________________
૧૪ : શાસનની રક્ષામાં પ્રભુસેવા ! - 54
‘અસભ્ય ભાષા !’ પણ એને એકલાને એમ કહ્યું એમાં જેને અસભ્ય ભાષા લાગે છે તેને, એના બાપના સ્થાને રહેલા હજારોને પેલાએ અંગારા કહ્યા તેમાં અસભ્ય ભાષા નથી લાગતી ? કહે છે કે ‘દીક્ષા છાની રીતે અપાય છે.' ખરી વાત છે. પણ દીક્ષાના ધાડપાડુઓ ત્યાં જઈ લૂંટે નહીં માટે એમનાથી બચવા એમના માટે બારણાં બંધ કર્યાં તેને એ છાની દીક્ષા કહે છે તો આજનું હેંડબીલ વાંચો ! (તા. ૬-૨-૧૯૩૦નું) એમાં સાફ લખે છે કે ‘અમારી વાતને માને તે જ અમારી સભામાં આવે.' જ્યારે તમારા કચરાપટ્ટી જેવા વિચારોને લુટાવાનો ભય અને તેથી તમે બીજાઓ માટે બારણાં બંધ રાખો તો હીરા, માણેક, પન્ના જેવી અમારી મિલકતને લુટાવાનો ભય નહિ ? એન લુટાય માટે અમે પણ ખંભાતી તાળાં ન લગાવીએ ? થોડુંક વ્યવહારિક જ્ઞાન હોત તો પણ આમ ન બોલાત પણ આજે હક્કનું જ્ઞાન નથી છતાં હક્કનો હડકવા છે અને એથી જે સત્તાને ઉખેડવા માગો છો તેનાં મૂળિયાં ઊંડાં જતાં જાય છે. એનું પુણ્ય છે ત્યાં સુધી એનો વાળ પણ વાંકો નહિ થાય. જેમ તેમ ભાષણો ભલે કરે, એ છૂટ છે, કોઈની જીભ નહિ પકડાય પણ યાદ રાખો, અંતે ભીખ ભેગા થવાના છે. જેમ અહીં મારા વિચારો મહિનાઓથી કહું છું, તેમ તેઓ પણ આવીને બોલે. બોલવાની અહીં છૂટ છે પણ એ મનુષ્યને, જનાવરને નહિ. જાહેર સભાઓ ભરે. પોતે બોલે ને સામાને બોલવાંની છૂટ આપે.
૧૯૩
763
સભા ‘એ..તો એમની સભામાં એમના જ વિચારો બોલાય. બીજાને બોલવાની छूट ન આપે. એવો એમનો કાયદો છે !'
આજે હિંદમાં મારામારી જ આ છે કે પોતાનાથી વિપરીત વિચારના માણસોની પાઘડી ઉછાળવી. તેમ છતાં આ બધા કહેવાય સ્વતંત્રતાવાદી. સ્વરાજ લેવા એ નીકળ્યા છે. જો એ એમ કહેતા હોય કે-નાનો પક્ષ મરવાનો, મોટો જ જીવે’ તો હું કહું છું કે ગવર્મેન્ટ સામે તોફાનો શા માટે કરે છે ? એ કહે છે કે-‘અમે સત્તાધીશ છીએ, તમે ગુલામ છો માટે પિસાઓ !' ત્યાં તમારા જ ન્યાયે તોફાન ટકતાં નથી. હવે તમને ફરિયાદ કરવાનો હક્ક નથી. જંગલી લોકોનો કાયદો કે અટવીમાં શહેરીને લૂંટે-‘શહેરી બહુ બોલે તો પેલો કહે કે‘શહે૨માં આવીએ ત્યારે તું અમને લૂંટજે.'
સભા પણ એ પક્ષ આમ તો નાનો છે !'
કબૂલ, પણ ગાડરિયો વર્ગ બીજો મોટો છે ને ? એ પક્ષને નાનો માની ચુપકીદી સેવી તો ગાડરિયો વર્ગ જે આમ વળે તેવો હોય તે એ તરફ વળી ગયો ને ?