________________
1035 - ૩૧: જેનાથી ડૂળ્યા એનાથી તરવાનું - 1 - - - ૪૬૫ એનું પાલન ન કરો તો પૂજા સારી થાય ? તપ કરો અને ઇચ્છાનિરોધને ન સચિવો તો શરીરને મૂંઝવણ થાય એ બને. કર્તવ્ય સમજાય તો આર્તધ્યાન ન થાય?
સભાઃ “શક્તિનું માપ કેવી રીતે કઢાય ?
ચાર કદમ પણ નહિ ચાલનારા ચાર માઈલ ચાલતા થયા કે નહિ ? શી રીતે થયા ? ચાલતાં ચાલતાં થયા ને ? એ રીતે અહીં પણ સમજવું. નાનામાં નાનો તપ નવકારશી છે. બે ઘડીનો એ તપ છે. બાળક પણ બે ઘડી તો દૂધ પીધા વિના રહી શકે છે. કેવો સુંદર તપ ! પછી ક્રમે ક્રમે આગળ વધો. છ મહિનાના તપ સુધી વધવાની છૂટ છે. બાળક ચાલતાં શી રીતે શીખ્યું? પહેલાં પગ માંડી શકતો ન હતો. કેટલી મહેનતે પડતાં આખડતાં ચાલતાં શીખ્યો. આજે કેટલી શક્તિ ? ધારો તો છ કલાક ઊભા રહો ને ? શરીરમાં થાક લાગ્યો હોય પણ ધાડ આવે તો ભાગવાની શક્તિ આવી જાય ને ? એ શક્તિ ક્યાંથી આવી જાય છે? શક્તિ કેળવવી જરૂરી માને તો એના માટે પ્રયત્નો થાય અને એ આવે. મિલકત સાચવવા હવે દોડવું જોઈએ એમ સમજનારને દોડવાની ક્રિયા માટે આર્તધ્યાન ન થાય. એ તો આંખો મીંચીને ભાગવા જ માંડે. અહીં પણ મેળવવા જેવું લાગે તો આર્તધ્યાન ન થાય. ઉપવાસને સ્વરૂપ પ્રાપ્તિનું - સાધન માન્યું નથી માટે આર્તધ્યાન થાય એમ લાગે છે. જો તપથી જ આર્તધ્યાન થતું હોય તો શ્રી ઋષભદેવ સ્વામીને કેમ ન થયું ? મુક્તિની સાધનામાં વિદનભૂત ન બને. પણ સહાયભૂત થાય એવો તપ કરવો ! 1. હેય અને ઉપાદેયનો વિવેક આવે અને અભ્યાસ કેળવાય તો આર્તધ્યાન ન થાય. ઘણા એવા પણ છે કે-ઉપવાસ કરે, શરીરે ક્ષીણ પણ થાય, સૂએ પણ ખરા પણ કહે કે ફીકર નહિ. એ અશક્તિ ન કહેવાય. ધન્ના કાકંદી અને અંધકમેનિના તપના વર્ણનને સાંભળ્યું છે ને ? સ્કંધનમુનિ ચાલતા ત્યારે શરીરનાં હાડકાં ખખડતાં હતાં. પગ પણ ધારે ત્યાં નહોતો પડતો. કેવો તપ કર્યો હશે ? છતાં એ ઉંઝ વિહાર કરતા અને તપ તો ચાલુ જ. તપ કરતાં શરીર સુકાય તે ન જોવાય પણ મુક્તિસાધક અનુષ્ઠાનને હાનિ ન થવી જોઈએ તે જરૂર જોવાય. તપ કરીને જે સાધવું છે તે સદાય નહિ એ તો જોવું જોઈએ ને ? - મુક્તિની સાધના જેનાથી હણાય તે ન થાય. મન, વચન, કાયાના યોગોને જે દિશાએ વાળી જે મેળવવું છે તે ઇષ્ટફળમાં જે વિકર થાય એ ન કરવું. મન, વચન અને કાયા-એ ત્રણ યોગથી આપણે રત્નત્રયીની આરાધના કરવી છે. એ