________________
1011 - ૨૯ : સાવધ રહેવાની જરૂર – 69 -
૪૪૧ તો માલિક તાળું તોડાવી નાંખે, અરે, બજારમાંથી બીજું મંગાવીને જમાડે અને બધાને ખુલાસો કરી દે કે-આ તો પેલો લુચ્ચો મારું બગાડવા તાળું મારી ગયો હતો.
અહીં પણ એક ચીજ એવી નથી કે જેમાં ત્યાગ ન હોય. અહીં બૂમ તો ત્યાગની જ મારવાની. બીજું કહેવાય તે પણ ત્યાગને માટે જ.
ત્યાગ વિના સમ્યગ્દર્શન સમજાવનારા મિથ્યાદષ્ટિ છે. ત્યાગ વિના સમ્યજ્ઞાન સમજાવનારા અજ્ઞાની છે. અને ત્યાગ વિના સમ્યફ ચારિત્ર સમજાવનારા પ્રપંચીઓ છે.
ત્યાગની વાત વિના સમયગ્દષ્ટિને ચેન ન પડે. દઢ સમ્યકત્વને રૂઢ. બનાવવા માટે હજી પણ આગળ શું વર્ણન આવે છે તે હવે પછી.