Book Title: Sangh Swarup Darshan Part 02
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 630
________________ 1179. – ૪૦. મુક્તિ માટે જીવનનો સટ્ટો : - 80 – Sot પણ શાસ્ત્ર કહેલાં આત્મહિતકર બંધનો ગમતાં નથી એનું કારણ ? સ્વતંત્રતાના હિમાયતીઓને આ બધાં બંધન કેમ ગમે છે ? પૂર્વજોની ખ્યાતિના પ્રતાપે ! શ્રી સંઘમેરૂ પર અનેક પ્રકારનાં ચિત્તરૂપી ચિત્રકૂટો હોય પણ નિયમરૂપી કનકશીલાતલ મજબૂત જોઈએ. મેરૂ ઝળહળે શાથી. એનાથી ? સભાઃ “ધ્યેય સંસારમાં રહેવાનું હોય તો આ કેમ માને ?' ભલે ન માને પણ પછી એ જૈન ખરો ? જિનનો સેવક તે જૈન. ઝવેરી કહેવડાવે ને તેલ મરચું વેચતો હોય એ ચાલે ? સભા: “જેનને ત્યાં જન્મ્યા માટે જૈન !' ઠીક છે. જૈન તરીકે જન્મ્યા માટે જૈન; તો ભલે એ રીતે નામના જૈન તરીકે ! પણ અહીં ન આવો, અહીં ઘાલમેલ ન કરો, મંદિર વગેરેની બાબતમાં ડહાપણ ન ડહોળો. એ બધું કરવાનો તેમને હક્ક નથી. નામના ઝવેરીને ઝવેરીઓની સભામાં બેસવાનો કે બોલવાનો હક્ક નથી. નામના ઝવેરી, એવું ડહાપણ કરવા જાય તો રખડી મરે. સભાઃ “એંસી ટકા એવી પોલ નભે છે. ' ભલે નેવું ટકા નભે. પણ એ કેમ નભે છે ? એમના પૂર્વજો જૈન હતા માટે નભે છે. પરંપરાથી ચાલી આવતી ગાદી પર કોઈ નાલાયક પણ પાકે પરંતુ એ પણ થોડો વખત તો નભે ને ? ભલે બે-પાંચ વરસે ઊથલી પડે પણ તરત તો વાંધો ન આવે ને ? એ રીતે બાપની આબરૂ પર એવાઓ બે-પાંચ વરસ નથી જાય પણ પછી પરખાય કે આ રત્નો નથી પણ અંગારા છે ત્યારે આપોઆપ સમાજમાંથી એમનું સ્થાન ઊખડી જાય. જેમની પાસે હાલ વહીવટ છે, તેમના પૂર્વજો જૈન હતા. તેમના પૂર્વજોએ તન, મન, ધનનો ભોગ આપ્યો છે, એ પોતાના પૂર્વજોના પુણ્ય તેમને આ જગ્યા મળી છે. હવે એ પૂર્વજોનું પુણ્ય તપે ત્યાં સુધી તો એ નામદારો (!) નભે ને ? ક્રોડપતિનો દીકરો ભલે બેવકૂફ હોય તો પણ બાપ મરી જાય કે તરત ભિખારી ન થાય. વરસ બે વરસ લહેર કરી લે. બધી લક્ષ્મી લૂંટાઈ જાય પછી ભીખ માગતો થઈ જાય. કોઈ એને તરત બેવકૂફ કહે તો એ સાંભળે ? એ તો કહી દે કે મારી પાસે બે જોડ છે. તારામાં શી અક્લ છે ?' એ બે બ્રેડ ગયા પછી ગમે તે થાય પણ બાપ મરે કે તરત તો ક્રોડની ગાદીનો માલિક ખરો ને ? એ જ રીતે આમના પૂર્વજોએ સેવા કરવામાં ઓછપ નથી રાખી. એ

Loading...

Page Navigation
1 ... 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646