SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૧૭પ સમાધાન થઈ શકે. જે શ્રાવક-શ્રાવિકાઓ દરરોજ પ્રતિક્રમણ કરતા હોય પણ આવા સંયોગોમાં કરેમિ ભંતે ઉચ્ચારી શકાય તેમ ન હોય તેથી તે શ્રાવકો કરેમિ ભંતે ઉચ્ચર્યા વિના પ્રતિક્રમણની સામાયિક લેવા-પારવા સિવાયની બધી ક્રિયા કરી શકે છે. એ રીતે પણ પશ્ચાત્તાપ દ્વારા પ્રતિક્રમણનો હેતુ સિદ્ધ થાય છે. પરંતુ જેને છ આવશ્યક કરવાનો નિયમ હોય, એ આ રીતે પ્રતિક્રમણથી સંતોષ માની શકે નહિ. આ રીતે પ્રતિક્રમણ કર્યું હોય, તો પ્રતિક્રમણ રહી ગયાનું પ્રાયશ્ચિત્ત એણે લેવું જોઈએ. શંકા- ૩૭૬. ચાલુ પ્રતિક્રમણમાં વચ્ચે ક્રિયાનાં સૂત્રોના અર્થ અને ક્રિયાનો ભાવાર્થ સમજાવી શકાય કે નહિ ? સમાધાન- ચાલુ પ્રતિક્રમણમાં વચ્ચે વચ્ચે ક્રિયાનાં સૂત્રોના અર્થ અને ક્રિયાનો ભાવાર્થ ન સમજાવી શકાય. એનાથી અવિધિ થાય. શ્રાવકોને પ્રતિક્રમણ કરવાની ભાવના થાય અને ઉલ્લાસથી પ્રતિક્રમણ કરે એ માટે વ્યાખ્યાનમાં ક્રિયાનાં સૂત્રોના અર્થ અને ક્રિયાનો ભાવાર્થ સમજાવી શકાય. સાંવત્સરિક પ્રતિક્રમણમાં ક્યારેક ઉપાશ્રયમાં ન આવનારા પણ આવતા હોય છે. એમને વાંદણા કેમ આપવા અને મુહપત્તિનું પડિલેહણ કેમ કરવું વગેરેનો જરાય ખ્યાલ હોતો નથી. આથી એવા લોકોને વાંદણા આદિની વિધિનું અને એના રહસ્યનું જ્ઞાન થાય એ માટે પ્રતિક્રમણ શરૂ થયા પહેલા સમજ આપવી જરૂરી ગણાય. તેમ કરવામાં કોઈ દોષ નથી, બલ્ક લાભ છે. પણ પ્રતિક્રમણ શરૂ થયા પછી વચ્ચે સમજાવવાથી અવિધિ થાય. શંકા- ૩૭૭. શ્રી જીવવિજયજી મહારાજે સકલતીર્થની રચના શા માટે કરી અને રાઈ પ્રતિક્રમણની વિધિમાં તેનો ઉમેરો શા કારણે થયો ? તથા શ્રી જીવવિજયજી મહારાજ ક્યારે થઈ ગયા ? સમાધાન- વિચારતાં જણાય છે કે શ્રી જીવવિજયજી મહારાજે ભક્તિભાવથી પ્રાચીન ગાથાઓના આધારે સકલતીર્થની રચના કરી હતી. એ રચના પ્રભુને વંદન કરવામાં ભાવોલ્લાસ જગાડનારી બની. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy