________________
1101 ૩૫ : અર્થ-કામના લક્ષ્યવાળો ત્યાગ, ત્યાગ નથી - 75 - ૫૩૧ ડાહ્યા બનો. બસ ! ખાવું, પીવું, કમાવું, પરણવું, પછી એક મરે તો બીજી ને બીજી મરે તો ત્રીજી. આ ને આ સ્થિતિમાં જિંદગી પૂરી થાય તો મર્યા પછી ગતિ કઈ ? હમણાં કહેશે કે-“આવી વાતો કરી લોકોને ભડકાવી મારે છે, જેપીને ખાવાપીવા પણ દેતા નથી. પરંતુ મેખલા માટે આ બધી મહેનત છે. પીઠમાં મક્કમતા વિના મેખલાની ઉતાવળ નકામી છે. “દુર્ગતિમાં પડતા આત્માને બચાવે તે ધર્મ.' કેટલી સીધીસાદી વ્યાખ્યા છે ! ઘણા સાધુઓએ કહી હશે અને તમે ઘણી વાર સાંભળી હશે. આ વ્યાખ્યામાં શંકા છે ?
આટલું સાંભળ્યા પછી આ વાત ગળે ઉતારવામાં આટલી મહેનત કેમ ? ગતિ ચાર છે. નારકી, તિર્યંચ, દેવ અને મનુષ્ય. હવે તમારી આવી કાર્યવાહીથી તો તમારી ગતિ કઈ કહેવાય ? નરક કે તિર્યંચ ને ? દેવ અને મનુષ્ય ગતિ કોણ પામે ? સરળ હોય, ધર્મપ્રેમી હોય, દાન-શીલ-તપ અને ભાવરૂપ ધર્મનો આરાધનાર હોય, ધર્મમાં દૃઢ હોય, ધર્મરક્ષા માટે પ્રાણાર્પણની તૈયારીવાળો હોય તે એ ગતિ પામે. જનાવરની જેમ આખો દિવસ ખા ખા કરે છતાં પેટ જેનું ખાલી જ હોય તેને એ ગતિ મળે ? તમે કહો છો તો ખરા કે નરક-તિર્યંચ ગતિ ન જોઈએ પણ કાર્યવાહી એવી હોય તો એ ગતિઓમાં ગયા વિના છૂટકો છે ? આ ન ખાવું, આ ન પીવું, આ ન કરવું એ બધું શ્રી જિનેશ્વરદેવે તમારા ભલા માટે જ કહ્યું છે, તમારી દયાથી જ કહ્યું છે. ધર્મ શા માટે અને ધર્મનું મુખ્ય તથા ગૌણ ફળ કયું ?
સભા: ‘દેવપૂજાથી સ્વર્ગ મળે માટે એ જ કર્યા કરીએ તો ?
તમારા પ્રશ્નનો ભાવ શો છે ? આટલી જ વાત છે કે આગળ કાંઈ બોલવાનું છે? પેઢી ખુલ્લી મૂકીને રખડ્યા કરે તેને પૈસા મળે? પેઢી ખોલનારા કંઈક એવા છે કે જે પછી કપાળ કૂટે છે. દેવપૂજા એ સાધન ખરું પણ જે દેવની પૂજા કરે એમને માને જ નહિ તો ? દેવને ચાંલ્લા કરે પણ બોલતો જાય કે “આ તો પચીસસો વર્ષ પહેલાં થઈ ગયા. એમની વાત તે વખતે ભલે ચાલતી હોય પણ આજે ન ચાલે, તો શું ? આવા એક માણસને કોઈએ પૂછુયું કે “તમારા આવા જ વિચારો છે તો મંદિરે આવો છો શું કામ ?” ત્યારે પેલો કહે કે મારે સમાજમાં રહેવું છે ને ધર્મીમાં ખપવું છે એટલે આવું છું, એટલું જ નહિ પણ પગે ઘૂઘરા બાંધીને નાચું પણ ખરો.”બોલો હવે સમાજમાં રહેવા માટે આટલે સુધી બોલનારા પણ આવા પૂજારીઓ છે ને ?
સભા “એને કંઈ લાભ નહિ ?” લાભ તો નહિ પણ હાનિ ખરી. પેટ, નામના કે પ્રતિષ્ઠા ખાતર, સમાજમાં