Book Title: Sangh Swarup Darshan Part 02
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 597
________________ ૫૭૬ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - 116 પણ જવામાં હરકત શી ?' શાસ્ત્ર કહે છે કે સજ્જને દુર્જનના સંસર્ગથી દૂર રહેવામાં જ લાભ છે. જ્યાં ત્યાં ભટકનારો બ્રહ્મચારી રહી શકતો નથી. જ્યાં ત્યાં ભટકવાની ઇચ્છા એ જ બ્રહ્મચર્યને કલંકરૂપ છે. વેશ્યાને ત્યાં જવામાં હરકત શી ? એવું બ્રહ્મચર્યનો પ્રેમી ન બોલે. બ્રહ્મચારીને “વેશ્યાને ત્યાં જવાનું મન જ કેમ થાય ?” એ લોકો કહે છે કે-“સ્થૂલિભદ્રજીને કેમ મન થયું હતું ?”. સ્થૂલિભદ્રજીને શાનું મન થયું હતું, તે બરાબર સમજો. તેમને બાર બાર વર્ષનો એ વેશ્યા સાથે સંબંધ હતો. વેશ્યા પણ એવી કે સ્થૂલિભદ્રજી સિવાય બીજે દૃષ્ટિ પણ ન કરે. તેમને થયું કે જેની સાથે બાર વર્ષ રહ્યો તેને કાંઈ પમાડું તો ઠીક.” એવી ભાવનાથી પણ પોતાની મરજીથી નથી ગયા પણ ગુરુઆજ્ઞા લઈને ગયા છે. ગુરુએ પણ તેમની યોગ્યતા જોઈને જ આજ્ઞા આપી છે. સિંહગુફાવાસી મુનિએ જ્યારે આજ્ઞા માગી ત્યારે ગુરુએ સાફ ના પાડી છે. કહ્યું છે. કે-એ તો સ્થૂલિભદ્ર એક જ, એના વાદ ન હોય. એ મુનિ ન માન્યા તો શું થયું, તે તમે . સાંભળ્યું છે. આ દૃષ્ટાંત અહીં પહેલાં કહેવાઈ ગયું છે. સ્થૂલિભદ્રજી મુનિવેષમાં વેશ્યાને ત્યાં ગયા ત્યારે દૂરથી એમને જોઈને વેશ્યાને થયું છે કે-મુનિપણું લઈ તો લીધું પણ પાળવું ક્યાં સહેલું છે ? ન પળાયું માટે આવ્યા.” સ્થૂલિભદ્રજીએ ચાતુર્માસ રહેવા વસતિ માગી. વેશ્યા કહે આ બધું આપનું જ છે. ફાવે ત્યાં રહો. પૂછવાની શી જરૂર છે?' સ્થૂલિભદ્રજી કહે-“એ જૂની વાત બધી ભૂલી જા. હવે એ સ્થૂલિભદ્ર હું નથી. આ કોઈ ચીજને હું મારી માનતો નથી. હું ફક્ત ચાતુર્માસ રહેવા માટે સ્થાન માગું છું. અનુમતિ હોય તો રહું તે પણ સાડાત્રણ હાથ તારે મારાથી દૂર રહેવું-એ શરત માન્ય હોય તો જ.” વેશ્યાએ માન્યું કે “મુનિ બનીને નવા નવા આવ્યા છે, હજી શરમાય છે એટલે એમ જ બોલે ! સમય જશે એટલે આપોઆપ ઠેકાણે આવશે.” બધી વાત કબૂલ રાખી ચિત્રશાળા ખોલી આપી. એ ચિત્રશાળા પણ એવી કે જે જોઈને પાવૈયાને પણ પાનો ચડે. પણ આ મહાત્માને તો હવે બધું સમાન હતું. વેશ્યાને પ્રતિબોધ પમાડવા જ આવ્યા હતા. વેશ્યાને કહ્યું કે-“તું ને હું સમાન છીએ પણ પ્રભુશાસનના યોગે હું આ પામ્યો અને તારી હાલત કઈ છે તે જો !” ચાર મહિના સુધી વેશ્યાએ સ્થૂલિભદ્રજીને આકર્ષવામાં કોઈ ઓછપ ન રાખી પણ આખરે એ હારી, સ્થૂલિભદ્રજીને શરણે ગઈ અને ભગવાનનો ધર્મ પામી ગઈ. આવાં દૃષ્ટાંતો લઈને “ખરા બ્રહ્મચારીને વેશ્યાને ત્યાં જવામાં હરકત શી ?' એમ કહેનારનું બ્રહ્મચર્ય પોલું સમજવું. એ માત્ર આનંબર છે એમ શાસ્ત્ર કહે છે.

Loading...

Page Navigation
1 ... 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646