________________
૫૩૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
- 1106 જેને ભવ ભયંકર લાગે તેનો ચહેરો કેવો હોય ? એ ઝગારા મારે. એને કશી ચિંતા ન હોય. એ વિચારે કે ભવ જ ભયંકર છે તો ભવમાં બેઠેલો હું ભય વગરનો ક્યાંથી હોઉં ? સાગરમાં રહે તેને મગરથી ડર્યે પાલવે ? મગર ત્યાં હોય જ, એમાં નવાઈ શી ? અટવીમાં વાઘ, વરુ, સિંહ, શિયાળ એ બધાની ત્રાડ અને અવાજ સાંભળવા જ પડે. એ બધા તો વનમાં હોય જ. ભવને ભયંકર નહિ મનાવનાર સાચો દર્શનકાર કે સાચો ત્યાગી નથી. કહેનારા કહેશે કે ભવને ભયંકર કહી કહીને જનતાને નમાલી કરી.” એ લોકો કહે છે કે “ભવથી ડરીને ભાગે તે બાયેલા અને ભવમાં નિર્ભય બનીને રહે તે બહાદુર.” આ વાત તમને માન્ય છે ? કોઈ પણ સિદ્ધિપદે ગયેલો આત્મા એવો છે કે જે ભવથી ન
ર્યો ? બધા ડર્યા. તમે બહાદુર.' આ વાત તમને માન્ય છે ? કોઈ પણ સિદ્ધિપદે ગયેલા આત્મા એવો છે કે જે ભવથી ન ડર્યો ? બધા ડર્યા. તમે બહાદુર કે ન ડરો. દરેક ધર્મગુરુએ અગર દરેક શ્રી જિનેશ્વરદેવે ધર્મદેશનાની શરૂઆત જ સંસારની અસારતા બતાવવાથી કરી છે. મા વહોત અચ્છા - એમ કહ્યું ? ભવમાં રહો, ખાઓ, પીઓ અને મહાલો' એમ કહ્યું ? ભવ રહેવા લાયક નથી, એ વાત તમને જચી ? - મૂલગુણ અને ઉત્તરગુણરૂપ, એમ ધર્મ બે પ્રકારનો છે. સમ્યક્તનો મૂલ ગુણ કયો ? આસ્તિક્ય. એ પછી ગુણ કયો ? અનુકંપા. અનુકંપા કોની ? પોતાના આત્માની તેમજ પારકાઓની. પછી ? પછી નિર્વેદ, સંવેગ અને ઉપશમ.
આસ્તિક્ય નક્કર હોય કે પોલું? આસ્તિક્યવાન બોલે શું? પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ કહેલી વિચારણા ક્રમસર બોલો.
તત્ત્વશ્રદ્ધાથી પવિત્ર થયેલો આત્મા સંસારસાગરમાં રમે નહિ. કેમ ન રમે ? - મિથ્યાત્વરોગ નાશ પામવાથી એ આત્મા સંસાર જેવો છે તેવો જોઈ શકે છે. સંસારને યથાર્થ સ્વરૂપમાં જોઈ શકવાથી એ આત્મા પ્રશાંત બને છે.
પ્રશાંત બનવાથી પછી બહિરાત્મા મટી અંતરાત્મા બને છે. અંતરાત્મા બનવાથી સંવેગવાળો થાય છે. એટલે એને વિચાર આવે છે કે
રાનવનચરિત્ર-નંત્રિત મનને | - मनुजत्वे भोगकर्म, स्वर्णपात्रेसुरोपमम् । .