________________
શંકા-સમાધાન
૨૫૨
સંપદાઓ. આમ ૫+૩=૮ સંપદાઓ) એક એક આયંબિલથી ભણવાનું જણાવ્યું છે. આ દૃષ્ટિએ ઉપરનો અર્થ બરાબર જણાય છે. શંકા- ૬૦૦. ઉપધાન આદિમાં આગલા દિવસે આવેલું દૂધ બીજા દિવસે ગરમ કરીને નીવિમાં આપી શકાય ?
સમાધાન– ન આપી શકાય. કારણ કે વાસી થયેલું દૂધ ગરમ કરવાથી તેમાં રહેલા ત્રસ જીવોની વિરાધના થાય. શાસ્ત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે વાસી ૨હેલા પાણીવાળા ખાદ્ય પદાર્થોમાં ત્રસ જીવોની ઉત્પત્તિ થાય છે.
શંકા- ૬૦૧. ઉપધાનની આરાધનામાં વહેલી સવારે સ્થંડિલની શંકા થાય ત્યારે દિવસ ન પડે એ માટે ક્રિયા સૂર્યોદયથી એક કલાક પહેલાં કરાવી શકાય ?
સમાધાન– આવા સમયે ગીતાર્થ ગુરુભગવંત જેમ યોગ્ય લાગે તેમ કરે.
રાત્રિભોજન સંબંધી શંકા-સમાધાન
શંકા- ૬૦૨. રાત્રિભોજનનો ત્યાગ ન થઇ શકે તો તેના પ્રાયશ્ચિત્તરૂપે શું કરવું ?
સમાધાન– રાત્રિભોજનનો ત્યાગ ન થઇ શકે ત્યાં સુધી મીઠાઇ ન ખાવી અથવા અમુક મીઠાઇ ન ખાવી અથવા અમુક ફળો ન ખાવા વગેરે ત્યાગ કરી શકાય અથવા દ૨૨ોજ સાત ક્ષેત્રમાં આટલું ધન વાપરવું એવો પણ નિયમ કરી શકાય.
શંકા- ૬૦૩. ભગવંતના માતા-પિતા બનનારા બીજે દિવસે રાત્રિભોજન કરે એ યોગ્ય ગણાય ? આવાઓ પૈસાના બળે માતા-પિતા બની સાધારણ યોગ્ય વ્યક્તિને એથી દૂર રાખે એ યોગ્ય કે અયોગ્ય ?
સમાધાન– ભગવંતના માતા-પિતા બનનારા બીજે દિવસે રાત્રિભોજન કરે એ યોગ્ય ન ગણાય. માતા-પિતાની બોલી બોલાવતાં પહેલાં માતા-પિતા બનવાની યોગ્યતા, માતા-પિતા બન્યા પછી જીવનમાં શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ વગેરે
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International