________________
શંકા-સમાધાન
૨૪૧
શંકા— ૫૭૪. તેલ વિગઇના ત્યાગમાં (તલ, સરસવ, અલસી, કુસુંબીનું તેલ એ) ચાર પ્રકારના તેલ સિવાય બાકીના વાપરી શકાય ? સમાધાન– વાપરી શકાય.
શંકા— ૫૭૫. બજા૨માં રસ્તા વચ્ચે પચ્ચક્ખાણ આપના૨-લેનાર બંને શું દોષના ભાગી બને ?
સમાધાન– બંને દોષના ભાગી બને. કારણ કે બંને અવિધિના પોષક બને છે.
શંકા- ૫૭૬. જિનમંદિરમાં પચ્ચક્ખાણ પારી શકાય કે નહિ ? સમાધાન– પચ્ચક્ખાણ સ્થાપનાજી સમક્ષ પારવું જોઇએ. તેવા વિશિષ્ટ કારણથી જિનમૂર્તિ સમક્ષ પણ પા૨ી શકાય પણ એક ઇરિયાવહિયં ઓછી ક૨વી પડે એ હેતુથી જિનમૂર્તિ સમક્ષ પચ્ચક્ખાણ ન પારી શકાય. કારણ કે જિનભક્તિ સિવાય એક મિનિટ પણ વધારે સાધુ-શ્રાવકથી દેરાસરમાં ન રહી શકાય.
શંકા— ૫૭૭. શ્રાવકોને પારિટ્ઠાવણિયા આગાર (વધેલો આહાર પરઠવવો પડે તો વાપરવાની છૂટ) ન હોય. તો પછી તેમને એકાસણા આદિનું પચ્ચક્ખાણ આપવામાં પારિકાવણિયાગારેણું કેમ બોલાય છે ?
સમાધાન– પચ્ચક્ખાણના સૂત્રનો પાઠ ખંડિત ન થાય એ માટે બોલાય છે.
શંકા- ૫૭૮. શ્રાવક “તિવિહં તિવિહેણું” એ ભાંગાથી પાપના ત્યાગનું પચ્ચક્ખાણ સર્વથા ન જ લઇ શકે ?
સમાધાન— સ્વયંભૂરમણ સમુદ્રના માછલાનું માંસ ન ખાવું ઇત્યાદિ (અસંભવિત) વિશેષ પ્રકારનું પચ્ચક્ખાણ “તિવિહં તિવિહેણું” એ ભાંગાથી લઇ શકે, પણ સામાન્યથી ન લઇ શકે. તથા આમાં બીજો પણ એક અપવાદ આ પ્રમાણે છે- ‘ગૃહસ્થ પણ પોતાના ક્ષેત્રથી(=ભરતક્ષેત્રના મધ્યખંડથી) બહારના ક્ષેત્રની અપેક્ષાએ “તિવિહં તિવિહેણું” પચ્ચક્ખાણ કરી શકે છે. અહીં તાત્પર્યાર્થ એ છે કે જે ક્ષેત્રમાં પોતાનો (વસ્તુની આપ-લે કરવી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org