SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન સકળ સંઘ પર ઉપકારની જે હેલી વરસાવી, એની સીમા તો આંકી શકાય એમ જ નથી. પ્રારંભથી પૂર્ણાહુતિ સુધીની પ્રશ્નોત્તર ધારા અગિયાર-અગિયાર વર્ષો સુધી દર અંકે અખંડ જાળવી શકનારા કલ્યાણ'ના શંકા-સમાધાન વિભાગમાં કુલ ૧૧૯૨ પ્રશ્નોત્તરોનું પ્રકાશન થવા પામ્યું હતું. એ આજે “શંકા-સમાધાન'ના સાર્થક નામે દળદાર બે વિભાગમાં સંકલિત-મુદ્રિત થઇને સકળ સંઘના કરકમળમાં સમાધાનની સુવાસ રેલાવતું શોભી રહ્યું છે. અનેકાનેક સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોના ભાવાનુવાદોનું ભેટશું ધરવા દ્વારા જિજ્ઞાસુ સંઘ ઉપર પૂ.આ.શ્રી રાજશેખરસૂરિજી મહારાજે જે ઉપકાર કર્યો, એનું મૂલ્યાંકન જેમ શક્ય નથી, એમ “શંકાસમાધાન'ના પ્રસ્તુત બે દળદાર ભાગ દ્વારા ઉપકારની જે ગંગા વહેતી થઈ રહી છે, એનું ય મૂલ્ય જરાય ઓછું આંકી શકાય એમ નથી. કેમ કે “કલ્યાણના માધ્યમે હજારો વાચકોની જિજ્ઞાસાને સંતોષનારા એ પ્રશ્નોત્તરો હવે પુસ્તકના માધ્યમે વધુને વધુ વંચાતા રહેશે ને ચિરકાળ સુધી અનેકાનેક વિષયોમાં સંઘને માટે માર્ગદર્શક બનવાનું કર્તવ્ય અદા કરતા જ રહેશે, એમ ‘જ કાર પૂર્વક કહી શકાય. શંકા-સમાધાન'ના સુવિસ્તૃત અનુક્રમ પર સિંહાવલોકન કરીશું, તોય એ વાતની પ્રતીતિ થઈ જવા પામશે કે, ૧૨૦૦ આસપાસની સંખ્યાથી સમૃદ્ધ આ પ્રશ્નોત્તરોના પેટાળમાં કેટલા કેટલા વિષયોને આવરી લેવામાં આવ્યા છે. શ્રાવકના દૈનિક વિધિ-વિધાનો ઉપરાંત સ્નાત્રપૂજા, પૂજનો, અંજનશલાકા-પ્રતિષ્ઠાથી માંડીને જિનમંદિર સંબંધિત અનેક જિજ્ઞાસાઓના સંતોષપ્રદ સમાધાનોના ફલકે પોતાના ફેલાવામાં રથયાત્રા, વર્ષીદાન, વિધવિધ ચડાવા-બોલી, સામાયિક, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ન, ઉપધાન, પચ્ચખાણ જેવા અનેકાનેક વિષયોને આવરી લઈને જ ઇતિશ્રી ન માનતા તીર્થંકરમહામંત્ર નવકાર ઉપરાંત ભક્ષ્યાભક્ષ્ય અને સચિત્ત અચિત્ત જેવા અત્યુપયોગી પ્રશ્નો અંગે માર્ગ દર્શાવીને સાધુ-સાધ્વીજી-વેયાવચ્ચ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy