SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ શંકા-સમાધાન સમાધાન– જો પાંચમની થાય આવડતી હોય તો સંસ્કૃત જ બોલવી એવો નિયમ નથી. ગુજરાતી હોય પણ ચાલે. બાકી સંસ્કૃત થોય બોલાય તો વધુ સારું. શંકા- ૩૭૧. આઠમના દિવસે પ્રતિક્રમણમાં સંસાર દાવાનલની થોય જ બોલવી પડે ? કે બીજી બોલે તો ચાલે ? સમાધાન- આઠમના દિવસે પ્રતિક્રમણમાં સંસાર દાવાનલની સ્તુતિ બોલવી જોઈએ. બીજી બોલે તો ન ચાલે. પણ આઠમના દિવસે સાધુ-સાધ્વીજીઓ વિહાર કરીને આવ્યા હોય તો એ માંગલિક પ્રતિક્રમણમાં “કલ્યાણકંદ થાય બોલવાની આચરણા છે. શંકા- ૩૭૨. પ્રતિક્રમણ એ છ આવશ્યક રૂપ છે, તો પુફખરવર દીવઢ અને સિદ્ધાણં બુદ્ધાણે એ સૂત્ર કયા આવશ્યકમાં ગણાય? સમાધાન- આ સૂત્રોનો કાયોત્સર્ગ આવશ્યકમાં સમાવેશ થાય છે એમ જણાય છે (એનપ્રશ્ન ઉલ્લાસ ૧. પ્ર.૩) શંકા- ૩૭૩. સાંજના પ્રતિક્રમણ કર્યા પછી દહેરાસરમાં જિનદર્શન કરવા જવાય કે નહિ ? સમાધાન- મૂળવિધિ તો સાંજે જિનદર્શન-વંદન કર્યા બાદ પ્રતિક્રમણ કરવાની છે. આમ છતાં કોઈ કારણથી પ્રતિક્રમણ પહેલાં જિનદર્શન ન કર્યા હોય તો અપવાદથી પ્રતિક્રમણ પછી પણ જિનદર્શન કરી શકાય. શાસ્ત્રમાં કોઈ વિધાન ઉત્સર્ગથી હોય છે, તો કોઈ વિધાન અપવાદથી હોય છે. શ્રાવકો માટે જિનપૂજાનું વિધાન ઉત્સર્ગથી આ પ્રમાણે છે- શ્રાવકે સવાર-બપોર-સાંજ એમ ત્રિકાળ પૂજા કરવી જોઇએ. તેમાં સવારે વાસક્ષેપ પૂજા, બપોરે (મધ્યાહ્નકાળ) અષ્ટપ્રકારી પૂજા અને સાંજે ધૂપ-દીપ પૂજા કરવી જોઇએ. જેનાથી આ રીતે ત્રિકાળ પૂજા ન થઈ શકે તો શું કરવું ? આ અંગે અપવાદ બતાવતાં ધર્મસંગ્રહ વગેરે ગ્રંથોમાં કહ્યું છે કે “ત્રણ વખત પૂજા ન થઈ શકે તો બે વખત અને છેવટે એક વખત પણ પૂજા કરે.” ઉત્સર્ગથી તો અષ્ટપ્રકારી પૂજા મધ્યાલે કરવાનું વિધાન છે. ધંધા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy