SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ શંકા-સમાધાન કરનાર માટે પછી ચોમાસી-પખી મુહપત્તિ કરવી જરૂરી ગણાય? વિગતવાર ખુલાસો કરવા વિનંતી. સમાધાન કોઈ પણ પ્રતિક્રમણ ગુરુની-આચાર્યની સાથે કરવાનું છે. એથી જેણે સવારનું પ્રતિક્રમણ ગુરુની સાથે ન કર્યું હોય તેણે ગુરુની=આચાર્યની પાસે રાઈ મુહપત્તિ કરવી જોઈએ તેવી આચરણા છે. તે જ રીતે જેણે ગુરુની સાથે પકખી, ચોમાસી કે સંવત્સરી પ્રતિક્રમણ ન કર્યું હોય તેણે ગુરુની પાસે પફખી, ચોમાસી કે સંવત્સરી મુહપત્તિ કરવી જોઈએ એવી આચરણા છે. તેમાં કોઈક સમુદાયમાં પફખી મુહપત્તિનો વિધિ આ પ્રમાણે છે(૧) પહેલાં રાઈ મુહપત્તિની વિધિ પ્રમાણે રાઈ મુહપત્તિના પડિલેહણથી માંડી અભુઢિઓ ખામવા સુધીનો વિધિ કરવો. માત્રા છેલ્લા બે વાંદણા, પચ્ચકખાણ લેવાનું બાકી રાખવું. (૨) પછી પખી મુહપત્તિ પડિલેહવાના આદેશથી માંડીને સબસ્સવિ સુધી રાઈ મુહપત્તિ પ્રમાણે જ વિધિ કરવો. રાઈના સ્થાને પફખી શબ્દ કહેવો. પછી ઈચ્છકારી ભગવત્ પસાય કરી પફખી તપ પસાય કરશોજી વગેરે કહેવું. પછી પકુખી અબૂઢિઓ ખામવો. અહીં પફખી મુહપત્તિની વિધિ પૂર્ણ થાય છે. (૩) હવે રાઇ મુહપત્તિની વિધિના છેલ્લા બે વાંદણા આપીને ઈચ્છકારી ભગવદ્ ! પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી એમ કહીને પચ્ચકખાણ કરવું. પછી બહુવેલના બે આદેશ માગીને મિચ્છા મિ દુક્કડું કહેવું. અહીં પકુખી મુહપત્તિની વિધિ પૂર્ણ થઈ. કોઈક સમુદાયમાં પફખી મુહપત્તિની વિધિ આ પ્રમાણે છે(૧) પહેલાં રાઈ મુહપત્તિની વિધિ પ્રમાણે રાઈ મુહપત્તિના પડિલેહણથી આરંભી સબ્યસ્સ વિ સુધીનો વિધિ કરવો. બે વાંદણા, અભુઢિઓ અને બે વાંદણા આટલું બાકી રાખવું. (૨) પછી પફખી મુહપત્તિ પડિલેહવાના આદેશથી માંડીને સવ્વસ વિ સૂત્ર સુધી રાઈ મુહપત્તિ પ્રમાણે જ વિધિ કરવો. રાઈના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy