________________
૩૭ : સંઘની મર્યાદા
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, ફાગણ સુદ-૧, શનિવાર, તા. ૧-૩-૧૯૩૦
સાચા ધર્મને ઓળખો !
સંઘમાં કોણ ગણાય ?
♦
♦ મર્યાદાનું મહત્ત્વ :
♦ સાધુ અને શ્રાવકનો સંબંધ :
♦ દાક્ષિણ્યતા :
૦ સંઘમાં રહેવાની શરત:
♦ એવાઓ સંઘમાં રહી શકે ?
♦ સાધુ-શ્રાવકની મર્યાદા :
♦ એ બધા ભયને હું ઘોળીને પી ગયો છું :
વ્યાખ્યાન એટલે ટીકા :
રજોહરણ એ મુનિનું ભ્રષણ :
77
સાચા ધર્મને ઓળખો !
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચકજી ગણિવર શ્રી સંઘરૂપ મેરુની સમ્યગ્દર્શનરૂપ વજ્રરત્નમય પીઠની દૃઢતા, રૂઢતા, ગાઢતા અને અવગાઢતાને વર્ણવી હવે મેખલાના સ્વરૂપને કહે છે: એ મેખલા શ્રેષ્ઠ ધર્મરત્નોથી મંડિત સુવર્ણની છે.
‘આત્માને દુર્ગતિમાં પડતાં બચાવે અને સદ્ગતિમાં સ્થાપે તથા છેલ્લે મુક્તિપુરીએ પહોંચાડે તે ધર્મ, એમ આ મહર્ષિ પરમાર્થરૂપ ફરમાવી ગયા. શાસ્ત્રકારોએ એ પણ સૂચવ્યું કે-અમુક જ ધર્મ એવો આગ્રહ નથી; પણ જેના યોગે આત્મા દુર્ગતિમાં પડતાં બચે તે ધર્મ અને તે કરણીય. એ સિવાય બીજું કશું કરણીય નથી; એ આગ્રહ તો ખરો. એ સિવાયને ક૨ણીય માનવું તે જ મિથ્યાત્વ.’
જ્યાં સુધી દુનિયા ધર્મને ધર્મ તરીકે ન સમજે ત્યાં સુધી એ ધર્મને સેવી ન શકે, માટે ધર્મનું સ્વરૂપ બાંધવું પડશે. એ ધર્મનું સ્વરૂપ સમજાય ક્યારે ? દુનિયાની ચીજો આત્માને દુર્ગતિથી બચાવી શકે તેમ નથી એમ ખાતરી થાય તો