SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન સ્પર્શી શકાય નહિ. ચંદન-કેસર પૂજા ભગવાનને સ્પર્શીને કરવાની હોય છે. આથી ચંદન-કેસર પૂજા સ્નાન કરીને પૂજા માટે અલાયદા રાખેલાં વસ્ત્રો પહેર્યા વિના ન થઇ શકે. વાસક્ષેપ પૂજામાં ભગવાનને સ્પર્શ ક૨વાનો હોતો નથી=સ્પર્શ કર્યા વિના વાસક્ષેપ પૂજા થઇ શકે છે. આથી સામાયિક-પ્રતિક્રમણના વસ્ત્રો પહેરીને ખેસથી મુખ બાંધીને ભગવાનને અડ્યા વિના વાસક્ષેપ પૂજા કરી શકાય. આથી સ્નાન કર્યા સિવાય ગભારામાં પ્રવેશ ન કરવો એનો અર્થ એ છે કે વાસક્ષેપ પૂજા વગેરે મહત્ત્વનાં કાર્ય સિવાય સ્નાન કર્યા વિના ગભારામાં પ્રવેશ ન કરવો એવો અર્થ છે. જો “સ્નાન કર્યા વિના ગભારામાં પ્રવેશ ન કરવો' એવું બોર્ડ ન હોય તો લોકો ગમે ત્યારે ગમે તે રીતે ગભારામાં પ્રવેશ કરે અને એવું થાય તો ભગવાનની આશાતના થાય. આમ સ્નાન કર્યા સિવાય ગભારામાં પ્રવેશ ન કરવો એવું બોર્ડ પણ બરોબર છે અને સ્નાન કર્યા સિવાય પ્રતિક્રમણના કપડામાં ગભારામાં જઇને વાસક્ષેપથી પૂજા થાય એ પણ બરોબર છે. મૂળવિધિ પ્રમાણે સવારે વાસક્ષેપ પૂજા કરવાની છે, અષ્ટપ્રકારી પૂજા નહિ. અષ્ટપ્રકારી પૂજા મધ્યાહ્ન સમયે ક૨વાની છે. શંકા- ૧૬. મુખકોશ બાંધીને પછી ગભારામાં પ્રવેશ કરવો કે ગભારામાં પ્રવેશીને પછી મુખકોશ બાંધવો ? સમાધાન– આ વિષે શ્રાદ્ધદિન કૃત્ય ગ્રંથની ૫૭મી ગાથામાં આ પ્રમાણે લખ્યું છે- શ્રાવક નિસીહિ બોલીને ગભારામાં પ્રવેશ કરે. પછી મુખકોશ બાંધવો વગેરે વિધિથી પૂજા કરે. શંકા ૧૭. ભગવાનના પબાસન ઉપર ચડીને પૂજા કરવી એ યોગ્ય છે ? સમાધાન– પબાસન ઉપર ચડી પૂજા કરવી યોગ્ય નથી. નાના બાળકો વગેરે પૂજા કરી શકે એ માટે ટેબલ વગેરેની ગોઠવણ કરી શકાય. શંકા- ૧૮. શ્રાવક માટે સવારે વાસક્ષેપ, બપોરે અષ્ટપ્રકારી, સાંજે ધૂપ-દીપાદિ પૂજાનું વિધાન છે. તો શ્રાદ્ધદિન કૃત્ય આદિ ગ્રંથોમાં દિનચર્યા વિભાગમાં સવારે નમસ્કાર મહામંત્રનો પાઠ વગેરે For Personal and Private Use Only www.jainelibrary.org Jain Educationa International
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy