________________
૩૨
શંકા-સમાધાન કરે છે એનાથી જ સમજી શકાય છે કે એ આજ્ઞાથી નિરપેક્ષ છે. અલબત્ત, કોઈ કોઈ જીવો અજ્ઞાનતાના કારણે આવું કરતા હોય છે. પણ એ અવિધિ તો છે જ. આથી બીજા સમજુ જીવોએ આવી અવિધિ બંધ કરાવવી જોઇએ. અજ્ઞાનતાના કારણે આવું કરનારા સમજવા મળે તો તરત જ વિધિ મુજબ કરનારા બની જાય. શંકા- ૮૨. કાળાં કપડા પહેરીને પ્રભુ પૂજા કરી શકાય ?
સમાધાન– ન કરી શકાય. કારણ કે શુભ વસ્ત્ર પહેરીને પૂજા કરવાનું વિધાન છે. કાળાં વસ્ત્રો લોકમાં અશુભ ગણાય છે.
શંકા- ૮૩. મહોત્સવ પ્રસંગે મંદિર કે મંડપમાં કાળાં વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવાનો નિષેધ કરાય છે તેનું કારણ શું છે ?
સમાધાન- લોકમાં કાળો કલર અશુભ ગણાય છે. તેથી જ વ્યવહારમાં “અમુકે આવાં કાળાં કામો કર્યા” એમ ખોટાં કામોને કાળાં વસ્ત્રો પહેરીને પ્રવેશવાનો નિષેધ કરાય છે, પણ તાત્ત્વિક દષ્ટિએ કાળાં વસ્ત્રો પહેરીને પ્રવેશવાની મનાઈ છે એનો અર્થ “કાળાં કામો કરીને એ કાળાં કામોને છુપાવવા માટે પ્રવેશવાની મનાઈ છે' એવો પણ કરી શકાય.
શંકા- ૮૪. પૂજા અને સામાયિકનાં વસ્ત્રો જીર્ણ થયા પછી તેનું શું કરી શકાય ?
સમાધાન– બીજા કોઈ પણ કામમાં આ વસ્ત્રોનો ઉપયોગ કરી શકાય અથવા પરઠવી શકાય. પરઠવવાનો વિધિ રૂબરૂ સાધુ ભગવંતો પાસેથી જાણી લેવો.
શંકા- ૮૫. જિનપૂજામાં સાત પ્રકારની શુદ્ધિ રાખવાનું કહ્યું છે, એ સાત પ્રકારની શુદ્ધિ કઈ છે ?
સમાધાન– શ્રાવકે જિનપૂજામાં ધનની, વસ્ત્રની, ક્ષેત્રની, મનની, વચનની, કાયાની અને પૂજાનાં ઉપકરણોની એમ સાત પ્રકારની શુદ્ધિઓ પાળવી જોઇએ. (૧) ધનશુદ્ધિ– ધન અનીતિ આદિથી કે અનુચિત ધંધાથી મેળવેલું
ન હોવું જોઇએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org