________________
૪૬૬ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - 1035 આરાધનામાં હાનિ પહોંચે એવી ક્રિયા ન કરાય. એક અનુષ્ઠાન એવું ન થાય કે જે બીજાને બાધ કરે. બીજું ન થઈ શકે તે વાત જુદી પણ બીજાને બાધક ન થવું જોઈએ. પણ એ યોગ, એ વાત કે એ ઘટના સંસારની સાથે લાગુ ન કરાય. છ મહિનાના ઉપવાસનું પચ્ચખાણ લઈ લીધું અને આઠ દિવસના ઉપવાસની પણ શક્તિ નથી તો પરિણામે મન-વચન-કાયાના યોગોની કઈ સ્થિતિ થાય ? માટે તો જ્ઞાની વિના અને આયુષ્યના જ્ઞાન વિના અનશનનો નિષેધ છે. અશન કરી નાખે અને આયુષ્ય બાર મહિનાનું બાકી હોય તો શું થાય ? શ્રી જિનેશ્વરદેવ પણ આહાર લેતા. શ્રી ઋષભદેવ ભગવાન પણ રોજ ભિક્ષાએ ફરતા. કારણ ? આહાર વિના દેહ ટકે નહિ અને દેહ ન ટકે તો ધર્મની આરાધના કઈ રીતે થાય ? સંયમમાત્રા માટે આહાર લેવા છતાં એ તપસ્વી જ હતા. જેનાથી ડૂળ્યા એનાથી જ તરવાનું છે?
* મન-વચન-કાયાના યોગોથી ધાર્યું કામ ન લેવાય તો આરાધના કઈ રીતે થાય ? જિનકલ્પ કોણ અંગીકાર કરે ? છ મહિના સુધી આહારપાણી વિના જેની સ્વસ્થતા ટકે તે. એ અગ્લાનપણે વિચરે, દુર્બાન ન કરે. આવું સામર્થ્ય હોય તે જ જિનકલ્પ અંગીકાર કરે. એને પણ છ માસનો જ તપ કહ્યો. તેથી વધારે નહિ. છ મહિને આહારનો યોગ મળે જ. કસોટી કહી, શક્તિ માની પણ છ મહિના સુધીની જ આ વાત. કામ તો મન-વચન-કાયાથી જ લેવું છે ને ? જેનાથી અધર્મ થાય છે તેનાથી જ ધર્મ કરવો છે ને ?
આત્મા હજી પરતંત્ર છે, સ્વતંત્ર થયો નથી. જ્યાં સુધી એ પરતંત્રતામાં ફસાયેલો છે ત્યાં સુધી કળાથી કામ લેવાનું છે. જે યોગો આત્માને સંસારમાં બાંધે છે તે જ યોગોથી આત્માએ છૂટવું છે. જે યોગોથી આત્મા અનાદિકાળથી સંસારમાં રૂલે છે તે જ યોગો દ્વારા તરવું છે. વાત એ છે કે અત્યાર સુધી એ મન-વચન-કાયાની ગુલામી હતી તે હવે શેઠાઈ કરવાની છે.
પેઢી ચલાવનાર હોશિયાર તુનમને શેઠ એકદમ કાઢી ન મૂકે. શેઠ ને માને નોકર પણ સાથે જ સમજે કે-એ છે તો પેઢી છે. ભાવ-તાલ-1ની જાત, લેવડ-દેવડ, ખરીદી-વેચાણ વગેરે બધું એ જાણે છે. એને રજા આપે કેમ પાલવે ? ડાહ્યો શેઠ કદી એવી મુર્ખાઈ ન કરે. એ-રીજી રાખી એની પાસેથી લેવાય તેટલું કામ લે અને પોતે શેઠ બન્યો છે. બાર મહિના થાય નોકર નીકળી જવાની વાત કરે તો શેઠ એનો પગાર વધારી આપે. પાંચસોના સાતસો કરી આપે. અને ઉપરથી કહે કે “તારા વિના કાંઈ ચાલે ?” પેલો કહે કે પણ મારે નોકરી કરવી જ નથી તો શેઠ એને ચાર આની ભાગ પણ કરી આપે, કારણ