SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન દેવવંદનમાં એ સ્તુતિ દાખલ કરી. આથી આ સિવાય અન્ય વખતે તે સ્તુતિ ન બોલવી જોઇએ. આમ છતાં કોઈ બોલે તો તેમાં દોષ નથી. સિદ્ધાચલની સ્તુતિ સિદ્ધાચલ સમક્ષ બોલવાની હોવાથી દેરાસરમાં ન બોલાય તે વધારે યોગ્ય છે. જો કે સ્થાપનાજી સમક્ષ કરાતા દેવવંદનમાં પણ આ પ્રશ્ન આવે. આમ છતાં સ્થાપનાજીમાં અરિહંતનો આકાર નથી. જ્યારે દેરાસરમાં અરિહંતનો આકાર છે. એટલે સ્થાપનાજી સમક્ષ કરાતા દેવવંદનમાં સિદ્ધાચલની સ્તુતિ બોલાય તે યોગ્ય છે અને દેરાસરમાં જિનપ્રતિમાની સમક્ષ ન બોલાય તે પણ યોગ્ય છે. આમ છતાં કોઈ બોલે તો તેમાં કોઈ દોષ નથી. શંકા- ૧૯૦. શારીરિક બીમારીના કારણે જે શ્રાવક-શ્રાવિકા જમીન ઉપર પલાઠી વાળીને બેસી શકે નહિ તે શ્રાવક-શ્રાવિકા દેરાસરમાં ખુરસી ઉપર બેસીને ચૈત્યવંદન વગેરે કરી શકે ? ઉપાશ્રયમાં ખુરસી ઉપર બેસીને સામાયિક કરી શકે ? ઘર વગેરે સ્થળે ખુરસી ઉપર બેસીને એકાસણું-આયંબિલ કરી શકે ? સમાધાન– ઉપરના કારણોસર કરી શકે પણ પોતાની બેઠક ભગવાનની બેઠકથી નીચી હોવી જોઇએ. વ્યાખ્યાન પ્રતિક્રમણમાં પણ ગુરુની બેઠકથી પોતાની બેઠક નીચી હોવી જોઇએ. શંકા- ૧૯૧. દેરાસરમાં ચૈત્યવંદન વગેરે મૂળનાયક તીર્થકરના ન બોલીએ અને બીજા તીર્થંકરના બોલીએ, આ તો રમણભાઈના ઘેર જઇને છગનભાઈના નામની બૂમો મારીએ તો બારણું કોણ ખોલે? તેના જેવું જ ન થાય શું ? સમાધાન– રમણભાઈ-છગનભાઈનું દૃષ્ટાંત અહીં ઘટી ન શકે. કેમ કે રમણભાઈ છગનભાઈના સ્વભાવ વગેરે ભિન્ન છે. જ્યારે તીર્થંકરો વીતરાગતા-કેવલજ્ઞાન વગેરે ગુણોની દૃષ્ટિએ સમાન છે. વળી રમણભાઇ-છગનભાઈ પાસે જનારનું કામ ભિન્ન-ભિન્ન હોય છે. જયારે તીર્થંકરોની સમક્ષ જનાર બધાનું કામ એક જ-મોક્ષ પામવાનું હોય છે. કોઈ પણ તીર્થકરની ભક્તિથી મોક્ષ મળી શકે છે. આમ મૂળનાયક સિવાય બીજા કોઈ પણ તીર્થકરના ચૈત્યવંદન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy