SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૪૩ અયોગ્ય હોય તો દૂધ-ઘી વગેરેની ચોરી પણ કરે. ટ્રસ્ટીઓએ આ અંગે પૂરું ધ્યાન આપવું જોઇએ. પૂજનારા ઓછા હોય તો પ્રતિમાઓ વધારવી ન જોઇએ? શંકા- ૧૦૯. ગભારામાં પ્રતિમાજી એકી સંખ્યાવાળી જ જોઇએ એવો નિયમ છે ? સમાધાન– ગભારામાં પ્રતિમાજી એકી સંખ્યાવાળી જ જોઇએ એવો કોઈ શાસ્ત્રપાઠ મારા જાણવામાં આવ્યો નથી. શંકા- ૧૧૦. ચતુર્મુખ જિનાલયમાં પ્રતિમા તીર્થંકરની હોય કે સિદ્ધ ભગવંતની હોય ? તેમાં જે ધજા ચડે તે તીર્થકર અવસ્થાને અનુલક્ષીને હોય કે સિદ્ધ અવસ્થાને અનુલક્ષીને ? સમાધાન- ચતુર્મુખ જિનાલયમાં તીર્થકર કે સિદ્ધ ભગવંત એ બેમાંથી કોઈની પણ પ્રતિમા રાખી શકાય. જો મૂળનાયકની પ્રતિમા તીર્થકર અવસ્થાની હોય તો ધજા તીર્થકર અવસ્થાને અને સિદ્ધ ભગવંતની અવસ્થાની હોય તો સિદ્ધ અવસ્થાને અનુલક્ષીને ધજા ચડાવવી જોઇએ. શંકા- ૧૧૧. જિનમંદિરનો જીર્ણોદ્ધાર થાય ત્યારે જિનમંદિરમાં પ્રવેશ કરવાનો મુખ્ય દરવાજો ભગવાનના મૂળગભારાની સામે લેવામાં આવે છે, જેથી ભગવાનની દષ્ટિ સીધી રોડ ઉપર પડે. શું આ બરોબર છે ? સમાધાન– એ બરોબર છે. શિલ્પશાસ્ત્રની દષ્ટિએ ભગવાનની દૃષ્ટિ રોડ ઉપર પડે એ શ્રેષ્ઠ ગણાય છે. શંકા- ૧૧૨. આજકાલ નવી ઘડાયેલી પ્રતિમાજીઓને પણ ફક્ત બે એક વર્ષમાં જ ઓપ આપવાના બહાને ઘસવાનું ચલણ વધતું જાય છે. આ શાસ્ત્રોક્ત છે ? સમાધાન- ઓપ આપ્યા વિના પણ જો પ્રતિમાજી સુશોભિત હોય તો ઓપ આપવા પ્રતિમાજીને ઘસવી એ યોગ્ય જણાતું નથી. કારણ કે તેમ કરવાથી પ્રતિમાજી જલદી વિનાશ પામે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy