SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૨ ૧ ૧ શંકા- ૪૮૩. ફુદીનો ક્યારે અભક્ષ્ય થાય ? સમાધાન- ફુદીનો ક્યારે ય અભક્ષ્ય થતો નથી. શંકા– ૪૮૪. ફુદીનો ફાગણ ચોમાસા પછી વાપરી શકાય ? સમાધાન– ફુદીનો ફાગણ ચોમાસી પછી પણ અભક્ષ્ય બનતો નથી, અર્થાતુ બારેમાસ ભક્ષ્ય છે. કોઈક આને (ફુદીનાને) ભાજીમાં ગણતરી કરીને ફાગણ ચૌમાસી પછી કેવી રીતે વપરાય ? એવી શંકા કરતા હોય છે પણ આ શંકા કરવી યોગ્ય નથી, કારણ કે લીલી મેથીની ભાજીનો આહાર તરીકે ઉપયોગ થતો હોય છે. જ્યારે ફુદીનાનો તો કેવળ ઔષધ તરીકે જ ઉપયોગ થાય છે. ફુદીનાના નાના નાના છોડ હોય છે, એ તુલસીની જ એક પ્રકારની જાત છે. એના પાંદડા તુલસીના પાનથી કઈક નાના અને ગોળ હોય છે. શંકા- ૪૮૫. લીમડો ફાગણ ચોમાસી પછી વપરાય ? સમાધાન– લીમડો બારે માસ વાપરવામાં અભક્ષ્યનો દોષ નથી. શંકા- ૪૮૬. કોબીના પાન એક એક છૂટા કરીને સમારવામાં આવે તો કોબી બારે માસ ખવાય ? સમાધાન- કોબી અભક્ષ્ય નથી, પણ કોબીના પાનમાં બહુ જ ઝીણાં જંતુઓ હોય છે કે જેથી એક એક પાન છુટા કરવા છતાં જંતુઓ જોવામાં ન આવે એવું બને. એથી કાયમ માટે શ્રાવકોએ કોબી ન વાપરવી જોઇએ. શંકા- ૪૮૭. કોળું અનંતકાય ગણાય ? સમાધાન– કોળાના કોળું અને ભોંયકોળું એમ બે પ્રકાર છે. તેમાં કોળું(=સ્વાદુકોળું) અનંતકાય નથી અને ભોંયકોળું અનંતકાય છે. એવું મને જાણવા મળ્યું છે. કારણ કે ભોંયકોળું ભૂમિમાં થાય છે. જૂની ગુજરાતી ભાષામાં ભૂમિને(=જમીનને) ભોંય કહેવામાં આવે છે. ભોંયમાં(=જમીનમાં) થનારું કોળું તે ભોંયકોળું, સંસ્કૃતમાં આને પૂમિદુષ્કાળું કહેવાય છે. મૂની નાતઃ સુષ્માણ્ડ: પૂમિMાપ્ત: એવી એની વ્યુત્પત્તિ છે. વર્તમાનકાળમાં સિદ્ધચક્ર પૂજનમાં મુકાતું કોળું અને શાક વગેરેમાં વપરાતું કોળું અનંતકાય નથી એમ સંભવે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy