________________
શંકા-સમાધાન
૧૮૫
ઉ.૮ કાઉસ્સગ્ગના સમય પહેલાં જોગમાં પ્રવેશ થઇ ગયો હોવાથી કરી શકાય. પણ આગળના નવા સૂત્રના જોગમાં
તે
સૂત્રના જોગ પૂરા પ્રવેશ ન કરી શકાય.
૩.૯ ઉત્સર્ગથી તો આ ત્રણ વિકલ્પોમાંથી એક પણ વિકલ્પમાં કલ્પસૂત્ર વગેરે ન વાંચી શકાય. અપવાદથી તો નીચે પ્રમાણે ક્રમ રાખવો યોગ્ય જણાય છે.
(૧) પહેલા નંબરમાં જોગી હોય અને કાઉસ્સગ્ગ ન કર્યો હોય તે વાંચી શકે.
(૨) બીજા નંબરમાં જોગી ન હોય તો પણ કાઉસ્સગ્ગ કર્યો હોય તે વાંચી શકે.
(૩) ત્રીજા નંબરમાં જોગી ન હોય અને કાઉસ્સગ્ગ પણ ન કર્યો હોય તે પણ વાંચી શકે.
આ બધી (૧ થી ૯ સુધીની) વિગત સામાન્યતયા જણાવી છે. વિશેષથી તો ગીતાર્થ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સૂક્ષ્મદૃષ્ટિથી જોઇને જે યોગ્ય લાગે તે કરી શકે. લાભ-હાનિનો સૂક્ષ્મદ્રષ્ટિથી વિચાર કરીને જેમાં લાભ હોય તેવી પ્રવૃત્તિ કરવાની ગીતાર્થને છૂટ છે. આ વિષે ઉપદેશમાળામાં કહ્યું છે કે
तम्हा सव्वणुन्ना सव्वनिसेहो य पवयणे नत्थि
आयं वयं तुलिज्जा, लाहाकंखीव्व वाणियओ || ३९२ || “તેથી જિનશાસનમાં સર્વકાર્યની એકાંતે અનુજ્ઞા નથી, સર્વ કાર્યોનો એકાંતે નિષેધ નથી=અમુક કાર્ય ન જ કરવું એવો એકાંતે નિષેધ નથી. કારણ કે જિનશાસન સ્યાદ્વાદરૂપ છે. તેથી લાભની આકાંક્ષાવાળા વિણકની જેમ સાધુએ આય(=જ્ઞાનાદિના લાભ) અને વ્યય(=જ્ઞાનાદિની હાનિ) એ બંનેની તુલના કરીને જેમાં લાભ દેખાય તે કાર્ય કરવું.”
હા, આમાં ક્યાંય મહત્ત્વાકાંક્ષા વગેરે પોષવાની વૃત્તિ ન હોવી જોઇએ. જરા પણ દંભ ન હોવો જોઇએ. સરળતા હોવી જોઇએ.
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International