________________
૨૮ : અદાલતના
68
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૪, મહા વદ પ્ર. ૮, ગુરુવાર, તા. ૨૦-૨-૧૯૩૦.
• સંવેગથી નવો ફાયદો : • સુખથી છૂટવા કોણ ઇચ્છે ?
સમકિતીની મનોદશા :
શાંત-પ્રશાંત બનો તો સારા વિચાર આવે : • સમકિતી અને સાધુની બીજા ઉપર છાયા પડે :
છાયા એવી હોય કે ખોટી વાત કરનાર ડરે : મહર્ષિઓએ કરેલા આકરા શબ્દપ્રયોગો : -
સમ્યગ્દષ્ટિ, સંસારમાં નિરસ : , • આગમચીંધ્યા રાહે જ ઉદય અને ઉન્નતિ : • પાપથી પેદા થતા આહાર-પાણીથી જીવવા છતાં સાધુનિષ્પાપ કેમ ? • બધા જ દીક્ષા લઈ લે તો ? • દીક્ષિતના કુટુંબની દયા ન ખાઓ, સંઘ એને વધાવવા તૈયાર છે : • શાસનની ભક્તિ માટે :
શાસનપક્ષ અને ઇતરપક્ષ : • તારક તો ગુણહીનને પણ તારે ? • મેં દીક્ષા કોને આપી છે અને કોને આપું :
પૂ. મૂળચંદજી મહારાજ અને પગમાં બેડી : • આ સાધુને, ગમે તે રીતે ફસાવો ! • એ મનોરથ મનમાં રાખો !
સંવેગથી નવો ફાયદોઃ
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચકજી ગણિવર શ્રી સંઘરૂ૫ મેરૂની સમ્યગ્દર્શનરૂપ વજરત્નમયી પીઠનું વર્ણન કરતાં ફરમાવે છે કે એ પીઠને દઢ બનાવવા જેમ શંકાદિ પાંચેય દોષોનો પરિત્યાગ કરવો જોઈએ તેમ એ દઢ બનેલી પીઠને રૂઢ બનાવવા પ્રતિસમય વિશુદ્ધ બનતી જતી પરિણામની ધારાનું સેવન કરવું જોઈએ. એ પરિણામની ધારાના વિચાર અંગે સૂરિપુરંદર