Book Title: Sangh Swarup Darshan Part 02
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 603
________________ ૫૮૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ કહીએ છીએ કે ‘ભાઈ ! વહેલો આવજે.’ આ બધું જોખમ અમે વહોરીએ છીએ. શા માટે ? તમે અહીં આવનારા સાચું સમજો માટે. -વાત તો જે હોય તે જ સમજાવવી પડે 1152 સભા : ‘કહે છે કે આગળ-પાછળનાં વિદ્વત્તાનાં અને પદવીનાં વેરઝેર છે.’ વિદ્વત્તાનાં કદી વેરઝેર ન હોય અને ન પદવી કોઈ રોકી શકતું નથી. અરે, કોઈ રસ્તે ચાલનારો પોતાને બાદશાહ કહે ત્યાંયે કોઈ રોકવા 'જંતું નથી. વીસમી સદીમાં કોઈ કોઈની પદવી છીનવી શકે ખરું ? વસ્તુનું વર્ણન આવે ત્યાં એ વસ્તુ જેનામાં હોય તેને દુ:ખ પણ થાય ત્યાં ઉપાય શો ? શ્રી જિનેશ્વરદેવ પણ કરે શું ? સમવસરણમાં દેશના દે ત્યાં આત્માને નિત્ય પણ કહે અને અનિત્ય પણ કહે. ત્યાં કોઈ બૌદ્ધધર્મી ઊભો થાય ને કહે કે-આ દ્વેષથી બોલો છો. હવે દ્રવ્યાદિકનયે અને પર્યાયાર્થિકનયે જેવું હોય તેવું ભગવાન કહે એમાં દ્વેષ ક્યાં આવ્યો ? પેલા પૂછે એટલે ભગવાન સમજાવે કે આ રીતે નિત્ય અને આ રીતે અનિત્ય. હેતુઓ આપર્તા જાય તેમ તેમ પેલાથી સહન ન થાય અને પછી મૂંઝાય પણ તેથી થાય શું ? જેવું હોય તેવું કહ્યા વગર ચાલે ? બે ને બે ચાર, એમ સમજાવવામાં કોઈ અકળાય ત્યાં શું થાય ? સંયમરક્ષાની વાતમાં વરસાદમાં મુનિથી જવાય નહીં એ વાત આવે ત્યાં ઝટ કહે કે ફલાણા ગયા હતા એનું ખંડન આવ્યું. સાધુને રોટલાની ચિંતા ન હોય એમ કહીએ એટલે તરત કહે કે અમુક માટેની વાત આવી. જમાનો જોઈને ધર્મક્રિયા ગૌણ ન થાય એમ કહું એટલે કહે કે-જોયું ? જમાનાનું ખંડન આવ્યું ! પણ ત્યારે કરું શું ? વરસાદમાં મુનિથી જવાય, એમ કહ્યું ? સાધુને રોટલાની ચિંતા હોય, એમ કહું ? જમાનો જોઈને ધર્મક્રિયા ગૌણ કરવાનું કહું ? વિદ્યાના વર્ણનમાં રહું કે શ્રી જિનેશ્વરદેવના સાધુ વિદ્યાનો નિષેધ ન કરે, વિદ્યાનું અનુમોદન કરે, પણ તે વિદ્યા એવી ન હોય કે જેનાથી પાપનો પ્રચાર થાય. એટલે તરત કહે કે વિદ્યાલયનું ખંડન આવ્યું. ચાલે ત્યાં સુધી વસ્તુને ગોળગોળ કહીને વસ્તુનું પ્રતિપાદન કરું છું; તેમ છતાં કોઈને વાંધો આવે ત્યાં આપણો ઉપાય શું ? કાળજું ઠેકાણે રાખીને બોલું છું : સમ્યગ્દષ્ટિ કોણ ? શ્રી જિનેશ્વરદેવ, નિગ્રંથ ગુરુ અને પ્રભુએ પ્રરૂપેલો ધર્મ, આ ત્રણને શ્રદ્ધાપૂર્વક માને તે. જે આ ત્રણને ન માને એટલું જ નહિ પણ તેની વિરુદ્ધ બોલે તે તો મિથ્યાર્દષ્ટિ કરતાંયે અધમ છે. પછી એ અણુવ્રતધારી કે મહાવ્રતધારી રહ્યો ક્યાં ? દેવ-ગુરુ-ધર્મની વિરુદ્ધ બોલાય ત્યારે ‘હું શું કરું ? ’ એમ વિરતિધર પણ કહે ? આજે જમાનાના નામે કેવી પ્રવૃત્તિ ચાલે છે તે જુઓ.

Loading...

Page Navigation
1 ... 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646