________________
.૩૩ : વફાદારી તો શાસનના ચરણે જ – 73
દીન ન બને. જેમ એ મળેલું ભોગવવામાં લીન ન બને તેમ ન મળવાથી દીન ન બને. આજે તો દીનતા દેખાય છે. લાખોની સખાવત કોઈ કરે પણ દુ:ખીને સહાય ન કરે. દુ:ખી પણ એને કૃપણનો કાકો કહે પણ પોતાનો લાભાંતરાય ન સમજે. ઢંઢણમુનિને ભિક્ષા ન મળી તો દ્વારિકામાં કોઈ દાતાર જ નથી એમ એમણે કહ્યું ? લાભાંતરાયના ઉદયે દાતારને પણ એને આપવાનું મન ન થાય. શ્રી જિનેશ્વરદેવના ધર્મને સમજનારો દીન ન હોય.
1061
૪૯૧
ઈર્ષ્યાના પાપથી બચો !
સંઘમાં પાંચ લાખ કોઈ ખર્ચે ત્યારે કેટલાક કહે છે કે ‘અમારું શું કર્યું ?' શ્રાવકના આ વિચાર હોય ? આ બધા વિચારોના પ્રચારનું મૂળ તો આજના ભણેલા ગણાતા છે. સામાન્ય લોકોની બુદ્ધિ બગાડનારા પણ એ જ છે. પહેલાં એવું કોઈ નહોતું બોલતું. આજે તો ભગવાનના ઉત્સવ જોઈને, ભગવાનના અલંકારો જોઈને પેટ બાળનારા ઘણા છે. વિચારો કે આ કઈ હાલત છે ? જૈનના વિચારો આવા હોય ? દેવ-ગુરુ-ધર્મની ભક્તિમાં થતો ધનવ્યય જોઈને એ વ્યય પોતાને માટે થાય તો ઠીક, એવો વિચાર જૈનશાસન પામેલાને થાય ? પાત્રાપાત્રનો ભેદ સમજનાર આવું કદી વિચારે ? શ્રી તીર્થંકરદેવની સેવામાં અસંખ્યાતા દેવો તથા ઇંદ્રો હોય છે એ જોઈને સામાન્ય મુનિ એમ કહે કે‘એમની સેવામાં ક્રોડો દેવતા અને મારી સેવામાં એક પણ કેમ નહિ ?’ તો એ ચાલે ? એ પુણ્ય ઉપાર્જન કરીને આવ્યા છે માટે દેવો એમની સેવા કરે છે. વગર પુણ્યે સેવા ઇચ્છે તે મળે ?
તીંર્થંકર પણ ધર્મચક્રી છે. એક ઘરમાં બેય જન્મે, તીર્થંકર તથા ચક્રવર્તી. બેયની માતાને ચૌદ સ્વપ્ન આવે પણ અભિષેક માટે ઇંદ્રો મેરૂ પર કોને લઈ જાય ? શ્રી તીર્થંકરદેવને જ, ચક્રવર્તીને નહિ. શ્રી તીર્થંકરદેવને દેવીઓ રમાડે અને ચક્રવર્તીનું પાલન સ્ત્રીઓ કરે, પુણ્યમાં ભેદ ખરો કે નહિ ? અજીતનાથ ભગવાન અને સાગર ચક્રવર્તી બેય એક જ ઘરમાં જન્મ્યા, બેય સગા ભાઈ પણ મેરૂ પર અભિષેક તો શ્રી અજીતનાથનો જ થયો. દેવીઓ તેમને જ ઉછેરે. ત્યાં સગર ચક્રવર્તીએ ‘મને કેમ નહિ ?’ એમ ન કહ્યું. સુપાત્રમાં પણ ભેદ પડે છે. શ્રી જિનેશ્વરદેવ રત્નપાત્ર. ગણધર-ભગવંતો એમનાથી ઓછું પાત્ર, વિશિષ્ટજ્ઞાની એમનાથી ઓછું અને ચૌદ પૂર્વધર એમનાથી ઓછું, એમ પાત્રભેદ ખરા ને ? એટલે દેવ-ગુરુ-ધર્મની ભક્તિ જોઈ ‘અમને કેમ નહિ ?’ એવું શ્રાવક વિચારે ?. અને એવું વિચારે તો એ દીનતા વધા૨વાનો રસ્તો કે સુખી થવાનો રસ્તો ?
પોતાને માટે ધર્મક્રિયાને ગૌણ બનાવવાનો વિચાર જ પોતાની ગૌણતાને