Book Title: Sangh Swarup Darshan Part 02
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 579
________________ ૩૭ : સંઘની મર્યાદા વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, ફાગણ સુદ-૧, શનિવાર, તા. ૧-૩-૧૯૩૦ સાચા ધર્મને ઓળખો ! સંઘમાં કોણ ગણાય ? ♦ ♦ મર્યાદાનું મહત્ત્વ : ♦ સાધુ અને શ્રાવકનો સંબંધ : ♦ દાક્ષિણ્યતા : ૦ સંઘમાં રહેવાની શરત: ♦ એવાઓ સંઘમાં રહી શકે ? ♦ સાધુ-શ્રાવકની મર્યાદા : ♦ એ બધા ભયને હું ઘોળીને પી ગયો છું : વ્યાખ્યાન એટલે ટીકા : રજોહરણ એ મુનિનું ભ્રષણ : 77 સાચા ધર્મને ઓળખો ! અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચકજી ગણિવર શ્રી સંઘરૂપ મેરુની સમ્યગ્દર્શનરૂપ વજ્રરત્નમય પીઠની દૃઢતા, રૂઢતા, ગાઢતા અને અવગાઢતાને વર્ણવી હવે મેખલાના સ્વરૂપને કહે છે: એ મેખલા શ્રેષ્ઠ ધર્મરત્નોથી મંડિત સુવર્ણની છે. ‘આત્માને દુર્ગતિમાં પડતાં બચાવે અને સદ્ગતિમાં સ્થાપે તથા છેલ્લે મુક્તિપુરીએ પહોંચાડે તે ધર્મ, એમ આ મહર્ષિ પરમાર્થરૂપ ફરમાવી ગયા. શાસ્ત્રકારોએ એ પણ સૂચવ્યું કે-અમુક જ ધર્મ એવો આગ્રહ નથી; પણ જેના યોગે આત્મા દુર્ગતિમાં પડતાં બચે તે ધર્મ અને તે કરણીય. એ સિવાય બીજું કશું કરણીય નથી; એ આગ્રહ તો ખરો. એ સિવાયને ક૨ણીય માનવું તે જ મિથ્યાત્વ.’ જ્યાં સુધી દુનિયા ધર્મને ધર્મ તરીકે ન સમજે ત્યાં સુધી એ ધર્મને સેવી ન શકે, માટે ધર્મનું સ્વરૂપ બાંધવું પડશે. એ ધર્મનું સ્વરૂપ સમજાય ક્યારે ? દુનિયાની ચીજો આત્માને દુર્ગતિથી બચાવી શકે તેમ નથી એમ ખાતરી થાય તો

Loading...

Page Navigation
1 ... 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646