________________
૩૯ : સેવા વિનશ્વરની કે અવિનશ્વરની ? - 79
૫૪૯
જીવ કયા ? એ જીવ તો બીજા. એ કાંઈ અપ્લાયના જીવ નથી. દૃષ્ટિમાં આવે તે તો ત્રસ જ્હો હોય. અકાયના જીવો તો સ્થાવર છે. એ દેખાય ખરા ? હાલેચાલે ખરા ? હાલેચાલે એ જીવો બીજા. વળી જેમ જીવ હાલે તેમ જડ પણ હાલે ને ? પાણીમાં કચરો હોય તે પણ હાલેચાલે. એટલે જીવ અને જડ બેય હાલે. પાણીના એક બિંદુમાં છત્રીસ હજાર સ્ક્વો છે એમ જૈનો પણ આજે બોલતા થઈ ગયા. શ્રી જિનેશ્વરદેવે તો અસંખ્યાતા જીવો કહ્યા છે; પણ એ વાત એમને ગળે ન ઊતરે. એ તો કહેશે કે-‘છત્રીશ હજાર જ છે' કેમ ? તો કહેશે કેવૈજ્ઞાનિકો કહે છે માટે.’
1159
ભગવાને કહેલા અસંખ્યાત વો એ પાણીરૂપ જીવો છે. પાણીરૂપ વો અને પાણીમાં જીવ એ બેમાં ભેદ છે. શાસ્ત્રકારોએ પાણીને જ સ્વયં સ્વરૂપ માનેલ છે. આપણું શ૨ી૨ જીવવાળું છે. એમાં આત્મા રહ્યો છે; એ જ રીતે પાણી પણ અકાય જીવોનું શરીર છે. પાણીના એક બિંદુમાં એવા અસંખ્યાતા જીવો છે. એના સેંકડો કણિયા પડે. તેવા એક કણિયાના પણ અસંખ્યાતા જીવો અને આખા સમુદ્રમાં પણ અસંખ્યાતા જીવો. એ અસંખ્યાતાના પણ અસંખ્યાત ભેદ પડે છે. આ દર્શનનું સંખ્યાતુ, અસંખ્યાતુ, અનંતુ, એ બધું જુદું. ગણાય તે જ સંખ્યાતુ એમ નહિ. પાય તે પણ સંખ્યાતુ હોય. બધાની જુદી જુદી મર્યાદાઓ છે.
કંદમૂળ કે અનંતકાય (બટાટા વગેરે)ના સોયના અગ્રભાગમાં જેટલા વો છે તેના કરતાં જ્ઞાની કહે છે કે દુનિયાના તમામ પાણીના, પૃથ્વીના, વાયુના, અગ્નિના, પ્રત્યેક વનસ્પતિના, મનુષ્યના, દેવના અને તિર્યંચના (સાધારણ વનસ્પતિ સિંવાયના) તમામ જીવો ભેગા કરો તો પણ તે કેટલા ઓછા છે, તે જાણો છો ? અનંતગુણા ઓછા છે.
સભા : ‘આજના બુદ્ધિવાદીઓ આ ન માને.’
એ ન માને તે એમની મરજી. એ ભલે ન માને તો પણ યુક્તિસંગત તો છે જ. ઘઉંના આટાની ભરેલી માટલીમાં દ્રવ્ય તો એક જ ને ? અને બ્રેડ વસ્તુઓ ભેગી લસોટી રતિભારની ગોળી બનાવી હોય તો એવી ગોળીમાં પણ બ્રેડ દ્રવ્ય ખરાં કે નહિ ? કોઈ કહે કે આવડી મોટી માટલીમાં એક દ્રવ્ય અને આટલી નાની ગોળીમાં બ્રેડ દ્રવ્ય ? એમ કેમ બને ? નજરે બતાવો. તો કહેવું પડે કે વાત યુક્તિસંગત છે પણ તું ન માને તો તારી મરજી. શ્રી જિનેશ્વરદેવે તો કહ્યું કે ઘણા પદાર્થો અતીન્દ્રિય છે, જે આંખથી ન દેખાય.
ભગવાને અનંતકાયનો નિષેધ કર્યો તેનું કારણ એક જ છે કે શરીરને