SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ શંકા-સમાધાન યોગ્ય જણાય છે. જો તિવિહારનું પચ્ચખાણ બપોરે ન કર્યું હોય, તો સાધુ મહાત્મા સાંજે ચઉવિહારનું અને શ્રાવક તો પોતાની ભાવના પ્રમાણે તિવિહાર કે ચઉવિહારનું પચ્ચક્ખાણ લે એમ જણાય છે. શંકા- પ૬૫. એકાસણું-બિયાસણું ન કરનાર છૂટો શ્રાવક ગરમ પાણી પીતો હોય તો તે રાતે તિવિહાર-દુવિહાર કરી શકે કે ચોવિહાર જ કરી શકે ? સમાધાન- અચિત્ત-ગરમ પાણી પીનાર શ્રાવકે રાતે ચોવિહાર પચ્ચક્ખાણ કરવું જોઇએ તેવી પરંપરા છે. (સનપ્રશ્ન ઉ. ૩પ્રશ્ન ૮૫૦) શંકા- પ૬૬. જે શ્રાવકો દરરોજ પાણસ્સી વગેરે પચ્ચખાણ પૂર્વક ઉકાળેલું પાણી વાપરતા હોય અને નવકારશી વગેરે છૂટું પચ્ચખાણ કરતા હોય તે શ્રાવકોએ રાતે ચોવિહાર કરવો જોઈએ કે તિવિહાર પણ કરી શકે ? સમાધાન- આવા શ્રાવકોએ મુખ્યતયા રાતે ચોવિહારનું જ પચ્ચકખાણ કરવું જોઈએ. પણ તેવા કોઈ શારીરિક અનિવાર્ય કારણથી તિવિહાર પણ કરી શકે. ઉકાળેલું પાણી રાતે જયાં સુધી ઉકાળેલા પાણીનો કાળ પહોંચતો હોય ત્યાં સુધી જ વાપરી શકાય તે ધ્યાનમાં રાખવું. (સેનપ્રશ્ન ૨-૧૮૭). શંકા- પ૬૭. ચોવિહાર કરવા માટે સૂર્યાસ્તથી ૪૮ મિનિટ પહેલાં આહાર-પાણીનો ત્યાગ કરવો જ પડે ? સમાધાન જૈન ધર્મમાં ઉત્સર્ગ(=મુખ્ય) માર્ગ અને અપવાદ માર્ગ એમ બે માર્ગ છે. એટલે જેનામાં શક્તિ હોય તેણે સૂર્યાસ્તથી ૪૮ મિનિટ પહેલાં આહાર-પાણીનો ત્યાગ કરવો જોઇએ. યોગશાસ્ત્રમાં કહ્યું છે કે “રાત્રિભોજનના દોષોનો જાણકાર પુણ્યવંત આત્મા દિવસની પહેલી અને છેલ્લી બે ઘડી છોડીને શેષ ભાગમાં ભોજન કરે.” આ ઉત્સર્ગ માર્ગ છે, પણ બધા જીવો ઉત્સર્ગ માર્ગે ચાલવા સમર્થ ન હોય એથી જેનાથી સૂર્યાસ્તથી ૪૮ મિનિટ પહેલાં આહારપાણીનો ત્યાગ ન થઈ શકે તે અપવાદથી સૂર્યાસ્ત પહેલાં આહારપાણીનો ત્યાગ કરીને ચોવિહાર કરી શકે. જે ચોવિહાર કરવા પણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy