________________
964
૩૯૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
વાત એને ન ફાવે ત્યાંથી એનું અભિમાન અને મિથ્યાત્વ એને આઘો ખસેડે. માન વિનય ન આવવા દે. વિનયના અભાવે એ સજ્જનના શરણે ઝૂકે નહિ-એથી સજ્જન એને ઓળખાય નહિ. શ્રી જિનેશ્વરદેવને તથા એમના ધર્મને ઓળખવામાં વર્તમાનની કેળવણી નકામી છે. પુસ્તકોના ઢગલા વચ્ચે આળોટે તોય એ ભગવાનને કે એમના ધર્મને ન ઓળખી શકે. બહાર પડેલાં લખાણોથી સ્પષ્ટ માલૂમ થાય છે કે જેને જૈનધર્મનું જ્ઞાન નથી, એના સ્વરૂપની ખબર નથી-એવા કદી જૈનધર્મને છોડી ગયા તો એમાં ધર્મનો દોષ ? આવું બોલનારા, સાંભળનારા, લખનારા, વાંચનારા અને એવાને તાળીઓ પાડીને વધાવનારા એ બધો કઈ જાતનો સમુદાય છે એ ઓળખી લેજો. પહેલાંના પાખંડીઓ આવા ન હતા. એ તો પંથ કાઢીને બેઠા હતા-અનુયાયીઓનાં ટોળાં ધરાવતા હતા. દલીલો અને યુક્તિઓથી ટક્કર લે એવા હતા. એવા પણ ભગવાનને ન પારખી શક્યા તો એમાં ભગવાનની ખામી ?
સભા ધર્મનેતાનું સ્થાન ઊંચું કે દેશનેતાનું ?’
મને પૂછો છો ? તમે શું માનો છો ? દેશની,આબાદીથી ધર્મની આબાદી કે ધર્મની આબાદીથી દેશની આબાદી ? તમે જીવો છો તે દુનિયાની સામગ્રીના યોગે કે પુણ્યના યોગે ?
સભા એ લોકો દેશની આબાદી મુખ્ય માને છે.’
એમની વાત છોડો. તમારી વાત કર્રો-એ લોકો બહુ આગળ વધ્યા છે‘મહાવીરને ઉત્પન્ન કરનારા પણ આપણે' એમ એ તો માને છે. મહાવીર પેદા કરવા માટે કયે ટાઇમે, કેવી રીતે કામ ભોગ ક૨વા એની યોજનાઓ ઘડી રહ્યા છે. માટે એમની વાત જ ન કરો. કામની કરણીના આધારે મહાવીર પેદા થાય ? તમે એ માનો છો ?
સભા : ‘સંયોગથી તો ખરું ને ?’
સંયોગ તો બધાને ચાલુ છે. સિદ્ધાર્થ મહારાજા અને ત્રિશલા રાણી કરતાં કંઈક ગુણા બળવાનના સંયોગો ચાલુ ન હતા ? છતાં મહાવીર કેમ પેદા ન કરી શક્યા ? ગાંડાઓની દુનિયાની વાતો ગાંડી જ હોય-તમે એની પાછળ તણાવાની ગાંડાઈ ન કરો.
સભા : ‘લજપતરાયને આ તો ન સાચવી શક્યા પણ એ પોતે સમયધર્મ કેમ ન સાચવી શક્યા ?'
એ તો કહેશે કે અમે તો હમણાં પાક્યા ને ? જવાબ- બધા આપશે. આવો