SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન પ્રભાવના થાય. અનેક જીવો બોધિબીજ પામી જાય. અનેક જીવો બોધિબીજ પામે એનાથી રૂડું બીજું શું હોય ? શંકા- ૧૮૩. નૈવેદ્ય પૂજામાં નૈવેદ્ય અને ફળપૂજામાં ફળ કેવા ન મૂકાય ? સમાધાન– અભક્ષ્ય નૈવેદ્ય અને અભક્ષ્ય ફળ ન મૂકાય. બજારની મીઠાઈ, કાળ વીતી ગયા પછીની મીઠાઈ અભક્ષ્ય હોવાથી નૈવેદ્ય પૂજામાં ન મૂકાય. ચોકલેટ ન મૂકાય. આદ્રા નક્ષત્ર પછી કેરી કે રાયણ ન મૂકાય. ચણીબોર તુચ્છ ફળ હોવાથી ન મૂકાય. શંકા- ૧૮૪. દેરાસરમાં ફળ-નૈવેદ્ય ચઢાવવાથી કીડી-મંકોડા થાય છે. આથી ફળ-નૈવેદ્ય ચઢાવવા કરતાં પૈસા મૂકવા યોગ્ય છે? સમાધાન- ફળ-નૈવેદ્યના સ્થાને પૈસા મૂકવા યોગ્ય નથી. ફળનૈવેદ્ય મૂકીને જે ભાવના ભાવવાની હોય છે, તે પૈસા મૂકીને ભાવી શકાય નહિ. કીડી-મંકોડા થતા હોય તો કીડી-મંકોડા ન થાય તેનો ઉપાય કરવો જોઇએ. કપડામાં જૂ થાય તેથી કપડા કાઢી ન નંખાય, પણ જૂ ન થાય તેનો ઉપાય કરાય. પૂજા કરનાર દરેક ફળ-નૈવેદ્ય દ્વારા પૂજા કર્યા પછી ફળ-નૈવેદ્યને યોગ્ય સ્થાને મૂકી દે તો કીડી-મંકોડા ન થાય. આગેવાનોએ પણ આ અંગે યોગ્ય વ્યવસ્થા કરવી જોઇએ. શંકા- ૧૮૫. આ નક્ષત્ર બાદ ચોમાસામાં આવતી કેરી દેરાસરમાં ફળ તરીકે મૂકી શકાય ? સમાધાન– ન મૂકી શકાય. ચૈત્યવંદન સંબંધી શંકા-સમાધાન શંકા- ૧૮૬. જિનમંદિરમાં ચૈત્યવંદન ઈરિયાવહિયા કરીને જ કરવું જોઇએ કે તેના વગર પણ કરી શકાય ? સમાધાન- નાનું ચૈત્યવંદન=અરિહંત ચેઇઆણે ઈત્યાદિ સૂત્ર બોલીને કરાતું ચૈત્યવંદન ઇરિયાવહિયા કર્યા વિના પણ કરવાની આચરણા જોવા મળે છે પણ મોટું ચૈત્યવંદન તો ઇરિયાવહિયા કરવા પૂર્વક જ કરવું જોઇએ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy