________________
૪૮૭
1057 -- ૩૨ ઃ રક્ષા માટે રોષ પણ જરૂરી - 72 ચર્ચા શી ? એક જણ તો વળી સલાહ આપે છે કે-“અત્યારે ક્યાં કોઈ મુક્તિએ જવાના છે ? મુક્તિમાર્ગ ખૂલે ત્યારે આ બધી પંચાત કરજો.” વળી એ સમજાવે છે કે-“સ્ત્રી મોક્ષે ન જાય તો એ “સ્ત્રીમાં પુરુષત્વ માનો પણ ઝઘડો શા માટે ? એ બધા મને શાંતિના પાઠ ભણાવવા આવે છે. ચર્ચાની સમાધાન કરનાર કોઈ આવી પણ પંચાત કરે છે, સમજ્યા ?
એ કહે છે કે-આગમ ઠીક છે. પણ પૂર્વાચાર્યોએ એ વખતે ધર્મનો ખપ હતો તેથી ધર્મ માટે એ લખ્યાં. આજે અર્થકામનો ખપ છે માટે તેવાં શાસ્ત્રો લખાવાં જોઈએ. એ વખતે સંમતિતર્ક અને ન્યાયશાસ્ત્ર આદિની જરૂર હતી, આજે સમાજના ભલા માટે સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની જરૂર છે.” આગળ વધીને કહે છે કે- સમાજના રોટલા ખાનારાએ પોતાના મહાવ્રતમાં જરા બાંધછોડ કરીને પણ સમાજનું કાંઈક કલ્યાણ કરવું જોઈએ.
વળી મુનિપણા માટે ઓઘો જ શા માટે જોઈએ ? એમ પણ તેઓ દલીલ કરતાં ચૂક્યા નથી. મુનિનો ફોટો કોટપાટલૂનમાં આવી ગયો છે. ભવિષ્યનો ઇતિહાસકાર લખશે કે જૈનમુનિ કોટપાટલૂન પહેરતા હતા. એ બધા કહે છે કે વેષના ઝઘડા શા ? ટ્રેડમાર્ક માટે દુનિયામાં ઝઘડા થાય છે. એક ટ્રેડમાર્કનો બીજાએ ઉપયોગ કર્યો તો એવા કંઈક દંડાયા. પણ આપણે પૂછીએ કે કોટપાટલૂન પહેરેલાને “મુનિશ્રી' લખાય ? તો કહેશે કે હવે આ નવો ઝઘડો શરૂ કર્યો ? વંદનિક અવંદનિક
અવગાઢતા એટલે જીવાદિ પદાર્થોનો સમ્યક પ્રકારનો બોધ થવો તે. એ પદાર્થોનો પૂરો બોધ કોને હોય ? કેવલીને કે શ્રુતકેવલીને, શ્રદ્ધા પૂરી હોય તેને પણ શાસ્ત્ર બોધ કહ્યો પણ એ દરેકના બોધમાં ફેર કેટલો ? આ ચારેય વિશેષણ વિશિષ્ટ સમ્યક્ત બને ત્યારે સંઘમેરૂની પીઠ મજબૂત થાય. હવે એના પર ઇમારત ગણાય.
જે સંઘની પીઠ આવી હોય તેની કાર્યવાહી કેવી હોય ? એના વિચારો કેવા હોય ? એની સલાહ કેવી હોય ? એની આજ્ઞા કઈ હોય ? પોતાની પાસે આવનારને એ શું કહે ? પ્રભુના શાસનમાં જ્ઞાની-અજ્ઞાની બેય તરે છે. જ્ઞાની ક્રિયાનો અમલ કરીને તરે છે. અજ્ઞાની જ્ઞાનીની નિશ્રાએ તરે છે. જે સમુદાયના એક ગીતાર્થ વંદ્ય તો એની નિશ્રામાં રહેનારા અર્થાત્ એ ગીતાર્થની આજ્ઞા મુજબ વર્તનારા બાકીના વંદ્ય જ છે. “નાયકને જ વાંદુ, બીજાને ન વાંદુ” એમ કહેનારા મિથ્યાષ્ટિ છે.