SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૧૫૯ શંકા— ૩૩૯. પ્રતિક્રમણ ગુરુની સાથે જ કરવું જોઇએ ? સમાધાન– પ્રવચનસારોદ્વારમાં કહ્યું છે કેपंचविहायारविशुद्धिहेउमिह साहु सावगो वाऽवि । पडिक्कमणं सह गुरुणा गुरुविरहे कुणइ एक्कोवि ॥ १ ॥ અર્થ— પાંચ પ્રકારના આચારની વિશુદ્ધિ માટે સાધુએ કે શ્રાવકે પણ ગુરુની સાથે પ્રતિક્રમણ કરવું જોઇએ. ગુરુના વિરહમાં એકલો પણ પ્રતિક્રમણ કરે. શંકા— ૩૪૦. સાંજના પ્રતિક્રમણમાં સામાયિક લીધા પછી મુહપત્તિનું પડિલેહણ ખમાસમણપૂર્વક આદેશ માગીને કરવાનું હોય છે કે એમ જ કરવાનું હોય છે ? સમાધાન– ખમાસમણ આપીને ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! મુહપત્તિ ડિલેહું ? એમ આદેશ માંગીને મુહપત્તિનું પડિલેહણ કરવામાં આવે છે. (સેનપ્રશ્ન ચોથો ઉલ્લાસ ૧૦૦૭) શંકા- ૩૪૧. સાંજના પ્રતિક્રમણમાં સામાયિક લીધા પછી વાંદણા આપ્યા પછી જે પચ્ચક્ખાણ કરવામાં આવે છે તે ખમાસમણ પૂર્વક આદેશ માંગીને કરવામાં આવે છે કે ખમાસમણ વિના જ આદેશ માંગીને કરવામાં આવે છે ? સમાધાન– મૂળવિધિ પ્રમાણે બીજું વાંદણું પૂર્ણ થયા પછી અવગ્રહ રહીને ઇચ્છકારી ભગવન્ ! પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ દેશોજી એમ બોલીને પચ્ચક્ખાણ ક૨વાનું છે. ત્યાં ખમાસમણું આપવાનું નથી. પણ ઉપવાસવાળાએ વાંદણા આપવાના ન હોવાથી ખમાસમણું આપીને પચ્ચક્ખાણ ક૨વાનું છે. શંકા- ૩૪૨. દેવસિઅ પ્રતિક્રમણમાં શ્રાવકને સામાયિક લેવાનો વિધિ પૂર્ણ થયા પછી પચ્ચક્ખાણ લેવા માટે ત્રણ પ્રકારની આચરણા છે. (૧) જેમણે ચઉવિહાર ઉપવાસ કર્યો છે તેને કશું ક૨વાનું હોતું નથી. (૨) જેણે તિવિહાર ઉપવાસનું પચ્ચક્ખાણ કર્યું હોય એણે મુહપત્તિનું પડિલેહણ કરવાનું હોય છે, પણ વાંદણા આપવાના હોતા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy