભક્ષણ વગેરે દ્રવ્યમંગલ છે. આ નમસ્કાર ભાવમંગલ છે. (૧) દ્રવ્યમંગલ કેવળ ભૌતિકસુખ અને ભૌતિકસુખના સાધનો આપે છે. ભાવમંગલ ભૌતિકસુખ અને ભૌતિકસુખનાં સાધનો આપવા સાથે શાંતિ પણ આપે છે. (૨) કેવળ દ્રવ્યમંગળથી મેળવેલા ભૌતિકસુખોથી પરિણામે આત્મા દુર્ગતિમાં જાય અને અનેક દુઃખો ભોગવે. આ ભાવમંગલ ભૌતિકસુખો આપવા સાથે વિરાગભાવ પણ આપે છે. એથી ભૌતિકસુખો ભોગવવા છતાં આત્મા દુર્ગતિમાં જતો નથી અને સમ્યગ્દર્શન આદિની આરાધના કરીને થોડા જ સમયમાં મોક્ષ પામે છે. (૩) જેને કેવળ દ્રવ્યમંગલથી ભૌતિકસુખો મળ્યા હોય તે જીવ દુઃખમાં સમાધિ ન રાખી શકે. આ ભાવમંગલથી જેને સુખો મળ્યાં હોય તે દુ:ખમાં સમાધિ રાખી શકે છે. (૪) દ્રવ્યમંગલ પુણ્યોદય હોય તો જ ફળે, અન્યથા ન ફળે. જ્યારે આ નમસ્કાર મંગલ તો નવા પુણ્યોદયને ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે આ નમસ્કાર સર્વ મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ છે. શંકા- ૨૬૫. સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે, એ અર્થમાં પ્રથમ શબ્દનો શો અર્થ છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન સમાધાન અહીં પ્રથમ શબ્દનો પહેલો વિદ્યાર્થી, પહેલું પગથિયું, પહેલું ઘર, એમ ‘પહેલું' અર્થ નથી, કિંતુ ‘ઉત્કૃષ્ટ’ અર્થ છે. સર્વ મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ છે. પંચ પરમેષ્ઠિ નમસ્કાર સર્વોત્કૃષ્ટ મંગલ છે. શંકા- ૨૬૬. નમો અરિહંતાણં પદનો અર્થ “નમસ્કાર કરું છું” એવો થાય કે “નમસ્કાર થાઓ' એવો અર્થ થાય ? જો “નમસ્કાર થાઓ' એવો અર્થ થાય તો નમુત્યુર્ણ અને નમો અરિહંતાણં એ બેમાં ફરક શું છે ? સમાધાન– નમો અરિહંતાણ પદનો “નમસ્કાર થાઓ” એવો અર્થ છે. નમો અરિહંતાણં પદમાં સામાન્યથી અરિહંતોને નમસ્કાર થાય છે અને નમ્રુત્યુણમાં અરિહંતોના ગુણોના વર્ણનપૂર્વક વિશેષથી નમસ્કાર થાય છે. આમ એ બંનેમાં ભેદ છે. ૧૧૬ શંકા- ૨૬૭. નમો અરિહંતાણં પદમાં “નમો” પદ મુખ્ય કે “અરિહંતાણં' પદ મુખ્ય ? સમાધાન– અપેક્ષાએ નમો પદ મુખ્ય છે અને અપેક્ષાએ અરિહંતાણં પદ મુખ્ય છે. અરિહંતોનો યોગ થવા છતાં જો તેમને નમસ્કાર કરવામાં આવે, તો લાભ ન થાય, તેથી નમો પદની મુખ્યતા છે. નમસ્કાર ગમે તેને કરવાથી લાભ ન થાય, કિંતુ અરિહંત વગેરે ઉત્તમને નમસ્કાર કરવાથી લાભ થાય. આ ષ્ટિએ અરિહંતાણં પદ મુખ્ય છે. શંકા- ૨૬૮. અરિહંતાણં નમો એમ બોલવામાં આવે કે નમો અરિહંતાણં એમ બોલવામાં આવે, તો પણ બંનેનો અરિહંત ભગવાનને નમસ્કાર થાઓ, એવો એક જ સરખો અર્થ થાય છે, તો પછી અહીં અરિહંતાણં નમો એમ પાઠ શા માટે ન રાખ્યો ? સમાધાન– નમઃ શબ્દનો અર્થ નમસ્કાર છે. નમસ્કાર આરાધના છે અને અરિહંત આરાધ્ય એટલે આરાધનાને યોગ્ય છે. આરાધના અને આરાધ્ય એ બેમાં આરાધનાની મહત્તા વધારે છે. એમ સૂચવવા નમઃ પદ પહેલા મૂકવામાં આવ્યું છે. આરાધનાનું મહત્ત્વ એટલા માટે Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૧૭ છે કે સાક્ષાત્ અરિહંતનો યોગ ન થાય, તો પણ અરિહંતની આરાધના કરનાર તરી જાય છે અને અરિંહતની આરાધના ન કરે, તો સાક્ષાત્ અરિહંતનો યોગ થાય, તો પણ જીવ તરે નહિ. સાક્ષાત્ અરિહંતનો યોગ ન થવા છતાં બૂસ્વામી વગેરે અરિહંતની આરાધનાથી તરી ગયા. સાક્ષાત્ અરિહંતનો યોગ થવા છતાં અરિહંતની વિરાધનાથી ગોશાળા વગેરે જીવોએ સંસારનું પરિભ્રમણ વધાર્યું. આપણને પણ ભૂતકાળમાં અનંતવાર સાક્ષાત્ અરિહંતનો યોગ થયો, પણ અરિહંતની સાચી આરાધના ન કરી એથી આપણું કલ્યાણ ન થયું. આમ આ શાશ્વત મંત્રમાં પહેલાં રહેલાં નમો પદ દ્વારા જ્ઞાનીઓ આપણને એ સૂચન કરે છે કે કલ્યાણ સાધવું હોય તો અરિહંતની સાચી આરાધના કરવામાં તત્પર બનો. નમ: પદ નમ્રતાનું સૂચક છે. જે ભાવથી નમે છે, વંદન કરે છે, તે જ ધર્મ પામી શકે છે. એ સૂચવવા પણ નમઃ પદ પહેલા રહેલું છે. ધર્મ પ્રાપ્તિનું મુખ્ય કારણ વંદન=નમન) છે. આથી જ લલિત વિસ્તરા ગ્રંથમાં કહ્યું છે કે – ધર્મ પ્રતિમૂનમૂતા વન્દ્રના=વંદના ધર્મનું મૂળ છે. વંદના=નમસ્કાર વિના ધર્મની પ્રાપ્તિ ન થાય. અહંકાર ઘટ્યા વિના નમ્રતા ન આવે. આમ નમઃ પદ પહેલા મૂકીને જ્ઞાનીઓએ આપણને એ સૂચન કર્યું છે કે ધર્મ પામવો હોય, તો માનથી મુક્ત બનીને નમ્રતાથી ગુણી મહાત્માઓને નમસ્કાર કરનારા બનો. શંકા- ૨૬૯. મૂળમંત્ર પાંચ પદોનો છે કે નવ પદોનો ? સમાધાન- મૂળમંત્ર નવ પદોનો છે. છેલ્લા ચાર પદો ચૂલિકારૂપ છે. ચૂલિકા એટલે શિખર. જેમ પર્વત ઉપર તેનું શિખર હોય છે તેમ છેલ્લા ચાર પદો પ્રથમના પાંચ પદોના શિખરરૂપ છે. શિખર પર્વતથી જુદો હોતો નથી. શિખર પણ પર્વત સ્વરૂપ છે, અથવા પર્વતનો જ એક ભાગ છે. તેવી રીતે નમસ્કાર મહામંત્રના છેલ્લા ચાર પદો પણ નમસ્કાર મહામંત્ર સ્વરૂપ છે. આથી જ છેલ્લા ચાર પદો પણ ગણવાની લાયકાત મેળવવા માટે ઉપધાન કરવા પડે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શંકા-સમાધાન શંકા- ર૭૦. સ્થાનકવાસી આદિ સંપ્રદાયો ફક્ત પાંચ જ પદોને માન્ય રાખે છે તો તેનું કારણ શું ? સમાધાન– કોઈ પણ નવો પંથ સ્થપાય ત્યારે મૂળપંથથી પોતાની વિશેષતા બતાવવા માટે પંથ કાઢનાર મનઃકલ્પિત ફેરફાર કરે છે. આથી સ્થાનકવાસી પંથે પોતાની વિશેષતા બતાવવા માટે કેટલા ફેરફારો કર્યા છે તેમાં આ પણ એક ફેરફાર કર્યો છે. શંકા- ર૭૧. પાંચ પદો દ્વારા નમસ્કાર કરવામાં આવે છે. તો ફક્ત પાંચ જ પદોનું રટણ કરવું જોઇએ. બાકીના પદો તો સાર જ કહે છે. આમ કરવાથી આમ થાય, એમ વારંવાર કહેવાની જરૂર ખરી ? એક જ વાર કહેવાથી સમજમાં આવી જાય. સમાધાન કોઈ પણ કાર્યમાં જે પ્રમાણે ઉત્સાહ અને શ્રદ્ધા હોય તે પ્રમાણે સફળતા મળે. કાર્યમાં ઉત્સાહ અને શ્રદ્ધા વધારવા માટે કાર્યનું ફળ આંખ સામે હોવું જોઈએ. કાર્યના ફળનું જેમ જેમ ચિંતન વધે, તેમ તેમ આ કાર્યમાં ઉત્સાહ અને શ્રદ્ધા વધે. માનસશાસ્ત્રનો આ નિયમ છે કે જે વસ્તુનું મનમાં જેમ જેમ ચિંતન વધે તેમ તેમ તેના પ્રત્યે શ્રદ્ધા દઢ બનતી જાય. શુભ વસ્તુના ચિંતનથી શુભ શ્રદ્ધા વધે છે અને અશુભ વસ્તુના ચિંતનથી અશુભ શ્રદ્ધા વધે છે. આ વિષયને દર્શાવવા શાસ્ત્રમાં એક દષ્ટાંત આવે છે. તે આ પ્રમાણે છે એક બાળકની માતા મૃત્યુ પામતાં તેના પિતાએ બીજું લગ્ન કર્યું. સાવકી માતા બાળકને સારી રીતે સાચવતી, સાવકી માતા જેવું જરાય જણાવા દેતી નહિ. થોડા દિવસ બાદ તેને પણ એક પુત્ર થયો. તે બંને વચ્ચે સમભાવ રાખતી હતી. બંને ભાઇઓમાં કોઈ જાણતું ન હતું કે સગું શું ? ને સાવકું શું ? પણ સંસારમાં એવા પણ લોકો હોય છે કે જેમને પારકી ખોટી પંચાત કર્યા વિના ચેન ન પડે. આ બાળકને કોઇએ કહ્યું: આ તારી સાચી મા નથી, સાવકી મા છે. સાવકી માનો વ્યવહાર સાવકા પુત્ર સાથે સારો ન હોય. સાવકી મા સગો પુત્ર અને સાવકો પુત્ર એ બે વચ્ચે ભેદ રાખે, અરે ! કેટલીક માતા તો સાવકા દીકરાને કંઈક ખવરાવી દે. આ Jain Educationa International For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૧૯ છોકરાને પહેલાં તો આ વાત ઉપર ભરોસો ન આવ્યો. પણ અનેકની પાસેથી તેણે આ પ્રમાણે સાંભળ્યું. તેણે લોકો પાસેથી તે પણ સાંભળ્યું કે સાવકી માતા પોતાના સગા પુત્રના હિત માટે સાવકા પુત્રને મારી પણ નાખે, મારી નાખવા કાંઈક ખવડાવી પણ દે. આ રીતે અનેકના મોઢે અનેકવાર સાંભળવાથી છોકરાને વિશ્વાસ થઈ ગયો કે, આ મારી સગી મા નથી, તે મારા કરતાં એના પુત્રની સાર-સંભાળ વધારે લે છે. તે કાંઈ ખવડાવી ન દે એ માટે સાવધ રહેવું જરૂરી છે. આમ એને સાવકી માતા વિષે શંકા થઈ ગઈ. શંકાથી જોનારને કદી સાચું દેખાય નહિ. શંકાના કારણે એ છોકરાની ભૂખ અને ઊંઘ ઓછી થઈ ગઈ. મારી મા મને મારી નાખશે એમ દરરોજ અનેકવાર તે વિચારવા લાગ્યો. આથી શંકા શ્રદ્ધા રૂપે પરિણમી. આના કારણે દિન-પ્રતિદિન તે છોકરો દુર્બળ બનતો ગયો. છોકરાને દુર્બળ બનતો જોઈને મને ચિંતા થઈ. તેણે છોકરાના પિતાને કહ્યું: આપણા મોટા દીકરાના શરીરમાં કંઈક રોગ હોવો જોઈએ, તેનો ખોરાક સાવ ઓછો થઈ ગયો છે. બહુ ઊંઘતો પણ નથી. તેનું મોટું સદાય ઉદાસ દેખાય છે. માટે વૈદ્યને બતાવવું જોઈએ. તેના પિતા તેને વૈદ્ય પાસે લઈ ગયા. વૈદ્ય શરીર તપાસીને કહ્યું: આને નબળાઈ સિવાય કોઈ રોગ નથી. નબળાઈ દૂર કરવા રોજ ગરમાગરમ અડદની રાબ ખવરાવવા કહ્યું. બીજા દિવસે સવારે તે છોકરાને અડદની રાબ ખાવા આપી. રાબમાં અડદની દાળનાં ફોતરા હતા, પણ છોકરાને વહેમ પડ્યો કે, જરૂર માખીઓ મારીને દૂધમાં નાખી લાગે છે. આથી તે રાબ પીતો નથી અને બેઠો બેઠો રાબને અને માને જોયા કરે છે. માએ કહ્યું: જલ્દી પી લે. તારા માટે જ બનાવી છે. છતાં તેણે રાબ પીધી નહિ, એટલામાં તેનો બાપ આવ્યો. તેણે પણ ગરમાગરમ રાબ પી જવા કહ્યું. છતાં પીતો નથી. એટલે બાપાએ લાલ આંખ કરીને કહ્યું કે, સાંભળતો નથી ? જલદી પીવા માંડ. તેણે ભયથી રાબ પીવાનું શરૂ કર્યું. પણ ટુકડે ટુકડે ઝેરની જ ગંધ અને માખીઓનો Jain Educationa International For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શંકા-સમાધાન જ સ્વાદ આવવા લાગ્યો. કેમ કે અનેક દિવસો સુધી મારી મા મને મારી નાખશે એવું ચિંતન કર્યું છે. જરૂર મને મારી નાખવા કાંઇક ખવડાવી દીધું છે. આથી હવે હું બચીશ નહિ. આવી શંકાના કારણે જ એને થોડી જ વારમાં ઊલટીઓ થવા લાગી અને મરી ગયો. આવી જ રાબ તેના સાવકા ભાઇએ પીધી. તેનાથી તેનું શરીર પુષ્ટ બન્યું. કારણ કે તેને મા ઉપર દૃઢ વિશ્વાસ હતો. અહીં છોકરો “મારી મા મને મારી નાખશે” એમ દરરોજ ચિંતન કરતો હતો. તેથી તેની આ શ્રદ્ધા દૃઢ થવા લાગી અને એક દિવસ તેને એનું ફળ મળી ગયું. એ પ્રમાણે નવકાર મંત્રના ફળનું જેમ જેમ ચિંતન વધે તેમ તેમ ફળ પ્રત્યે શ્રદ્ધા દૃઢ થવા લાગે. વર્તમાનમાં એક સાધકનો અનુભવ છે કે જ્યારે તે “એસો પંચ નમુક્કારો સવ્વપાવપ્પણાસણો” એ પદોને મનમાં ગણે છે ત્યારે તેના આત્મામાં એવી શ્રદ્ધા જાગે છે કે હવે ચોક્કસ મારા બધા પાપોનો નાશ થઇ જશે. માટે છેલ્લા ચાર પદોનું પણ રટણ કરવું જરૂરી છે. હવે આ વિષયને બીજી રીતે વિચારીએ. છેલ્લા ચાર પદો અપેક્ષાએ પંચપરમેષ્ઠી સંબંધી નમસ્કારની સ્તુતિરૂપ છે. કેમ કે તેમાં નમસ્કારના ફળનું વર્ણન છે. પંચપરમેષ્ઠી સંબંધી નમસ્કારની સ્તુતિ પરમાર્થથી પંચ પરમેષ્ઠીની સ્તુતિ છે. પંચ પરમેષ્ઠીની સ્તુતિ જેમ જેમ વધારે થાય તેમ તેમ કર્મનિર્જરા વધારે થાય. આ રીતે પણ છેલ્લા ચાર પદોનું પણ રટણ કરવું જરૂરી છે. શંકા- ૨૭૨. ચૂલિકાની રચના કોણે કરી ? સમાધાન– ચૂલિકાની રચના અર્થથી શ્રી અરિહંત દેવોએ તથા સૂત્રથી શ્રી ગણધર ભગવંતોએ કરી છે. આથી જ શ્રાદ્ધદિનકૃત્યની ૧૫મી ગાથામાં નમસ્કાર મંત્રની રચના કરનારા અરિહંત-ગણધર વગેરેને પણ નમસ્કાર કરવો જોઇએ, એમ કહ્યું છે. શંકા ૨૭૩. કલ્યાણ વર્ષ-૫૮, અંક-૮, નવેમ્બર-૨૦૦૧ માં આપ લખો છો કે ચૂલિકાની રચના અર્થથી શ્રી અરિહંત દેવોએ તથા સૂત્રથી શ્રી ગણધર ભગવંતોએ કરી છે. અહીં પ્રશ્ન થાય છે Jain Educationa International For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૨૧ કે ગણધરો દ્વાદશાંગીની રચના કરે છે. તો દ્વાદશાંગીની અંતર્ગત કયા અંગ(અંગસૂત્ર)માં ચૂલિકાનું વર્ણન છે ? પાંચ પદોનું વર્ણન તો ભગવતી સૂત્રમાં મળે છે. સમાધાન– બાર અંગોમાંથી વર્તમાન અગિયાર અંગો ઉપલબ્ધ થાય છે. તેમાં પણ રચના થઇ ત્યારે અંગોનું જેટલું પ્રમાણ હતું તેનાથી બહુ જ અલ્પ અંશમાં અંગો આપણને પ્રાપ્ત થાય છે. આથી જેમાં ચૂલિકાનું વર્ણન હોય તે શાસ્ત્રનો હમણાં વિચ્છેદ થયો છે એમ માનવું પડે. આમ છતાં વર્તમાનમાં જે ૪૫ આગમો ઉપલબ્ધ છે તેમાં એક મહાનિશીથ આગમ છે. આ આગમમાં ચૂલિકા સહિત નવકા૨નો ઉલ્લેખ છે. મહાનિશીથ સૂત્રના રચિયતા કોણ છે તે અંગે મહાનિશીથ સૂત્રમાં નીચે પ્રમાણે પાઠ છે—– “એ રીતે પંચમંગલ મહાશ્રુતસ્કંધનું વ્યાખ્યાન અનંતજ્ઞાનદર્શનને ધારણ કરનારા દેવો વડે મહાપ્રબંધથી અનંતગમ પર્યવ સહિત જેવી રીતે કરાયેલું હતું તેવી રીતે સૂત્રથી પૃથભૂત નિર્યુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિ વડે સંક્ષેપથી કરાયું હતું. પરંતુ કાલપરિહાણીના દોષથી તે નિર્યુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિઓ વિચ્છેદ પામી છે. સમય જતાં મોટી ઋદ્ધિને વરેલા, પદાનુસારી લબ્ધિ અને દ્વાદશાંગ શ્રુતને ધારણ કરનારા શ્રી વજસ્વામી થયા. તેમણે આ શ્રી પંચમંગલ મહાશ્રુત સ્કંધનો ઉદ્ધાર મૂલસૂત્ર (શ્રી મહાનિશીથ)ની અંદર લખ્યો. મૂલસૂત્ર, સૂત્રથી ગણધર ભગવંતોએ અને અર્થથી ત્રૈલોક્ય પૂજ્ય ધર્મતીર્થંકર અરિહંત ભગવંત શ્રી વીર જિનેન્દ્રે પ્રરૂપેલું છે, એવો વૃદ્ધ સંપ્રદાય છે.” આ પાઠથી સ્પષ્ટ થાય છે કે નમસ્કાર મહામંત્રની રચના સૂત્રથી ગણધર ભગવંતોએ અને અર્થથી તીર્થંકર ભગવંતે કરી છે. મહાનિશીથમાં પાંચમા અધ્યયનમાં ચૂલિકા સહિત નવકારનો ઉલ્લેખ હોવાથી ચૂલિકાની રચના પણ સૂત્રથી ગણધર ભગવંતોએ અને અર્થથી અરિહંત દેવોએ કરી છે એ સિદ્ધ થયું. For Personal and Private Use Only Jain Educationa International Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૨ શંકા-સમાધાન ભગવતી સૂત્રમાં પાંચ પદોનો જે ઉલ્લેખ છે તે નવકાર સ્વરૂપે નથી, કિંતુ ભગવતી સૂત્રમાં પ્રારંભમાં મંગલ કરવા માટે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવા માટે છે, માટે તેની સાથે ચૂલિકા ન હોય. શ્રાદ્ધદિનકૃત્ય ગ્રંથમાં ચૂલિકા સહિત નવકારનો ઉલ્લેખ છે. શંકા- ૨૭૪. નમસ્કાર મહામંત્ર સર્વ પાપોનો નાશ કરે છે, તો કોના સર્વ પાપોનો નાશ કરે છે ? સમાધાન- જે જીવ ભાવથી નમસ્કાર મહામંત્રનું ચિંતન-મનન કરે છે, એકાગ્રચિત્તે જાપ કરે છે તે જીવના સર્વ પાપોનો નાશ કરે છે. શંકા- ૨૭૫. નમસ્કાર મહામંત્ર શ્રેષ્ઠ છે તો કાઉસ્સગ્નમાં નવકારનું ચિંતન કરવાનું ન કહેતાં લોગસ્સનું ચિંતન કરવાનું કેમ કહ્યું? સમાધાન– નમસ્કાર મહામંત્રમાં સર્વ પ્રથમ અરિહંત છે. લોગસ્સ સૂત્રમાં નામના ઉચ્ચારણ પૂર્વક અરિહંતોને જ નમસ્કાર કરવામાં આવ્યો છે તથા નમસ્કાર મહામંત્રમાં નામ વિના સર્વ સામાન્ય અરિહંતોને નમસ્કાર કરવામાં આવ્યો છે. લોગસ્સસૂત્રમાં આ અવસર્પિણીમાં નજીકના ઉપકારી ૨૪ તીર્થકરોને નમસ્કાર કરવામાં આવ્યો છે. એ અપેક્ષાએ નમસ્કાર મહામંત્ર કરતાં લોગસ્સ સૂત્રની પ્રધાનતા ગણાય. આથી કાયોત્સર્ગમાં મોટા ભાગે લોગસ્સ ગણવાનું વિધાન છે. શંકા- ૨૭૬. નવપદનો જઘન્યથી જાપ (ગણણું) તેર હજાર થાય, તે કેવી રીતે ? સમાધાન– અરિહંતાદિ પંચપરમેષ્ઠિના ૧૦૮ ગુણ, દર્શન પદના ૧૦ ભેદ, જ્ઞાનના પાંચ ભેદ, ચારિત્રના પાંચ ભેદ અને તપના બે ભેદ એમ (૧૦૮+૧૦+૫+૫+૨=૧૩૦) ૧૩૦ ભેદ થાય છે. દરેક ભેદની એક એક નવકારવાળી ગણવાથી ૧૩૦x૧૦૦=૧૩000 નો નવપદનો જઘન્ય જાપ થાય છે. ધર્મ સંબંધી શંકા-સમાધાન શંકા- ર૭૭. ધર્મનું ફળ માત્ર પરલોકમાં જ મળે કે આ લોકમાં પણ મળે ? Jain Educationa International For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૨૩ સમાધાન- ધર્મફળના અનંતર અને પરંપર એમ બે પ્રકાર છે. અનંતર એટલે તરત મળનાર. પરંપર એટલે વિલંબે મળનાર. જે ફળ આ ભવમાં જ મળે તે અનંતર. જે ફળ આવતા ભવમાં મળે તે પરંપર. સાચા ધર્મીને બંને ફળો અવશ્ય મળે. એટલે ધર્મનું ફળ આવતા ભવમાં જ મળે, આ ભવમાં મળે જ નહિ એ વાત તદ્દન ખોટી છે. ધર્મનું ફળ આ ભવમાં અવશ્ય મળે અને આવતા ભવમાં પણ મળે. નોકરી કરનારને દર મહિને પગાર મળતો જાય અને દિવાળીમાં બોનસ પણ મળે. આવું જ ધર્મના ફળમાં પણ બને છે. આ ભવમાં ધર્મનું ફળ મળે તે નોકરને દર મહિને પગાર મળવા સમાન છે. ભવાંતરમાં ફળ મળે તે બોનસ સમાન છે. પગાર અને બોનસ એ બેમાં મુખ્યતા કોની? પગારની જ મુખ્યતા ગણાય. તેમ અહીં આ ભવમાં જ મળતા ફળની મુખ્યતા ગણાય. ધર્મનું અનંતર ફળ– વ્યવહારમાં કેટલાંક કાયો તરત ફળ આપે છે. જ્યારે કેટલાંક કાર્યો કાલાંતરે ફળ આપે છે. સ્વીચ દબાવતાની સાથે જ ઘરમાં વીજળીનો પ્રકાશ થાય છે. ખોરાક ખાધો કે તરત તૃપ્તિ મળે છે પણ બીજ વાવતાંની સાથે જ તેનું ફળ મળી જતું નથી. તેનું ફળ કાળાંતરે જ મળે છે. ધર્મ માટે તેવું નથી. ધર્મથી અવશ્ય તરત ફળ મળે છે અને કાળાંતરે નવું ફળ મળે છે. ધર્મથી તરત મળતા ફળને શાસ્ત્રમાં અનંતર ફળ તરીકે અને કાળાંતરે મળતા ફળને પરંપર ફળ તરીકે ઓળખાવેલ છે. અનંતર ફળો ત્રણ છે- (૧) રાગાદિ દોષોની હાનિ. (૨) ઉદારતાદિ ગુણોની વૃદ્ધિ. (૩) લોકપ્રેમ. જયાં સુધી દોષોની હાનિ (ઘટાડો) ન થાય ત્યાં સુધી ગુણોની વૃદ્ધિ ન થાય. ગુણો આત્મામાં રહેલા જ છે, એ ગુણો કંઈ બહારથી લાવવાના નથી. રાગાદિ દોષોને કારણે એ દબાઈ ગયેલા છે. એટલે જેમ જેમ રાગાદિ દોષો ઘટતા જાય તેમ તેમ ઉદારતાદિ ગુણો વધતા જાય. આથી અહીં પહેલાં રાગાદિ દોષોની હાનિ કહી, પછી ઉદારતાદિ ગુણોની વૃદ્ધિ કહી. જેનામાં રાગાદિ દોષો મંદ હોય અને ઉદારતાદિ ગુણો પ્રબળ હોય તે પ્રાય: Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શંકા-સમાધાન સજ્જનોને પ્રિય બન્યા વિના ન રહે. તેવા પ્રકારનો પાપોદય હોય તો જુદી વાત. બાકી સામાન્યથી એમ કહી શકાય કે ઉદારતાદિ ગુણોવાળો માણસ સજ્જનોને પ્રિય બન્યા વિના ન રહે. આથી ત્રીજા ફળમાં લોકપ્રેમનો ઉલ્લેખ કર્યો. ધર્મી માણસમાં રાગાદિ દોષો ન જ હોય એમ નહિ, પણ મંદ હોય. આથી તે પ્રતિકૂળ સંયોગોમાં પણ કર્મવિપાકની વિચારણા કરીને સ્વસ્થ રહી શકે છે. એટલે એમ કહી શકાય કે ધર્મી આત્માને દુઃખ આવે પણ તે દુઃખી ન બને. અશાંતિના પ્રસંગોમાં પણ ધર્મી શાંતિ અનુભવી શકે છે. આનાથી એ નક્કી થાય છે કે, ધર્મનું ફળ આ ભવમાં અવશ્ય મળે છે. આથી સારું શાંતિમય જીવન જીવવા માટે ધર્મ વિના ન ચાલે. ધર્મ વિના શાંતિમય જીવન ન જીવી શકાય. આવો ધર્મ વર્તમાન જીવનમાં પણ ખૂબ ઉપયોગી છે. જેને ધર્મ વર્તમાન જીવનમાં ઉપયોગી લાગે તે જ જીવને ધર્મની જરૂરિયાત લાગે અને તે જ જીવ ધર્મ કરવા માટે લાયક ગણાય. ધર્મથી વર્તમાન જીવનમાં લાભ— ધર્મ ગરીબ-શ્રીમંત, રોગીનીરોગી, યુવાન-વૃદ્ધ, સ્ત્રી-પુરુષ એમ બધાને કામમાં આવે છે. ધર્મી ગરીબને દીનતા સ્પર્શી શકતી નથી. ધર્મી શ્રીમંતને અભિમાન સ્પર્શી શકતું નથી. ધર્મી આત્મા રોગમાં પણ હસતો રહી શકે છે. જ્યાં દુનિયાની કોઇ વસ્તુ કામ ન લાગે ત્યાં પણ ધર્મ કામ લાગે. બીમાર માણસની આગળ ભૌતિક સારી વસ્તુઓના ઢગલા કરવામાં આવે, કિંમતી રત્નોનો ઢગલો કરવામાં આવે, તો પણ તેને શાંતિ ન થાય. કા૨ણ કે એ વસ્તુઓમાં એવી તાકાત નથી. પણ જો આ વખતે ધર્મ આપવામાં આવે તો એને શાંતિ થાય. જ્યારે (અસાધ્ય રોગમાં) લાખો રૂપિયા ખર્ચીને અમેરિકાથી બોલાવેલો ડૉકટર પણ સફળ ન બને ત્યારે ધર્મ સફળ બને છે. ધર્મ વૃદ્ધાવસ્થામાં પણ અદ્ભૂત શાંતિનો અનુભવ કરાવે છે. આમ ધર્મથી હરકોઇ અવસ્થામાં હરકોઇને લાભ જ છે, માટે ધર્મ વર્તમાન જીવનમાં પણ ઉપયોગી છે. For Personal and Private Use Only Jain Educationa International Page #188 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૨૫ ધર્મનું પરંપર ફળ- ધર્મનું પરંપર ફળ દેવગતિ વગેરે છે. ધર્મી આત્મા મરીને દેવગતિમાં ઉત્પન્ન થાય. ત્યાં વિશિષ્ટ સુખની સામગ્રી મળે. છતાં તે ધર્મને ન ભૂલે. ત્યાંથી ચ્યવન પામીને (દેવલોકમાંથી અવતરીને) મનુષ્ય ગતિમાં આવે. મનુષ્ય ગતિમાં ગમે ત્યાં ઉત્પન્ન ન થાય, પરંતુ આર્ય સંસ્કારોથી અને ધર્મના રંગથી રંગાયેલા ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થાય, ત્યાં ઉત્તમ પ્રકારની ભૌતિક સુખની સામગ્રી મળે છતાં તે જીવ તેમાં લેપાય નહિ. અંતે તે આત્મા આત્મસાધના કરીને મોક્ષ પામે. આમ અર્થ (ધન) અને કામ (ભૌતિક સુખો) પરંપર ફળો છે. આથી તે ફળો ધર્મ કરવાની સાથે જ મળે એવો નિયમ નથી. ધર્મથી આ લોકમાં ભૌતિક લાભ પણ થાય. જો ઉત્કૃષ્ટ પરિણામથી ધર્મ કરવામાં આવે તો આ ભવમાં પણ અર્થ અને કામ એ બે ફળ મળે. કારણ કે અતિ ઉગ્ર પુણ્ય અને પાપ આ ભવમાં જ ફળ આપે એવો નિયમ છે. જેમકે શ્રીપાળ મહારાજાને નવપદની આરાધનાથી તે જ ભવમાં કોઢ રોગ દૂર થવા સાથે અઢળક ભૌતિક સંપત્તિ પણ મળી. અતિ ઉગ્ર પુણ્ય અને પાપ આ ભવમાં જ ફળે, માટે જ પંચાશક ગ્રંથમાં ચૈત્યવંદન પંચાશકમાં કહ્યું છે કે વિધિની કાળજીપૂર્વક ચૈત્યવંદન કરવાથી પ્રાય: આ લોકમાં પણ ધન-ધાન્ય આદિની હાનિ (ઘટાડો) થતી નથી. અહીં પ્રાયઃ એટલા માટે કહ્યું છે કે તેવા જોરદાર નિકાચિત પાપકર્મના ઉદયવાળા જીવને આ લોકમાં ધન-ધાન્ય આદિની હાનિ થાય પણ ખરી. આમ છતાં તે આત્મા ધન-ધાન્ય આદિની હાનિમાં પણ પ્રસન્ન રહે છે. આથી પરલોકમાં તેને કોઈ આપત્તિ આવે નહિ. એટલે સામાન્યથી એમ કહી શકાય કે ધર્મથી આ લોકમાં ભૌતિક ફળો પણ મળે છે. રાગાદિ દોષોની હાનિ વગેરે આધ્યાત્મિક ફળ છે. ધન-ધાન્ય આદિની હાનિ ન થવી એ ભૌતિક ફળ છે. પણ ભૌતિક ફળ માટે “મળે જ' એવો નિયમ ન બાંધી શકાય. એટલે કે ધર્મ કરનાર દરેકને ભૌતિક લાભ થાય જ એમ એકાંતે ન કહી શકાય. પણ આધ્યાત્મિક લાભ થાય જ એમ એકાંતે Jain Educationa International For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શંકા-સમાધાન કહી શકાય. આથી જેનામાં ધર્મથી આધ્યાત્મિક લાભ જરા પણ ન દેખાતો હોય તે હજી ધર્મ પામ્યો નથી એમ સમજવું જોઇએ. શંકા- ૨૭૮. જૈનના દેવ-ગુરુ-ધર્મમાં અને અજૈનોના દેવ-ગુરુધર્મમાં શો ભેદ છે ? સમાધાન– જૈનધર્મમાં દેવ સુદેવ છે, ગુરુ-સુગુરુ છે, ધર્મ સુધર્મ છે, જૈનેતરોમાં આવું નથી. આ વિષયને સ્પષ્ટ સમજવા માટે જરા વિસ્તારથી વિચારીએ. જે દેવ સત્ય જ કહે, અસત્ય ક્યારે પણ ન જ કહે. તે દેવ સુદેવ છે. અસત્ય બોલવાના રાગ-દ્વેષ અને મોહ (=અજ્ઞાનતા) એ ત્રણ કારણો છે. ક્યારેક માણસ રાગથી, ક્યારેક દ્વેષથી, ક્યારેક મોહથી અસત્ય બોલે છે. આથી રાગ-દ્વેષ-મોહથી રહિત દેવ સત્ય જ કહે, અસત્ય ન કહે, માટે તે દેવ સુદેવ છે. જૈનોના દેવો જે ભવમાં દેવ બને, તે ભવમાં દીક્ષા લઇને રાગદ્વેષને જીતવાનો પુરુષાર્થ કરે છે, પુરુષાર્થ કરીને રાગ-દ્વેષને જીતે છે. રાગ-દ્વેષને જે જીતે તે વીતરાગ કહેવાય. વીતરાગ બનેલા દેવ અતિશય અલ્પકાળમાં(=અંતર્મુહૂર્તમાં) જ સર્વજ્ઞ બને છે. સર્વજ્ઞ એટલે બધું જ જાણનારા. જેમ સ્વચ્છ દર્પણમાં સર્વ વસ્તુઓનું પ્રતિબિંબ પડે છે, તેમ ભૂતકાળમાં શું બન્યું હતું, વર્તમાનમાં ક્યાં શું બની રહ્યું છે અને ભવિષ્યમાં ક્યાં શું બનશે, સર્વજ્ઞ બનેલા દેવનો આત્મા આ બધું જ જાણનારો હોય છે. જે સર્વ-બધું જ જાણે તે સર્વજ્ઞ. જૈનની પરિભાષા પ્રમાણે એમ કહેવાય કે, ત્રણે કાળના સર્વ દ્રવ્ય-પર્યાયોને જે જાણે તે સર્વજ્ઞ, સર્વજ્ઞ દેવ જગતના જીવોનું જેનાથી હિત થાય, તેવા ધર્મને જાણે છે અને જગતના લોકોને બતાવે છે. માટે તેમના દ્વારા કથિત ધર્મ સુધર્મ છે. જૈનેતરોના દેવો આવા સર્વજ્ઞ ન હોવાથી તેમનો કહેલો ધર્મ સાચો હોતો નથી, તેથી તે ધર્મ સુધર્મ નહિ, કિંતુ કુધર્મ છે. સુદેવોએ બતાવેલા ચારિત્રધર્મનું યથાશક્ય પાલન કરનારા સાધુઓ સુગુરુ છે, જૈનેતરોએ માનેલા ગુરુઓ સુગુરુઓ નથી. સુદેવે કહેલા ચારિત્રધર્મને પાળનારા સાધુઓમાં જેવી રીતે અહિંસાધર્મનું પાલન થાય છે તેવી રીતે For Personal and Private Use Only Jain Educationa International Page #190 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૨૭ જૈનેતરોના ધર્મમાં અહિંસાધર્મનું પાલન થતું નથી. કેમકે તેઓ અહિંસાધર્મને યથાર્થ સમજેલા હોતા નથી. જૈનેતરોના ગુરુઓ વાહનમાં બેસે છે, વાહનમાં બેસવાથી કીડી-મકોડા વગેરે જીવોની હિંસા થયા વિના રહેતી નથી. વનસ્પતિ વગેરેમાં પણ જીવ છે. જૈનેતરના ગુરુઓ આવી વનસ્પતિનો ઉપયોગ કરતા હોવાથી અહિંસાધર્મનું પાલન ન થાય. જૈનોના ગુરુઓ ક્યારેય વાહનોનો ઉપયોગ કરતા નથી અને વનસ્પતિને પણ સ્પર્શતા નથી. આ સામાન્યથી ભેદ જણાવ્યો. આ સિવાય જૈનેતરોના ગુરુઓની ઘણી એવી પ્રવૃત્તિઓ છે, જેમાં ઘણી હિંસા થાય છે, કેટલાક જૈનેતરના ગુરુઓ પૈસા પણ રાખતા હોય છે. પૈસા એ પરિગ્રહ છે. પરિગ્રહ એ પાપનું કારણ છે. આમ જૈનોના ગુરુઓ અને જૈનેતરના ગુરુઓમાં જીવદયાની ષ્ટિએ આસમાન-જમીન જેટલું મોટું અંતર છે. સુદેવે બતાવેલો ધર્મ સુધર્મ છે. કેમકે, એ ધર્મ જીવને દુ:ખથી સર્વથા મુક્ત કરીને મુક્તિમાં પહોંચાડે છે. જૈનેતરોના દેવોએ બતાવેલો ધર્મ તેવો નથી માટે તે કુધર્મ છે. શંકા- ૨૭૯. ધર્મ ફક્ત મોક્ષ માટે જ થાય તેમાં કોઇ જ શંકા નથી. પરંતુ જે જીવને મહાપાપોદયના કારણે ધર્મ રુચતો જ નથી, અને તેને સાંસારિક દુ:ખો આવી પડે છે, તેવા કપરા સંયોગોમાં દુ:ખના નાશપૂર્વક સુખની આશામાં ધર્મ કરે તો વાંધો ખરો ? તે જીવના ખરાબ કાળમાં જો આપણે તેને કહીએ કે, ધર્મ મોક્ષ માટે જ થાય, તો તે વાત તેને તે સમયમાં રુચવાની નથી અને તે ધર્મ કરતો અટકી જાય, તો તેની દુર્ગતિ નિશ્ચિત જ છે. એટલે કદાચ દુ:ખી અવસ્થામાં સુખી થવાના હેતુપૂર્વક ધર્મ કરે અને ભવિતવ્યતા સારી હોય અને સુખી થઇ જાય તેવે વખતે તેને સમજાવવામાં આવે અને તે વાત તેને રુચિ જાય, તો અવસરે તે શું સુંદર શાસનપ્રભાવના ન કરી શકે ? સમાધાન– પંચાશક ગ્રંથમાં તપોવિધિ પંચાશકમાં જીવોના મુગ્ધ અને સદ્બુદ્ધિ એમ બે પ્રકાર જણાવ્યા છે. મુગ્ધ એટલે મોક્ષ માટે ધર્મ કરવો જોઇએ ઇત્યાદિ જ્ઞાનથી રહિત. સદ્બુદ્ધિ એટલે મોક્ષ Jain Educationa International For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૮ શંકા-સમાધાન માટે જ ધર્મ કરવો જોઈએ એવા જ્ઞાનવાળો અને એવી શ્રદ્ધાવાળો. તેમાં સબુદ્ધિ જીવો મોક્ષ માટે જ ધર્મ કરે. કહ્યું છે કે મૌક્ષાવૈવ તુ તે વિશિષ્ટ મતિરુત્તમઃ પુરુષ: વિશિષ્ટ મતિમાન પુરુષ મોક્ષ માટે જ ધર્મ કરે છે. મુગ્ધ જીવોને ધર્મ મોક્ષ માટે જ કરવો જોઈએ એવું જ્ઞાન હોતું નથી. આથી આવા જીવો પ્રારંભમાં સંસારસુખની પ્રાપ્તિ માટે ધર્મ કરનારા હોય. પણ પછી મોક્ષ આદિનું જ્ઞાન થતાં મોક્ષ માટે ધર્મ કરનારા બને. મુગ્ધ જીવો પ્રારંભમાં સંસારસુખ માટે ધર્મમાં જોડાઇને મોક્ષ માટે ધર્મ કરનારા બને, એ માટે તેવા જીવોના ઉપકાર માટે જ્ઞાનીઓએ સર્વાંગસુંદર, નિજસુખ, પરમભૂષણ, આયતિજનક અને સૌભાગ્યેકલ્પવૃક્ષ વગેરે તપો જણાવ્યા છે. આવા તપો નવા અભ્યાસી જીવો માટે મોક્ષમાર્ગના સ્વીકારનું કારણ બનતા હોવાથી હિતકર છે. આથી દુઃખ દૂર કરવા કે ભૌતિક સુખ મેળવવા માટે ધર્મ કરતા મુગ્ધ જીવોને ધર્મ કરતા અટકાવાય નહિ. આમ છતાં ગીતાથએ વ્યાખ્યાન વગેરેમાં મોક્ષ માટે ધર્મ કરવો જોઇએ, વગેરે સમજાવતાં રહેવું જોઈએ. જેથી શ્રોતાની ભૌતિક સુખની આશંસા વધે નહિ, બલ્બ ઘટે, અને ભૌતિક સુખ માટે ધર્મ કરનારા જીવો મોક્ષ માટે ધર્મ કરતા થઈ જાય. શંકા- ૨૮૦. દુનિયામાં અબજો જીવો જે ધર્મ કરતા નથી. તેના કરતાં અપેક્ષાએ અજ્ઞાની જીવો ભૌતિક સુખ માટે ધર્મ કરે તો તે સારો કે ખરાબ ? સમાધાન- આ પ્રશ્નનો જવાબ એકાંતે “હા” માં કે “ના” માં ન આપી શકાય. સુખ અને ધર્મ કરનાર અજ્ઞાની જીવ કેવો છે, તે વિચારવું પડે. અભવ્યો, દૂર્ભવ્યો અને ભારે કર્મી ભવ્ય જીવો ભૌતિક સુખ માટે ધર્મ કરે, તો તેમને ધર્મ નહિ કરનારા જીવોથી સારા ન કહી શકાય. કારણ કે તેવા જીવો ધર્મથી થોડું સુખ મેળવીને અધિક દુઃખ ભોગવનારા બને છે. આવા જીવોની ધર્મક્રિયા અતિશય દારુણ પરિણામવાળી બને છે. કારણ કે તે જીવો કલ્પવૃક્ષ, ચિંતામણિ અને કામધેનુથી પણ ચઢિયાતા એવા ધર્મને હીન જુએ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૨૯ ભૌતિક સુખ માટે ધર્મ કરનારા કેટલાક અજ્ઞાન જીવો બાહ્યફલાપેક્ષાવાળા (ગુરુ વગેરેના સમજાવવાથી ભૌતિક સુખના બદલે મોક્ષ માટે ધર્મ કરનારા બનવાની યોગ્યતાવાળા) અને પ્રજ્ઞાપનીય (સાચું સમજાવી શકાય તેવા) હોય છે. આવા જીવોને ધર્મ નહિ કરનારા જીવો કરતાં અપેક્ષાએ સારા કહી શકાય. આથી જ સુંદરીનંદ અને આર્યસુહસ્તિથી દીક્ષિત ભિખારી વગેરેએ ભૌતિક સુખ માટે જ દીક્ષા લીધી હોવા છતાં આત્મહિત કરનારા બની ગયા. બાહ્યફલાપેક્ષાવાળા અને પ્રજ્ઞાપનીય જીવો દ્રવ્યધર્મના અભ્યાસથી જ દર્શનમોહનીય વગેરે કમનો ઉદય હટી જવાથી ભાવધર્મવાળા બને છે. (સુંદરીનંદનું દષ્ટાંત સંવેગરંગશાળામાંથી જોઈ લેવું.) શંકા- ૨૮૧. કેટલાક માણસો ધર્મના નામે સોગન ખાય છે, તે યોગ્ય છે ? સમાધાન– કોઈના પણ સોગન ખાવા એ યોગ્ય નથી. દેવ-ગુરુ અને ધર્મના સોગન ખાવા એ તો જરાય યોગ્ય નથી. શંકા- ૨૮૨. ઘરમાં કોઈને ધર્મ પ્રત્યે બહુ લગાવ હોય અને ધાર્મિક પ્રસંગની ઉજવણી કરવી હોય, પણ તે નિમિત્તને પામીને ઘરમાં એકાદ વ્યક્તિ ધર્મથી વિમુખ બને અથવા વધારે વિમુખ થઈને ઘણી વિરાધના કરે તો શું કરવું જોઈએ ? સમાધાન કોઈ પોતાની ભાવનાથી ધાર્મિક પ્રસંગની ઉજવણી કરે અને તે નિમિત્તને પામીને ઘરમાં એકાદ વ્યક્તિ ધર્મથી વિમુખ બને અથવા વધારે વિમુખ થઈને ઘણી વિરાધના કરે, તો તેમાં ધાર્મિક પ્રસંગની ઉજવણી કરનારને કોઈ દોષ લાગે નહિ. કોઈ મુમુક્ષુ જિને કહેલી વિધિપૂર્વક દીક્ષા લે અને તેના કારણે તેનો કોઈ સંબંધી શોક કરે અને સાધુઓ માટે ગમે તેમ બોલે તો દીક્ષા લેનારને એ નિમિત્તે કોઈ દોષ ન લાગે. કોઈ જીવ સમાધિથી મૃત્યુ પામે અને સ્વજનો એ નિમિત્તે શોક વગેરે કરે તો એ નિમિત્તે સમાધિથી મૃત્યુ પામનારને દોષ લાગે ? ન જ લાગે. Jain Educationa International For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શંકા-સમાધાન તે જ રીતે પ્રસ્તુતમાં પરમાત્માની આજ્ઞા મુજબ ધાર્મિક પ્રસંગ ઉજવવાના કારણે કોઇ ધર્મથી વિમુખ થાય અથવા ધર્મવિમુખ બનીને ઘણી વિરાધના કરે તો તેમાં ધાર્મિક પ્રસંગ ઉજવનારને કોઇ દોષ ન લાગે. હા, એટલી વાત છે કે ધર્મવિમુખ બનનાર વ્યક્તિ ધાર્મિક પ્રસંગ ઉજવનારને ગમે તેમ બોલે, હેરાન કરે તો ધાર્મિક પ્રસંગ ઉજવનારમાં એ સમભાવથી સહન ક૨વાની તાકાત હોવી જોઇએ. જો ધાર્મિક પ્રસંગ ઉજવનારને એ નિમિત્તે આર્તધ્યાન થાય અગર તો ધર્મવિમુખ બનનાર પ્રત્યે દ્વેષ ભાવ થાય તો નુકસાન થાય, તેના આત્માનું અહિત થાય. શંકા- ૨૮૩. જૈનોએ યથાશક્તિ દ્રવ્યદયા પણ કરવી જોઇએ. આથી જૈનો હોસ્પિટલ બંધાવે તો તે ધર્મ ગણાય કે અધર્મ ? સમાધાન– તાત્કાલિક દુઃખ દૂર કરવારૂપ અનુકંપા છે એના માટે કાયમી આરંભના સાધનો ખોલવા એવી અનુકંપાનું વિધાન જૈનશાસનમાં નથી. ‘મળીયો મૂત્વા અરમળીયો મા મૂ:' આ વચન અને તેની ટીકાથી આ વિષય સ્પષ્ટ થઇ જાય છે. પ્રદેશી રાજાના વિષયમાં આવું વચન વાંચવા મળે છે. વળી આજની હોસ્પિટલોમાં ઘણી દવાઓ પંચેન્દ્રિય જીવોની હિંસાથી બનેલી હોય છે. જેમાં થોડા જીવોને સુખ મળે અને ઘણા જીવોને દુઃખ થાય તેને અનુકંપા જ ન કહેવાય. આરાધના સંબંધી શંકા-સમાધાન શંકા- ૨૮૪. અમુક વાર હોય ત્યારે અમુક તીર્થંકરની આરાધના કરવી, જેમ કે શનિવારે મુનિસુવ્રત સ્વામીની, બુધવારે વાસુપૂજ્ય સ્વામીની આરાધના કરવી. આવું કયા શાસ્ત્રમાં લખેલું છે ? સમાધાન– આચારદિનકર વગેરે વિવિધ ગ્રંથોના આધારે નીચે મુજબની વિગત જાણવા મળે છે. સૂર્ય વગેરે નવગ્રહો છે. નવગ્રહો એ નવ દેવો છે. જૈનદર્શનમાં દેવોના ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક એમ દેવોના ચાર પ્રકાર છે. તેમાં દેવોના સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર જ્યોતિ Jain Educationa International For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૩૧ અને તારા એમ પાંચ પ્રકાર છે. આમાં નવગ્રહો ગ્રહજાતિના જ્યોતિષ્ક દેવો છે. જો કે ગ્રહો ૮૮ છે. પણ તેમાં ૯ મુખ્ય છે તથા સૂર્ય વગેરે સાત ગ્રહોનો તેને વાર સાથે-દિવસની સાથે સંબંધ છે, અર્થાત્ તે તે દિવસોના નામ સાત ગ્રહો પ્રમાણે રવિવાર વગેરે પ્રસિદ્ધ બનેલ છે તથા તે તે તીર્થંકરના નામના જાપથી કે તે તે તીર્થંકરની પૂજાથી તે તે ગ્રહ પોતાનો વિપાક દર્શાવવામાં સમર્થ બનતા નથી. આથી જેને તે તે ગ્રહ નડતો હોય તેને તે તે દિવસે તે તે તીર્થકરની આરાધના-પૂજા પણ પુણ્ય સહાયક હોય તો જ ગ્રહની શાંતિ કરવામાં નિમિત્તભૂત બની શકે. અરિહંત ભગવંત અચિંત્ય શક્તિસંપન્ન છે. એથી એમની પૂજાથી દુષ્ટગ્રહો વગેરે અવશ્ય નિષ્ફળ બને અને સમાધિની પ્રાપ્તિ થાય. આથી જ એક મહાપુરુષે કહ્યું છે કે “જિનેશ્વરોના ચરણોની પૂજાથી ગ્રહો નાશ પામે છે, ભયો જતા રહે છે, દુષ્ટ દેવો મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી, સર્વ કાર્યોની સિદ્ધિ થાય છે.” અહીં એટલું સમજી લેવાની જરૂર છે કે ગ્રહોની શાંતિ કરાવા પાછળ “સમાધિનો આશય હોય તો તે આરાધના હજી આત્મહિતમાં બાધક બનતી નથી. પણ જો સમાધિનો હેતુ જ ન હોય અને ભૌતિક સુખો મજેથી ભોગવી શકાય, સત્તા મેળવી શકાય, પ્રતિષ્ઠા-કીર્તિ વધારી શકાય વગેરે આશય હોય તો તે આરાધના આત્મહિતમાં બાધક બને છે, પરંપરાએ ભવભ્રમણ વધારવા દ્વારા દુ:ખ વધારનારી બને છે. શંકા- ૨૮૫. પોતાને અંતસમયની આરાધના કરવી હોય, અગર બીજાને કરાવવી હોય તો શું કરવું જોઈએ તે જણાવવા કૃપા કરશો અથવા તેનું કોઈ પુસ્તક પ્રકાશિત થયું હોય તો તેનું નામ વગેરે જણાવવા કૃપા કરશો. સમાધાન– અંતસમયે પુણ્યપ્રકાશનું સ્તવન, પદ્માવતી આરાધના, સમાધિસ્તોત્ર વગેરે સાંભળવું જોઈએ કે બીજાને સંભળાવવું જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શંકા-સમાધાન સંસારનું બધું વોસિરાવી દેવું જોઈએ તથા વિવિધ પચ્ચકખાણ કરવા જોઈએ. આ વિષે અનેક મહાત્માઓના પુસ્તકો પ્રકાશિત થયા છે. આવા પુસ્તકો અવાર-નવાર જુદા જુદા પ્રકાશકો તરફથી પ્રકાશિત થતા રહે છે. સાધુ મહાત્મા પાસે જઈને આ પુસ્તક વિષે પૂછવાથી માહિતી મળી રહે. શંકા- ૨૮૬. ધર્મની કોઈ પણ આરાધના વિશ્વશાંતિ માટે કરાય અને કરાવાય તે યોગ્ય છે કે આત્મશાંતિ અથવા આત્મકલ્યાણ માટે કરાય-કરાવાય તે યોગ્ય છે ? સમાધાન– અરિહંતોએ વિશ્વશાંતિ માટે ધર્મ કરવાનું કે કરાવવાનું કહ્યું નથી, કિંતુ સ્વશાંતિ માટે કે પોતાના કલ્યાણ માટે ધર્મ કરવાનું કે કરાવવાનું કહ્યું છે. હા, વિશ્વશાંતિની ભાવના અવશ્ય ભાવવી જોઇએ. શિવમસ્તુ સર્વજ્ઞાતિ: ઇત્યાદિ ભાવના વિશ્વશાંતિની ભાવના છે. પણ ધર્મનાં અનુષ્ઠાનો તો સ્વશાંતિ માટે કરવા જોઇએ. કારણ કે વિશ્વશાંતિનું મૂળ વ્યક્તિ-શાંતિ છે. વિશ્વ શું છે? જુદા-જુદા દેશોનો સમૂહ એ વિશ્વ છે. દેશ શું છે ? જુદા જુદા સમાજોનો સમૂહ એ દેશ છે. જુદા-જુદા કુટુંબોનો સમૂહ એ સમાજ છે. જુદી-જુદી વ્યક્તિઓનો સમૂહ કુટુંબ છે. હવે વિશ્વમાં શાંતિ લાવવી હોય તો જુદા-જુદા દેશોમાં શાંતિ થવી જોઈએ. તે વિના વિશ્વશાંતિ શક્ય જ નથી. દેશમાં શાંતિ લાવવી હોય તો જુદા-જુદા સમાજોમાં શાંતિ લાવવી જોઇએ. સમાજમાં શાંતિ લાવવી હોય તો કુટુંબોમાં શાંતિ લાવવી જોઇએ. કુટુંબમાં શાંતિ લાવવી હોય તો કુટુંબની દરેક વ્યક્તિમાં શાંતિ લાવવી જોઇએ. કુટુંબની દરેક વ્યક્તિમાં શાંતિ ધર્મ કરવાથી જ લાવી શકાય. જો કુટુંબની દરેક વ્યક્તિ શાંત બની જાય તો કુટુંબ શાંત બની જાય. દરેક કુટુંબ શાંત બને તો સમાજ શાંત બને. દરેક સમાજ શાંત બને તો દેશ શાંત બને. દરેક દેશ શાંત બને તો વિશ્વ શાંત બને. આમ વિશ્વ શાંતિનું મૂળ ધર્મ છે. માટે દરેક જીવે સ્વશાંતિ માટે ધર્મ કરવો જોઇએ. દરેક જીવ સ્વશાંતિ માટે ધર્મ કરવા માંડે તો વિશ્વમાં ધર્મનું બળ વધે અને એ ધર્મબળથી વિશ્વમાં Jain Educationa International For Personal and Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૩૩ શાંતિ થાય. આજે વ્યક્તિઓમાં પાપો એટલા બધા વધી ગયા છે કે જેથી વિશ્વમાં અશાંતિ ફેલાય છે. બીજી વાત. જે પોતે જ શાંત નથી તે બીજાને શાંત કેવી રીતે કરી શકે ? દરિદ્ર માણસ બીજાને શ્રીમંત ન જ બનાવી શકે. માટે કોઈ પણ ધર્માનુષ્ઠાન સ્વશાંતિ માટે કરવા જોઇએ કે કરાવવા જોઈએ. વિશ્વશાંતિ માટે નહિ. પૂર્વે કહ્યું તેમ વિશ્વશાંતિનું મૂળ વ્યક્તિશાંતિ છે માટે જ જૈનશાસન વિશ્વશાંતિ ઉપર ભાર આપતું નથી. કિંતુ વ્યક્તિશાંતિ ઉપર ભાર આપે છે. જેમ મૂળ વિના વૃક્ષ ન હોય તેમ વ્યક્તિશાંતિ વિના વિશ્વશાંતિ ન હોય. શંકા- ૨૮૭. કોઈ પણ સમુદાયના મહારાજના ઘરે પગલા કરાવવા માટેનું પ્રયોજન શું છે? ધાર્મિક આરાધના સિવાયના પ્રસંગે ફેકટરી, દુકાન કે ઘેર પગલાં કરાવવામાં કયા પ્રકારની પુણ્યની વિગત છે ? સમાધાન- મોટા ભાગના મનુષ્યો સંસારસુખના રાગી હોય છે. કેવળ શ્રાવકકુળમાં જન્મ પામવાના કારણે જ શ્રાવક કહેવાતા જૈનો પણ સંસારસુખના રાગી હોઈ શકે છે. આવા શ્રાવકો પોતાના ઘરે સાધુઓના પગલાં કરાવે, ત્યારે સાધુઓના પગલાથી કોઈ આપત્તિ આવે નહિ અને અનુકૂળતાઓ પ્રાપ્ત થાય એવો આશય મોટા ભાગે રહેલો હોય છે. દુકાનમાં કે ફેકટરી વગેરે સ્થળે પગલાં કરાવવામાં પણ કમાણી સારી થાય ઇત્યાદિ આશય મોટા ભાગે રહેલો હોય છે. આવા આશયથી ઘર વગેરે સ્થળે સાધુઓના પગલાં કરાવવા એ ધર્મસ્વરૂપ નથી. કેટલાક એવા પણ શ્રાવકો હોય છે કે, જેઓ એમ માનતા હોય છે કે, આપણા ઘરે સાધુઓના પગલાં થાય તો ઘર પવિત્ર બને અને આપણી ધર્મભાવના વધે. આવી ભાવનાવાળા શ્રાવકો સાધુઓના પગલાં પોતાનાં ઘરે કરાવે એ ધર્મ સ્વરૂપ ગણાય. સાધુઓ ધાર્મિક પ્રસંગ વિના દુકાન કે ફેકટરી વગેરેમાં પગલાં કરવા માટે જાય એ યોગ્ય જણાતું નથી. ઘરમાં પણ વિશિષ્ટ કારણ વિના સાધુઓ પગલાં કરવા જાય એ પણ યોગ્ય જણાતું નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન શંકા— ૨૮૮. કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ આદિ પૂર્વાચાર્યો તપપૂર્વક સરસ્વતી દેવીનો જાપ કરીને જ્ઞાનાવરણીય કર્મનો વિશેષ ક્ષયોપશમ પામ્યા, જ્ઞાન આત્માનો ગુણ છે. આત્માના જ્ઞાનગુણનો ક્ષયોપશમ સરસ્વતી દેવીની ઉપાસનાથી કેવી રીતે સાધી શકાય ? આ રીતે અન્યની ઉપાસનાથી મળતું જ્ઞાન ક્ષયોપશમથી મળે છે કે દૈવી શક્તિથી મળે છે ? આ સાધના સાધકે કઇ અપેક્ષાએ અને કઇ ભૂમિકાએ આચરવી ? કે હાલ ન આચરવી ? સમાધાન– આ પ્રશ્નના સમાધાન માટે સર્વપ્રથમ “કોઇ પણ કર્મનો ઉદય કે ક્ષયોપશમ વગેરે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ એ પાંચ નિમિત્તને પામીને થાય છે તે સમજવું જોઇએ. આ પ્રમાણે— દ્રવ્ય– બ્રાહ્મી વગેરે ઔષધના સેવનથી બુદ્ધિ વધે છે=જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ વધે છે. મદિરા વગેરેના સેવનથી બુદ્ધિનો નાશ થાય છે=જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ સ્થગિત થાય છે. ઔષધ અને પથ્ય આહા૨થી શરીરમાંથી બિમારી દૂર થાય છે=સાતાવેદનીય કર્મનો ઉદય થાય છે. અપથ્ય આહારથી શરીરમાં બિમારી આવે છે=અસાતાવેદનીય કર્મનો ઉદય થાય છે. આ દ્રવ્યની અસર છે. ક્ષેત્ર” શુદ્ધ હવાવાળા ક્ષેત્રમાં તબિયત સારી થાય છે=સાતાવેદનીય કર્મનો ઉદય થાય છે, અશુદ્ધ હવાવાળા ક્ષેત્રમાં તબિયત બગડે છે=અસાતાવેદનીય કર્મનો ઉદય થાય છે. આ ક્ષેત્રની અસર છે. કાળ– શિયાળામાં શરીરમાં વધારે જોમ આવે છે=વીર્યંતરાયનો ક્ષયોપશમ વિશેષ થાય છે. ઉનાળામાં શરીર થોડું શિથિલ બને છે. શિયાળામાં ભૂખ વધે છે=ક્ષુધાવેદનીયનો વિશેષ ઉદય થાય છે. આ કાળની અસર છે. ૧૩૪ ભાવ- ક્રોધભાવમાં ભોજન ક૨વાથી આહારનું અજીર્ણ થાય અને એથી અસાતાનો ઉદય થાય. પ્રસન્ન અવસ્થામાં ભોજન કરવાથી આહા૨નું બરોબર પાચન થાય અને એથી સાતાનો ઉદય થાય. આ ભાવની અસ૨ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૩૫ ભવ– દેવ-નારકના ભવમાં અવધિજ્ઞાનાવરણીયનો અવશ્ય ક્ષયોપશમ થાય. યુગલિક ભવમાં નિયમા કષાયમંદતા અને સાતાવેદનીયનો ઉદય હોય છે. આ ભવની અસર છે. પ્રસ્તુતમાં સરસ્વતી રૂપ દ્રવ્યની ઉપાસનાના નિમિત્તથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ વધે છે. જ્ઞાન તો ક્ષયોપશમથી જ થાય છે, પણ ક્ષયોપશમ થવામાં સરસ્વતી દેવીની ઉપાસના નિમિત્ત છે. જ્ઞાન થવામાં ક્ષયોપશમ આંતરિક (મુખ્ય) કારણ છે અને સરસ્વતી દેવીની ઉપાસના બાહ્ય કારણ છે. જેવી રીતે ધનવાનમાં ધનદાનની શક્તિ છે, ડૉકટરમાં દર્દીને દૂર કરવાની શક્તિ છે, તેવી રીતે સરસ્વતી દેવીમાં જ્ઞાનનો ક્ષયોપશમ વધારવાની શક્તિ છે. જ્ઞાનની વૃદ્ધિ દ્વારા સ્વ-પરનું આત્મહિત સાધી શકાય એવી અપેક્ષાથી સરસ્વતીની સાધના કરી શકાય. અપ્રમત્ત અવસ્થા ન આવે ત્યાં સુધી સરસ્વતીની સાધના કરી શકાય. સરસ્વતીની સાધના કરવામાં ત્રણ મુદ્દા મહત્ત્વના છે. (૧) સાધકની યોગ્યતા (૨) શ્રદ્ધા (૩) વિધિ. કષાયોની મંદતા વગેરે ગુણોથી યુક્ત સાધક સરસ્વતીની સાધના કરવાને યોગ્ય છે. આમાં શ્રદ્ધા પણ પૂર્ણ હોવી જોઇએ. દવામાં દર્દીને દૂર કરવાની શક્તિ હોવા છતાં જેને શ્રદ્ધા ન હોય તેનો રોગ દૂર ન થાય. તે રીતે પ્રસ્તુતમાં સરસ્વતી દેવીમાં સાધકના જ્ઞાનનો ક્ષયોપશમ વધારવાની શક્તિ હોવા છતાં જે સાધકની શ્રદ્ધામાં ખામી હોય તેને લાભ ન થાય. સાધના વિધિપૂર્વક કરવી જોઈએ. આજે પણ લાયક જીવ શ્રદ્ધાથી વિધિપૂર્વક સરસ્વતી દેવીની સાધના કરે તો તેના જ્ઞાનનો ક્ષયોપશમ વધે. સામાયિક સંબંધી શંકા-સમાધાન શંકા-૨૮૯. સામાયિકમાં ૪૮ મિનિટનો સમય ક્યારથી ગણવો અને ક્યાં સુધી ગણવો ? સમાધાન- સજઝાય કરવાનો છેલ્લો આદેશ માગીને ત્રણ નવકાર ગણ્યા પછીથી સમય ગણવો અને ૪૮ મિનિટ પૂર્ણ થયા પછી Jain Educationa International For Personal and Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શંકા-સમાધાન સામાયિક પારવાની વિધિ કરી શકાય. તાત્પર્ય એ છે કે સામાયિક લેવાનો અને સામાયિક પારવાનો સમય ૪૮ મિનિટમાં ન ગણવો. શંકા- ૨૯૦. સામાયિકની ૪૮ મિનિટ પૂર્ણ થયા પહેલાં સાધુની સાથે સંથારાપોરિસિની વિધિ થઈ શકે કે કેમ ? કારણ કે એ વિધિ પછી તો તુરત સામાયિક પારવાની મુહપત્તિનું પડિલેહણ કરવામાં આવે છે. સમાધાન- સાધુની સાથે સંથારા પરિસિનો વિધિ ન થઈ શકે પણ સાધુના મુખથી બોલાતું સંથારા પોરિસિનું સૂત્ર સાંભળી શકાય. તથા ચઉક્કસાયથી સંપૂર્ણ જયવીરાય સૂત્ર સુધીના સૂત્રો સાંભળવાથી સામાયિક પારવાનો તેટલો વિધિ આવી જાય. પણ તેટલો વિધિ જો ૪૮ મિનિટની અંદર થયો હોય તો બે મિનિટ વધારીને (પ૦ મિનિટ થાય ત્યારે) બાકીનો સામાયિક પારવાનો વિધિ કરવો જોઇએ. કારણ કે સામાયિક પારવાનો વિધિ ૪૮ મિનિટમાં ન ગણાય. શંકા- ૨૯૧. બીજું સામાયિક લઇએ ત્યારે “સજઝાયમાં છું' એવો આદેશ માંગવો જોઈએ કે “સજઝાય કરું એવો આદેશમાંગવો જોઈએ? સમાધાન– “સજઝાયમાં છું' એવો આદેશ માંગવામાં આવે છે. શંકા- ૨૯૨. સળંગ ત્રણ સામાયિક કરનાર, બીજું-ત્રીજું સામાયિક લેવાની વિધિ કરતી વખતે “સજઝાય સંદિસાહું ?”નો આદેશ માગે કે માત્ર “સઝાયમાં છું” આ એક જ આદેશ માગે? પ્રથમ સામાયિકમાં માગેલો “સજઝાય સંદિસાહું?” નો આદેશ ત્રણે સામાયિક માટે ચાલે ? સમાધાન- બીજું-ત્રીજું સામાયિક લેવાની વિધિ કરતી વખતે “સઝાય સંદિસાહું”નો આદેશ માગવો જોઈએ. પ્રથમ સામાયિકમાં માગેલો “સજઝાય સંદિસાહું”નો આદેશ ત્રણે સામાયિક માટે ન ચાલે. જો “સજઝાય સંદિસાહું”નો આદેશ ત્રણે સામાયિકમાં ચાલતો હોય તો “બેસણે સંદિસાહું” વગેરે આદેશ પણ ચાલવા જોઇએ. પણ તેમ નથી. પહેલું સામાયિક લીધું ત્યારે બધા આદેશો એક સામાયિક માટે જ માગ્યા હતા. આથી બીજું-ત્રીજું સામાયિક લે For Personal and Private Use Only Jain Educationa International Page #200 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૩૭ ત્યારે પણ બધા જ આદેશો માગવા જોઇએ. ફેર એટલો જ છે કે પહેલા સામાયિકમાં સ્વાધ્યાય હવે શરૂ કરવાનો હોવાથી “સજઝાય કરું ?’’ એવો આદેશ મગાય છે. બીજા-ત્રીજા સામાયિકમાં સ્વાધ્યાય શરૂ થઇ ગયો હોવાથી “સઝાયમાં છું” એવો આદેશ મગાય છે અને પછી એક નવકાર ગણાય છે. શંકા- ૨૯૩. સામાયિક લેવાની વિધિ ન આવડતી હોવાથી ત્રણ નવકા૨ ગણીને સામાયિક સ્વરૂપે ૪૮ મિનિટ બેસવાનો સંકલ્પ કરે તેમાં વચ્ચે કામ આવી જાય એથી ૪૮ મિનિટ પહેલાં ઉઠી જાય તો સામાયિક ભાંગે ? સમાધાન– સામાયિકનો સંકલ્પ ભાંગે. શંકા— ૨૯૪. શ્રાવક સામાયિકમાં હોય, ચરવળો પાસે ન હોય, ત્યારે પૂ. સાધુ-સાધ્વીજી ભગવંત ગોચરી માટે પધારે, તો શ્રાવક ઊભા થઇ વંદન કરી શકે ? વહોરાવી શકે ? મૌન સામાયિકમાં લાભ આપો એમ કહી (બોલી) શકે ? સમાધાન– સામાયિકમાં ચરવળા વિનાનો શ્રાવક ગોચરી માટે પધારેલા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતને ઊભા થઇને વંદન કરી શકે નહિ. ઊભા થઇને વહોરાવી શકે નહિ. મૌન સામાયિકમાં ‘લાભ આપો' એમ કહી શકાય નહિ. શંકા— ૨૯૫. ગૃહસ્થ સામાયિક-પૌષધમાં હોય તો ગુરુપૂજન કરી શકે ? સમાધાન– ન કરી શકે. સામાયિક-પૌષધમાં રહેલ ગૃહસ્થ સાધુ સમાન છે. જેમ સાધુથી દ્રવ્યપૂજા ન થાય તેમ સામાયિક-પૌષધમાં રહેલ ગૃહસ્થથી દ્રવ્યપૂજા રૂપ ગુરુપૂજન ન થાય. શંકા— ૨૯૬. સામાયિક-પૌષધમાં ગુરુપૂજન-જ્ઞાનપૂજન કે પ્રતિમાજીને વાસક્ષેપ પૂજા થઇ શકે ? સમાધાન ન થઇ શકે. સામાયિક-પૌષધમાં ભાવપૂજા જ ક૨વાની હોવાથી ગુરુપૂજન-જ્ઞાનપૂજન કે પ્રતિમાજીને વાસક્ષેપ પૂજા ન થઇ શકે. આ વિષે સેનપ્રશ્ન ગ્રંથમાં ત્રીજા ઉલ્લાસના ૫૧૮ મા For Personal and Private Use Only Jain Educationa International Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શંકા-સમાધાન પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે કે “પોષાતી શ્રાવકોને કપૂર વગેરેથી પુસ્તકપૂજા દ્રવ્યસ્તવ હોવાથી કલ્પ નહિ. ગુરુપરંપરાએ પણ અમોએ તેવું જ જોયું છે. એવી રીતે પોષાતી શ્રાવિકાઓને ગહેલી અને લુંછણાદિક પણ કહ્યું નહિ એમ જાણવું.” શંકા- ર૯૭. સામાયિક-પૌષધમાં આભૂષણ પહેરવા કહ્યું કે નહિ? સમાધાન– સામાયિક-પૌષધમાં શ્રાવકોને આભૂષણો પહેરવા ન કલ્પે. કારણ કે કુંડકોલિક શ્રાવકે સામાયિકમાં મુદ્રિકા ઉતારી અન્ય સ્થાને મૂકી એમ ઉપાશકદશાંગના છઠ્ઠા અધ્યયનમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. (વિ.પ્ર.વિ.૧ પ્ર.૨૧૫) શંકા- ૨૯૮. સામાયિક લેનારા શ્રાવકોએ વીંટી, ચેઇન આદિ પહેરેલા હોય તો “કરેમિ ભંતે” ઉચ્ચરાવી શકાય ? સ્વયં જાતે “કરેમિ ભંતે” ઉચ્ચારી શકે ? સમાધાન– “કરેમિ ભંતે” ન ઉચ્ચરાવી શકાય અને સ્વયં જાતે પણ ન ઉચ્ચારી શકે. કારણ કે સામાયિકમાં સર્વસાવદ્યની ત્યાગની પ્રતિજ્ઞા કરવામાં આવે છે. આભૂષણો પરિગ્રહ રૂપ હોવાથી સાવદ્ય છે. આથી જ શાંતનુ શેઠની કથામાં એવું વર્ણન આવે છે કે શાંતનું શેઠ પ્રતિક્રમણમાં ગળામાંથી મોતીનો હાર કાઢીને બાજુમાં મૂકી દીધો હતો. શંકા- ૨૯૯. સમૂહ સામાયિક કરાવવાનું અનુષ્ઠાન શાસ્ત્રીય છે? કારણ કે તેમાં અનુષ્ઠાન કરાવનારે “પ્રભાવના” સિવાય કંઈ કરવાનું રહેતું નથી. તેથી “સમૂહ સામાયિક કરાવાશે” એ જાહેરાતનો ગર્ભિત અર્થ એ થયો કે “સામાયિક કરે તેને પ્રભાવના અપાશે.' જયારે બીજા કોઈ પણ અનુષ્ઠાનમાં આયોજકે મુખ્યપણે કંઈક કરવાનું રહે છે. જેમ કે તપ કરાવે તો પારણાદિની વ્યવસ્થા કરવી. ઉપધાન કરાવે તો રહેવા-જમવા-મંડપાદિની વ્યવસ્થા કરવી. ત્યાં સર્વત્ર પ્રભાવના' ગૌણભાવે હોય છે. જ્યારે સમૂહ સામાયિક કરાવવામાં માત્ર પ્રભાવના જ કરવાની રહે છે. કટાસણાદિની વ્યવસ્થા નહીં. તો આવું અનુષ્ઠાન શાસ્ત્રવિહિત ગણી શકાય ? Jain Educationa International For Personal and Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન સમાધાન– ભૌતિક આશંસાથી કરાતી ક્રિયાને મહાપુરુષોએ દ્રવ્યક્રિયા કહી છે. આથી ગુરુવંદન ભાષ્યમાં પાલકના વંદનને દ્રવ્યનંદન કહ્યું છે. દ્રવ્યનંદનના બે પ્રકાર છે. પ્રધાન દ્રવ્યવંદન અને અપ્રધાન દ્રવ્યવંદન. જે દ્રવ્યવંદન ભાવવંદનનું કારણ બને તે પ્રધાન દ્રવ્યવંદન છે. જે દ્રવ્યવંદન ભાવવંદનનું કારણ ન બને તે અપ્રધાન દ્રવ્યવંદન છે. આ નિયમ કોઇ પણ ધર્મક્રિયામાં ઘટી શકે. શાસ્ત્રકારોએ પ્રધાન દ્રવ્યનંદનને ઉપાદેય ગણ્યું છે. મુગ્ધ જીવો ભૌતિક આશંસાથી તપ વગેરે કરે તો તે પ્રધાન દ્રવ્ય તપ ગણાય. આ વિષે તપ પંચાશકમાં કહ્યું છે કે- કોઇક નવા અભ્યાસી જીવો એવા હોય છે કે, જે પ્રારંભમાં અભિષંગવાળા અનુષ્ઠાનમાં પ્રવર્તે છે, અર્થાત્ અભિષ્યંગથી સંસારસુખના રાગ આદિથી અનુષ્ઠાનમાં જોડાય છે પણ પછી (મોક્ષ આદિનું જ્ઞાન થતાં) અભિષ્યંગ રહિત અનુષ્ઠાન પામે છે. આથી તેવા જીવોને આ તપ મોક્ષમાર્ગ પમાડનાર બને છે. આથી જ મુગ્ધ જીવોને મોક્ષમાર્ગમાં જોડવા માટે મહાપુરુષોએ સર્વાંગસુંદર, નિરુજસુખ, પરમભૂષણ વગેરે તપો કહ્યા છે. આ તપો નવા અભ્યાસી જીવોની યોગ્યતાનુસાર મોક્ષમાર્ગના સ્વીકારનું કારણ બને છે. મોક્ષમાર્ગના સ્વીકા૨નું કારણ વ્યવહારથી મોક્ષમાર્ગ છે. ૧૩૯ જે તપથી સર્વ અંગો સુંદર થાય તે સર્વાંગસુંદર તપ. જે તપનું મુખ્ય ફલ રોગનાશ છે તે નિરુજસુખ તપ. જે તપથી ઉત્તમ આભૂષણો મળે તે પરમભૂષણ તપ. મુગ્ધ જીવો તપના આવા ફળને સાંભળીને તપ કરવા પ્રેરાય છે પછી ગુરુનો યોગ થતાં તપ શા માટે કરવો જોઇએ વગેરે જાણીને મોક્ષ માટે જ તપ કરનારા થાય છે. આ ષ્ટિએ સમૂહ સામાયિક કરાવવામાં બાધ નથી. આમ છતાં વ્યાખ્યાનમાં સામાયિક શા માટે કરવું જોઇએ વગેરે સમજાવતા રહેવું જોઇએ. એમ સાંભળતાં સાંભળતાં યોગ્ય જીવો સમૂહ સામાયિકમાં આવશે, પણ પ્રભાવના માટે નહિ કિંતુ, કર્મક્ષય માટે આવશે. એટલે આપણે(=સાધુઓએ) એનો વિરોધ ન કરવો જોઇએ. તેમ સમૂહ For Personal and Private Use Only Jain Educationa International Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૪) શંકા-સમાધાન સામાયિક કરાવવાની પ્રેરણા પણ ન કરવી જોઈએ. મુગ્ધ જીવો સમૂહ સામાયિક કરાવે અને આપણે તે માટે પ્રેરણા કરીને તેમાં ભેદ છે. શંકા- ૩૦૦. સામાયિક પારતી વખતે મુઠ્ઠી વાળવી કે હથેળી ખુલ્લી રાખવી ? સમાધાન- હથેળી ખુલ્લી રાખવી. શંકા- ૩૦૧. પૌષધ અને સામાયિકમાં રહેલ શ્રાવક-શ્રાવિકાઓ પ્રભાવના તરીકે અપાતા પૈસાને હાથમાં લઈ શકે ? સમાધાન- હાથમાં ન લઈ શકે. આ માટે પૈસાની પ્રભાવના કરનારે બીજી કોઈ વ્યવસ્થા કરવી જોઇએ, જેથી સામાયિક-પૌષધ પાર્યા પછી એ પ્રભાવના સામાયિક પૌષધવાળાને મળી જાય. શંકા- ૩૦૨. મંડળની બહેનો સામાયિક પૌષધમાં મંડળના પૈસાનો હિસાબ કિતાબ કરી શકે કે નહિ ? સમાધાન ન કરી શકે. શંકા- ૩૦૩. સામાયિક-પ્રતિક્રમણ-પૌષધમાં શ્રાવક શિયાળામાં માથે મફલર બાંધેલું રાખી શકે ? સમાધાન– અનિવાર્ય શારીરિક કારણે અનિવાર્ય હોય તો રાખી શકે. બાકી કાઢી શકાય એવું હોય તો કાઢી નાખવું જ જોઇએ. પૌષધ સંબંધી શંકા-સમાધાન શંકા– ૩૦૪. સવારનો પૌષધ લેવા માટે સમયનું ચોક્કસ વિધાનશું? સમાધાન- સવારનો પૌષધ લેવા માટે “મોડામાં મોડો સૂર્યોદય પહેલાં પૌષધ લઈ લેવો જોઇએ” એ સમયનું ચોક્કસ વિધાન છે. આથી જ સૂર્યોદય પછી પૌષધ લેવામાં અતિચાર લાગે. આથી જ અતિચારમાં આવે છે કે પૌષધ અસૂરો લીધો સવેરો પાર્યો. અહીં અસૂરો એટલે સૂર્યોદય પછી. સવેરો એટલે સૂર્યોદય પહેલાં. શંકા- ૩૦૫. પૌષધ લેનારી બહેનોએ જાતે પૌષધ ઉચ્ચરીને પડિલેહણ-દેવવંદન-સજઝાય કરીને ગુરુને વંદન કરવા આવે ત્યારે ગુરુની પાસે ફરી પૌષધ ઉચ્ચારવો, પડિલેહણના આદેશ માગવા, Jain Educationa International For Personal and Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૪૧ સજઝાય કરવી, રાઇ મુહપત્તિ કરવી. આ બધું અવશ્ય કરવું જોઇએ કે ન કરે તો ચાલે ? સમાધાન- અનુકૂળતા હોય તો આ બધું કરવું જોઇએ. શંકા- ૩૦૬. સવારે સામાયિક લીધા પછી પૌષધ કરવાની ભાવના થઈ તો એ સામાયિકમાં જ પૌષધ લેવાય કે સામાયિક પારી પૌષધ લેવાય ? સમાધાન- લીધેલ સામાયિક પાર્યા વિના પણ પૌષધ લઈ શકાય. શંકા- ૩૦૭. પોષાતી પ્રથમ દર્શન કરવા જાય કે પ્રથમ ગુરુવંદન કરે ? સમાધાન- સાધુ કે શ્રાવક સવારનું પ્રતિક્રમણ કરે છે તેમાં ગુરુવંદન આવે છે. દર્શન કરવા પડી જાય છે. આ દૃષ્ટિએ વિચારતાં પહેલાં ગુરુવંદન કરવું જોઇએ. તેમાં પણ વર્તમાનમાં પોષાતીઓ રાઈ મુહપત્તિ કરે છે. રાઈ મુહપત્તિ કરવાથી ગુરુની સાક્ષીએ સંક્ષિપ્ત પ્રતિક્રમણ થાય છે. આ દષ્ટિએ વર્તમાનમાં પોષાતીઓ માટે દેવવંદન કરીને સજઝાય કર્યા પછી તુરત રાઈ મુહપત્તિ કરવાનો વિધિ છે. રાઈ મુહપત્તિ કર્યા પછી બધા સાધુઓને વંદન કરે અને પછી જિનમંદિરે જિનદર્શન-ચૈત્યવંદન કરવા જાય. શંકા- ૩૦૮. પૌષધમાં એકાસણું કરનારને પર્વતિથિ સિવાય લીલું શાક કહ્યું કે નહિ ? સમાધાન- પૌષધમાં પર્વતિથિ સિવાય પણ લીલું શાક ન કલ્પે. (વિવિધ પ્રશ્નોત્તર ભાગ-૧ પ્રશ્ન-૨૫) શંકા- ૩૦૯. સંધ્યા સમયે જે શ્રાવક શ્રાવિકા રાત્રિ પૌષધ અંગીકાર કરે તે પૌષધ ઉચ્ચર્યા પછી પાણી વાપરી શકે ? સમાધાન– સવારે દિવસનો પૌષધ કર્યો હોય અને બપોરે ભાવની વૃદ્ધિ થતા જો રાત્રિ પૌષધ અંગીકાર કરે અથવા સવારે પૌષધ ન કર્યો હોય અને સાંજે જ રાત્રિ પૌષધને અંગીકાર કરે તેઓ રાત્રિ પૌષધ લીધા પછી પાણી વાપરી શકે નહિ. કારણ કે રાત્રિનો પૌષધ કરનારને પૌષધ વ્રતનો જે પાઠ ઉચ્ચરાવવામાં આવે છે, તેમાં Jain Educationa International For Personal and Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન “આહારપોસહં સવ્વઓ એમ સર્વથા આહારનું પચ્ચક્ખાણ કરાવવામાં આવે છે. (વિ.પ્ર.વિ.૧ પ્ર.૨૪૨) ૧૪૨ શંકા— ૩૧૦. “પૌષધ લીધા પહેલાં જિનપૂજા કરી શકાય તો કરી લેવી” એમ મહેસાણાની શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા સંસ્થા તરફથી પ્રકાશિત થયેલા શ્રી પંચપ્રતિક્રમણ સૂત્ર પુસ્તક (પૃ. ૪૮૦)માં છે. તો આ બરાબર છે ? શું આ વાસક્ષેપપૂજાની અપેક્ષાએ સમજવું ? સમાધાન– પૌષધ લીધા પહેલાં જિનપૂજા કરવાનો વિધિ પ્રતિમાધારી શ્રાવક માટે જ છે, તે સિવાયના શ્રાવકો માટે નથી. આથી “પૌષધ લીધા પહેલાં જિનપૂજા કરી શકાય તો કરી લેવી.” એ લખાણ બરોબર નથી. પ્રતિમાધારી માટે આ વાત ઘટી શકે. બાકી પ્રતિમાધારી શ્રાવક સિવાયના શ્રાવકો માટે પૌષધ લેતા પહેલાં વાસક્ષેપ પૂજા કરવાનો પણ વિધિ નથી. પૌષધ સૂર્યોદય પહેલાં લેવાનો વિધિ છે અને વાસક્ષેપપૂજા સૂર્યોદય પછી કરવાનો વિધિ છે. આથી આ બંનેનો મેળ બેસી શકે નહિ. શંકા— ૩૧૧. પૌષધમાં મધ્યાહ્નનું દેવવંદન દહેરાસરમાં કરવામાં આવે તો તે પહેલાં કે પછી ચૈત્યવંદન કરવું તેવી વિધિ છે ? સમાધાન– પૌષધમાં મધ્યાહ્નનું દેવવંદન દહેરાસરમાં કરવામાં આવે તો તે પહેલાં કે પછી ચૈત્યવંદન કરવું તેવી વિધિ નથી. શંકા- ૩૧૨. પોસાતીએ પ્રહર અથવા દોઢ પ્રહર દિવસ ચડે ત્યારે દેરાસરમાં જઇ દેવવંદન કર્યા હોય, તો તેઓને કાળવેળાએ ફરી દેવવંદન કરવું પડે કે નહિ ? સમાધાન જેણે અકાળે દેવવંદન કર્યું હોય, તેણે કાળ વેળાએ ફરી દેવવંદન કરવા જોઇએ. કેમ કે કાળ વેળાનું કાર્ય કાળ વેળાએ જ કરવું જોઇએ. પરંપરા પણ એ જ દેખાય છે. આજે અશક્ત બાળક વગેરેને વહેલા દેવવંદન કરાવીને વાપરવા બેસાડી દેવામાં આવે છે, તે આપવાદિક સમજવું. For Personal and Private Use Only Jain Educationa International Page #206 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૪૩ શંકા- ૩૧૩. “મન્નત જિણાણે”ની સજઝાય પૌષધમાં બોલવામાં આવે છે. ત્યારે ખેસ ઓઢવામાં આવતો નથી. તેમાં કોઈ હેતુ છે? સમાધાન- શરીર ઉપર શ્રાવકો પૌષધમાં જે રીતે ખેસ પહેરે છે તે જ રીતે સાધુઓએ કપડો (વર્તમાનમાં પાંગરણી) પહેરવાનો છે. હવે મકાનમાં કોઈ પણ ક્રિયા સાધુઓએ કપડાં પહેર્યા વિના જ કરવાની છે. કપડાનો ઉપયોગ બહાર જતાં કે દહેરાસર જતાં કરવાનો છે. આથી સ્વાધ્યાય પણ કપડાં પહેર્યા વિના કરવાનો છે. આના અનુકરણ રૂપે શ્રાવકો પૌષધમાં “મન્નત જિણાણે” સજઝાય બોલે ત્યારે ખેસ પહેરતા નથી એવી આચરણા છે. શંકા- ૩૧૪. પોષાતી શ્રાવક કોઈ પણ બોલીની ઉછામણી બોલી શકે ? સમાધાન– પૌષદમાં પરિગ્રહનો ત્યાગ કર્યો હોવાથી બોલીની ઉછામણી બોલી શકાય નહિ. આમ છતાં કોઈ કોઈ શ્રાવક બોલી ન બોલવી પડે એવા આશયથી સામાયિક-પૌષધમાં બેસી જાય એવું બને છે. આથી વર્તમાનમાં સામાયિક પૌષધમાં બોલીની ઉછામણી બોલવાની આચરણા જોવામાં આવે છે. શંકા- ૩૧૫. શ્રદ્ધાળુ શ્રાવિકાઓ પૌષધમાં ગહુંલી કરી શકે ? સમાધાન– ન કરી શકે. શંકા- ૩૧૬. પોષાતી બહેનો રસ્તામાં ગીત ગાતી ઉપાશ્રય વગેરે સ્થળે જઈ શકે ? સમાધાન ન જઈ શકે. રસ્તામાં ચાલતાં ચાલતાં બોલવાનો પણ નિષેધ છે, તો ગીત ક્યાંથી ગવાય ? પોસાતીઓએ પણ ચાલવામાં પગ નીચે કોઈ જીવો ચગદાઈને મરી ન જાય, તેનો ઉપયોગ રાખવો જોઈએ, ગીત ગાતા ગાતા જાય તો આમાં ઉપયોગ ક્યાંથી રહે? શંકા- ૩૧૭. પૌષધ વગેરેમાં પુરુષને માટે સ્ત્રીનો પરંપર સંઘટ્ટો પણ ત્યાજય છે. અહીં પરંપર સંઘટ્ટાની શી વ્યાખ્યા ? સમાધાન- સ્ત્રી અને પુરુષની વચ્ચે બે પુરુષ હોય ત્યાં સુધી પરંપર સંઘટ્ટો ગણાય, બેથી વધારે હોય તો પરંપર સંઘટ્ટો ગણાતો Jain Educationa International For Personal and Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શંકા-સમાધાન નથી. આમ સેનપ્રશ્ન ઉલ્લાસ ૨, પ્રશ્ન ૩૦૬માં કહ્યું છે. અન્ય ગ્રંથોમાં હસ્તાદિશરીરનો સ્પર્શ એ અનંતર સંઘટ્ટો છે અને વસ્ત્રનો સ્પર્શ એ પરંપર સંઘટ્ટો છે એમ કહ્યું છે. શંકા- ૩૧૮. શ્રાવકો ઉપધાનમાં મહાનિશીથ યોગવાળા પાસેથી આદેશ મળે પછી જ પોષહ આદિ વિધિ કરી શકે, એમ ચાલુ પૌષધમાં પણ ગુરુ મહારાજ પાસેથી આદેશ મળ્યા બાદ જ આગળ વધી શકાય એવો નિયમ ખરો ? સમાધાન– ચાલુ પૌષધમાં પણ શક્ય હોય તો ગુરુ મહારાજ પાસેથી બધા આદેશો મેળવીને જ પૌષધ-પડિલેહણ વગેરે કરવું જોઈએ. આમ છતાં સાધુ મહારાજ ઓછા હોય અને પૌષધ લેનારા ઘણા હોય, એમાં પણ શ્રાવકો છૂટા છૂટા આવે અથવા સાધુઓ ઉપરના હોલમાં અને શ્રાવકો નીચેના હોલમાં હોય, ઈત્યાદિ સંયોગોમાં શ્રાવકો પોતાની મેળે પોષણ ઉચ્ચારી લે, પડિલેહણદેવવંદન કરી લે. પછી બધા ભેગા થઈને ગુરુ માની પાસે પહેલાં પૌષધના આદેશ માગે, પછી પડિલેહણના આદેશ માગે, પછી રાઈ મુહપત્તિ કરે. આટલું પણ શક્ય ન બને તો એક પૌષાતી પડિલેહણ આદિ ક્રિયા કરતાં પહેલાં ગુરુ મ. પાસે જઈને સાહેબ પડિલેહણ કરીએ છીએ, સાહેબ ! પચ્ચક્ખાણ પારીએ છીએ એમ આદેશ માગે, પછી બધા પડિલેહણ વગેરે ક્રિયા કરે તો ચાલે. ઉપધાનના પૌષધમાં અને ચાલુ પૌષધમાં ઘણો ફરક છે. ઉપધાનના પૌષધ ગુરુ મ.ની નિશ્રા વિના ન જ થઈ શકે, જ્યારે ચાલુ પૌષધ ગુરુ મ.ની નિશ્રા વિના પણ થઈ શકે. પૂર્વે આનંદ વગેરે શ્રાવકો ગુરુ મ.ની નિશ્રા વિના પણ પૌષધ કરતા હતા, વર્તમાનમાં પણ વિરતિપ્રિય શ્રાવકો ગુરુ મ.ની નિશ્રા વિના પૌષધ કરે છે. આનો સાર એ છે કે શક્ય હોય તો ગુરુ મ. પાસે આદેશો લે અને શક્ય ન બને તો ઉપર કહ્યું તેમ કરે. શંકા- ૩૧૯. પોષાતીએ સવારે પ્રતિક્રમણમાં બહુવેલના બે આદેશ માગ્યા હોય તો પણ સજઝાય પછી વડીલને વંદન કરતાં Jain Educationa International For Personal and Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૪૫ બહુવેલના બે આદેશ માગવા અનિવાર્ય ખરા ? જો અનિવાર્ય ન હોય તો સાધુ બહુવેલના આદેશ ફરી કેમ માંગે છે ? સમાધાન પોષાતીએ સવારે પ્રતિક્રમણમાં ગુરુભગવંતની પાસે બહુવેલના બે આદેશ માગ્યા હોય તો સજ્ઝાય પછી વડીલને વંદન કરતા એ આદેશો માગવાની જરૂર નથી. સાધુઓએ પણ ગુરુ સમક્ષ એ આદેશ માગ્યા હોય તો ફરી માગવાની જરૂર નથી. કેવળ સ્થાપનાચાર્ય સમક્ષ માગ્યા હોય તો ગુરુ સમક્ષ માગવા જરૂરી છે. પ્રતિક્રમણ સંબંધી શંકા-સમાધાન શંકા- ૩૨૦. સવારે ઊઠી તુરત નાહીને પૂજા સેવા કર્યા પછી પ્રતિક્રમણ થઇ શકે ? સમાધાન– પૂજા કર્યા બાદ પ્રતિક્રમણ ન થઇ શકે. કેમ કે શાસ્ત્રમાં પ્રતિક્રમણ કર્યા પછી પૂજા કરવાનું વિધાન છે. શંકા—૩૨૧. ૨ાઇ વગેરે પાંચ પ્રતિક્રમણનો વિધિ પુસ્તકમાં જોવામાં આવે છે, પણ માંગલિક પ્રતિક્રમણનો વિધિ ગુરુગમથી જાણવો પડે છે. એ વિધિ કોઇ પણ પુસ્તકમાં કેમ નથી ? સમાધાન– માંગલિક પ્રતિક્રમણનો વિધિ ગુરુગમથી જણાઇ આવતો હોવાથી પુસ્તકમાં લખાતો નથી. આમ છતાં પુસ્તકમાં લખાય તો વધારે સારું થાય. આમાં બહુ ફેરફારને અવકાશ ન હોવાથી અને સહેલાઇથી સમજી શકાય એવો હોવાથી પુસ્તકમાં છપાતો નથી. શંકા— ૩૨૨. પ્રતિક્રમણ કેટલા સમયમાં પૂરું કરવું એવો નિયમ નથી, પણ સામાયિકનો સમય ૪૮ મિનિટથી ઓછો ન હોવો જોઇએ. ઝડપથી બોલનારની પ્રતિક્રમણની વિધિ ૪૮ મિનિટ પહેલાં પૂરી થઇ જાય. એના માટે સામાયિકનો સમય પૂરો કરવા માટે સવારના પ્રતિક્રમણમાં છેલ્લા બે ચૈત્યવંદન ઉમે૨વામાં આવ્યા છે. સાંજના પ્રતિક્રમણમાં સઝાય વગેરે ઉમેરવામાં આવ્યું છે. હવે પ્રશ્ન એ છે કે ધીરેથી બોલનારનો ૪૮ મિનિટનો સમય ઉમેરેલી વિધિ For Personal and Private Use Only Jain Educationa International Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શંકા-સમાધાન વિના જ પૂરો થઈ જતો હોય તો સમય પૂરો કરવા ઉમેરેલી વિધિ ન કરે તો ચાલે કે કેમ ? સમાધાન– અહીં પહેલી વાત એ છે કે પ્રતિક્રમણમાં પાછળથી વિધિ ઉમેરાઈ છે તે બધી જ વિધિ સમય પૂરો કરવા માટે જ ઉમેરાઈ છે એવો નિયમ નથી. કોઈક વિધિ શાસ્ત્રવિધિનું પાલન કરવા માટે, કોઇક વિશેષ આરાધના માટે, કોઇ વિધિ સમય પૂરો કરવા માટે, એમ અનેક કારણથી વિધિઓનો ઉમેરો થયો છે. ગમે તે કારણથી ઉમેરો થયો હોય, પણ જે વિધિને ગીતાર્થ પૂર્વાચાર્યોએ માન્ય કરી હોય તે વિધિનું બધાએ પાલન કરવું જોઇએ. ગીતાર્થ પૂર્વાચાર્યોએ જે આચર્યું હોય તે પણ જિનાજ્ઞારૂપ છે. જેમ શાસ્ત્રમાં જે વિધિ કહી છે તે જિનાજ્ઞારૂપ છે, તેમ ગીતાર્થ પૂર્વાચાર્યોએ જે વિધિનું આચરણ કર્યું હોય તે વિધિ પણ જિનાજ્ઞારૂપ છે એમ અનેક ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે. આ વિષે ચૈત્યવંદન મહાભાષ્યમાં કહ્યું છે કે- “અજ્ઞાત મૂળવાળી, હિંસાથી રહિત, શુભધ્યાનને ઉત્પન્ન કરનારી અને આચાર્યોની પરંપરાથી પ્રાપ્ત થયેલી આચરણા સૂત્રની જેમ પ્રમાણ છે.” અહીં અજ્ઞાતમૂળ વાળી એટલે ક્યારથી શરૂ થઈ અને કોણે શરૂ કરી તે જાણવામાં ન આવ્યું હોય તેવી. તેથી વર્તમાનમાં પ્રસિદ્ધ પ્રતિક્રમણની વિધિ પૂર્વાચાર્યોની પરંપરાથી પ્રાપ્ત થયેલી આચરણારૂપ હોવાથી બધાએ કરવી જ જોઈએ. જો ન કરે તો જિનાજ્ઞાભંગનો દોષ લાગે. માટે ધીરેથી બોલનારનો સામાયિકનો ૪૮ મિનિટનો સમય ઉમેરેલી વિધિ વિના જ પૂરો થઈ જતો હોય તો પણ ઉમેરેલી વિધિ કરવી જ જોઈએ. શંકા- ૩૨૩. એક બાજુ એમ કહેવાય છે કે “ભગવાને કહેલું જ અમે કહીએ છીએ. અમારા પોતાના મત મુજબનું કાંઈ જ કહેતા નથી. તો પછી એમની રચનાઓમાં ઉમેરો કરવો એ પોતાનો મત ગણાય કે નહિ ? સમાધાન– શાસ્ત્રમાં પાંચ પ્રકારના વ્યવહાર કહ્યા છે. તેમાં જીતવ્યવહાર આવે છે. જીત એટલે સંવિગ્ન ગીતાથએ પ્રવર્તાવેલો Jain Educationa International For Personal and Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૪૭ શુદ્ધ વ્યવહાર, અર્થાત્ સંવિગ્ન ગીતાથએ જે આચર્યું હોય તે જીત છે. આથી જીત–આચરણરૂપ શાસ્ત્રરૂપ છે. આ અંગે પંચવસ્તુક ગ્રંથમાં કહ્યું છે કે “ગીતાર્થો કોઈ કારણસર અલ્પદોષવાળું અને ઘણા ગુણવાળું જે કંઈ આચરે તે જિનમતાનુસારી સર્વસાધુઓને પ્રમાણ જ હોય છે.” આ વિષે બૃહત્કલ્પમાં પણ કહ્યું છે કે- “અશઠ (રાગ-દ્વેષથી રહિત) એવા પ્રામાણિક કોઈ ગીતાર્થે કોઈ તેવા પુષ્ટ કારણે સ્વભાવથી અસાવદ્ય(=પાપથી રહિત) એવું જે કંઈ આચરણ કર્યું હોય અને યોગ્ય હોવાથી જ તેનો અન્ય ગીતાથએ નિષેધ ન કર્યો હોય તે આચરણા કહેવાય. આ આચરણા ઘણાઓને સંમત હોય.” આથી પ્રતિક્રમણની વિધિમાં થયેલા ઉમેરા ગીતાથએ કરેલા છે અને અન્ય ગીતાર્થોએ તેનો નિષેધ કર્યો નથી. આથી એ ઉમેરા ઉમેરો કરનારનો પોતાનો મત નથી, કિન્તુ શાસ્ત્રનો મત છે, એ આચરણાના લક્ષણ ઉપરથી સિદ્ધ થાય છે. આથી વર્તમાનમાં પ્રસિદ્ધ પ્રતિક્રમણની વિધિ નિર્દોષ છે. એમાં આપણે જરા પણ ફેરફાર ન કરવો જોઇએ. શંકા- ૩૨૪. પાક્ષિક અતિચાર કોઈને ન આવડતા હોય, તો વંદિતુ સૂત્ર બોલે. તો તે વંદિતુ સૂત્ર આખું બોલવાનું કે શું ? સમાધાન- સંપૂર્ણ વંદિતુ સૂત્ર બોલવાની પ્રથા છે. પણ નવકાર, કરેમિ ભંતે અને ઇચ્છામિ પડિક્કમિઉં જો મે દેવસિઓ એ ત્રણ સૂત્રો બોલ્યા વિના સીધું જ વંદિતુ સૂત્ર બોલવાની પ્રથા છે. શંકા- ૩૨૫. પાઠશાળાના શિક્ષક ઉંમરે નાના હોય, તો પણ જયારે ભણાવે ત્યારે ગુરુ કહેવાય. પણ સર્વ સાથે પ્રતિક્રમણ કરતા હોય, ત્યારે શ્રાવક કહેવાય કે નહિ? માટે બીજાઓને-મોટી ઉંમરની વ્યક્તિઓને એ આદેશ આપી શકે કે કેમ ? સમાધાન- સાધુ વિના એકલા શ્રાવકો પ્રતિક્રમણ કરતા હોય, ત્યારે જે વૃદ્ધ-વડીલ હોય, તે બીજાઓને સૂત્રો બોલવાના આદેશો આપે એવી પ્રણાલિકા છે અને તે બરોબર છે. એટલે નાની ઉંમરના શિક્ષક આદેશ ન આપે અને વડીલ આદેશ આપે, એ ઉચિત છે. Jain Educationa International For Personal and Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શંકા-સમાધાન જો નાની ઉંમરના શિક્ષક આ રીતે વડીલને માન આપે, તો તે વડીલ વગેરેના પ્રેમનું સંપાદન કરે અને પાઠશાળાના વિદ્યાર્થીઓને પણ વિનય કરવાનો બોધપાઠ આપી શકે. આ રીતે માન્ય પુરુષોને માન આપનાર શિક્ષક સૌને પ્રિય બનીને પ્રગતિ સાધી શકે છે. શંકા- ૩૨૬. પ્રતિક્રમણ પૂરું થયા પછી સામાયિક પૂર્ણ થવામાં ૫ થી ૭ મિનિટની વાર હોય, તો એ સમયમાં શું કરવું ? અને શું ન કરવું ? સમાધાન- એ સમયમાં નમસ્કાર મંત્રનો જાપ, સ્વાધ્યાય, ધ્યાન વગેરે થઈ શકે. નિરર્થક વાતો વગેરે ન કરાય. શંકા- ૩૨૭. સ્નાતસ્યા સ્તુતિ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજાના કૃતજ્ઞ શિષ્ય બાલચંદ્ર બનાવી છે. પ્રથમ સંઘે તે સ્તુતિ માન્ય કરી ન હતી. પણ બાલચંદ્ર કાળ કરીને વ્યંતર થવાથી તેણે સંઘને ઉપદ્રવ કર્યો. તેથી અવિરુદ્ધ વચન હોવાથી સંઘે માન્ય રાખીને પખી આદિ પ્રતિક્રમણમાં દાખલ કરી. અહીં અવિરુદ્ધ વચન એટલે શું ? સમાધાન– અવિરુદ્ધ વચન એટલે શાસ્ત્રથી વિરુદ્ધ ન હોય તેવું વચન. એ થોયમાં શાસ્ત્રથી વિરુદ્ધ કશું કહેવામાં આવ્યું નથી. શંકા- ૩૨૮. આપણે વ્યંતરના ઉપદ્રવથી ડરીને સ્નાતસ્યા) થોયને પફખી આદિ પ્રતિક્રમણમાં દાખલ કરી. તો શું આપણે એટલા ડરપોક હતા ? સમાધાન– કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજના બાલચંદ્ર નામના શિષ્ય વ્યંતર થયા અને શ્રીસંઘને ઉપદ્રવ કરવા માંડ્યા. તેથી આ સ્તુતિ શ્રીસંઘે પફખી આદિ પ્રતિક્રમણમાં બોલવાનું સ્વીકાર્યું એ માત્ર કિંવદત્તી છે. કિંવદત્તી સત્ય જ હોય એવો નિયમ નથી. તેરમી સદીમાં એક બીજા પણ બાલચંદ્રસૂરિ થયા છે કે જેઓ અનેક મહાકાવ્ય-પ્રબંધોના કર્તા અને સમર્થ કવિ હતા. તેથી આ સ્તુતિના કર્તા તેરમી સદીમાં થયેલા બાલચંદ્રસૂરિ કેમ ન હોય ? (જુઓ પ્રબોધ ટીકા ભાગ ત્રીજો પૃષ્ઠ ૨૧૫) Jain Educationa International For Personal and Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૪૯ કદાચ માની લઇએ કે આ કિંવદન્તી સાચી હોય. તો પણ આનું સમાધાન આ પ્રમાણે છે- દરેક જીવમાં પ્રબળ સત્ત્વ ન હોય. એક ત૨ફ ધર્મ ક૨વાની તીવ્ર ભાવના હોય, તો બીજી તરફ પ્રબળ સત્ત્વ ન હોય એવું બને. આવા સંયોગમાં દેવ વગેરે તરફથી ઉપદ્રવ થાય તો જીવ સમાધિ ન ટકાવી શકે. આથી જીવ કાં તો ધર્મને છોડી દે અને કાં તો અસમાધિથી દુર્ગતિમાં જાય. આવું ન બને એટલા જ માટે જ્ઞાનીઓએ સમ્યક્ત્વના સ્વીકારમાં છ જયણા જણાવી છે. આથી ઉપદ્રવના કા૨ણે શ્રીસંઘે આ સ્તુતિનો સ્વીકાર કર્યો હોય તો પણ તેમાં કશું ખોટું નથી. ઉપદ્રવના કારણે શ્રી સંઘે સ્તુતિનો સ્વીકાર કર્યો તેથી સંઘ ડરપોક હતો એમ કહેવું યોગ્ય નથી. આમ કહેવાથી સંઘની મહા આશાતના થાય. શંકા— ૩૨૯. પક્ષી આદિ પ્રતિક્રમણમાં સકલાર્હત્ સ્તોત્ર કોઇ સાધુઓ સંપૂર્ણ બોલે છે, તો કોઇ સાધુઓ દેવાધિદેવ સર્વજ્ઞ શ્રીવીર પ્રણિદધ્મહે સુધી જ બોલે છે, તથા પ્રતિક્રમણના અંતે કેટલાકો સંતિકર સ્તોત્ર બોલે છે અને કેટલાકો નથી બોલતા, તેનું શું કારણ ? સમાધાન આનું કારણ તે તે સમુદાયની સામાચારી છે. સામાચારીનો ભેદ આરાધનામાં બાધક બનતો નથી. આ વિષે શ્રાદ્ધવિધિ ગ્રંથમાં કહ્યું છે કે, “સ્નાત્ર વગેરેમાં સામાચારીના ભેદથી વિધિમાં પણ વિવિધ પ્રકારનો ભેદ દેખાય છે. તો પણ તેમાં મૂંઝાવું નહિ. કારણ કે અરિહંતની ભક્તિથી સર્વને સામાન્ય મોક્ષફળનું સાધ્ય એક જ છે. વળી ગણધર વગેરેની સામાચારીમાં પણ ઘણા ભેદ હોય છે. આથી જે જે કાર્ય ધર્મથી અવિરુદ્ધ હોય અને અરિહંતભક્તિનું પોષક હોય તે કોઇ આચાર્યને અસંમત નથી. એમ સર્વ ધર્મકર્તવ્યોમાં સમજવું.” આના આધારે એક વાત સ્પષ્ટ થાય છે કે કોઇ સમુદાયમાં પક્ષી આદિ પ્રતિક્રમણ પછી સંતિકરું બોલવાની આચરણા ન હોય તો તેમના ૫૨ સંતિકર બોલવાનું દબાણ કરવામાં આવે તો તે જરાય ઉચિત ન ગણાય. એ જ પ્રમાણે કોઇ સમુદાયમાં નવાંગી પૂજનની For Personal and Private Use Only Jain Educationa International Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શંકા-સમાધાન - - - - શાસ્ત્રસિદ્ધ આચરણા હોય તો તેનો વિરોધ કરવો એ કેટલું વ્યાજબી ગણાય ? એ વિષે સૌને શાંત ચિત્તે વિચારવા ભલામણ છે. શંકા- ૩૩૦. રાઈ પ્રતિક્રમણ આદિ પ્રતિક્રમણની વિધિના રચયિતા કોણ છે ? સમાધાન– રાઇપ્રતિક્રમણ આદિ પાંચે ય પ્રતિક્રમણની વિધિના રચયિતા ગણધર ભગવંતો છે, પણ પાછળથી બહુશ્રુત પૂર્વાચાર્યોની આચરણાથી તેમાં વધારો થયો છે અને ફેરફાર પણ થયો છે. પંચવટુક ગ્રંથમાં સાધુઓના દેવસિક પ્રતિક્રમણનો પ્રારંભ વર્તમાનમાં આપણે ઠાવ્યા પછી જે કરેમિ ભંતે બોલીએ છીએ તે કરેમિ ભંતે સૂત્રથી થાય છે અને નમોડસ્તુવર્ધમાનાય સ્તુતિ બોલાયા પછી પૂર્ણ થાય છે. રાઈ પ્રતિક્રમણ પણ કરેમિ ભંતે સૂત્રથી શરૂ થાય છે અને વિશાલલોચન સૂત્ર બોલાયા પછી પૂર્ણ થાય છે. યોગશાસ્ત્ર વગેરે ગ્રંથોમાં શ્રાવકના વિસિક પ્રતિક્રમણનો પ્રારંભ વર્તમાનમાં આપણે દેવવંદન કરીએ છીએ ત્યાંથી થાય છે અને દેવસિઅ પ્રાયશ્ચિત્તના ચાર લોગસ્સના કાયોત્સર્ગ પછી પૂર્ણ થાય છે. સવારનું રાઇપ્રતિક્રમણ ઠાવવાની વિધિથી શરૂ થાય છે અને દેવવંદન થયા પછી પૂર્ણ થાય છે. આ સિવાય જે કોઇ વિધિ વર્તમાનમાં કરવામાં આવે છે તે બહુશ્રુતોની પરંપરાથી આવેલી આચરણારૂપ છે. પકુખી આદિ ત્રણ પ્રતિક્રમણમાં પણ ઘણો વિધિ બહુશ્રતોની પરંપરાથી કરવામાં આવે છે. બહુશ્રુતોની પરંપરાથી આવેલી આચરણા પણ જિનાજ્ઞા સ્વરૂપ છે. જેમ સાક્ષાત્ શાસ્ત્રમાં લખેલું હોય તે જિનાજ્ઞા સ્વરૂપ છે તેમ બહુશ્રુતોની આચરણાથી આવેલું પણ જિનાજ્ઞા સ્વરૂપ છે. બહુશ્રુતોની પરંપરાથી આવેલી આચરણાનું મહત્ત્વ જણાવતાં ચૈત્યવંદન મહાભાષ્યની ગાથા ૨૨ વગેરેમાં કહ્યું છે કે, “મૂળશ્રુત (લગભગ બધું) નાશ પામ્યું છે. હમણાં ધારણ કરવામાં આવતું શ્રુત બિંદુ પ્રમાણ છે. આથી સર્વ કાર્યોમાં પરમાર્થ આચરણાથી જણાય છે. સૂત્રના વિરહમાં પણ બહુશ્રુતોની પરંપરાથી પ્રાપ્ત થયેલી આચરણા Jain Educationa International For Personal and Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૫૧ ધારણ કરાય છે. સારી આંખોથી જે જોયેલું હોય તે દીપક બુઝાઇ જાય તો પણ જણાય છે=દેખાય છે. તેથી અજ્ઞાતમૂળવાળી, હિંસાથી રહિત, શુભધ્યાનને ઉત્પન્ન કરનારી અને (બહુશ્રુત) આચાર્યોની પરંપરાથી પ્રાપ્ત થયેલી આચરણા સૂત્રની જેમ પ્રમાણ છે.” વર્તમાનમાં પ્રચલિત પ્રતિક્રમણની વિધિમાં કર્યો વિધિ ક્યારથી શરૂ થયો ? કોણે શરૂ કર્યો ? શા માટે શરૂ કર્યો ? એ બધી વિગતો લગભગ જાણવા મળતી નથી. આમ છતાં એ વિધિ હિંસાથી રહિત અને શુભધ્યાનને ઉત્પન્ન કરનારી હોવાથી પ્રમાણ છે. આથી વર્તમાનમાં પ્રતિક્રમણનો જે વિધિ પ્રચલિત છે તેમાં આપણાથી જરા પણ ફેરફાર ન કરાય. જેમ કે સકલતીર્થ સૂત્ર લગભગ ૨૫૦-૩૦૦ વર્ષ પહેલાં જ શરૂ થયું છે. આથી કોઇ એમ કહે કે, આ સૂત્ર ન બોલીએ તો શું વાંધો ? તો કહેવું જોઇએ કે પૂરો વાંધો છે. કેમકે તે સૂત્ર પૂર્વાચાર્યોની પરંપરાથી બોલાતું હોવાથી ન બોલવામાં જિનાજ્ઞાભંગરૂપ દોષ લાગે. તે પ્રમાણે સવારના પ્રતિક્રમણમાં કરવામાં આવતા બે ચૈત્યવંદન વગેરે માટે પણ સમજવું. શંકા- ૩૩૧. પક્ષી પ્રતિક્રમણમાં કેટલેક સ્થળે અજિત-શાંતિની છેલ્લી બે ગાથાઓ શ્રાવકો સમૂહમાં બોલે છે, તો આમાં અવિધિજન્ય દોષ લાગે છે કે નહિ ? સમાધાન– અજિતશાંતિમાં સ્પષ્ટ લખ્યું છે કે સોમનો સન્ત્રર્દિ “બધાએ આ સ્તવ સાંભળવો જોઇએ'. આથી સંપૂર્ણ અજિતશાંતિ બધાએ સાંભળવી જોઇએ, સમૂહમાં ન બોલવી જોઇએ. શંકા- ૩૩૨. સામાયિક આદિમાં શ્રાવકો પોતાના શરીરના માપ કરતાં અતિશય નાના ચરવળા વાપરવા લાગ્યા છે, તો ચરવળા વિના બેઠાં-બેઠાં પ્રતિક્રમણ કરવું એ મોટો દોષ કે રમકડાં જેવા નાના ચરવળાનો ઉપયોગ કરવો એ મોટો દોષ ? સમાધાન– શાસ્ત્રીયવિધિ પ્રમાણે તો દાંડી અને દશીઓ બંને મળીને ૩૨ આંગળ જેટલો ચરવળો હોવો જોઇએ. સાધુઓએ આ Jain Educationa International For Personal and Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શંકા-સમાધાન વિધિ વ્યાખ્યાન આદિમાં સમજાવવી જોઇએ. સાંવત્સરિક પ્રતિક્રમણ પૂર્વે પણ શિષ્ટભાષામાં વિધિનું મહત્ત્વ સમજાવીને આ વાત કરી શકાય. આમ છતાં નાના ચરવળાથી પ્રતિક્રમણ કરે, તો બેઠાં-બેઠાં પ્રતિક્રમણ કરવાની અપેક્ષાએ ઓછો દોષ લાગે. શંકા— ૩૩૩. પક્ષી પ્રતિક્રમણના બદલે દેવસિક પ્રતિક્રમણ થાય ? સમાધાન– ન થાય. શંકા— ૩૩૪. દૈવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક એ પાંચ પ્રતિક્રમણમાંથી કયું પ્રતિક્રમણ ક્યારે કરવાનું હોય છે ? સમાધાન સૂર્ય અર્ધો બુડ્યો હોય ત્યારે શ્રાવક ‘વંદિત્તુ' સૂત્ર આવે તે રીતે દૈવસિક પ્રતિક્રમણ કરે. એક મુહૂર્ત (૪૮ મિનિટ) રાત્રિ બાકી હોય ત્યારે રાત્રિક પ્રતિક્રમણ શ્રાવક શરૂ કરે એમ આત્મપ્રબોધ ગ્રંથની ૮૧મી ગાથાની ટીકામાં જણાવ્યું છે. દૈવસિક અને રાત્રિક પ્રતિક્રમણનો આ સમય ઉત્સર્ગથી સમજવો. અપવાદથી (કોઇ ખાસ કારણે) તો દૈસિક પ્રતિક્રમણનો સમય દિવસના ત્રીજા પ્રહરના પ્રારંભથી અર્ધરાત્રિ સુધીનો જાણવો. રાત્રિક પ્રતિક્રમણ પણ અપવાદથી પાછલી અર્ધરાત્રિથી માંડીને બીજા દિવસના સૂર્યોદય પછીના મધ્યાહ્ન સુધી કરી શકાય. પાક્ષિક પ્રતિક્રમણ દર પખવાડિયાની ચૌદશે સાંજે કરવું જોઇએ. ચાતુર્માસિક પ્રતિક્રમણ કા.સુ.૧૪, ફા.સુ.૧૪ અને અ.સુ.૧૪ ની સાંજે કરવું જોઇએ. સાંવત્સરિક પ્રતિક્રમણ ભાદરવા સુદ ચોથના દિવસે સાંજે કરવું જોઇએ. સાંજે પણ એવા સમયે શરૂ કરવું જોઇએ કે જેથી દૈવસિક પ્રતિક્રમણનું વંદિત્તુ સૂત્ર સૂર્ય અડધો બુડ્યો હોય ત્યારે આવે. આજે મોટા ભાગે પાંચેય પ્રતિક્રમણનો દિવસ બરાબર સચવાતો હોવા છતાં કાળ બરોબર સચવાતો નથી. શંકા ૩૩૫. ચાલુ પ્રતિક્રમણ કરતાં માંગલિક પ્રતિક્રમણમાં શો ફેરફાર છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૫૩ સમાધાન- (૧) સકલકુશલવલ્લી સૂત્ર પછીનું ચૈત્યવંદન શ્રી પાર્શ્વનાથ ભગવાનનું હોવું જોઈએ. (૨) દેવવંદનમાં થાય કલ્યાણ કંદ સૂત્રની બોલાય છે. (૩) નમોડસ્તુ વર્ધમાના સૂત્ર પછી નમુત્થણે સૂત્ર બાદ આવતા સ્તવનના સ્થાને સંતિક સૂત્ર બોલવું જોઇએ. (૪) સજઝાયના સ્થાને “મન્નત જિણાણં' સૂત્ર બોલવું જોઈએ. આટલો ફેરફાર છે. દેવસિક પ્રતિક્રમણ જ માંગલિક હોય છે, રાત્રિક, પ્રતિક્રમણ માંગલિક ન હોય. માંગલિક પ્રતિક્રમણ દર તેરસે અને ભા.સુ.૩ ના દિવસે ચતુર્વિધ સંઘને કરવાનું હોય છે. તદુપરાંત સાધુઓએ વિહારના દિવસે માંગલિક પ્રતિક્રમણ કરવાનું હોય છે. સાધુઓ વિહારના દિવસે માંગલિક પ્રતિક્રમણ કરે ત્યારે તેરસની જેમ માંગલિક પ્રતિક્રમણ કરે અને વધારામાં “સુઅદેવયા' અને “જીસે ખિત્તે સાહૂ એ બે થોયના સ્થાને અનુક્રમે “જ્ઞાનાદિગુણયુતાનાં અને યસ્યાઃ ક્ષેત્ર” એ બે થોય બોલે. શંકા- ૩૩૬. સામાયિક ઉચ્ચરે ત્યારે “છ આવશ્યક'ની વિધિ પૂર્ણ થાય, અર્થાત્ પ્રતિક્રમણ પૂર્ણ થાય ત્યાં સુધી મારે સામાયિકમાં રહેવું એવી ધારણા કરે અને ૪૮ મિનિટ પહેલાં ૨૫-૩૦-૩૫-૪૦-૪૫ મિનિટમાં પ્રતિક્રમણ પૂર્ણ થઈ જાય તો તરત સામાયિક પારી શકાય? સમાધાન ન પારી શકાય. કારણ કે વર્તમાનમાં પૂરી ૪૮ મિનિટ સુધી સામાયિકમાં રહેવાની આચરણા છે. આ આચરણાનો ભંગ કરવાથી જિનાજ્ઞાભંગનો દોષ લાગે. કોઈને યાત્રાદિના પ્રસંગે સમયસર ટ્રેન આદિમાં પહોંચવું જરૂરી હોવાના કારણે પૂરી ૪૮ મિનિટ જેટલો સમય મળી શકે તેમ ન હોય, ત્યારે સામાયિક લીધા વિના પ્રતિક્રમણ કરીને પાંચ આવશ્યક કરી શકે છે. શંકા- ૩૩૭. રાત્રે ત્રણ વાગે ઉઠી ગયા હોઈએ તો તે વખતે રાઈ પ્રતિક્રમણ થઇ શકે ? સમાધાન – વિશિષ્ટ કારણ વિના આટલું વહેલું પ્રતિક્રમણ ન થાય. મુખ્ય વિધિથી તો એક મુહૂર્તન=૪૮ મિનિટ) રાત્રિ બાકી રહે Jain Educationa International For Personal and Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શંકા-સમાધાન ત્યારે રાઇપ્રતિક્રમણ શરૂ કરવાનું વિધાન છે. અપવાદથી તો મધ્યરાત્રિથી આરંભીને બપોરના મધ્યાહ્ન સુધીમાં ગમે ત્યારે રાઇપ્રતિક્રમણ કરી શકાય. આ અપવાદનો ઉપયોગ તો વહેલી સવારે મુસાફરી કરવાની હોય ઇત્યાદિ વિશેષ કારણે જ કરવો જોઈએ, દરરોજ માટે નહિ. શંકા- ૩૩૮. પ્રતિક્રમણ આદિ ક્રિયા કરતી વખતે સૂત્રોમાં વ્યાકરણ શુદ્ધિની આવશ્યકતા ખરી? કેટલાક કહે છે કે અનુસ્વાર, વિસર્ગ, જોડાક્ષરો વગેરેના અર્થઘટનમાં પડવાની જરૂર નથી. ફક્ત ભાવથી ક્રિયા કરવાની જ જરૂર છે. જયારે કેટલાક કહે છે કે સૂત્રો શુદ્ધ ન બોલાય તો દોષ લાગે. સમાધાન- પ્રતિક્રમણ આદિ કોઈ પણ ધર્મક્રિયામાં ભાવ અને વિધિ એ બંનેની જરૂર છે. ધર્મક્રિયામાં ભાવની મુખ્યતા હોવા છતાં વિધિ એ ધર્મક્રિયામાં ભાવોલ્લાસને પ્રગટ કરવાનું મુખ્ય કારણ છે. આથી વિધિ પ્રત્યે બેદરકારી કરનારને તેવો ભાવોલ્લાસ પ્રગટતો નથી. વિધિના પાલન માટે સ્થાન, વર્ણ, અર્થ અને આલંબન એ ચારનું પાલન કરવું જોઇએ. સ્થાન વગેરે ચારને શાસ્ત્રમાં યોગ તરીકે ઓળખવામાં આવે છે. જે મોક્ષની સાથે જોડી આપે તે યોગ. જો કે ભાવ જ મોક્ષની સાથે જોડી આપે છે. આમ છતાં સ્થાન વગેરે ભાવનું કારણ હોવાથી સ્થાન વગેરેને પણ યોગ કહેવામાં આવે છે. સ્થાન વગેરેનો અર્થ આ પ્રમાણે છે સ્થાન– કાયોત્સર્ગ અને પદ્માસન વગેરે આસનો તથા યોગમુદ્રા વગેરે મુદ્રાઓ સ્થાનયોગ છે. કાયોત્સર્ગમાં શરીરને આમ તેમ હલાવવાના નહિ. કાયોત્સર્ગમાં નવકાર વગેરેની સંખ્યા આંગળીના વેઢાથી ન ગણાય. કાયોત્સર્ગના દોષોને જાણીને દોષોથી રહિત કાયોત્સર્ગ કરવો જોઈએ. જે ધર્મક્રિયામાં જે મુદ્રા રાખવાની કહી છે તે મુદ્રા રાખવી જોઈએ. પણ આજે આમાં ઘણી બેદરકારી જોવામાં આવે છે. ક્રિયાઓ કરતી વખતે આપણી મુદ્રાઓનું કોઈ ઠેકાણું હોતું Jain Educationa International For Personal and Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૫૫ નથી. અરે ! બે હાથ પણ બરોબર જોડાયેલા હોતા નથી. સામુદાયિક ક્રિયા થતી હોય ત્યારે બધાની એકસરખી શરીર સ્થિતિ રહેવી જોઈએ. પણ આજે એમાં ઘણી ખામી છે. લગભગ દરેકની શરીર સ્થિતિ થોડી થોડી જુદી દેખાશે. કોઈના હાથની સ્થિતિ જુદી દેખાશે. કોઇના પગની સ્થિતિ જુદી દેખાશે. વર્ણ– ક્રિયામાં બોલાતાં સૂત્રો વર્ણયોગ છે. સૂત્રો દોષોથી રહિત શુદ્ધ બોલવા જોઇએ. અશુદ્ધ સૂત્રો બોલવાથી અતિચાર લાગે. આથી જ અતિચારસૂત્રમાં જ્ઞાનાતિચારમાં “દેવગુરુ વાંદણે, પડિક્કમણે, સજઝાય કરતાં, ભણતાં ગણતાં, ફૂડો અક્ષર કાને માત્રાએ અધિકો ઓછો ભણ્યો, સૂત્ર કૂડું કહ્યું' વગેરે બોલીને જ્ઞાનાતિચાર અંગે મિચ્છા મિ દુક્કડ આપવામાં આવે છે. આથી દરેકે સૂત્રોની અશુદ્ધિને દૂર કરવી જોઈએ. જ્યારે સામુદાયિક ક્રિયામાં એક સૂત્રો બોલે અને બીજા સાંભળે ત્યારે જેના સૂત્રો અશુદ્ધ હોય તેને આદેશ ન આપવો જો ઇએ. કારણ કે તે અશુદ્ધ બોલે અને બીજાઓ શુદ્ધ ન ધારે તો બધાને અશુદ્ધ સૂત્ર બોલવાનો દોષ લાગે. જેના સૂત્રો અશુદ્ધ હોય તેણે સમુદાયમાં સૂત્રો બોલવાનો આગ્રહ ન રાખવો જોઇએ. આદેશ જ ન માગવો જોઈએ. અર્થ– બોલાતાં સૂત્રોના અર્થમાં ઉપયોગ રાખવો એ અર્થયોગ છે. અહીં કહેલા ચારે યોગોમાં અર્થયોગની પ્રધાનતા છે. શાસ્ત્રમાં અર્થના ઉપયોગ વિનાની ધર્મક્રિયાને દ્રવ્યક્રિયા કહી છે. સ્થાનયોગનું બરોબર પાલન કરે, અર્થાત્ મુદ્રાઓ બરોબર રાખે, જે સૂત્ર બોલતાં જે મુદ્રા હોવી જોઈએ, તે સૂત્ર બોલતાં તે મુદ્રા રાખે, વાંદણામાં આવર્તા બરોબર કરે, ખમાસમણાં બરોબર આપે, આમ દરેક રીતે સ્થાનયોગનું બરોબર પાલન કરે. સૂત્રો શુદ્ધ બોલીને વર્ણયોગનું પાલન કરે. ક્રિયા કરતાં દષ્ટિ પ્રતિમાજી સમક્ષ કે સ્થાપનાજી સમક્ષ રાખીને આલંબનયોગને બરોબર સાચવે. આમ છતાં જો ઉપયોગ ન હોય તો ધર્મક્રિયા દ્રવ્યક્રિયા બને. દ્રવ્યક્રિયાથી વિશેષ ફળ મળતું નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન આલંબન– ક્રિયા કરતાં દૃષ્ટિને પ્રતિમાજી કે સ્થાપનાજી સમક્ષ રાખવી તે આલંબનયોગ છે. ક્રિયા કરતાં આડી-અવળી દષ્ટિ ક૨વામાં ભગવાનનો અને ગુરુનો અનાદર થાય છે. કોઇ વડાપ્રધાન કે મોટા ઓફિસર સાથે વાત કરનાર પુરુષ વાત કરતાં કરતાં બીજે ક્યાંય ડાફોળિયાં મારે ? કે તેની સામે જુએ ? ડાફોળિયાં મારતાં વાત કરે તો વડાપ્રધાન કે ઓફિસર ઉપર તેની સારી અસર પડે ? ન જ પડે. જરૂર પડે તો તે જ વખતે તેને બોલતો બંધ કરી દે અને તને શિસ્તનું પણ ભાન નથી વગેરે કહીને કાઢી મૂકે, એવું પણ બને. આપણા દેવ અને ગુરુ તો બધા કરતાં મહાન છે. ડાફોળિયાં મારતાં તેમની સમક્ષ કરાતી ક્રિયામાં ભાવોલ્લાસ ક્યાંથી આવે ? ભાવોલ્લાસ રહિત ધર્મક્રિયાથી વિશેષ ફળ મળે નહિ. આ વિષે અધ્યાત્મકલ્પદ્રુમમાં કહ્યું છે કે— भावोपयोगशून्याः कुर्वन्नावश्यकीः क्रियाः सर्वाः देहक्लेशं लभसे, फलमाप्स्यसि नैव पुनरासाम् ||१४|| “સઘળી આવશ્યક ક્રિયાઓને ચિત્તનો ઉત્સાહ અને ઉપયોગથી રહિત બનીને કરતો તું દેહના ક્લેશને પામે છે અને એ ક્રિયાઓના ફળને(=મોક્ષને) નહિ પામે. ૧૫૬ ધર્મક્રિયા અવિધિથી કરવાથી મલિન બને છે. આથી તે તે ક્રિયાની જે વિધિ કહી હોય તે વિધિપૂર્વક તે તે ક્રિયા કરવી જોઇએ. લોકમાં પણ ખેતી, રસોઇ વગેરે કાર્યો વિધિપૂર્વક કરવામાં આવે તો જ સફળ બને છે. દવા જેવી વસ્તુ પણ વિધિપૂર્વક લેવામાં આવે તો જ આરોગ્ય મળે. અવિધિથી દવા લેવામાં આરોગ્ય ન મળે, બલ્કે રોગ વધી જાય એવું પણ બને. વિધિ પ્રત્યે બહુમાનવાળાને અવિધિ ખટકે– ધાર્મિક અનુષ્ઠાનો વિધિપૂર્વક કરવાથી જ સફળ બને છે. માટે આપણે ધાર્મિક અનુષ્ઠાનોની વિધિ જાણવાનો પ્રયત્ન કરવો જોઇએ. વિધિને જાણવા છતાં તેવા સંયોગ આદિથી અવિધિ થઇ જાય એ સંભવિત છે. છતાં જેને વિધિ પ્રત્યે બહુમાન હોય તેને તેવા સંયોગ આદિથી થતી For Personal and Private Use Only Jain Educationa International Page #220 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૫૭ અવિવિધ ખટકે. એને એમ થાય કે, ભગવાને દરેક અનુષ્ઠાન વિધિપૂર્વક કરવાનું કહ્યું છે, પણ હું કમનસીબ છું કે, જેથી બરોબર વિધિપૂર્વક કરી શકતો નથી. આવો આત્મા વિધિ-વિધિ શું કરો છો ? આ કાળે વિધિ સાચવવી કઠિન છે માટે એમ જ ચાલે, આવું ન કહે. એને જેમ પોતાનાથી થતી અવિવિધ બદલ દુ:ખ હોય તેમ જે આત્માઓ વિધિનું બરોબર પાલન કરતા હોય તેમના પ્રત્યે બહુમાન હોય. વિધિ પ્રત્યે બહુમાન આવે એટલે વિધિનું પાલન કરનારાઓ પ્રત્યે બહુમાન આવ્યા વિના રહે નહિ. વિધિ પ્રત્યે બહુમાનનાં લક્ષણો આ પ્રમાણે છે— વિધિબહુમાનનાં પાંચ લક્ષણો– (૧) વિધિની જિજ્ઞાસા, (૨) વિધિને સાંભળીને આનંદ, (૩) વિધિના પાલન માટે શક્ય પ્રયત્ન, (૪) અવિધિની ખટક, (૫) વિધિકા૨ક તરફ બહુમાન. શાસ્ત્રમાં વિધિ પ્રત્યે બહુમાન રાખનારને ધન્ય કહ્યો છે. (૧) જે આત્મા વિધિપૂર્વક કરે છે તે આત્મા ધન્ય છે. (૨) જે આત્મા વિધિપૂર્વક કરી શકતો નથી, પણ વિધિ ઉપર બહુમાન હોવાના કા૨ણે વિધિપૂર્વક કરવાની ભાવનાવાળો છે તે પણ ધન્ય છે. (૩) છેવટે વિધિની નિંદા ન કરે તે પણ ધન્ય છે. કારણ કે ભારેકર્મી આત્માઓને અવિધિ ઉપર જ પ્રેમ હોય છે. જે આત્માને વિધિ ઉપર પ્રેમ છે તે આત્મા નિકટમાં મોક્ષે જનાર છે. માટે ધાર્મિક અનુષ્ઠાનોની સંપૂર્ણ સફળતા ઇચ્છનારાઓએ વિધિ પ્રત્યે બહુમાનવાળા બનીને વિધિનું પાલન કરવાની કાળજી રાખવી જોઇએ. “આમ જ ચાલે’ એવી વૃત્તિ ન રાખવી જોઇએ. વિધિને જાણવાની બેદરકારી– આજે વિધિ પ્રત્યે બેદરકારી ઘણી આવી જવાથી ધર્મક્રિયાઓમાં અવિધિ ઘણી થાય છે. અવિધિ થાય છે એટલું જ નહિ, પણ વિધિને જાણવાની ઇચ્છા જ મોટે ભાગે દેખાતી નથી. આનું કારણ વિધિ પ્રત્યે જોઇએ તેવું બહુમાન નથી. વિધિ પ્રત્યે જેને બહુમાન હોય તેને વિધિને જાણવાની ઇચ્છા થાય. જેને વિધિને જાણવાની ઇચ્છા થાય તે અનુકૂળતા મુજબ તે માટે For Personal and Private Use Only Jain Educationa International Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શંકા-સમાધાન પ્રયત્ન કરે. વિધિને જાણવા ગુરુની જરૂર પડે. આજે જિનપૂજા, ચૈત્યવંદન વગેરેની વિધિ જાણવા ગુરુ પાસે આવનારા કેટલા ? નોકરી વગેરે માટે કોઇ ઓફિસ૨ વગેરેને મળવા જવું હોય તો તેને કેવી રીતે મળવું, તેની પાસે કેવી રીતે જવું ? તેની સાથે કેવી રીતે બોલવું ? કેવી રીતે વર્તવું ? વગેરે બરોબર જાણી લે. કારણ કે ધન વગેરેની ગરજ છે. તેવી રીતે જિનમંદિરમાં જવા વગેરેની વિધિ જાણવા પ્રયત્ન કરનારા કેટલા ? ઓફિસર વગેરેનું વિનય વગેરેથી ગમે તેટલું સાચવવામાં આવે તો પણ તે મહેરબાની કરે જ એવો નિયમ નહિ. મહેરબાની કરે તો પણ આપી આપીને કેટલું આપે ? તથા એની મહેરબાની માંદગી આદિમાં કામ લાગે નહિ. જ્યારે જિનેશ્વર ભગવાન આદિની વિનય આદિ વિધિપૂર્વક સેવા કરવામાં આવે તો અવશ્ય ફળે. વિધિપૂર્વક કરેલી ધર્મક્રિયાઓ આ લોકમાં પણ કામ લાગે, માંદગી આદિ આપત્તિમાં પણ કામ લાગે અને પરલોકમાં પણ કામ લાગે. ઓફિસર વગેરેની મહેરબાની માંદગી આદિમાં કે પરલોકમાં કામ ન લાગે. આમ છતાં ઓફિસ૨ વગેરેની સેવામાં જેટલી કાળજી રખાય છે તેટલી પણ કાળજી ધર્મક્રિયાઓમાં ન રખાય તેનું શું કારણ ? એનું મુખ્ય કારણ એ છે કે ધર્મનો ઉપકાર ખ્યાલમાં આવ્યો નથી. અવિધિ થાય તો પણ વિધિ બહુમાનપૂર્વક ક્રિયા કરતા રહેવું જોઇએ— વિધિ ઉપર બહુમાન અને વિધિનું જ્ઞાન હોવા છતાં અવિધિ થઇ જાય એમ પણ બને. છતાં ધર્મક્રિયાનો ત્યાગ નહિ કરવો જોઇએ. અભ્યાસ થતાં અવિધિ દૂર થાય છે. પ્રાયઃ દરેક અનુષ્ઠાનમાં પ્રારંભમાં અવિધિ થઇ જાય એ સહજ છે. પણ જો અવિધિના ભયથી અનુષ્ઠાનનો જ ત્યાગ કરવામાં આવે તો ક્યારેય વિધિપૂર્વક અનુષ્ઠાનો કરવા સમર્થ ન બની શકાય. આથી અવિધિ થઇ જાય તો પણ વિધિના બહુમાનપૂર્વક ધાર્મિક અનુષ્ઠાનો કરતાં રહેવું જોઇએ. શાસ્ત્રમાં અવિધિવાળી ધર્મક્રિયા કરનારથી બિલકુલ ધર્મક્રિયા નહિ કરનારને પ્રાયશ્ચિત્ત વધારે કહ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૫૯ શંકા— ૩૩૯. પ્રતિક્રમણ ગુરુની સાથે જ કરવું જોઇએ ? સમાધાન– પ્રવચનસારોદ્વારમાં કહ્યું છે કેपंचविहायारविशुद्धिहेउमिह साहु सावगो वाऽवि । पडिक्कमणं सह गुरुणा गुरुविरहे कुणइ एक्कोवि ॥ १ ॥ અર્થ— પાંચ પ્રકારના આચારની વિશુદ્ધિ માટે સાધુએ કે શ્રાવકે પણ ગુરુની સાથે પ્રતિક્રમણ કરવું જોઇએ. ગુરુના વિરહમાં એકલો પણ પ્રતિક્રમણ કરે. શંકા— ૩૪૦. સાંજના પ્રતિક્રમણમાં સામાયિક લીધા પછી મુહપત્તિનું પડિલેહણ ખમાસમણપૂર્વક આદેશ માગીને કરવાનું હોય છે કે એમ જ કરવાનું હોય છે ? સમાધાન– ખમાસમણ આપીને ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! મુહપત્તિ ડિલેહું ? એમ આદેશ માંગીને મુહપત્તિનું પડિલેહણ કરવામાં આવે છે. (સેનપ્રશ્ન ચોથો ઉલ્લાસ ૧૦૦૭) શંકા- ૩૪૧. સાંજના પ્રતિક્રમણમાં સામાયિક લીધા પછી વાંદણા આપ્યા પછી જે પચ્ચક્ખાણ કરવામાં આવે છે તે ખમાસમણ પૂર્વક આદેશ માંગીને કરવામાં આવે છે કે ખમાસમણ વિના જ આદેશ માંગીને કરવામાં આવે છે ? સમાધાન– મૂળવિધિ પ્રમાણે બીજું વાંદણું પૂર્ણ થયા પછી અવગ્રહ રહીને ઇચ્છકારી ભગવન્ ! પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ દેશોજી એમ બોલીને પચ્ચક્ખાણ ક૨વાનું છે. ત્યાં ખમાસમણું આપવાનું નથી. પણ ઉપવાસવાળાએ વાંદણા આપવાના ન હોવાથી ખમાસમણું આપીને પચ્ચક્ખાણ ક૨વાનું છે. શંકા- ૩૪૨. દેવસિઅ પ્રતિક્રમણમાં શ્રાવકને સામાયિક લેવાનો વિધિ પૂર્ણ થયા પછી પચ્ચક્ખાણ લેવા માટે ત્રણ પ્રકારની આચરણા છે. (૧) જેમણે ચઉવિહાર ઉપવાસ કર્યો છે તેને કશું ક૨વાનું હોતું નથી. (૨) જેણે તિવિહાર ઉપવાસનું પચ્ચક્ખાણ કર્યું હોય એણે મુહપત્તિનું પડિલેહણ કરવાનું હોય છે, પણ વાંદણા આપવાના હોતા Jain Educationa International For Personal and Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શંકા-સમાધાન નથી. (૩) જેણે ખાધું હોય તેણે મુહપત્તિનું પડિલેહણ કરીને વાંદરા આપવાના હોય છે. આની પાછળનો હેતુ શો ? સમાધાન– આવી આચરણા વર્ષોથી ચાલી આવે છે. શાસ્ત્રદષ્ટિએ આની પાછળનો હેતુ એવો હોઈ શકે કે, પચ્ચકખાણ લેવા માટે પહેલા વંદન કરવાનું હોય છે, વાંદણા એ વંદન છે ને વંદન કરવા માટે પહેલા મુહપત્તિનું પડિલેહણ કરવાનું હોય છે. આથી જેણે ચોવિહાર ઉપવાસ કર્યો હોય તેણે પચ્ચકખાણ કરવાનું ન હોવાથી મુહપત્તિનું પડિલેહણ અને વાંદણા દેવાના ન હોય એ બરોબર છે. પણ જેણે પચ્ચકખાણ કરવાનું હોય તેણે મુહપત્તિનું પડિલેહણ અને વાંદણા એ બંને કરવાની જરૂર રહે છે. આમ છતાં તિવિહાર ઉપવાસવાળાને પાણહારનું પચ્ચખાણ લેવાનું હોવા છતાં વાંદણા આપવાની આચરણા નથી. હમણા તો આચરણા પ્રમાણે વિધિ કરવો જોઇએ. માત્ર સમજવા માટે ઉક્ત ખુલાસો જાણવો. શંકા– ૩૪૩. સાંજના પ્રતિક્રમણ પછી સામાયિક પારવામાં બોલાતું ચક્કસાય સૂત્ર ખમાસમણ આપીને બોલવાનું હોય છે કે ખમાસમણ આપ્યા વિના ? સમાધાન- સામાયિક પારવામાં બોલાતું ચઉક્કસાય સૂત્ર ખમાસમણ આપ્યા વિના બોલાય છે. કારણ કે તે માટે કોઈ આદેશ માગવાનો હોતો નથી. ખમાસમણ એ વંદન છે. કોઈ આદેશ માગવાનો હોય તો વંદન કરીને આદેશ માગવો જોઈએ. અહીં કોઈ આદેશ માગવાનો નથી. (પ્રતિક્રમણમાં “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! દેવસિય પાયચ્છિત્ત વિસોહણë કાઉસ્સગ્ન કરું ?” એ આદેશ ખમાસમણ આપ્યા વિના જ માગવાની આચરણા છે. આવી આચરણા અનુપયોગજન્ય હોય એમ જણાય છે.) શંકા- ૩૪૪. પ્રતિક્રમણમાં મુઠ્ઠી ક્યાં ક્યાં વાળવાની છે ? સમાધાન- પ્રતિક્રમણમાં સવ્વસ્ત વિ સૂત્ર બોલતાં ઠાવતી વખતે મુઠ્ઠી વાળવાની છે. તે સિવાય ક્યાંય મુઠ્ઠી વાળવાની નથી. ઠાવતી Jain Educationa International For Personal and Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૬૧ વખતે મુઠ્ઠી વાળવાનું કારણ આ પ્રમાણે છે- મુઠ્ઠી શબ્દનો સંસ્કૃત શબ્દ મુષ્ટિ છે. મુષ્ટિ એટલે સાર-રહસ્ય. સવસ વિસૂત્ર સંપૂર્ણ પ્રતિક્રમણનો સાર છે. પ્રતિક્રમણની બીજી બધી ક્રિયા સવ્યસ્ત વિ. સૂત્રના વિસ્તારરૂપ છે. આમ આ સૂત્ર સંપૂર્ણ પ્રતિક્રમણના સારરૂપ છે એ જણાવવા માટે મુઠ્ઠી વાળવાની હોય છે. સવ્યસ્સ વિ સૂત્રનો અર્થ આ પ્રમાણે છે- મારાથી દિવસ દરમિયાન મનથી જે કાંઈ અશુભ ચિંતવાયું હોય, વચનથી જે કંઈ અશુભ બોલાયું હોય, કાયાથી જે કાંઈ અશુભ કરાયું હોય તે બધું મિથ્યા થાઓ. સૂત્રના અર્થથી સમજી શકાય છે કે આ સૂત્રથી દિવસના બધા પાપોનું સંક્ષેપથી પ્રતિક્રમણ થઈ જાય છે. પ્રતિક્રમણમાં આપણું ચિત્ત એક સરખું સ્થિર રહેતું નથી. વચ્ચે વચ્ચે બીજે ચાલ્યું જાય છે. આમ છતાં સવ્યસ્સ વિ સૂત્ર બોલવાનું આવે ત્યારે મનને ખાસ પ્રયત્નપૂર્વક તેના અર્થમાં કેન્દ્રિત કરીને પાપના પશ્ચાત્તાપ પૂર્વક સબસ્સ વિ સૂત્ર બોલવામાં આવે તો ઘણો બધો લાભ આટલા નાના સૂત્રથી થઈ જાય. શંકા- ૩૪૫. પ્રતિક્રમણમાં સાત લાખ સૂત્ર બોલાય છે. તેમાં “ચાર લાખ નારકી, ચાર લાખ દેવતા” એમ બોલાય છે. દેવલોક અને નારકો સાથે આપણો સંબંધ ન હોવાથી તેમને હણવાનો અને હણાવવાનો પ્રશ્ન જ આવતો નથી. તો તે સંબંધી મિચ્છા મિ દુક્કડ માગવાની શી જરૂર છે ? સમાધાન- જીવ કોઈ પણ પ્રવૃત્તિ મન-વચન-કાયાથી કરે છે. હિંસા પણ મન-વચન-કાયાથી કરે છે. આથી કાયાથી દેવોનીનારકોની હિંસાની શક્યતા ન હોવા છતાં વચનથી અને મનથી હિંસાનો સંભવ છે. જે જીવોમાં સર્વ જીવોની સર્વ પ્રકારની હિંસાનો ત્યાગ કરવાના પરિણામ થયા નથી તે જીવોમાં સર્વ જીવ સંબંધિ હિંસાના પરિણામ રહેલા છે. આથી પરિણામની દષ્ટિએ વિચારવામાં આવે તો દેવ-નારકોની પણ હિંસાના પરિણામ રહેલા છે. માટે દેવો નારકો સંબંધી પણ “મિચ્છા મિ દુક્કડ” કરવું જોઇએ. Jain Educationa International For Personal and Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન શંકા- ૩૪૬. દેવસિય પ્રતિક્રમણ ઠાવતાં પહેલાં ‘ઇચ્છકારી સમસ્ત શ્રાવકને વંદું' એમ શ્રાવકોને બોલવાનું હોય છે. રાઇય પ્રતિક્રમણમાં તેમ બોલાતું નથી તેનું શું કારણ ? સમાધાન– “ઇચ્છકારી સમસ્ત શ્રાવકને વંદું” એમ બોલવાનું પ્રતિક્રમણની મૂળવિધિમાં નથી. પાછળથી શરૂ થયું છે. તેથી દેવસીય પ્રતિક્રમણમાં આવું બોલવાની આચરણા છે અને રાઇય પ્રતિક્રમણમાં આવું બોલવાની આચરણા નથી. મોટા ભાગે દેવસિય પ્રતિક્રમણ શ્રાવકો ભેગા થઇને કરે છે, અને સવારે એકાકી પ્રતિક્રમણ કરે છે. આથી ઇચ્છકારી સમસ્ત શ્રાવકને વંદું” એવું બોલવાની પ્રથા સમૂહમાં કરાતા દેવસિય પ્રતિક્રમણમાં જ શરૂ થઇ હશે. આથી રાઇય પ્રતિક્રમણમાં તેમ બોલાતું નથી એમ સંભવે છે. શંકા— ૩૪૭. ‘રાઇય પડિક્કમણે ઠાઉં' એ સ્થળે ઠાવવું-સ્થાપવું એટલે શું ? સમાધાન– ઠાવવું-સ્થાપવું એટલે સ્થિર કરવું. આત્માને પ્રતિક્રમણમાં સ્થિર કરવો. જેમ સ્થાપના સ્થાપ્યા પછી કાર્યસમાપ્તિ સુધી ઉત્થાપન ન થાય. તેમ ઠાવ્યા બાદ છ આવશ્યક પૂર્ણ ન થાય ત્યાં સુધી વચ્ચે ઉઠાય નહિ. તથા ‘સવ્વસ વિ’ સૂત્રથી લઘુ પ્રતિક્રમણ થાય છે. શંકા- ૩૪૮. વાંદણા બે વાર કેમ બોલાય છે ? સમાધાન– વાંદણા એટલે વંદન. ગુરુને બે વાર વંદન કરવાનું હોય છે માટે વાંદણા બે વાર બોલાય છે. જેમ રાજદૂત પ્રથમ રાજાને નમસ્કાર કરીને કાર્યનું નિવેદન કરે છે અને પછી રાજા જવાની રજા આપે ત્યારે ફરી નમસ્કાર કરીને જાય છે. તેમ ગુરુને પણ બે વાર વંદન કરાય છે. તેથી વાંદણા બે વાર બોલાય છે. ૧૬૨ શંકા- ૩૪૯. વંદિત્તુ સૂત્ર ન આવડે તો ૫૦ નવકાર ગણવાનું કહેવામાં આવે છે. આ ૫૦ નવકાર કરેમિ ભંતે વગેરે સૂત્રો બોલીને ગણે કે ગણ્યા વિના બોલે ? Jain Educationa International For Personal and Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૬૩ સમાધાન– કરેમિભંતે વગેરે સૂત્રો બોલ્યા વિના ૫૦ નવકાર ગણે. શંકા- ૩૫૦. દેવસિઅ પ્રતિક્રમણમાં અઠ્ઠાઇજ઼ેસુ બોલ્યા પછી દેવસિઅ પાયચ્છિત્ત વિસોહણથં કાઉસ્સગ્ગનો આદેશ ખમાસમણ આપીને માગવાનો છે કે ખમાસમણ આપ્યા વિના ? સમાધાન– ખમાસમણ આપ્યા વિના આદેશ માગવામાં આવે છે. શંકા- ૩૫૧. પ્રતિક્રમણ દરમ્યાન સ્તવનની આંકણી સમૂહમાં ઝીલાવી શકાય કે નહિ ? એમાં કોઇ દોષ ખરો ? સમાધાન– પ્રતિક્રમણ દરમિયાન સ્તવનની આંકણી સમૂહમાં ઝીલાવી શકાય. જોકે ધર્મસંગ્રહમાં “એક જણ મોટા (મધુર અને ઉચ્ચ) સ્વરે શ્રી જિનેશ્વરદેવનું સ્તવન કહે અને બીજા સર્વ સાવધાન થઇ બે હાથ જોડીને સાંભળે” એમ કહ્યું છે. તો પણ આંકણી સમૂહમાં ઝીલાવવામાં દોષ નથી. કારણ કે મહાપુરુષોનું કોઇ પણ વિધાન ભાવની વૃદ્ધિ માટે છે. આંકણી સમૂહમાં ઝીલાવવાથી આરાધકોના ભાવની વૃદ્ધિ થાય છે. ઉપદેશમાળામાં કહ્યું છે કે- “આ શાસનમાં એકાંતે સર્વ કાર્યમાં અનુજ્ઞા નથી અને એકાંતે સર્વકાર્યમાં નિષેધ નથી. નફો મેળવવાની ઇચ્છાવાળા વેપારીની જેમ લાભ-નુકસાનની તુલના કરીને ઘણો લાભ થાય તેવા કાર્યમાં પ્રવર્તવું.” આ વિધાનના આધારે આંકણી સમૂહમાં ઝીલાવવાથી આરાધકોના ભાવની વૃદ્ધિ થતી હોવાથી તેમાં કોઇ દોષ નથી. આપણે કોઇ પણ શાસ્ત્રવિધાનના માત્ર શબ્દો ન પકડવા જોઇએ, કિંતુ તાત્પર્યાર્થ વિચારવો જોઇએ. શંકા— ૩૫૨. લાંબી મુસાફરીમાં એક સ્થળે સ્થિર બેસીને સામાયિક લેવા પૂર્વક પ્રતિક્રમણ કરવાનું શક્ય ન બને, ત્યારે ટ્રેન વગેરે ચાલતા વાહનમાં સામાયિક લીધા વિના પ્રતિક્રમણ કરી શકાય? સમાધાન– કરી શકાય. અહીં સામાયિક વિના પાંચ આવશ્યક થયા ગણાય. તદ્દન પ્રતિક્રમણ રહી જાય તેના કરતાં આટલું થાય તે પણ લાભકારી છે. શંકા ૩૫૩. શ્રી સંતિકર સ્તોત્રના આઠ આમ્નાયમાં પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણના અંતે સંતિકરું બોલવાનું For Personal and Private Use Only Jain Educationa International Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શંકા-સમાધાન વિધાન છે. તેથી પાક્ષિક આદિ પ્રતિક્રમણના અંતે સંતિકરું ન બોલવાથી શું અવિવિધ ન થાય ? સમાધાન– શ્રી સંતિકર સ્તોત્રનો આમ્નાય એ કોઇ વિધિગ્રંથ નથી. તેથી તેમાં પાક્ષિકાદિ પ્રતિક્રમણના અંતે સંતિકર બોલવાનું વિધાન કર્યું છે એવું નથી. તેનો જે પાઠ છે તેનો અર્થ આ પ્રમાણે છે- “હરહંમેશ બંને વખત (સવાર-સાંજ)ના પ્રતિક્રમણની સમાપ્તિ વખતે અથવા પાક્ષિક પ્રતિક્રમણના અંતે કોઇ સાત વાર તો કોઇ ત્રણ વાર ગણે છે અને બાકીના સર્વ સાવધાન થઇને સાંભળે છે. તે સર્વને તે દિવસે તે રાત્રિએ અને તે પખવાડિયે કોઇ પણ પ્રકારના ઉપદ્રવો થતા નથી. આ પ્રમાણે ચાતુર્માસિક અને વાર્ષિક (સંવત્સરી) પ્રતિક્રમણના અંતે પણ સમજવું.'' આ પાઠથી સ્પષ્ટ જણાય છે કે આમાં ‘બોલવું જોઇએ' એમ વિધિરૂપ જણાવ્યું નથી, કિંતુ કોણ ક્યારે અને કેટલીવાર ગણે છે એમ જણાવ્યું છે. કોઇ બંને વખત પ્રતિક્રમણના અંતે બોલે છે, તો કોઇ પાક્ષિકાદિ પ્રતિક્રમણના અંતે બોલે છે. તેમાં પણ કોઇ સાત વા૨ ગણે છે તો કોઇ ત્રણ વાર ગણે છે. આમ નિશ્ચિત રૂપે નથી. જો આ પાઠના આધારે પાક્ષિકાદિ પ્રતિક્રમણના અંતે સંતિક ન બોલવાથી અવિવિધ થતી હોય, તો આ જ પાઠના આધારે દૈવસિકરાત્રિક પ્રતિક્રમણના અંતે સંતિકરું ન બોલવાથી અવિવિધ થાય. પણ તેવું નથી. આથી કોઇ સમુદાયની પરંપરામાં પાક્ષિકાદિ પ્રતિક્રમણના અંતે સંતિકર બોલવાની પ્રથા હોય તો તેનો વિરોધ ન કરવો જોઇએ તથા કોઇ સમુદાયની પરંપરામાં સંતિકરું બોલવાની પ્રથા ન હોય તો તેમને બોલવાની ફરજ પણ ન પાડવી જોઇએ. દરેક સમુદાયમાં વિધિ-સમાચારીમાં થોડો થોડો ભેદ રહેવાનો. વિધિ-સમાચારીના ભેદના કારણે સંઘમાં સંઘર્ષ થાય તેવું કરનારાઓ તીર્થંકરની અને સંઘની આશાતના કરનારા બને છે અને બાળજીવોને અધર્મ પમાડનારા બને છે. વિધિ-સામાચારીના ભેદ અંગે ધર્મસંગ્રહમાં જણાવ્યું છે કે- ‘સ્નાત્ર વગેરે અનુષ્ઠાનોમાં જુદી જુદી સામાચારીને Jain Educationa International For Personal and Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૬૫ લીધે વિધિ પણ જુદો જુદો જોવામાં આવે છે પણ તેથી વ્યામોહ ન કરવો (મુંઝાવું નહિ). કારણ કે જુદા જુદા વિધિ-અનુષ્ઠાન કરનારા પણ સર્વ જીવોનું સાધ્ય શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ રૂપ ફળને મેળવવાનું છે. પ્રાચીન કાળની શ્રી ગણધર ભગવંત આદિની સામાચારીઓમાં પણ ઘણા ભેદો છે. માટે જે જે અનુષ્ઠાન ધર્મ વગેરેથી વિરુદ્ધ ન હોય અને અરિહંતની ભક્તિનું પોષક હોય, તે તે કોઈને પણ અસંગત ગણાય નહિ. એ પ્રમાણે સર્વ ધર્મ કાર્યોમાં પણ જાણવું.' શંકા- ૩૫૪. પતિ-પત્ની અથવા અન્ય કોઈ પણ સ્ત્રી-પુરુષ આ બે પક્ષમાંથી કોઈ પણ એક પક્ષને પ્રતિક્રમણ કરતાં આવડતું ન હોય ત્યારે સ્ત્રી-પુરુષો સાથે બેસીને પ્રતિક્રમણ કરે તે યોગ્ય છે ? સમાધાન- યોગ્ય નથી. શંકા- ૩૫૫. પ્રતિક્રમણમાં ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ દેવસિએ આલોઉં એ આદેશ માગતી વખતે અવગ્રહમાંથી બહાર નીકળવું કે નહિ? હાલ કેટલાક સાધુ-શ્રાવકો વગેરે બહાર નીકળે છે, તો આમાં શું સત્ય છે ? સમાધાન- ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્દેવસિઅં આલોઉં? એ આદેશ માંગીને ગુરુની સમક્ષ આલોચના કરવાની છે. પછી “સબ્યસ્સ વિ” વગેરે બોલીને પ્રતિક્રમણ કરવાનું છે. ગુરુની સમક્ષ આલોચના અને પ્રતિક્રમણ ગુરુના અવગ્રહમાં રહીને કરવા જોઈએ. આથી બીજું વાંદણું આપ્યા પછી અવગ્રહમાં રહીને જ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! દેવસિએ આલોઉં? એ આદેશથી પ્રારંભીને “તસ્સ ધમ્મસ્સ કેવલી પન્નત્તસ્સ અભુઢિઓમિ” સુધી બધાં સૂત્રો અવગ્રહમાં રહીને જ બોલવાના છે. “તસ્ય ધમ્મસ્સ કેવલિપન્નત્તસ્સ અભુઢિઓમિ” બોલતા ઉભા થવું અને અવગ્રહની બહાર જઈને બાકીનું સૂત્ર બોલવું આ વિષે પ્રબોધટીકા પુસ્તક ભાગ ત્રીજો પૃષ્ઠ ૭૮૬માં જોઈ લેવું તથા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિ રચિત “શ્રી પ્રતિક્રમણ હેતુ ગર્ભિત સ્વાધ્યાય” નામના ગ્રંથમાં ત્રીજી ઢાળમાં, Jain Educationa International For Personal and Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શંકા-સમાધાન અવગ્રહમાંહિ રહિઓ નતઅંગ આલોએ દેવસી જે ભંગ | સવ્યસ્તવિ દેવસિઅ ઇચ્ચાઈ ઉચ્ચરતો ગુરુસાખે ખમાઈ એમ સ્પષ્ટ અવગ્રહમાં રહીને બોલવાનું લખ્યું છે. શંકા- ૩પ૬. આયરીય ઉવજઝાએ સૂત્ર અવગ્રહની બહાર નીકળીને બોલવામાં શો હેતુ છે ? સમાધાન– “અભુકિઓ” સૂત્ર સુધી ચાર આવશ્યક થઈ ગયા છે. હવે પાંચમું કાયોત્સર્ગ આવશ્યક કરવાનું છે. કાયોત્સર્ગ તો ગુરુના અવગ્રહની બહાર જ કરવાનું છે તથા કાયોત્સર્ગ કરતા પહેલાં આચાર્યાદિ પ્રત્યે થયેલા કષાયોની ક્ષમાપના કરવા માટે “આયરિય ઉવજઝાએ” સૂત્ર બોલવામાં આવે છે. આથી આયરિય ઉવજઝાએ સૂત્ર અવગ્રહમાંથી બહાર નીકળીને બોલવાનું છે. આ વિષે પ્રબોધ ટીકા ભાગ ત્રીજો પૃષ્ઠ ૮૧૧માં “પછી અવગ્રહમાંથી પાછા હઠીને આયરિયાઇ-ખામણા સુર” બોલવામાં આવે છે. એમ લખ્યું છે. જો કે તે જ પુસ્તકમાં પૃષ્ઠ ૭૮૭માં નીચે પ્રમાણે લખ્યું છે. “પછી અવગ્રહ બહાર નીકળીને દ્વાદશાવર્ત વંદન કરવું અને બીજી વારનો પાઠ પૂરો થાય ત્યારે ત્યાં જ ઉભા રહીને આયરિયાઈ-ખામણા-સુત્ત બોલવું અને અવગ્રહની બહાર નીકળવું”. પણ આ બરોબર જણાતું નથી. કારણ કે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. વિરચિત “પ્રતિક્રમણ હેતુ સ્વાધ્યાય” ગ્રંથમાં ચોથી ઢાળમાં નીચે પ્રમાણે સ્પષ્ટ પાઠ છે, ભૂમિ પંજી અવગ્રહવહીજી, પાછે પગે નિસરેઈ આયરિય ઉવજઝાએ ભલેભણેજી, અભિનય સુજસ કહેઈ શંકા- ૩૫૭. સામુદાયિક પ્રતિક્રમણમાં લગભગ બધા સ્થળે આયરિય ઉવજઝાએ સૂત્ર બોલતા પહેલા બે હાથ જોડો' એવી સૂચના અપાતી હોય છે, તે શું બરોબર છે ? સમાધાન– અહીં હાથ જોડો એમ બોલવાના બદલે મસ્તકે અંજલિ કરો એમ બોલવું જોઈએ. હાથ જોડો એમ બોલવાનો અર્થ એ થયો કે, આયરિય ઉવજઝાયે સૂત્ર હાથ જોડીને બોલવાનું હોય, તો શું બીજા Jain Educationa International For Personal and Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૬૭ સૂત્રો હાથ જોડ્યા વિના બોલવાના હોય છે ? બધા જ સૂત્રો હાથ જોડીને જ બોલવાના હોય છે, પણ આયરિય ઉવઝાયે સૂત્ર અંજલિ કરીને બોલવાનું હોય છે. પરસ્પર જોડેલા બે હાથ લલાટે રાખવા તે અહીં અંજલી કહેવાય છે. આયરિય ઉવઝાયે સૂત્ર બોલીને આચાર્ય વગેરે સર્વ જીવોને ખમાવવાના હોવાથી એ સૂત્ર બોલતી વખતે અંજલિ કરવામાં આવે છે. અંજલિ અતિશય નમ્રતાનું સૂચન કરે છે. શંકા- ૩૫૮. સાધુઓ સવારે માંડલીમાં ધીમા અવાજે પ્રતિક્રમણ કરી શકે ? અને જો કરી શકે, તો અદ્ભુઢિઓ એક વડીલને જ કરે કે સાંજના પ્રતિક્રમણની જેમ ત્રણને કરે ? સમાધાન- સાધુઓ સવારે માંડલીમાં ધીમા અવાજે પ્રતિક્રમણ કરી શકે છે. આજે સાધુઓનું સવારનું પ્રતિક્રમણ માંડલીમાં નથી થતું, એમાં પ્રમાદ વગેરે અનેક કારણો છે. મૂળ વિધિ માંડલીમાં પ્રતિક્રમણ કરવાની છે. માંડલીમાં પ્રતિક્રમણ થાય ત્યારે અભુદ્ધિઓ સાંજના પ્રતિક્રમણની જેમ ત્રણને કરે. શંકા- ૩૫૯. “સામાઇય વયજુરો” સૂત્ર બોલતી વખતે શ્રાવકોએ હથેળી ખુલ્લી રાખવી જોઇએ કે મુઠ્ઠી વાળવી જોઇએ ? સમાધાન- હથેળી ખુલ્લી રાખવી જોઈએ. પચ્ચકખાણ પારવું અને પ્રતિક્રમણ ઠાવવું આ બે સિવાય ક્યાંય મુઠ્ઠી વાળવાની નથી. શંકા- ૩૬૦. વંદિતુ (શ્રાવક પ્રતિક્રમણ) સૂત્રમાં કોઈ ગાથામાં કેવળ પ્રતિક્રમણ કરવામાં આવ્યું છે. જેમ કે તમે સિગં સળં કોઈ ગાથામાં કેવળ નિંદા કરવામાં આવી છે. જેમ કે તે નિંદ્દે કોઈ ગાથામાં નિંદા-ગહ કરવામાં આવી છે. જેમ કે તે ઉદ્દે તે ૨ રિમિ પણ આલોચના ક્યાંય કરવામાં આવી નથી. તો શું આલોચના કરવાની નથી ? સમાધાન- ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ રાઇઅં આલોઉં એ સૂત્રથી સામાન્યથી બધા અતિચારોની આલોચના કરી લીધી છે. હવે વંદિત્તા સૂત્રથી ગુરુ સમક્ષ વિસ્તારથી પ્રતિક્રમણ-નિંદા-ગ કરે છે. એથી તેમાં ક્યાંય આલોચનાનો ઉલ્લેખ નથી. અથવા આ સૂત્ર Jain Educationa International For Personal and Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શંકા-સમાધાન શ્રાવક ગુરુ સમક્ષ બોલે છે. આથી તેમાં આલોચના આવી જાય. ગુરુ સમક્ષ દોષોને પ્રગટ કરવા તે આલોચના. વંદિત્તા સૂત્રમાં ગુરુ સમક્ષ બોલીને દોષો સંબંધી પ્રતિક્રમણ વગેરે કરે છે. તેથી તેમાં આલોચના આવી ગઈ ગણાય. શંકા- ૩૬૧. પફખી આદિ પ્રતિક્રમણમાં છેલ્લું વંદિતુ સૂત્ર શ્રાવકો તસ્ય ધમ્મસ્સ સુધી જ બોલે કે આખું બોલે ? સમાધાન- આખું બોલે. શંકા- ૩૬૨. ચાલુ અતિચારમાં છીંક આવે તો શું કરવું? પફખી આદિ પ્રતિક્રમણમાં અતિચાર સુધીમાં છીંક આવે તો ચૈત્યવંદનની ફરીથી શરૂઆત કરવી. અહીં “સુધી' શબ્દનો શો અર્થ થાય ? સમાધાન- ચાલુ અતિચારમાં છીંક આવે તો કડેમણે કડે(= જે કાર્ય શરૂ કર્યું તે કાર્ય કર્યું ગણાય) એ નિશ્ચય નયની અપેક્ષાએ અતિચાર બોલાઈ ગયા ગણાય, એ દષ્ટિએ પ્રતિક્રમણ ચૈત્યવંદનથી ફરી શરૂ ન કરતાં મોટી શાંતિના કાઉસ્સગ્ન પહેલાં છીંકનો કાઉસ્સગ્ન કરી લેવામાં હરકત જેવું નથી. બીજું, અતિચાર સુધીમાં છીંક આવે એમાં વ્યાકરણની દૃષ્ટિએ બે અર્થ થાય. જેમ કે પાટલિપુત્ર સુધી વરસાદ થયો. અહીં સુધીનો “મર્યાદા' એવો અર્થ કરીએ તો પાટલિપુત્રની હદ સુધી વરસાદ થયો પણ પાટલિપુત્રમાં વરસાદ ન થયો; એવો અર્થ થાય. “અભિવિધિ” અર્થ કરવામાં આવે તો પાટલિપુત્રમાં પણ વરસાદ થયો, એવો અર્થ થાય. એટલે પ્રસ્તુતમાં સુધી શબ્દનો કે પહેલાં શબ્દનો મર્યાદા અર્થ કરીએ તો અતિચાર બોલવાની શરૂઆત થયા પછી છીંક આવે તો ફરીથી પ્રતિક્રમણ ન કરતા માત્ર કાઉસ્સગ્નથી ચાલે. વિચાર કરતા મને જે યોગ્ય લાગ્યું તે જણાવ્યું. પછી તો જે વખતે જે વડીલ હોય તે કહે તેમ કરવું યોગ્ય છે. હીરપ્રશ્ન(૮૧)માં જણાવ્યું છે કે “અતિચારની આલોચના પહેલાં જો છીંક આવે અને અવસર હોય તો ચૈત્યવંદનથી આરંભીને ફરીથી કરવું જોઈએ. આ પ્રમાણે વૃદ્ધસંપ્રદાય” છે. આમ છતાં હાલમાં તો અતિચાર પૂર્ણ બોલાઈ Jain Educationa International For Personal and Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૬૯ ન જાય ત્યાં સુધીમાં છીંક આવે તો પ્રતિક્રમણ ફરી પહેલેથી શરૂ કરવાની પ્રવૃત્તિ જોવા મળે છે. શંકા-૩૬૩. પફખી આદિ પ્રતિક્રમણમાં છીંક આવે તો માંગલિક માટે શ્રી સકલચંદ્ર ઉપાધ્યાયની રચેલી સત્તરભેદી પૂજા ભણાવવી જોઈએ? સમાધાન– “પણી આદિ પ્રતિક્રમણમાં છીંક આવી હોય તો માંગલિક માટે શ્રી સંકલચંદ્ર ઉપાધ્યાયની રચેલી સત્તરભેદી પૂજા ભણાવવી.” એવું વિધાન કોઈ વિધિના ગ્રંથોમાં નથી, વળી પ્રતિક્રમણમાં છીંક આવે એટલા માત્રથી અમાંગલિક થાય એવી માન્યતા યોગ્ય જણાતી નથી. આમ છતાં વર્તમાનમાં છીંક આવે તો કાઉસ્સગ્ન કરવા વગેરેની આચરણા હોવાથી તેનું પાલન કરવું જોઇએ પણ ફરજીયાત પૂજા ભણાવવાનું યોગ્ય જણાતું નથી. શંકા- ૩૬૪. પફખી પ્રતિક્રમણમાં સકલ સંઘને “મિચ્છા મિ દુક્કડ” આપવાની વિધિ છે. “મિચ્છા મિ દુક્કડ” આપવા માટેની બોલી બોલાય છે, તે વિધિ અનુસાર છે ? સમાધાન– ધર્મસંગ્રહ વગેરેમાં જણાવેલ વિધિ પ્રમાણે અભુઢિઓ બોલવા દ્વારા પ્રત્યેક સાધુને ખમાવવાના છે. એ રીતે શ્રાવકોએ પણ બધા શ્રાવકોને ખમાવવાના છે. આજે સાધુઓમાં પ્રત્યેકના ખમાવવાના સ્થાને ત્રણને ખમાવવાની આચરણા છે. શ્રાવકોને ખમાવવાનો શાસ્ત્રોક્ત વિધિ આજે થતો નથી. આથી આજે સકલ સંઘને “મિચ્છા મિ દુક્કડ આપવાની આચરણા છે. ગીતાર્થોની આચરણા પણ વિધિરૂપ કહેવાય. હવે જો સકલ સંઘને “મિચ્છા મિ દુક્કડં” આપવું એ વિધિરૂપ છે તો તેની બોલીને પણ વિધિ અનુસાર ગણવામાં બાધ જેવું જણાતું નથી. શંકા– ૩૬પ. પક્ખી, ચોમાસી અને સંવત્સરીના ખામણાં કેટલા દિવસ સુધી કરી શકાય ? સમાધાન– પફખી ખામણા બીજ સુધી, ચોમાસી ખામણા પાંચમ સુધી અને સંવચ્છરીના ખામણા દશમ સુધી કરી શકાય એમ સેનપ્રશ્ન ગ્રંથમાં જણાવ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શંકા-સમાધાન શંકા- ૩૬૬. સંસારદાવાનલ સૂત્ર મહાવીર પ્રભુની સ્તુતિરૂપ છે. ઉવસગ્ગહર સૂત્ર પણ શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ રૂપ છે. તો આ બંને સૂત્રો પખી પ્રતિક્રમણમાં સઝાયમાં કેમ બોલાય છે ? સમાધાન- સજઝાય એટલે સ્વાધ્યાય. પૂર્વાચાર્ય વિરચિત ગાથાઓ કે શ્લોકો બોલવા. તે સ્વાધ્યાય જ ગણાય. આથી પૂર્વાચાર્યોની પરંપરાથી પકુખી પ્રતિક્રમણમાં સજઝાયમાં આ બે સૂત્રો બોલાય છે. શંકા- ૩૬૭. સાંવત્સરિક પ્રતિક્રમણ અંધારું થાય તે પહેલાં પૂર્ણ કરવાનો રિવાજ કયા કારણથી શરૂ થયો છે ? એ રિવાજ ચાલુ રાખવા યોગ્ય છે કે નહિ ? સમાધાન- સાંવત્સરિક પ્રતિક્રમણમાં આવનારા જીવો અનેક પ્રકારના હોય છે. તેમાંથી કેટલાંક પાપનો પશ્ચાત્તાપ થવાથી પાપનો નાશ કરવાની ભાવના વિના કુળરિવાજથી આવતા હોય છે. આવા જીવો અંધારાની તક મેળવીને તોફાન કરે, ઘોંઘાટ મચાવે, ટીખળી કરે અને એથી બીજાનું પણ પ્રતિક્રમણ ડહોળાય. અંધારાના કારણે કોણ તોફાન વગેરે કરે છે તે જાણી શકાય નહિ. આથી અંધારું પૂર્ણ થાય તે પહેલાં સાંવત્સરિક પ્રતિક્રમણ પૂર્ણ કરવાનો રિવાજ શરૂ થયો છે એમ વડીલો પાસેથી જાણવા મળ્યું છે. હવે જો એ રિવાજ ચાલુ ન રાખવામાં આવે તો એ જ દોષ થવાની પૂરી શક્યતા છે. માટે એ રિવાજ ચાલુ રહે એ જ હિતાવહ જણાય છે. શંકા– ૩૬ ૮. સંવત્સરીના દિવસે અંતરાયમાં હોય તેવી સ્ત્રીઓને સાધ્વીજી મહારાજ દ્વારા ભા.સુ.૮ ના દિવસે સંવત્સરી પ્રતિક્રમણ કરાવાય છે તે યોગ્ય છે ? સમાધાન- સંવત્સરીના દિવસે અંતરાયમાં હોય તેવી બહેનો ભા.સુ.૮ ના દિવસે સંવત્સરી પ્રતિક્રમણ ન કરી શકે. કારણ કે તેમ કરવામાં આજ્ઞાભંગ અને અનવસ્થા વગેરે દોષો થાય. તે આ પ્રમાણે- ભા.સુ.૪ ના જ સંવત્સરી પ્રતિક્રમણ કરવાનું વિધાન છે. જે પ્રતિક્રમણ જે દિવસે કરવાનું વિધાન હોય તે પ્રતિક્રમણ તે દિવસે જ કરવું જોઈએ. આથી સંવત્સરી પ્રતિક્રમણ ભા.સુ.૪ સિવાયના Jain Educationa International For Personal and Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૭૧ દિવસે કરવામાં આજ્ઞાભંગ રૂપ દોષ લાગે. તથા અનવસ્થા આ પ્રમાણે થાય- જો અંતરાયવાળી બહેનો ભા.સુ.૮ ના સંવત્સરી પ્રતિક્રમણ કરે તો તે જોઈને કોઈ પુરુષ કે સ્ત્રીથી ગાઢ બીમારીના કારણે સંવત્સરી પ્રતિક્રમણ ભા.સુ.૪ ના ન કરી શકાયું હોય તો તે પણ ભા.સુ.૮ ના સંવત્સરી પ્રતિક્રમણ કરે તથા કોઈ શ્રાવક નિયમિત પ્રતિક્રમણ કરતો હોય અને તેનાથી ગાઢ બીમારીના કારણે ચૌદશના દિવસે પખી કે ચોમાસી પ્રતિક્રમણ ન થઈ શક્યું હોય તો તે અમાસના કે પૂનમના દિવસે પફખી કે ચાતુર્માસિક પ્રતિક્રમણ કરે એવું બને. આવી અનવસ્થા થવાનો સંભવ હોવાથી અંતરાયવાળી બહેનો ભા.સુ.૪ ના રોજ ભાવથી સંવત્સરી પ્રતિક્રમણ કરે એ જ હિતાવહ જણાય છે. સંવત્સરી પ્રતિક્રમણના મુખ્ય બે ઉદ્દેશ છે- બાર માસના પાપોનો નાશ અને સર્વ જીવો પ્રત્યે ક્ષમાપના. અંતરાયવાળી બહેનોએ ભા.સુ.૪ ના એકાંતમાં બેસીને એકાગ્ર ચિત્તે નીચે મુજબની પ્રાર્થના કરવી જોઈએ- (૧) મેં ગત બાર માસ દરમિયાન મન-વચન-કાયાથી જે કોઈ પાપો કર્યા હોય, કરાવ્યા હોય, અનુમોદ્યા હોય એ બધા પાપો મિથ્યા થાઓ, મિથ્યા થાઓ, મિથ્યા થાઓ. (૨) મેં ગત બાર માસ દરમિયાન કોઈ જીવ પ્રત્યે મન-વચન-કાયાથી અપરાધ કર્યો હોય તેની ક્ષમા યાચું છું. મને સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ છે, કોઈની સાથે વૈરભાવ નથી. જો આટલું પણ હાર્દિક પશ્ચાત્તાપ પૂર્વક કરવામાં આવે તો તેનાથી પણ ઘણો લાભ થાય. શંકા- ૩૬૯. સંવત્સરી (ભા.સુ. ૪)નું પ્રતિક્રમણ તિથિભેદના કારણે બે દિવસ અલગ થાય ત્યારે એક જ શ્રાવક બંને દિવસ સંવત્સરી પ્રતિક્રમણ કરે તે યોગ્ય છે ? સમાધાન– યોગ્ય નથી. જે દિવસે સાચી સંવત્સરી હોય તે જ એક દિવસે સંવત્સરી પ્રતિક્રમણ કરવું જોઇએ. શંકા- ૩૭૦. દરેક મહિનાની સુદ પાંચમના દિવસે પ્રતિક્રમણમાં પાંચમની સંસ્કૃત થાય બોલવી જ પડે ? કે કોઈપણ ચાલે ? Jain Educationa International For Personal and Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શંકા-સમાધાન સમાધાન– જો પાંચમની થાય આવડતી હોય તો સંસ્કૃત જ બોલવી એવો નિયમ નથી. ગુજરાતી હોય પણ ચાલે. બાકી સંસ્કૃત થોય બોલાય તો વધુ સારું. શંકા- ૩૭૧. આઠમના દિવસે પ્રતિક્રમણમાં સંસાર દાવાનલની થોય જ બોલવી પડે ? કે બીજી બોલે તો ચાલે ? સમાધાન- આઠમના દિવસે પ્રતિક્રમણમાં સંસાર દાવાનલની સ્તુતિ બોલવી જોઈએ. બીજી બોલે તો ન ચાલે. પણ આઠમના દિવસે સાધુ-સાધ્વીજીઓ વિહાર કરીને આવ્યા હોય તો એ માંગલિક પ્રતિક્રમણમાં “કલ્યાણકંદ થાય બોલવાની આચરણા છે. શંકા- ૩૭૨. પ્રતિક્રમણ એ છ આવશ્યક રૂપ છે, તો પુફખરવર દીવઢ અને સિદ્ધાણં બુદ્ધાણે એ સૂત્ર કયા આવશ્યકમાં ગણાય? સમાધાન- આ સૂત્રોનો કાયોત્સર્ગ આવશ્યકમાં સમાવેશ થાય છે એમ જણાય છે (એનપ્રશ્ન ઉલ્લાસ ૧. પ્ર.૩) શંકા- ૩૭૩. સાંજના પ્રતિક્રમણ કર્યા પછી દહેરાસરમાં જિનદર્શન કરવા જવાય કે નહિ ? સમાધાન- મૂળવિધિ તો સાંજે જિનદર્શન-વંદન કર્યા બાદ પ્રતિક્રમણ કરવાની છે. આમ છતાં કોઈ કારણથી પ્રતિક્રમણ પહેલાં જિનદર્શન ન કર્યા હોય તો અપવાદથી પ્રતિક્રમણ પછી પણ જિનદર્શન કરી શકાય. શાસ્ત્રમાં કોઈ વિધાન ઉત્સર્ગથી હોય છે, તો કોઈ વિધાન અપવાદથી હોય છે. શ્રાવકો માટે જિનપૂજાનું વિધાન ઉત્સર્ગથી આ પ્રમાણે છે- શ્રાવકે સવાર-બપોર-સાંજ એમ ત્રિકાળ પૂજા કરવી જોઇએ. તેમાં સવારે વાસક્ષેપ પૂજા, બપોરે (મધ્યાહ્નકાળ) અષ્ટપ્રકારી પૂજા અને સાંજે ધૂપ-દીપ પૂજા કરવી જોઇએ. જેનાથી આ રીતે ત્રિકાળ પૂજા ન થઈ શકે તો શું કરવું ? આ અંગે અપવાદ બતાવતાં ધર્મસંગ્રહ વગેરે ગ્રંથોમાં કહ્યું છે કે “ત્રણ વખત પૂજા ન થઈ શકે તો બે વખત અને છેવટે એક વખત પણ પૂજા કરે.” ઉત્સર્ગથી તો અષ્ટપ્રકારી પૂજા મધ્યાલે કરવાનું વિધાન છે. ધંધા Jain Educationa International For Personal and Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૭૩ આદિના કારણે તેમ ન બની શકે તો શું કરવું ? અહીં અપવાદ બતાવતા કહ્યું છે કે, પોતાની આજીવિકામાં વિરોધ ન આવે તે રીતે જે કાળ અનુકૂળ હોય તે કાળે પુષ્પાદિ પૂજા કરે. સંધ્યાકાળની પૂજાનો વિધિ જણાવતાં ધર્મસંગ્રહમાં કહ્યું છે કે સૂર્યાસ્ત પહેલાં દીપકપૂજા-ધૂપપૂજાથી ત્રીજી જિનપૂજા કરે. આનો અર્થ એ થયો કે સૂર્યાસ્ત પછી કોઈ પણ પ્રકારની પૂજા ન થાય. પૂજાનો આ વિધિ જોતાં સ્પષ્ટ થાય છે કે ઉત્સર્ગથી તો સૂર્યાસ્ત બાદ જિનમંદિર બંધ કરી દેવું જોઇએ પણ જેઓ સૂર્યાસ્ત પહેલાં દર્શનપૂજન ન કરી શકે તેઓ શું કરે ? આ અંગે આચારોપદેશ ગ્રંથમાં કહ્યું છે કે “શ્રાવક દૈવસિક પ્રતિક્રમણ કરી લીધા પછી વસ્ત્રથી મુખ ઢાંકીને મૌનપણે ગુરુભગવંતની સેવા કરે. ત્યારબાદ દેરાસરમાં દર્શન-વંદન કરીને પોતાના ઘરે જાય.” પ.પૂ.આ.શ્રી દાનસૂરીશ્વરજી મહારાજે આ પાઠનું સમર્થન કર્યું છે. વર્તમાનકાળમાં પણ અનેક આચાર્યો આ પાઠનું સમર્થન કરે છે. આ અંગે સેનપ્રશ્ન ગ્રંથમાં પ્રશ્નોત્તર નીચે પ્રમાણે છેપ્રશ્ન- દેરાસરમાં રાત્રિએ ગીત-ગાનાદિ કરવામાં આવે તો દેવદ્રવ્યની ઉપજ થાય છે, નહિતર તો થતી નથી. તો તે કરવું કે નહિ? ઉત્તર– શાસ્ત્રવિધિ મુજબ તો મૂળવિધિએ ગીત-ગાન વગેરે રાત્રિએ કરવું યુક્ત નથી. પરંતુ દેવદ્રવ્યની ઉપજના કારણે રાત્રિમાં પણ ગીત-ગાનાદિ ભાવના કરવામાં લાભ જણાય છે. (૪-૯૨૩) જો દેવદ્રવ્યની ઉપજના કારણે રાત્રિમાં પણ ગીત-ગાનાદિ ભાવના કરવામાં લાભ થતો હોય તો જેઓ સૂર્યાસ્ત પહેલાં દર્શન-પૂજન ન કરી શકે તેમને સૂર્યાસ્ત બાદ પણ દર્શન કરવામાં સમ્યગ્દર્શનની શુદ્ધિ થતી હોય તો લાભ કેમ ન થાય? જરૂર લાભ થાય. વર્તમાનમાં સૂર્યાસ્ત પહેલાં દર્શન-પૂજન કરવા બહુ જ અલ્પ શ્રાવકો જઈ શકે છે. મોટા ભાગના શ્રાવકો તેમના ધંધા આદિના કારણે રાતે જ દર્શન કરવા જઈ શકતા હોય છે. આવા સંયોગોમાં “સૂર્યાસ્ત પછી જિનાલયે દર્શન કરવા ન જવું જોઈએ, મંદિર બંધ કરવું જોઇએ” Jain Educationa International For Personal and Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શંકા-સમાધાન એવો આગ્રહ શ્રાવકોની દર્શનશુદ્ધિમાં અંતરાય કરનારો ન ગણાય? આજે સાધુઓના અને શ્રાવકોના ઘણા આચારો અપવાદથી પળાઈ રહ્યા છે. જેમ કે શ્રાવકોના ઉપધાન, ઉપધાનમાં મૂળ વિધિમાં નીવિ છે જ નહિ. જયારે આજે મોટા ભાગે નીવિથી ઉપધાન કરાવાય છે. રાત્રિદર્શનનો વિરોધ કરનારા આનો વિરોધ કેમ કરતા નથી? દરેક ધર્મક્રિયા પ્રમાદ છોડીને વિધિપૂર્વક કરવી જોઈએ એમ શાસ્ત્રમાં કહ્યું છે. આમ છતાં એમ પણ કહ્યું છે કે પ્રમાદ આદિનો ત્યાગ ન થઈ શકે તો પણ શુદ્ધધર્મની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરવા પૂર્વક શુદ્ધ ધર્મના રાગી જીવે પ્રમાદ અને અવિધિથી કલુષિત પણ ધર્મનો ત્યાગ ન કરવો જોઇએ. બીજા પણ એક સ્થળે કહ્યું છે કે- “અવિધિથી કરવા કરતાં ન કરવું સારું” એ ઉત્સુત્ર વચન છે. કેમ કે વિહિત અનુષ્ઠાન તદ્દન ન કરવાથી અધિક પ્રાયશ્ચિત્ત કહ્યું છે અને અવિધિથી કરવાથી અલ્પ પ્રાયશ્ચિત્ત કહ્યું છે” આનો તાત્પર્યાર્થ એ થયો કે અવિધિ થઈ જતી હોય તો પણ વિધિ ઉપર બહુમાનભાવ રાખીને અવિધિવાળા અનુષ્ઠાનનો ત્યાગ ન કરવો જોઇએ. આથી “સૂર્યાસ્ત પછી જિનાલયે દર્શન કરવા ન જવું જોઇએ, મંદિર બંધ કરવું જોઈએ” એવો આગ્રહ રાખવો તે કેટલું ઉચિત છે ? શંકા- ૩૭૪. રાતે પ્રતિક્રમણ કર્યા પછી આરતી ઉતારાય ? ચૈત્યવંદન કરી શકાય ? સમાધાન- મૂળવિધિ પ્રમાણે તો શ્રાવકોને સાંજે સૂર્યાસ્ત પહેલાં દર્શન વગેરે કરીને પછી પ્રતિક્રમણ કરવાનું છે. આથી મૂળવિધિ પ્રમાણે તો પ્રતિક્રમણ પછી દર્શન પણ કરવાનો વિધિ નથી. આમ છતાં અપવાદે વર્તમાનમાં પ્રતિક્રમણ પહેલાં દર્શન ન કરી શક્યા હોય એથી પ્રતિક્રમણ પછી દર્શન કરવા જાય અથવા ભાવના વગેરેમાં જાય તો આરતી ઉતારી શકે છે અને ચૈત્યવંદન પણ કરી શકે છે. શંકા- ૩૭૫. ટ્રેનોમાં બસોમાં યાત્રા પ્રવાસોમાં કરેમિ ભંતે ઉચ્ચર્યા વિના ભાવથી પ્રતિક્રમણ થઈ શકે ? Jain Educationa International For Personal and Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૭પ સમાધાન થઈ શકે. જે શ્રાવક-શ્રાવિકાઓ દરરોજ પ્રતિક્રમણ કરતા હોય પણ આવા સંયોગોમાં કરેમિ ભંતે ઉચ્ચારી શકાય તેમ ન હોય તેથી તે શ્રાવકો કરેમિ ભંતે ઉચ્ચર્યા વિના પ્રતિક્રમણની સામાયિક લેવા-પારવા સિવાયની બધી ક્રિયા કરી શકે છે. એ રીતે પણ પશ્ચાત્તાપ દ્વારા પ્રતિક્રમણનો હેતુ સિદ્ધ થાય છે. પરંતુ જેને છ આવશ્યક કરવાનો નિયમ હોય, એ આ રીતે પ્રતિક્રમણથી સંતોષ માની શકે નહિ. આ રીતે પ્રતિક્રમણ કર્યું હોય, તો પ્રતિક્રમણ રહી ગયાનું પ્રાયશ્ચિત્ત એણે લેવું જોઈએ. શંકા- ૩૭૬. ચાલુ પ્રતિક્રમણમાં વચ્ચે ક્રિયાનાં સૂત્રોના અર્થ અને ક્રિયાનો ભાવાર્થ સમજાવી શકાય કે નહિ ? સમાધાન- ચાલુ પ્રતિક્રમણમાં વચ્ચે વચ્ચે ક્રિયાનાં સૂત્રોના અર્થ અને ક્રિયાનો ભાવાર્થ ન સમજાવી શકાય. એનાથી અવિધિ થાય. શ્રાવકોને પ્રતિક્રમણ કરવાની ભાવના થાય અને ઉલ્લાસથી પ્રતિક્રમણ કરે એ માટે વ્યાખ્યાનમાં ક્રિયાનાં સૂત્રોના અર્થ અને ક્રિયાનો ભાવાર્થ સમજાવી શકાય. સાંવત્સરિક પ્રતિક્રમણમાં ક્યારેક ઉપાશ્રયમાં ન આવનારા પણ આવતા હોય છે. એમને વાંદણા કેમ આપવા અને મુહપત્તિનું પડિલેહણ કેમ કરવું વગેરેનો જરાય ખ્યાલ હોતો નથી. આથી એવા લોકોને વાંદણા આદિની વિધિનું અને એના રહસ્યનું જ્ઞાન થાય એ માટે પ્રતિક્રમણ શરૂ થયા પહેલા સમજ આપવી જરૂરી ગણાય. તેમ કરવામાં કોઈ દોષ નથી, બલ્ક લાભ છે. પણ પ્રતિક્રમણ શરૂ થયા પછી વચ્ચે સમજાવવાથી અવિધિ થાય. શંકા- ૩૭૭. શ્રી જીવવિજયજી મહારાજે સકલતીર્થની રચના શા માટે કરી અને રાઈ પ્રતિક્રમણની વિધિમાં તેનો ઉમેરો શા કારણે થયો ? તથા શ્રી જીવવિજયજી મહારાજ ક્યારે થઈ ગયા ? સમાધાન- વિચારતાં જણાય છે કે શ્રી જીવવિજયજી મહારાજે ભક્તિભાવથી પ્રાચીન ગાથાઓના આધારે સકલતીર્થની રચના કરી હતી. એ રચના પ્રભુને વંદન કરવામાં ભાવોલ્લાસ જગાડનારી બની. Jain Educationa International For Personal and Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શંકા-સમાધાન આથી તત્કાલીન ગીતાર્થોએ એનો રાઇપ્રતિક્રમણની વિધિમાં સમાવેશ કર્યો. ત્યાર પછીના ગીતાર્થોએ પણ તેને અપનાવી લીધું. આથી સુવિહિતોની આચરણાથી સકલતીર્થ રાઇપ્રતિક્રમણમાં બોલવામાં આવે છે. શ્રી જીવવિજયજી મહારાજ વિક્રમની અઢારમી સદીના પાછળના ભાગમાં અને ઓગણીસમી સદીના આગલા ભાગમાં થયા છે. તેમણે પ્રજ્ઞાપનાસૂત્ર, જંબુદ્રીપપ્રશિષ્ઠ અને જીવવિચાર ઉપર બાલાવબોધની રચના કરી છે. તથા છ કર્મગ્રંથ ઉપર ગુજરાતીમાં ટબ્બાઓ રચેલા છે. આનાથી જણાય છે કે તેઓ મહાવિદ્વાન હતા. શંકા— ૩૭૮. રાઇપ્રતિક્રમણમાં છેલ્લે શ્રી સીમંધરસ્વામી અને શ્રી શત્રુંજયના ચૈત્યવંદનમાં કેટલા દુહા બોલીને ખમાસમણાં આપવા ? સમાધાન– એક દુહો બોલીને એક ખમાસમણ આપવું. એમાં ઓછામાં ઓછા ત્રણ દુહા બોલવા જોઇએ એવી વર્તમાનમાં આચરણા છે. ભાવના-ઉલ્લાસ પ્રમાણે ત્રણથી વધારે દુહા બોલવામાં વાંધો નથી પણ ઓછામાં ઓછા ત્રણ દુહા બોલીને ત્રણ ખમાસમણાં આપવા જોઇએ. શંકા- ૩૭૯. સાંજના પ્રતિક્રમણમાં કોઇ શ્રાવક પચ્ચક્ખાણ ન કરતા હોય તો એમના બોલેલા સૂત્રોના આદેશ બીજાઓને કામ આવે ? બીજાઓને ચાલે ? સમાધાન– પચ્ચક્ખાણ વગર પ્રતિક્રમણ કરાય નહિ. પ્રતિક્રમણ એટલે છ આવશ્યક. છ આવશ્યકમાં એક પચ્ચક્ખાણ આવશ્યક છે. આથી પચ્ચક્ખાણ વિના છ આવશ્યક પૂર્ણ ન થાય. શારીરિક કારણે દવા લેવી પડતી હોય અને તે દવા દુવિહારમાં લઇ શકાય તેવી હોય તો દુવિહારનું પણ પચ્ચક્ખાણ તો કરવું જોઇએ. શારીરિક કારણે દુવિહારનું પણ પચ્ચક્ખાણ થઇ શકે તેમ ન હોય અને વર્ષોથી પ્રતિક્રમણ કરતા હોય અને કોઇ પણ સંયોગોમાં પ્રતિક્રમણ ન છોડવું એવી પ્રબળ ભાવનાવાળા શ્રાવક ધારણાભિગ્રહનું પચ્ચક્ખાણ લઇ શકે. ધારણાભિગ્રહનું પચ્ચક્ખાણ તો બહુ બીમાર શ્રાવક લઇ શકે. જે શ્રાવક બીમાર ન હોય અને બેદરકારી વગેરેના કારણે રાતે ભોજન Jain Educationa International For Personal and Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૭૭ કરે તેનાથી રાત્રિ પ્રતિક્રમણ ન થઈ શકે. રાતે ખાનારને પણ પ્રતિક્રમણ કરવાની છૂટ આપવામાં આવે તો સંભવ છે કે કેટલાક શ્રાવકો રાત્રિભોજનનો ત્યાગ થઈ શકે તેમ હોય તો પણ રાત્રિભોજનનો ત્યાગ કર્યા વિના પ્રતિક્રમણ કરનારા બને. માટે ધારણાભિગ્રહ કરીને પ્રતિક્રમણ કરવાની છૂટ જે શ્રાવક વર્ષોથી પ્રતિક્રમણ કરતો હોય, કોઈ પણ સંયોગોમાં પ્રતિક્રમણ કર્યા વિના રહેવું નહિ એવી ભાવનાવાળો હોય, પણ શારીરિક તેવી બીમારીને કારણે દુવિહાર પણ ન કરી શકે તેવા શ્રાવક માટે જ સમજવી. આવા શ્રાવકના બોલેલા સૂત્રોના આદેશ બીજાઓને ચાલે. શંકા- ૩૮૦. ૨૨ જિનના સાધુઓને દોષ લાગે તો સવાર-સાંજ પ્રતિક્રમણ કરવાનું હોય છે. પરંતુ ૨૨ જિનના શ્રાવકોને સવારસાંજનું પ્રતિક્રમણ અવશ્ય કરવાનું હોય છે કે દોષ લાગે તો જ કરવાનું હોય છે ? સમાધાન– ૨૨ જિનના શ્રાવકોને સવાર-સાંજનું પ્રતિક્રમણ અવશ્ય કરવાનું હોય છે. કારણ કે તેમને તો અવિરતિના કારણે દરરોજ દોષો=પાપો લાગે જ છે. - શંકા- ૩૮૧. પ્રતિક્રમણના દેવવંદનમાં શ્રાવકોએ ખેસ નાખવો જરૂરી ખરો ? જરૂરી હોય તો પ્રતિક્રમણના દરેક નમુત્થણંમાં પણ ખેસ નાખવો જોઈએ કે નહિ ? સમાધાન– અરિહંતને ઉદ્દેશીને (અરિહંતને લક્ષ્યમાં રાખીને) કરાતી ક્રિયામાં શ્રાવકે ખેસ રાખવો જોઇએ. દેવવંદન અરિહંતને ઉદેશીને છે. આથી દેવવંદનમાં શ્રાવકે ખેસ પહેરવો જોઇએ. મૂળવિધિ પ્રમાણે તો દેવવંદન જિનમંદિરમાં જિનપ્રતિમા સમક્ષ કરવાનું છે પણ પૂર્વાચાર્યોએ કોઈ કારણથી દેવવંદનને પ્રતિક્રમણની વિધિમાં સ્થાન આપ્યું છે. આથી જિનમંદિરમાં દેવવંદન કરતી વખતે શ્રાવકોએ ખેસ નાખવો જરૂરી છે. આમ છતાં પ્રતિક્રમણમાં દેવવંદન કરતાં ખેસ નાખવો જરૂરી નથી. કારણ કે મૂળવિધિ પ્રમાણે પ્રતિક્રમણમાં શ્રાવકને ધોતિયા સિવાય અને સાધુને ચોલપટ્ટા સિવાય Jain Educationa International For Personal and Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શંકા-સમાધાન કોઈ વસ્ત્ર શરીરે પહેરવાનું-ઓઢવાનું નથી. પ્રતિક્રમણ ખેસ વિના જ કરવાની વિધિ છે. પ્રતિક્રમણમાં કરાતું દેવવંદન પ્રતિક્રમણરૂપ ગણાય. મૂળવિધિ પ્રમાણે તો પ્રતિક્રમણમાં દેવવંદન નથી. કારણ કે પ્રતિક્રમણ છ આવશ્યકરૂપ છે. છ આવશ્યકમાં દેવવંદન ન આવે. આમ છતાં પાછળથી પ્રતિક્રમણમાં દેવવંદન ઉમેરાયું છે. પ્રતિક્રમણમાં દેવવંદન કેમ ઉમેરાયું એનો વિચાર કરતાં જણાય છે કે શ્રાવકે ત્રિકાળ દેવવંદન કરવું જોઈએ એવું વિધાન છે. પ્રમાદના કારણે શ્રાવક ત્રિકાળ દેવવંદન ન પણ કરે. પ્રતિક્રમણની વિધિમાં દેવવંદન ઉમેરવામાં આવે તો પ્રતિક્રમણ કરનારને આ વિધિનું પાલન થાય. આવા આશયથી દેવવંદન પ્રતિક્રમણની વિધિમાં ઉમેરાયું હોય એવી સંભાવના છે. આમાં પરમાર્થ તો જ્ઞાની જાણે. શંકા- ૩૮૨. શાકિનીએ કરેલા ઉપદ્રવને શાંત કરવા શ્રીમાન દેવસૂરિજી મહારાજે શાંતિસ્તોત્રની રચના કરી. એ શાંતિ સ્તોત્રને ભણવા-સાંભળવાથી ઉપદ્રવ નાશ પામ્યો અને શાંતિ થઇ. તે વખતે ઉદયપુરમાં યતિજી બિરાજમાન હતા. શ્રાવકો હરવખત એ શાંતિ સાંભળવા આવતા હતા. તેથી કંટાળીને તેઓએ આને પ્રતિક્રમણની વિધિમાં દાખલ કરી. આવી રીતે કોઈ યતિ કોઈ સૂત્ર વિધિમાં દાખલ કરે તો ચાલે ? સમાધાન- યતિએ પ્રતિક્રમણમાં શાંતિસ્તોત્ર દાખલ કર્યું એ કિંવદન્તી છે અને આ કિંવદન્તી બિલકુલ અસત્ય જણાય છે. સત્ય હકીકત આ પ્રમાણે છે આ લઘુશાંતિ સ્તોત્ર પ્રતિદિન પોતે બોલવાથી અથવા બીજાની પાસે સાંભળવાથી અથવા એનાથી મંત્રેલા પાણીનો છંટકાવથી શ્રી સંઘમાં શાકિની દ્વારા કરાયેલો મરકીનો ઉપદ્રવ શમી ગયો, અને શાંતિ ઉત્પન્ન થઈ. ત્યારથી આજ સુધી પ્રાયઃ પ્રતિદિન લઘુશાંતિ પ્રતિક્રમણના અંતે બોલાય છે, એવો સંપ્રદાય છે.” (જુઓ પ્રબોધ ટીકા ભાગ બીજો પૃષ્ઠ પ૨૬) Jain Educationa International For Personal and Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૭૯ શંકા- ૩૮૩. સઝાય દરમિયાન બહેનો કેવી રીતે બેસે ? સમાધાન– બહેનોએ પ્રતિક્રમણમાં સજ્ઝાય દરમિયાન ઊભડક પગે બેસવું જોઇએ. તેમ ન ફાવે તો અનુકૂળતા મુજબ બેસી શકે છે. પૌષધમાં સવારની સઝાય ઊભા ઊભા કરવાની હોય છે. શંકા- ૩૮૪. પ્રતિક્રમણ કરવા આવેલ ઉપવાસી શ્રાવક સાંજે સામાયિક લીધા પછી મુહપત્તિ પડિલેહીને વાંદણા આપ્યા વિના પચ્ચક્ખાણ કરે છે તેનું શું કારણ ? સમાધાન– સામાચારી વગેરે ગ્રંથોમાં ભોજન કર્યું હોય તો વાંદણા આપ્યા પછી પચ્ચક્ખાણ ક૨વું એવો પાઠ છે. પણ ઉપવાસના દિવસે વાંદણા આપીને પચ્ચક્ખાણ કરવું એવો પાઠ નથી. માટે ઉપવાસના દિવસે વાંદણા આપ્યા વિના પચ્ચક્ખાણ કરે છે. આમ છતાં ઉપવાસમાં પણ મુહપત્તિ તો પડિલેહવી જોઇએ. કેમ કે તેના વિના પચ્ચક્ખાણ કરવું કલ્પે નહિ. એવી સામાચારી છે. (સેનપ્રશ્ન ઉલ્લાસ-૩ પ્રશ્ન-૪૨૮) શંકા- ૩૮૫. પ્રતિક્રમણમાં આવતા કયા સૂત્રો સ્ત્રીઓ ન બોલે ? તથા ન બોલે તેનું કારણ શું ? સમાધાન– નમોડર્હત્-નમોસ્તુ વર્ધમાનાય-વિશાલલોચનદલંવરકનકશંખ આ સૂત્રો સ્ત્રીઓ ન બોલે. આ સૂત્રો પૂર્વાન્તર્ગત હોવાની સંભાવના છે અને સ્ત્રીઓ પૂર્વે ન ભણી શકે, માટે આ સૂત્રો સ્ત્રીઓ ન બોલે. પુરુષોને જ્યાં નમોડર્હત્ બોલવાનું હોય છે, ત્યાં સ્ત્રીઓ કંઇ ન બોલે. પૂજા ભણાવતી વખતે સ્ત્રીઓ નમોડર્હત્તા સ્થાને નવકાર સૂત્ર બોલે છે. નમોડસ્તુ વર્ધમાનાય અને વિશાલલોચનદલં એ બેના સ્થાને સંસાર દાવાનલ સૂત્રની ત્રણ ગાથાઓ બોલે છે. વરકનક સૂત્ર બોલ્યા વિના ભગવાનહં વગેરે ચાર ખમાસમણા આપે છે. શંકા- ૩૮૬. પૂ. આચાર્યદેવ સમક્ષ પખી, ચોમાસી કે સંવત્સરી મુહપત્તિ કરવી હોય તો તેની વિધિ શી છે ? સંવત્સરી મુહપત્તિ For Personal and Private Use Only Jain Educationa International Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શંકા-સમાધાન કરનાર માટે પછી ચોમાસી-પખી મુહપત્તિ કરવી જરૂરી ગણાય? વિગતવાર ખુલાસો કરવા વિનંતી. સમાધાન કોઈ પણ પ્રતિક્રમણ ગુરુની-આચાર્યની સાથે કરવાનું છે. એથી જેણે સવારનું પ્રતિક્રમણ ગુરુની સાથે ન કર્યું હોય તેણે ગુરુની=આચાર્યની પાસે રાઈ મુહપત્તિ કરવી જોઈએ તેવી આચરણા છે. તે જ રીતે જેણે ગુરુની સાથે પકખી, ચોમાસી કે સંવત્સરી પ્રતિક્રમણ ન કર્યું હોય તેણે ગુરુની પાસે પફખી, ચોમાસી કે સંવત્સરી મુહપત્તિ કરવી જોઈએ એવી આચરણા છે. તેમાં કોઈક સમુદાયમાં પફખી મુહપત્તિનો વિધિ આ પ્રમાણે છે(૧) પહેલાં રાઈ મુહપત્તિની વિધિ પ્રમાણે રાઈ મુહપત્તિના પડિલેહણથી માંડી અભુઢિઓ ખામવા સુધીનો વિધિ કરવો. માત્રા છેલ્લા બે વાંદણા, પચ્ચકખાણ લેવાનું બાકી રાખવું. (૨) પછી પખી મુહપત્તિ પડિલેહવાના આદેશથી માંડીને સબસ્સવિ સુધી રાઈ મુહપત્તિ પ્રમાણે જ વિધિ કરવો. રાઈના સ્થાને પફખી શબ્દ કહેવો. પછી ઈચ્છકારી ભગવત્ પસાય કરી પફખી તપ પસાય કરશોજી વગેરે કહેવું. પછી પકુખી અબૂઢિઓ ખામવો. અહીં પફખી મુહપત્તિની વિધિ પૂર્ણ થાય છે. (૩) હવે રાઇ મુહપત્તિની વિધિના છેલ્લા બે વાંદણા આપીને ઈચ્છકારી ભગવદ્ ! પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી એમ કહીને પચ્ચકખાણ કરવું. પછી બહુવેલના બે આદેશ માગીને મિચ્છા મિ દુક્કડું કહેવું. અહીં પકુખી મુહપત્તિની વિધિ પૂર્ણ થઈ. કોઈક સમુદાયમાં પફખી મુહપત્તિની વિધિ આ પ્રમાણે છે(૧) પહેલાં રાઈ મુહપત્તિની વિધિ પ્રમાણે રાઈ મુહપત્તિના પડિલેહણથી આરંભી સબ્યસ્સ વિ સુધીનો વિધિ કરવો. બે વાંદણા, અભુઢિઓ અને બે વાંદણા આટલું બાકી રાખવું. (૨) પછી પફખી મુહપત્તિ પડિલેહવાના આદેશથી માંડીને સવ્વસ વિ સૂત્ર સુધી રાઈ મુહપત્તિ પ્રમાણે જ વિધિ કરવો. રાઈના Jain Educationa International For Personal and Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૮૧ સ્થાને પફખી કહેવું. પછી ઇચ્છકારી ભગવત્ પસાય કરી પખી તપ પસાય કરશોજી વગેરે કહેવું. પછી બે વાંદણા બાદ પખી અદ્ભુઢિઓ ખામવો. અહીં પખી મુહપત્તિનો વિધિ પૂર્ણ થાય છે. (૩) હવે રાઇ મુહપત્તિની વિધિમાં બાકી રહેલ બે વાંદરા, અભુઢિઓ, બે વાંદણા આટલો વિધિ કરવો. પછી ઇચ્છકારી ભગવદ્ પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ દેશોજી એમ કહીને પચ્ચકખાણ કરવું. પછી બહુવેલના બે આદેશ માગીને મિચ્છા મિ દુક્કડં કહેવું. અહીં પખી મુહપત્તિનો વિધિ પૂર્ણ થાય છે. અહીં પફખી મુહપત્તિનો બે પ્રકારનો વિધિ જણાવ્યો છે. તે બેમાં નીચે મુજબ ભેદ છે. પહેલા પ્રકારમાં રાઈ મુહપત્તિની વિધિના માત્ર છેલ્લા બે વાંદણા બાકી રાખીને પફખી મુહપત્તિનો પ્રારંભ કરાય છે. બીજા પ્રકારમાં બે વાંદણા, અદ્ભુઢિઓ અને બે વાંદણા બાકી રાખીને પફખી મુહપત્તિનો પ્રારંભ કરાય છે. આટલા ભેદ સિવાય બીજો કોઈ ભેદ નથી. વિચાર કરતાં બીજા પ્રકારનો વિધિ વધારે યોગ્ય જણાય છે. કારણ કે પફખી પ્રતિક્રમણમાં સવ્યસ્સ વિ સૂત્ર કહીને (પગામ સિજ્જાએ સૂત્ર કહીને) પખી પ્રતિક્રમણ શરૂ થાય છે. આથી પફખી પ્રતિક્રમણ પૂર્ણ થયા પછી બે વાંદરા અને અભુઢિઓ સૂત્ર કહેવાય છે. અભુઢિઓ પછીના બે વાંદણા પચ્ચક્ખાણ કરવા માટેના છે. અદ્ભુઢિઓ પહેલાંના બે વાંદણા અદ્ભુઢિઓ સૂત્ર માટેના છે. આનો સાર એ આવ્યો કે બીજા પ્રકારની વિધિમાં રાઈ મુહપત્તિની વિધિમાં અભુકિઓ ખમાવવાનું બાકી રાખીને પકુખી પ્રતિક્રમણનો વિધિ શરૂ થાય છે. જ્યારે પહેલા પ્રકારની વિધિમાં અભુઢિઓ ખમાવીને પકુખી પ્રતિક્રમણનો વિધિ શરૂ થાય છે. બંને પ્રકારની વિધિમાં આટલા ભેદ સિવાય બીજો કોઈ ભેદ નથી. ચોમાસી મુહપત્તિ કરવાની હોય ત્યારે ચોમાસી મુહપત્તિની વિધિ કર્યા પછી પકૂખી મુહપત્તિની વિધિ કરવાની જરૂર નથી. તે જ પ્રમાણે સંવત્સરી મુહપત્તિ કરવાની હોય ત્યારે ચોમાસી અને પછી Jain Educationa International For Personal and Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શંકા-સમાધાન મુહપત્તિ કરવાની જરૂર નથી. કારણ કે ચોમાસામાં પફખી આવી જાય છે, સંવત્સરીમાં ચોમાસી અને પક્ખી આવી જાય છે. શંકા- ૩૮૭. “ઇચ્છામિ ખમાસમણો વંદિઉં', આટલું શ્રાવક બોલે પછી ગુરુ “છંદેણ' કહે કે “જાવણિજજાએ નિસીરિઆએ” બોલ્યા પછી છેલ્લે માત્ર “મFણ વંદામિ’ બાકી રહે ત્યારે છુંદણ” કહે? સમાધાન– “ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસીરિઆએ” આટલું બોલાયા પછી ગુરુ “છંદણ” કહે. શંકા- ૩૮૮. વંદન કરવા માટે શ્રાવક આજ્ઞા માગે ત્યારે ગુરુ છંદેણું' કહે છે કે “જહાસુખં કહે ? સમાધાન- “ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજજાએ નિસીરિઆએ” એમ બોલવામાં આજ્ઞાની માગણી આવી જાય છે. આથી શ્રાવક “હું આપને વંદન કરું” એમ પૂછવાની જરૂર રહેતી નથી. છતાં કોઈ પૂછે તો “છંદેણ”(તમારી જેવી ઇચ્છા) એમ કહે. કાઉસગ્ન સંબંધી શંકા-સમાધાન શંકા- ૩૮૯. ભગવાનના કાઉસ્સગ્નમાં ચંદેસુ નિમ્મલયરા સુધી કે આખો લોગસ્સ ચિંતવવાનો ? સમાધાન– ચંદેસુ નિમ્મલયરા સુધી ચિંતવવાનું હોય છે. આરાધના નિમિત્તક કાઉસ્સગ્ન ચંદેસુ નિમ્મલયરા સુધી, ઉપદ્રવ નિવારણાદિ નિમિત્તક કાઉસ્સગ્ન સાગરવર ગંભીરા સુધી, ભાવ અને શાંતિનિમિત્તક કાઉસ્સગ્ન સંપૂર્ણ લોગસ્સ સુધી ચિંતવવાનું વિધાન છે. શંકા- ૩૯૦. કાઉસ્સગ્નમાં ચાર નવકાર ગણવાના હોય તેના બદલે વધુ ગણવા યોગ્ય છે ? સમાધાન– કાઉસ્સગ્નમાં ચાર નવકાર ગણવાના હોય તે કાઉસ્સગ્નમાં ચાર જ નવકાર ગણવા જોઈએ, વધારે નહિ. વૈદ્યડૉકટરે એક સમયમાં ચાર ગોળી લેવાની કહી હોય તો શું વધારે ગોળીઓ લઈ શકાય ? શાકમાં મરચું જેટલું નાખી શકાય તેનાથી વધારે નાખે તો શું થાય? રોટલી કરવાની હોય ત્યારે લોટ બાંધવા Jain Educationa International For Personal and Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૮૩ જેટલું પાણી જોઈએ તેનાથી વધારે પાણી નાખે તો શું થાય ? તેમ કાઉસ્સગ્નમાં જયારે જેટલા નવકાર ગણવાના હોય ત્યારે તેટલા જ નવકાર ગણવાનો ઉપયોગ રાખવો જોઈએ. શંકા- ૩૯૧. ચૈત્રી ઓળીમાં સુદ ૧૧-૧૨-૧૩ અથવા ૧૨૧૩-૧૪ અથવા ૧૩-૧૪-૧૫ આ ત્રણ દિવસોમાં અચિત્તરજનો કાઉસ્સગ્ન કરવાનું ભૂલી ગયા હોય, તો નીચે જણાવેલ વિગતોમાંથી શું શું ન થાય ? (૧) જોગના સૂત્રો (આદેશ બીજા આપે) બોલી શકે ? (૨) કાલગ્રહણ લઈ શકે? કાલ પdવી શકે? દાંડીધર બની શકે ? (૩) તે મહાનિશીથના જોગવાળા હોય તો તેમના પડિલેહણ કરેલા ભગવાન પદવીધરને ચાલે ? જોગીને ચાલે ? (૪) જોગમાં ગોચરી આદિ અપાવવા જઇ શકે ? (૫) શ્રમણ આવશ્યક ક્રિયાના સૂત્રોનો સ્વાધ્યાય કરી શકે ? (૬) દશવૈકાલિક સૂત્રની ૧૮મી ગાથાથી આગળ કોઈ પણ આગમ આદિનો સ્વાધ્યાય કરી શકે ? વાંચી શકે ? (૭) કાલિક અનાગાઢ કે ઉત્કાલિક જોગ ચાલતા હોય અને કાઉસ્સગ્ન કરવાનું ભૂલી જાય તો તે જોગ થાય? અને અનુજ્ઞા થઈ ગઈ હોય અને વૃદ્ધિ દિન બાકી હોય તો તે જોગ આગળ કરી શકે ? કે જોગ જાય ? (૮) ઉત્તરાધ્યયન, મહાનિશીથ, ભગવતી આદિ અનાગાઢ જોગ ચાલુ હોય અને કાઉસ્સગ્ગ ભૂલી જાય તો શું કરવું ? (૯) (૧) પર્યુષણમાં કલ્પસૂત્ર-બારસાસૂત્ર-ખીમશાહી (જોગપૂર્વે પણ વડીલોની અનુજ્ઞાથી વાંચતા હોય તો) વાંચી શકે? (૨) કે સાથેના કદાચ અજોગી હોય અને કાઉસ્સગ્ન કર્યો હોય તે વાંચે ? (૩) કે જોગી કાઉસ્સગ્ન ન કર્યો હોય તે વાંચે ? સમાધાન- આ વિષયમાં સેનપ્રશ્નમાં ૫૦૬ નંબરના પ્રશ્નના ઉત્તરમાં નીચે મુજબ જણાવ્યું છે– Jain Educationa International For Personal and Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શંકા-સમાધાન કાઉસ્સગ્ન ન કર્યો હોય તેને પોતાને યોગસંબંધી ક્રિયા કરવી કે કરાવવી કહ્યું નહિ.” તથા “શ્રીપ્રવજ્યા-યોગાદિ વિધિ સંગ્રહ’ પુસ્તકમાં નીચે મુજબ લખ્યું છે– આ (ચૈત્રી ઓળીનો) કાઉસ્સગ્ન જેણે ન કર્યો હોય તેને સાધુસાધ્વીને યોગ કરવા, કરાવવા કે આગમનું વાંચન કરવું સુજે નહિ. તેમજ કલ્પસૂત્ર પ્રમુખ વાંચી શકે નહિ.' ઉક્ત બધા પ્રશ્નોના ઉત્તરો આ બે ગ્રંથોના ઉલ્લેખને લક્ષમાં રાખીને આપી શકાય. તે આ પ્રમાણે ઉ.૧ જોગના સૂત્રો બોલવામાં બાધ જણાતો નથી. કારણ આવશ્યક ક્રિયાના સૂત્રો બોલવાની છૂટ હોય છે. ઉ.૨ કાલગ્રહણ ન લઈ શકે, કાલ ન પdવી શકે, દાંડીધર ન થઈ શકે. કારણ કે આ ક્રિયા ખાસ જોગ સંબંધી જ છે. ઉ.૩ તે મહાનિશીથના જોગવાળા હોય તો તેમના કરેલ ભગવાન પદવીધરને અને જોગીને ચાલે. ઉ.૪ જોગમાં અપાવવા જઈ શકે. કારણ કે સેનપ્રશ્ન (૫૦૬)માં યોગની ક્રિયા-કરવી-કરાવવી કલ્પ નહિ એવો ઉલ્લેખ છે. અપાવવામાં જોગની કોઈ ક્રિયા કરાવવાની હોતી નથી. ઉ.૫ શ્રમણ આવશ્યક ક્રિયાના સૂત્રોના સ્વાધ્યાય ન થઈ શકે. ઉ.૬ દશવૈકાલિક સૂત્રની ૧૮મી ગાથાથી આગળ કોઈ પણ આગમનો ( જોગ કરીને ભણી શકાય તેવા સૂત્રોનો) સ્વાધ્યાય કે વાંચન ન થઈ શકે. મૂળ, ટીકા કે ચૂર્ણિ વગેરે કંઈ પણ વાંચી શકાય નહિ. ઉ.૭ કાલિક અનાગાઢ કે ઉત્કાલિક જોગ ચાલતા હોય અને કાઉસ્સગ્ન કરવાનું ભૂલી જાય તો કાઉસ્સગ્ન પહેલાં જે સૂત્રના જોગમાં પ્રવેશ થઈ ગયો હોય તે સૂત્રના જોગ પૂરા કરી શકાય. નવા સૂત્રના જોગમાં પ્રવેશ કરી શકાય નહિ. વૃદ્ધિદિન કરી શકાય. Jain Educationa International For Personal and Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૮૫ ઉ.૮ કાઉસ્સગ્ગના સમય પહેલાં જોગમાં પ્રવેશ થઇ ગયો હોવાથી કરી શકાય. પણ આગળના નવા સૂત્રના જોગમાં તે સૂત્રના જોગ પૂરા પ્રવેશ ન કરી શકાય. ૩.૯ ઉત્સર્ગથી તો આ ત્રણ વિકલ્પોમાંથી એક પણ વિકલ્પમાં કલ્પસૂત્ર વગેરે ન વાંચી શકાય. અપવાદથી તો નીચે પ્રમાણે ક્રમ રાખવો યોગ્ય જણાય છે. (૧) પહેલા નંબરમાં જોગી હોય અને કાઉસ્સગ્ગ ન કર્યો હોય તે વાંચી શકે. (૨) બીજા નંબરમાં જોગી ન હોય તો પણ કાઉસ્સગ્ગ કર્યો હોય તે વાંચી શકે. (૩) ત્રીજા નંબરમાં જોગી ન હોય અને કાઉસ્સગ્ગ પણ ન કર્યો હોય તે પણ વાંચી શકે. આ બધી (૧ થી ૯ સુધીની) વિગત સામાન્યતયા જણાવી છે. વિશેષથી તો ગીતાર્થ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સૂક્ષ્મદૃષ્ટિથી જોઇને જે યોગ્ય લાગે તે કરી શકે. લાભ-હાનિનો સૂક્ષ્મદ્રષ્ટિથી વિચાર કરીને જેમાં લાભ હોય તેવી પ્રવૃત્તિ કરવાની ગીતાર્થને છૂટ છે. આ વિષે ઉપદેશમાળામાં કહ્યું છે કે तम्हा सव्वणुन्ना सव्वनिसेहो य पवयणे नत्थि आयं वयं तुलिज्जा, लाहाकंखीव्व वाणियओ || ३९२ || “તેથી જિનશાસનમાં સર્વકાર્યની એકાંતે અનુજ્ઞા નથી, સર્વ કાર્યોનો એકાંતે નિષેધ નથી=અમુક કાર્ય ન જ કરવું એવો એકાંતે નિષેધ નથી. કારણ કે જિનશાસન સ્યાદ્વાદરૂપ છે. તેથી લાભની આકાંક્ષાવાળા વિણકની જેમ સાધુએ આય(=જ્ઞાનાદિના લાભ) અને વ્યય(=જ્ઞાનાદિની હાનિ) એ બંનેની તુલના કરીને જેમાં લાભ દેખાય તે કાર્ય કરવું.” હા, આમાં ક્યાંય મહત્ત્વાકાંક્ષા વગેરે પોષવાની વૃત્તિ ન હોવી જોઇએ. જરા પણ દંભ ન હોવો જોઇએ. સરળતા હોવી જોઇએ. For Personal and Private Use Only Jain Educationa International Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શંકા-સમાધાન સ્વ-પરના આત્મકલ્યાણની જ બુદ્ધિ હોવી જોઈએ. આથી જ ઉપદેશપદ ગ્રંથમાં પણ કહ્યું છે કે नवि किंचि अणुणातं पडिसिद्धं वावि जिणवरिंदेहि । तित्थयराणं आणा कज्जे सच्चेण होयव्वं ॥७८०।। “તીર્થકરોએ કોઈ કાર્યની એકાંતે અનુજ્ઞા આપી નથી, કે કોઈ કાર્યનો એકાંતે નિષેધ કર્યો નથી. તીર્થકરોની એટલી જ આજ્ઞા છે કે કોઈ પણ કાર્યમાં સાચા(સરળ) બનવું.” આ ગાથાના આધારે આ આચરણ સૂત્રની જેમ પ્રમાણ કરવી જોઇએ. શંકા- ૩૯૨. અચિત્તરજનો કાઉસગ્ગ જે ચૈત્રી ઓળીમાં કરવાનો હોય છે, તે ૧૨, ૧૩, ૧૪ અથવા ૧૩, ૧૪, ૧૫ એમ ત્રણ દિવસ કરીએ તો ચાલે ? સમાધાન- ચૈત્ર માસની ઓળીમાં અચિત્તરજ ઉઠ્ઠાવણીનો કાઉસ્સગ્ન ૧૧, ૧૨, ૧૩ એ ત્રણ દિવસોમાં કરવાનો હોય છે, તે ૧૧થી ભૂલી જવાય તો ૧૨, ૧૩, ૧૪ના કરવો જોઇએ. તે પણ ભૂલી જવાય તો ૧૩, ૧૪, ૧૫નો કરવો જોઇએ. શંકા- ૩૯૩. કોઈ ૫૦-૧૦૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ સ્થાપનાચાર્યની સમક્ષ કરે. કાઉસ્સગ્નમાં દશ લોગસ્સ ગણાયા પછી સહસા આડ પડે તો કાઉસ્સગ્ગ પારી ઈરિયાવહિ કરીને ફરી કાઉસ્સગ્ન કરવાનો વિધિ છે. ફરી કાઉસ્સગ્ન કરે તેમાં પહેલાં ગણેલા દશ લોગસ્સ સિવાય ૫૦-૧૦૦ લોગસ્સ ગણવાના હોય કે નવેસરથી ૫૦-૧૦૦ લોગસ્સ ગણવાના હોય ? સમાધાન– નવેસરથી ૫૦-૧૦૦ લોગસ્સ ગણવાના હોય. કારણ કે કાઉસ્સગ્નનો ભંગ થઈ ગયો છે. શંકા- ૩૯૪. કોઈને કાઉસ્સગ્નમાં ઘણી વાર લાગતી હોય છે. આથી સાંજના પ્રતિક્રમણમાં છેલ્લા કાઉસ્સગ્નમાં શાંતિ બોલાય ત્યારે કોઈનો કાઉસ્સગ્ગ પૂર્ણ ન થયો હોય તો તેની તેટલી અવિધિ થાય. આ અવિધિને દૂર કરવા શું કરવું જોઈએ ? Jain Educationa International For Personal and Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૮૭ સમાધાન– શાંતિ બોલવાનું શરૂ થાય ત્યારે જેનો કાઉસ્સગ્ગ પૂર્ણ ન થયો હોય તેણે કાઉસ્સગ્ગ પૂર્ણ થાય ત્યારે કાઉસ્સગ્ગ પારીને મનમાં શાંતિ અલગ બોલી લેવી જોઇએ અથવા સજઝાય પૂર્ણ થતાં જ નવકારમંત્ર વગેરે વિધિ સ્ફૂર્તિથી અલગ કરીને જલદી કાઉસ્સગ્ગ શરૂ કરી દેવો જોઇએ. જેથી શાંતિ બોલવાનું શરૂ થાય ત્યાં સુધીમાં કાઉસ્સગ્ગ પૂર્ણ થઇ જાય. જેને શાંતિ ન આવડતી હોય તેણે ગુરુને વિનંતી કરવી જોઇએ કે, મારો કાઉસ્સગ્ગ પૂરો થયા પછી શાંતિ બોલવાનું શરૂ થાય તો સારું તથા તેણે કાઉસ્સગ્ગ પૂર્ણ થાય ત્યારે મોટેથી “નમો અરિહંતાણં' બોલીને કાઉસ્સગ્ગ પારવો જોઇએ. જેથી શાંતિ બોલનારને ખ્યાલ આવી જાય કે તેનો કાઉસ્સગ્ગ પૂર્ણ થયો છે. પછી જેને શાંતિ બોલવાનો આદેશ મળ્યો હોય તે શાંતિ બોલે. આમ કરવાથી અવિધિ ન થાય. અહીં જેને કાઉસ્સગ્ગમાં સૌથી વધારે વાર લાગતી હોય તે જ મોટેથી ‘નમો અરિહંતાણં' બોલીને કાઉસ્સગ્ગ પારે, બીજાઓએ તો કાઉસ્સગ્ગમાં રહીને જ શાંતિ સાંભળવી જોઇએ. સચિત્ત-અચિત્ત સંબંધી શંકા-સમાધાન શંકા- ૩૯૫. સફેદ સૈંધવ અને ફટકડી સચિત્ત છે કે અચિત્ત છે ? સમાધાન– આ બંને દૂરથી આવતા હોવાથી અચિત્ત ગણાય છે. (લઘુ પ્ર.સા. ગાથા ૭૯). પણ લાલ સેંધવ સચિત્ત ગણાય છે. શંકા- ૩૯૬. સંચળ મીઠું સચિત્ત કે અચિત્ત ? અણાહારી કે આહારી ? આયંબિલમાં લેવાય ? સમાધાન– સંચળ મીઠું ચિત્ત છે. અણાહારી નથી. સંચળ મીઠું આયંબિલમાં અચિત્ત કરીને લઇ શકાય. સંચળને બહુ જ બારીક થાય તેટલું વાટ્યા પછી ૪૮ મિનિટ બાદ અચિત્ત થાય. શંકા- ૩૯૭. કાચા પાણીમાં લીંબુનો રસ, સાકર, રાખ, કાળી દ્રાક્ષ મસળીને નાખ્યા પછી કેટલા સમયે અચિત્ત થાય અને ક્યાં સુધી અચિત્ત રહે ? Jain Educationa International For Personal and Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શંકા-સમાધાન સમાધાન– આવું પાણી બે ઘડી બાદ અચિત્ત થાય અને ઉકાળેલા પાણીનો જેટલો કાળ હોય તેટલા કાળ સુધી અચિત્ત રહે. જેમકે શિયાળામાં ઉકાળેલા પાણીનો કાળ ચાર પ્રહર છે. તો શિયાળામાં આવું પાણી જ્યારથી અચિત્ત બને ત્યારથી ચાર પ્રહર સુધી અચિત્ત રહે. તે પ્રમાણે ઉનાળામાં પાંચ પ્રહર સુધી અને ચોમાસામાં ત્રણ પ્રહર સુધી અચિત્ત રહે. શંકા- ૩૯૮. તલ, મગ, મસૂર આદિ ધાન્યોની યોનિ પાંચ વર્ષ સુધી સચિત્ત છે, પછી અચિત્ત છે. તો તેમાં કેવી રીતે સમજવું ? જ્યારે અચિત્ત છે ત્યારે તે નિર્જીવ ધાન્ય સમજવું ? સમાધાન- જે ધાન્યની યોનિ જયારે અચિત્ત થાય, ત્યારે તે ધાન્ય નિર્જીવ બને છે. શંકા- ૩૯૯, તારગોળા, અનાનસ, ફણસ, લીલી દ્રાક્ષ, સૂકો મેવો, વરિયાળી, ધાણાદાળ વગેરે કે જેમાં બીજ નથી તે અચિત્ત ગણવા કે સચિત્ત ગણવા ? સમાધાન– તારગોળા અને અનાનસમાં બીજ ન હોવાથી અચિત્ત ગણાય એમ લાગે છે. ફણસમાં બીજ હોય છે એમ ખ્યાલમાં છે. લીલી દ્રાક્ષમાં બીજ છે કે નહિ એ વિષે બે મત પ્રવર્તે છે. સૂકો મેવો અચિત્ત છે. વરિયાળી બરોબર શેકેલી હોય તો અચિત્ત ગણાય, અન્યથા સચિત્ત ગણાય. ધાણાદાળ અચિત્ત ગણાય. શંકા– ૪૦૦. પૂર્વ શંકા-સમાધાનમાં આપે તારગોલા અને અનાનસ અચિત્ત ગણાય છે એમ જણાવ્યું છે. એ કેવી રીતે ઘટે? કારણ કે, एगसरीरं एगो, जीवो जेसिं तु ते य पत्तेया । નં-નં-છ- મૂલપત્તાન વીયાળ આ ગાથાના આધારે એક શરીરમાં એક જીવ હોય. તથા સાધુઓથી અનાનસ કેવી રીતે વપરાય ? કારણ કે बहुअट्ठिअं पुग्गलं अणिमिसियं वा बहुकंटयं । સ્થિરં હિંદુયં વિર્ણ ૩છુëé a fસતિ છે દ.વૈ.૫-૭૩ Jain Educationa International For Personal and Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૮૯ આ ગાથામાં બહુ કાંટાવાળી વસ્તુ ખાવાનો નિષેધ કર્યો છે. વળી તારગોલા માદક છે. તેથી એ પણ કેવી રીતે વપરાય ? સમાધાન | સરીરે પણ નીવો એ ગાથા પ્રત્યેક વનસ્પતિકાયનું લક્ષણ જણાવવા માટે છે. જે વનસ્પતિમાં એક શરીરમાં એક જીવ હોય તે પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય. આ વાત સામાન્યથી છે. વિશેષથી વિચારવામાં આવે તો પન્નવણા સૂત્રમાં એક શરીરમાં એકબે-ત્રણ, સંખ્યાતા કે અસંખ્યાતા જીવો રહેલા હોય તે બધાય પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય એમ જણાવ્યું છે. તે જ રીતે કોઇક ફળમાં જીવ ન પણ હોય, જેમ કે કેળામાં જીવ નથી. દરેક વનસ્પતિમાં ફળમાં જીવ હોય જ એવો નિયમ નથી. દશવૈકાલિકના વીમા, મૂન વીમા, પોર વીના, વંધ વીમા એ પાઠના આધારે કરંટ વગેરે કોઈક વનસ્પતિમાં અગ્રભાગમાં બીજ હોય, કમળ વગેરે કોઇકના મૂળમાં બીજ હોય, શેરડી વગેરે કોઈકના પર્વમાં બીજ હોય તો વડ વગેરે કોઇકના સ્કંધમાં બીજ હોય. જેમ કેળામાં જીવ નથી, તેમ તારગોળામાં અને અનાનસમાં જીવ નથી. વહુદ્દિગં એ ગાથા પણ અહીં લાગુ પડતી નથી. કારણ કે તારગોળા અને અનાનસમાં ઘણા અસ્થિ કે ઘણા કાંટા હોતા નથી. જો કે અનાનસના ફળમાં છાલમાં ઘણા કાંટા હોય છે પણ તે છાલ ખાવાના ઉપયોગમાં આવતી નથી. અંદર રહેલ ગર્ભ જ ખવાય છે અને તેમાં બીજ હોતું નથી. તારગોલા જરા પણ માદક નથી. તારગોલા જે વૃક્ષમાં થાય છે તે તાડવૃક્ષના થડમાંથી નીકળતો રસ(નીરો) માદક બને છે પણ તારગોલા માદક બનતા નથી. શંકા- ૪૦૧. કોઈ પણ ફળ-લીલોતરી આદિને એકાદ વ્યાઘાત પહોંચે તો જીવો વે કે ઘણા વ્યાઘાતથી ચ્યવે ? અર્થાત્ ચપ્પ આદિથી એક ચીરો મૂકે તો જીવો અવે કે ઘણા ચીરા મૂકે તો વે? સમાધાન- પાકા ફળોમાં એક વ્યાઘાતથી પણ ફળના બે ટુકડા થવાથી પણ જીવ ચ્યવી જાય પણ તેના ગોટલો-ગોટલી-ઠળિયામાં જીવ રહે. તેથી ગોટલી-ગોટલો-ઠળિયાથી અલગ થયા બાદ કાપેલ Jain Educationa International For Personal and Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શંકા-સમાધાન ફળ અચિત્ત બને. છતાં કોઇ જીવના આત્મપ્રદેશો તેમાં રહ્યાં હોય એવી સંભાવનાથી ફળને કાપીને ઠળિયા વગેરેને કાઢ્યા પછી ૪૮ મિનિટ બાદ ફળનો ઉપયોગ કરવાનો વ્યવહાર છે. ઠળિયો-ગોટલોગોટલી કાઢી લીધા તે ફળ અચિત્ત થઇ જાય-તેમાંથી જીવ આવી જાય પણ કોઇ જીવના આત્મપ્રદેશો તેમાં રહ્યા હોય એ દૃષ્ટિએ અચિત્ત ત્યાગી બે ઘડી બાદ તે ફળનો ઉપયોગ કરી શકે તેવો વ્યવહાર છે. બે ઘડી પહેલાં મિશ્ર ગણાય. કાચાં ફળો અને લીલોતરી તો પ્રબળ અગ્નિ કે પ્રબળ લૂણ(મીઠા)ના સંસ્કાર વિના અચિત્ત ન થાય, કાપવા માત્રથી અચિત્ત ન થાય, કિંતુ પ્રબળ અગ્નિ કે પ્રબળ લૂણનો સંસ્કાર થાય તો જ અચિત્ત થાય. જેમ કે શાકને રાંધવાથી અચિત્ત થાય. કોથમીરને મીઠા સાથે વાટવાથી બે ઘડી બાદ અચિત્ત થાય. શંકા- ૪૦૨. લીલા નાળિયેર (તરાપા)ને ઉપરથી કાપ્યા પછી પાણી અંદર રહેલું હોય તો સચિત્ત રહે કે અચિત્ત ? સમાધાન– લીલા નાળિયેરને ઉપરથી કાપ્યા પછી(=ઉપરનું ટોપકું કાઢ્યા પછી) પાણી અંદર રહેલું હોય તો પણ તે પાણી ૪૮ મિનિટ બાદ અચિત્ત થાય, તે પહેલાં મિશ્ર ગણાય. શંકા- ૪૦૩. મીઠું અચિત્ત કેવી રીતે બને ? સમાધાન– મીઠું પૃથ્વીકાયના જીવોના શરીરનો અતિ સૂક્ષ્મ જથ્થો છે. તેથી ચક્રવર્તીની દાસી વજ્રની નિશા (વાટવાના પથ્થર) ઉપ૨ વજ્રના વાટાથી એકવીસ વાર ચૂરે છતાં મીઠાના કેટલાક જીવો એવા સૂક્ષ્મ હોય છે કે તેને વાટાનો સ્પર્શ પણ થતો નથી. આથી મીઠું વાટવાથી ગમે તેટલું વાટવા છતાં અચિત્ત ન થાય. મીઠું અગ્નિના પ્રબળ સંસ્કારથી જ અચિત્ત થાય. તે આ પ્રમાણે માટીના ઘડામાં મીઠું ભરીને તે ઘડાને અત્યંત પેક કરીને કુંભારના નિભાડાની અંદર કે કંદોઇની ભઠ્ઠીમાં મૂકવામાં આવે. આનાથી મીઠું ઓગળીને પાણી થઇ જાય. પછી તે ઠરે ત્યારે મીઠું અચિત્ત ગણાય. Jain Educationa International For Personal and Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ શંકા-સમાધાન આવા મીઠાને વર્તમાનમાં “પાકું મીઠું” એ રીતે ઓળખવામાં આવે છે. આવું પાકું મીઠું વર્ષો સુધી અચિત્ત રહે છે. ઘરે પાકું મીઠું બનાવવું હોય તો ડબલ પાણીમાં ઉકાળીને (સાકરની ચાસણીથી બુરું ખાંડ બનાવવાની જેમ) રસ બનાવીને ઠારેલું મીઠું અચિત્ત બને પણ તે પાણીમાં ઉકાળેલું હોવાથી ચાર માસ પછી પુનઃ સચિત્ત બને. તાવડી વગેરેમાં સેકીને લાલ બનાવેલું મીઠું અચિત્ત થાય પણ અઠવાડિયા પછી પાછું સચિત્ત થાય એવો વ્યવહાર છે. શંકા- ૪૦૪. કાચા પાણીમાં ચૂનો નાખવાથી અચિત્ત બનેલ પાણીનો કાળ કેટલો છે ? સમાધાન– કાચા પાણીમાં ચૂનો નાખવાથી અચિત્ત બનેલ પાણીનો કાળ ઉકાળેલા પાણીના કાળ જેટલો છે, એટલે ચાતુર્માસ વગેરેમાં અનુક્રમે ૩-૪-૫ પ્રહર જેટલો છે. પછી તે પાણી સચિત્ત થાય. શંકા- ૪૦૫. ગાયનું મૂત્ર ક્યાં સુધી અચિત્ત રહે ? સમાધાન– ગાયનું મૂત્ર ૨૪ પ્રહર (૭૨ કલાક) સુધી અચિત્ત રહે. પછી તેમાં સંમૂચ્છિમ જીવોની ઉત્પત્તિ થાય. શંકા- ૪૦૬. કાચું ચીભડું વગેરે બીજવાળી વસ્તુ અગ્નિથી પકાવ્યા વિના કેવળ રાઈનો સંસ્કાર (વઘાર) કરવાથી અચિત્ત થાય કે નહિ ? સમાધાન- કાચા ચીભડાં વગેરે બીજવાળા કે બીજ વગરના ફળો પ્રબળ અગ્નિ અને મીઠાના સંસ્કાર વિના અચિત્ત થતાં નથી. વિશેષ (સેનપ્રશ્ન ઉ.૧ પ્ર.૧૧)માં પ્રબળ અગ્નિ અને મીઠાના સંસ્કાર વિના અચિત્ત થતા નથી એમ જણાવ્યું છે તથા વિવિધ પ્રશ્નોત્તર ગ્રંથમાં પ્રબળ અગ્નિ અને પ્રબળ લુણના સંસ્કાર વિના બે ઘડી પછી અચિત્ત ન થાય. અહીં સેનપ્રશ્નમાં પ્રબળ અગ્નિ અને મીઠાના સંસ્કાર એ બંને હોય તો બે ઘડી પછી અચિત્ત થાય એમ જણાવ્યું છે ત્યારે વિવિધ પ્રશ્નોત્તર ગ્રંથમાં પ્રબળ અગ્નિ કે પ્રબળ મીઠાના સંસ્કાર એ બેમાંથી કોઈપણ એકથી અચિત્ત થાય એવો ભાવ જણાય છે. વર્તમાનકાળમાં કાચી કેરીના કટકા પ્રબળ અગ્નિના સંસ્કાર વિના Jain Educationa International For Personal and Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શંકા-સમાધાન કેવળ મીઠાના સંસ્કારથી અચિત્ત બને અને તે કટકા ત્રણ દિવસ સુધી ચાલે એવો વ્યવહાર જોવામાં આવે છે. ખટાશ અને ખારાશ બેના મિશ્રણથી વસ્તુ અચિત્ત થવામાં બાધ જણાતો નથી, એથી વર્તમાનમાં ઉપર લખેલ પ્રમાણે કાચી કેરીના કટકા પ્રબળ અગ્નિના સંસ્કાર વિના કેવળ પ્રબળ મીઠાના સંસ્કારથી અચિત્ત થાય અને ત્રણ દિવસ સુધી ચાલે એવો વ્યવહાર પણ યોગ્ય જણાય છે. શંકા- ૪૦૭. કાકડી, કેરી વગેરે કાચાં-બરાબર પાક્યા ન હોય એવા ફળોમાંથી બીજ કાઢી નાખ્યા પછી બે ઘડી બાદ તે અચિત્ત થાય કે નહિ ? સમાધાન- ન થાય. કેમકે તેમાં કટાહનો(=ગર્ભનો) જીવ પ્રથમ માફક રહે છે. આમ સેનપ્રશ્ન ગ્રંથના ચોથા ઉલ્લાસમાં જણાવ્યું છે. પ્રબળ અગ્નિ ઉપર રાંધવાથી અચિત્ત થાય અથવા મીઠા વગેરેનો પ્રબળ સંસ્કાર કરવાથી બે ઘડી બાદ અચિત્ત થાય. શંકા– ૪૦૮. કોરડું મગ સચિત્ત કે અચિત્ત ? સમાધાન- આ વિશે શ્રાદ્ધવિધિમાં કહ્યું છે કે, કોરડું મગ તથા હરડેના ઠળિયા આદિને અચિત્ત કહેલ છે, પણ તેની યોનિ સચિત્ત હોવાથી એટલે કે જીવોત્પત્તિનું સામર્થ્ય હોવાથી યોનિના રક્ષણ માટે તથા નિઃશૂકતા ન થાય, તે માટે દાંતથી ભાંગવા નહિ પણ મોઢામાંથી બહાર કાઢી નાખવું. શંકા- ૪૦૯. કાચા પાણીથી બનાવેલ લીંબુ આદિનું શરબત બે ઘડી બાદ અચિત્ત થઈ જાય છે. ત્યારબાદ તેની અચિત્તતા પાણીના કાળ મુજબ ગણીને વ્યવહાર કરવો કે અચિત્ત થયા બાદ માત્ર બે ઘડી જ અચિત્ત ગણવું? પછી પુનઃ સચિત્ત થઈ જાય? તે શરબત અને છાશ આદિનો અચિત્તતાનો કાળ-સમય કેવી રીતે ગણવો. તે જણાવવા વિનંતી. સમાધાન– કાચા પાણીથી બનાવેલ લીંબુ આદિનું શરબત બે ઘડી પછી અચિત્ત થાય. પછી તેનો કાળ તે તે ચોમાસીના ગરમ પાણીના કાળ જેટલો ગણાય. જેમકે કાર્તિક ચોમાસી પછી ચાર પ્રહર સુધી Jain Educationa International For Personal and Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૯૩ અચિત્ત રહે. અષાઢ ચોમાસી પછી ત્રણ પ્રહર અચિત્ત રહે અને ફાગણ ચોમાસી પછી પાંચ પ્રહર સુધી અચિત્ત રહે, પછી સચિત્ત થાય. સાકર, ત્રિફળા આદિ નાખીને બનાવેલા પાણી માટે પણ આ પ્રમાણે જાણવું. કાચા કે પાકા પાણીથી બનાવેલ છાશ તો બીજા દિવસ સુધી ચાલે. જેમકે બુધવારના સૂર્યોદય બાદ બનાવેલી છાશ શુક્રવારનો સૂર્યોદય ન થાય ત્યાં સુધી અભક્ષ્ય બનતી નથી. શંકા- ૪૧૦. કાચા પાણીમાં ખાંડ-સાકર (લીંબુ વગર) નાખેલ હોય તો ક્યારે અચિત્ત થાય અને ક્યાં સુધી અચિત્ત રહે ? સમાધાન- બે ઘડી પછી અચિત્ત થાય તથા ઉકાળેલા પાણીના કાળ સુધી અચિત્ત રહે, એટલે કે ઉનાળામાં પાંચ પ્રહર, ચોમાસામાં ત્રણ પ્રહર અને શિયાળામાં ચાર પ્રહર સુધી અચિત્ત રહે. શંકા–૪૧૧. નાસ્પતિ (કડક) સુધારેલી ૪૮ મિનિટ પછી અચિત્ત થાય ? સમાધાન- નાસ્પતિની કેટલીક જાત એવી હોય છે કે પાકી ગયા પછી પણ તે કડક જેવી લાગતી હોય છે એટલે બરાબર પાકી ગયેલા નાસ્પતિના ફળો કડક લાગતા હોવા છતાં સુધાર્યા પછી ૪૮ મિનિટે અચિત્ત થાય. શંકા- ૪૧૨. શિંગોડા કાચા (લીલા) છાલ કાઢ્યા પછી ૪૮ મિનિટે અચિત્ત થાય ? સમાધાન- કાચા-લીલા શિગોડા છાલ કાઢડ્યા પછી ૪૮ મિનિટ બાદ અચિત્ત થવામાં બાધ જણાતો નથી. શંકા- ૪૧૩. પાકેલા ટમેટા બી કાઢ્યા પછી ૪૮ મિનિટે અચિત્ત થાય ? સમાધાન- પાકેલા ટમેટા બી કાઢ્યા પછી ૪૮ મિનિટ બાદ અચિત્ત થવામાં બાધ જણાતો નથી. આ રીતે બી કાઢવામાં ખૂબ જ ઉપયોગ રાખવો પડતો હોવાથી અશક્ય જેવું ગણાય. માટે ચૂલે ચડાવ્યા વગર વાપરવું હિતાવહ નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ - ૧૯૪ શંકા-સમાધાન શંકા- ૪૧૪. દ્રાક્ષ લીલી કે કાળી અચિત્ત કેવી રીતે ગણાય ? દ્રાક્ષમાં નીકળતા રેસાને બી કહેવાય ? સમાધાન– જે ફળમાં બીજ ન હોય તે ફળ અચિત્ત ગણાય. અમુક પ્રકારની દ્રાક્ષમાં બીજ હોતું નથી. માટે અચિત્ત ગણાય. દ્રાક્ષના રેસાને બીજ ન કહેવાય. શંકા- ૪૧૫. કોથમીરની ચટણીમાં કાચું મીઠું નાખ્યું હોય તો તે ચટણી સચિત્ત ગણાય કે અચિત્ત ? સમાધાન– કોથમીરની ચટણીમાં કાચું મીઠું નાખ્યું હોય તો પણ (પાણી ન નાખ્યું હોય તો) બે ઘડી પછી અચિત્ત થાય અને આવી ચટણી ત્રણ દિવસ સુધી અભક્ષ્ય ન થાય, અર્થાત્ ત્રણ દિવસ સુધી વાપરી શકાય. શંકા- ૪૧૬. સુકાયેલું લસણ સચિત્ત કે અચિત્ત ? જો અચિત્ત મનાતું હોય તો તેવા પ્રકારના કારણોસર સાધુઓના ઔષધ માટે તેનો ઉપયોગ કરાય કે નહિ ? સમાધાન– સુકાયેલું લસણ અચિત્ત છે અને તેવા વિશિષ્ટ કારણથી આદુમાંથી બનેલ સૂંઠની જેમ સાધુઓના ઔષધ માટે તેને ઉપયોગમાં લઈ શકાય. (એનપ્રશ્ન ઉ.૧ પ્ર.૫૭) આમ છતાં તેવા વિશિષ્ટ કારણથી જેમાં લસણ આવતું હોય તેવું ઔષધ મંગાવવું હોય તો પરિણત શ્રાવક પાસે મંગાવવું, જેથી તેને સાધુઓથી આ કેમ વપરાય એવો વિકલ્પ ન થાય અને ગમે ત્યાં તેની જાહેરાત પણ ન કરે. શંકા- ૪૧૭. સચિત્તના ત્યાગીને કારણ પશે રાત્રિમાં પાણી પીવાની જરૂર પડે તો અચિત્ત પાણી પીવે કે ? સચિત્ત પીવે ? સમાધાન- સચિત્તના ત્યાગીને તેવા અનિવાર્ય કારણથી રાત્રે પાણી પીવાની જરૂર પડે તો સાંજે તિવિહારનું પચ્ચખાણ લઈને અચિત્ત પાણી વાપરી શકે છે. શંકા- ૪૧૮. ચોમાસામાં થયેલ લીલ-ફુગ કેટલા દિવસે અચિત્ત થાય ? Jain Educationa International For Personal and Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૯૫ સમાધાન– સૂર્યના તડકા વગેરેથી વર્ણાદિ બદલાઈ જાય, ત્યારે લીલ-ફૂગ અચિત્ત થાય. પ્રાયઃ કરીને આસો મહિનામાં જે તડકા પડે છે, તેનાથી લીલ-ફુગ અચિત્ત થઈ જાય એમ સંભવે છે તથા વડીલો પાસેથી પણ તેમ સાંભળ્યું છે. શંકા- ૪૧૯. ઉજેણીમાં કે કામળી કાળમાં ખુલ્લામાં ઉકાળેલું પાણી સચિત્ત થાય ? સમાધાન- સચિત્ત થઈ જાય, પણ બે ઘડી પછી અચિત્ત થઈ જાય. કારણ કે એમાં પડેલા જીવોનું આયુષ્ય બે ઘડીથી વધારે ન હોય તેથી ત્યાર પછી અચિત્ત થઈ જાય. શંકા- ૪૨૦. ઉકાળેલું પાણી તેનો કાળ પૂરો થઈ જવાના કારણે સચિત્ત થઈ જાય તો દોષ લાગે ? સમાધાન ઉકાળેલું પણ આ રીતે સચિત્ત થઈ જાય, તો દોષ લાગે. માટે શ્રાવકોએ શિયાળામાં ચાર પ્રહર પહેલાં, ઉનાળામાં પાંચ પ્રહર પહેલાં અને ચોમાસામાં ત્રણ પ્રહર પહેલાં એ પાણી પૂર્ણ થઈ જાય તેમ કરવું જોઇએ. વધેલું ઉકાળેલું પાણી જેમને ઉકાળેલું પાણી પીવાનો નિયમ ન હોય તેઓ પણ વાપરી શકે અથવા યોગ્ય સ્થળે પરઠવી શકાય, અગર તો ચૂનો નાખીને રાખી શકાય. ઉકાળેલું પાણી ગટર વગેરેમાં ન નાખવું જોઇએ. ભક્ષ્યાભઢ્ય સંબંધી શંકા-સમાધાન શંકા- ૪૨૧. કાચું મીઠું વાપરવામાં કયો દોષ લાગે ? સમાધાન– કાચું મીઠું સચિત્ત છે. કાચા મીઠાના એક તદ્દન નાના કણિયામાં પણ અસંખ્ય જીવો છે. માટે સચિત્ત ભક્ષણનો દોષ લાગે. શંકા- ૪૨૨. ટાટા કંપનીનું મીઠું પાકું કહેવાય ? સમાધાન– જૈનો મીઠાને અચિત્ત બનાવવા માટે ભઠ્ઠીમાં જેટલું પકવે છે તેના કરતાં ય વધારે ટાટા કંપનીમાં મીઠાને પકાવવામાં આવે છે. એવું અનુભવીઓ પાસેથી જાણ્યું છે આથી ટાટા કંપનીના મીઠાને પાકુ ગણવામાં બાધ જેવું જણાતું નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન શંકા— ૪૨૩. ટાટા કંપનીનું મીઠું અચિત્ત થયા પછી તેનો કાળ કેટલો ? ૧૯૬ સમાધાન– કુંભારના નિભાડામાં કે કંદોઇની ભઠ્ઠી વચ્ચે માટીના ઘડામાં મીઠું મૂકીને સીલ કરીને મૂકવામાં આવે, તો અગ્નિના તાપથી ઓગળીને પાણી થઇ જાય. પછી એ ઠરે ત્યારે મીઠું પાકું (અચિત્ત) થાય છે અને આ રીતે અચિત્ત કરેલું મીઠું વર્ષો સુધી અચિત્ત રહે છે. એના આધારે એમ કહી શકાય કે ટાટા કંપનીનું મીઠું પણ આ રીતે વર્ષો સુધી અચિત્ત રહે. શંકા— ૪૨૪. ટાટા સિવાયની કંપનીઓ પણ મીઠું આ જ પ્રમાણે બનાવતી હશે ને ? સમાધાન– ટાટા સિવાયની કંપનીઓ મીઠું કેવી રીતે બનાવે છે તે જાણવામાં આવ્યું નથી. તપાસ કરવાથી ખ્યાલ આવે. શંકા- ૪૨૫. સૂકી સીંગદાણાની ચટણીમાં અને ચેવડામાં કાચું મીઠું નાખ્યું હોય તો સચિત્ત ત્યાગીને ખપે ? કોથમીર આદિની ચટણી કેટલા દિવસ સુધી ખપે ? સમાધાન– સૂકી સીંગદાણાની ચટણીમાં કાચું મીઠું નાખ્યું હોય તો ન ખપે એમ જણાય છે. એવી રીતે ચેવડામાં જો સળગતા ચૂલા ઉપર કાચુ મીઠું નાંખીને થોડીવાર બરોબર હલાવે, મીઠું ચેવડા સાથે બરોબર ભળી જાય તેટલું હલાવે તો જ ચેવડો ખપે. પણ જો ચૂલા ઉપરથી ઉતાર્યા પછી કાચું મીઠુ નાખ્યું હોય તો ન ખપે. કોથમીર આદિની ચટણીમાં કાચું મીઠું નાખ્યું હોય, ચૂલે ચઢાવ્યું ન હોય, પાણીનું ટીપું પણ નાખ્યું ન હોય તેવી ચટણી બે ઘડી પછી અચિત્ત થાય અને ત્રણ દિવસ સુધી ખપે. અહીં લીલી વનસ્પતિ + મીઠું પરસ્પર શસ્ર બને છે. જો પાણી નાખ્યું હોય તો એ દિવસે ખપે. બીજા દિવસથી ન ખપે. શંકા- ૪૨૬. સાકારના પાણીનો કાળ કેટલો ? સમાધાન– જે ઋતુમાં ઉકાળેલા પાણીનો જેટલો કાળ છે તેટલો કાળ સાકરના પાણીનો છે. For Personal and Private Use Only Jain Educationa International Page #260 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૯૭ શંકા– ૪૨૭. ગરમ પાણીની સગવડ ન જ થઈ શકે એમ હોય તો કાચા પાણીમાં સાકર નાખીને વાપરે તો સાંજે સૂર્યાસ્તથી બે ઘડી પહેલાં જ એ પાણી વાપરી લેવું જોઈએ કે સૂર્યાસ્ત સુધી વાપરી શકાય? સમાધાન- આ પાણી સાંજે સૂર્યાસ્તથી બે ઘડી પહેલાં જ વાપરી લેવું પડે. કારણ કે આ પાણી વાપર્યા પછી બે ઘડી સુધી મોટું એઠું ગણાય. બે ઘડી પછી મોટું શુદ્ધ ગણાય. શંકા- ૪૨૮. લીંબુનું શરબત આજે બનાવેલું બીજા દિવસે ચાલે? સમાધાન ન ચાલે. કારણ કે તેમાં સાકર આવે છે. શંકા- ૪૨૯. લીંબુનો રસ કાઢ્યા પછી કેટલા દિવસ સુધી રાખી શકાય ? સમાધાન– તેમાં ખટાશ હોવાથી બીજા દિવસ સુધી રાખી શકાય. જેમ છાશમાં ખટાશ હોવાથી આજની છાશ બીજા દિવસે ખપી શકે છે, તેમ લીંબુનો રસ પણ બીજા દિવસ સુધી ખપી શકે. (તેમાં સાકર ન નાખવી જોઈએ.) શંકા- ૪૩૦. લીંબુનો રસ કાઢી થોડું પાણી નાખી તેને ઉકાળે અને તેની ચાસણી બનાવે, તો આ લીંબુની ચાસણી કેટલા દિવસ કલ્પ ? લીલોતરી બંધવાળાને કહ્યું ? સાધુને જોગમાં કહ્યું ? સમાધાન– આ રીતે બનાવેલી લીંબુની પાકી ચાસણીનો કોઈ કાળ નથી, જ્યાં સુધી બગડે નહિ ત્યાં સુધી કહ્યું. લીલોતરી બંધવાળાને અને સાધુને જોગમાં બીજા દિવસથી કલ્પી શકે છે. શંકા–૪૩૧. લીંબુના ફૂલ અને સાબુદાણા ભક્ષ્ય છે કે અભક્ષ્ય છે. સમાધાન– લીંબુના ફૂલ અભક્ષ્ય છે. કારણ કે તેની ઉત્પત્તિ ઘણી હિંસાથી થાય છે. લીંબુના ફૂલના નામે ઓળખાતો આ પદાર્થ લીંબુમાંથી બનતો નથી, પણ વિશેષ પ્રકારની પ્રક્રિયાથી બને છે. તેની પ્રક્રિયા આ પ્રમાણે છે- સાકર બનાવવામાં આવે છે ત્યારે molasis યાને ગોળની રસી જેવો પદાર્થ બચે છે. આ મીઠું પ્રવાહી એક મોટા ધાતુના વાસણમાં નાખવામાં આવે છે. પછી વજનથી કિલો જેટલા જીવાણુઓ એ વાસણમાં નાખવામાં આવે છે. આ જીવાણુઓનું Jain Educationa International For Personal and Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શંકા-સમાધાન હલનચલન માઇક્રોસ્કોપ વડે જોઇ શકાય છે. આ જીવાણુઓ આંખના પલકારામાં વધી જતા હોય છે. આ જીવાણુઓનો ખોરાક ગળપણ છે અને તે નિહાર દ્વારા ખાટું પ્રવાહી બહાર કાઢે છે. આ પ્રક્રિયા સતત સાત દિવસ સુધી ચોવીસ કલાક ચાલ્યા કરે છે. સાત દિવસને અંતે આ બધું મીઠું પ્રવાહી ખાટુ થઇ જાય છે. પછી એ ખાટા પ્રવાહીને વરાળમાંથી પસાર કરવામાં આવે છે. ત્યારે તેમાં રહેલા બધા જીવાણુઓ નાશ પામે છે. પછી એ પ્રવાહીને બારીક ગળણીથી ગાળવામાં આવે છે. ગળણીમાં નાશ પામેલા જીવાણુઓનો આઠથી દસ કીલો જેટલો લોંદો નીકળે છે. જેને થોડાક જ સમયમાં જમીનમાં દાટી દેવામાં આવે છે. ગાળેલા પ્રવાહીને ફરીથી ઉકાળવામાં આવે છે. જેથી એ પ્રવાહી ઘટ્ટ બને છે. તેમાંથી સ્ટીમ દ્વારા તાર બનાવાય છે અને તેમાંથી નાના ક્રીસ્ટલ બનાવાય છે. આ ક્રીસ્ટલ (crystal) એટલે લીંબુના ફૂલ. આનો ઉપયોગ ઠંડા પાણીમાં, પીપરમીન્ટ, ચોકલેટ, દવા, દાળ, શાક, ફરસાણ વગેરે બનાવવામાં થાય છે. સાબુદાણા કંદમાંથી અને વૃક્ષમાંથી એમ બે રીતે બને છે એમ જાણવામાં આવ્યું છે. અમુક દેશમાં તેવાં વૃક્ષો થાય છે કે જે વૃક્ષોમાંથી પ્રક્રિયા દ્વારા સાબુદાણા તૈયાર થાય છે. કંદ અભક્ષ્ય હોવાથી તેમાંથી બનતા સાબુદાણા અભક્ષ્ય ગણાય. વૃક્ષમાંથી બનતા સાબુદાણા અભક્ષ્ય ન ગણાય પણ બજારમાંથી સાબુદાણા ખરીદ કરતી વખતે આ સાબુદાણા શેમાંથી બન્યા તે જાણી શકાતું નથી. આથી અનિવાર્ય સંજોગો સિવાય સાબુદાણા ન વાપ૨વા જોઇએ. અહીં એટલું સમજી લેવાની જરૂર છે કે સાબુદાણાને ઉત્પન્ન કરવાની પ્રક્રિયામાં માવો સડે છે, તેમાં કોહવાટ થાય છે ઇત્યાદિથી ભયંકર હિંસા થાય છે એવો કોઇને ખ્યાલ હોય તો તે બરોબર નથી. હા, માવામાંથી સ્ટાર્ચ મિલ્ક અલગ કર્યા પછી જે કૂચા બચે છે તે For Personal and Private Use Only Jain Educationa International Page #262 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૧૯૯ બહાર ફેંકી દેવામાં આવે છે. આ કૂચા સડે છે. તેની દુર્ગધ આવે છે અને તેમાં જીવાત પણ પડે છે. શંકા- ૪૩૨. ટામેટાનો સોસ કેટલા દિ’ સુધી ચાલે ? સમાધાન- ટામેટાનો સોસ એ જ દિવસે ખપી શકે, બીજા દિવસે ન ખપે. શંકા-૪૩૩. લઘુ પ્રવચન સારોદ્ધારમાં પુગ=સોપારી, નાળિયેર એ પદાર્થો વિધ્વસ્ત યોનિવાળા થયા હોય છતાં પણ અનાચીણું સમજવાવાપરી શકાય નહિ એવા જાણવા. (ગા.૭૮) એમ લખ્યું છે તો નાળિયેર અનાચીર્ણ છે? વર્તમાનમાં લેવાય છે, તો લેવાય કે નહિ? સમાધાન– આશીર્ણ પણ વસ્તુ ક્યારેક અનાચીર્ણ બની જાય. અનાચીર્ણ પણ ક્યારેક આચીર્ણ બની જાય. જેમકે- બૃહત્કલ્પ ઉ.૧ ગા. ૧૭૪ ની ટીકામાં ખજૂરને અનાચીર્ણ કહી છે પણ વર્તમાનમાં આશીર્ણ બની ગઇ છે. આજથી લગભગ ૮૦ વર્ષ પહેલાં ખાંડ અષાઢ સુદ ૧૪ થી આસો સુદ ૧૦ સુધી અનાચીર્ણ હતી. આજે અનાચીર્ણ નથી. એ જ પ્રમાણે નાળિયેર (ગોટા) અંગે પણ સમજવું. શંકા- ૪૩૪. લીલા નાળિયેરનું ટોપરું ફળમાં ગણાય કે મેવામાં? સમાધાન- ફળમાં ગણાય, મેવામાં નહિ. શંકા- ૪૩૫. શ્રીફળ ફોડ્યા પછી ૪૮ મિનિટ કયા કારણથી ગણવામાં આવે છે ? બીજના કારણે હોય તો બીજ નગણ્ય છે. કારણ કે એકલું બીજ ઊગતું નથી. સમાધાન– શ્રીફળ સચિત્ત હોવાથી જ સચિત્તત્યાગી સાધક શ્રીફળ ફોડ્યા પછી ૪૮ મિનિટ બાદ વાપરી શકે. આખું શ્રીફળ વાવવાથી ઊગે છે એમ તેના જાણકારો પાસેથી મારા જાણવામાં આવ્યું છે. જો સચિત્ત ન હોય તો ન ઊગે. શ્રીફળ સુકાઈ ગયા પછી એનો ગોટો કાઢી નાખવામાં આવે તો એ ગોટો અચિત્ત છે. લીલા નાળિયેરનું પાણી પણ સચિત્ત છે એમ શ્રાદ્ધવિધિ ગ્રંથના આધારે જાણી શકાય છે. શંકા- ૪૩૬. કેવી રીતે બનાવેલું લીંબુનું અથાણું શ્રાવકોને ખપી શકે ? Jain Educationa International For Personal and Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શંકા-સમાધાન સમાધાન– ક્ષાર (મીઠું) નાંખીને બનાવેલું લીંબુનું અથાણું ત્રણ તડકે સૂકવ્યા વિના પણ ખપી શકે. કારણકે આવા લીંબુમાં વર્ણ, ગંધ, રસ વગેરે ફરી જાય છે. (એનપ્રશ્ન ઉ.૧ પ્ર.૮૭) શંકા- ૪૩૭. લીલા મરચા આદિને તેલમાં સીઝવે અને તેમાં પાણીનો છાંટો ન નાંખે તથા ખટાશ ખાતર તેમાં લીંબુનો રસ નાંખે તો તે મરચા આદિ બીજા દિવસે ખપે કે નહિ ? ખપે તો કેટલા દિવસ સુધી ખપી શકે ? સમાધાન- આવા મરચા આદિ ત્રણ દિવસ સુધી ખટાશ આવવાના કારણે ખપે. શંકા- ૪૩૮. મીઠામાં નાંખેલા કેર વગેરેને તડકે મૂક્યા પછી તેલ વગેરેમાં નાંખ્યા હોય, તો સંધાન (બોળ) થાય કે નહિ ? સમાધાન- આનું સમાધાન સેનપ્રશ્ન ગ્રંથમાં અક્ષરશઃ નીચે પ્રમાણે જણાવેલું છે. ક્ષારમાં નાંખેલા કેર વગેરેને ત્રણ દિવસ તાપમાં સૂકવીને પછી તેલ વગેરેમાં નાંખવામાં આવ્યા હોય તો સંધાન એટલે બોળ ન થાય. એમ પરમગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજા પાસે સાંભળ્યું નથી પણ ઉલટું સંભવે છે કે સારમાં નાંખેલ કેર વગેરેમાં રહેલું જલ ત્રણ દિવસ તડકે નાંખતાં જો સૂકાય નહિ તો સંધાન થાય છે એટલે અભક્ષ્ય હોય છે. (સેનપ્રશ્ન ઉલ્લાસ-૩ પ્ર.૧૧૧) શંકા- ૪૩૯. કાળી સૂકી દ્રાક્ષ બારેમાસ વપરાય ? તેના બી અચિત્ત ગણાય ? સમાધાન– કાળી સૂકી દ્રાક્ષ પણ બીવાળી અને બી વગરની એમ બે પ્રકારની હોય છે. બી વગરની કે બીવાળી કાળી દ્રાક્ષ બારેમાસ વાપરી શકાય એમ કેટલાક માને છે. કેટલાક ચાતુર્માસ સિવાય આઠ મહિના વાપરી શકાય એમ માને છે. બીવાળી દ્રાક્ષ જયારે પણ વાપરવી હોય, ત્યારે બી કાઢ્યા પછી ૪૮ મિનિટે અચિત્ત થાય. શંકા- ૪૪૦. કાજુકતરીનો કાળ ગણવો જરૂરી છે ? સમાધાન કાજુકતરી મીઠાઈ હોવાથી તેનો કાળ ગણવો જોઇએ. Jain Educationa International For Personal and Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૦૧ શંકા- ૪૪૧. ફા.સુ.૧૪ ના દિવસે કાજુ ઘીમાં બરાબર સાંતળી નાંખ્યા હોય તો કેટલા દિવસ ખપે ? સમાધાન- મીઠાઇના કાળની જેમ ૨૦ દિવસ ચાલે. શંકા– ૪૪૨. ચોમાસામાં ઇલાયચી જે દિવેસ ફોડી હોય એ જ દિવસે ખપે કે વધારે દિવસો સુધી પણ ખપે ? સમાધાન– ચોમાસામાં ઇલાયચી જે દિવસે ફોડી હોય તે દિવસથી જયાં સુધી બગડે નહિ ત્યાં સુધી ખપી શકે. શંકા- ૪૪૩. ઓસાવેલ ટોપરાના ગોળા કે વાટકી( ગોળાના બે ટુકડા) આદિ ચાતુર્માસમાં ખપી શકે કે નહિ? ફુદીન ખપે કે નહિ? સમાધાન– ખપી શકે. આમ છતાં તે ટોપરાના ગોળામાં બરાબર નિરીક્ષણ કરી લેવું કે નિગોદ થઈ છે કે નહિ ? જો નિગોદ થઈ હોય તો જયાં સુધી નિગોદ લીલી હોય ત્યાં સુધી ન ખપે. નિગોદ એકદમ સૂકાઈ ગયેલી હોય તો ખપે. ફુદીનો ચાતુર્માસમાં અભક્ષ્ય નથી, બારેમાસ ભક્ષ્ય છે. શંકા- ૪૪૪. ખજૂરના ઠળિયા સાધુની સામે જ કાઢયા હોય તો ખજૂર લેવાય? સચિત્તનો સંઘટ્ટો થયો ગણાય? ઠળિયા કાઢ્યા પછી બે ઘડી પછી જ વપરાય કે એ પહેલાં પણ ? સમાધાન– ખજૂરના ઠળિયા સાધુની સામે જ કાઢે તેમાં સાધુને વહોરાવવાનો ઉદ્દેશ હોય. એથી સાધુને વહોરાવવા ઠળિયા કાઢ્યા ગણાય. સાધુને વહોરાવ્યા પછી ગૃહસ્થ ઠળિયા ગમે ત્યાં નાખી દે તેથી સાધુને પશ્ચાત્કર્મ દોષ લાગે. તેથી ખજૂરના ઠળિયા સાધુની સામે જ કાઢે, તો તે ખજૂર ન લેવાય. પણ સચિત્તનો સંઘટ્ટો થયો ન ગણાય. કારણ કે ખજૂરના ઠળિયા અચિત્ત છે. ઠળિયા કાઢ્યા પછી બે ઘડી પછી જ વપરાય એવો નિયમ નથી. કારણ કે ઠળિયા સહિત ખજૂર અચિત્ત છે. બે ઘડીનો નિયમ સચિત્ત વસ્તુ માટે છે. આ અંગે ધર્મસંગ્રહ ગ્રંથમાં ભોગોપભોગ વિરમણ વ્રતના વર્ણનમાં નીચે મુજબ પાઠ છે- સો યોજન ઉપરાંત દૂર-પરદેશથી આવેલા હરડે-ખારેક, કીસમીસ (સૂકી સફેદ દ્રાક્ષ), કાળી દ્રાક્ષ, Jain Educationa International For Personal and Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શંકા-સમાધાન ખજૂર, (કાળા-ધોળા) મરી, પીપર, જાયફળ, બદામ, વાયમ (?), અખરોટ, નમિજ, પીસ્તા, ચણકબાબા, સ્ફટીક જેવો સફેદ સિંધવ વગેરે, સાજીખાર તથા બીડલવણ (એક ખાર) વગે૨ે ક્ષારો, કૃત્રિમ ક્ષાર પદાર્થો, કુંભાર વગેરેએ ચોળેલી-પરિકર્મિત માટી વગેરે, એલચી, લવીંગ, સૂકી મોથ, કોંકણાદિ દેશના પાકાં કેળાં (કુંકળી કેળાં), ઉકાળેલાં(=બાફેલાં) શીંગોડા, સોપારી વગેરે પદાર્થો વ્યવહારથી અચિત્ત મનાય છે. વિશેષ સ્પષ્ટતા માટે ધર્મસંગ્રહમાંથી આ પ્રકરણ વાંચી લેવું. શંકા— ૪૪૫. ચોમાસામાં શાંતિસ્નાત્ર મહાપૂજન આદિમાં મેવા વગેરે અભક્ષ્ય વસ્તુ મૂકી શકાય ? સમાધાન– ન મૂકી શકાય. શંકા- ૪૪૬. સૂકો મેવો કાર્તિક પૂનમથી જ વપરાય છે. તો ઘરમાં પડેલ હોય, અગાઉથી રાખી મૂક્યો હોય તેવો મેવો કાર્તિકપૂનમથી વાપરવામાં દોષ લાગે કે કેમ ? સમાધાન– જો મેવો ચાતુર્માસમાં વરસાદના દિવસોમાં ઘરે પડ્યો હોય તો તેમાં નિગોદ વગેરે થવાની સંભાવના છે. આવો મેવો કાર્તિક પૂનમ પછી પણ ખાવામાં દોષ છે. આથી મેવો અભક્ષ્ય બને એ પહેલાં જ તેનો ઉપયોગ કરી નાખવામાં આવે તો દોષથી બચી શકાય. હવે જો ચાતુર્માસમાં આસો માસની શાશ્વતી ઓળી પછી નવો મેવો ઘરે લાવ્યા હોય તો તેવો મેવો કાર્તિક પૂનમથી વાપરવામાં દોષ નથી. સૌથી સારો વિકલ્પ એ છે કે, આ રીતે મેવો ન ખરીદતા પૂનમ પછી જ ખરીદવો. શંકા- ૪૪૭. મેવાની ભક્ષ્યાભક્ષતા સંબંધી કાળમર્યાદા અંગે ચોક્કસ શાસ્ત્ર વિધાન શું છે ? સમાધાન– મેવાની ભક્ષ્યાભક્ષતા સંબંધી કાળમર્યાદા અંગે તેવો ચોક્કસ કોઇ શાસ્ત્રપાઠ મારા જોવામાં આવ્યો નથી. પણ આચરણાથી વર્તમાનમાં મોટાભાગના સાધુઓ વગેરે ફાગણ ચોમાસીથી કાર્તિક ચોમાસી સુધી મેવો અભક્ષ્ય ગણે છે. બદામ ચોમાસાના ચાર મહિના For Personal and Private Use Only Jain Educationa International Page #266 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૦૩ અભક્ષ્ય છે. તેમાં પણ આજની ફોડેલી બદામ આજે ખપી શકે છે. આજની ફોડેલી બદામ “આજે જ તળી નાખી હોય તો ૧૫ દિવસ સુધી ચાલે. કાળી દ્રાક્ષ ચોમાસામાં ખપી શકે છે એમ કેટલાકો માને છે. શંકા- ૪૪૮. સવારે મેળવણ નાંખે તો સાંજે તે દહીં ચાલે ? કે રાત પસાર થવી જરૂરી છે ? સમાધાન– દૂધમાં મેળવણ નાખ્યા પછી જ્યારે દહીં બરોબર જામી જાય, દહીંનો સ્વાદ આવે, એટલે કે સહેજ ખટાશ જેવું થઈ જાય, ત્યારે દહીં ભક્ષ્ય બને. રાત પસાર થવી જ જોઈએ એવો કોઈ નિયમ નથી. શંકા- ૪૪૯. રવિવારે રાતના દૂધ મેળવ્યું હોય, તો સોમવારે સવારે તૈયાર થયેલું એ દહીં કયા વાર સુધી ખપે ? સમાધાન- રવિવારે રાતના મેળવેલા દૂધનું દહીં સોમવારે ખપી શકે, પણ તે દહીં મંગળવારે ન ખપી શકે. શંકા- ૪૫૦. દૂધ મેળવ્યા પછી કેટલા સમયે તે દહીં વાપરી શકાય ? કારણ કે આજના વિજ્ઞાનના જમાનામાં દૂધ મેળવ્યા પછી કલાક બે કલાકમાં દહીં થઈ જાય તો તે રીતે વાપરી શકાય ? સમાધાન– દહીંનો સ્વાદ આવે તેવું દહીં થઈ જાય પછી તે દહીં વાપરી શકાય. જો કે લઘુ પ્રવચન સારોદ્ધારની ૯૬મી ગાથામાં “વડપરોવરિ નાર્થ દિ સુદ્ધ હવ પૂગન્ન ય” એ પાઠના આધારે જમાવ્યા પછી ચાર પ્રહર પૂરા થાય ત્યારે જ દહીં શુદ્ધ અને ભક્ષ્ય બને છે. મારી સમજ મુજબ આ પાઠ શિયાળામાં ઠંડીના દિવસોની અપેક્ષાએ હોવો જોઇએ. ઠંડીમાં ચાર પ્રહર પહેલાં દહીં ન બને. દહીંનો સ્વાદ આવ્યો કે નહિ એવી કોઈને ખબર ન પડે એટલે ગ્રંથકારે સર્વસામાન્ય નિયમ લખી દીધો કે ચાર પ્રહર પછી દહીં શુદ્ધ અને કપ્ય બને. મેળવણ નાખ્યા પછી બે ઘડી બાદ જયાં સુધી દહીંનો સ્વાદ ન આવે ત્યાં સુધી તે અભક્ષ્ય છે અને દહીંનો સ્વાદ આવે એટલે ભક્ષ્ય બને એવું મારા જાણવામાં આવ્યું છે. એટલે સાધુની ભૂલથી દહીં-છાશનો છાંટો દૂધમાં પડી જાય તો તે દૂધ બે ઘડી સુધીમાં વાપરી નાખવું જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શંકા-સમાધાન શંકા- ૪૫૧. દૂધની મલાઈ ચાર-પાંચ દિવસની ભેગી થયેલી હોય, પણ એ મલાઇમાંથી બનાવેલ દહીંને ચાર પ્રહર વીતી ગયા હોય તો તે દહીં કહ્યું કે નહિ ? સમાધાન– શ્રાવકે ચાર-પાંચ દિવસની મલાઈ ભેગી ન કરવી જોઇએ. કેમ કે રાતવાસી મલાઈમાં જીવોત્પત્તિ થવાથી મલાઈ અભક્ષ્ય બને છે. પણ દહીં બની ગયા પછી તે અભક્ષ્ય ન રહે. કેમ કે રૂપાંતર થઈ ગયું છે. જેમકે, માખણ અભક્ષ્ય છે પણ માખણમાંથી થતું ઘી ભક્ષ્ય છે. શંકા- ૪૫ર. દહીંમાં ખાંડ નાંખી હોય, તો તે દહીં બીજા દિવસે ખપી શકે ? સમાધાન– ખપી શકે. બીજા દિવસે ખપી શકવામાં કારણ ખટાશ છે. કોઇકને એમ થાય કે દહીં બીજા દિવસે ખટાશના કારણે ખપે છે, પણ સાકર નાંખવાથી તે દહીં ગળ્યું થઈ જવાથી ખટાશ ન રહી, એટલે બીજે દિવસે ન ખપે, એવું માનીને તે ન ખપવાનું કહેતા હોય છે, પણ અહીં હકીકત એ છે કે સાકર નાખેલ દહીંમાં ખટાશ રહેલી જ છે. આમ છતાં સાકરના કારણે આપણને ખટાશ જણાતી નથી. આ વિષયમાં મતાંતર હોઈ શકે, છતાં મને જે લાગ્યું, તે અહીં જણાવ્યું છે. શંકા- ૪૫૩. દૂધમાં ખાંડ નાંખી હોય એ ગળ્યું દૂધ જ મેળવ્યું હોય, તો એ દહીં બીજે દિવસે ખપી શકે ? સમાધાન- હા, ખપી શકે. ખાંડ નાંખેલા ગળ્યા દૂધમાં દહીંનું મેળવણ નાખવાના કારણે જ દહીં જામે છે. ખટાશ વગર દહીં જામે જ નહિ. સાકર નાંખી હોવાના કારણે આપણને દહીંમાં ખટાશ જણાતી નથી, બાકીની વિગત પૂર્વોક્ત સમાધાનની જેમ જાણી લેવી. શંકા- ૪૫૪. દહીંમાં બેકટેરીયા જીવો હોય છે એમ કહે છે તો તે જીવોનો પ૬૩ ભેદમાંથી કયા ભેદમાં સમાવેશ થાય ? સમાધાન– તીર્થકરોએ બરોબર જામી ગયેલા દહીંમાં કોઈ જાતના જીવો જણાવ્યા નથી. માટે બેકટેરિયાની વાત જૈનશાસનને માન્ય ન ગણાય. જો દહીંમાં જીવો હોત તો તીર્થકરોએ માખણ વગેરેની જેમ Jain Educationa International For Personal and Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૦૫ દહીંને પણ અભક્ષ્ય કહ્યું હોત. દૂધમાં મેળવણ નાખ્યા પછી અંતમુહૂર્તમાં એમાં જીવોત્પત્તિ થાય. (આથી જ સાધુની ભૂલથી દૂધમાં દહીંના-છાશના છાંટા પડી ગયા હોય તો તે દૂધ બે ઘડી પહેલાં વાપરી નાખવાનો પ્રસંગ બન્યો છે.) પછી જ્યાં સુધી દહીં બરોબર જામે નહિ ત્યાં સુધી એમાં જીવો હોય. બરોબર જામી ગયા પછી તેમાં જીવો ન હોય. આથી સંભવ છે કે ડૉકટરો જેને બેકટેરિયા કહે છે તે આ જંતુઓ હોય. માઈક્રોસ્કોપથી તેમાં જીવો દેખાય એવી એમની માન્યતાના આધારે એ જીવો બેઈન્દ્રિય હોય એવો સંભવ છે. બાકી જ્ઞાનીના વચન વિના આ વિષે નિશ્ચિત રૂપે કંઈ કહી શકાય નહિ. શંકા– ૪૫૫. દહીંને કુકરમાં રાખી ૩ સીટી વાગે ત્યાં સુધી ગરમ કર્યું હોય, તો તેવું ગરમ દહીં કઠોળ સાથે ચાલે ? આજે ગરમ કરેલું દહીં બીજા દિવસે ચાલે ? જો ચાલે તો ગઈકાલનું ગરમ કરેલું આજે વાપરીએ તો તેમાં વિદળ દોષ લાગે ? સમાધાન- કુકરમાં ૩ સીટીથી ગરમ કરેલું દહીં કઠોળ સાથે ચાલે. આજે ગરમ કરેલું દહીં જો બે રાતનું ઉલ્લંઘન ન થતું હોય તો બીજા દિવસે ચાલે. ગઈ કાલનું ગરમ કરેલું દહીં આજે વાપરવામાં વિદળ દોષ ન લાગે. શંકા- ૪૫૬. શ્રીખંડ કરવા માટે દહીં આગલા દિવસે કપડામાં બાંધે તો એ બીજે દિવસે ખપે ? સમાધાન– જે દિવસે દહીં બનાવ્યું હોય (અર્થાત્ જે દિવસે સવારે દહીં જમાવ્યું હોય અને સાંજે) તે જ દિવસે દહીં કપડામાં બાંધીને રાત્રે રાખ્યું હોય, તો તેનો શ્રીખંડ બીજે દિવસે ખપે. કારણ કે એમાં ખટાશનો અંશ રહેલો છે પણ શ્રીખંડ બન્યા પછી બીજા દિવસે ન ખપે. શંકા- ૪૫૭. દહીંના વલોણાનો ઘોળ વસ્ત્રથી ગાળ્યો હોય તો વિગઈ ગણાય કે નિવિયાતું ગણાય ? સમાધાન– દહીંના વલોણાનો ઘોળ વસ્ત્રથી ગાળ્યો હોય અથવા તેમાં મીઠું નાખ્યું હોય તો નિવિયાતું ગણાય અને તેવું ન હોય તો વિગઈ કહેવાય. (એનપ્રશ્ન બીજો ઉલ્લાસ પ્ર.૧૦) Jain Educationa International For Personal and Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન શંકા- ૪૫૮. આજનું મેળવેલું દહીં આજે વાપરવાથી કાચા ગર્ભને ખાવા જેવું પાપ લાગે, એમ કોઇક સાધ્વીજીઓ કહે છે, એવું જાણવામાં આવ્યું છે. તો સત્ય શું ? ૨૦૬ સમાધાન ના, આ સાચું નથી. દહીં બરાબર જામી જાય અને દહીંનો સ્વાદ આવતો હોય તો આજનું મેળવેલું દહીં પણ ખપી શકે. શંકા- ૪૫૯. ગરમ કરેલી છાશ કેટલા દિવસ કલ્પે ? સમાધાન– ગરમ કરેલી છાશ બે રાત વીતી ગયા પછી ન કલ્પે. શંકા- ૪૬૦. મીઠું નાખેલી છાશ કેટલા દિવસ કલ્પે ? સમાધાન– મીઠું નાખેલી છાશ બે રાત વીતી ગયા પછી ન કલ્પે. શંકા- ૪૬૧. બે દિવસના દહીંની છાશ કેટલા દિવસ કલ્પે ? સમાધાન બે દિવસના દહીંની છાશ જો બીજી રાતના સૂર્યોદય બાદ બનાવી હોય તો ન કલ્પે. જો સૂર્યોદય પહેલાં બનાવી હોય તો એ જ દિવસે કલ્પે, બીજા દિવસે ન કલ્પે. કારણ કે બે રાત વીતી ગયેલી છાશ અભક્ષ્ય બને. સૂર્યોદયની પહેલાં બનાવી હોવાથી સૂર્યોદય પહેલાંની એક રાત ગણાય અને તે દિવસની રાત પસાર થયા પછી બે રાત વીતી ગણાય. શંકા- ૪૬૨. જેમ દહીં બે રાત વીત્યા પછી અભક્ષ્ય થઇ જાય છે તેમ છાશ માટે શો નિયમ છે ? સમાધાન– છાશ પણ બે રાત વીત્યા પછી અભક્ષ્ય બને છે. ભક્ષ્ય દહીંની સોમવારે સૂર્યોદય પછી બનાવેલી છાશ મંગળવાર સુધી ખપી શકે. શંકા ૪૬૩. કાચી છાશ વગેરે સાથે દ્વિદળ (કઠોળ)નો સંયોગ થાય તો તેમાં કયા જીવો ઉત્પન્ન થાય છે ? સમાધાન– છાશ વગેરે સાથે દ્વિદળ (કઠોળ)નો સંયોગ થાય તો તેમાં ત્રસજીવો ઉત્પન્ન થાય, એમ શ્રાદ્ધ પ્રતિક્રમણ (વંદિત્તુ) સૂત્રની ટીકામાં કહ્યું છે, તે ત્રસ જીવો બેઇન્દ્રિય સંભવે છે, એ જીવો બેઇન્દ્રિય હોવા છતાં એટલા બધા સૂક્ષ્મ હોય છે કે જેથી ચર્મચક્ષુથી ગ્રાહ્ય થતા નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૦૭ શંકા- ૪૬૪. નવપ્રસૂતા ગાય આદિ સંબંધિત દૂધ અને બળી ક્યારે ભક્ષ્ય બને ? સમાધાન નવી વિયાયેલી ગાય, બકરી અને ભેંસનું દૂધ અનુક્રમે પાંચ, આઠ અને દશ દિવસ પછી ભક્ષ્ય બને. ગાય વગેરેની બળી ત્રણ દિવસ પછી ભણ્ય થાય. (લઘુ પ્રવ. સા.ગા. ૯૫). શંકા- ૪૬૫. વાસી દૂધની ચા ખપે કે નહિ ? સમાધાન– દૂધ બીજા દિવસે વાસી બને. ગાય-ભેંસનું રાત વીતેલું દૂધ અને ડેરીનું દૂધ એ બંને પ્રકારનું દૂધ વાસી હોવાથી અભક્ષ્ય છે. એ દૂધ ચામાં નાખતાં જ જીવોનો નાશ થાય છે. આથી વાપરતી વખતે ચા અભક્ષ્ય નથી. આમ છતાં શ્રાવકોએ આવી ચા ન વાપરવી જોઈએ. ચાલે તેમ ન હોય એથી આવી ચા વાપરવી પડે તો પણ ચામાં અભક્ષ્ય દૂધ નાખવાથી જીવનો વિનાશ કરવાના કારણે એટલા અંશમાં વાસી ભક્ષણનો દોષ લાગે જ, આવી ચા સાધુઓ માટે ન બનાવી હોય તો સાધુ માટે નિર્દોષ છે. સાધુઓને ૪૨ દોષોથી રહિત અચિત્ત વસ્તુ કથ્ય છે. આમ છતાં ગૃહસ્થોને ખ્યાલ આવે કે આવી ચા અમારાથી ન વપરાય, એ માટે શક્ય હોય તો સાધુઓએ આવી ચા ન વહોરવી-વાપરવી જોઇએ.. શંકા-૪૬૬. છાશમાં બનાવેલા થેપલા બીજે દિવસે ચાલે કે નહિ? સમાધાન- સૂર્યોદય બાદ બનાવ્યા હોય તો બીજે દિવસે ચાલે, પણ સૂર્યોદય પહેલાં બનાવ્યા હોય તો ન ચાલે. કારણ કે આના માટે એવો નિયમ છે કે બે રાતનું ઉલ્લંઘન ન થવું જોઈએ. સૂર્યોદય પહેલાં બનાવે તો એક રાત થઈ ગઈ. બીજા દિવસે બે રાતનું ઉલ્લંઘન થઈ જાય. શંકા- ૪૬૭. ગરમ દહીંમાં સુકી કે લીલી મેથી નાંખી બનાવેલા થેપલા બીજે દિવસે વાપરવા ખપે ? સમાધાન– જેમાં સુકી કે લીલી મેથી નાંખી હોય, તેવા દહીંમાં બનાવેલા થેપલા બીજા દિવસે ન ખપે. કેમકે મેથી ધાન્ય હોવાથી વાસી બને. થેપલાનો લોટ પણ ધાન્યમાંથી જ બનેલો હોય છે. તોપણ તેમાં દહીં છાશની ખટાશ એકરૂપ બની જાય છે. તેથી તે Jain Educationa International For Personal and Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શંકા-સમાધાન વાસી ન બને, પણ મેથી નાંખી હોય તો વાસી બને. કારણ મેથી સાથે ખટાશ એકમેક નથી થતી. શંકા— ૪૬૮. થેપલા બીજે દિવસે ખપે ન ખપે, એમાં મુખ્ય કારણ કયું છે ? સમાધાન– આમાં મુખ્ય હેતુ ખટાશ છે. ખટાશ જો થેપલા સાથે એકમેક થઇ જાય, તો બીજા દિવસે થેપલા ખપે, એકમેક ન થાય, તો ન ખપે. થેપલાનો લોટ ધાન્યરૂપ છે. એમ મેથી પણ ધાન્યરૂપ છે. પરંતુ લોટમાં દહીંની ખટાશ જે રીતે ભળી જાય છે, મેથીમાં તે રીતે ભળતી નથી. માટે મેથીના થેપલા બીજે દિવસે ન ખપે. પરંતુ મેથીને લોટ જેવી બનાવીને જો થેપલા બનાવાયા હોય તો તેમાં ખટાશ ભળી જવાથી બીજે દિવસે ખપે. આવા થેપલા વાસી ન ગણાય. શંકા- ૪૬૯. કમરખ ફળ વપરાય ? સમાધાન– વપરાય. કમરખ એક જાતનું આશરે ૨૫ ફૂટ ઊંચું થતું ફળઝાડ છે. તેને સુંદર ગુલાબી ફૂલ અને ફિક્કા જાંબૂડા રંગનાં લાંબા ને ત્રણ ચાર ધારવાળાં ફળ આવે છે. તેની મીઠી અને ખાટી એમ બે જાત છે. બારે માસ પાકતાં ખટમધૂરાં આ ફળનું અથાણું અને મુરબ્બો થાય, ખોરાકમાં ખવાય છે અને તેનું શરબત પણ બને છે. શંકા- ૪૭૦. શિંગોડા ભક્ષ્ય કે અભક્ષ્ય ? સમાધાન– શિંગોડા અભક્ષ્ય નથી. શંકા- ૪૭૧. શિંગોડા બારે માસ ખપે ? સમાધાન– શિંગોડા અભક્ષ્ય નથી. આથી બારે માસ ખપે. આમ છતાં વરસાદના દિવસોમાં તેના પડ ઉપર નિગોદ થવાની શક્યતા રહે. માટે વર્ષાઋતુના દિવસોમાં ન વાપરવા જોઇએ. શંકા- ૪૭૨. શીંગોડામાં કેટલા જીવો હોય ? સમાધાન– શીંગોડામાં બે જીવો હોય. શંકા— ૪૭૩. આર્દ્રા નક્ષત્રથી શું અભક્ષ્ય બને છે ? સમાધાન આર્દ્રા નક્ષત્રથી કેરી અને રાયણ અભક્ષ્ય બને છે. Jain Educationa International For Personal and Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૦૯ શંકા- ૪૭૪. આદ્રા નક્ષત્રથી બંધ થયેલી કેરી ક્યાં સુધી બંધ રહે ? કેરીનો વપરાશ તરીકે ચાલુ રહેવાનો કોઈ કાળ ખરો ? સમાધાન– આદ્રા નક્ષત્રથી અભક્ષ્ય થયેલી કેરી સૂર્ય વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે ભક્ષ્ય બને. પ્રાયઃ કરીને કાર્તિક વદમાં સૂર્ય વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કરતો હોવાથી ત્યાર પછી કેરી ભક્ષ્ય ગણાય છે. શંકા- ૪૭૫. જે દેશમાં આદ્રા નક્ષત્ર પછીથી જ કેરીઓ પાકતી હોય, એ દેશમાં આદ્રા નક્ષત્ર પછી કેરી ખવાય ? સમાધાન- ન ખવાય. આદ્રા નક્ષત્ર પછી કેરી ન ખાવાનું કારણ પૂર્વપુરુષથી ચાલી આવતી આચરણા છે. શંકા- ૪૭૬. આદ્ર નક્ષત્ર પછી કેરીના પાપડ વાપરી શકાય? સમાધાન– આદ્ર પછી કેરીના પાપડ વાપરવામાં બાધ જણાતો નથી. શંકા-૪૭૭. લીલી વનસ્પતિના પચ્ચકખાણવાળાને તે દિવસનો બનેલો કેરી પાક વગેરે કહ્યું કે નહિ ? સમાધાન પરંપરાએ તે દિવસનો બનેલ કેરી પાક વગેરે કલ્પ છે તેવી પ્રવૃત્તિ દેખાય છે. (એનપ્રશ્ન પ્ર.૯૩૯) શંકા- ૪૭૮. આંબાના રસથી બનેલ રસપાપડનો કાળ છે ? હોય તો કેટલો કાળ છે ? તે મિષ્ઠાન્નમાં ગણાય ? સમાધાન- આંબાના રસથી બનેલ રસપાપડનો કાળ નથી. આમ છતાં આ વસ્તુ ચોમાસાની નજીકના કાળમાં જ બનતી હોય છે. ચોમાસામાં ભેજના કારણે રસપાપડમાં લીલ-ફુગ થવાની ઘણી સંભાવના છે. તેમાં લીલ-ફુગ થઈ જાય તો તે અભક્ષ્ય ગણાય. માટે વધારે સમય ન રાખવા એ હિતાવહ છે. રસપાપડ મિષ્ટાન્નમાં ન ગણાય. મિષ્ટાન્ન શબ્દમાં મિષ્ટ અને અન્ન એમ બે શબ્દ છે. મિષ્ટ એટલે મધુર. અન્ન એટલે અનાજ. આથી ખાંડ-ગોળ નાખીને અનાજ કઠોળમાંથી બનેલ વસ્તુ મિષ્ટાન્ન ગણાય. જેમાં અનાજ-કઠોળ જરા પણ ન હોય તેવી મધુર વાનગી મિષ્ટાન્નમાં ન ગણાય. આમ છતાં કોઈ વ્યક્તિ પોતાની વિવક્ષાથી તેવી વસ્તુને મિષ્ટાન્ન ગણે એ જુદી વાત છે. Jain Educationa International For Personal and Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન શંકા— ૪૭૯. કેળાની છાલ સાધુ સામે કાઢે તો સાધુને કલ્પે ? ત-પૂજા-છતી-ટ્ટા એ પાઠથી છાલ સચિત્ત ખરી ? સચિત્તનો સંઘટ્ટો લાગે ? કેળાની લુંબ હોય તો તે સચિત્ત ખરી ? સમાધાન– પાકા કેળાની છાલ અચિત્ત છે. આથી કેળાની છાલ સાધુ સામે કાઢે તો પણ સચિત્તનો સંઘટ્ટો ન લાગે. પણ સાધુએ કેળામાંથી સંપૂર્ણ છાલ કાઢી નાખે તો તે કેળું ન વહોરવું જોઇએ. કારણ કે તે છાલ ગૃહસ્થ ગમે ત્યાં ફેંકી દે, તેથી પશ્ચાત્કર્મ દોષ લાગે. એટલે કેળાનો થોડો ભાગ છાલ સાથે બાકી રહે તે રીતે કેળાને ભાંગીને વહોરાવવાથી પશ્ચાત્કર્મ દોષ ન લાગે. પાકેલા કેળાની લંબ અચિત્ત હોય તેમ સંભવે છે. (પણ જેમાં અનેક લંબો રહેલી છે એવો લુંબનો દાંડો ચિત્ત હોય એમ સંભવે છે.) શંકા- ૪૮૦. સફરજન-ચીકુ વગેરે ફળો છાલ સહિત હોય તો સાધુથી વહોરાય ? ૨૧૦ સમાધાન– સામાન્ય જરા-તરા છાલ રહી ગઇ હોય તો વહોરી શકાય. કારણ કે, પાકા ફળોની છાલ કપાવાથી અચિત્ત થઇ જાય છે. વધારે છાલ હોય તો ન વહોરવી જોઇએ. કેમ કે ચાવી ન શકાય તો છાલ પઠવવાનો દોષ લાગે. શંકા- ૪૮૧. પાકા ફળો છાલ સાથે સુધાર્યા હોય તો બે ઘડી બાદ સાધુથી વહોરી શકાય ? સચિત્ત ત્યાગી શ્રાવકને ખપે ? સમાધાન– પાકા કોઇ પણ ફળો છાલ સાથે સુધાર્યા હોય તો પણ બેઘડી પછી સાધુથી વહોરી શકાય. પણ જો સાધુ છાલને વાપરી ન શકે તો પરઠવવાનો દોષ લાગે આવાં ફળો સચિત્ત ત્યાગી શ્રાવકને પણ બે ઘડી પછી ખપી શકે. પાકા ફળની છાલમાં અલગ જીવ હોતો નથી. શંકા— ૪૮૨. આજે કાપેલું ફણસનું ફળ અને આજે તાડના ફળમાંથી કાઢેલ તાડગોળા બીજે દિવસે ખપે ? સમાધાન કોઇ પણ ફળ કાપ્યા પછી બીજા દિવસે ન ખપે=ન કલ્પે. For Personal and Private Use Only Jain Educationa International Page #274 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨ ૧ ૧ શંકા- ૪૮૩. ફુદીનો ક્યારે અભક્ષ્ય થાય ? સમાધાન- ફુદીનો ક્યારે ય અભક્ષ્ય થતો નથી. શંકા– ૪૮૪. ફુદીનો ફાગણ ચોમાસા પછી વાપરી શકાય ? સમાધાન– ફુદીનો ફાગણ ચોમાસી પછી પણ અભક્ષ્ય બનતો નથી, અર્થાતુ બારેમાસ ભક્ષ્ય છે. કોઈક આને (ફુદીનાને) ભાજીમાં ગણતરી કરીને ફાગણ ચૌમાસી પછી કેવી રીતે વપરાય ? એવી શંકા કરતા હોય છે પણ આ શંકા કરવી યોગ્ય નથી, કારણ કે લીલી મેથીની ભાજીનો આહાર તરીકે ઉપયોગ થતો હોય છે. જ્યારે ફુદીનાનો તો કેવળ ઔષધ તરીકે જ ઉપયોગ થાય છે. ફુદીનાના નાના નાના છોડ હોય છે, એ તુલસીની જ એક પ્રકારની જાત છે. એના પાંદડા તુલસીના પાનથી કઈક નાના અને ગોળ હોય છે. શંકા- ૪૮૫. લીમડો ફાગણ ચોમાસી પછી વપરાય ? સમાધાન– લીમડો બારે માસ વાપરવામાં અભક્ષ્યનો દોષ નથી. શંકા- ૪૮૬. કોબીના પાન એક એક છૂટા કરીને સમારવામાં આવે તો કોબી બારે માસ ખવાય ? સમાધાન- કોબી અભક્ષ્ય નથી, પણ કોબીના પાનમાં બહુ જ ઝીણાં જંતુઓ હોય છે કે જેથી એક એક પાન છુટા કરવા છતાં જંતુઓ જોવામાં ન આવે એવું બને. એથી કાયમ માટે શ્રાવકોએ કોબી ન વાપરવી જોઇએ. શંકા- ૪૮૭. કોળું અનંતકાય ગણાય ? સમાધાન– કોળાના કોળું અને ભોંયકોળું એમ બે પ્રકાર છે. તેમાં કોળું(=સ્વાદુકોળું) અનંતકાય નથી અને ભોંયકોળું અનંતકાય છે. એવું મને જાણવા મળ્યું છે. કારણ કે ભોંયકોળું ભૂમિમાં થાય છે. જૂની ગુજરાતી ભાષામાં ભૂમિને(=જમીનને) ભોંય કહેવામાં આવે છે. ભોંયમાં(=જમીનમાં) થનારું કોળું તે ભોંયકોળું, સંસ્કૃતમાં આને પૂમિદુષ્કાળું કહેવાય છે. મૂની નાતઃ સુષ્માણ્ડ: પૂમિMાપ્ત: એવી એની વ્યુત્પત્તિ છે. વર્તમાનકાળમાં સિદ્ધચક્ર પૂજનમાં મુકાતું કોળું અને શાક વગેરેમાં વપરાતું કોળું અનંતકાય નથી એમ સંભવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શંકા-સમાધાન ભોંયકોળાને(=જમીનમાં થનારા કોળાને) વિદારિકંદ કહેવામાં આવે છે. આ વિદારિકંદ મોટાભાગે ઔષધ તરીકે વપરાય છે. એથી ઔષધમાં વપરાતું વિદારિકંદ(=વિદારિકંદના સૂકા પાવડરને) આદુમાંથી થનાર ચૂંઠની જેમ અભક્ષ્ય ન ગણવું જોઈએ. શંકા- ૪૮૮. લીલોતરીનો ત્યાગ ક્યારે કરવો જોઇએ ? સમાધાન- કેટલાક મહાનુભાવો લીલોતરી વાપરવાથી આસક્તિનું પોષણ વગેરે દોષો લાગે છે એમ વિચારીને જીવનપર્યત લીલોતરીનો ત્યાગ કરે છે. કેટલાક મહાનુભાવો દરેક મહિનાની બાર પર્વતિથિઓમાં અને છ અઠ્ઠાઇમાં લીલોતરીનો ત્યાગ કરે છે. આટલું પણ જેમનાથી ન થઈ શકે તેમણે દરેક મહિનાની બે આઠમ બે ચૌદશ અને સુદ પાંચમ એ પાંચ તિથિ તથા ચૈત્ર-આસો માસની બે શાશ્વતી અઠ્ઠાઇઓ અને પર્યુષણ પર્વની અઠ્ઠાઈ એમ ત્રણ અઠ્ઠાઇઓમાં લીલોતરીનો સર્વથા ત્યાગ કરવો જોઇએ. દરેક જૈનના ઘરમાં આ દિવસોમાં લીલોતરીનો અવશ્ય ત્યાગ થવો જોઇએ તથા સંઘજમણ આદિ સામુદાયિક ભોજનમાં પણ આ દિવસોમાં લીલોતરીનો ત્યાગ હોવો જોઇએ. લીલોતરીનો વધારે ત્યાગ ન થઈ શકે તો ચૈત્ર-આસો માસની અને પર્યુષણાપર્વની એ ત્રણ અઠ્ઠાઇઓમાં અને દરેક મહિનાની બે આઠમ-ચૌદસ અને સુદ પાંચમ એ પાંચ તિથિઓમાં લીલોતરીનો ત્યાગ કરવાથી આત્માનું હિત થવા સાથે શરીરને પણ લાભ થાય છે. કારણ કે આયુર્વેદશાસ્ત્ર શાક ઓછા ખાવાનું કહે છે. આયુર્વેદ શાસ્ત્રમાં પ્રશ્ન કર્યો કે જોડત્રકોણ નીરોગી રહે? એના જવાબમાં કહ્યું કે હિતમુ મિતમુ-કશીકપુ=જે માણસ હિતકાર અને પરિમિત આહાર વાપરે અને શાક ઓછા ખાય એ નિરોગી રહે છે. ઉક્ત દિવસોમાં લીલોતરીનો ત્યાગ કરવાથી શાકનું પ્રમાણ પરિમિત રહે. લીલોતરી શબ્દથી ઘણા શ્રાવક-શ્રાવિકાઓ માત્ર લીલાં શાકભાજી સમજતા હોય છે. લીલાં શાકભાજી તો લીલોતરી છે જ, કિંતુ સર્વ પ્રકારનાં કાચાં-પાકાં ફળો પણ લીલોતરી જ છે. એટલે જે દિવસે Jain Educationa International For Personal and Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૧૩ લીલોતરી ન વપરાય તે દિવસે ફળો પણ ન વપરાય. કાચાં-પાકાં કેળાં, કાચી-પાકી કેરી વગેરે લીલોતરી જ ગણાય. શંકા-૪૮૯. લીલીભાજી વગેરે તડકે મૂક્યા સિવાય કેટલા દિવસે સૂકવણી થાય ? સમાધાન- લીલીભાજી વગેરે સૂર્યના તાપમાં મૂકવાથી ત્રણ દિવસે સૂકવણી થાય અને સૂર્યના તાપ વિના તો જ્યારે પોતાની મેળે સુકાઈ જાય, ત્યારે સૂકવણી થાય. આમાં દિવસની સંખ્યાનું નિયતપણું નથી (સેનપ્રશ્ન પ્ર.૩૨૮( સૂકવણીની ભાજીનો ચોમાસામાં ઉપયોગ કરવો હોય તો બહુ કાળજી રાખવી જોઇએ. કારણ કે બરાબર ન રાખેલી હોય તો ભેજના કારણે તેમાં જીવોત્પત્તિની સંભાવના રહે છે. આથી ચોમાસામાં ભાજીની આવી સૂકવણીનો ઉપયોગ કરવા કરતા એના સ્થાને બીજી કોઈ વસ્તુનો ઉપયોગ કરી શકાય.) શંકા- ૪૯૦. લીલી કે સુકવેલી ગુવારફળી કાચા ગોરસની સાથે લેવાથી દ્વિદળ થાય કે નહિ ? સમાધાન– દ્વિદળ થાય. ગુવારફળી કઠોળમાં ગણાય, એવો ઉલ્લેખ “સેન પ્રશ્ન” (૨-૩૨૭)માં છે. શંકા- ૪૯૧. કાળી કે લીલી મોગરી અને દહીં દ્વિદળ ગણાય? સમાધાન- મૂળાની મોગરી અભક્ષ્ય છે. તે સિવાયની કાળી કે લીલી મોગરી અને દહીં દ્વિદળ ન ગણાય. શંકા- ૪૯૨. પાઇનેપલના પાપડ વાપરી શકાય ? સમાધાન– પાઈનેપલના (પાઈનેપલનો રસ નાખીને બનાવેલા) પાપડ વાપરવામાં બાધ જણાતો નથી. શંકા-૪૯૩. દૂધીનો હલવો વનસ્પતિના ત્યાગવાળાને ચાલે કે નહિ? સમાધાન ન ચાલે. શંકા- ૪૯૪. પાકી આંબલી સૂકવણીમાં ગણાય કે લીલોતરીમાં? સમાધાન–પાકી આંબલી સૂકવણીમાં ગણાય પણ લીલોતરીમાં નહિ. Jain Educationa International For Personal and Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શંકા-સમાધાન શંકા- ૪૯૫. પ્રવચન સારોદ્ધારમાં તેત્રીસ આશાતના દ્વારમાં ૧૮મી આશાતનામાં સુસંસ્કારિત રીંગણાનું શાક વગેરે વહોરી લાવે અને ગુરુને બતાવ્યા વિના વાપરે તો આ શિષ્યની ગુરુના પ્રત્યે આશાતના છે એમ જણાવ્યું છે. આના આધારે નિશ્ચિત થાય છે કે પૂર્વે (પ્રવચન સારોદ્ધારની રચના વિ.સં. ૧૨૪૧માં થઈ. આથી ત્યાં સુધી) શ્રાવકોના ઘરમાં રીંગણાનું શાક થતું હતું અને સાધુઓ વહોરતા હશે તો પછી હમણાં રીંગણાને બહુબીજ તરીકે અભક્ષ્ય કેમ માનવામાં આવે છે ? કોઈ આચાર્યને રીંગણાનું શાક ખાવાથી પેટમાં દુઃખ્યું હોય અને એથી તેમણે વિકારી(=શરીરમાં વિક્રિયા - કરનાર) સમજીને રીંગણાનો નિષેધ કર્યો એવું ન હોઈ શકે ? સમાધાન- પ્રવચન સારોદ્ધારના એ પાઠનો અર્થ કરવામાં ભૂલ થઈ છે. એ પાઠથી પૂર્વે શ્રાવકોના ઘરમાં રીંગણાનું શાક થતું હતું ઇત્યાદિ ભાવ જરાપણ નીકળતો નથી. ત્યાં મૂળગાથામાં રહેલા ડાક' શબ્દનો માત્ર અર્થ જણાવ્યો છે. ડાક કોને કહેવાય તે જણાવવા भाटे वृन्ताकचिटिकाचणकादयः सुसंस्कृताः पत्रशाकान्ता डाकशब्देन મુખ્યત્વે એમ કહ્યું છે. સંસ્કૃત ભાષાના કોઈ પણ વિદ્વાન આજુબાજુનો સંબંધ જોઇને પ્રસ્તુત પાઠ મુજબ પૂર્વે શ્રાવકોના ઘરોમાં રીંગણાનું શાક થતું હતું ઇત્યાદિ ભાવ ન કાઢે તથા કોઈ આચાર્યને રીંગણાનું શાક ખાવાથી પેટમાં દુઃખું ઇત્યાદિ કલ્પના પણ જૈનશાસનના ભવભીરુ આચાર્યો માટે કરવી એ કલ્પના કરનારની તુચ્છતાને સૂચવે છે. શંકા- ૪૯૬. ઘી અથવા તેલ, નીવિયાતું ક્યારે બને ? સમાધાન- ઘી અથવા તેલનું જે કડાયું ભરેલું હોય, તેમાં રહી શકે તેટલી પુરીઓ ત્રણ વખત તળ્યા પછી તે ઘી અને તેલ નીવિયાતું થાય. તેમાં નવું તેલ કે ઘી ન ઉમેરવું જોઇએ. જો નવું તેલ કે ઘી ઉમેરે તો ફરીથી ઉપર લખ્યા મુજબ ૩ વાર તળવાની વિધિ કરવાથી નીવિયાતું થાય. શંકા- ૪૯૭. તેલથી કે ઘીથી તળેલી વસ્તુમાં એક જ વિગઈ ગણાય કે બે ? Jain Educationa International For Personal and Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૧૫ સમાધાન– એક જ કડા વિગઇ ગણાય. કારણ કે કડા વિગઇ અલગ (સ્વતંત્ર) વિગઇ તરીકે ગણાય છે. એટલે તળ્યા વિનાની વસ્તુમાં થી આદિની પ્રધાનતા હોવાથી ઘી આદિ વિગઇ તરીકે ગણાય, પણ ઘી આદિમાં તળવાથી વસ્તુ સ્વતંત્ર નવી વિગઇ ગણાય છે. (જુઓ વિવિધ પ્રશ્નોત્તર ભા.૧ પ્ર.૫૩) શંકા- ૪૯૮, શીખંડ ક્યારે અભક્ષ્ય બને ? સમાધાન– બે રાત વીતી ગયેલું દહીં અભક્ષ્ય છે. આથી બે રાત વીતી ગયેલા દહીંમાંથી બનાવેલ શીખંડ પણ અભક્ષ્ય છે. બજારનો તૈયાર શીખંડ મોટાભાગે અભક્ષ્ય હોય છે. બે રાત નહિ વીતેલા દહીંમાંથી બનાવેલ શીખંડ ભક્ષ્ય છે પણ શીખંડ જે દિવસે બનાવ્યું હોય તે જ દિવસે ભક્ષ્ય છે. બીજા દિવસે શીખંડ અભક્ષ્ય બને છે. શુક્રવારે સૂર્યોદય બાદ જમાવેલું દહીં શનિવારે ખપી શકે છે પણ શુક્રવારે સૂર્યોદય બાદ બનાવેલું શીખંડ શનિવારે ન ખપી શકે. આ ભેદનું કારણ એ છે કે દહીંમાં ખટાશ છે. શીખંડમાં ખટાશ નથી. શંકા- ૪૯૯. ફાગણ ચોમાસી પછી નવા તલ પાક્યા હોય તો તે તલ ખપે કે નહિ ? સમાધાન– ફાગણ ચોમાસી પહેલા ઓસાવ્યા વિનાના કોઇપણ પ્રકારના તલ કારતક સુદ ચૌદસ સુધી ન ખપી શકે. નવા પાકેલા તલ પણ ફાગણ સુદ ૧૪ પછી ઓસાવ્યા હોય તે પણ કા.સુ.૧૪ સુધી ન ખપે. શંકા— ૫૦૦. મૂળાનો કંદ જમીનમાં થાય છે તેથી તે અભક્ષ્ય ગણાય તે બરોબર છે. પણ પાંદડાં તો ઉપર થાય છે તેથી પાંદડા અભક્ષ્ય કેમ ગણાય ? સમાધાન શ્રાદ્ધવિધિ ગ્રંથમાં મૂળાના પાંચે ય અંગો ત્યાગ કરવા યોગ્ય છે એવો પાઠ હોવાથી મૂળાના પાંદડાં પણ અભક્ષ્ય છે. શંકા- ૫૦૧, પતરવેલિયાનો કંદ જમીનમાં થાય છે તો મૂળાની જેમ તેનાં પાંદડાં અભક્ષ્ય કેમ ગણાતા નથી ? For Personal and Private Use Only Jain Educationa International Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શંકા-સમાધાન સમાધાન- મૂળાનાં પાંચેય અંગો ત્યાગ કરવા યોગ્ય છે એવો શાસ્ત્રપાઠ હોવાથી મૂળાનાં પાંદડા અભક્ષ્ય છે, અને પતરવેલિયાના પાંદડા અંગે તેવો કોઈ શાસ્ત્રપાઠ ન હોવાથી અભક્ષ્ય ગણાતા નથી તથા પતરવેલિયાના પાન ભાજી ન હોવાથી લીમડાના પાનની જેમ બારે માસ કલ્પી શકે છે. આમ છતાં વર્તમાન જૈન સંઘમાં ફાગણ ચોમાસથી કાર્તિક ચોમાસી સુધી પતરવેલિયા માટે અભક્ષ્ય તરીકેનો વ્યવહાર છે અને એ વ્યવહાર આપણે પાળવો જ જોઈએ. શંકા- ૫૦૨. જેવી રીતે આદુ અને હળદર વગેરે અનંતકાય હોવા છતાં સુકાયા પછી વાપરી શકાય છે, તેવી રીતે બટેટા આદિ અનંતકાયને સૂકવીને વાપરી શકાય ? સમાધાન– આદુ અને હળદર સુકાયા પછી સૂંઠ અને હળદરનો ઔષધ તરીકે જ ઉપયોગ થાય છે અને ઔષધ જેવો જ ખાવામાં ઉપયોગ થાય છે. પેટ ભરીને સ્વાદથી તે ખાઈ શકાતા નથી માટે તેનો નિષેધ ઔષધ તરીકે નથી કર્યો. તે પણ બીજા ઘણા દોષવાળા ઔષધથી બચવા માટે છે. ત્યારે બટેટા વગેરે અનંતકાયની સૂકવણી ઔષધ નથી, ઔષધની જેમ અલ્પમાત્રામાં એ ખવાતી નથી. પણ જીભના સ્વાદને પોષવા માટે અને પેટ ભરીને ખાઈ શકાય છે. માટે બટેટા આદિની સૂકવણીને ખાવાની છૂટ શાસ્ત્રકારોએ જરાપણ આપી નથી, અરે તે સૂકવણી પણ ખાવાનો સ્પષ્ટ નિષેધ કર્યો છે. અહીં એ પણ સમજવાની જરૂર છે કે, શ્રાવકે જાતે આદુ સૂકવીને સૂંઠ ન બનાવવી જોઈએ. તૈયાર સૂંઠનો ઉપયોગ કરવાનો ખ્યાલ રાખવો જોઈએ. હળદરમાં પણ તેમ સમજી લેવું જોઈએ. શંકા- ૧૦૩. સાબુદાણા વનસ્પતિકાયમાંથી થતા હોવાથી પર્વતિથિમાં વાપરી શકાય ? સમાધાન– વાપરી શકાય. મગ વગેરે વનસ્પતિકાય રૂપ હોવા છતાં સૂકાઈ ગયેલ હોવાથી પર્વતિથિએ વાપરી શકાય છે. તેમ સાબુદાણા પણ વનસ્પતિકાયમાંથી થતા હોવા છતાં સૂકાઈ ગયેલા Jain Educationa International For Personal and Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૧૭ હોવાથી પર્વતિથિમાં વાપરી શકાય. મગ વગેરે સચિત્ત હોય છે. જ્યારે સાબુદાણા અચિત્ત હોય છે. આમ છતાં સાબુદાણાની ઉત્પત્તિ જમીનમાં થતાં કંદમાંથી પણ થાય છે. એ કંદ શાસ્ત્ર પ્રમાણે અનંતકાય સંભવે છે. વળી સાબુદાણા બનાવવાની આજની પ્રક્રિયામાં ઘણી ઘણી હિંસા થાય છે. સાબુદાણા બનાવવા પૂર્વકાળ કરતાં આજે ઘણી વધારે હિંસા થાય છે. માટે પર્વ કે અન્ય દિવસોમાં પણ સાબુદાણા ન વાપરવા જોઈએ. શંકા- ૫૦૪. મેંદો-રવો તાજો હોય તો ચોમાસામાં વપરાય ? સમાધાન- વપરાય. શંકા- ૫૦૫. સુખડીની જેમ લોટનો ૧૫-૨૦-૩૦ દિવસ જેટલો કાળ ગણવો જોઇએ કે નહિ ? સમાધાન– શ્રાદ્ધવિધિ વગેરે ગ્રંથોમાં સુખડીની જેમ લોટનો કાળ કહ્યો નથી. આથી બગડે નહિ, એટલે કે વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-બદલાઈ ન જાય, ખોરો ન થાય કે ઇયળો વગેરે જીવોત્પત્તિ ન થાય ત્યાં સુધી કહ્યું. ધર્મસંગ્રહમાં લોટ અંગે કહ્યું છે કે- લોટ અચિત્ત થયા પછી કેટલા દિવસ સુધી કહ્યું તે શાસ્ત્રોમાં જણાતું નથી, તો પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલાઈ ન જાય, ખોરો-કડવો ન થાય કે ઇયળો વગેરે જીવોત્પત્તિ ન થાય ત્યાં સુધી કહ્યું. આમ છતાં વર્તમાનમાં ઘણા સાધુ-સાધ્વીઓ સુખડીની જેમ લોટનો પણ કાળ માને છે અને શ્રાવકો સમક્ષ કહે છે. આથી આચરણાથી લોટનો પણ કાળ ગણવામાં આવે તે વધારે યોગ્ય છે. જો શ્રાવકો સમક્ષ લોટનો કાળ નથી એમ કહેવામાં આવે તો શ્રાવિકાઓ પ્રમાદથી બે-બે માસ સુધી પણ લોટ રહેવા દે એવું બને. એવું બને તો તેમાં જીવોત્પત્તિ થવાની સંભાવના રહે માટે લોટનો કાળ ગણવામાં લાભ જ છે. શંકા– ૫૦૬. ઘઉં, ચણા આદિનો લોટ પ્રથમ કરકરો દળેલો હોય, એના પર ૧૪ દિવસ વીત્યા પછી એને ખૂબ બારીક દળાવવામાં આવે તો શું ૧૫ દિવસ વધુ ચાલે ? Jain Educationa International For Personal and Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શંકા-સમાધાન સમાધાન કરકરો દળેલો લોટ ૧૪ દિવસ વીત્યા પછી એને ખૂબ બારીક દળાવવામાં ૧૫ દિવસ વધુ ચાલી શકે એમ જણાય છે. શંકા- ૫૦૭. લુખી નીલિમાં (ઉપધાન સિવાયની) સાધુઓને અને શ્રાવકોને કઈ કઈ વસ્તુ ખપી શકે અને કઈ કઈ વસ્તુ ન ખપી શકે ? સમાધાન આયંબિલમાં જે વસ્તુઓ વાપરવાની પ્રથા છે તે બધી જ વસ્તુઓ લુખ્ખી નીધિમાં વાપરી શકાય છે. વધારામાં તજ વગેરે મસાલો, લાલ મરચું, હિંગ-હળદર, ધાણા-જીરૂ, વલોણાની છાશ અને વલોણાની છાશ નાખીને બનાવેલ ઢોકળા વગેરે વાપરી શકાય. આમાં લીલું શાક વાપરી શકાય નહિ. કઠોળનું શાક પણ અલ્પ પણ તેલ-ઘીથી વધારી શકાય નહિ. જે તેલ વિગદરૂપ નથી તે તેલથી પણ કઠોળનું શાક વઘારી શકાય નહિ. કારણ કે લુખ્ખી નીવિમાં જેમ વિગઇનો ત્યાગ હોય છે તેમ લેપકૃત દ્રવ્યોનો પણ ત્યાગ હોય છે. વિગઈરૂપ ન ગણાતા તેલ લેપકૃત હોવાથી નીલિમાં ન કલ્પ. પચ્ચકખાણભાષ્યની ૩૦મી ગાથામાં વિગઈમાં ન ગણાતા તેલને લેપકૃત અને ઉત્તમ દ્રવ્ય કહેલ છે. ૩૯મી ગાથામાં ઉત્તમ દ્રવ્યનો નીલિમાં નિષેધ કર્યો છે. સાધુઓ માટે અપવાદ– સાધુઓને અલ્પ તેલ-ઘીથી વઘારેલા દાળ-શાક વગેરે લુખ્ખી નીલિમાં ખપી શકે. આનું કારણ એ છે કે સાધુઓને પોતાના માટે નહિ બનાવેલું એવું નિર્દોષ ભોજન ગૃહસ્થો પાસેથી ભિક્ષાવૃત્તિથી લેવાનું હોય છે. સાધુઓને તદ્દન વઘાર વિનાના દાળ-શાક ન મળે. માટે મુનિઓને તેટલા પૂરતી છૂટ છે તથા લુવામાં અલ્પ ઘી નાખીને બનાવેલ રોટલી-ખાખરા ખપી શકે. ઘીનો સ્વાદ આવે તેટલું વધારે ઘી નાખ્યું હોય તો ન કલ્પ તથા અલ્પ ઘીથી ચોપડેલી રોટલીના શેકેલા ખાખરા ખપી શકે છે. કારણ કે “પહુચ્ચમખિએણે” આગાર છે. (પ્રત્યાખ્યાન ભાષ્ય ગાથા ૨૭ની અવચૂરિ.) શંકા- ૫૦૮. દાંત પર ઘસવાની કોઈપણ પ્રકારની પેસ્ટ (ટ્યુબ) ગરમ પાણી વાપરનારાઓથી વાપરી શકાય કે નહિ ? Jain Educationa International For Personal and Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૧૯ સમાધાન- ન વાપરી શકાય. કારણ કે એમાં કાચા પાણીનો અંશ રહી જતો હોવાની પૂરી શક્યતા છે. શંકા- ૫૦૯. રાતે પાણીમાં રખાયેલ પદાર્થ અભક્ષ્ય ગણાય છે. એવું જાણવા મળેલ છે કે મમરા-પૌંઆ બનાવતી વેળાએ ચોખાને એક કે તેથી વધારે રાત સુધી પાણીમાં પલાળી રાખવામાં આવે છે. એવી જ રીતે કાજુને પણ રાતે પલાળી રાખવામાં આવે છે. આથી મમરા-પૌંઆ-કાજુ વાપરવામાં દોષ લાગે ? સમાધાન– અભક્ષ્ય વસ્તુ ખાવામાં દોષ લાગે. કોઈ વસ્તુ રાતે પાણીમાં રાખવા માત્રથી અભક્ષ્ય બને એવું નથી. જો રાતે પાણીમાં રાખવાથી તેમાં અંકુરા ફૂટે તો તે વસ્તુ અભક્ષ્ય બને. શાસ્ત્રમાં ૨૨ પ્રકારના અભક્ષ્ય જણાવ્યા છે. તેમાં અનંતકાયનો પણ સમાવેશ થાય છે. અનંતકાયના ૩૨ ભેદ છે. તેમાં વિરૂઢ નામનો એક ભેદ છે. વિરૂઢ એટલે કઠોળ વગેરેમાંથી નીકળતા અંકુરા, ચણા, મગ વગેરેને રાતે પલાળી રાખવાથી તેમાં અંકુર ફૂટે છે. આ અંકુરા અનંતકાય સ્વરૂપ છે. આથી રાત્રે પલાળવાથી જેમાં અંકુરા-ફણગા ફૂટ્યા છે તેવા મગ વગેરે ખાનારને બટાકાનું શાક ખાવાથી જેટલું પાપ લાગે તેટલું પાપ લાગે. ચોખાને અને કાજુને રાતે પલાળવાથી અંકુરા ફુટતા નથી, એવું જાણવામાં આવ્યું છે. કઠોળ વગેરેને રાત્રે પલાળવાથી અંકુરા ફૂટે છે, તેથી રાત્રે પલાળેલ કઠોળ અભક્ષ્ય ગણાય. શંકા- ૫૧૦. બુંદી બનાવ્યા પછી તેના લાડવા વાળવા માટે હાથ પાણીવાળા કરીને લાડવા વાળે, તો તેવા બુંદીના લાડવા બીજા દિવસે ખપે ? સમાધાન ન ખપે. કારણ કે પાણીનો અંશ આવવાના કારણે તે લાડવા બીજા દિવસે ન ખપે. સર્વસામાન્ય એવો નિયમ છે કે જે વસ્તુમાં પાણીનો અંશ આવે તેવી વસ્તુ બીજા દિવસે વાસી ગણાય. શંકા- ૫૧૧. બુંદી અને જલેબી બંને ચાસણીથી બનાવવામાં આવતા હોવા છતાં બુંદી બીજા દિવસે ખપી શકે છે અને જલેબી ખપી શકતી નથી તેનું શું કારણ ? Jain Educationa International For Personal and Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શંકા-સમાધાન સમાધાન- આવી પૂર્વ પરંપરાથી ચાલી આવતી આચરણા છે. આનું પણ કારણ એ હોઈ શકે કે, બુંદી થોડી કડક છે અને જલેબી થોડી નરમ છે એ જ રીતે ગુલાબજાંબુ પણ ચાસણીથી બનાવાયા હોવા છતાં બીજા દિવસે ખપી શકતા નથી. શંકા- ૫૧૨. ગુલાબજાંબુ તથા ઘારી (મીઠાઈ) બીજા દિવસે કહ્યું કે નહિ ? સમાધાન- ગુલાબજાંબુ તથા ઘારી તે દિવસે કહ્યું પણ બીજા દિવસે ન કલ્પ જો ઘારીમાં માવો શેકીને લાલચોળ કરીને નાંખ્યો હોય, તો ઘારી બીજા દિવસે કલ્પવામાં વાંધો જણાતો નથી. માવો લાલચોળ ન કર્યો હોય તો ઘારી બીજા દિવસને ન કલ્પ. શંકા- પ૧૩. પર્વતિથિએ સંઘના સાધર્મિક વાત્સલ્યમાં લીલોતરી શાક બનાવી શકાય ? સમાધાન- ચૈત્ર-આસો માસની બે શાશ્વતી ઓળીઓ તથા દર માસની સુદ ૫, ૮, ૧૪ અને વદ ૮, ૧૪ આ પાંચ મોટી પર્વ તિથિઓ, આટલા દિવસોમાં સાધર્મિક વાત્સલ્યમાં લીલોતરી શાક ન બનાવી શકાય તથા કાચાં-પાકાં કોઇપણ ફળો ન વાપરી શકાય. બાકીની બીજ વગેરે પર્વતિથિઓમાં જે સંઘમાં જેવો નિયમ હોય તેમ કરવું જોઇએ. શંકા- ૫૧૪. સીંગતેલનો વિગઈમાં સમાવેશ થતો નથી. તેથી આયંબિલ-નીલિમાં ગૃહસ્થોને રોટલી આદિમાં મોણ નાખવારૂપે ચાલી શકે ? સમાધાન– આયંબિલ-નીતિમાં લેપકૃત દ્રવ્યો ન વપરાય. સીંગતેલ લેપકૃત દ્રવ્ય છે. આથી ગૃહસ્થોને આયંબિલ-નીવિમાં રોટલી આદિમાં મોણ નાખવા રૂપે ન ચાલી શકે. તપ સંબંધી શંકા-સમાધાન શંકા- ૫૧૫. તપ ઉચ્ચરવા અંગેની વિધિ શી છે ? ચાલુ તપે તપ ઉચ્ચરવો જોઇએ કે પૂરો થયા બાદ ? તપ ઉચ્ચર્યા બાદ તપ પૂરો કરવો ફરજિયાત છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૨૧ સમાધાન– તપ ઉચ્ચરવા અંગેની વિધિ પ્રવ્રજ્યા યોગાદિ વિધિ સંગ્રહ” વગેરે પુસ્તકોમાં જણાવેલ છે. તપ ઉચ્ચરવો એટલે તપ કરવાની પ્રતિજ્ઞા લેવી. એથી જેણે જે તપ ઉચ્ચર્યો હોય તેણે તે તપ પૂરો કરવો જ જોઇએ, અન્યથા પ્રતિજ્ઞાભંગ થાય. હા, તપ ઉચ્ચરતી વખતે અન્નત્થણાભોગેણું વગેરે ચાર આગારો(=છૂટ) રાખવામાં આવે છે. એથી ગાઢ બિમારી આદિના કારણે તપ પૂરો ન થઇ શકે તો પ્રતિજ્ઞાભંગ ન થાય પણ પ્રમાદ આદિથી તપ પૂરો ન કરે તો પ્રતિજ્ઞાભંગ થાય. જે તપ શરૂ કરવો હોય એ તપ શરૂ કર્યા પહેલાં જ ગુરુની સમક્ષ ઉચ્ચરવો જોઇએ. તેમ ન બની શકે તો તપ ચાલુ હોય ત્યારે પણ ઉચ્ચરી શકાય છે. પણ તપ પૂર્ણ થઇ ગયા પછી ઉચ્ચરવાનો કોઇ અર્થ નથી. શંકા- ૫૧૬. બે ચૌદશ, બે આઠમ અને જ્ઞાનપાંચમ(=સુદ પાંચમ) આ તિથિઓમાં કયો તપ કરવો જોઇએ ? સમાધાન– આ પાંચ તિથિઓમાં શક્તિ હોય તો ઉપવાસ કરવો જોઇએ. શક્તિ હોવા છતાં આ પાંચ તિથિએ ઉપવાસ ન કરનારને પ્રાયશ્ચિત્ત આવે. શંકા— ૫૧૭. ગૃહસ્થથી તપ ન થઇ શકતો હોય તો શું કરવું જોઇએ ? સમાધાન— જે ગૃહસ્થથી તપ ન થઇ શકતો હોય તેણે તપસ્વીઓની બહુમાનપૂર્વક ભક્તિ કરવી જોઇએ. તપસ્વીઓની પ્રશંસા-અનુમોદના કરવી જોઇએ તથા ૫૨માત્મપૂજા, સાધુસેવા, સાધર્મિકવાત્સલ્ય, જીવદયા વગેરે કરવું જોઇએ, કે જેથી પુણ્યની વૃદ્ધિ થાય અને પુણ્યવૃદ્ધિથી તપ કરવાની શક્તિ આવે. શંકા— ૫૧૮. ગ્લુકોઝના બાટલા ચડાવી-ચડાવીને મોટી તપસ્યા ચાલુ રખાવી શકાય કે પારણું કરવું ઉચિત છે ? તેમાં પૂજ્યશ્રીઓનું માર્ગદર્શન જરૂરી બને ? સમાધાન તપ કેવો હોવો જોઇએ, તે અંગે જ્ઞાનસારમાં આ પ્રમાણે કહ્યું છે— Jain Educationa International For Personal and Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શંકા-સમાધાન तदेव हि तपः कार्य, दुर्ध्यानं यत्र नो भवेत् । येन योगा न हीयन्ते क्षीयन्ते नेन्द्रियाणि च ॥३१-७॥ જેમાં અશુભધ્યાન ન થાય, જેનાથી બીજી ધર્મક્રિયાઓને બાધા ન પહોંચે અથવા ઇન્દ્રિયો પોતાનું કાર્ય કરવા અસમર્થ ન થાય, તે જ તપ કરવો જોઈએ.” આ વિષે પંચવટુક ગ્રંથની ટીકામાં નીચે પ્રમાણે કહ્યું છે- “આ કાયાને કેવલ કષ્ટ જ ન આપવું જોઈએ, તેમ બહુ પ્રકારના રસો ખવડાવી-પીવડાવીને કાયાનું લાલન પણ ન કરવું જોઈએ. ચિત્ત અને ઇન્દ્રિયો ઉન્માર્ગમાં ન જાય અને આત્માના વશમાં રહે તેમ તપ કરવો જોઈએ. જિનેશ્વરોએ તે પ્રમાણે તપ કર્યો છે.” આનાથી એ નિશ્ચિત થાય છે કે લૂકોઝના બાટલા ચડાવી ચડાવીને મોટી તપસ્યા ચાલુ રાખવી એ યોગ્ય નથી. કેવળ તપ જ આત્મહિતનું સાધન નથી. તપ ઉપરાંત સ્વાધ્યાય, સેવા, પ્રભુભક્તિ, પ્રતિક્રમણ, વ્યાખ્યાનશ્રવણ વગેરે અનેક યોગો આત્મહિતનું સાધન છે. તપ કરતાં કરતાં એટલી બધી અશક્તિ આવી જાય કે જેથી બીજા યોગો સિદાય તો તેવો તપ કરવો યોગ્ય નથી. પચ્ચકખાણ લેવાઈ ગયું હોય અને તકલીફ ઊભી થાય, તો હજી બાટલા વગેરે ચડાવીને તપ પૂરો કરવો, એ બરાબર ગણાય. પરંતુ ઉપવાસના પચ્ચકખાણ ન થયા હોય, તો આગળ વધવા આમ કરવું ઉચિત લાગતું નથી. આ સામાન્યથી લખ્યું છે. વિશેષથી તો તેવા સંયોગોમાં ગીતાર્થ પૂજયશ્રીઓનું માર્ગદર્શન મેળવીને જે ઉચિત જણાય તે કરવું જોઈએ. શંકા- ૫૧૯. બાહ્ય-અત્યંતર તપમાં કેવળ અનશન (ઉપવાસ વગેરે) તપ ઉપર જ કેમ વધુ ભાર મૂકાય છે ? સમાધાન- સાધુઓ તે તે અવસરે બંને પ્રકારના તપનો ઉપદેશ આપે છે. પણ હકીકત એ છે કે, અત્યંતર સ્વાધ્યાય-તપમાં તીક્ષ્ણબુદ્ધિ, સ્મરણશક્તિ અને સમજશક્તિ વગેરેની જરૂર પડે છે. આવી શક્તિવાળા જીવો બહુ ઓછા હોય છે. એથી તેવા જીવો અત્યંતર તપને ગૌણ બનાવીને બાહ્યતાને પ્રાધાન્ય આપે છે. આવા Jain Educationa International For Personal and Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૨૩ જીવોને બાહ્ય તપથી ઘણો લાભ થાય છે. શાસ્ત્રકારોએ આત્મહિત કરવા માટે અનેક ઉપાયો બતાવ્યા છે. તેમાંથી જે જીવને જે ઉપાય યોગ્ય હોય તે જીવ તે ઉપાય કરે. આથી અત્યંતર તપને યોગ્ય જીવો અત્યંતર તપ કરે અને બાહ્ય તપને યોગ્ય જીવો બાહ્ય તપ કરે. શંકા- પ૨૦. “એ તપ કર્મ નિકાચિત તપ' આ પંક્તિમાં લખ્યા મુજબ તપ નિકાચિત પણ કર્મનો ક્ષય કરે. અહીં પ્રશ્ન થાય કે કોઈ પણ તપ નિકાચિત કર્મનો ક્ષય કરે કે અમુક જ વિશિષ્ટ તપ નિકાચિત કર્મનો ક્ષય કરે ? સમાધાન- શાસ્ત્રમાં તપથી નિકાચિત પણ કર્મનો ક્ષય થાય એમ જે કહેવામાં આવ્યું છે તે ક્ષેપક શ્રેણિમાં અપૂર્વકરણની અપેક્ષાએ ઘટે છે. જીવ શ્રેણિ માંડે ત્યારે આઠમા ગુણસ્થાને અપૂર્વકરણ હોય છે. એ અપૂર્વકરણથી અપૂર્વ સ્થિતિઘાત વગેરે થાય છે. આ શુભભાવ નિકાચિત પણ કર્મોનો ક્ષય કરે છે. શંકા- પર૧. સવારના પ્રતિક્રમણમાં તપચિંતવનના કાયોત્સર્ગમાં “ભગવાન મહાવીરના શાસનમાં છ મહિના સુધીનો તપ કરવાની આજ્ઞા છે. માટે તે જીવ ! તું છમાસી તપ કરીશ ?” ઈત્યાદિ વિચારે કે “શ્રીમહાવીર ભગવાને છ માસી તપ કર્યો હતો તેથી હે જીવ! તું છમાસી તપ કરીશ?” ઈત્યાદિ વિચારે? આ શંકા થવાનું કારણ એ છે કે આપણે ધર્મમાં ભગવાને જે કર્યું હોય તે કરવાનું નથી, કિંતુ ભગવાનની આજ્ઞા પ્રમાણે ધર્મ કરવાનો છે. આ દષ્ટિએ બીજી રીત યોગ્ય જણાતી નથી. માટે શંકા થાય છે. સમાધાન– બંને રીતે વિચારી શકાય. ઉત્તરાધ્યય સૂત્રના ર૬મા અધ્યયનની (૫૧મી ગાથાની) ટીકામાં બીજી રીત(=શંકામાં જણાવેલ બે રીતોમાંથી બીજી રીત) જણાવી છે. પ્રવચનસારોદ્ધાર વગેરે ગ્રંથોમાં પહેલી રીત જણાવી છે. આપણે ધર્મ ભગવાનની આજ્ઞા પ્રમાણે કરવાનો છે એ તદન સત્ય છે. આમ છતાં ભગવાને જે કર્યું હોય તેમાંથી આપણા માટે જે શક્ય હોય તે કરવાની આજ્ઞા છે. આથી બીજી રીત પ્રમાણે તપચિંતવન પણ જિનાજ્ઞા મુજબ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ મહત્ત્વનું માર્ગદર્શન ઠીક ઠીક ચર્ચાસ્પદ બનેલા એક પ્રશ્ન અંગે પૂજ્યશ્રી અહીં શાસ્ત્રાધારિત માર્ગદર્શન કરાવે છે. થોડાક સમય પૂર્વે છ મહિનાથી વધુ ઉપવાસ થાય કે નહિ ? આ પ્રશ્ન ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો અને આ અંગે સમાજમાં બે જાતની વિચારધારા વહેતી થવા પામી હતી. એથી આનું શાસ્ત્રાધારિત સમાધાન મળે, એ ખૂબ ખૂબ જરૂરી હતું. ‘શંકા-સમાધાન’ શીર્ષક હેઠળ ‘કલ્યાણ’માં પ્રસિદ્ધ થતા અત્યંત લોકપ્રિય વિભાગના લેખક વિદ્વદ્વર્ય શાસ્ત્રાભ્યાસી પૂ. આચાર્યદેવશ્રીએ આ ચર્ચાસ્પદ પ્રશ્ન અંગે જે સચોટ અને સરળ સમજણ પ્રસ્તુત લેખમાં આપી છે, એના વાચન બાદ કોઇ જાતના પ્રશ્નને અવકાશ નહિ જ રહે, એવો અમને વિશ્વાસ છે. સૌ કોઇ પૂર્વગ્રહ અને પૂર્વાગ્રહથી મુક્ત બનીને આ લેખ વાંચે અને સત્યના સમર્થક બને, એવી એકમાત્ર ભાવના સાથે આ લેખ પ્રકાશિત થઇ રહ્યો છે. શંકા-સમાધાન - ‘કલ્યાણ' સંપાદકશ્રી શંકા-૫૨૨. એકી સાથે છ મહિનાથી અધિક ઉપવાસ થાય કે નહિ ? સમાધાન– ન થાય. કારણ કે એકી સાથે છ મહિનાથી અધિક ઉપવાસ કરવાથી ભગવાનની આશાતના થાય. જે તીર્થંકરના શાસનમાં જેટલી ઉત્કૃષ્ટ તપમર્યાદા હોય, તેનાથી અધિક તપ ક૨વાથી તો ભગવાનની આશાતના થાય. શ્રી આદિનાથ પ્રભુના શાસનમાં ઉત્કૃષ્ટ તપમર્યાદા બાર માસની હતી. શ્રી અજિતનાથથી શ્રી પાર્શ્વનાથ પ્રભુ સુધીના બાવીસ તીર્થંકરોના શાસનમાં ઉત્કૃષ્ટ તપમર્યાદા આઠ માસની હતી. શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં ઉત્કૃષ્ટ તપ-મર્યાદા છ માસની છે. આ વિષે નિશીથસૂત્ર ઉ.૨૦, સૂ.૬ ની ટીકામાં કહ્યું છે કે, “અંતિમ તીર્થંકરની અને આપણી સર્વોત્કૃષ્ટ તપભૂમિ છ માસની છે.” આશાતનાના ભયથી શક્તિયુક્ત મનુષ્ય પણ છ માસથી અધિક તપ ન કરવો.” અહીં શક્તિ હોય, તો પણ છ માસથી અધિક તપ કરવાનો સ્પષ્ટ નિષેધ કર્યો છે. Jain Educationa International For Personal and Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૨૫ શંકા- પ૨૩. છેદ ગ્રંથોમાં એવો પાઠ આવે છે કે, કોઈ સાધુને છ માસ સુધી નિરંતર ઉપવાસ કરવાનું પ્રાયશ્ચિત્ત આવે, તે સાધુ એ પ્રાયશ્ચિત્ત પૂરું કરી રહ્યા હોય, તેમાં પાંચ માસને ૨૪ ઉપવાસ થયા પછી તે સાધુને નવો કોઈ અપરાધ થવાથી નવું છ માસ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવ્યું. અહીં પૂર્વના છ માસમાંથી બાકી રહેલા છ દિવસનું પ્રાયશ્ચિત્ત માફ કરી દેવામાં આવે અને હવેથી (પારણું કર્યા વિના) ફરી છ માસ સુધી ઉપવાસ કરે. આમ સાધુને વધારેમાં વધારે પ્રાયશ્ચિત્ત છ દિવસ ન્યૂન બાર માસના ઉપવાસનું અપાય છે. આનાથી વધારે પ્રાયશ્ચિત્ત આપવામાં આવતું નથી.” આ પાઠના આધારે તો છે માસથી પણ અધિક તપ કરી શકાય છે, એમ સિદ્ધ થયું. આથી છ માસથી અધિક તપ ન કરી શકાય, એવો નિયમ ન રહ્યો ને? સમાધાન- આ તપ પ્રાયશ્ચિત્ત પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે. પ્રાયશ્ચિત્ત પૂર્ણ કરવા માટે તપ કરવો અને આરાધના માટે તપ કરવો, એ બેમાં ભેદ છે. પ્રાયશ્ચિત્ત પૂર્ણ કરવા માટે છ માસથી અધિક તપ કરી શકાય. કારણ કે ભગવાનની તેવી આજ્ઞા છે. પણ આરાધના માટે છ માસથી અધિક તપ ન કરી શકાય. કારણ કે આરાધના માટે છ માસથી અધિક તપ ન કરવાની આજ્ઞા છે. આથી જે સાધુ કે શ્રાવક આરાધના માટે છ માસથી અધિક ઉપવાસ કરે, તેને જિનાજ્ઞાભંગ અને જિનાશાતના વગેરે દોષ લાગે. અહીં એ પણ સમજવાની જરૂર છે કે, આટલું પ્રાયશ્ચિત્ત સાધુઓને જ હોય, ગૃહસ્થોને નહિ. શંકા- પર૪. કોઈ ગૃહસ્થ કે સાધુએ આરાધના માટે છ માસથી અધિક તપ કર્યો હોય, તો તેના પારણા આદિ પ્રસંગે આપણાથી જવાય કે નહિ ? સમાધાન- ન જવાય. જનારને જિનાજ્ઞાભંગ અને જિનાશાતના વગેરે દોષ લાગે. કારણ કે છ માસથી અધિક તપ કરનારે જે જિનાજ્ઞાભંગ અને જિનાશાતના રૂપ દોષ સેવ્યો છે, તે દોષની તેના પારણા આદિમાં જનારે અનુમોદના કરી ગણાય. Jain Educationa International For Personal and Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શંકા-સમાધાન શંકા- ૫૨૫. અપવાદથી પણ ન જવાય ? સમાધાન– અપવાદથી પણ ન જવાય. જેમાં જિનાજ્ઞાનો ભંગ હોય અને જેમાં જિનની આશાતના હોય, એવા અપવાદ હોઈ શકે નહિ. શંકા- પર૬. કોઈ સાધુ વગેરે છ માસથી અધિક તપ કરનાર ગૃહસ્થના પારણા પ્રસંગે જાહેરાત થાય તે રીતે ગયા હોય, તો તેણે શું કરવું જોઇએ ? સમાધાન- તેણે જાહેરમાં પોતાની આ ભૂલની માફી માગવી જોઇએ. જાહેરમાં માફી માગવાનું કારણ એ છે કે, જાહેરમાં ભૂલ થઈ છે. ભૂલ થયા પછી જે જીવ માફી માગી લે છે, તે નિર્દોષ બની જાય છે. ભૂલ થવી સહજ છે. ભૂલની માફી માગવી કઠિન છે. ક્યારેક વિદ્વાન ગણાતા સાધુઓ પણ ભૂલ થયા પછી માફી માગવાના બદલે અપવાદના ઓઠા નીચે ભૂલનો બચાવ કરતા હોય છે. અહીં મને સ્વર્ગસ્થ પ્રાતઃ સ્મરણીય પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની સ્મૃતિ થઇ આવે છે. એ મહાપુરુષે અનેક ગ્રંથોની રચના કરી છે. તેમાં “સંક્રમકરણ” નામના એક ગ્રંથની પણ રચના કરી છે. એ ગ્રંથ છપાયા બાદ કેટલોક કાળ ગયા પછી તેઓશ્રીને તેમાં એક ભૂલ ખ્યાલમાં આવી. આથી તેઓશ્રીએ એ ભૂલને જાહેર (સંદેશ) પેપર દ્વારા પણ પ્રગટ કરાવીને તે અંગે મિચ્છા મિ દુક્કડું આપ્યું હતું. આવી સરળતા કોક વિરલ આત્માઓમાં જ હોય. શંકા- પર૭. છ માસથી અધિક તપ કરનારાના એ તપની અનુમોદના કરી શકાય ? સમાધાન આદિનાથ પ્રભુના શાસનમાં ૧૨ માસ સુધી સળંગ તપ કરવાની આજ્ઞા છે. ત્યાર પછીના બાવીસ જિનેશ્વરોના શાસનમાં આઠ માસ સુધી સળંગ તપ કરવાની આજ્ઞા છે. શ્રી મહાવીર પ્રભુના શાસનમાં છ માસ સુધી સળંગ તપ કરવાની આજ્ઞા છે. આથી હમણાં શક્તિ હોય, તો પણ છ માસથી અધિક સળંગ તપ કરી શકાય નહિ. જો કોઈ કરે તો તે અરિહંતની આશાતના કરે છે, એવો સ્પષ્ટ શાસ્ત્રપાઠ Jain Educationa International For Personal and Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૨૭ છે. આથી છ માસથી અધિક સળંગ તપની અનુમોદના કરી શકાય નહિ. છ માસથી અધિક સળંગ તપની અનુમોદના કરનાર અરિહંતની આજ્ઞાનો ભંગ કરવા સાથે અરિહંતની આશાતના કરે છે. શંકા— ૫૨૮. પંચમી આદિ તપ કરતા હોય અને ભૂલથી તપના દિવસે તપ કરવો રહી જાય અથવા તો શારીરિક કારણથી ન થઇ શકે તો શું કરવું ? સમાધાન– ભૂલથી રહી ગયું હોય તો બીજા દિવસે એ તપ કરી આપવો અને એક દિવસ વધારે કરી આપવો. જેમકે કોઇ સુદ પાંચમનો તપ કરતું હોય તો એ તપ પાંચ વરસ અને પાંચ મહિના કરવાનો હોય છે. ઉક્ત કારણોસર એ તપ રહી ગયો હોય, તો પાંચ વરસ ને છ મહિના સુધી એ તપ કરી આપવો. તે રીતે જેટલા દિવસોમાં એ તપ રહ્યો હોય એટલા આગળ વધારે કરી આપવા જોઇએ. પણ વ્યવહારિક પ્રસંગોને સાચવવા તપના દિવસે તપ ન કરે તો એ તપ ભાંગે અને ફરી પહેલેથી કરવો જોઇએ. શંકા— ૫૨૯. પંચમીતપ ઉચ્ચર્યો હોય પણ ભાદરવા સુદ-૪ નો ઉપવાસ કર્યો હોવાથી ભા.સુ. ૫ ના ઉપવાસ ન થઇ શકે તો શું કરવું ? સમાધાન— જેનાથી સંવત્સરીનો ઉપવાસ કરવાના કારણે પાંચમનો ઉપવાસ ન થઇ શકે તેના માટે સંવત્સરીનો ઉપવાસ પંચમીની અંદર ગણાય. આવો ખુલાસો હીરપ્રશ્નગ્રંથમાં કર્યો છે. અહીં પૂ.આ.શ્રી હીરસૂરિ મહારાજે ઉદયાત્ પંચમીનો તપ પણ ચોથના તપમાં સમાવેશ કરીને પાંચમ કરતાં ચોથની મહત્તા બતાવી છે તેથી જ પંચમીની ક્ષયવૃદ્ધિએ ચોથને બદલવી એ બરોબર નથી એમ સિદ્ધ થાય છે. શંકા— ૫૩૦. એક મહાપુરુષનું કહેવું એવું હતું કે વર્ષીતપનો પ્રારંભ છઠ્ઠથી જ કરવો જોઇએ અને છઠ્ઠ ફાગણ વદ સાત-આઠમનો ક૨વો જોઇએ પણ તમામ તપાવલીઓમાં છઠ્ઠનું વિધાન નથી, ઉપવાસનું વિધાન છે. તો આ અંગે સત્ય શું ? For Personal and Private Use Only Jain Educationa International Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૮ શંકા-સમાધાન સમાધાન- બંને કથન સત્ય છે. વર્ષીતપ આદિનાથ ભગવાને દીક્ષાના પ્રારંભથી જ ૪૦૦ ઉપવાસ કર્યા હતા એને લક્ષમાં રાખીને કરવામાં આવે છે. આપણે એકી સાથે ૪૦૦ ઉપવાસ કરી શકીએ નહિ અને શાસ્ત્રમાં પણ નિષેધ છે. તેથી તેના અનુકરણ રૂપે એકાંતરે બિયાસણા આદિપૂર્વક ઉપવાસ આદિથી વર્ષીતપ કરવામાં આવે છે. આદિનાથ ભગવાને દીક્ષા વખતે સાતમ-આઠમનો છઠ્ઠ કર્યો હતો. આથી જેનામાં શક્તિ હોય તેણે સાતમ-આઠમના છઠ્ઠ પૂર્વક વર્ષીતપનો પ્રારંભ કરવો જોઈએ. પણ જેનામાં શક્તિ ન હોય તે ઉપવાસપૂર્વક પણ વર્ષીતપનો પ્રારંભ કરી શકે. આ રીતે એક મહાપુરુષનું કથન અને તપાવલી ગ્રંથોનું કથન પણ ઘટી શકે છે. ટૂંકમાં છઠ્ઠ કરનારે સાતમ આઠમનો છઠ્ઠ કરવો જોઈએ. નોમે પ્રથમ બિયાસણ આવવું જોઇએ. કોઈ આઠમ-નોમનો છઠ્ઠ કરે એ બરાબર ન ગણાય. શંકા- ૫૩૧. ઋષભદેવ પ્રભુના જીવે પૂર્વભવમાં બળદોને આહારથી વંચિત રાખ્યા, એના કારણે એમને તીર્થકરના ભવમાં ૧ વર્ષ સુધી આહારની પ્રાપ્તિ ન થઈ, આપણે તેના અનુકરણ રૂપે વર્ષીતપ કેમ કરીએ છીએ ? જો કર્મનિર્જરા માટે કરતા હોઈએ, તો કર્મનિર્જરા તો બીજી આરાધનાથી પણ થઈ શકે. સમાધાન– શાસ્ત્રોમાં તીર્થકરનું આલંબન લઇને વિવિધ પ્રકારના તપો બતાવ્યા છે. એ વિવિધ પ્રકારનાં તપોમાં આ પણ એક તપ દર્શાવેલ છે. આમ છતાં કોઈ નિર્જરા માટે બીજી પણ આરાધના કરે, તો તેનો શાસ્ત્ર નિષેધ કરતું નથી. કર્મ નિર્જરા માટે જેને જે વિહિત અનુષ્ઠાન કરવું હોય તે કરી શકે છે. શંકા- ૫૩૨. વર્ષીતપમાં બંને સમય (સવાર-સાંજ) પ્રતિક્રમણ કરવું જ જોઈએ ? સમાધાન- વર્ષીતપમાં બંને સમય પ્રતિક્રમણ કરવું જોઇએ. શંકા- પ૩૩. ભાવ વિના કરેલો તપ સંસારપરિભ્રમણનું કારણ છે એમ કહ્યું છે. શ્રી રત્નશેખર સૂરિજી વિરચિત સિરિવાલ કહા ગ્રંથમાં જો ભાવ વિના કરેલ તપને સંસારપરિભ્રમણનું કારણ Jain Educationa International For Personal and Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન જણાવેલ છે, તો શાસ્ત્રોમાં રોહિણી આદિ તપો શા માટે બતાવવામાં આવ્યા છે ? તે તપ દેવતાને ઉદ્દેશીને હોવાથી એમાં ભાવની શુદ્ધિ (મોક્ષની ભાવના) હોતી નથી. તો એવાં તપોનું વિધાન કેમ કર્યું? સમાધાન– જીવો બે પ્રકારના હોય છે. મુગ્ધ અને બુદ્ધિ. મુગ્ધ એટલે જીવાદિ તત્ત્વોના વિશિષ્ટ જ્ઞાનથી રહિત ભદ્રિક જીવો. સદ્દબુદ્ધિ એટલે જીવાદિ તત્ત્વોના વિશિષ્ટ બોધવાળા જીવો. રોહિણી આદિ તપોનું વિધાન મુગ્ધ જીવોને આશ્રયીને છે, જેમને મોક્ષ વગેરેનું જ્ઞાન નથી, તેવા મુગ્ધ જીવો પ્રારંભમાં વર્તમાન કાલીન કોઈ આપત્તિનું નિવારણ, ઈષ્ટ ફળની પ્રાપ્તિ આદિના ધ્યેયથી તપ આદિ ધર્મમાં જોડાય છે, અર્થાત્ તેવા જીવો પ્રારંભમાં સંસાર સુખ આદિની પ્રાપ્તિના આશયથી ધર્મમાં જોડાય છે, પણ મોક્ષ આદિનું જ્ઞાન થતા મોક્ષ માટે ધર્મ કરતા થઈ જાય છે. આથી રોહિણી આદિ તપો પણ નવા અભ્યાસી જીવો માટે મોક્ષમાર્ગના સ્વીકારનું કારણ બનતા હોવાથી હિતકર છે. કોઈક જીવો પહેલા સંસાર સુખની પ્રાપ્તિ આદિના આશયથી ધર્મમાં પ્રવૃત્તિ કરે, પછી વિવેકને પ્રાપ્ત કરીને મોક્ષ માટે ધર્મ કરે, પણ જો વિવેકને પ્રાપ્ત ન કરે, તો તેવો તપ સંસારપરિભ્રમણનું કારણ બને જ છે. (તપ પંચાશકના આધારે). જે જીવો બુદ્ધિ છે એટલે કે તપ વગેરે ધર્મ મોક્ષ માટે જ કરવો જોઈએ, એવું સમજે છે તે જીવો તપ વગેરે ધર્મ મોક્ષ માટે જ કરે છે. તે જીવો તપ વગેરે ધર્મ મોક્ષ માટે છે, એમ સમજવા છતાં મોહાધીન બનીને સંસારસુખના રાગથી કેવળ સંસારસુખ માટે જ કે તેવા બીજા કોઈ મલીન આશયથી તપ વગેરે ધર્મ કરે, તો તેમને તે ધર્મ સંસારપરિભ્રમણનું કારણ બને. જેમકે સંભૂતિમુનિએ નિયાણું કરીને તપને સંસારપરિભ્રમણનું કારણ બનાવ્યું. આમ ભાવ વિના તપ સંસારપરિભ્રમણનું કારણ છે, એ બરોબર છે અને મુગ્ધ જીવો તપ વગેરે ધર્મ સંસારસુખ માટે કરે તો પણ તેમને તે ધર્મ સંસારપરિભ્રમણનું કારણ ન બને, બલ્ક પરંપરાએ મોક્ષનું કારણ બને એ પણ બરોબર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૩) શંકા-સમાધાન શંકા- ૫૩૪. સંવચ્છરી, પફખી, અષ્ટમી, જ્ઞાનપંચમી અને રોહિણીના તપો જેણે જિંદગી સુધી ઉચ્ચર્યા હોય તે રોહિણી આગળ કે પાછળ આવે ત્યારે છઠ્ઠ કરવાની શક્તિ ન હોય તો શું કરે ? સમાધાન– સર્વથા છઠ્ઠ કરવાની શક્તિ ન હોય તો જે તપ પહેલો આવે તે પહેલો કરે અને બાકી રહેલો તપ પછીથી કરી આપી શકે છે. શંકા- પ૩૫. વીશસ્થાનક તપમાં ૧૦ વર્ષથી વધારે વર્ષ થાય તો ચાલે ? કે ૧૦ વર્ષમાં જ આ તપ પૂરો થવો જોઇએ ? સમાધાન વીસસ્થાનક તપ ૧૦ વર્ષમાં પૂરો કરવો જોઇએ. જો ૧૦ વર્ષમાં પૂરો ન થાય, તો ફરીથી આ તપ કરવાની વર્તમાનમાં આચરણા છે. શંકા- પ૩૬. તીર્થંકર પરમાત્મા બનનાર આત્મા પૂર્વથી ત્રીજા ભવે શ્રીવીશસ્થાનક તપ કરે અને “સવિ જીવ કરું શાસન રસી' એવી ભાવના ભાવે, આવું બધું વાંચવા મળે છે, પણ શ્રેણિક મહારાજા હવેની ચોવીશીમાં પ્રથમ તીર્થંકર થવાના છે તો તેમણે વીશસ્થાનક તપ કર્યાનું જાણવા મળતું નથી. આમ કેમ ? વીશસ્થાનક તપ અને સવિ જીવ કરું શાસનરસી એવી ભાવના વિના પણ તીર્થંકર નામકર્મ બંધાઈ શકે ખરું? સમાધાન- શ્રેણિક મહારાજાએ અરિહંત પદની ચઢતાભાવે આરાધના કરી હતી. તીર્થકરનો જીવ વીશે વીશ સ્થાનકની આરાધના કરે જ એવો નિયમ નથી. એક-બે-ત્રણ વગેરે સ્થાનકોની પણ આરાધના કરે. કેટલાક તીર્થકરના જીવો વીશે વીશ સ્થાનકોની પણ આરાધના કરે, આથી તીર્થકરના જીવો તીર્થંકર થવાના પૂર્વના ત્રીજા ભવે વીશસ્થાનક તપની આરાધના કરે, એવું સામાન્યથી બોલવા લખવામાં આવે છે. શ્રેણિક મહારાજાને અવિરતિનો ગાઢ ઉદય હોવાથી એકાસણું વગેરે તપ કર્યા વિના પણ એમણે અરિહંત પદની આરાધના કરી. આ અપવાદ રૂપ છે. વીશસ્થાનક તપની આરાધના કરવા છતાં જો સવિ જીવ કરું શાસન રસી એવી ચઢતા ભાવે ભાવના ન થાય અને એ ભાવના Jain Educationa International For Personal and Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૩૧ ઉત્કૃષ્ટ ન બને, તો તીર્થંકર નામકર્મ ન બંધાય. વશ સ્થાનક તપની આરાધના અને સવિ જીવ કરું શાસનરસી એવી ભાવના આ બેમાં સવિ જીવ કરું શાસન રસી એ ભાવના મુખ્ય છે. શંકા- પ૩૭. એકાસણાનું કે આયંબિલનું પચ્ચખાણ પાર્યા પછી ઉપવાસ કરવાની ભાવના થાય તો ઉપવાસનું પચ્ચકખાણ કરી શકાય? સમાધાન ન કરી શકાય. હવેથી મારે આજે વાપરવું નહિ એ પ્રમાણે ધારણાભિગ્રહ લઈ શકાય. આવા ધારણાભિગ્રહથી પણ ઘણો લાભ થાય છે. શંકા- ૫૩૮. રાતે નવ-દશ વાગ્યા સુધી ખાધું હોય તો બીજા દિવસે એકાસણું વગેરે પચ્ચખાણ થઈ શકે કે નહિ ? સમાધાન- રાતે આ રીતે ખાવું યોગ્ય નથી. છતાં ખાધું પીધું હોય તો પણ બીજા દિવસે એકાસણું વગેરે કોઈ પણ પ્રકારનું પચ્ચકખાણ થઈ શકે. બાર વાગ્યા પછી ખાધું પીધું હોય તો બીજા દિવસે કોઈ પણ પ્રકારનું પચ્ચકખાણ ન થઈ શકે. શંકા- પ૩૯. ચાલતી ગાડીએ એકાસણું-બિયાસણું થઈ શકે ? સમાધાન– ન થઈ શકે. શંકા- ૫૪૦. પાર્શ્વનાથ ભગવાનના ૧૦૮ એકાસણા આદિ તપ અંતરાયમાં કર્યો હોય તો ગણતરીમાં ગણાય ? સમાધાન અંતરાયમાં નવો તપ શરૂ કરાય નહિ. પણ નિયત તપ એટલે નવપદ આદિ ઓળી, બીજ, રોહિણી આદિ તપ ચાલુ હોય તો તે ગણતરીમાં લેવાય છે. તપ સંબંધિત સાથિયા-કાઉસ્સગ્નખમાસમણા આદિ ક્રિયા શુદ્ધિ થયા બાદ કરી આપવી જોઇએ. શંકા- ૫૪૧. શુદ્ધ આયંબિલ કોને કહેવાય ? સમાધાન- રાંધેલા અનાજની ઉપર બે-ત્રણ કે ચાર આંગળ પ્રમાણ પાણી હોય તો તે આયંબિલ શુદ્ધ કહેવાય છે અને તે સર્વકષ્ટને હરનાર છે. (લઘુપ્રવ.સા. ગાથા ૧૧૧). વર્તમાનમાં ભાતની ઉપર બે-ત્રણ કે ચાર આંગળ પ્રમાણ પાણી હોય તો શુદ્ધ આયંબિલ ગણાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શંકા-સમાધાન શંકા– ૫૪૨. ઓળીની અસજઝાયમાં (પહેલા ત્રણ દિવસમાં) કરેલો તપ ભવ-આલોચના તથા બીજી આલોચનામાં ગણાય ? એટલે આ તપ આલોચનામાં વાળી શકાય ? સમાધાન- ચૈત્રી અને આસોની ઓળીના પહેલા ત્રણ દિવસમાં કરેલો તપ ભવ-આલોચનામાં ન ગણાય. તેમજ એ ત્રણ દિવસમાં કરેલો તપ કોઈ પણ પ્રકારની આલોચનામાં ન ગણાય કે ન વાળી શકાય. શંકા- ૫૪૩. ઉપવાસ આદિ પચ્ચકખાણમાં શ્વાસ માટેની શીશી સૂઘાય કે નહિ ? આમાં કોઇ કોઇવાર પાવડર નાક વાટે મોંમાં આવી જતો હોય છે. આ જ રીતે નાક-આંખમાં દવાના ટીપાં નંખાય કે નહિ ? આ દવા મોં વાટે ક્યારેક પેટમાં પણ જતી હોય છે. સમાધાન– ભોજન વગેરેના દરેક પચ્ચખાણમાં “સહસાગારેણં” એવો આગાર(8છૂટ) હોય છે. એનો અર્થ એ છે કે જેનું પચ્ચખાણ હોય તે વસ્તુ સહસા મુખમાં જાય તો પચ્ચકખાણનો ભંગ ન થાય. જેમ કે ઉપવાસના પચ્ચકખાણ વાળી બહેન છાશનું વલોણું કરે છે. વલોણું કરતાં છાશનો છાંટો મોઢામાં સહસા પડી જાય તો તેના પચ્ચખાણનો ભંગ થતો નથી. તે રીતે પ્રસ્તુતમાં પાવડર વગેરે કોઈ વાર મોંમાં આવી જાય તો પચ્ચખાણનો ભંગ થતો નથી. પાવડર વગેરે મોંમાં આવી જાય તો તુરત બહાર થુંકી નાખવું જોઇએ, જેથી તે પેટમાં ન જાય. જેવી રીતે કોઈના દાંતમાં ભરાઈ ગયેલ અનાજનો અંશ બહાર આવે તો તેને ગળી ન જતાં બહાર થુંકી નાખવું જોઈએ તે રીતે પાવડર વગેરે મોંમાં જાય તો તુરત ઘૂંકી નાખવું જોઇએ. આમ કરવાથી પચ્ચક્ખાણનો ભંગ ન થાય. આવી યતનાપૂર્વક ઉપવાસ આદિ પચ્ચક્ખાણમાં શ્વાસ માટેની શીશી સૂંઘી શકાય અને નાક-આંખમાં દવાના ટીપાં નાખી શકાય. આવો પાવડર કે દવાના ટીપા અણાહારી પાવડર કે દવાની જેમ સ્વાદરહિત હોવા જોઇએ. શંકા- ૫૪૪. અધિક માસમાં (શ્રાવણ કે ભાદરવો માસ અધિક હોય ત્યારે) બે માસી તપ ક્યારથી શરૂ કરવો ? અષાઢી ચૌદસ કે શ્રાવણી ચૌદસથી ? Jain Educationa International For Personal and Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૩૩ સમાધાનનું અધિક માસમાં પણ અષાઢ સુદ ૧૪થી બેમાસી તપ શરૂ કરવો જોઇએ. બે માસી તપનો હેતુ એ છે કે અ.સુ.૧૪ થી ભા.સુ. ૧૪ સુધી તપ કરવો. આથી અધિક માસમાં પણ અ.સુ.૧૪ થી શરૂ કરીને (શ્રાવણ માસ અધિક હોય તો) ભા.સુ.૧૪ સુધી (અને ભાદરવો માસ અધિક હોય તો દ્વિતીય ભાદરવા સુદ-૧૪ સુધી) આ તપ કરવો જોઇએ. અધિક માસની ગણતરી થતી નથી. આથી જ ચાતુર્માસમાં પાંચ માસ દશ પખવાડિયા અને ૧૫૦ દિવસ થવા છતાં ચોમાસાના ખામણામાં ચાર માસાણં, આઠ પફખાણ, ૧૨૦ રાઇદિયાણ એમ બોલવામાં આવે છે. શંકા- ૫૪૫. વીરાસન તપને કાયક્લેશ તપ કેવી રીતે ગણવો? સમાધાન– જેનાથી કાયાને ક્લેશન=કષ્ટ) થાય તે કાયક્લેશ તપ કહેવાય. વીરાસનથી કાયાને કષ્ટ થાય છે. તેથી વીરાસન કાયક્લેશ તપ કહેવાય. શંકા- ૫૪૬. તીર્થંકર બનવા માટે કયો તપ કરવો જોઈએ ? સમાધાન- આ માટે વીસ સ્થાનક તપ કરવો જોઇએ. દરેક તીર્થકર તીર્થકર બનવાના પૂર્વના ત્રીજા ભવે વીસ સ્થાનકની કે કોઈ એકાદ સ્થાનકની આરાધનાપૂર્વક “સવિ જીવ કરું શાસન રસી” એવી ઉત્કટ ભાવનાથી ભાવિત બનીને તીર્થંકર નામ કર્મ બાંધે છે. પછી ત્રીજા ભવે તીર્થકર થાય છે. શંકા ૫૪૭. સ્વર્ગમાં જઈને આ પૃથ્વી ઉપર ઉપકાર કરવા આવી શકાય અને સમ્યગ્દષ્ટિ આત્માઓને મદદ કરી શકાય એવો તપ આ ભવમાં કરી શકાય, તો તેની વિધિ વગેરે જણાવવા કૃપા કરશો. સમાધાન– આવી કોઈ વિધિ શાસ્ત્રમાં નથી. ખરી વાત એ છે કે તપ સ્વહિત માટે કરવો જોઇએ. તેમ કરતાં દેવલોકનું આયુષ્ય બંધાય અને દેવલોકમાં ગયેલો તે જીવ જાગ્રત રહે તો આ પૃથ્વી ઉપર ઉપકાર કરવા આવી શકે. જાગ્રત દેવ પૃથ્વી ઉપર આવીને કે દેવલોકમાં રહીને પણ પૃથ્વી ઉપર ઉપકાર કર્યાના ઘણા દાંતો Jain Educationa International For Personal and Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શંકા-સમાધાન શાસ્ત્રોમાં જોવા મળે છે પણ એ માટે તપ કરવાનું વિધાન કોઈ શાસ્ત્રમાં નથી અને તેથી તેની કોઈ વિધિ પણ નથી. શંકા ૫૪૮. અતિથિસંવિભાગ દ્રત કરવું હોય તો ચોવિહાર ઉપવાસ સહિત પૌષધ કરવાનો કે તિવિહાર ચાલે ? સમાધાન- અતિથિસંવિભાગ વ્રતમાં પૌષધમાં મુખ્યવૃત્તિએ શક્તિ હોય તો ચોવિહાર ઉપવાસ કરવો જોઈએ. શક્તિ ન હોય તો તિવિહાર ઉપવાસથી પણ વ્રત કરી શકે છે. શંકા– ૫૪૯. શનિ વગેરે ગ્રહોની રાશિ પરાવર્તનનો આ દિવસ છે, એવું જાણીને જેઓ જિનેશ્વરની પૂજા કે આયંબિલ વગેરે કરે, તેઓનું સમકિત મલિન બને કે નહિ ? સમાધાન- શનિ વગેરેની રાશિ ફરે તે દિવસે વિશેષ તપ પૂજા વગેરે કરે તેઓનું સમકિત મલિન થાય એવું જાણ્યું નથી. (એનપ્રશ્ન ઉ.૩ પ્ર.૩૦૨) શંકા- ૫૫૦. પફખી ચોમાસી વગેરેના તપો કેટલા કાળ સુધીમાં કરી શકાય ? સમાધાન શક્તિ મુજબ તે તપો જલદી જ પૂરા થાય તેમ કરવું જોઇએ, કાલનિયમ ગ્રંથમાં જાણ્યો નથી. (એનપ્રશ્ન પ્ર.૮૮૦). શંકા- ૫૫૧. ઉકાળેલું પાણી એ.સી. ચાલુ હોય તે ગાડીમાં મૂક્યું હોય તો ઉકાળેલું પાણી પીતા હોય તેને અથવા તો વર્ષીતપ આદિ કરતા હોય તેને એ પાણી ખપે ? સમાધાન- સમજુ શ્રાવક-શ્રાવિકાઓએ આવું ન કરવું જોઇએ, આમ છતાં તેવા સંયોગોમાં તેમ કરવું જ પડે તો તે પાણી સચિત્ત બનતું નથી, એથી વાપરવામાં બાધ જણાતો નથી. પચ્ચકખાણ સંબંધી શંકા-સમાધાન શંકા- પપર. પોરિસી વગેરે પચ્ચકખાણમાં ૩ | સૂર અને પુરિમઠ વગેરેમાં સૂર ૩૫ બોલાય છે. આ પાઠભેદમાં શું પ્રયોજન છે? ૩ સૂર અને સૂરે ૩ એ બેમાં અર્થનો ભેદ છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૩૫ સમાધાન- ૩ સૂરે અને સૂરે ૩૫TU એ બંને પાઠનો “સૂર્યોદયથી પ્રારંભીને એવો સમાન અર્થ છે. પણ જે કાળ પચ્ચકખાણમાં ૩ સૂરે બોલાય છે તે પચ્ચક્ખાણો સૂર્યોદય પહેલાં ધારવાથી-કરવાથી જ શુદ્ધ ગણાય. જેમાં સૂરે એવો પાઠ બોલાય છે તે પચ્ચકખાણો સૂર્યોદય થયા બાદ પણ ધારી-કરી શકાય એ જણાવવા માટે આવો પાઠભેદ છે. શંકા- પપ૩. ૩૫૫ સૂર રોહિં મુસિહાં પર્વવરવાડુ ૩ સૂરે વત્રિદં માહાર... એમ ફરી ૩૫સૂરે બોલવાની શી જરૂર છે ? સમાધાન– ફરી “ સૂર” એમ બોલવાની જરૂર ન હોવા છતાં આચરણાથી ફરી ૩ સૂરે બોલાય છે. શંકા- ૨૫૪. નવકારશીનું પચ્ચખાણ કરવું હોય તો રાત્રિભોજન અંગે કઈ મર્યાદા છે ? સમાધાન- જેણે નવકારશીનું પચ્ચક્ખાણ કરવું હોય તેણે મોડામાં મોડું મધ્યરાત્રિ (લગભગ ૧૨ વાગ્યા) પછી કશું ય ખાવું-પીવું ન જોઈએ. મધ્યરાત્રિ સુધી ખાવું-પીધું હોય તો પણ સવારે નવકારશીનું પચ્ચખાણ થઈ શકે. મધ્યરાત્રિ પછી જરા પણ ખાધું હોય કે પાણી પીધું હોય તો નવકારશીનું પચ્ચક્ખાણ ન થઈ શકે. શ્રાવકે પ્રથમ નંબરમાં રાતે ચોવિહાર (આહાર-પાણીનો સર્વથા ત્યાગ) કરવો જોઇએ અને સવારે ઓછામાં ઓછું નવકારશીનું પચ્ચખાણ કરવું જોઇએ. બીજા નંબરમાં રાતે તિવિહાર (ભોજનનો ત્યાગ અને પાણીની છૂટ) અને સવારે નવકારશીનું પચ્ચખાણ કરવું જોઇએ. ત્રીજા નંબરમાં રાતે ચોવિહાર-તિવિહાર ન થઈ શકે તો પણ મધ્યરાત્રિ પછી કંઈ પણ ખાવું-પીવું ન જોઈએ અને સવારે નવકારશીનું પચ્ચખાણ કરવું જોઇએ. રાતે તિવિહાર કરનાર મધ્યરાત સુધી ગમે તેટલીવાર પાણી પી શકે છે. રાતે તિવિહાર કરનાર જો મધ્યરાત્રિ પછી પાણી પીએ તો નવકારશીનું પચ્ચકખાણ ન કરી શકે. શંકા- પપ૫. શ્રાવકો નવકારસી વગેરે પચ્ચકખાણ કેટલા નવકાર ગણીને પારે ? Jain Educationa International For Personal and Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શંકા-સમાધાન સમાધાન- સેનપ્રશ્ન ઉલ્લાસ ૨ પ્રશ્ન ૩પર માં છૂટા શ્રાવકો નવકારસી વગેરે પચ્ચક્ખાણ અવિચ્છિન્ન પરંપરાથી ત્રણ નવકાર ગણીને પારે છે એવા ભાવનું જણાવ્યું છે. શ્રાવકના પાક્ષિક અતિચારમાં તપાચારના અતિચારમાં “બેસતાં નવકાર ન ભણ્યો” એવો પાઠ છે. શંકા- પપ૬. છૂટા શ્રાવકો નવકારશી વગેરે પચ્ચક્ખાણ નવકાર ગણીને પારે છે તેનો પાઠ કોઇ શાસ્ત્રમાં છે? સમાધાન- છૂટા શ્રાવકો એક નવકાર ગણીને નવકારશી વગેરે પચ્ચકખાણ પારે એવો કોઈ પાઠ જોવા જાણવામાં આવ્યો નથી, પણ તેવો વ્યવહાર જોવામાં આવે છે. કેટલાક શ્રાવક-શ્રાવિકાઓ ત્રણ નવકાર ગણીને પણ પારે છે એવું જોવા મળે છે. શંકા- પપ૭. જેણે રાત્રે ખાધું પીધું હોય તે બીજા દિવસે નવકારસહિયં વગેરે પચ્ચખાણ કરી શકે કે નહિ? અથવા પૌષધ લઈ શકે કે નહિ ? સમાધાન– જેણે મધ્યરાત્રિ (લગભગ ૧૨ વાગ્યા સુધી) ખાધુંપીધું હોય તે બીજા દિવસે નવકારસહિય વગેરે તપનું પચ્ચક્ખાણ કરી શકે અને પૌષધ પણ લઈ શકે. મધ્યરાત્રિ પછી ખાધું પીધું હોય તો બીજા દિવસે કોઈપણ પચ્ચખાણ કે પૌષધ પણ ન લઈ શકે. શંકા– ૫૫૮. સવારે ૧૦ વાગીને ૧૦ મિનિટે કોઈ એકાસણા આદિનું પચ્ચખાણ માગે તો નમુક્કારસહિયં બોલવું જરૂરી છે ? સમાધાન- જરૂરી નથી. શંકા– ૫૫૯. સૂર્યોદય પહેલાં નવકારશી આદિનું પચ્ચખાણ કર્યું હોય. હવે નવકારશી આદિનો સમય થઈ ગયા પછી પચ્ચકખાણ પાર્યા પહેલાં પોરિસી આદિ પચ્ચક્ખાણમાં આગળ વધવું હોય તો વધી શકાય ? સમાધાન– નવકારશીનું પચ્ચખાણ કર્યું હોય તો પચ્ચકખાણ આવ્યા પછી પણ આગળ વધી શકાય. પણ પોરિસી વગેરેનું પચ્ચકખાણ Jain Educationa International For Personal and Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૩૭ કર્યું હોય તો પચ્ચક્ખાણ આવ્યા પહેલાં આગળ વધી શકાય, આવ્યા પછી નહિ. આમ શ્રાદ્ધવિધિ વગેરે ગ્રંથોમાં જણાવ્યું છે. શંકા- ૫૬૦, સાંજે દુવિહારના પચ્ચક્ખાણવાળો આરાધક કાથા ચુનાવાળું પાન તથા તેના ઉપર પાણી વાપરે તો પચ્ચક્ખાણ ભંગ થાય કે નહિ ? સમાધાન— ન થાય. પણ મધ્યરાત્રિ પછી(-લગભગ ૧૨ વાગ્યા પછી) ના વાપરી શકાય. શંકા- ૫૬૧. દુવિહારના પચ્ચક્ખાણમાં લીંબુના રસવાળી સૂંઠ કલ્પે કે નહિ ? સમાધાન– દુવિહારના પચ્ચક્ખાણમાં લીંબુના રસથી ભાવિત સૂંઠ કલ્પી શકે નહિ. (વિ.પ્ર.વિ.૨ પ્ર.૧૪) (હીરપ્રશ્ન જો પ્રકાશ૨૦મો પ્રશ્ન) શંકા— ૫૬૨. ઉપવાસના પચ્ચક્ખાણમાં નવકાર સહિયંના પચ્ચક્ખાણમાં પાણી વાપરી શકાય ? સમાધાન– ઉપવાસમાં પાણહાર નમુક્કારસહિયં પચ્ચક્ખાણ લઇને નવકારશીમાં પણ પાણી વાપરી શકાય. (વિ.પ્ર.વિ.૧ પ્ર.૧૨૩) શંકા- ૫૬૩. સાંજે સૂર્યાસ્ત વખતે તિવિહારનું પચ્ચક્ખાણ લેનાર રાત્રે ક્યાં સુધી અને કેટલી વખત પાણી વાપરી શકે ? સમાધાન– સાંજે તિવિહારનું પચ્ચક્ખાણ લેનાર મધ્યરાત્રિ (લગભગ ૧૨ વાગ્યા) સુધી પાણી વાપરી શકે છે અને જેટલી વાર પાણી વાપરવું હોય, તેટલી વાર પાણી વાપરી શકે છે. આમાં કાળનું નિયમન-મર્યાદા છે, પણ કેટલી વખતની મર્યાદા નથી. શંકા- ૫૬૪. સાધુએ કે શ્રાવકે નવકારસહિયંનું પચ્ચક્ખાણ કર્યું હોય અને પછી તિવિહારનું પચ્ચક્ખાણ લઇ લીધું હોય તો, સાંજના તે કયું પચ્ચક્ખાણ લે ? સમાધાન– પાણાહારનું પચ્ચક્ખાણ લે. કેમ કે તેણે ત્રણ આહારના ત્યાગનું પચ્ચક્ખાણ તો લઇ લીધું છે, કેવળ પાણીના ત્યાગનું પચ્ચક્ખાણ બાકી રહે છે. માટે તે પાણાહારનું પચ્ચક્ખાણ લે, એ For Personal and Private Use Only Jain Educationa International Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શંકા-સમાધાન યોગ્ય જણાય છે. જો તિવિહારનું પચ્ચખાણ બપોરે ન કર્યું હોય, તો સાધુ મહાત્મા સાંજે ચઉવિહારનું અને શ્રાવક તો પોતાની ભાવના પ્રમાણે તિવિહાર કે ચઉવિહારનું પચ્ચક્ખાણ લે એમ જણાય છે. શંકા- પ૬૫. એકાસણું-બિયાસણું ન કરનાર છૂટો શ્રાવક ગરમ પાણી પીતો હોય તો તે રાતે તિવિહાર-દુવિહાર કરી શકે કે ચોવિહાર જ કરી શકે ? સમાધાન- અચિત્ત-ગરમ પાણી પીનાર શ્રાવકે રાતે ચોવિહાર પચ્ચક્ખાણ કરવું જોઇએ તેવી પરંપરા છે. (સનપ્રશ્ન ઉ. ૩પ્રશ્ન ૮૫૦) શંકા- પ૬૬. જે શ્રાવકો દરરોજ પાણસ્સી વગેરે પચ્ચખાણ પૂર્વક ઉકાળેલું પાણી વાપરતા હોય અને નવકારશી વગેરે છૂટું પચ્ચખાણ કરતા હોય તે શ્રાવકોએ રાતે ચોવિહાર કરવો જોઈએ કે તિવિહાર પણ કરી શકે ? સમાધાન- આવા શ્રાવકોએ મુખ્યતયા રાતે ચોવિહારનું જ પચ્ચકખાણ કરવું જોઈએ. પણ તેવા કોઈ શારીરિક અનિવાર્ય કારણથી તિવિહાર પણ કરી શકે. ઉકાળેલું પાણી રાતે જયાં સુધી ઉકાળેલા પાણીનો કાળ પહોંચતો હોય ત્યાં સુધી જ વાપરી શકાય તે ધ્યાનમાં રાખવું. (સેનપ્રશ્ન ૨-૧૮૭). શંકા- પ૬૭. ચોવિહાર કરવા માટે સૂર્યાસ્તથી ૪૮ મિનિટ પહેલાં આહાર-પાણીનો ત્યાગ કરવો જ પડે ? સમાધાન જૈન ધર્મમાં ઉત્સર્ગ(=મુખ્ય) માર્ગ અને અપવાદ માર્ગ એમ બે માર્ગ છે. એટલે જેનામાં શક્તિ હોય તેણે સૂર્યાસ્તથી ૪૮ મિનિટ પહેલાં આહાર-પાણીનો ત્યાગ કરવો જોઇએ. યોગશાસ્ત્રમાં કહ્યું છે કે “રાત્રિભોજનના દોષોનો જાણકાર પુણ્યવંત આત્મા દિવસની પહેલી અને છેલ્લી બે ઘડી છોડીને શેષ ભાગમાં ભોજન કરે.” આ ઉત્સર્ગ માર્ગ છે, પણ બધા જીવો ઉત્સર્ગ માર્ગે ચાલવા સમર્થ ન હોય એથી જેનાથી સૂર્યાસ્તથી ૪૮ મિનિટ પહેલાં આહારપાણીનો ત્યાગ ન થઈ શકે તે અપવાદથી સૂર્યાસ્ત પહેલાં આહારપાણીનો ત્યાગ કરીને ચોવિહાર કરી શકે. જે ચોવિહાર કરવા પણ Jain Educationa International For Personal and Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૩૯ સમર્થ ન હોય તે સૂર્યાસ્ત પહેલાં આહારનો ત્યાગ કરીને તિવિહાર કરી શકે. માટે ચોવિહાર કરવા માટે સૂર્યાસ્તથી ૪૮ મિનિટ પહેલાં આહાર-પાણીનો ત્યાગ કરવો જ પડે એમ જકાર પૂર્વક ન કહેવું જોઈએ. આજે જ્યારે અપવાદથી પણ ચોવિહાર-તિવિહાર કરનારા બહુ જ થોડા જોવા મળે છે ત્યારે ચોવિહાર કરવા માટે સૂર્યાસ્તથી ૪૮ મિનિટ પહેલાં આહાર-પાણીના ત્યાગનો આગ્રહ કેવી રીતે રાખી શકાય ? એથી જ સૂર્યાસ્ત સુધી વાપરનારને ચોવિહાર પચ્ચક્ખાણ થતું જ નથી એમ કેમ બોલાય ? હા, સૂર્યાસ્ત પછી વાપરનારને ચોવિહાર પચ્ચકખાણ ન થાય. આજે ઘડિયાળના આધારે સૂર્યાસ્ત ગણવામાં આવે છે. હવે કોઈ ઘડિયાળ બે-પાંચ મિનિટ મોડી પણ હોય. એથી સૂર્યાસ્ત પછી વાપરવાનો દોષ ન લાગે, એ માટે સૂર્યાસ્તથી પાંચ-દશ મિનિટ પહેલાં વાપરવાનું પૂર્ણ કરી દેવું જોઇએ. શંકા- પ૬૮. સાધુએ સવારે નવકારશી વગેરે છૂટું પચ્ચક્ખાણ કર્યું, પછી બપોરના કે સાંજની પડિલેહણના સમયે તિવિહાર પચ્ચખાણ કરે તો તેને પ્રતિક્રમણ સમયે પાણહારનું પચ્ચખાણ કરાવાય કે ચોવિહારનું ? સમાધાન– પાણહારનું પચ્ચખાણ કરાવાય. શંકા- પ૬૯. સવારે નવકારશી આદિ ચોવિહાર અને પોરિસી આદિ તિવિહાર એકાસણું વગેરે કર્યું હોય તો પચ્ચખાણ પારવામાં કેવી રીતે બોલવું ? સમાધાન– ઉગ્ગએ સૂરે નમુક્કારસહિએ મુક્રિસહિએ પચ્ચકખાણ કર્યું ચોવિહાર, પોરિસી એકાસણું પચ્ચખાણ કર્યું તિવિહાર, પચ્ચકખાણ ફાસિએ પાલિએ સોહિએ તિરિએ કિટ્ટિએ આરાહિએ જં ચ ન આરાહિએ તસ્સ મિચ્છા મિ દુક્કડં. પોરિસી ચોવિહાર સામ્રપોરિસી તિવિહાર વગેરેમાં પણ આ પ્રમાણે બોલવું. શંકા-૫૭૦. શ્રાવકોને અનુલક્ષીને એકાસણા વગેરેનું પચ્ચખાણ આપવા-બોલવામાં આવતા સૂત્રોમાં “સચિત્ત ન વાપરવું” એવો Jain Educationa International For Personal and Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શંકા-સમાધાન નિયમ આવતો નથી. તો પછી શ્રાવકોને એકાસણ વગેરેમાં સચિત્ત ફળો અને ઉકાળ્યા વિનાનું પાણી કેમ ન ખપે ? સમાધાન- પાપભીરુ શ્રાવક પોતાનો જીવન-નિર્વાહ કેવા આહારથી કરે એમ જણાવતાં કહ્યું છે કે, “નિર્દોષ(પોતાના માટે ન બનાવેલ) અને પ્રત્યેક (વનસ્પતિકાયથી) મિશ્ર એવા અચિત્ત આહારથી જ જીવનનિર્વાહ કરવામાં તત્પર રહે એવા સુશ્રાવકો હોય છે.” આમ જો છૂટા શ્રાવકે પણ અચિત્ત આહાર વાપરવો જોઈએ, તો એકાસણા વગેરે પચ્ચકખાણમાં તો સુતરાં અચિત્ત આહાર વાપરવો જોઈએ. આથી શ્રાવકોને એકાસણા વગેરેમાં સચિત્ત ફળો અને ઉકાળ્યા વિનાનું પાણી ન ખપે. શંકા-પ૭૧. એકાસણાના પચ્ચકખાણમાં પ્રવાસ પર્વવર્ એમ બોલાય, પણ આયંબિલના પચ્ચખાણમાં આયંબિલ ભેગું એકાસણું આવી જતું હોવાથી પાસ પર્વવરવાડું બોલવાની શી જરૂર? સમાધાન- આયંબિલના પચ્ચક્ખાણમાં માર્યાવિત્ન પન્નવાડું એમ બોલવાથી આયંબિલનું જ વાપરવું એટલું જ પચ્ચકખાણ થાય છે પણ આયંબિલનું કેટલી વાર વાપરવું એનું પચ્ચકખાણ થતું નથી. આયંબિલનું એક જ વાર વાપરવું એવું પચ્ચખાણ કરવા માટે “દાસ પર્વતીરૂ” એમ બોલવાની જરૂર છે. આ જ વિગત નીધિમાં પણ સમજવી. શંકા– ૫૭૨. લુખ્ખીનીવિ એકાસણું હોય તો લીલું શાક ખાવું કહ્યું કે નહિ ? સમાધાન– લુખ્ખીનીવિના પચ્ચકખાણમાં લીલું શાક ન કલ્પ. શંકા- પ૭૩. તે દિવસનું તળેલું પકવાન્ન કડા વિગઈના પચ્ચખાણવાળાને કહ્યું કે નહિ. સમાધાન- તે દિવસનું તળેલું પકવાન્ન કડાવિગઈના પચ્ચકખાણવાળાને જો પચ્ચકખાણ કરવાના સમયે છૂટું રાખ્યું હોય તો કલ્પ છે તે સિવાય નહિ એવી પરંપરા છે. (હીરપ્રશ્ન ચોથો પ્રકાશ પ્ર.૭૨માંથી અક્ષરશઃ ઉદ્ધત) Jain Educationa International For Personal and Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૪૧ શંકા— ૫૭૪. તેલ વિગઇના ત્યાગમાં (તલ, સરસવ, અલસી, કુસુંબીનું તેલ એ) ચાર પ્રકારના તેલ સિવાય બાકીના વાપરી શકાય ? સમાધાન– વાપરી શકાય. શંકા— ૫૭૫. બજા૨માં રસ્તા વચ્ચે પચ્ચક્ખાણ આપના૨-લેનાર બંને શું દોષના ભાગી બને ? સમાધાન– બંને દોષના ભાગી બને. કારણ કે બંને અવિધિના પોષક બને છે. શંકા- ૫૭૬. જિનમંદિરમાં પચ્ચક્ખાણ પારી શકાય કે નહિ ? સમાધાન– પચ્ચક્ખાણ સ્થાપનાજી સમક્ષ પારવું જોઇએ. તેવા વિશિષ્ટ કારણથી જિનમૂર્તિ સમક્ષ પણ પા૨ી શકાય પણ એક ઇરિયાવહિયં ઓછી ક૨વી પડે એ હેતુથી જિનમૂર્તિ સમક્ષ પચ્ચક્ખાણ ન પારી શકાય. કારણ કે જિનભક્તિ સિવાય એક મિનિટ પણ વધારે સાધુ-શ્રાવકથી દેરાસરમાં ન રહી શકાય. શંકા— ૫૭૭. શ્રાવકોને પારિટ્ઠાવણિયા આગાર (વધેલો આહાર પરઠવવો પડે તો વાપરવાની છૂટ) ન હોય. તો પછી તેમને એકાસણા આદિનું પચ્ચક્ખાણ આપવામાં પારિકાવણિયાગારેણું કેમ બોલાય છે ? સમાધાન– પચ્ચક્ખાણના સૂત્રનો પાઠ ખંડિત ન થાય એ માટે બોલાય છે. શંકા- ૫૭૮. શ્રાવક “તિવિહં તિવિહેણું” એ ભાંગાથી પાપના ત્યાગનું પચ્ચક્ખાણ સર્વથા ન જ લઇ શકે ? સમાધાન— સ્વયંભૂરમણ સમુદ્રના માછલાનું માંસ ન ખાવું ઇત્યાદિ (અસંભવિત) વિશેષ પ્રકારનું પચ્ચક્ખાણ “તિવિહં તિવિહેણું” એ ભાંગાથી લઇ શકે, પણ સામાન્યથી ન લઇ શકે. તથા આમાં બીજો પણ એક અપવાદ આ પ્રમાણે છે- ‘ગૃહસ્થ પણ પોતાના ક્ષેત્રથી(=ભરતક્ષેત્રના મધ્યખંડથી) બહારના ક્ષેત્રની અપેક્ષાએ “તિવિહં તિવિહેણું” પચ્ચક્ખાણ કરી શકે છે. અહીં તાત્પર્યાર્થ એ છે કે જે ક્ષેત્રમાં પોતાનો (વસ્તુની આપ-લે કરવી Jain Educationa International For Personal and Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શંકા-સમાધાન વગેરે) વ્યવહાર થવાની શક્યતા નથી એ ક્ષેત્રની અપેક્ષાએ “તિવિહં તિવિહેણું” પચ્ચકખાણ કરી શકાય. જે ક્ષેત્રમાં પોતાનો વ્યવહાર થવાની શક્યતા છે તે ક્ષેત્રની અપેક્ષાએ(=ભરતક્ષેત્રના મધ્યખંડની અપેક્ષાએ) “તિવિહં તિવિહેણું” પચ્ચકખાણ ન કરી શકાય. (શ્રાવકધર્મવિધિ પ્રકરણ ગાથા ૭૬ વગેરે). શંકા- પ૭૯. ૧૪ નિયમમાં ઘરેણાં, કાંસકો, વાસણ વગેરે વસ્તુ શેમાં ધારવી ? સમાધાન ચૌદ નિયમો સામાન્યથી જણાવ્યા છે. વિશેષથી તે સિવાય બીજી પણ વસ્તુઓના નિયમ લઈ શકાય. ધર્મસંગ્રહમાં કહ્યું છે કે, “આ ચૌદ નિયમો ઉપલક્ષણથી જાણવા. બીજી પણ શાક, ફળ, ધાન્ય વગેરે વસ્તુઓનું નામ-સંખ્યા-વજન વગેરેથી પ્રમાણ નક્કી કરવું. આથી ચૌદ નિયમો ધારતી વખતે ચૌદ નિયમ ઉપરાંત ઘરેણાં વગેરે વસ્તુ પણ ધારી શકાય. ચૌદ નિયમ સિવાય બીજું ઘરેણાં વગેરે જે કંઈ ધારવામાં આવે તે બધું દેશાવગાસિકના પચ્ચકખાણમાં આવી જાય. તેના માટે અલગ પચ્ચખાણ લેવાની જરૂર નથી. શંકા– ૫૮૦. દશમું દેશાવગાશિક વ્રત કરવાનો શો વિધિ છે? સમાધાન– વર્તમાનમાં દેશાવગાશિક વ્રતમાં સવાર-સાંજ પ્રતિક્રમણમાં બે સામાયિક અને બીજા આઠ સામાયિક એમ દશ સામાયિક ઓછામાં ઓછા એકાસણાના તપ પૂર્વક કરવાની આચરણા છે. સવાર-સાંજ પ્રતિક્રમણ અને બીજા આઠ સામાયિક કરે, પણ જો ઓછામાં ઓછું એકાસણું પચ્ચકખાણ ન કરે તો દેશાવગાશિક વ્રત ન ગણાય. આ વ્રત કરનારે સવારે દેશાવગાશિક વ્રતનું પચ્ચકખાણ અવશ્ય લેવું જોઈએ. આ વ્રતમાં ઓછામાં ઓછું એકાસણાનું પચ્ચખાણ હોવાથી પીવામાં ઉકાળેલા પાણીનો જ ઉપયોગ કરી શકાય. પણ વાપરવામાં (સ્નાન વગેરેમાં) ઉકાળેલા પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ એવો નિયમ નથી. તથા કાળના સમયમાં પોસાતીની જેમ કામળી ઓઢીને જ બહાર જવું જોઈએ, એવો પણ નિયમ નથી. રસોઈ ન કરી શકાય એવો પણ નિયમ Jain Educationa International For Personal and Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૪૩ નથી. આ વ્રત આરંભ-સમારંભના પાપથી બચવા માટે છે. આથી આ વ્રત કરનાર રસોઈ વગેરે પાપપ્રવૃત્તિ ન કરે તે વધારે સારું ગણાય. પણ અનિવાર્ય સંયોગોમાં રસોઈ વગેરે કરે તો દેશાવગાશિક વ્રતનો ભંગ થાય એવું નથી. શંકા– ૫૮૧. આજના મોટા ભાગના શ્રાવકો અને વિશેષ પ્રકારે શ્રાવિકાઓ ધર્મના રહસ્યને પામેલ હોતા નથી, તેથી કેવા નિયમ ધરાય અને કેવા નિયમ ન ધરાય એનું જ્ઞાન ન હોય ત્યારે વ્યાખ્યાનસભામાં “જેને જે નિયમ ધારવો હોય તે મનમાં ધારી લે, ધારણા અભિગ્રહનું પચ્ચકખાણ અપાય છે એવું જાહેર કરીને ધારણા અભિગ્રહનું પચ્ચખાણ આપી શકાય ખરું ? સમાધાન- વ્યાખ્યાનમાં તે તે નિયમોનું સ્વરૂપ બરાબર સમજાવવું જોઇએ. નિયમોને બરાબર સમજાવ્યા પછી જ પોતપોતાની ધારણા પ્રમાણે ધારણા અભિગ્રહ આપી શકાય. શંકા- ૫૮૨. અભિગ્રહ અને ધારણા અભિગ્રહ આ બે જાતનાં પચ્ચકખાણમાં શો ભેદ છે ? સમાધાન– ચાલુ વાતચીત કરવાની હોય ત્યારે અભિગ્રહ શબ્દનો પ્રયોગ થાય. જેમ કે મુમુક્ષુએ ક્ષણવાર પણ અભિગ્રહ વિના ન રહેવું જોઈએ, પણ જ્યારે અભિગ્રહ લેવાનો હોય ત્યારે અભિગ્રહનું પચ્ચકખાણ આપતી વખતે પચ્ચકખાણના સૂત્રમાં ધારણાભિગ્રહ એમ બોલાય, ધારણાભિગ્રહ એટલે મેં મનમાં જે રીતે ધારણા કરી છે તે રીતે હું અભિગ્રહનું પચ્ચખાણ કરું છું. અભિગ્રહ, નિયમ, બાધા એ બધા શબ્દોનો એક જ અર્થ છે. આમ અભિગ્રહ અને ધારણાભિગ્રહ એમ બે પ્રકારનાં પચ્ચખાણ નથી. પચ્ચકખાણ તો ધારણાભિગ્રહ એમ એક જ પ્રકારનું છે. આયંબિલ સંબંધી શંકા-સમાધાન શંકા- ૫૮૩. આયંબિલની બે ઓળી શાશ્વતી છે, તો એ છઠ્ઠા આરામાં રહેશે ? Jain Educationa International For Personal and Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શંકા-સમાધાન સમાધાન– આયંબિલની બે ઓળી શાશ્વતી હોવા છતાં છઠ્ઠા આરામાં નહિ રહે. અહીં આયંબિલની બે ઓળી શાશ્વતી કઈ દષ્ટિએ છે, એ સમજી લેવાની જરૂર છે. જૈનશાસનમાં ત્રણ ચોમાસીની ત્રણ અઠ્ઠાઇ, સંવત્સરીની અઠ્ઠાઈ અને આયંબિલની ચૈત્ર માસની અને આસો માસની બે અઠ્ઠાઈ એમ કુલ છ અઠ્ઠાઈ છે. આ છમાં ચાર અઠ્ઠાઈ અશાશ્વતી અને બે અઠ્ઠાઈ શાશ્વતી છે. તે આ પ્રમાણે- પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં થતા ચોવીસ જિનેશ્વરોમાં પહેલા અને ચોવીસમા શ્રી તીર્થકર સિવાય બાવીસ તીર્થકરોના સાધુઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી તેઓને જયારે દોષ લાગે ત્યારે જ પ્રતિક્રમણ કરવાનું હોય છે અને એથી એ કાળમાં ચોમાસી તરીકે ચોમાસી અને સંવત્સરી તરીકે સંવત્સરી ન હોય. આથી તે તે પર્વોની અઠ્ઠાઈઓ પણ ન હોય, અર્થાત્ ચાર અઠ્ઠાઇઓ ન હોય. પહેલા તીર્થકરના સાધુઓ ઋજુ અને જડ તથા છેલ્લા તીર્થકરના સાધુઓ વક્ર અને જડ હોવાથી તેઓને દોષો વધારે લાગે અને દોષોની શુદ્ધિ કરવામાં પણ ઘણો પ્રયત્ન કરવો પડે. આથી તેમના માટે દૈવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક એ પાંચે પ્રતિક્રમણ નિયત હોય છે. એથી તેમના માટે ચાર અઠ્ઠાઇઓ પણ નિયત હોય છે. પણ વચલા બાવીસ તીર્થકરોના શાસનકાળમાં આ ચાર અઠ્ઠાઈઓ ન હોય તથા મહાવિદેહ ક્ષેત્રમાં પણ આ ચાર અઠ્ઠાઈઓ અશાશ્વત ગણાય છે. જ્યારે ચૈત્ર માસની અઠ્ઠાઈ અને આસો માસની અઠ્ઠાઈ (બે ઓળીની અઠ્ઠાઈ) તો ચોવીસેય તીર્થકરોના તથા મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થકરોના શાસનકાળમાં આવે છે. આ અપેક્ષાથી એ બે અઠ્ઠાઈઓ શાશ્વતી ગણાય છે. આસો માસની અને ચૈત્ર માસની બે અઠ્ઠાઈઓ છઠ્ઠા આરામાં ભરત અને ઐરાવત ક્ષેત્રમાં ન હોવા છતાં મહાવિદેહ ક્ષેત્રમાં હોય છે. આ દૃષ્ટિએ પણ આ બે અઠ્ઠાઇઓ શાશ્વતી ગણાય છે. શંકા- ૫૮૪. ઉપવાસ-આયંબિલમાં ઉઠતા બેસતાં કેટલા નવકાર ગણવા ? Jain Educationa International For Personal and Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૪૫ સમાધાન- ઉપવાસમાં જયારે પહેલીવાર પાણી વાપરવાનું હોય ત્યારે મુઠ્ઠી વાળીને એક નવકાર ગણવો જોઈએ. પાણી વાપર્યા પછી નવકાર ગણવાની જરૂર નથી. પછી પણ જ્યારે જ્યારે પાણી વાપરવાનું હોય ત્યારે ત્યારે પહેલાં કે પછી નવકાર ગણવાની જરૂર નથી. છેલ્લી વાર પાણી વાપરી લીધા પછી પાણહારનું પચ્ચખાણ આવડતું હોય તો લેવું જોઇએ અને ન આવડતું હોય તો ધારવું જોઇએ. તે જ રીતે આયંબિલમાં કે એકાસણામાં બેસીને વાપરતાં પહેલાં મુઠ્ઠી વાળીને એક નવકાર ગણવો જોઈએ. આયંબિલ-એકાસણું કરીને ઉઠતાં તિવિહાર પચ્ચકખાણ લેવું જોઈએ. જો બેસતાં એક નવકાર ન ગણવામાં આવે અને ઉઠતાં તિવિહારનું પચ્ચક્ખાણ ન કરવામાં આવે તો અતિચાર લાગે. આથી જ અતિચારમાં “બેસતાં નવકાર ન ભણ્યો, ઉઠતાં પચ્ચકખાણ કરવું વિસાયું” એમ બોલવામાં આવે છે. શંકા- ૫૮૫. આયંબિલ ખાતામાં ઉકાળેલું કરિયાતું કેટલાક લોકો ૭૨ કલાક (ત્રણ દિવસ) સુધી વાપરે છે, તે બરોબર છે. સમાધાન– ના. બીજા દિવસે એ અભક્ષ્ય થઈ જાય. ત્રણ ઉકાળાથી ઉકાળેલા શુદ્ધ પાણીમાં ચુનો નાખવામાં આવે, તો તે પાણી જ જયારે ચુનો નાખ્યો હોય, ત્યારથી ૭૨ કલાક સુધી ચાલે. કોઈ પણ વનસ્પતિનું ચૂર્ણ વગેરે નાખીને ઉકાળેલું પાણી તો રાત પસાર થતા વાસી થઈ જતું હોવાથી બીજા જ દિવસે અભક્ષ્ય બને છે. શંકા- ૫૮૬. વર્તમાનમાં બનાવાતી ભાખરી સાધુને આયંબિલમાં ખપે? રોટલીનો જોગ ન જ થાય તેમ હોય તો ભાખરી લઈ શકાય? સમાધાન– ભાખરીમાં મોણ વધારે આવે એથી આયંબિલમાં સાધુને પણ ન કલ્પ. રોટલીનો જોગ ન જ થાય તો ખાખરા-ભાત વગેરેથી ચલાવી લેવું જોઈએ. આમ તો સાધુને આયંબિલમાં મોણ નાખેલી લુખ્ખી રોટલી પણ ન કલ્પે. કારણ કે આયંબિલના આગારોમાં “પહુવમવિશ્વા” આગાર નથી. પણ વર્તમાનમાં આધાકર્મ આદિ દોષથી બચવા આયંબિલમાં મોણ નાખેલી લુખ્ખી રોટલી લેવાની આચરણા છે. પણ ભાખરી તો ન જ કલ્પે. કારણ Jain Educationa International For Personal and Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શંકા-સમાધાન કે તેમાં મોણનો સ્પષ્ટ સ્વાદ આવે છે. જ્યારે રોટલીમાં મોણનો સ્વાદ આવતો નથી. જો રોટલીમાં પણ મોણનો સ્વાદ આવતો હોય, તો આવી રોટલી પણ આયંબિલમાં ન કલ્પે. શંકા— ૫૮૭. તેલ વગેરેનો હાથ દઇને લોટના પિંડને મસળવામાં આવે, પછી તેની રોટલી, ખાખરા વગેરે બનાવવામાં આવે તો સાધુઓને આયંબિલમાં ખપી શકે ? સમાધાન જો તેલ વગેરેનો સ્વાદ ન જણાય તેટલું અલ્પ તેલ વગેરે હોય તો ખપી શકે. સ્વાદ આવે તેટલું તેલ વગેરેથી બનાવેલા ખાખરા, રોટલી ન ખપે. શંકા ૫૮૮. આંબળાનો પાવડર આયંબિલમાં ચાલે ? સમાધાન– ન ચાલે. શંકા- ૫૮૯. આયંબિલમાં ખીચીયા-પાપડ વપરાય ? સમાધાન– આયંબિલમાં ખીચીયા-પાપડ વાપરવાનો નિષેધ નથી. પણ ચોમાસામાં વરસાદના દિવસોમાં ન વાપરવા જોઇએ. કારણ કે તેમાં લીલ-ફૂગ થવાની ઘણી સંભાવના છે. શંકા- ૫૯૦. દમની તકલીફવાળા દર્દીઓ માટે શ્વાસ લેવાના પંપ બે પ્રકારના હોય છે. એક પંપ પ્રવાહી દવાનો હોય છે. બીજો પંપ ગોળીના ચૂર્ણનો-ભૂક્કાનો આવે છે. આવા પંપનો અણાહારી દવાની જેમ આયંબિલ વગેરે તપમાં ઉપયોગ કરી શકાય ? સમાધાન– પ્રવાહી દવાવાળા પંપનો આયંબિલ વગેરે પચ્ચક્ખાણમાં ઉપયોગ ન કરી શકાય. દવાના ચૂર્ણવાળા પંપમાં જો દવાનો અણાહારી દવાની જેમ સ્વાદ ન આવતો હોય તો આયંબિલ વગેરે પચ્ચક્ખાણમાં ઉપયોગ કરવાનો નિષેધ કરવો યોગ્ય જણાતો નથી. મારા જાણવા મુજબ દવાના ચૂર્ણવાળા પંપમાં દવાનો સ્વાદ આવતો નથી. એથી કોઇ કોઇ સાધુ પચ્ચક્ખાણમાં આવા પંપનો ઉપયોગ કરે છે. બીજી દૃષ્ટિએ વિચારવામાં આવે તો આવા પંપનો ઉપયોગ કોઇ પણ વ્યક્તિ ન છૂટકે જ કરે, ચાહીને સ્વાદ માટે તો ન જ કરે. આમ છતાં આ બાબતની સાર્વત્રિક છૂટ તો ન જ અપાય. Jain Educationa International For Personal and Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૪૭ આ વિષયમાં બધી વિગત ગીતાર્થ ગુરુઓ સમક્ષ રજૂ કરવી અને એમના માર્ગદર્શન મુજબ વર્તવું. ઉપધાન સંબંધી શંકા-સમાધાન શંકા- ૫૯૧. સેનપ્રશ્ન ગ્રંથમાં ૫૫૪મો પ્રશ્ન આ પ્રમાણે છે“ઉપધાનમાં પ્રવેશેલા શ્રાવક-શ્રાવિકાને કલ્પસૂત્ર વાચનના પાંચ દિવસમાં નીકળવું કલ્પે કે નહિ ?” તેનો ઉત્તર આ પ્રમાણે છે“મોટા કારણ સિવાય તે પાંચ દિવસોમાં ઉપધાનમાંથી નીકળાય નહિ. જો કોઇ કારણે નીકળી જવું પડે તો આરંભનો ત્યાગ રાખે.” પૂજ્ય નીતિસૂરિજી મ.ના શિષ્ય પંન્યાસ શ્રી હર્ષવિજયજી સંપાદિત ઉપધાન વિધિ પ્રત કે જેનું પ્રકાશન વિ.સં. ૧૯૯૨માં થયું છે, તેમાં માળારોપણ વિધિ વિભાગમાં “દસરાહા પછી માલા પહેરવી સૂજે” એમ લખ્યું છે. આ બંને લખાણોથી નિશ્ચિત થાય છે કે ચાતુર્માસમાં દશેરા પહેલા પણ ઉપધાન થઇ શકે. તો પછી દશેરા પહેલાં ઉપધાન શરૂ ન થઇ શકે એવી પ્રથા ક્યારથી શરૂ થઇ ? સમાધાન– વિચાર કરતાં જણાય છે કે પહેલાં આજની જેમ સામુદાયિક ઉપધાન કરવાની પ્રથા કદાચ નહિ હોય. એથી ઉપધાન કરનારાઓની સંખ્યા ઓછી રહેતી, અને મૂળવિધિથી ઉપધાન કરનારાઓની સંખ્યા ઠીક ઠીક હતી. એથી ચોમાસામાં બહાર સ્થંડિલ જવામાં વરસાદની વિરાધનાનો પ્રશ્ન રહેતો નહિ. સહનશીલ અને નીરોગી શરીરના કારણે અવસરે વરસાદના કારણે વહેલા-મોડા જવામાં પણ તકલીફ રહેતી નહિ. નીવિ કરવાની હોય ત્યારે સામુદાયિક નીવિ નહિ હોવાના કારણે વરસાદના દિવસોમાં ઉપાશ્રયમાં બીજાઓ લઇ આવે એટલે નીવિ કરવામાં જવામાં પણ વરસાદની વિરાધનાનો પ્રશ્ન ન હતો. જ્યારે વર્તમાનમાં સામુદાયિક ઉપધાન થતા હોવાથી અને આપવાદિક વિધિથી થતા હોવાથી ચોમાસામાં બહાર સ્થંડિલ જવામાં For Personal and Private Use Only Jain Educationa International Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શંકા-સમાધાન વિરાધનાનો મોટો પ્રશ્ન રહે છે. વર્તમાન કાળના શરીર બહુધા અસહનશીલ અને વિવિધ તકલીફવાળા હોવાથી વરસાદના અવસરે મોડા જવામાં તકલીફ થાય. નીવિ સામુદાયિક થતી હોવાથી વરસાદના સમયે ફરજિયાત નીવિની જયાં વ્યવસ્થા હોય ત્યાં જવુ પડે એથી વિરાધના થાય. આમ વિરાધનાને લક્ષમાં રાખીને સંભવ છે કે પૂર્વસૂરિઓએ ચાતુર્માસમાં દશેરા પહેલા ઉપધાન ન કરાવવાની પ્રથા શરૂ કરી હોય અને તે પ્રથા યોગ્ય જ છે. એટલે વિરાધનાને વિચારવામાં આવે તો વર્તમાનકાળ દશેરા પહેલા ઉપધાન ન થાય એ જ યોગ્ય છે. દશેરા સુધીમાં જમીન સુકાઈ ગઈ હોય. વનસ્પતિ ઘણી ઓછી થઈ ગઈ હોય. આજે જેમ વિરાધનાની દષ્ટિએ દશેરા પછીથી ઉપધાન થાય એ યોગ્ય છે તેમ જ્યાં અનિવાર્ય કારણ સિવાય વાડાનો ઉપયોગ ન કરવો પડે તેવા ગામડા વગેરે સ્થાનોમાં ઉપધાન થાય તે હિતાવહ છે. પૂર્વે ઉપધાન દશેરા પહેલાં થતા હતા, પણ માળ તો દશેરા પછી જ પહેરાતી હતી. કારણ કે માળપરિધાનની વિધિ નંદિપૂર્વક કરવાની હોય છે. દશેરા પહેલાં નંદિ થાય નહિ. આ દૃષ્ટિએ પૂર્વોક્ત પ્રતમાં “દશરાઠા પછી માળા પહેરવી સૂજે” એમ જે લખ્યું છે તે પણ બરોબર છે. દશેરા પૂર્વે નંદિ ન થાય એ વિષે શ્રી હરિપ્રશ્નના ત્રીજા ઉલ્લાસમાં ચોથા પ્રશ્નોત્તરમાં કહ્યું છે કે- માળારોપણની નંદી વિજયાદશમી પછી શુદ્ધ થાય એમ વૃદ્ધવાદ છે. ચોથા ઉલ્લાસના ૨૯મા પ્રશ્નોત્તરમાં પણ આ વિગત જણાવી છે. શંકા- પ૯૨. ઉપધાન વિશિષ્ટ કોટિની આરાધનાનું અનુષ્ઠાન ગણાય. તેમાં વિધિની ચુસ્તતા આવશ્યક ગણાય. પણ વર્તમાનમાં કેટલેક સ્થળે જેમને નવકાર સિવાય કશું જ ન આવડતું હોય અને વિધિની કોઈ સમજ ન હોય તેવા ૮ વર્ષના કે ૭૦ વર્ષના મનુષ્યને ફોસલાવી-પટાવીને ઉપધાનમાં બેસાડવામાં આવતા હોવાનું જાણવા મળે છે. તેવાઓના ઉપધાન સાર્થક થાય ? Jain Educationa International For Personal and Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૪૯ સમાધાન– કોઈને પણ ફોસલાવીને-પટાવીને ઉપધાનમાં ન બેસાડી શકાય પણ સમજાવીને-પ્રેરણા કરીને ઉપધાનમાં બેસાડી શકાય. ફોસલાવવું-પટાવવું અને સમજણ-પ્રેરણામાં ઘણો ભેદ છે. સમજાવીનેપ્રેરણા કરીને આઠ વર્ષના કે તેનાથી પણ નાની ઉંમરના બાળકને ઉપધાનમાં બેસાડી શકાય અને ૭૦ વર્ષના કે તેથી પણ મોટી ઉંમરના વૃદ્ધને પણ ઉપધાનમાં બેસાડી શકાય. તેમને કોઈ વિધિની ખબર ન હોય અને માત્ર નવકાર આવડતો હોય તો પણ ઉપધાનમાં બેસાડી શકાય. જેનું ભાવિમાં કલ્યાણ થવાનું હોય તેવા જીવને જ સમજાવીનેપ્રેરણા કરીને ઉપધાનમાં બેસાડી શકાય. જેનું ભાવિમાં કલ્યાણ ન થવાનું હોય તે જીવને ગમે તેટલું સમજાવવામાં આવે કે ગમે તેવી પ્રેરણા કરવામાં આવે તો પણ તે જીવ ઉપધાનમાં ન બેસે. જેમને નવકાર સિવાય એકેય સૂત્ર ન આવડતું હોય અને વિધિની કોઈ ખબર ન હોય તેવા કેટલાય બાળકો-વૃદ્ધો વગેરે બીજાના સમજાવવાથી અને પ્રેરણાથી ઉપધાનમાં બેસીને ઘણું ઘણું શીખી જાય, ઘણું ઘણું પામી જાય તેવા અનેક દૃષ્ટાંતો આજે પણ બને છે. શંકા- ૨૯૩. ઉપધાનમાં કે પૌષધમાં નવકાર-પંચિંદિયથી સ્થાપેલા સ્થાપનાચાર્યની સમક્ષ બધી ક્રિયા કરી શકાય ? સમાધાન- ઉપધાનમાં ન કરી શકાય. ઉપધાનમાં મહાનિશીથસૂત્રના યોગ કરી લીધા હોય તેવા સાધુથી પડિલેહણા કરાયેલા પ્રતિષ્ઠિત સ્થાપનાચાર્ય જ જોઇએ. ચાલુ પૌષધમાં પ્રતિષ્ઠિત સ્થાપનાચાર્ય ન હોય તો નવકાર-પંચિંદિયથી સ્થાપેલા સ્થાપનાચાર્યની સમક્ષ સર્વક્રિયા કરી શકાય. પૌષધ વિનાના શ્રાવકો પ્રતિક્રમણ કરી શકે. શંકા- પ૯૪. ઉપધાનનો નકરો કયા હેતુથી લેવાય છે ? એ રકમ દેવદ્રવ્ય ખાતે લઈ જવાનો હેતુ શો ? સમાધાન- આના કારણો કોઇ ગ્રંથમાં વાંચવામાં આવ્યા નથી. આમ છતાં વિચાર કરતાં જણાય છે કે, ઉપધાનમાં કુલ ચાર વખત નાણ માંડવાની આવે છે. એ નાણમાં ચાર દીપકો કરવાના હોય છે. ચોખાના સાથિયા પણ કરવાના હોય છે. દીપક અને સાથિયા Jain Educationa International For Personal and Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શંકા-સમાધાન પરમાત્માની ભક્તિ માટે છે. શ્રાવકે પરમાત્માની ભક્તિ સ્વદ્રવ્યથી કરવી જોઇએ. ઉપધાનમાં પ્રવેશ કરનાર નકરો આપે અને એ નકરો દેવદ્રવ્ય ખાતે લઈ જવાય. એટલે ઉપધાનમાં પ્રવેશ કરનારે દીપકનો અને ચોખાના સાથિયા કરવાનો ખર્ચ આપ્યો ગણાય. એથી પરમાત્માની ભક્તિ ઉપધાનમાં પ્રવેશ કરનારે સ્વદ્રવ્યથી કરી ગણાય. પરમાત્માએ બતાવેલા ઉપધાન જેવા ઉત્તમ અનુષ્ઠાનનો પ્રારંભ પરમાત્માની સમક્ષ પોતે કરી રહ્યો છે, એના આનંદની અભિવ્યક્તિરૂપે પરમાત્માને સમર્પણ કરવા માટે ઉપધાનનો નકરો હોય અને એથી જ એ રકમ દેવદ્રવ્ય ખાતે લઈ જવાતી હોય એમ પણ સંભવે છે. શંકા- પ૯૫. અમારા બાજુના એક ગામમાં હમણાં ઉપધાનની આરાધના થઈ. એની અંદર પ્રથમ મુહૂર્તમાં પ્રવેશ કરનારાઓની ૪૫મા દિવસે અને બીજા મુહૂર્તમાં પ્રવેશ કરનારાઓની ૪૩મા દિવસે માળ થઈ. તો આમ થઈ શકે ? સમાધાન- (૧) સંપૂર્ણ ઉપધાન વર્તમાન વિધિ પ્રમાણે કરે તો ૪૭મા દિવસે માળ થઈ શકે. (૨) એક અઢારિયું મૂળ વિધિ પ્રમાણે કરે અને બાકીના ઉપધાન વર્તમાન વિધિ પ્રમાણે કરે તો ૪પમાં દિવસે માળ થઈ શકે. (૩) સંપૂર્ણ ઉપધાન મૂળ વિધિ પ્રમાણે કરે તો ૪૩મા દિવસે માળ થઈ શકે. (૪) વળી કારણે છકીયામાં પ્રવેશ કરાવીને તે જ દિવસે માળ થઈ શકે. તેથી ૪૩ દિવસ પહેલાં પણ માળ થઈ શકે. આમાં ઉપધાનની વિધિ કરાવનાર ગીતાર્થ ગુરુભગવંત ઉપધાન કરનારની શક્તિ આદિનો વિચાર કરીને જે યોગ્ય જણાય તે કરી શકે. શંકા- પ૯૬. પૌષધમાં રહેલી શ્રાવિકા અલંકાર આદિ ધારણ કરી શણગાર સજીને ઉપધાનની માળ પહેરી શકે ? સમાધાન- પૌષધમાં શ્રાવિકા સૌભાગ્યના ચિહ્નરૂપ (મંગલસૂત્ર) આભૂષણ સિવાય કોઈ પણ આભૂષણ ન પહેરી શકે તથા અન્ય કોઈ પણ શણગાર ન સજી શકે. કારણ કે પૌષધમાં શરીર સત્કારનો સર્વથા Jain Educationa International For Personal and Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ત્યાગ કરવામાં આવે છે. માટે પૌષધમાં રહેલી શ્રાવિકા અલંકારાદિ ધારણ કરી શણગાર સજીને ઉપધાનની માળ ન પહેરી શકે. શંકા- ૫૯૭. ઉપધાનતપની માળ પ્રસંગે અને દીક્ષા પ્રસંગે રજોહરણ અપાયા બાદ પણ દીક્ષાર્થી સ્ત્રીના પરિવારના પુરુષો એને ઉંચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જાય છે તે યોગ્ય છે ? સમાધાન જરાય યોગ્ય નથી. નિશ્રાદાતા-દીક્ષાદાતા સાધુ આદિએ આવી પ્રથાનો સ્પષ્ટ નિષેધ કરવો જોઇએ. અન્યથા દેખાદેખીથી આની પરંપરા ચાલે. શંકા- ૫૯૮. ઉપધાન કરનાર સ્ત્રી અથવા પુરુષને ઉપધાનતપ સંબંધી મોક્ષમાળા કોણ પહેરાવી શકે ? ૨૫૧ સમાધાન– ઉપધાન કરનાર સ્ત્રી અથવા પુરુષને જેના હાથે ઉપધાનતપ સંબંધી મોક્ષમાળા પહેરવાની ઇચ્છા હોય તે પહેરાવી શકે. આથી આચાર્યના હાથે પહેરવાની ઇચ્છા હોય તો આચાર્ય અને સાધુના હાથે પહેરવાની ઇચ્છા હોય તો સાધુ માળા પહેરાવી શકે. સ્વજનના હાથે પહેરવાની ઇચ્છા હોય તો સ્વજન પહેરાવી શકે. શંકા— ૫૯૯. શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા-મહેસાણા તરફથી પ્રકાશિત ચૈત્યવંદન ભાષ્યમાં ૩૦મી ગાથાના અર્થમાં ‘નવકાર સૂત્રની ઉપધાનક્રિયામાં એ ૮ સંપદા ભણવા માટે દરેક સંપદાનું એકેક આયંબિલ ક૨ીને ભણી શકાય છે એ ઉત્કૃષ્ટ વિધિ છે' એમ લખ્યું છે. આ કઇ રીતે સમજવું ? સમાધાન– ઉપધાનમાં પ્રથમ ૫ ઉપવાસ, પછી ૮ આયંબિલ, પછી ૩ ઉપવાસ કરીને નવકાર ભણવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. એ ઉત્કૃષ્ટવિધિ છે. આ રીતે ઉત્કૃષ્ટવિધિથી ૧૬ દિવસે પહેલું ઉપધાન પૂર્ણ થાય. તેમાં પહેલાના પાંચ ઉપવાસ ઉદ્દેશાના છે, પછીના આઠ આયંબિલ સમુદ્દેશના છે અને પછીના ત્રણ ઉપવાસ અનુજ્ઞાના છે. મહાનિશીથસૂત્રમાં પંચમંગલમહાશ્રુતસ્કંધના સમુદ્દેશમાં પ્રથમનાં પાંચ અધ્યયનો (પાંચ પદો) અને પછીના ત્રણ આલાપકો (ત્રણ For Personal and Private Use Only Jain Educationa International Page #315 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૫૨ સંપદાઓ. આમ ૫+૩=૮ સંપદાઓ) એક એક આયંબિલથી ભણવાનું જણાવ્યું છે. આ દૃષ્ટિએ ઉપરનો અર્થ બરાબર જણાય છે. શંકા- ૬૦૦. ઉપધાન આદિમાં આગલા દિવસે આવેલું દૂધ બીજા દિવસે ગરમ કરીને નીવિમાં આપી શકાય ? સમાધાન– ન આપી શકાય. કારણ કે વાસી થયેલું દૂધ ગરમ કરવાથી તેમાં રહેલા ત્રસ જીવોની વિરાધના થાય. શાસ્ત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે વાસી ૨હેલા પાણીવાળા ખાદ્ય પદાર્થોમાં ત્રસ જીવોની ઉત્પત્તિ થાય છે. શંકા- ૬૦૧. ઉપધાનની આરાધનામાં વહેલી સવારે સ્થંડિલની શંકા થાય ત્યારે દિવસ ન પડે એ માટે ક્રિયા સૂર્યોદયથી એક કલાક પહેલાં કરાવી શકાય ? સમાધાન– આવા સમયે ગીતાર્થ ગુરુભગવંત જેમ યોગ્ય લાગે તેમ કરે. રાત્રિભોજન સંબંધી શંકા-સમાધાન શંકા- ૬૦૨. રાત્રિભોજનનો ત્યાગ ન થઇ શકે તો તેના પ્રાયશ્ચિત્તરૂપે શું કરવું ? સમાધાન– રાત્રિભોજનનો ત્યાગ ન થઇ શકે ત્યાં સુધી મીઠાઇ ન ખાવી અથવા અમુક મીઠાઇ ન ખાવી અથવા અમુક ફળો ન ખાવા વગેરે ત્યાગ કરી શકાય અથવા દ૨૨ોજ સાત ક્ષેત્રમાં આટલું ધન વાપરવું એવો પણ નિયમ કરી શકાય. શંકા- ૬૦૩. ભગવંતના માતા-પિતા બનનારા બીજે દિવસે રાત્રિભોજન કરે એ યોગ્ય ગણાય ? આવાઓ પૈસાના બળે માતા-પિતા બની સાધારણ યોગ્ય વ્યક્તિને એથી દૂર રાખે એ યોગ્ય કે અયોગ્ય ? સમાધાન– ભગવંતના માતા-પિતા બનનારા બીજે દિવસે રાત્રિભોજન કરે એ યોગ્ય ન ગણાય. માતા-પિતાની બોલી બોલાવતાં પહેલાં માતા-પિતા બનવાની યોગ્યતા, માતા-પિતા બન્યા પછી જીવનમાં શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ વગેરે For Personal and Private Use Only Jain Educationa International Page #316 -------------------------------------------------------------------------- ________________ શંકા-સમાધાન ૨૫૩ સમજાવવામાં આવે છે. આવું સ્પષ્ટ સમજાવ્યા પછી પણ કોઈ અયોગ્ય જીવો માતા-પિતા બની જાય અને રાત્રિભોજન વગેરે કરે તો તેમાં આચાર્ય ભગવંતનો કે અંજનશલાકાનો શો દોષ ? આજે ઉપધાન કરનારાઓમાં કોઇ કોઇ રાત્રિભોજન કરે, અભક્ષ્ય ભક્ષણ કરે, હોટલમાં જાય એવું બને છે. આમાં ઉપધાનની ક્રિયા કરાવનાર સાધુ વગેરેનો કે ઉપધાનનો શો દોષ ? માતા-પિતા બનવાને માટે અયોગ્ય જીવો પૈસાના બળે માતાપિતા બની જાય તે બરોબર ન ગણાય. પણ માતા-પિતા બનવાને લાયક જીવો બોલી બોલીને માતા-પિતા બને એથી સાધારણ વ્યક્તિઓ માતા-પિતા ન બની શકે તો તેમાં કશું અયોગ્ય થતું નથી. સાધારણ વ્યક્તિઓ ધન વિના થઈ શકતો ધર્મ કરી શકે છે. જે દાનધર્મ કરવા સમર્થ હોય તે દાનધર્મ કરે, જે શીલધર્મ (વ્રતનિયમો) કરવા સમર્થ હોય તે શીલધર્મ કરે. જે તપધર્મ કરવા સમર્થ હોય તે તપધર્મ કરે. જે દાનાદિ ત્રણેય કરવા સમર્થ ન હોય તે ભાવધર્મ કરે. જેને સાચી ધર્મની ભાવના થાય તે જીવ કોઈ પણ રીતે ધર્મ કરી શકે. એ માટે જ્ઞાનીઓએ બધા માર્ગો બતાવ્યા છે. બોલીના કારણે સાધારણ યોગ્ય વ્યક્તિઓ એ ધર્મથી વંચિત રહી જાય છે એમ બોલનારાઓ અજ્ઞાનતાથી અથવા તો ધર્મ પ્રત્યેની અરુચિથી બોલે છે. બોલી નહિ બોલી શકનારાઓ પણ બોલી બોલનારાઓની અનુમોદના કરીને આ લાભ મેળવી શકે છે. શંકા- ૬૦૪. રાત્રિભોજનનો ત્યાગી શ્રાવક રાતે બનાવેલો આહાર વાપરે તો રાત્રિભોજનના નિયમનો ભંગ થાય ? સમાધાન- રાત્રિભોજનના નિયમનો ભંગ ન થાય, પણ તેવા શ્રાવકે રાત્રે બનાવેલો આહાર ન વાપરવો જોઈએ. કારણ કે જીવવિરાધનાથી બચવા રાત્રિભોજનનો ત્યાગ કરવામાં આવે છે. રાતે બનાવેલો આહાર વાપરવામાં જીવવિરાધનાનો દોષ તો ઊભો જ રહે છે. For Personal and Private Use Only WWW.jainelibrary.org Jain Educationa International Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શંકા-સમાધાન અણાહારી સંબંધી શંકા-સમાધાન શંકા ૬૦૫. અણાહારી દવા વાપરવામાં શો વિધિ છે ? તે જણાવવા કૃપા કરશો. સમાધાન– (૧) અણાહારી દવા ઉપવાસ વગેરે પચ્ચક્ખાણમાં પણ લઈ શકાય છે. (૨) પણ પાણી સાથે ન લેવાય. પાણી સાથે અણાહારી દવા લેવાથી આહારી થઈ જાય અને એથી પચ્ચકખાણનો ભંગ થાય. (૩) અણાહારી દવા લીધા પછી બે ઘડી (૪૮ મિનિટ) સુધી પાણી ન વાપરી શકાય. પાણી વાપર્યા પછી તુરત અણાહારી દવા લઈ શકાય. પણ અણાહારી દવા લીધા પછી બે ઘડી સુધી પાણી ન વપરાય એ નિયમ છે. (૪) કેટલાક મુક્રિસહિએ પચ્ચકખાણ કરીને જ અણાહારી દવા લઈ શકાય એમ બોલતા હોય છે. પણ આ બરોબર નથી. મુહિસહિએ પચ્ચખાણ કરીને જ અણાહારી દવા લઈ શકાય એવો કોઈ નિયમ નથી. શંકા- ૬૦૬. અણાહારી દવા લેવી હોય તો “મુકિસહિઅં” પચ્ચકખાણ લઈને જ લેવાય ? સમાધાન અણાહારી દવા “મુકિસહિએ પચ્ચકખાણ લીધા વિના પણ લઈ શકાય. અણાહારી દવા લેતાં પહેલાં “મુકિસહિઅં” પચ્ચક્ખાણ કરવું જ જોઈએ એવો નિયમ નથી. શંકા- ૬૦૭. હમણાં હમણાં કેટલેક ઠેકાણે સૂકા આમળાં અણાહારીમાં વપરાય છે, તો તે અણાહારી છે કે કેમ ? સમાધાન– આમળાં અણાહારી નથી. શંકા- ૬૦૮. એલોપથી ગોળીઓ સ્વાદ વિનાની કડવી-તૂરી હોય તો અણાહારી તરીકે ખપી શકે ? સમાધાન– ખપી શકે, એમ જણાતું હોવા છતાં ઉપયોગ કરતાં પૂર્વે ગીતાર્થ-ગુરુને પૂછ્યા વિના ઉપયોગ ન કરવો. શંકા- ૬૦૯. અણાહારી વસ્તુઓમાં લીંબડા વગેરેને ગણાવ્યા છે, તો એ લીમડાના પાન સૂકા લેવા કે લીલા લેવા ? સમાધાન– સૂકા લેવા એમ સંભવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ વિદ્વદ્વર્ય પરમ પૂજ્ય આ રાજશેખરસૂરીશ્વરજી મહારાજા નવકાર મહામંત્ર શ્રી શ્રાવકધર્મવિધિ પ્રકરણ રેસની ની વાણી થી 8મી વિંaad. ઉદેશમલા (પુષ્પમાલા) grudge) (ભાગ્ય મુજવ નાચાર્ય શ્રી રાજશોખરસુરીશ્વરજી મહારાજ પૂજય આચાર્ય શ્રી મોહનરસુરાની ગરમી Aksa) 41 વકજ કરી યશોવિજયજી વિરચિત અતિલક્ષણ સમુચ્ચય પ્રકરણ નવપદ પ્રકરણ યોગબિંદુ મા હતી અિવા વાવ અથ શ્રાચાર્યની રાજશેખરસૂરીશ્વરજી મહારાજ ચાણ શંકા-સમાધાન શંકા-સમાધાના (ભાગ-૨) ધર્મબિંદુ પ્રકરણ રોની વનર છે ભાવાનુવાદ કરે છે કાજામાં પી રાજયોના રસીલા ના મક RAudi Re પૂથ માથાથી ધી રજનોનરશ્રીજરૂજી મહારાજના તેમ એક હજાર "ધ બનાવાઈ જી લાજરસૂરીજી મારાળા Jain Educationa international For Personal and Puvate Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ -આચાર્યદેવ શ્રીમદ્ વિજય જા આદિએ કરેલું સાહિત્ય સર્જન HHAI HIS હીરામીલી િવાહ | 0 | | // શાહમ || વાદીવેતાલ શ્રી શાંતિવિરચિત વડવાનટનાને ચિત્યના ગાડાબા ) કરી નથી ના ને લઇ ને ! સારી રીત બાલકિલી ગુરુ દ્રવ્યના. ઉપયોગ અંગે સત્ય માર્ગદર્શન પ. પુ. મા. 2 જાજોનરીના મહાલ ન જાતિ ધી ગુજરાત સુરકાકા જલસા નાગા વીખરી ની છે पञ्चाशक प्रकरणम् भी खातरमच्छीय श्री शिनावाभारिणुमिकतामयोपानिन्मृतः માત્મપ્રવધ: ll // શ્રી પટ્ટીશ પ્રશRUTF I] ( પ્રથમ fસપાન) (fefs fમાજ) પર પીજનાવવા હોય તો बालदिवकृत्यमूलन सिरि सिग्विाल कहा | શ્રીલંકીથ9@[[ || an Educationa International For Personal and Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Teine Prieten