SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૧૩૭ ત્યારે પણ બધા જ આદેશો માગવા જોઇએ. ફેર એટલો જ છે કે પહેલા સામાયિકમાં સ્વાધ્યાય હવે શરૂ કરવાનો હોવાથી “સજઝાય કરું ?’’ એવો આદેશ મગાય છે. બીજા-ત્રીજા સામાયિકમાં સ્વાધ્યાય શરૂ થઇ ગયો હોવાથી “સઝાયમાં છું” એવો આદેશ મગાય છે અને પછી એક નવકાર ગણાય છે. શંકા- ૨૯૩. સામાયિક લેવાની વિધિ ન આવડતી હોવાથી ત્રણ નવકા૨ ગણીને સામાયિક સ્વરૂપે ૪૮ મિનિટ બેસવાનો સંકલ્પ કરે તેમાં વચ્ચે કામ આવી જાય એથી ૪૮ મિનિટ પહેલાં ઉઠી જાય તો સામાયિક ભાંગે ? સમાધાન– સામાયિકનો સંકલ્પ ભાંગે. શંકા— ૨૯૪. શ્રાવક સામાયિકમાં હોય, ચરવળો પાસે ન હોય, ત્યારે પૂ. સાધુ-સાધ્વીજી ભગવંત ગોચરી માટે પધારે, તો શ્રાવક ઊભા થઇ વંદન કરી શકે ? વહોરાવી શકે ? મૌન સામાયિકમાં લાભ આપો એમ કહી (બોલી) શકે ? સમાધાન– સામાયિકમાં ચરવળા વિનાનો શ્રાવક ગોચરી માટે પધારેલા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતને ઊભા થઇને વંદન કરી શકે નહિ. ઊભા થઇને વહોરાવી શકે નહિ. મૌન સામાયિકમાં ‘લાભ આપો' એમ કહી શકાય નહિ. શંકા— ૨૯૫. ગૃહસ્થ સામાયિક-પૌષધમાં હોય તો ગુરુપૂજન કરી શકે ? સમાધાન– ન કરી શકે. સામાયિક-પૌષધમાં રહેલ ગૃહસ્થ સાધુ સમાન છે. જેમ સાધુથી દ્રવ્યપૂજા ન થાય તેમ સામાયિક-પૌષધમાં રહેલ ગૃહસ્થથી દ્રવ્યપૂજા રૂપ ગુરુપૂજન ન થાય. શંકા— ૨૯૬. સામાયિક-પૌષધમાં ગુરુપૂજન-જ્ઞાનપૂજન કે પ્રતિમાજીને વાસક્ષેપ પૂજા થઇ શકે ? સમાધાન ન થઇ શકે. સામાયિક-પૌષધમાં ભાવપૂજા જ ક૨વાની હોવાથી ગુરુપૂજન-જ્ઞાનપૂજન કે પ્રતિમાજીને વાસક્ષેપ પૂજા ન થઇ શકે. આ વિષે સેનપ્રશ્ન ગ્રંથમાં ત્રીજા ઉલ્લાસના ૫૧૮ મા For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy