SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૨ ૧. શંકા- પ૩. કોઈ વ્યક્તિ ભગવાનની આંગી શોભાવવા માટે દાગીના ચડાવે, ફક્ત શોભાના આશયથી દાગીના ચડાવે, તો આંગી ઉતાર્યા પછી એ દાગીના પોતે વાપરી શકે ? સમાધાન– ફક્ત શોભા માટે આ દાગીના હું ભગવાનને ચડાવું છું, આંગી ઉતાર્યા પછી હું વાપરીશ, આવા આશયથી (=સંકલ્પથી) આંગી માટે ભગવાનને દાગીના ચડાવે તો આંગી ઉતાર્યા પછી પોતે દાગીના વાપરી શકે છે, એ માટે દાગીનાની રકમ દેવદ્રવ્યમાં આપવી ન પડે. જો આવા આશય વિના જ ભગવાનની આંગી માટે દાગીના ચડાવે તો પછી એ દાગીના પોતાનાથી વાપરી શકાય નહિ. શંકા- ૫૪. આજે કોઈ કોઈ આરાધકો જિનપૂજામાં પ્રભુજીની અંગરચના કરવામાં હાર વગેરે આભૂષણ પહેરાવે છે. પછી તે હાર વગેરે પોતાના ઘરે લઈ જાય છે, તો આવું કરી શકાય ? સમાધાન– જો હાર વગેરે પ્રભુભક્તિ માટે જ બનાવ્યો હોય, તો આવું કરવું ન કહ્યું. પણ પોતાના ઉપયોગ માટે બનાવ્યો હોય, તો એનો પ્રભુભક્તિમાં થોડો સમય ઉપયોગ કરીને પછી ઘરે લઈ જઈ શકે છે, પણ તે હાર વગેરે એકવાર પણ પોતાના માટે ઉપયોગ કરેલ ન હોવો જોઇએ. આ અંગે સ્પષ્ટતા માટે (એનપ્રશ્ન ગ્રંથ ઉલ્લાસ-૩ પ્ર.૧૬ ૮) જુઓ. શંકા– ૫૫. પ્રભુજીના ચક્ષુ-ટીકા વગેરે ઉખડી ગયા હોય, તો કયું દ્રવ્ય કંઈ રીતે મેળવીને તે ટીકાદિ ચોંટાડી શકાય ? સમાધાન– ઘી નાંખીને રાળને ગરમ કરીને પછી તે રાળ દ્વારા ચક્ષુ અને ટીકાદિ પ્રભુના અંગે ચોંટાડી શકાય. શંકા- પ. પરમાત્માની અંગરચનામાં મખમલનો ઉપયોગ કરી શકાય ? સમાધાન – પરમાત્માની અંગરચના ઉત્કૃષ્ટ દ્રવ્યોથી કરવી જોઇએ. મખમલ ઉચ્ચ પ્રકારનું કાપડ ગણાય છે. આથી અંગરચનામાં મખમલનો ઉપયોગ કરવામાં બાધ જણાતો નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy