________________
૩૯ : સેવા વિનશ્વરની કે અવિનશ્વરની ? – 79 અનુમાનથી તો સઘળો વ્યવહાર ચાલે છે. એમ ન માનો તો વ્યવહાર પણ ન ચાલે.
1171
―
૬૦૧
ન્યાયાધીશ સર્વજ્ઞ હોય છે ? છતાં ન્યાય તોળે છે ને ? ૨માબાઈનો કેસ જાણો છો ને ? જજ ફરિયાદીની ટીકા કરે છે, આરોપીને છોડી મૂકે છે, ફરિયાદી પર ફરિયાદ કેમ ન થાય તેવી ટકોર કરે છે અને જેટલા પર ફરિયાદ માંડી છે તે બધાને ખર્ચના રૂપિયા ફરિયાદીએ ચૂકવવા તેમ ફરમાવે છે. નીચલી કોર્ટના આવા કેસમાં બનતા સુધી હાઈકોર્ટ પણ આડે આવતી નથી. સમજે છે કે પુરાવાઓ અને ફરિયાદી, આરોપી અને સાક્ષીઓની ચેષ્ટા પરથી મૅજિસ્ટેટે જે અનુમાન કર્યું તેની આડે અવાય નહિ, હાઈકોર્ટ જજને કદી અપીલ દાખલ કરવી ઠીક લાગે તો પણ પેલા આરોપીને તેનું મોઢું જોવા રૂબરૂ બોલાવે અને પછી પેલાની વાત સાંભળે.
માટે મતિજ્ઞાન એ જેવો તેવો વિષય નથી. ઇંગિતાકારથી શિષ્યો પરિચયના કારણે ગુરુના મનના ભાવ જાણી શકે છે. વિદ્યાર્થી શિક્ષકની ઇચ્છા જાણી શકે છે.
આ બધી વાતો બરાબર વિચારીને સમજો. મેરૂની મેખલા સંબંધમાં શાસ્ત્રકાર હજી પણ આગળ શું કહે છે. તે હવે પછી.