________________
118
૪૪૩
– – ૩૦ : સર્વત્ર ત્યાગની જ વાત - 70 - એ આત્મા પ્રશાંત બને, એને સંવેગ થાય, એ અંતર્મુખ બને અને વિચારે કે
સંસાર ભયંકર છે, પ્રાણી માત્રને માટે ક્લેશકર છે, કેમકે એમાં જન્મ, જરા, મૃત્યુ, વ્યાધિ, રોગ, શોકાદિ ઉપદ્રવો ઠાંસી ઠાંસીને ભરેલા છે. એ ઉપદ્રવોનો સર્વથા અભાવ મોક્ષમાં છે. માટે મોક્ષ સુખનું કારણ છે.
હિંસાદિ સંસારના હેતુ છે અને અહિંસાદિ મુક્તિના હેતુ છે.”
“આ જાણ્યા પછી એ આત્મા સંસારને નિર્ગુણ માને અને મોક્ષને ગુણરૂપ માને. એની તમામ પ્રેમમય ચેષ્ટા મુક્તિ માટે જ હોય અને એ આગમને અનુસરીને જ હોય.”
હવે એ મહાત્મા કહે છે કે-“સમ્યગ્દષ્ટિ આત્માને મોક્ષ પ્રત્યે અત્યંત રાગ હોવાથી, તે જે અનુષ્ઠાન કરે તે ક્ષુદ્ર આત્મા માટે દુષ્કર છે.”
ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલો માર્ગ ક્ષુદ્ર આત્માઓ ન સેવી શકે. જેને સંસારનો રાગ છે તે શ્રી જિનેશ્વરદેવે કહેલાં અનુષ્ઠાનો સેવી શકતા નથી, કેમ કે એ પામરો માટે શ્રી જિનેશ્વરદેવનો માર્ગ ઘણો દુષ્કર છે. જેને સંસાર રૂચે તેને આ માર્ગ કેમ રૂચે ? એને જોઈએ ભોગ અને આ માર્ગ બતાવે ત્યાગ. આ શાસનની નાનામાં નાની પણ ક્રિયામાં ત્યાગ છે. ક્રમે ક્રમે દુનિયાની બધી વસ્તુઓની આસક્તિ જીવનમાં ઘટે એવું આ શાસનનું ધ્યેય, એનો નિર્દેશ તથા ફરમાન છે. જેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ હોય તે આ વસ્તુ માને. જેનામાંથી
૧. તુલના :- ઈવા જિન્તવેચે, પ્રશાન્તનાત્તર ત્મિના !
भावगर्भ यथाभावं परं संवेभमाश्रितः ।।१०।। जन्ममृत्युजराव्याधिरोगशोकाद्युपद्रुतः । क्लेशाय केवलं पुंसामहो ! भीमो महोदधिः ।।११।। सुखाय तु परं मोक्षो, जन्मादिक्लेशवर्जितः । भयशक्त्या विनिर्मुक्तो, व्याबाधवर्जितः सदा ।।१२।। हेतुर्भवस्य हिंसादिर्दुःखाद्यन्वदर्शनात् । મુઃ પુનરહિંસાવિવાથવિનિવૃત્તિતઃ શાહરૂા. बुद्धवैवं भवनैर्गुण्यं मुक्तेश्च गुणरूपताम् । तदर्थं चेष्टते नित्यं विशद्धात्मा यथागमम् ।।१४।। दुष्करं क्षुद्रसत्त्वानामनुष्टानं करोत्यसो । मुक्तौ दृढानुरागत्वात्कामीव वनितान्तरे ।।१५।।
-શાસ્ત્રવાર્તા સમુચ્ચય સ્તબક-૯