________________
150
૪૮૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ શિષ્યના માથામાં લોહી જોયું કે તરત ચંડરૂદ્રાચાર્યે વિચાર્યું કે “અરે ! આ એક દિવસનો સાધુ, એનામાં આવી ક્ષમા ? આટલા પ્રહારો છતાં એક હરફ ન ઉચ્ચાર્યો ! કેવી અનુપમ ક્ષમા ? અને હું વર્ષોથી દીક્ષિત છતાં મારી આ દશા ? ધન્ય છે એને અને ધિક્કાર છે મને !” આ ભાવનાના યોગે કષાયો ગયા. કષાયો કેમ ન જાય ?' એવું થયું કે કષાયો મંદ પડ્યા, ક્રોધ ગયો, ક્ષપકશ્રેણિ માંડી અને કેવળજ્ઞાન પામ્યા.
અષ્ટ પ્રવચનમાતા એ ઉત્તરગુણ છે, પંચ મહાવ્રત એ મૂળ ગુણ છે. સારા હેતુથી કહેવું એ ગુસ્સો નથીઃ
કોઈ આંખ લાલ કરે એટલા માત્રથી ગુસ્સો ન માનતા પણ હેતુ જોજો. અભણ છોકરાને બાપ વઢે એટલે કડવો લાગે. . .
સભા: “ભણેલા પણ એવા દેખાય તો ?” .
તમારી દૃષ્ટિએ ભણેલા, પણ શાસ્ત્રની દૃષ્ટિએ એ ભણેલા નથી. ભગંવાન મહાવીરદેવને ગોશાળાએ જ્યારે કહ્યું કે-“તારો શિષ્ય શંખલીપુત્ર ગોશાળો બીજો, હું નહિ,” ત્યારે ભગવાને કહ્યું કે-તણખલું આડું ધરવાથી ચોર ન છુપાય. તું તે જ મંખલીપુત્ર ગોશાળ છે. વૃથા તારી જાતને છુપાવવાના પ્રયત્ન કરે છે.” આ સાંભળી ગોશાળો ક્રોધે ભરાયો રે ? ભગવાનને કષાય હતો ? નહિ જ. પરંતુ સત્યનું સ્વરૂપ જ એવું છે કે એ સાચા શબ્દો જુઠ્ઠાને બાળીને ખાક કરે.
મિથ્યાષ્ટિને ઓળખાવવા માટે ભગેવાને પોતે કહ્યું કે- “છાયા રૂ I ક્ષમાના સાગરે પણ મ્લેચ્છ કહ્યા ને ? કરે શું ? વસ્તુને યથાસ્વરૂપે ઓળખાવવા શબ્દ ન વાપરે તો શું કરે ? ઉત્સુત્રભાષીને અદીઠકલ્યાણકરા કહેવામાં ગુસ્સો નથી. હીરાને હીરો કહેનાર ઝવેરી, પથ્થર માટે કયો કોમળ શબ્દ વાપરે ? વિંધ્યા સ્ત્રીને ઓળખાવવા માટે વંધ્યા કહેવી જ પડે. કદી કોઈ કહે કે “પુત્ર નથી થતો એમ કહીને ઓળખાવો તો સામો કહેશે કે થશે, આશા રાખો.” ત્યારે ખુલાસો કરવો પડે કે “ભાઈ ! થાય એમ નથી, એ વંધ્યા જ છે.” ઝવેરી કહે કે “આ હીરો નથી ત્યારે પેલો પૂછે કે “પણ છે શું ?” તો પથ્થર છે એમ કહેવું પડે ને ? કોઈ કહે કે હાથી શબ્દનો પ્રયોગ કરો કારણ કે તે સારો લાગે છે પણ મહેરબાની કરી “ગધેડો' એ શબ્દનો પ્રયોગ ન કરતા. સારી વાત છે. પણ સામે ગધેડો જ દેખાય ત્યારે શું કરવું ? શાસ્ત્ર ત્યાં પણ “પ્રજાપતિનો હાથી એમ વર્ણન કર્યું તોયે પેલો ન સમજ્યો. તે વખતે પ્રજાપતિનો અર્થ એ રાજા કરે ત્યારે