________________
શંકા-સમાધાન
51
૪૮૮ લીલોતરીનો ત્યાગ ક્યારે કરવો જોઇએ ? ૪૮૯ લીલી ભાજી વગેરે તડકે મૂક્યા સિવાય કેટલા દિવસે
સૂકવણી થાય ? ૪૯૦ લીલી કે સૂકી ગુવારફળી કાચા ગોરસ સાથે લેવાથી દ્વિદળ
થાય કે નહીં ? ૪૯૧ કાળી કે લીલી મોગરી અને દહીં દ્વિદળ ગણાય ? ૪૯૨ પાઈનેપલના પાપડ વાપરી શકાય ? ૪૯૩ દૂધીનો હલવો વનસ્પતિના ત્યાગવાળાને ચાલે ? ૪૯૪ પાકી આમલી સૂકવણીમાં ગણાય કે લીલોતરીમાં ગણાય? ૪૯૫ પ્રવચન સારોદ્ધાર ગ્રંથના અર્થાનુસાર પૂર્વ શ્રાવકોના ઘરમાં
રીંગણાનું શાક થતું હશે એને સાધુઓ વહોરતા હશે એવું
કલ્પી શકાય ? ૪૯૬ ઘી અને તેલ નિવિયાતુ ક્યારે બને ? ૪૯૭ તેલ કે ઘીથી તળેલી વસ્તુમાં એક જ વિગઈ ગણાય કે બે? ૪૯૮ શીખંડ ક્યારે અભક્ષ્ય બને ? ૪૯૯ ફાગણ ચોમાસી પછી નવા તલ પાક્યા હોય તો તે તલ
ખપે કે નહીં ? ૫૦૦ મૂળાનો કંદ જમીનમાં થાય છે જ્યારે પાંદડા તો ઉપર થાય
છે તો અભક્ષ્ય કેમ ? ૫૦૧ પતરવેલિયાના પાંદડાં અભક્ષ્ય કેમ ગણાતા નથી ? ૫૦૨ જેમ આદુને સૂકવી સૂંઠ ખવાય છે તેની જેમ બટાકાને
સૂકવીને કેમ ન ખવાય ? ૫૦૩ સાબુદાણા વનસ્પતિકાયમાંથી થતા હોવાથી પર્વતિથિમાં
વાપરી શકાય ? ૫૦૪ મેંદો રવો તાજો હોય તો ચોમાસામાં વપરાય ? ૫૦૫ સુખડીની જેમ લોટનો કાળ ગણાય ? ૫૦૬ ઘઉં ચણાદિનો લોટ પ્રથમ કરકરો દળ્યો હોય ૧૪ દિવસ
પછી બારીક દળવામાં આવે તો વધુ ૧૫ દિવસ ચાલે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org