SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૧૦૫ ટિકિટથી પણ કઈ ગણા ચઢી જાય, તેવા ભયંકર દોષવાળા જૈનશાસનને મોટી હાનિ પહોંચાડનારા મુદ્દાઓ છે. ૨૬00મા જન્મવર્ષ નિમિત્તે રાષ્ટ્રીય સ્તરની ઉજવણીમાં થનારા શાસનના મહાનુકસાનને આપણે ન રોકી શકીએ, તો પ્રાણના ભોગે પણ શાસનરક્ષા કરનારા મહાપુરુષોને યાદ કરીને તેમના એ કાર્યની ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ તથા શાસનરક્ષા ન કરી શકવા બદલ આપણી જાતને હૃદયથી ધિક્કારીએ, તો પણ તેટલા અંશે સારું ગણાય. શંકા- ૨૪૩. જેમાં ભગવાનની મૂર્તિ વગેરે હોય કે સાધુભગવંતની મૂર્તિ વગેરે હોય તેવા છોડ બાંધીને તેની નીચે તપસ્વી બેસીને પારણું કરી શકે ? અથવા તપ નિમિત્તે રાખેલી સાંજીમાં એવા છોડની નીચે બેસી શકે ? સમાધાન– ન બેસી શકે. કારણ કે ભગવાન વગેરેને પૂંઠ થાય. ભગવાન વગેરેને પૂંઠ કરીને બેસવું એ આશાતના છે. આમ છતાં આશાતનાના કારણે તપસ્વીઓ આવી આશાતના કરતા હોય છે. ભગવાન, જ્ઞાન અને સાધુ-સાધ્વી સિવાય બીજા કોઈ સ્થાને છોડનો ઉપયોગ ન કરી શકાય. શંકા- ૨૪૪. શ્રી મહાવીર સ્વામીના કુલ સાધુ ૧૪ હજાર હતા. તેથી શ્રી ગૌતમ સ્વામીના પ૦ હજાર શિષ્યો હતા એ વાત શી રીતે ઘટે ? સમાધાન- શ્રી મહાવીર સ્વામીના ૧૪ હજાર શિષ્યો હતા એ પોતાના શિષ્યો સમજવા, પ્રશિષ્યો નહિ. આથી શ્રી ગૌતમ સ્વામીના ૫૦ હજાર શિષ્યો હતા એ ઘટી શકે છે. શંકા- ૨૪૫. શ્રી ઋષભદેવ ભગવાનના કુલ સાધુ ૮૪,૦૦૦ હતા. આચાર્ય શ્રી પુંડરીક સ્વામી ૫ ક્રોડની સાથે મુક્તિમાં ગયા એ વાતનો મેળ કેવી રીતે બેસે ? સમાધાન ઋષભદેવ સ્વામીના કુલ ૮૪ હજાર સાધુઓ હતા એ ઋષભદેવના પોતાના શિષ્યો સમજવા, પ્રશિષ્યો નહિ. પ્રશિષ્યો તો ક્રોડોની સંખ્યામાં હતા. આથી શ્રી પુંડરીક સ્વામી ૫ ક્રોડની સાથે મુક્તિમાં ગયા એમાં કોઈ વિરોધ નથી. શ્રી પુંડરીકા નહિ. માતા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy