________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
એવો કોઈ તૈયાર થાય તો પછી એને આખા સંઘની સંમતિ જોઈએ. તે વખતે એમાં વિરોધ કરે એવા પાંચ દાડિયા તૈયાર રાખ્યા જ હોય. એ ઊભા થાય એટલે પેલાને ઘર ભેગા જ થવું પડે. બસ પછી રહ્યા કોણ ? બધા નફરખંડા ! નવસૃષ્ટિના સર્જનહાર ! જગતના તારણહાર ! સમજી ગયા ને ?
માટે સમજી લો કે-મંદિરો બંધ કરાવવામાં કે દેવદ્રવ્ય તફડાવવામાં સંમતિ આપનારા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ સંઘ નથી પણ- જૈનશાસનના લૂંટારા છે. એક વેષધારી લૂંટારા તો બીજા ગૃહસ્થ લૂંટારા છે. એ ચારેયથી સાવધ રહેવું પડે.
૪૪૦
1010
તો હવે બોલો કે, સાત ક્ષેત્રમાં ભક્તિવાળો ત્યાગનો આદર્શ ઉઠાવવા પ્રયત્ન કરે ? એની મનોવૃત્તિ કઈ હોય ? જે વખતે આ રીતે ત્યાગના આદર્શને ઉડાવવાનો પ્રયત્ન થતો હોય તે વખતે છતી શક્તિએ તેની સામે સામે જે ન બોલે, યોગ્ય પ્રયત્નો ન કરે તેને શાસ્ત્ર ગુનેગાર કહ્યો છે. એ મિથ્યાર્દષ્ટિ અજ્ઞાની અને પ્રપંચી છે :
ત્યાગના ધ્યેય વિના, એની છાયા વિના, એની અપૂર્વતાના વર્ણન વિના અમારાથી વ્યાખ્યાન વંચાય તેમ નથી. ત્યાગના સાંભળનાર કોઈ નહિ હોય તો એકલો હૈયાને સંભળાવીશ, ત્યાગની નવકારવાળી ગણીશ, પણ જમાના સામે જોઈને ત્યાગની વાત મૂકવાનું અમારાથી નહિ બને. અમારાં શાસ્ત્રો ના પાડે છે.
સભા એકલો લાડુ જ પીરસવાનો ? સાથે બીજું કાંઈ નહિ ?’
બીજું પણ ખરું ! પણ બૂમરાણ શાની ? જમણ શેનું કહેવાય ? જમાડનાર આગ્રહ શેનો કરે ? બૂમરાણ શેના નામની મચાવે ? તો લોકથી વિરુદ્ધ હું પણ કેમ વર્તે ? શાક પર અંકુશ મુકાય પણ મિષ્ટાન્ન પર અંકુશ મૂકે તો આબરૂ જાય. શાક દાળ પીરસનારા તો એકાદ બે ચક્કર મારીને જતા રહે, પણ લાડુને પીરસનારા તો ફર્યા જ કરે. શાક વગેરે પણ મિષ્ટાન્ન જમાડવા માટે છે. દાળભાત પણ પાછળથી એ મિષ્ટાન્ન પાછું ન વળે માટે એને ઠેકાણે પાડવા માટે છે અને પાનપટ્ટી પણ એના ડકાર ટાળવા માટે અને એને પચાવવા માટે છે. માટે બધી વાતમાં મહિમા તો એ મિષ્ટાન્નનો જ છે. માટે દાળ શાકને તાળાં હોઈ શકે પણ મિષ્ટાન્નને ન હોય.
સભા : કોઈ દયાળુ જમાડનારની દયા ચિંતવી એના મિષ્ટાન્નની ઓરડીએ તાળું મારી જાય તો ?’
માલ જમાડનારનો છે કે પેલાના બાપનો છે ? કદાચ પેલો તાળું મારી જાય