________________
1059 - ૩૨ : રક્ષા માટે રોષ પણ જરૂરી - 72 – – ૪૮૯
મૅરૂની વજરત્નમય પીઠને સ્થાને તો સમ્યગ્દર્શનને મૂક્યું. હવે મેખલાના સ્થાને શું? શ્રેષ્ઠ ધર્મ.
પાયો પુરાયા વિના મકાન ન બંધાય. પીઠ બંધાયા વિના ઇમારત ન થાય. પીઠ વિના જે ક્રિયા કરે તે મેખલા મેળવવા ન પામે અર્થાત્ તે મેખલારૂપ ન બને. સમ્યક્ત આવે તો શ્રેષ્ઠ ધર્મ આવે. શ્રેષ્ઠ ધર્મરૂપ રત્નોથી મંડિત સુવર્ણમય મેખલા શ્રી સંઘરૂપ મેરૂને જોઈએ. બધા કહે છે કે-ધર્મ-કહો પણ અહીં શ્રેષ્ઠ ધર્મની વાત કહે છે. સમ્યગ્દર્શનરૂપ પીઠ વિના શ્રેષ્ઠ ધર્મરૂપ મેખલા મેળવવા ન દોડતા. એમાં સાધુ, શ્રાવક તથા આચાર્ય આદિના આચારો આવશે. હશે તેવું કહેવાશે. ગુસ્સો કર્યે કામ નહિ આવે.
સભાઃ “એ સાંભળતાં જેને અકળામણ થાય તે ન આવે !”
હવે સમજ્યા. અકળામણ કર્યું ન ચાલે. જે હોય તે કહેવું જ પડે. એ મેખલાના વિષયમાં આગળ શું કહે છે તે હવે પછી.