SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ : સંઘની મર્યાદા વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, ફાગણ સુદ-૧, શનિવાર, તા. ૧-૩-૧૯૩૦ સાચા ધર્મને ઓળખો ! સંઘમાં કોણ ગણાય ? ♦ ♦ મર્યાદાનું મહત્ત્વ : ♦ સાધુ અને શ્રાવકનો સંબંધ : ♦ દાક્ષિણ્યતા : ૦ સંઘમાં રહેવાની શરત: ♦ એવાઓ સંઘમાં રહી શકે ? ♦ સાધુ-શ્રાવકની મર્યાદા : ♦ એ બધા ભયને હું ઘોળીને પી ગયો છું : વ્યાખ્યાન એટલે ટીકા : રજોહરણ એ મુનિનું ભ્રષણ : 77 સાચા ધર્મને ઓળખો ! અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચકજી ગણિવર શ્રી સંઘરૂપ મેરુની સમ્યગ્દર્શનરૂપ વજ્રરત્નમય પીઠની દૃઢતા, રૂઢતા, ગાઢતા અને અવગાઢતાને વર્ણવી હવે મેખલાના સ્વરૂપને કહે છે: એ મેખલા શ્રેષ્ઠ ધર્મરત્નોથી મંડિત સુવર્ણની છે. ‘આત્માને દુર્ગતિમાં પડતાં બચાવે અને સદ્ગતિમાં સ્થાપે તથા છેલ્લે મુક્તિપુરીએ પહોંચાડે તે ધર્મ, એમ આ મહર્ષિ પરમાર્થરૂપ ફરમાવી ગયા. શાસ્ત્રકારોએ એ પણ સૂચવ્યું કે-અમુક જ ધર્મ એવો આગ્રહ નથી; પણ જેના યોગે આત્મા દુર્ગતિમાં પડતાં બચે તે ધર્મ અને તે કરણીય. એ સિવાય બીજું કશું કરણીય નથી; એ આગ્રહ તો ખરો. એ સિવાયને ક૨ણીય માનવું તે જ મિથ્યાત્વ.’ જ્યાં સુધી દુનિયા ધર્મને ધર્મ તરીકે ન સમજે ત્યાં સુધી એ ધર્મને સેવી ન શકે, માટે ધર્મનું સ્વરૂપ બાંધવું પડશે. એ ધર્મનું સ્વરૂપ સમજાય ક્યારે ? દુનિયાની ચીજો આત્માને દુર્ગતિથી બચાવી શકે તેમ નથી એમ ખાતરી થાય તો
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy