Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૩-૧૦-૩૩
શ્રી સિદ્ધચક્ર તેમાં પણ શ્વેત વર્ણ સર્વ શ્રેષ્ઠ ગણી પ્રથમ પદે ગોઠવ્યો અને લાલ અને પીળો વર્ણ શુભ ગણાતો હોવાથી બીજે ત્રીજે પદે ગોઠવી શેષ લીલો અને કાળો વર્ણ ચોથે પાંચમે પદે ગોઠવ્યો છે. પાંચ પરમેષ્ઠી મહારાજના પાંચ વર્ષોથી મધ્ય ભાગ અને ચારે દિશા નિયમિત થવાથી ચારે વિદિશાના ખુણા સફેદ રહે તો ધ્યાન કરનારને અગવડ પડે તેમ નથી. એટલું જ નહિ પણ કોઈપણ અસંયોગી વર્ણ તે ચારે પદોમાં સ્થાપવા જતાં પદોની સ્થાપનાનું મિશ્રણ થઈ જાય. તત્વથી વિચાર કરનારાઓથી સમજી શકાય તેવું છે કે સિદ્ધચક્ર મહારાજની મૂળ ભૂમિ ધોળી રાખી, ચાર મુખ્ય દિશાએ ચાર વર્ષો જુદા જુદા સ્થાપી સિદ્ધચક્ર યંત્રની સ્થાપના કરવામાં આવી છે. પૃથ્વી આદિ પાંચ તત્વોના રંગોનો અનુક્રમ અને ચક્ષુનિમેષ કર્યા પછી ભાયમાન થતા વર્ગોનો અનુક્રમ પણ પંચ પરમેષ્ઠીના વર્ગોના ક્રમમાં વિચારવા જેવો છે.
પરમારાધ્ય અરિહંતાદિ નવપદ દેવ, ગુરુ અને ધર્મમય હોવાથી અને શાશ્વતપણું હોવાથી આ વાત સહેજે સમજાશે કે અતીત, અનાગત અને વર્તમાનકાળમાં મોક્ષ મેળવનાર જીવો કોઈ પણ આલંબનથી મોક્ષ મેળવી શકયા હોય તો તે આલંબન સમગ્ર નવપદ, અગર તેમાનું કોઈ એક પદ અથવા તો તેમાંના એક પદનો કોઇપણ અવયવ એ સિવાય બીજું કોઈપણ એક પદ કે તેનો કોઈપણ અવયવ જનારને મોક્ષ હોય નહિ, એ અપેક્ષાએ સિદ્ધ થનારા જીવોને ઉપયોગી એવું આ ચક્ર હોવાથી શ્રી સિદ્ધચક્ર કહીએ તો પણ યોગ્ય છે. વાસ્તવિક રીતે આરાધ્ય એવા અરિહંત આદિ નવપદો સ્થાપ્યા છે કેમકે તે સર્વરૂપીપણાને ધારણ કરનારા નથી અને તેમની રૂપીપણા તરીકે સ્થાપના પણ નથી, કેમકે જો રૂપીપણા તરીકે સ્થાપના લઈએ તો સિદ્ધ ભગવાન અરૂપી હોવાથી તેઓની સ્થાપના થઈ શકે નહિ કદાચ સિદ્ધ ભગવાનની સિદ્ધ થતી વખતની ભાવના અંત વખતની સ્થાપના લઈએ તો સિદ્ધ થનારાઓનો આકાર તીર્થકર સિધ્ધોની પેઠે પથંક કે કાર્યોત્સર્ગ જેવા બે આકારો નિયમિત ન હોવાથી સિધ્ધોનો કોઈપણ નિયમિત આકાર ન થાય, કદાચ મનુષ્ય ગતિમાંથી જ મોક્ષે જાય છે એમ ધારી મનુષ્યનો સામાન્ય આકાર લઇએ તો પણ સંસ્થાનતો નિયમિત ન થાય, અને સમ્યગુદર્શનાદિક ગુણોનો તો સ્વયં આકારજ નથી અને તે ગુણવાનો આકાર લઈએ તો અરિહંતાદિ સર્વે ને ગુણવાળા હોવાથી નિયમિત આકાર થાય નહિ, માટે પરમ આરાધ્ય એવા સ્થાપ્ય ગણાતા નવપદોની સ્થાપના કોઈપણ અપેક્ષાએ પૂર્વ ભવનો આકાર મુખ્ય સિધ્ધોના પૂર્વ ભવનો આકાર વિગેરે જેમ સદ્ભુત આકાર લીધા તેમ સમગુ દર્શનાદિકોના વર્ણમય સ્થાપનારૂપ આકાર લઈ શ્રીસિદ્ધચક્રની સ્થાપના નિયમિત કરેલી છે જો કે આ આકાર ગત વર્ષના મુખપૃષ્ઠ ઉપર જણાવવામાં આવ્યો છે તેવીજ રીતે દરેક પાક્ષિકના મુખપૃષ્ઠ ઉપર જણાવવાનો હતો છતાં કેટલાક ભદ્રિક જીવોની રૂચિ તે તરફ ન